Home Blog Page 47

કચ્છની ધરા ફરી ધ્રુજી, રાપર નજીક 3.3 તીવ્રતાનો આવ્યો આંચકો

કચ્છ: ગુજરાતના કચ્છની ધરા ફરી એક વખત ધણધણી છે. ઉલ્લેખનીય છે કે ભૂકંપના પર્યાય બની ચૂકેલા સરહદી કચ્છ પંથકમાં ધરતીકંપના આંચકનો સિલસિલો સતત યથાવત્ જોવા મળી રહ્યો છે. સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર આજે સવારે 10.5 મિનિટે વાગડના મુખ્ય મથક રાપર થી 12 કિમિ દૂર પશ્વિમ દક્ષિણ દિશાએ આવેલા પગી વાંઢ નજીક 3.3 ની તીવ્રતા નો આફ્ટરસોક ગાંધીનગર સ્થિત સિસમોગ્રાફી રિસર્ચ કચેરી ખાતે નોંધાયો હતો. જોકે આંચકાની અસર માધ્યમ કક્ષાની હોવાથી ખાસ કોઈ અસર વર્તાઈ ના હતી. પરંતુ વર્તમાન માસ દરમિયાન વાગડ વિસ્તારની ધરા ભૂકંપના આંચકાથી સતત પાંચ વખત ધ્રુજી હોવાનું અંકિત થયું છે.

કચ્છમાં અવારનાવાર ધરતીકંપના આંચકાથી લોકમાં ભયનો માહોલ છવાયેલો રહેતો હોય છે. જ્યારે અગાઉની વાત કરીએ તો ગત તારીખ 17ના રોજ ભચાઉ નજીક 2.7ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ ઉપરાંત તારીખ 13ના દુધઈ નજીક પણ 2.5ની તીવ્રતાનો ભૂંકપ આવ્યો હતો. તો તારીખના 2ના ભચાઉ પાસે 3.3ની તીવ્રતા તારીખ 1ના રોજ રાપરથી 20 કિમિ દુર ભૂકંપ નોંધાયો હતો. આપને જણાવી દઈએ કે, કચ્છમાં ભૂકંપના આંચકાનું કારણ ત્યાં રહેલી ફોલ્ટ લાઇન છે. કચ્છમાં 6 ફોલ્ટલાઇન એક્ટિવ છે જેથી તેમાં આવતા ફેરફારથી ભૂકંપના આંચકા અનુભવાય છે. કચ્છની જેમ હિમાલયની તળેટીમાં પણ MCT નામની ફોલ્ટલાઇન એક્ટિવ છે જેમાં સમયાંતરે ભૂકંપના ઓછી તીવ્રતાના આંચકા નોંધાય છે જેની પરોક્ષ અસર ત્યાં થતા ભૂસ્ખલનમાં જોવા મળે છે.

મહારાષ્ટ્ર: AIMIMએ મહંત રામગીરી અને BJP MLA વિરુદ્ધ રેલી કાઢી

મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલા રાજકીય વાતાવરણ ગરમાવા લાગ્યું છે. રાજ્યમાં સોમવારે છત્રપતિ સંભાજીનગર શહેર રાજકીય શક્તિ પ્રદર્શનનો અખાડો બની ગયું હતું. AIMIMએ મહંત રામગીરી મહારાજ અને ભાજપના ધારાસભ્ય નીતિશ રાણેના કથિત ભડકાઉ નિવેદનો વિરુદ્ધ ‘ચલો મુંબઈ ત્રિરંગા રેલી’ કાઢી હતી. બીજી તરફ મહા વિકાસ આઘાડી (MVA)માં મુખ્યમંત્રીના ચહેરાને લઈને વિવાદ ઉભો થયો છે.

