Home Blog Page 48

રાશિ ભવિષ્ય 23/09/2024 થી 29/09/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

સપ્તાહ દરમિયાન કાયદાકીયપ્રશ્નથી માનસિકથાકની લાગણી જગાવે તેના કારણે ક્યાંક ખોટીવાર્તાલાપ કે વાદવિવાદની ઘટના બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી જરૂરી છે. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછુ થવાથી ક્યાંક ઉતાવળિયાનિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે. કોઈને વણમાગી સલાહસુચન ના આપવા, ખટપટી લોકોથી દુર રહેવામાજ શાણપણ છે, સ્પર્ધાત્મકપરિક્ષામા આત્મવિશ્વાસ સારો જોવા મળી શકે છે, નવાઆયોજનના વિચારો અને દ્વિધા વધુ જોવા મળી શકે છે.


આકસ્મિકખર્ચા વધે તેવા બનાવ બની શકે છે, પરિવાર સાથે મુસાફરી થઈ શકે છે ,અંગતસંબંધ જેવાકે મિત્રતામા,સગાસ્નેહીની તમે મજાકકરવાની વૃતિવાળા બનો. જૂનીઓળખાણકે જૂનીયાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવી બની શકે છે, વેપારના કામકાજમા ઉત્સાહને સફળતા જોવા મળે તેવી વાત બને,  જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવા માટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ નવીરીત શીખવી હોયતો આ સમયનો સદઉપયોગ કરવો સારો છે, લગ્નબાબતની વાર્તાલાપ ક્યાંક આગળ વધી શકે છે.


મહેનત કરતા ઓછુફળ મળવાની ફરિયાદ મનમા વધુ રહે, ક્યારેય વાણીવિલાસ ના થાય તેનુ દયાન રાખવુ ઇચ્છનીય છે. ધરમાંકે કુટુંબમાં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે, વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે, નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણ વગરની કામકાજમા સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવુ સારુ, જરૂરપુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય.


સાહસિકવૃત્તિ જોવા મળે, આવક-જાવક સરખી રહે, મિલનમુલાકાતકે હરવાફરવામા સમય વધુ પસાર થાય, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમા તમારી હાજરીનુ વર્ચસ્વ પણ દેખાય, વેપારના કામકાજમા તમને ઉત્સાહ અને નવીનકાર્ય કરવાનીવૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે તેમજ સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખતથી કોઈવાત મનમા રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.


સપ્તાહ દમિયાન સફળતા વધુ જોવા મળે, વિચારોની માયાજાળમા ફસાયેલા રહો, વેપારના કામકાજમા ધીરજનો અભાવ વર્તાય પણ તેની અસર કામકાજમા ખાસ ન પડે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાની નાની તકલીફથી પણ પરેશાની રહે તેમા ઉકેલ પણ આપ મેળે મળી જાય, તમારી લાગણી અન્ય લોકો સારી રીતે સમજી શકે, પ્રભુભક્તિમા ધ્યાન અને મન વધુ રહે અને ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો, ક્યાંક આળસવૃતીકે આરામ કરવાની ભાવના વધુ જાગે, હિતશત્રુ કે ખટપટી વ્યક્તિથી તમારો કુદરતી રીતે સારો બચાવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારકે વિવાહિતવર્ગ માટે સારા સંજોગો ઉભા થઈ શકે છે.


સપ્તાહ દરમિયાન પરિવાર સાથે મનદુઃખ ના થાય તેની દકેદારી રાખવી, છાતી, ફેફસાના દર્દ હોય તેવા લોકોએ દવાબાબત ચોકસાઈ રાખવી, ધાર્મિકભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિકકે ધાર્મિકકાર્ય માં કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ નવીન સમાચાર તમારા આત્મવિશ્વાસમા વધારો કરી શકે છે, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન આનંદની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતુ હોય તેમના માટે કોઈ સારીવાત જાણવા મળે, પસંદગીની ચીજવસ્તુની ખરીદી કરવામા ગણતરી કરતા વધુ ખર્ચ થઈ શકે છે.


