Home Blog Page 4914

વિશ્વ કોરોના સામે લડે છે ને કિમ જોંગ મિસાઈલ પરીક્ષણ કરે છે

પ્યોંગયાંગ: સમગ્ર વિશ્વ કોરોના વાઈરસની મહામારી સામે ઝઝૂમી રહી છે ત્યારે ઉત્તર કોરિયાનો તાનાશાહ કિમ જોંગ ઉને મિસાઈલ પરીક્ષણ કરાવ્યું છે. આ મિસાઈલનોના પરીક્ષણ દરમ્યાન કિમ પોતે ત્યાં હાજર હતો.

કોરોનાની વચ્ચે ઉત્તર કોરિયાનુ મિસાઈલ પરીક્ષણ

ઉત્તર કોરિયાએ શનિવારના રોજ નાના અંતરની 2 બૈલિસ્ટિક મિસાઈલોનું ઉત્તર પ્યોંગ પ્રાંતથી પૂર્વી સાગરમાં પરીક્ષણ કર્યું. આ મિસાલ પરીક્ષણ એવા સમયે કર્યુ છે, જ્યારે સમગ્ર દુનિયા કોરોના વાયરસની મહામારી સામે ઝઝૂમી રહી છે. મીડિયા રીપોર્ટ્સ પ્રમાણે, ઉત્તર કોરિયાએ આ મહિનાની શરુઆતમાં ‘ફાયરિંગ ડ્રિલ’ ના ભાગરુપે ઘણી મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું.

આ મિસાઈલોના પરીક્ષણ બાદ દક્ષિણ કોરિયાની સેનાએ શનિવારે કહ્યું કે, તે સ્થિતિ પર નજર રાખી રહી છે. ઉત્તર કોરિયાએ જાહેરાત કરી હતી કે, તે 10 એપ્રિલે સુપ્રીમ પીપલ્સ એસેમ્બલી સત્ર આયોજીત કરશે. આ જાહેરાત પછી મિસાઈલ પરીક્ષણ કરવામાં આવ્યું છે. વિશ્લેષકોનું કહેવું છે કે, આ બેઠકમાં લગભગ 700 નેતા સામેલ થશે.

મહત્વનું છે કે, ઉત્તર કોરિયાએ દાવો કર્યો છે કે, તેમના દેશમાં કોરોના વાઈરસનો હજુ સુધી એકપણ કેસ નથી. આ સાથે તેમણે એવો પણ દાવો કર્યો છે કે, તેમણે કોરોના વાઈરસ પર કાબુ મેળવી લીધો છે. નિષ્ણાંતોએ કહ્યું કે, ઉત્તર કોરિયા કોરોના સંકટને છૂપાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

કોરોનાઃ માહિતી છુપાવવા બદલ આ દંપતિ સામે કાર્યવાહી

ઓરંગાબાદઃ થાઈલેન્ડથી આવનારા એક દંપતિ વિરુદ્ધ પોલીસ દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે. આ દંપતિએ થાઈલેન્ડથી આવ્યા હોવાની વાત અધિકારીઓથી છુપાવી હતી અને બાદમાં જ્યારે આ મામલે ખ્યાલ આવ્યો ત્યારબાદ તેમના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે હવે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 63 પર પહોંચી ગઈ છે.

(પ્રતીકાત્મક તસવીર)

વિદેશોથી આવનારા લોકોને કોરોના વાયરસના સંકટને કારણે જરુરી રુપથી એક અલગ રુમમાં પોતાને બંધ રાખવા માટે કહેવામાં આવ્યું છે પછી ભલે તેઓને કોરોનાનો ચેપ લાગ્યો હોય કે ન લાગ્યો હોય. જિલ્લા વહીવટી તંત્રની એક સર્વેક્ષણ ટીમે આ દંપતિ વિશે માહિતી મેળવી હતી, જેણે થાઈલેન્ડથી આવ્યા હોવાની વાત છુપાવી હતી. તેમણે કહ્યું કે, અમલનેરના ગજાનન નગર વિસ્તારમાં રહેનારા દંપતિ થાઈલેન્ડથી આવ્યું હતું. જ્યારે ટીમે તેમને તેમની યાત્રા વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે, અમે પુણેમાં અમારા દિકરા પાસે ગયા હતા.