AIMIMએ રેલી કાઢી
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ-ઉલ મુસ્લિમીન (AIMIM) મહારાષ્ટ્રના વડા ઈમ્તિયાઝ જલીલે મહંત રામગીરી મહારાજ અને ભાજપના ધારાસભ્ય નીતિશ રાણેના કથિત ભડકાઉ નિવેદનો વિરુદ્ધ છત્રપતિ સંભાજીનગરથી ‘ચલો મુંબઈ ત્રિરંગા રેલી’ કાઢી.

ઈમ્તિયાઝ જલીલે કહ્યું, ‘મહારાષ્ટ્રમાં જાતિ અને ધર્મની દીવાલ બનાવવામાં આવી રહી છે. રમખાણો કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. મંચ પરથી મુસ્લિમોને ધમકાવવામાં આવે છે, શું આ ગુનાહિત કૃત્યો નથી? શું પગલાં ન લેવા જોઈએ? તેથી અમે મુંબઈ જવાનું નક્કી કર્યું. જો મુખ્યમંત્રી રામગીરીની માનસિકતા મુજબ કામ કરશે તો અમે તેમને યાદ અપાવવા જઈ રહ્યા છીએ કે આ દેશ બંધારણ અને કાયદા પ્રમાણે ચાલશે.

પોલીસ કેમ કાર્યવાહી કરતી નથી: જલીલ
તેમણે વધુમાં કહ્યું, ‘અમે વરિષ્ઠ પોલીસ અધિકારીઓને પણ પૂછવા જઈ રહ્યા છીએ કે 60 એફઆઈઆર હોવા છતાં કોઈ કાર્યવાહી કરવા કેમ તૈયાર નથી. કારણ કે મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો છે કે કોઈ કાર્યવાહી ન કરવી. અમારી સાથે હિન્દુ ભાઈ-બહેનો પણ છે. અમે દેશમાં એવો કાયદો ઈચ્છીએ છીએ કે કોઈ પણ જાતિ કે ધર્મ કે કોઈ પણ મજહબના મહાન વ્યક્તિત્વ પર કોઈ નિવેદન ન હોવું જોઈએ. જો આવા નિવેદનો કરવામાં આવે છે, તો તેના પર કડક કાયદો હોવો જોઈએ.

મહા વિકાસ આઘાડીમાં મુખ્યમંત્રી કોણ છે?
આ સાથે જ મહા વિકાસ આઘાડીમાં મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે તે અંગે પણ ચર્ચા છેડાઈ છે. આ અંગે કોંગ્રેસના નેતા બાળાસાહેબ થોરાટે કહ્યું કે, ‘અમે ગઠબંધન કરીને લડી રહ્યા છીએ. અમે ગઠબંધન તરીકે નિર્ણય લઈશું. અમારી પાસે ઉત્સાહી કાર્યકરો છે. દરેક જગ્યાએ જુદા જુદા નામો આવતા રહે છે અને તેમના પર વિશ્વાસ કરવાનું કોઈ કારણ નથી. MVA સ્વરૂપે લેવાયેલ નિર્ણયને સ્વીકારવામાં આવશે.’

કોંગ્રેસ નેતા રમેશ ચેન્નીથલાએ કહ્યું,’અમે વિધાનસભા ચૂંટણી પછી મુખ્યમંત્રી પદ પર ચર્ચા કરીશું. અમારો હેતુ ભ્રષ્ટ ભાજપ સરકારને સત્તા પરથી હટાવવાનો છે. જેઓ એક દેશ એક ચૂંટણીની વાત કરે છે, તેમણે હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની સાથે મહારાષ્ટ્રમાં ચૂંટણીની જાહેરાત કેમ ન કરી? વહેલી તકે ચૂંટણીની જાહેરાત થવી જોઈએ કારણ કે લોકોએ રાજ્ય સરકારને સત્તા પરથી હટાવવાનું મન બનાવી લીધું છે.

