Home Blog Page 4840

સુરતઃ રઘુવીર માર્કેટમાં કાપડની કંપનીમાં ભીષણ આગ

સુરતઃ શહેરના રઘુવીર માર્કેટમાં ભીષણ આગ લાગી છે. આગની ઘટના અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની 55 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આગ બે કાબૂ બનતા ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો. ફાયરની બ્રિગેડની ટીમ દ્વારા આગ ઉપર કાબૂ મેળવવા માટેનાં પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. આગ એટલી બધી વિકરાળ લાગી છે કે તેના ધૂમાડો કિલોમીટર દૂર જોવા મળી રહ્યા છે.

સુરતના પુણા-કુંભારિયા ખાતે રઘુકુળ સેલ્યુંમ ટેક્સટાઈલ માર્કેટ આવેલી છે આ માર્કેટમાં સવારના સમયે અચાનક આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. બનાવની જાણ થતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

ફાયરબ્રિગેડના ઓફિસરે પ્રાથમિક તબક્કે જાણકારી આપતાં કહ્યું હતું કે, આગ બીજા માળથી છઠ્ઠા માળ સુધી પ્રસરી રહી હોવાનું સામે આવી રહ્યું છે. કાપડનો જથ્થો હોવાથી આગ ઝડપથી લાગી રહી હોવાનું દેખાઈ રહ્યું છે. બીજાથી લઈને છઠ્ઠા માળ સુધી આગના ધૂમાડા ફેલાઈ રહ્યાં છે. આગ મોટા પ્રમાણમાં પ્રસરી રહી હોવાનું ધ્યાને આવતાં ફાયરબ્રિગેડ દ્વારા કાચ તોડીને ધૂમાડાને બહાર કાઢીને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાથે દુકાનમાં છત પર લગાવવામાં આવેલા સિલીંગને પણ તોડીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ફાયરબ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવતાં શહેરના તમામ ફાયરબ્રિગેડની ગાડીઓ રઘુવીર માર્કેટ ખાતે દોડી આવી હતી અને હાલ આગ પર કાબૂ મેળવાવા પ્રયાસ કરી રહી છે. ફાયરબ્રિગેડની હાઈડ્રોલિકથી લઈને તમામ પ્રકારની સુવિધા ધરાવતી ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આગના ધૂમાડાના ગોટે ગોટા ઉડતાં માર્કેટની આસપાસથી પસાર થતાં લોકો પણ દોડી આવ્યાં હતાં. લોકોના ટોળા ઉમટતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લોકોના ટોળાને વિખેરીને ફાયરબ્રિગેડની ગાડીઓને ઘટના સ્થળે કામગીરી કરવામાં સહકાર આપ્યો હતો.

ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે અમે સાત કલાકથી આગ બુઝાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ પરંતુ ફ્લેશ ફાયરના લીધે આગ ઓલવવામાં મુશ્કેલી પડી રહી છે. આ બિલ્ડીંગમાં 14 ફ્લોર આવેલા છે અને તમામ ફ્લોર પર અમારા કર્મચારીઓ પહોંચી ગયા છે. આગળના ભાગમાં લાગેલી આગ પાછળ તરફ પહોંચે નહી તેવો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આગનું તાપમાન 1000 ડિગ્રીથી વધુ છે.

આગનું તાપમાન વધી રહ્યું છે તેના લીધે બિલ્ડીંગ ધરાશાયી થવાના ચાન્સ વધી જાય છે. અલગ-અલગ પ્રકારના કાપડ હોવાથી તે અલગ પ્રકારે આગ પકડે છે. પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે કે આગ શોર્ટ સર્કિટના લીધે લાગી છે.

કેજરીવાલ સામે ભાજપ કોંગ્રેસમાંથી કોઈ મોટા ચહેરાને ટીકિટ નહી, શું છે સમીકરણો?

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં નવી દિલ્હી સીટ પર બધાની નજર છે. આ સીટ પર આજે અરવિંદ કેજરીવાલ પોતાની ઉમેદવારી નોંધાવવા માટે જશે. કેજરીવાલને ગઈકાલે ઉમેદવારી પત્ર ભરવાનું હતું પરંતુ રોડ શો માં વધારે સમય વીતી જવાના કારણે તેઓ પોતાની ઉમેદવારી ન નોંધાવી શક્યા. નવી દિલ્હી વિધાનસભા સીટ દેશની સૌથી વીઆઈપી વિધાનસભા સીટ માનવામાં આવે છે. કારણ કે આ વિસ્તારમાં લુટિયન દિલ્હીનો એક મોટો વિસ્તાj આવે છે, જેમાં સાંસદો અને અધિકારીઓ રહે છે.