ઘરમાં કોઈને સ્વાસ્થબાબત નાનીમોટી તકલીફ ના થાય તેનુ ધ્યાન રાખવુ, લગ્નની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવાવર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થઈ શકે છે, જૂનીવાત ક્યાય અટકેલી હોય તેમા પણ પ્રયત્ન કરવામા આવેતો નસીબ જોગસંજોગ પણ સાથ આપી શકે છે, વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજમા પણ સફળતા મળી શકે છે, મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે આનંદઉત્સાહ અનુભવી શકો છે, તમારામા સહકાર આપવાની ભાવના વધુ જાગે તેવુ પણ બની શકે છે, ભાઈ-બહેનો, મિત્રો તરફથી સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.


કામકાજમા ગણતરી કરતા વધુ મહેનત થયા બાદ ફળ મળે, કામકાજમા ધીરજ અને સમજણનો વ્યવહારુ અભિગમ રાખવો જરૂરી છે,  જાહેરજીવનમા તમને લોકો વચ્ચે થોડી મજાકમસ્તી કરવાની વૃતિ વધુ જાગે, ઘરમાકે નજીકના સગાસ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયુ હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે, વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકાર કે માર્ગદર્શન સારુ મળી રહે અને તેના કારણે તે કામ માટે તમારો ઉત્સાહ પણ વધી શકે છે.


કોઇપણ પ્રકારની મિલનમુલાકાત સફળ થઈ શકે છે, પાડવા,વાગવા કે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી,ઉધરસ, તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબતથી તકેદારી રાખવી, ખટપટ કરનારવર્ગથી દુર રહેવાની જરૂર છે જેથી કોઈની ખોટીવાતમા દોરવાઈ ના જવાય, વેપારના કામકાજમા ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે, સલાહ, ઠપકો કે કઈપણપ્રકારનુ માર્ગદર્શન કોઈને આપતા પહેલા વિચાર કરવો જરૂરી છે કે તેમા તેને કોઈ ગેરસમજ ના થઇ જાય, વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટશબ્દો પણ ના વાપારવા ધીરજ અને કુનેહપૂર્વક વર્તવાથી ઘણીશાંતિ અને સરળતા તમારા વ્યવહારમા રહી શકે છે.


રોકાણ માટે કે નવાકોઇપણ આયોજન માટે સમય સાથ આપી શકે છે, યાત્રાકે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારામા ધાર્મિકભાવના વધુ જાગે અને લોકકલ્યાણના વિચારો આવે,  સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા અઘરો પડતો હોયતો તે વિષય શીખવામા વધુમહેનત કરવાથી સારા  ફળની પ્રાપ્તિ થઇ શકે છે, વેપારના કામકાજમા લાભની કોઈવાત બની શકે છે,  લગ્નમાટેની વાતચીત ગોઠવવી અને તેમા મિલનમુલાકાત કરવી ફાયદાકારક બની શકે છે, વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આ સપ્તાહ દરમિયાન તેમા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરેતો તેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે છે.


તમારા સંબંધને મજબુત રાખવા પ્રયત્ન કરવા પડે, કામકાજમા વ્યસ્તતા અને માનસિકથાકની લાગણી અનુભવો, કામકાજમા સમયનો વ્યય પણ વધુ થઇ શકે તેમજ કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે, ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવુ વધુ યોગ્ય છે, વેપારમા કામકાજ દરમિયાન નિર્ણયશક્તિનો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થઈ શકે છે માટે તકેદારી રાખવી, મુસાફરી, થોડી કંટાળાજનક, સમય અને નાણાનોવ્યય થાય તેવો રહી શકે શકે છે.