સુરતમાં ડેન્ગ્યુ કહેર વધ્યો, 9 લોકોએ ગુમાવ્યા જીવ

ગુજરાતમાં આખામાં ભારે વરસાદ બાદ રોગચાળાનો કાળો કહેર વરતાય રહ્યો છે. તો સુરતમાં પણ મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે. શહેરમાં મચ્છર જન્ય રોગચાળાનો વધતો નોંધાય રહ્યો છે. આ વચ્ચે ડેન્ગ્યુના કારણે વધુ એક મોત થયું છે. આ સાથે અત્યાર સુધી ડેન્ગ્યુના કારણે 9 લોકોના મોત થયા હોવાની વાત સામે આવી છે.

સુરતમાં ડેન્ગ્યુના કેસમાં વધારો થતો જોવા મળ્યો છે. આ ઉપરાંત શહેરમાં ટાઈફોડ અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે. સુરતની સરકારી હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી ઓપીડીની સંખ્યામાં પણ વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે કોર્પોરેશન દ્વારા દવાનો છંટકાવ તેમજ ફોંગીગ કામગીરી વધુ કરે તે જરૂરી બન્યું છે. જ્યારે સુરતમાં ડેન્ગ્યૂથી 2 મહિનામાં 9નાં મોત થયા છે.  સુરત મહાનગર પાલિકા અને સિવિલ હોસ્પિટલના ડેન્ગ્યુના કેસોમાં વિરોધાભાસ છે જેમાં 4 મહિનામાં પાલિકાના ચોપડે માત્ર 87 કેસ નોંધાયા છે જ્યારે સિવિલમાં ડેન્ગ્યૂના 239 દર્દી દાખલ થયા છે. ઓગસ્ટમાં સિવિલમાં 155 દર્દી દાખલ થયા જ્યારે સપ્ટેમ્બરના 10 દિવસમાં જ 21 દર્દી દાખલ થયા છે. સાથોસાથ ખાનગી હોસ્પિટલમાં ત્રણ ગણા કેસ નોંધાય છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આખામાં સપ્ટેમ્બરના 10 દિવસમાં જ ડેન્ગ્યુના 2650થી વધુ મેલેરિયાના મેલેરિયા 2150થી વધુ, ચિકનુંગુનિયાના 288થી વધુ કેસ બુધાય હોવાનું સામે આવ્યું છે. શહેરની 686 જેટલી ટીમ સર્વેમાં જોડાઈ છે. તો બીજી બાજું અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસના પીજીમાં 68થી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. સિવિલ હોસ્પિટલના સ્ટાફે અનેક વખત તંત્રને ફરિયાદ કરી છતાંય સફાઈ થઈ નહોતી. હોસ્પિટલનો સ્ટાફ ડેન્ગ્યુનો ભોગ બન્યા હોવાનો તંત્ર પર ગંભીર આક્ષેપ લાગ્યો છે. દર્દીઓની સારવાર કરતા તબીબો અને સ્ટાફ જ માંદા પડ્યા છે. ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમે સિવિલ હોસ્પિટલને નોટિસ પાઠવી છે. સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના વધતા જતા કેસને લઈ આરોગ્ય વિભાગની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. આરોગ્ય વિભાગની ટીમે સિવિલ હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધર્યું જેમાં ડેન્ગ્યુ મેલેરિયા થતા મચ્છર મળી આવ્યા છે.

ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવી કે ડાઉનલોડ કરવી એ ગુનોઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવી કે એને ડાઉનલોડ કરવી એ ગુનો છે. કોર્ટે આ મામલે મદ્રાસ હાઇકોર્ટનો ચુકાદો પલટતાં આ ચુકાદો આપ્યો હતો. કાયદાકીય રીતે આવી સામગ્રીને રાખવી એ પણ એ એક ગુનો છે. CJI ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનેજ મિશ્રાની ખંડપીઠે આ ચુકાદો આપ્યો હતો.