જો કે, તપાસકર્તાઓને બાદમાં માહિતી મળી કે તેઓ થાઈલેન્ડ ગયા હતા. તેમણે જણાવ્યું કે, દંપતિ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની પ્રાસંગિક કલમો અને મહામારી રોગ નિયંત્રણ અધિનિયમ, 1897 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, બંન્નેને અલગ અલગ જગ્યાએ રાખવામાં આવ્યા છે અને તપાસ માટે તેમના સેમ્પલ્સ લેવામાં આવ્યા છે.

કોરોના સામેના જંગમાં એશિયાની સરાહનીય કામગીરી

લંડનઃ વિશ્વના 185 દેશો હાલમાં કોરોના વાઇરસના રોગચાળાનો સામનો કરી રહ્યા છે. કોરોનાની સામે ચાલી રહેલા જંગમાં પશ્ચિમી દેશોની હાલત ખરાબ છે ત્યારે એશિયાના કેટલાય દેશોએ પહેલેથી અગમચેતી વાપરતાં આ વાઇરસ પર મોટા ભાગે કાબૂ મેળવી રહ્યા છે. પશ્ચિમી દેશોએ કોરોનાથી બચવા લોકડાઉન કર્યું છે, ત્યારે એશિયા આ મહા સંકટમાં બચવામાં હજી સુધી તો સફળતા મેળવી છે.  

ચીન કરતાં ઇટાલીમાં વધુ મોત

કોરોના વાઇરસનો કહેર યુરોપ અને અમેરિકામાં છે. ઇટાલીમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ચીનને પાર થઈ ગઈ છે. પશ્ચિમી દેશોએ લોકડાઉન કરી દીધું છે. આ મહાસંકટની વચ્ચે ચીનની બહુ નજીક તાઇવાન, સિંગાપુર જેવા એશિયાના દેશોએ આ રોગચાળા સામે પરિસ્થિત પર નિયંત્રણ મેળવ્યું છે.

કોરોનાને ગંભીરતથી લેવાની જરૂર

બીબીસીએ આરોગ્યના નિષ્ણાતોનો હવાલો આપીને જણાવ્યું હતું કે આ મહા સંકટ સામે જરૂરી છે કે મોટા પાયે પરીક્ષણ કરાવવામાં આવે અને જે લોકો આ રોગથી અસરગ્રસ્ત છે તેમને જુદા કરવામાં આવે. તેમની સાથેના લોકોને પણ સામાજિક રીતે દૂર રહેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે. આ પગલાં એશિયાએ ઝડપથી લીધાં એચલા ઝડપથી પશ્ચિમી દેશોએ ઉઠાવ્યાં નહોતાં. જેને કારણે તાઇવાન, સિંગાપુર અને હોંગકોંગ બચી ગયા છે,જ્યારે બ્રિટન, ઇટાલી અને અમેરિકા ઝટપમાં આવી ગયા.

વધુ ને વધુ લોકોની કોવિડ-19ની તપાસ

કોરોનાથી જંગમાં દક્ષિણ કોરિયામાં કેસો ઝડપથી વધ્યા, પણ એણે એક તપાસ વિકસિત કરી. જેમાં અત્યાર સુધી બે લાખ 90 હજાર લોકોની તપાસ કરી લીધી હતી. દક્ષિણ કોરિયા પ્રત્યેક દિવસે 10,000 લોકોની મફતમાં તપાસ કરે છે. જેથી આ રોગના દર્દીઓની ઓળખ ઝડપથી થઈ અને એટલે એને વધુ રોકવામાં સફળતા મળી.

દર્દીઓની ઓળખ પૂરતી નહીં, તેમને અલગ કરવા પણ જરૂરી

કોરોના વાઇરસના દર્દીઓની તપાસ પૂરતી નથી, પણ તેમને અલગ કરવા પણ જરૂરી છે. સિંગાપુરમાં જે લોકોની ઓળખ કરી જે કોરોના પીડિત છે, તેઓ જેમને મળ્યા તેમની પણ સીસીટીવીથી ઓળખ કરવામાં આવી. જે લોકોને અલગ રાખવામાં આવ્યા હતા, તેમને કેટલીય વાર ફોટો મોકલવા કહેવામાં આવ્યું. જેમણે આઇસોલેશનના નિયમોનું ઉલ્લંઘન કર્યું તેમની સામે ભારે દંડ લગાડવામાં આવ્યો.
સોશિયલ ડિસ્ટસિંગ પર ભાર

કોરોના સામેના જંગમાં બહુ જરૂરી છે કે લોકો સોશિયલ ડિસ્ટસિંગનું પાલન કરે.અનેક દેશોએ કોરોનાના કેસ વધતાં નેશનલ લોકડાઉન કરી દીધું. લોકોને ભેગા થવા સામે પ્રતિબંધ મૂકી દીધો.