આ એ જ સીટ છે કે જેણે આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલના રાજનૈતિક કરિયરને એક નવી ઓળખ અને સ્ટેન્ડ આપ્યું છે. કેજરીવાલે આ સીટ પરથી વર્ષ 2013 ની ચૂંટણીમાં તત્કાલીન મુખ્યમંત્રી શીલા દીક્ષિતને હરાવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2015 ની ચૂંટણીમાં તેમણે ભાજપના નૂપુર શર્માને હરાવ્યા હતા. માનવામાં આવી રહ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસ બંન્ને જ સીટ પર કોઈ મોટા ચહેરાને મેદાનમાં ઉતારશે જેથી આ સીટ પર કેજરીવાલને ટક્કર આપી શકાય અને અરવિંદ કેજરીવાલને જ અહીંયા જ ઘેરી લેવામાં આવે. પરંતુ લાગી રહ્યું છે કે બંન્ને પાર્ટીઓએ એક પ્રકારે અહીંયા વોકઓવર આપ્યું છે અને એવા નેતાઓને આપ્યું છે કે જે કોઈ મોટો ચહેરો નથી.

ભારતીય જનતા યુવા મોર્ચાના અધ્યક્ષ સુનીલ યાદવને ભાજપાએ કેજરીવાલ વિરુદ્ધ મેદાને ઉતાર્યા છે. સુનીલ યાદવ વકીલ અને સામાજીક કાર્યકર્તા છે. ભારતીય જનતા યુવા મોર્ચામાં મંડલ અધ્યક્ષ તરીકે તેમણે શરુઆત કરી હતી. સુનીલ યાદવ આ પહેલા દિલ્હી ભાજપમાં સચિવ પણ રહ્યા છે. જોરદાર યુવા છબી ધરાવતા સુનીલ યાદવ DDCA માં પણ ડાયરેક્ટર તરીકે જોડાયેલા રહ્યા હતા.

નવી દિલ્હી સીટ પરથી કોંગ્રેસે રોમેશ સભરવાલને મેદાને ઉતાર્યા છે. તેઓ 40 વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020 માટે તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે અને રાષ્ટ્રીય રાજધાનીમાં એક જ ચરણમાં 8 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. મતદાન બાદ 11 ફેબ્રુઆરીના રોજ પરિણામોની જાહેરાત કરવામાં આવશે. દિલ્હીમાં વિધાનસભાની 70 સીટો છે, જેમાંથી 58 સામાન્ય શ્રેણીની છે જ્યારે 12 સીટો અનુસૂચિત જાતિ માટે આરક્ષિત છે.

ઝોમેટોએ ઉબર ઈટ્સ ઈન્ડિયાને રૂ. 2,500 કરોડમાં ખરીદી લીધી

મુંબઈ – ઓનલાઈન ઓર્ડર લઈને ફૂડ ડિલીવર કરતી કંપની ઝોમેટોએ ઓલ-સ્ટોક સોદામાં અમેરિકાસ્થિત ઉબર કંપનીની ભારતસ્થિત ફૂડ ડિલીવર સર્વિસ કંપની ઉબર ઈટ્સનો બિઝનેસ રૂ. 2,500 કરોડમાં ખરીદી લીધો છે. ઉબર ઈટ્સ અને ઝોમેટો વચ્ચેનો સોદો 35 કરોડ ડોલર (રૂ. 2,485 કરોડ)માં થયો હોવાનું કહેવાય છે.

ઉબર અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો સ્થિત રાઈડ-હેઈલિંગ કંપની છે.

ઉબર ઈટ્સની ખરીદીના સમાચારને ઝોમેટો તથા ઉબર, બંને કંપનીએ એક નિવેદન બહાર પાડીને જાહેર કર્યા છે.