મદ્રાસ હાઇકોર્ટના ચુકાદાને અરજી દ્વારા પડકારવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે માત્ર બાળ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી અને જોવી POCSO અધિનિયમ અને ઇન્ફોર્મેશન અને ટેક્નોલોજી કાયદા હેઠળ ગુનો નથી. એની સાથે કોર્ટે કેન્દ્ર સરકારને સલાહ આપી હતી કે POCSO એક્ટમાં ફેરફાર કરીને ચાઇલ્ડ પોર્નોગ્રાફી શબ્દને બદલે ચાઇલ્ડ પોર્નોગ્રાફીના શબ્દની જગ્યાએ Child Sexually abusive and Exploitative Material (CSAEM) લખવામાં આવે.

જસ્ટિસ પારડીવાલે કહ્યું હતું કે અમે દોષીઓની મનઃસ્થિતિની ધારણાઓ પર બધી પ્રસંગિક જોગવાઈઓને સમવા માટે પ્રયાસ કર્યા છે અને દિશા-નિર્દેશ પણ નિર્ધારિત કર્યા છે.

આ સાથે કોર્ટે કેન્દ્ર સરકારને ચાઇલ્ડ પોર્નોગ્રાફી શબ્દને બાળ યૌન શોષણ અને દુર્વ્યવહાર સામગ્રીથી બદલ માટે એક વટહુકમ જારી કરવાનું સૂચન કર્યું હતું. ટોચની કોર્ટે બધી કોર્ટોને એ નિર્દેશ આપ્યો હતો કે તેઓ હવે ચાઇલ્ડ પોર્નોગ્રાફીટ શબ્દનો ઉપયોગ ના કરે. કોર્ટે આ ચુકાદો NGO જસ્ટ રાઇટ ફોર ચિલ્ડ્રન એલાયન્સની અરજી પર સુનાવણી પછી આપ્યો હતો. મદ્રાસ હાઇકોર્ટે ચાઇલ્ડ પોર્નોગ્રાફીને ડાઉનલોડ કરવા અને  જોવાને ગુનો નહોતો માન્યો.

 

 

 

 

 

 

 

 

 

રાશિ ભવિષ્ય 23/09/2024 થી 29/09/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

સપ્તાહ દરમિયાન કાયદાકીયપ્રશ્નથી માનસિકથાકની લાગણી જગાવે તેના કારણે ક્યાંક ખોટીવાર્તાલાપ કે વાદવિવાદની ઘટના બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી જરૂરી છે. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછુ થવાથી ક્યાંક ઉતાવળિયાનિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે. કોઈને વણમાગી સલાહસુચન ના આપવા, ખટપટી લોકોથી દુર રહેવામાજ શાણપણ છે, સ્પર્ધાત્મકપરિક્ષામા આત્મવિશ્વાસ સારો જોવા મળી શકે છે, નવાઆયોજનના વિચારો અને દ્વિધા વધુ જોવા મળી શકે છે.


આકસ્મિકખર્ચા વધે તેવા બનાવ બની શકે છે, પરિવાર સાથે મુસાફરી થઈ શકે છે ,અંગતસંબંધ જેવાકે મિત્રતામા,સગાસ્નેહીની તમે મજાકકરવાની વૃતિવાળા બનો. જૂનીઓળખાણકે જૂનીયાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવી બની શકે છે, વેપારના કામકાજમા ઉત્સાહને સફળતા જોવા મળે તેવી વાત બને,  જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવા માટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ નવીરીત શીખવી હોયતો આ સમયનો સદઉપયોગ કરવો સારો છે, લગ્નબાબતની વાર્તાલાપ ક્યાંક આગળ વધી શકે છે.


મહેનત કરતા ઓછુફળ મળવાની ફરિયાદ મનમા વધુ રહે, ક્યારેય વાણીવિલાસ ના થાય તેનુ દયાન રાખવુ ઇચ્છનીય છે. ધરમાંકે કુટુંબમાં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે, વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે, નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણ વગરની કામકાજમા સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવુ સારુ, જરૂરપુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય.