લોકોને માહિતી આપી

કોરોના સામેના જંગમાં સિંગાપોર, તાઇવાન અને હોંગકોંગએ લીધેલાં પગલાં વિશે લોકોને માહિતી પહોંચાડી, જેથી નીતિઓ લાગુ કરવામાં જનતનો પૂરો સહયોગ મળ્યો.

 

 

 

 

 

 

 

કોરોનાઃ કેવી રીતે રાખશો કાળજી?

અમદાવાદ: છેલ્લાં 31 વર્ષથી પીડિયાટ્રિશિયન, નિયોનેટોલોજિસ્ટ અને ચાઇલ્ડ કાઉન્સેલર તરીકે અમદાવાદમાં સેવા ડો. મોના દેસાઈ અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ તરીકે કાર્યરત છે. 1984માં MBBSમાં અને 1987માં  MD (પીડિયાટ્રિક્સ)નું ભણેલાં મોનાબહેન સાઇકોલોજીમાં ગોલ્ડ મેડલ મેળવનારા પહેલા MBBS છે.
અમદાવાદ મેડિકલ એસોસિયેસનનાં 118 વર્ષના ઇતિહાસમાં પ્રમુખ હોદ્દો ધારણ કરનારાં તેઓ પહેલા મહિલા (PG) ડોક્ટર છે.
અહીં મોનાબહેન આ લોકજાગૃતિ માટે ચિત્રલેખા.કોમ સાથે કેટલીક બેઝીક, પણ અત્યંત મહત્વની વાત કરે છે. સાંભળીએ, શું કહે છે ડો. મોનાબહેન… 



હાલ સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોના વાઇરસને લઇને ડરનો માહોલ છવાઇ ચૂક્યો છે ત્યારે આ મહામારી સામેની લડતમાં તબીબો, નર્સિંગ સ્ટાફ અને હોસ્પિટલોનો ફાળો મહત્વનો છે. સાથે સાથે, મહત્વની છે લોકજાગૃતિ.
(વિડિયોગ્રાફી પ્રજ્ઞેશ વ્યાસ)

રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચ્યો કોરોનાનો કહેર: રાષ્ટ્રપતિ કરાવશે ટેસ્ટ

નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસનો ફેલાવો ધીમે ધીમે વધી રહ્યો છે, જેને લઈને લોકોમાં ડરનો માહોલ પણ છે. કોરોના વાઈરસનો ભય હવે રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ પોતાનું મેડિકલ ચેકઅપ કરાવશે.

મહત્વનું છે કે, ભાજપના સાંસદ દુષ્યંત સિંહ બોલીવુડ સિંગર કનિકા કપૂરની એક પાર્ટીમાં સામેલ થયા હતા. કનિકા કપૂરને કોરોના વાઈરસ પોઝિટીવ છે. કનિકા કપૂરને મળ્યા બાદ દુષ્યંત સિંહે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી.

કનિકા કપૂરની પાર્ટીમાં સામેલ થયાના ત્રણ દિવસ પછી સાંસદ દુષ્યંતસિંહે 18 માર્ચે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જણાવી દઈએ કે, બુધવારે સવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં યુપી અને રાજસ્થાનના સાંસદો માટે નાસ્તા પાર્ટી રાખી હતી. આ કાર્યક્રમનો ફોટો પણ સામે આવ્યો છે. જેમાં દુષ્યંત સિંહ રાષ્ટ્રપતિ કોવિંદની પાછળ ઉભેલા જોવા મળે છે.