પરિવાર, સહ-કર્મચારી સાથે સુમેળ થોડો ઓછો જોવા મળે માટે વાર્તાલાપ અને વર્તણુકમા યોગ્યગણતરી રાખવી સલાહભરી છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમારી જૂની મિલનમુલાકાતની યાદી બનાવી તેમા કામ કરવાથી લાભ થઈ શકે છે. મુસાફરીનુ આયોજન થઈ શકે છે, પેટ,અપચાની તકલીફ બાબતે તકેદારી રાખવી, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિકકે ધાર્મિકકામકાજમા જોડાવાની વૃતિ વધુ જાગે, કોઈપ્રવૃત્તિમા અન્યનો સાથસહકાર મળી શકે છે, નાણાની લેવડદેવડ તેમજ પ્રેમસંબંધમા ધીરજ અને જાગૃતતા રાખવી ઇચ્છનીય છે.

એક સારો ગ્રહ, એક સારું જીવન

આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યારે આપણે એવી ચીજ-વસ્તુઓનું રક્ષણ કરવા માટે વિચારવું પડે છે જેમણે હમેશા આપણું પોષણ કર્યું છે. આ માનવીય ઈતિહાસમાં પ્રથમવાર બન્યું હશે કે આપણે ગ્રહને બચાવવાની વાત કરવી પડી રહી છે. પહેલા ક્યારેય કોઈને આવો મૂર્ખામીપૂર્ણ વિચાર નહીં આવ્યો હોય કે તેઓએ પૃથ્વીને બચાવવો પડશે. પૃથ્વીએ સદૈવ આપણી કાળજી રાખી છે.

આ ગ્રહની જાળવણી અને સંભાળ રાખવી એ આપણાં માટે સારા જીવનની આશા રાખવાથી કઈ અલગ નથી, કેમ કે સારા ગ્રહ વિના સારું જીવન ન હોઇ શકે. અત્યારે આપણે પરિયાવરણીય ચિંતાઓને એવી રીતે જોઈ રહ્યા છીએ જાણે આપણે કોઈ રૂણ અદા કરવાનું હોય. તે રૂણ નથી, તે આપણું જીવન છે. આપણે જે શ્વાસ લઈએ છીએ અને ઉચ્છવાસ બહાર કાઢીએ છીએ એ તે જ છે.

જ્યાં સુધી લોકો આને વિચારે નહીં અને આનો અનુભવ ના કરે, હું નથી માનતો કે તેઓ સાચી રીતે કોઈ કાર્ય મોટા પાયે કરી શકે. જો લોકોને જમીનની ચિંતા નથી, તેઓ આખા દેશનો વિનાશ નોતરી શકે. આપણી જે કઈ આર્થિક ચિંતા હોય – આપણે ઘણી ચીજો કરવાની છે – આપણે પરિયાવરણીય ચિંતાઓને આપણાં આર્થિક વિકાસમાં મહત્વનો ભાગ આપવો જ રહ્યો. નહિતર, આપણે ખૂબ મોટી કિમત ચૂકવવી પડશે. આ એવી ચીજ છે જેના વિષે નીતિ-ઘડનારા, ઉધ્યોગ જગત અને લોકો સતત જાગૃત હોવા જોઈએ અને પ્રયત્નશીલ હોવા જોઈએ.

લોક ચેતનામાં ઉછાળો લાવવો કદાચ લાંબા ગાળાનો પ્રોજેકટ હોઇ શકે છે, પણ જો નેતૃત્વ – જે લોકો સત્તા અને જવાબદારીના પદ પર છે – આના વિષે સાચે જ તેઓ સ્વયં વિચારે અને અનુભવ કરે, તો આપણે બધી જ ચીજોમાં એક મોટો પરીવર્તન લાવી શકિએ. જો પૃથ્વી પરના અગત્યના માણસોની ચેતના – જે રીતે તેઓ જીવનને જુએ છે, વિચારે છે અને અનુભવ કરે છે – ને બદલી શકાય, અને જો સંસાધનોનું જરૂરી ધ્યાન અને રોકાણ સાચી દિશામાં કરવામાં આવે છે, તો ધરતી માતા જાતે જ અનુકૂળ થશે.