સાહસિકવૃત્તિ જોવા મળે, આવક-જાવક સરખી રહે, મિલનમુલાકાતકે હરવાફરવામા સમય વધુ પસાર થાય, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમા તમારી હાજરીનુ વર્ચસ્વ પણ દેખાય, વેપારના કામકાજમા તમને ઉત્સાહ અને નવીનકાર્ય કરવાનીવૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે તેમજ સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખતથી કોઈવાત મનમા રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.


સપ્તાહ દમિયાન સફળતા વધુ જોવા મળે, વિચારોની માયાજાળમા ફસાયેલા રહો, વેપારના કામકાજમા ધીરજનો અભાવ વર્તાય પણ તેની અસર કામકાજમા ખાસ ન પડે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાની નાની તકલીફથી પણ પરેશાની રહે તેમા ઉકેલ પણ આપ મેળે મળી જાય, તમારી લાગણી અન્ય લોકો સારી રીતે સમજી શકે, પ્રભુભક્તિમા ધ્યાન અને મન વધુ રહે અને ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો, ક્યાંક આળસવૃતીકે આરામ કરવાની ભાવના વધુ જાગે, હિતશત્રુ કે ખટપટી વ્યક્તિથી તમારો કુદરતી રીતે સારો બચાવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારકે વિવાહિતવર્ગ માટે સારા સંજોગો ઉભા થઈ શકે છે.


સપ્તાહ દરમિયાન પરિવાર સાથે મનદુઃખ ના થાય તેની દકેદારી રાખવી, છાતી, ફેફસાના દર્દ હોય તેવા લોકોએ દવાબાબત ચોકસાઈ રાખવી, ધાર્મિકભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિકકે ધાર્મિકકાર્ય માં કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ નવીન સમાચાર તમારા આત્મવિશ્વાસમા વધારો કરી શકે છે, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન આનંદની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતુ હોય તેમના માટે કોઈ સારીવાત જાણવા મળે, પસંદગીની ચીજવસ્તુની ખરીદી કરવામા ગણતરી કરતા વધુ ખર્ચ થઈ શકે છે.


ઘરમાં કોઈને સ્વાસ્થબાબત નાનીમોટી તકલીફ ના થાય તેનુ ધ્યાન રાખવુ, લગ્નની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવાવર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થઈ શકે છે, જૂનીવાત ક્યાય અટકેલી હોય તેમા પણ પ્રયત્ન કરવામા આવેતો નસીબ જોગસંજોગ પણ સાથ આપી શકે છે, વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજમા પણ સફળતા મળી શકે છે, મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે આનંદઉત્સાહ અનુભવી શકો છે, તમારામા સહકાર આપવાની ભાવના વધુ જાગે તેવુ પણ બની શકે છે, ભાઈ-બહેનો, મિત્રો તરફથી સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.


કામકાજમા ગણતરી કરતા વધુ મહેનત થયા બાદ ફળ મળે, કામકાજમા ધીરજ અને સમજણનો વ્યવહારુ અભિગમ રાખવો જરૂરી છે,  જાહેરજીવનમા તમને લોકો વચ્ચે થોડી મજાકમસ્તી કરવાની વૃતિ વધુ જાગે, ઘરમાકે નજીકના સગાસ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયુ હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે, વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકાર કે માર્ગદર્શન સારુ મળી રહે અને તેના કારણે તે કામ માટે તમારો ઉત્સાહ પણ વધી શકે છે.