કહેવામાં આવી રહ્યું છે કે, કનિકા કપૂરને કારણે અનેક લોકોને કોરોનાનો ચેપ લાગી શકે છે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ આમા સામેલ છે. રાષ્ટ્રપતિએ આગામી આદેશ સુધી તેમના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે. આ ઉપરાંત દુષ્યંત સિંહ સાથે સંપર્કમાં આવેલા અન્ય લોકોને પણ અલગ કરવામાં આવી રહ્યા અને તે તમામના ટેસ્ટ કરવામાં આવશે

કોરોનાના કારણે વિશ્વ આખું ઠપ્પઃ WHO એ યુવાનોને આપી ચેતવણી

નવી દિલ્હીઃ વિશ્વભરમાં કોરોના વાયરસથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા તેજીથી વધવા લાગી છે. આને જોતા આજે વિશ્વભરમાં કરોડો લોકોના વિકેન્ડની શરુઆત કામબંધી અને ઘરમાં બંધ રહેવા સાથે થઈ છે. યુવાનો પર આ વાયરસની અસરને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ગંભીર ચેતવણી આપી છે. ડબલ્યૂએચઓ ચેતવણી આપી છે કે યુવાનો પણ આ બિમારીની ઝપટે આવી જાય તેવી પૂર્ણ આશંકાઓ છે.

આ વૈશ્વિક મહામારીએ આખી દુનિયામાં જનજીવનને પ્રભાવિત કર્યું છે. શાળા અને વ્યાપાર બંધ થઈ ગયા છે અને લાખો લોકો ઘરેથી કામ કરવા માટે મજબૂર બન્યા છે જ્યારે ઘણા લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે. ભલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એ વાત પર જોર આપ્યું કે, અમેરિકા વાયરસ વિરુદ્ધ યુદ્ધ જીતી રહ્યું છે પરંતુ અલગ-અલગ રાજ્યોમાં પ્રતિબંધો કડક કરી દેવામાં આવ્યા છે.

ન્યૂયોર્ક, ઈલિનોઈસ અને કેલિફોર્નિયાએ લોકોને તેમના ઘરમાં જ રહેવાના આદેશો આપ્યા છે. વિશ્વભરમાં વાયરસના કારણે મૃતકોની સંખ્યા 11,000 થી પણ વધી ગઈ છે. આમાં 4000 કેસો ઈટલીથી છે કે જ્યાં ખૂબ ભયંકર સ્થિતિ છે. અહીંયા એક સપ્તાહમાં રોજ મૃતકોની સંખ્યા અચાનક વધી ગઈ છે. વાયરસના કારણે વડીલો અને પહેલા અન્ય બિમારીથી પીડાતા લોકો સૌથી વધારે પ્રભાવિત છે.

ડબલ્યૂએચઓના પ્રમુખ તેદરોસ અદહાનોમ ગેબ્રેયસસે કહ્યું છે કે યુવાનો પણ આ બિમારી પ્રત્યે સંવેદનશીલ છે. તેમણે કહ્યું કે હું યુવાનોને સંદેશ આપવા માંગુ છું છે કે, તમે બને તેટલી તકેદારી રાખો કારણ કે આ વાયરસ આપ લોકોને હોસ્પિટલમાં ભરતી કરાવી શકે છે અથવા તો આપનો જીવ પણ લઈ શકે છે.

ગુજરાતમાં કોરોનાના 13 કેસ

અમદાવાદઃ ભારતમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. ભારતભરમાં કોરોના વાયરસના કુલ 258 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસે માથુ ઉંચક્યું છે. ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 13 જેટલા દર્દીઓ નોંધાયા છે. આ 13 પૈકી 12 લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી ફોરેનની છે અને એક જ વ્યક્તિ અહીંયાનો લોકલ છે કે જેને કોરોના વાયરસની અસર થઈ છે.

વડોદરાની મુલાકાતે પહોંચેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, તમામ લોકોને રાજ્યની અલગ અલગ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં કોરેન્ટાઈન કરીને રાખવામાં આવ્યા છે. ગુજરાતમાં જે 13 કેસ સામે આવ્યા છે, તેમાંથી 12 કેસ વિદેશમાંથી ગુજરાત પરત ફરેલા નાગરિકો છે. તેથી હાલ એરપોર્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તો સાથે જ ગાંધીનગરના એક યુવાનનો કોરોના પોઝીટિવ કેસ સામે આવ્યો છે. આ યુવક દૂબઈથી આવ્યો હતો, જેને હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કોરોના વાયરસના કહેરથી ગુજરાતના 20 જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. જાહેરમાં 4થી વધુ લોકોને ભેગા ન થવા આદેશ કરાયા છે. જો ભેગા થયા તો કેસ થશે.