જો આપણે તેમને માત્ર એક તક આપીએ છીએ, તો તેઓ બધું જ ફરીથી વીપૂલતા અને સુંદરતામાં પરિવર્તિત કરી દેશે. આપણે કોઈ મહાન કાર્ય કરવાનું નથી, આપણે ધરતીને ઠીક કરવાની નથી. જો આપણે પોતાને પીડા આપ્યા વિના દખલગીરી, જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી, ઓછી કરીએ છીએ, જો આપણે જે કરી રહ્યા છીએ તે નુકસાન ઓછું કરીએ છીએ, તો બાકીનું જાતે જ થઈ જશે.

તમારી આસપાસના જીવનની ચિંતા કર્યા વિનાની અધ્યાત્મિક પ્રક્રિયા એ અધ્યાત્મિક પ્રક્રિયા નથી કેમ કે જે કોઈ પણ પોતાની અંદર ઝાંખે છે, જે સ્વયંમાં પ્રેરિત થાય છે, કૂદરતી રીતે જ અનુભવે છે કે તેનું અસ્તિત્વ અને બાહ્ય અસ્તિત્વ અલગ-અલગ નથી. મૂળભૂત રીતે અધ્યાત્મિકતાનો અર્થ સર્વ-સમાવેશી અનુભવ છે. જ્યારે સર્વ-સમાવેશી અનુભવ હોય છે, ત્યારે તમારી આસપાસની કાળજી અને ચિંતા કરવી બહુ જ કૂદરતી છે.

તે મારી ઈચ્છા છે કે આપણે એક પેઢી તરીકે દરેક રીતે આફત ના બની જઈએ. જો આપણે જીવનમાં તે ના કરીએ જે આપણાથી ના થાય, તો કોઈ સમસ્યા નથી. પણ જો આપણે તે ના કરીએ જે આપણે કરી શકીએ છીએ, તો આપણે એક આફત છીએ.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના 50 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વ્પ્નદ્રષ્ટા અને ન્યુયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદગુરુને તેમની અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ – પદ્મ વિભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા છે.

રાશિ ભવિષ્ય 23/09/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસમાં તમને ઉત્સાહ જોવા મળી શકે છે, અંગતમિત્રો સાથેની વાર્તાલાપમાં સારોસમય પસાર થાય તેમાં જુનાસ્મરણ તાજા થાય અને તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામ કરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત થઈ શકે છે.


આજે સગાસ્નેહી,જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ થાય તેવા યોગ છે, કામકાજકે ઈતરપ્રવૃત્તિના કારણે આરોગ્યબાબતે થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના ભોગ પણ બની શકો છે.


આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગઅંગે ચર્ચા વિચારણા પણ થાય, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું.


આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો.


આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા માટે પ્રયત્ન કરવો સારો કહી શક્ય જેમાં સારો પ્રતિભાવ જોવા મળી શકે છે, ક્યાય દાનદક્ષિણા આપવાના યોગ પણ બની રહ્યા છે.


આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાયકે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાકમશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, નાનાઅંતરની મુસાફરી થઈ શકે છે. તમે આજે મિત્રોના કોઈ કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને તેમાં તમારું મન સારું પ્રસન્ન રહે તેવું બની શકે છે.


આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. મિત્રોકે ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું, પ્રભુભક્તિમાં સમય વધુ પસાર કરવાની ઈચ્છા થાય અને ધાર્મિકસ્થળની મુલાકાત કરવાથી મનને શાંતિ પણ મળે.


આજે મિત્રો સાથે સારો સમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. લાગણીભર્યા જુનાસંબંધ અચાનક યાદ આવી શકે છે. કોઈ કાર્ય બાબતની ક્યાય મિલનમુલાકાત થવાથી તમને સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.


આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, કોઈ જરૂરિયાત વાળી વ્યક્તિને યથાશક્તિ દાન આપવું ઇચ્છનીય છે, પ્રભુમાં ચિત્ત રાખવું યોગ્ય કહી શકાય.


આજે કોઈ ધાર્મિકસ્થળકે સામાજિકપ્રસંગ માટેની મુલાકાત થઈ શકે છે, જાહેરજીવનમાં તમારો મોભો સારો વર્તાય, આજે તમારું વર્ચસ્વ તમાર કામ અને આવડત પર સારું જોવા મળે. યુવાવર્ગને પોતાની પસંદગીની કોઈ વાત સંભાળવા મળે કે જાણવા મળી શકે છે, નાનાઅંતરની મુસાફરી પણ થઈ શકે છે.