ઉબર ઈટ્સ ભારતમાં આજથી જ અમલમાં આવે એ રીતે તેની બિઝનેસ કામગીરીઓ બંધ કરી દેશે અને તેની રેસ્ટોરન્ટ્સ, ડિલીવરી ભાગીદારો તથા એની ઉબર ઈટ્સ એપના યુઝર્સને ઝોમેટો પ્લેટફોર્મ પર ડાયરેક્ટ કરી દેશે.

આમ હવે ભારતમાં ઓનલાઈન ફૂડ ડિલીવરી સેવાના ક્ષેત્રમાં ઝોમેટો અને સ્વિગી વચ્ચે એમ બે વચ્ચે જ ટક્કર રહેશે.

ઝોમેટો કંપની ઉબરને ભારતના ખાદ્ય વિતરણ (ફૂડ ડિલીવર) અને રેસ્ટોરન્ટ્સ ખોજ પ્લેટફોર્મ પર 9.99 ટકાનો હિસ્સો આપશે.

નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ઉબર ઈટ્સ ભારતમાં સક્રિય નહીં રહે. અને તેના યુઝર્સ જ્યારે તેઓ લોગઈન કરશે ત્યારે ઝોમેટો પ્લેટફોર્મ પર ડાયરેક્ટ થઈ જશે.

આ સોદાને કારણે ઉબર ઈટ્સના ભારતમાંના આશરે 200 જેટલા કર્મચારીઓને માઠી અસર પડશે, કારણ કે ઝોમેટો એમને સમાવવાની નથી.

ઝોમેટોના સીઈઓ દીપિન્દર ગોયલે નિવેદનમાં કહ્યું છે કે રેસ્ટોરન્ટ ડિસ્કવરી ક્ષેત્રમાં અમે અગ્રણી છીએ અને ભારતમાં 500થી વધારે શહેરોમાં ફૂડ ડિલીવરી બિઝનેસના આરંભકર્તા હોવાનો અમને ગર્વ છે. ઉબર ઈટ્સને હસ્તગત કરવાથી આ કેટેગરી (ક્ષેત્ર)માં અમારી સ્થિતિ વધારે મજબૂત થશે.

ઉબર ઈટ્સ 2017માં ભારતમાં પ્રવેશી હતી. તેના ઓનલાઈન પ્લેટફોર્મ પર ભારતના 41 દેશોમાંની આશરે 26 હજાર રેસ્ટોરન્ટ્સ લિસ્ટેડ થયેલી છે.

ઝોમેટો અને સ્વિગી વચ્ચેની સ્પર્ધા તીવ્ર બની જતાં ઉબર ઈટ્સ માટે ભારતમાં બિઝનેસ કરવાનું મુશ્કેલ બની ગયું હતું અને એ ખોટ કરી રહી હતી.

(ડાબે) ઝોમેટોના દીપિન્દર ગોયલ, (જમણે) ઉબરના દારા ખોસરોશાહી

2019ના ડિસેંબર સુધીના પાંચ મહિનાના સમયગાળા દરમિયાન ઉબર ઈટ્સ રૂ. 2,197 કરોડની ખોટ કરશે એવો અંદાજ વ્યક્ત કરાયો હતો.

ભારતમાં ફૂડ બિઝનેસ વેચી દીધા બાદ ઉબરના સીઈઓ દારા ખોસરોશાહીએ એક નિવેદનમાં કહ્યું છે કે, ઉબર માટે ભારત અસાધારણ રીતે મહત્ત્વનું માર્કેટ તરીકે યથાવત્ રહેશે અને અમે અમારો સ્થાનિક રાઈડ્સ બિઝનેસ વધારવા માટે મૂડીરોકાણ કરવાનું ચાલુ રાખીશું, જે કેટેગરીમાં અમે અગ્રેસર છીએ. ઝોમેટોએ ફૂડ ડિલીવરી બિઝનેસમાં જે ટૂંકા ગાળામાં વૃદ્ધિ હાંસલ કરી છે એનાથી અમે પ્રભાવિત થયા છીએ અને સફળતાની આ સફર ચાલુ રહે એવી અમારી એને શુભેચ્છા છે.

રાશિ ભવિષ્ય 21/01/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવા માટેની તક મળી શકે છે ,યાત્રા -પ્રવાસ દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે નવીજાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે


આજે થોડી ધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે  કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પોરવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામના કરવા.


આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથ સહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી રહી શકે.