અત્યારે વિદેશથી આવેલા લોકો પર ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે, અનેક લોકોને હોમ કોરેન્ટાઈન કરાયા છે. ત્યારે અમદાવાદમાં ભાજપના એક નેતા હોમ કોરેન્ટાઈન થયા છે. થોડા દિવસ પહેલાં જ તેઓ વિદેશથી પરત ફર્યા હતા. દૂબઈ આવ્યા બાદ તેઓ હોમ કોરેન્ટાઈન થયા છે.

ત્રણ સિનિયર આઈએએસ અધિકારીને જુદી જુદી હોસ્પિટલમાં મોકલવાનો નિર્ણય સરકારે કર્યો છે. વડોદરામાં સ્પેશિયલ ઓએસડી તરીકે સરકારે વિનોદ રાવની નિમણૂંક કરી છે. અમદાવાદમાં પંકજ કુમાર અને રાજકોટમાં ગુપ્તાની નિમણૂંક કરાઈ છે. ગુજરાતના 600 લોકો ફિલિપાઇન્સમાં ફસાયા છે. ફસાયેલા લોકોના વાલીઓએ રજૂઆત કરી છે. હાલ ફિલિપાઇન્સ આખો દેશ લોકડાઉન છે. લોકોને ત્યાંથી લાવવા મુશ્કેલ છે. ગુજરાતમાં જે લોકો એરપોર્ટ પર આવ્યા છે, જેમનામાં શરદી, ઉધરસના લક્ષણો જણાય તો તેમને ટેસ્ટ માટે મોકલવામાં આવી રહ્યા છે. તેમાંથી 90 ટકા લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માહિતી આપી કે, 1200 બેડની સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તમામ કોરોના પોઝિટિવ કેસોને સારવાર અપાશે. આખી હોસ્પિટલને આઇસોલેશન માટે રખાશે. આગામી 3-4 દિવસમાં અહીંયા તમામ સુવિધાઓ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરશે. આપણે કોરોના સામે લડવા નીકળ્યા છીએ, ડરવા નહિ. લોકો જનતા કરફ્યુમાં સહકાર આપે. ગુજરાતના 13 કેસોમાં અમદાવામાં 5 કેસ, સુરતમાં 3 કેસ, વડોદરામાં 3, રાજકોટ અને ગાંધીનગર 1-1 કેસ નોંધાયા છે. જેમાંથી 12 કેસ વિદેશથી આવેલા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોના સામેની ખરાબ સ્થિતિમાં પહોંચી વળાય તેવુ છે. આવામાં સ્વંય શિસ્ત જરૂરી છે. સુરતના એક વેપારી વિદેશ ગયા ન હતા, પણ દિલ્હી ગયા હતા. જેથી તેઓને કોરોના પોઝીટિવ આવ્યો છે.

શું કનિકા કપૂર સાચે જ બાથરૂમમાં છુપાઈ હતી?

 નવી દિલ્હીઃ બોલિવુડ સિંગર કનિકા કપૂર કોરોના વાઇરસગ્રસ્ત હોવાના અહેવાલ આવ્યા પછી આ સિંગર ન્યૂઝમાં છે. તે લંડનથી પરત ફરી એ પછી લખનૌમાં અનેક પાર્ટીઓમાં હાજર રહી હતી. જેથી તે આ રોગ પ્રત્યે બેજવાબદારી દાખવવા બદલ સોશિયલ મિડિયા પર તો ખૂબ ટ્રોલ પણ થઈ રહી છે. તેની સામે ચાર FIR  નોંધવામાં આવ્યા છે. તેની સામે IPCની કલમ 269  હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

કોરોના વાઇરસની તપાસથી બચવા બાથરૂમમાં છુપાઈ ગઈ?

કનિકા કપૂરની યુઝર્સ ખૂબ આલોચના કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેમણે ધ્યાન રાખવું જોઈએ અને વિદેશથી પરત ફર્યા પછી તેમણે સેલ્ફ આઇસોલેશનમાં રહેવું જોઈએ, જે તેમણે નહીં કર્યું- ઊલટાનું એવા સમાચાર આવી રહ્યા છે કે કનિકા કપૂર કોરોના વાઇરસની તપાસથી બચવા માટે બાથરૂમમાં છુપાઈ ગઈ હતી.