આજે એકલા હાથે ઘણા કામ કરવાના આવે તેવું બની શકે છે તેમાં તમને અન્યનો સાથ ઓછો જોવા મળે તેના કારણે તમે કામ ટાળવાની વૃતિ જાગે અને આરામ કરવાનું મન વધુ થાય, ક્યાંક આકામિકનાણાકીય ખર્ચ આવી શકે છે, મિલનમુલાકાતકે હરવાફરવામાં ઉમંગનો અભાવ જોવા મળી શકે છે.

પંચાંગ 23/09/2024

PM મોદીએ ન્યૂયોર્કથી કરી મોટી જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કમાં નાસાઉ કોલિઝિયમ ખાતે NRI ને સંબોધિત કર્યા. PMએ પોતાના સંબોધનમાં કહ્યું કે હવે આપણું નમસ્તે પણ સ્થાનિકમાંથી વૈશ્વિક બની ગયું છે. પીએમએ કહ્યું કે ભારત માતાએ આપણને જે શીખવ્યું છે તે આપણે ક્યારેય ભૂલી શકતા નથી. ભારતીયોની પ્રતિભાની કોઈ સરખામણી નથી. આપણે જ્યાં પણ જઈએ છીએ ત્યાં દરેકને પરિવાર ગણીને તેમની સાથે ભળી જઈએ છીએ. આપણે એવા દેશના રહેવાસી છીએ જ્યાં વિશ્વની સેંકડો ભાષાઓ, બોલીઓ, તમામ માન્યતાઓ અને સંપ્રદાયો છે, તેમ છતાં આપણે એક તરીકે અને ઉમદા રીતે આગળ વધી રહ્યા છીએ.

– આપણે આપણી જીવનશૈલીમાં નાના ફેરફારો કરીને પર્યાવરણને ઘણી મદદ કરી શકીએ છીએ. આજકાલ ભારતમાં માતાના નામ પર વૃક્ષ વાવવામાં આવે છે. જો તમારી માતા જીવિત હોય તો તમારી સાથે લઈ જાઓ, જો ના હોય તો તેમના ફોટોગ્રાફ લો. આ અભિયાન આજે દેશના ખૂણે-ખૂણે ચાલી રહ્યું છે.

વૈશ્વિક શાંતિમાં, વૈશ્વિક કૌશલ્યના અંતરને દૂર કરવામાં, વૈશ્વિક ઇનોવેશનને નવી દિશા આપવામાં અને વૈશ્વિક પુરવઠા શૃંખલામાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. ભારતની પ્રાથમિકતા વિશ્વમાં પોતાનું દબાણ વધારવાની નથી, પરંતુ તેનો પ્રભાવ વધારવાની છે. આપણે સૂર્ય જેવો પ્રકાશ આપવાના છીએ. અમે વિશ્વ પર પ્રભુત્વ મેળવવા માંગતા નથી, અમે વિશ્વની સમૃદ્ધિમાં આપણું યોગદાન વધારવા માંગીએ છીએ.

– અગાઉ ભારત સમાન અંતરની નીતિને અનુસરતું હતું. હવે ભારત સમાન નિકટતાની નીતિને અનુસરી રહ્યું છે. તમે જોયું જ હશે કે ભારતની પહેલ પર આફ્રિકન યુનિયનને G20 સમિટમાં કાયમી સભ્યપદ મળ્યું. આજે જો ભારત વૈશ્વિક પ્લેટફોર્મ પર કંઈક કહે છે તો વિશ્વ સાંભળે છે. ભારત ગ્લોબલ સાઉથનો બુલંદ અવાજ બની રહ્યો છે.