આજે થોડી સાવચેતી રાખવી જરૂરી છે, તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચનને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે,  વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું,


આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને સત્કર્મ કરવાની ભાવના જાગે તેવું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છો, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિકબાબતમાં સારું યોગદાન આપવાની ખુશી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, રાબેતામુજબ દિવસ પસાર થાય, કોઈજગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈબહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બને છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ મળી શકે છે.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સંભાળવીના ગમે અને તમે થોડીશાંતિની અપેક્ષા રાખો, વધુપડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, ભક્તિમાં મન પરોવવું સારું.


આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય, તમારી લાગણી અને વિચારો લોકો સારીરીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ સારો પ્રતિભાવ આજે અથવા ભવિષ્યમાં પણ મળે.


આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારીવાત સંભાળવા મળે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય, ધાર્મિકસ્થળની મુલાકાતથી શાંતિ અનુભવાય


આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામપરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોય તો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે અને તેમાં યોગ્ય સહકાર પણ મળે.


આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટોનિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમેને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.

રોડ શો માં થયું મોડુંઃ કેજરીવાલ ન નોંધાવી શક્યા ઉમેદવારી

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે પોતાની ઉમેદવારી નોંધાવી શક્યા નથી. રોડ શો માં વધારે સમય વ્યતિત થઈ જવાના કારણે અરવિંદ કેજરીવાલ આજે પોતાની ઉમેદવારી નોંધાવી શક્યા નહોતા. કનોટ પ્લેસમાં રોડ શો પૂર્ણ કર્યા બાદ તેમણે કહ્યું કે, ત્રણ વાગ્યા સુધીમાં ઉમેદવારી નોંધાવવાનો સમય હતો. હવે તેઓ આવતીકાલે આખા પરિવાર સાથે નવી દિલ્હી વિધાનસભા સીટ માટે ઉમેદવારી નોંધાવશે.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, રોડ શો દરમિયાન જનતાએ મારા પ્રત્યે ખૂબ પ્રેમ દર્શાવ્યો એટલા માટે હું જનતાને છોડીને ઉમેદવારી નોંધાવવા માટે ન જઈ શક્યો. આવતા પાંચ વર્ષ પણ આ જ પ્રકારે દિલ્હીમાં વિકાસ થશે. તેમણે કહ્યું કે, તેઓ આજે ઉમેદવારી નોંધાવવા ઈચ્છતા હતા. પરંતુ તેમને જણાવવામાં આવ્યું કે, કાર્યાલય બપોરે 3 વાગ્યે બંધ થઈ ગયું છે. હું રોડ શો માં ઉપસ્થિત લોકોને કેવી રીતે છોડી શકું? એટલા માટે હવે ઉમેદવારી આવતીકાલે નોંધાવીશ.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે વાલ્મીકિ મંદીરમાં પૂજા-અર્ચના કર્યા બાદ રોડ-શો શરુ કર્યો. આ પ્રસંગે તેમના પરિવાર સીવાય ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને સંજય સિંહ સહિત પાર્ટીના ઘણા નેતા અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. રોડ-શો માં મોટી સંખ્યામાં સ્થાનિય લોકો પણ પહોંચ્યા હતા.

કેજરીવાલનો રોડ શો નક્કી કાર્યક્રમ અનુસાર પટેલ ચોક પર ખતમ થવાનો હતો પરંતુ તેમણે કનોટ પ્લેસના હનુમાન મંદિર પર જ ખતમ કરી દીધો અને તેઓ ત્યાંથી નિકળી ગયા. હકીકતમાં રોડ શો બાદ તેમને ઉમેદવારી નોંધાવવાની હતી પરંતુ સમય ત્રણ વાગ્યા સુધીનો જ નક્કી છે. ત્યારે સમય ન હોવાના કારણે તેમણે પોતાની ઉમેદવારી નોંધાવવાનું ટાળી દીધું અને મંગળવારના રોજ ઉમેદવારી નોંધાવવાનો નિર્ણય કર્યો.