એરપોર્ટ પર લાપરવાહી

કનિકા કપૂરની એરપોર્ટ પર થયેલી તપાસના અહેવાલ સામે આવી રહ્યા છે, જેમાં તેની લાપરવાહીની ટીકા કરવામાં આવી રહી છે. જોકે તેણે આ વિશે સ્પષ્ટતા પણ કરી હતી. તેણે બાથરૂમમાં છુપાવાની વાત પર સ્પષ્ટતા કરી હતી તેણે કહ્યું હતું કે આ સમાચાર ખોટા છે અને એરોપોર્ટ પર કોઈ પણ તપાસથી બચવું સંભવ નથી હોતું.

તેણે એરપોર્ટ ઓથોરિટી દ્વારા લેવાયેલાં પગલાંની પણ પ્રશંસા કરી હતી. તેણે કહ્યું હતું કે તે સાત માર્ચે ભારત આવી હતી અને એ વખતે તેને કોઈ લક્ષણ નહોતાં.એરપોર્ટ પર પણ તેને ગ્રીન સિગ્નલ મળ્યું હતું.

કુમાર વિશ્વાસે પણ ટીકા કરી

સોશિયલ મિડિયા પર સિંગર બહુ ટ્રોલ થઈ રહી છે. કુમાર વિશ્વાસે પણ તેની ટીકા કરતાં કહ્યું હતું કે આવા અભણોનું શું કરીએ અને હદ તો ત્યારે થાય છે કે આ સેલિબ્રિટી કહેવાય છે. તેમને સામાજિક જવાબદારીનું જરાય ભાન નથી. તેમની સાતે અનેક સેલેબ્સે કનિકા કપૂરને ફટકાર લગાવી હતી.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

કોરોનાના દર્દીઓની સંખ્યા 258 પર પહોંચી

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનું સંકટ સતત વધતું જઈ રહ્યું છે. આને જોતા કેન્દ્ર અને રાજ્ય સરકારો જરુરી તમામ પગલા ભરી રહી છે. સરકારે લોકોને ઘરમાં જ રહેવા અને ઘરેથી જ કામ કરવાની અપીલ કરી છે. કોરોનાને ધ્યાને રાખતા મુખ્ય રેલવે સ્ટેશનો પર યાત્રીઓની ભારે ભીડ જોવામાં આવી રહી હતી. તો દેશના કેટલાય ભાગોમાં બજારો અને ઓફિસો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારતમાં કોરોના વાયરસના અત્યારસુધીમાં કુલ 258 જેટલા કેસ સામે આવ્યા છે. ગઈકાલે દેશમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા સૌથી વધારે વધી છે. શુક્રવારના રોજ કોરોનાના 63 નવા કેસો સામે આવ્યા છે. કોરોનાથી ભારતમાં અત્યારસુધી ચાર લોકોના મોત થયા છે. જોકે રાહતની વાત એ છે કે 23 લોકો આનાથી પૂર્ણ રીતે પ્રભાવિત છે. કેજરીવાલ સરકારે 31 માર્ચ સુધી દિલ્હીના તમામ મોલને તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે. ગ્રોસરી, ફાર્મસી અને શાકભાજીની દુકાનો ખુલ્લી રહેશે.