– છેલ્લા 10 વર્ષમાં ભારતમાં દર અઠવાડિયે એક યુનિવર્સિટી બનાવવામાં આવી છે. દરરોજ બે નવી કોલેજો બનાવવામાં આવે છે. દરરોજ નવી ITI સ્થપાય છે. 10 વર્ષમાં ટ્રિપલ આઈટીની સંખ્યા 9થી વધીને 25 થઈ ગઈ છે. આઈઆઈટી અને આઈઆઈએમની સંખ્યામાં પણ વધારો થયો છે.

– આજે આપણા રેલ્વે સ્ટેશનો અને એરપોર્ટને સોલારાઇઝ કરવામાં આવી રહ્યા છે. ભારતમાં મોટી સંખ્યામાં ગ્રીન જોબ્સનું સર્જન થઈ રહ્યું છે. 21મી સદીનું ભારત શિક્ષણ, કૌશલ્ય અને સંશોધનની દ્રષ્ટિએ આગળ વધી રહ્યું છે. નાલંદા યુનિવર્સિટીના નામથી તમે બધા પરિચિત છો. થોડા સમય પહેલા આ પ્રાચીન યુનિવર્સિટી નવા અવતારમાં ઉભરી આવી છે.

માર્ક્સવાદી નેતા અનુરા દિસાનાયકે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ બનશે

માર્ક્સવાદી નેતા અનુરા કુમારા દિસાનાયકે રવિવારે શ્રીલંકાની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ગયા છે. દેશના ચૂંટણી પંચે બીજા તબક્કાની મત ગણતરી બાદ અનુરા કુમારા દિસનાયકેને વિજેતા જાહેર કર્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, અનુરા કુમારા દિસનાયકે સોમવારે રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. તેઓ શ્રીલંકાના નવમા રાષ્ટ્રપતિ હશે.

 

માર્ક્સવાદી જનતા વિમુક્તિ પેરામુના પાર્ટીના નેશનલ પીપલ્સ પાવર (NPP)ના નેતા 56 વર્ષીય અનુરા કુમારા દીસાનાયકે, તેમના નજીકના હરીફ સામગી જન બાલાવેગયા (SJB)ના સાજીથ પ્રેમદાસાને હરાવીને આ જીત મેળવી છે. તમને જણાવી દઈએ કે વર્તમાન રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. મતગણતરીનાં પ્રથમ રાઉન્ડમાં જ તે બહાર થઈ ગયો હતો.

ઈઝરાયેલ વિરુદ્ધ હિઝબુલ્લાહનું ઓપરેશન ‘ફાદી’

લેબનોનમાં પેજર હુમલા બાદ હિઝબુલ્લાહ બદલો લેશે તેવી આશંકા પહેલાથી જ હતી. પરંતુ કોઈને ખ્યાલ નહોતો કે હિઝબુલ્લાહ ઈઝરાયેલ પર ખૂબ જ વિનાશક રીતે હુમલો કરશે. ગત રાત્રે હિઝબુલ્લાએ માત્ર 4 કલાકમાં 200થી વધુ રોકેટ છોડ્યા હતા. ઉત્તર ઇઝરાયેલમાં હાઇફા શહેર અને ત્યાંનું એરબેઝ નાશ પામ્યું હતું. નોંધનીય બાબત એ છે કે હિઝબે ઈઝરાયેલમાં વિનાશનું ભયંકર તોફાન લાવવા માટે ઓપરેશન ફાદીને સક્રિય કર્યું છે.

હિઝબુલ્લાહ લડવૈયાઓએ ઈઝરાયેલ પર હુમલો કરવા માટે ફાદી-1 અને ફાદી-2 રોકેટનો ઉપયોગ કર્યો હતો. 220 એમએમની તોપથી છોડવામાં આવેલ ફાદી-1 રોકેટની રેન્જ લગભગ 80 કિલોમીટર છે. જ્યારે 302 એમએમ તોપથી છોડવામાં આવેલા ફાદી-2 રોકેટની રેન્જ લગભગ 105 કિલોમીટર છે. ઇઝરાયેલને આતંકિત કરવા માટે હિઝબુલ્લાએ માત્ર ફાદી-1 અને ફાદી-2 રોકેટનો જ નહીં પરંતુ કાત્યુષા અને બુરકાન રોકેટનો પણ ઉપયોગ કર્યો હતો.