નવી દિલ્હી વિધાનસભા ક્ષેત્રથી કેજરીવાલ સતત ત્રીજીવાર આ સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. બેવાર તેમણે આ જ સીટ પરથી જીત નોંધાવી હતી. આ પહેલા તેમણે વર્ષ 2013 માં તત્કાલીન મુખ્યમંત્રી શીલા દીક્ષિત વિરુદ્ધ પ્રથમ ઉમેદવારી નોંધાવી હતી અને જીત મેળવી હતી. વર્ષ 2015 માં નવી દિલ્હી વિધાનસભાથી જીત નોંધાવી હતી અને બીજીવાર મુખ્યમંત્રી બન્યા હતા. આપના નેતાઓનું કહેવું છે કે આ વખતે ફરીથી જીત નોંધાવીને હેટ્રિક લગાવવાની તૈયારી છે.

યુવાનો માતૃભાષાની ડીક્શનરી ફોનમાં જ રાખેઃ વડાપ્રધાન મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ અને તેમના પરિવાર સાથે પરીક્ષા પે ચર્ચા કરી હતી. દિલ્હીના તાલકટોરા ઈનડોર સ્ટેડિયમમાં યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાને વિદ્યાર્થીઓને નિષ્ફળતાઓનો સામનો કરવા માટે કેટલાક ગુરૂમંત્રો આપ્યા હતાં. આ દરમિયાન વડાપ્રધાને ચંદ્રયાનને લઈને રહસ્ય ખોલ્યું હતું.

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, નિષ્ફળતાઓમાંથી જ સફળતાની પ્રેરણા મળે છે. તેમણે વિદ્યાર્થીઓ સાથે સિક્રેટ શેર કરતા કહ્યું હતું કે, તેમને ત્યાં જવાની ના પાડવામાં આવી હતી. વૈજ્ઞાનિકોના હતાશ ચહેરા જોઈ હું રાત આખી ઉંઘી પણ નહોતો શક્યો.

પરીક્ષા પે ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદી વિદ્યાર્થીઓના સવાલોનો જવાબ આપી રહ્યાં હતાં. આ દરમિયાન રાજસ્થાનના સ્વામી વિવેકાનંદ ગવર્મેંટ મોડલ સ્કૂલના 10મા ધોરણની વિદ્યાર્થી યશશ્રીએ પીએમ મોદીને સવાલ કર્યો હતો કે, બોર્ડની પરીક્ષાનું નામ સાંભળતા જ તેનો મૂડ ખરાબ થઈ જાય છે. આ ડરથી બહાર આવવાના ઉપાય જણાવો. જેને લઈને વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, હું વિચારતો હતો કે, યુવાઓએ મુડ ઓફ થવુ જ ના જોઈએ.