  1. કોરોના વાયરસને જોતા અમેરિકા સ્થિત ભારતીય એમ્બેસીએ ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. ભારતીયોને સુરક્ષિત રહેવા માટે પોતાને ઘરમાં આઈસોલેટ રાખવા અને લોકો સાથે અંતર બનાવી રાખવા માટે કહેવામાં આવ્યું છે. વિઝાનો સમય વધારવા મામલે પણ નિર્દેશ આપવામાં આવ્યા છે.
  2. કોરોના વાયરસને ધ્યાને રાખતા સુરક્ષાના પગલા ભરતા વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર બાદ હવે સંકટ મોચન હનુમાન મંદિરને પણ સામાન્ય લોકો માટે 25 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. મંદીરમાં પૂજા નિયમિત રુપે ચાલશે.
  3. આ દરમિયાન, દેશના મુખ્ય રેલવે સ્ટેશનો પર ખૂબ ભીડ જોવા મળી રહી છે. મુંબઈમાં લોકમાન્ય તિલક ટર્મિનસ પર યાત્રીઓની ભારે ભીડ છે. એક યાત્રીએ કહ્યું કે, ટ્રેનોમાં સતત લોકોની ભીડ છે એટલા માટે મારી પાસે કન્ફર્મ ટીકિટ હોવા છતા સીટ મળી રહી નથી.
  4. આવતીકાલે એટલે કે રવિવારના રોજ જનતા કર્ફ્યુ પહેલા મેઘાલયની રાજધાની શિલોન્ગમાં આજે બજાર, ઓફિસ અને સાર્વજનિક પરિવહન સેવાઓ બંધ રહેશે. આ બંધી 24 કલાક માટે હશે. કોરોના વાયરસ સામે લડવા માટે આ પગલા ભરવામાં આવ્યા છે. આ આદેશ સુરક્ષા  બળો, અને મેડિકલ ટીમ પર લાગૂ નહી થાય. મેઘાલય સરકારે આને લોકડાઉન નહી પરંતુ કોરોના જાગૃતતા દિવસ નામ આપ્યું છે.
  5. અમેરિકાના રક્ષામંત્રીએ પણ ભારતની પહેલના વખાણ કર્યા છે. અમેરિકાના રક્ષા મંત્રી માર્ક એસ્પરે ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે વાત કરી અને ભારતની કોવિડ-19 પહેલની પ્રશંસા કરી. પેંટાગને જણાવ્યું કે બંન્ને નેતાઓએ કોવિડ-19 વૈશ્વિક મહામારી પર ચર્ચા કરી અને પોતાની વ્યાપક વૈશ્વિક ભાગીદારી મજબૂત કરનારી પહેલો પર આગળ વધતા રહેવા માટે આ સમય દરમિયાન નજીકનો સંવાદ જાળવી રાખવાની પ્રતિબદ્ધતા દર્શાવી.
  6. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પોતાના ટ્વીટમાં કહ્યું કે, કોરોના વાયરસને હરાવવા માટે એકજુટ થવું જરુરી છે. આ એકજુટતા માત્ર દેશો વચ્ચે નહી પરંતુ વિભિન્ન આયુના વર્ગો વચ્ચે પણ હોવી જોઈએ. એકજુટતાના આપણા આહ્વાનને પૂરુ કરવા માટે ધન્યવાદ. યુવાનો માટે આદે અમારી પાસે એક સંદેશ છે. આપ અજેય નથી. આ કોરોના વાયરસ તમને લાંબા સમય સુધી હોસ્પિટલમાં મોકલી શકે છે અથવા તો જીવ પણ લઈ શકે છે.
  7. મહારાષ્ટ્ર સરકારે મુંબઈ સહિત ઘણા શહેરોમાં તમામ ઓફિસને 31 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીના તમામ મોલને 31 માર્ચ સુધી બંધ કરવાનો આદેશ આપ્યો છે.
  8. કન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે દિલ્હીના વ્યાપારી સંગઠનો સાથે થયેલી બેઠકમાં નિર્ણય કર્યો છે કે શનિવારથી ત્રણ દિવસ સુધી દિલ્હીના તમામ બજારો બંધ રહેશે. આ સિવાય રવિવારના રોજ દિલ્હીની મેટ્રો સેવાઓ પણ બંધ રહેશે.
  9. વડાપ્રધાન મોદીએ શુક્રવારે સાંજે વિભિન્ન રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે એક વિડીયો કોન્ફરન્સ કરીને કોરોના વાયરસના પ્રકોપને રોકવાની પદ્ધતીઓ પર ચર્ચા કરી છે. બેઠકમાં પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ, મહારાષ્ટ્રના ઉદ્ધવ ઠાકરે, અને ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ શામિલ હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ પણ આ વિડીયો કોન્ફરન્સિંગમાં ભાગ લીધો હતો.
  10. વડાપ્રધાન મોદીની જનતા કર્ફ્યૂની અપીલ બાદ ભારતીય રેલવેએ મોટો નિર્ણય લીધો છે. ભારતીય રેલવેએ દેશમાં શનિવારે મધ્યરાત્રીથી રવિવાર રાતના 10 વાગ્યા વચ્ચે કોઈપણ સ્ટેશનથી કોઈ યાત્રી ટ્રેન શરુ ન કરવાનો નિર્ણય કર્યો છે.

સેનિટાઇઝર અને માસ્કના કાળા બજાર પર લગામ લાગશે?