ઉત્તર ઇઝરાયેલમાં આખી રાત સાયરન વાગતી રહી

હિઝબોલ્લાહના નોન-સ્ટોપ હુમલાઓને કારણે ગઈકાલે રાત્રે ઉત્તર ઇઝરાયેલમાં એર એલર્ટ સાયરન વાગવાનું ચાલુ રાખ્યું હતું. હુમલા એટલા શક્તિશાળી હતા કે ઇઝરાયેલની વાયુસેનાને તાત્કાલિક એલર્ટ મોડ પર આવવું પડ્યું હતું. હિઝબોલ્લાહના રોકેટ ફાયરથી જો કોઈ શહેરને નુકસાન થયું હોય, તો તે ઉત્તર ઇઝરાયેલનું બંદર શહેર હૈફા હતું. જ્યાં હાજર સૌથી મોટા એરબેઝ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ભારે બોમ્બમારો થયો અને આ ગનપાઉડર અંધાધૂંધી માટે હિઝબે ખાસ બ્રહ્માસ્ત્રોનો ઉપયોગ કર્યો.

જગન રેડ્ડીએ તિરુપતિ લાડુ વિવાદ પર PM મોદીને લખ્યો પત્ર

YSR કોંગ્રેસ પાર્ટી (YSRCP)ના વડા અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. પત્રમાં તેણે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ દ્વારા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) પર લગાવવામાં આવેલા પાયાવિહોણા આરોપો સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. વાયએસ જગન રેડ્ડીએ તિરુમાલા લાડુની તૈયારીમાં વપરાતા ઘીની શુદ્ધતા પર મુખ્યમંત્રી નાયડુ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોની સખત નિંદા કરી હતી. તેમણે કહ્યું કે ચંદ્રબાબુ નાયડુના આ બેજવાબદાર અને રાજનીતિથી પ્રેરિત નિવેદનો કરોડો હિંદુ શ્રદ્ધાળુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહ્યા છે અને વિશ્વ પ્રસિદ્ધ TTDની પવિત્રતાને કલંકિત કરી રહ્યા છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રસાદમ તૈયાર કરવા માટે વપરાતા ઘટકોની ગુણવત્તા સુનિશ્ચિત કરવા TTD પાસે કડક કાર્યવાહી અને ગુણવત્તાની ચકાસણી છે. તેમણે કહ્યું કે ઘીની ખરીદીમાં ઈ-ટેન્ડરિંગ પ્રક્રિયા, NABL-પ્રમાણિત લેબ ટેસ્ટ અને મલ્ટી-લેવલ ચેકનો સમાવેશ થાય છે. તેમણે એમ પણ કહ્યું કે તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના શાસન દરમિયાન સમાન પ્રક્રિયાઓ હતી.

YS જગને ચિંતા વ્યક્ત કરી કે આ ખોટા આરોપો TTD ની પ્રતિષ્ઠા અને ભક્તોના વિશ્વાસને ગંભીર રીતે નુકસાન પહોંચાડી શકે છે. તેમણે વડા પ્રધાન મોદીને અપીલ કરી કે તેઓ ચંદ્રબાબુ નાયડુને તેમના કાર્યો માટે ઠપકો આપે અને સત્ય જાહેર કરે જેથી ભક્તોનો વિશ્વાસ અને વિશ્વાસ પુનઃસ્થાપિત કરી શકાય. આ પત્ર એવા સમયે બહાર આવ્યો છે જ્યારે રાજ્યની નવી સરકારના 100 દિવસ પૂર્ણ થયા છે અને આ દરમિયાન ચંદ્રબાબુ નાયડુએ એક રાજકીય બેઠકમાં આ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.