  • પીએમ મોદીએ કહ્યું કે ગત શતાબ્દીના અંતિમ કાલખંડ અને આ શતાબ્દીના આરંભ કાલખંડમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીએ જીવનને બદલી નાખ્યું છે. એટલા માટે ટેક્નોલોજીનો ભય ક્યારેય પોતાના જીવનમાં આવવા દેવો ન જોઇએ. ટેક્નોલોજીને આપણે આપણો મિત્ર ગણીએ, બદલાતી ટેક્નોલોજીની આપણે પહેલાંથી જાણકારી મેળવીએ તે જરૂરી છે.
  • પીએમ મોદીએ કહ્યું કે ફક્ત પરીક્ષાના માર્ક્સ જ જીંદગી નથી. કોઇ એક પરીક્ષા આખી જીંદગી નથી. આ એક મહત્વપૂર્ણ પડાવ છે. પરંતુ આ બધું જ છે, એવું ન માનવું જોઇએ. હું માતા-પિતાને પણ આગ્રહ કરીશ કે બાળકોને એવી વાતો ન કરે કે પરીક્ષા જ બધુ જ છે.
  • પીએમ મોદીએ કહ્યું કે ‘આપણે નિષ્ફળતાઓ વડે પણ સફળતાનું શિક્ષણ પ્રાપ્ત કરી શકીએ છીએ. દરેક પ્રયત્નમાં આપણે ઉત્સાહભરી શકીએ છીએ અને કોઇ વસ્તુઓમાં તમે નિષ્ફળ થઇ જાવ છો તો તેનો અર્થ એ છે કે હવે તમે સફળતા તરફ ચાલવા લાગ્યા છો. આ કાર્યક્રમ દરમિયાન દેશભરના વિદ્યાર્થી પીએમ મોદીને પ્રશ્ન પૂછી રહ્યા છે.
  • પીએમ મોદીએ કહ્યું કે ‘ચંદ્વયાનના સમયે તમે બધા રાત્રે જાગતા હતા, ચંદ્વયાનને મોકલવામાં તમારું કોઇ યોગદાન હતું કે ન હતું પરંતુ તમે એવું મન લગાવીને બેઠા હતા કે જેમ કે તમે જ કર્યું છે અને જ્યારે ન થયું તો આખું ભારત નિરાશ થઇ ગયું. તે દિવસે હું પણ હાજર હતો, હું આજે સિક્રેટ જણાવું છું, મને કેટલાક લોકોએ જણાવ્યું કે આ કાર્યક્રમમાં ન જવું જોઇએ તેમાં કોઇ ગેરેન્ટી નથી, સફળ થાય કે નહી, પરંતુ હું ગયો.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં આ વખતે ભારતીય વિદ્યાર્થીઓ ઉપરાંત મોટી સંખ્યામાં દુનિયાના અલગ-અલગ દેશોમાં વસવાટ કરતા વિદ્યાર્થીઓ પણ જોડાઇ રહ્યા છે. પરીક્ષા પે ચર્ચાની પહેલી આવૃતિ 16 ફેબ્રુઆરી 2018ના રોજ આયોજિત થઇ હતી અને તેની બીજી એડિશન 29 ફેબ્રુઆરી 2019ના રોજ થઇ હતી.
  • વડાપ્રધાન મોદીએ કહ્યું કે, નવી પેઢી ટેક્નોલોજીનો ઉપયોગ યોગ્ય કરે છે. પોતાની માતૃભાષાની ડિક્શનરીને ફોનમાં રાખે અને રોજ કંઈક નવું શીખે.
  • વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સ્માર્ટ ફોન આપનો સમય ચોરી કરે છે પરંતુ તેમાં થોડો સમય ઓછો કરીને પોતાના માતા-પિતા સાથે બેસો. ટેક્નોલોજીને પોતાના વશમાં રાખવી જરુરી છે.
  • વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અત્યારના સમયમાં સોશિયલ નેટવર્કિંગ ફોનમાં જ આવી ગયું છે, પહેલા મિત્રોને જન્મ દિવસની શુભેચ્છા આપતા હતા પરંતુ હવે રાત્રે માત્ર એક મેસેજ કરી દેવામાં આવે છે. ત્યારે આપણે નક્કી કરવાનું રહેશે કે કેટલાક સમય માટે ટેક્નોલોજી ફ્રી રહેવું જરુરી છે. થોડોક સમય પોતાના લોકો સાથે વિતાવવો જરુરી છે.
  • ઘરમાં એક રુમ એવો હોવો જોઈએ કે જેમાં ટેક્નોલોજીને નો એન્ટ્રી હોય, તે રુમમાં જે પણ આવશે તે ટેક્નોલોજી વગરના આવશે.
  • સ્માર્ટફોનથી સમય કાઢીને પોતાના વડીલોને મળો, તેમની સાથે વાતચીત કરો. પોતાના માટે એક દિવસમાં ઓછામાં ઓછા 1 અથવા 2 કલાક એવા રાખો, કે જેમાં તમે પોતાને ટેક્નોલોજીથી દૂર રાખો અને પરિવારને મળો અને તેમની સાથે વાત કરો.

અલ્હાબાદનું નામ બદલવા મામલે યુપી સરકારને નોટિસ

નવી દિલ્હીઃ અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કરવાના નિર્ણયને પડકારતી એક જનહિતની અરજી પર સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ આપી છે. આ પડકાર અલ્હાબાદ હેરિટેજ સોસાયટીએ સરકાર સામે પડકાર ફેંક્યો છે. મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ એસએ બોબડે અને જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટીસ સૂર્યકાંતની બેંચ કરી રહી છે. અરજીમાં કહેવામાં આવ્યું કે, રાજ્ય સરકારને રેલવે સ્ટેશન, કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનું નામ બદલવાનો અધિકાર નથી. આ અધિકાર કેન્દ્ર પાસે છે. વર્ષ 2019 માં જ ઉત્તર પ્રદેશ કેબિનેટે અલ્હાબાદનું નામ બદલવાની જાહેરાત કરી હતી.