નવી દિલ્હીઃ કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે સરકાર દેશભરમાં સજાગતા અભિયાન ચલાવી રહી છે, ત્યારે લોકો પણ આ રોગ સામે લડવા માટે સાવધાનીરૂપે બધાં ઘરના સભ્યો માટે માસ્ક અને સેનેટાઇઝરની ખરીદી કરી રહ્યા છે. પરંતુ બજારમાં માસ્ક અને સેનિટાઇઝરની કૃત્રિમ અછત ઊભી કરીને કેટલાય વેપારીઓ બજાર કિંમતથી ઘણી ઊંચી કિંમતે આ વસ્તુઓ વેચી રહ્યા છે. જેથી કેન્દ્ર સરકારે દેશમાં વેચાતા સેનિટાઇઝર અને માસ્કની છૂટક કિંમતો નક્કી કરી દીધી છે. કન્ઝ્યુમર બાબતોના પ્રધાન રામ વિલાસ પાસવાને ટવીટ કરીને આ માહિતી આપી હતી.  વળી, તેમણે એ પણ કહ્યું હતું કે સરકારે જે કિંમતો નક્કી કરી છે એ 30 જૂન, 2020 સુધી અમલમાં રહેશે.

માસ્ક અને સેનેસટાઇઝરની માગ વધતાં બ્લેક માર્કેટિંગ

દેશભરમાં કોરોના વાઇરસ પ્રસરતાં દેશમાં સેનિટાઇઝર અને માસ્કની માગમાં અચાનક ઉછાલો આવ્યો હતો. જેથી કેટલાય વેપારીઓએ એનું બ્લેક માર્કેટિંગ શરૂ કર્યું છે અથવા તો એની ખૂબ ઊંચી કિંમત વસૂલી રહ્યા છે. જે સેનિટાઇઝર પહેલાં રૂ. 70થી રૂ. 80માં વેચાતા હતા, એ હવે રૂ. 250ની કિંમતે વેચાઈ રહ્યા છે. બજારમાં કેટલાંય નકલી ઉત્પાદનો પણ આવી ગયાં છે. આ જ રીતે રૂ. 50માં વેચાતા માસ્કની કિંમત વધીને રૂ. 200થી રૂ. 300 સુધી પહોંચી ગઈ છે.

કેન્દ્રીય પ્રધાન રામ વિલાસનું ટ્વીટ

કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાને ત્રણ ટ્વીટ કર્યા હતા. જેમાં લખ્યું હતું કે કોરોના વાઇરસ #COVID19ના પ્રસરવાથી બજારમાં વિભિન્ન ફેસ માસ્ક, એના ઉત્પાદનમાં લાગતી સામગ્રી અને હેન્ડ સેનિટાઇઝરની કિંમતોમાં ભારે વધારો જોવા મળ્યો છે. સરકારે એને ગંભીરતાથી લઈને એની કિંમતો નક્કી કરી દીધી છે.

સરકારે નક્કી કરેલી કિંમત

હેન્ડ સેનિટાઇઝરની 200ML બોટલની છૂટક કિંમત રૂ. 100થી વધુ નહીં હોય. અન્ય આકારની બોટલોની કિંમત પણ આ જ રીતે રહેશે. વળી, આ કિંમતો 30 જૂન, 2020 સુધી દેશઆખામાં લાગુ રહેશે.  જ્યારે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ બે અને ત્રણ પ્લાય માસ્કમાં ઉપયોગમાં લેવાતા ફેબ્રિકની કિંમત પણ એ જ રહેશે, જે 12 ફેબ્રુઆરી, 2020એ હતી. બે પ્લાય માસ્કની છૂટક કિંમત રૂ. 8 અને ત્રણ પ્લાયની માસ્કની કિંમત રૂ. 10થી વધુ નહીં હોય.

આવશ્યક ઉત્પાદનોના લિસ્ટમાં સામેલ

પાછલા દિવસોમાં કન્ઝ્યુમર બાબતોના મંત્રાલયે માસ્ક અનમે હેન્ડ સેનિટાઇઝરને જરૂર ઉત્પાદકોના લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યાં હતાં. કોરોના વાઇરસના પ્રસરવાને કારણે આ ઉત્પાદનોના બ્લેક માર્કેટિંગને કારણે આ પગલું ભરવામાં આવ્યું હતું. એસેન્સિયલ કોમોડિટી એક્ટ હેઠળ રાજ્ય સરકારોને હવે આ ઉત્પાદનોની કિંમતો નક્કી કરવાનો અધિકાર છે. હવે જો કોઈ વિક્રેતા આને મહત્તમ કિંમતથી વધુ કિંમતે વેચશે તો તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.