ટીટીડીની કડક ગુણવત્તા નિયંત્રણ પ્રણાલીને કારણે ઘીનું ટેન્કર નકારવામાં આવ્યું હતું તે ઘટનાના બે મહિના પછી આ ટિપ્પણીઓ આવી છે. વાયએસ જગને પુનરોચ્ચાર કર્યો હતો કે ચંદ્રબાબુ નાયડુના પાયાવિહોણા દાવાઓ તેમની સરકારની નિષ્ફળતાઓ પરથી ધ્યાન હટાવવા અને તેમના રાજકીય એજન્ડાને આગળ વધારવાનો પ્રયાસ છે. YSRCP વડાએ વડા પ્રધાન મોદીના હસ્તક્ષેપની માંગ કરી હતી જેથી કરીને તિરુમાલા મંદિરની પવિત્રતા સુરક્ષિત રહે અને ભક્તોની ભાવનાઓને વધુ નુકસાન ન થાય.

IND vs BAN: બીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

ચેન્નાઈ ટેસ્ટ 4 દિવસમાં જીતીને ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. હવે નજર બીજી ટેસ્ટ મેચ પર છે, જે કાનપુરમાં રમાશે. આ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ચેન્નાઈ ટેસ્ટ જીત્યાની થોડી જ મિનિટોમાં બીસીસીઆઈએ ટીમની જાહેરાત કરી દીધી છે. પસંદગી સમિતિએ ચેન્નાઈમાં જીતેલી ટીમમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તમામ 16 ખેલાડીઓને રિટેન કર્યા છે. એટલે કે એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે બુમરાહને આગામી ટેસ્ટમાંથી આરામ આપવામાં આવશે, હાલમાં એવું થતું દેખાતું નથી. કાનપુર ટેસ્ટ 27 સપ્ટેમ્બરથી શરૂ થશે.

ચેપોક સ્ટેડિયમમાં રવિવાર 22 સપ્ટેમ્બરની સવારે, ટીમ ઈન્ડિયાએ પ્રથમ સત્રમાં જ બીજા દાવમાં બાંગ્લાદેશને માત્ર 234 રનમાં આઉટ કરી દીધું અને આ રીતે મેચ 280 રનના વિશાળ અંતરથી જીતી લીધી. આ જીતના થોડા સમય બાદ પસંદગી સમિતિએ કાનપુર ટેસ્ટ માટે ટીમની પણ જાહેરાત કરી હતી અને તેમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. એટલે કે શ્રેયસ અય્યર, મુકેશ કુમાર, ઈશાન કિશન જેવા ખેલાડીઓને ટીમ ઈન્ડિયામાં પરત ફરવા માટે વધુ રાહ જોવી પડશે.

પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થશે?

હવે ભલે ટીમમાં કોઈ ફેરફાર કરવામાં ન આવ્યો હોય, પરંતુ આગામી ટેસ્ટમાં એ જ પ્લેઈંગ ઈલેવનને મેદાનમાં ઉતારવામાં આવે છે કે પછી કેટલાક ફેરફારો થાય છે તેના પર નજર રહેશે. બીજી ટેસ્ટમાં માત્ર બે ઝડપી બોલરોને મેદાનમાં ઉતારવામાં આવે તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું. જો આવું થાય તો શું ડાબોડી ફાસ્ટ બોલર યશ દયાલને ડેબ્યૂ કરવાની તક મળશે? આ પણ ખૂબ જ રસપ્રદ રહેશે.

સૌથી વધુ ધ્યાન એ વાત પર રહેશે કે ચેન્નાઈના અશ્વિનની જેમ કાનપુરમાં લોકલ હીરો કુલદીપ યાદવને તક મળશે કે નહીં? કાનપુરની ધીમી પીચ પર ટીમ ઈન્ડિયા 3 સ્પિનરો સાથે મેદાનમાં ઉતરશે તે નિશ્ચિત છે. આવી સ્થિતિમાં કુલદીપ અને અક્ષર વચ્ચે સ્પર્ધા થશે. બેટિંગ ક્રમમાં કોઈ ફેરફાર થાય તેવું લાગતું નથી, એટલે કે સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલને આ વખતે પણ બેંચ પર બેસવું પડી શકે છે.

ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, કેએલ રાહુલ, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, ધ્રુવ જુરેલ, સરફરાઝ ખાન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને યશ દયાલ .