આ નિર્ણય પર મોહર લાગ્યા બાદ અહીંયાનું અધિકારીક નામ પ્રયાગરાજ કરી દીધું હતું. અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કરવાનો પ્રસ્તાવ સંતો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે રજૂ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ જ મુખ્યમંત્રી આદિત્યનાથે પ્રેસ કોન્ફરન્સમાં આ વાતની જાહેરાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કરવાનો મામલો અત્યારે સુપ્રીમ કોર્ટમાં છે. મામલાની સુનાવણી કરનારી બેંચના સદસ્ય જસ્ટિસ અશોક ભૂષણે આને પોતાનાથી અલગ કરી દીધો હતો અને બાદમાં આ મામલો નવી બેંચ જોઈ રહી છે.

કુંભના મેળાના આયોજનને લઈને થયેલી બેઠક બાદ વર્ષ 2018 માં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંગમ નગરી અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવાનો નિર્ણય કર્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સંતોએ અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજનો પ્રસ્તાવ આપ્યો હતો. આના પર તત્કાલીન રાજ્યપાલ રામ નાઈકે સહમતિની મોહર લગાવી હતી અને ત્યારબાદ જ અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કર્યું હતું.

અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા અરજીને ફગાવી દેવાઇ હતી. એડવોકેટ શદન ફારાસાત દ્વારા આ અરજી નોંધાવવામાં આવી હતી. તેમણે અરજીમાં કહ્યું કે, 400 થી વધારે વર્ષોથી શહેરનું નામ અલ્હાબાદ છે. હવે આ જગ્યાના નામથી ક્યાંય વધારે આ શહેરની ઓળખ એ “અલ્હાબાદ” નામ બની ગયું છે. આ સિવાય પણ તેમણે ઘણી વાતો કહી અને કનોટ પ્લેસનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે, ઘણા વર્ષો પહેલા કનોટ પેલેસનું નામ બદલીને રાજીવ ચોક કરી દેવામાં આવ્યું હતું પરંતુ આજે પણ કનોટ પ્લેસના નામથી જ લોકો તેને ઓળખે છે.

રાજ્યભરમાં ઠંડીનો ચમકારોઃ કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા

અમદાવાદઃ રાજ્યભરમાં ઠંડીથી લોકો થર થર કાંપી રહ્યાં છે. હવામાન ખાતાએ સરહદી કચ્છ જિલ્લામાં કોલ્ડ વેવની આગાહી કરી છે. પરંતુ હાલમાં તો સમગ્ર રાજ્યમાં લોકો ઠંડીના કોપ સામે કેમ રક્ષણ મેળવવું તેના ઉપાય શોધવામાં પડી ગયા છે. આજે રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં ૪.૬ ડિગ્રી નોંધાઈ હતી. રાત્રે તો ઠીક દિવસે પણ સખ્ત ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આજે પવનની ગતિ વધુ રહેવાના કારણે લોકોએ ઠારની સ્થિતિ અનુભવી હતી.

હવામાન વિભાગ મુજબ, અમદાવાદમાં રવિવારે મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 12.1 ડિગ્રી નોંધાયું હતું. આ મહત્તમ તાપમાન એવરેજ તાપમાનની તુલનાએ 2.9 ડિગ્રી નીચે હતું. જ્યારે મિનિમમ તાપમાન એવરેજ રહ્યું.

ઉત્તર-પશ્ચિમથી આવતા ઠંડા પવનો રોકાવાના કારણે સોમવારે લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે. હવામાન વિભાગની આગાહી મુજબ લઘુત્તમ તાપમાન 2-3 ડિગ્રી જેટલું વધી શકે છે અને તે બાદ 3-4 ડિગ્રી જેટલું ઘટી શકે છે. જ્યારે કચ્છના કેટલાક ભાગોમાં સોમવારે પણ કોલ્ડવેવની સ્થિતિ યથાવત રહેશે.

રવિવારે નલિયા 4.6 ડિગ્રી તાપમાન સાથે રાજ્યમાં સૌથી ઠંડી શહેર રહ્યું હતું. આ પછી કેશોદ 8.2 ડિગ્રી, ભુજ અને ગાંધીનગર 9 ડિગ્રી, રાજકોટ 9.2 ડિગ્રી, અમરેલી અને સુરેન્દ્રનગર 10 ડિગ્રીમાં પણ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે રહ્યો છે. જોકે રાજ્યમાં મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 25થી 26 ડિગ્રી વચ્ચે રહેશે.