કોઇપણ પ્રકારની મિલનમુલાકાત સફળ થઈ શકે છે, પાડવા,વાગવા કે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી,ઉધરસ, તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબતથી તકેદારી રાખવી, ખટપટ કરનારવર્ગથી દુર રહેવાની જરૂર છે જેથી કોઈની ખોટીવાતમા દોરવાઈ ના જવાય, વેપારના કામકાજમા ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે, સલાહ, ઠપકો કે કઈપણપ્રકારનુ માર્ગદર્શન કોઈને આપતા પહેલા વિચાર કરવો જરૂરી છે કે તેમા તેને કોઈ ગેરસમજ ના થઇ જાય, વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટશબ્દો પણ ના વાપારવા ધીરજ અને કુનેહપૂર્વક વર્તવાથી ઘણીશાંતિ અને સરળતા તમારા વ્યવહારમા રહી શકે છે.


રોકાણ માટે કે નવાકોઇપણ આયોજન માટે સમય સાથ આપી શકે છે, યાત્રાકે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારામા ધાર્મિકભાવના વધુ જાગે અને લોકકલ્યાણના વિચારો આવે,  સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા અઘરો પડતો હોયતો તે વિષય શીખવામા વધુમહેનત કરવાથી સારા  ફળની પ્રાપ્તિ થઇ શકે છે, વેપારના કામકાજમા લાભની કોઈવાત બની શકે છે,  લગ્નમાટેની વાતચીત ગોઠવવી અને તેમા મિલનમુલાકાત કરવી ફાયદાકારક બની શકે છે, વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આ સપ્તાહ દરમિયાન તેમા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરેતો તેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે છે.


તમારા સંબંધને મજબુત રાખવા પ્રયત્ન કરવા પડે, કામકાજમા વ્યસ્તતા અને માનસિકથાકની લાગણી અનુભવો, કામકાજમા સમયનો વ્યય પણ વધુ થઇ શકે તેમજ કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે, ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવુ વધુ યોગ્ય છે, વેપારમા કામકાજ દરમિયાન નિર્ણયશક્તિનો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થઈ શકે છે માટે તકેદારી રાખવી, મુસાફરી, થોડી કંટાળાજનક, સમય અને નાણાનોવ્યય થાય તેવો રહી શકે શકે છે.


પરિવાર, સહ-કર્મચારી સાથે સુમેળ થોડો ઓછો જોવા મળે માટે વાર્તાલાપ અને વર્તણુકમા યોગ્યગણતરી રાખવી સલાહભરી છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમારી જૂની મિલનમુલાકાતની યાદી બનાવી તેમા કામ કરવાથી લાભ થઈ શકે છે. મુસાફરીનુ આયોજન થઈ શકે છે, પેટ,અપચાની તકલીફ બાબતે તકેદારી રાખવી, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિકકે ધાર્મિકકામકાજમા જોડાવાની વૃતિ વધુ જાગે, કોઈપ્રવૃત્તિમા અન્યનો સાથસહકાર મળી શકે છે, નાણાની લેવડદેવડ તેમજ પ્રેમસંબંધમા ધીરજ અને જાગૃતતા રાખવી ઇચ્છનીય છે.

એક સારો ગ્રહ, એક સારું જીવન

આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યારે આપણે એવી ચીજ-વસ્તુઓનું રક્ષણ કરવા માટે વિચારવું પડે છે જેમણે હમેશા આપણું પોષણ કર્યું છે. આ માનવીય ઈતિહાસમાં પ્રથમવાર બન્યું હશે કે આપણે ગ્રહને બચાવવાની વાત કરવી પડી રહી છે. પહેલા ક્યારેય કોઈને આવો મૂર્ખામીપૂર્ણ વિચાર નહીં આવ્યો હોય કે તેઓએ પૃથ્વીને બચાવવો પડશે. પૃથ્વીએ સદૈવ આપણી કાળજી રાખી છે.

આ ગ્રહની જાળવણી અને સંભાળ રાખવી એ આપણાં માટે સારા જીવનની આશા રાખવાથી કઈ અલગ નથી, કેમ કે સારા ગ્રહ વિના સારું જીવન ન હોઇ શકે. અત્યારે આપણે પરિયાવરણીય ચિંતાઓને એવી રીતે જોઈ રહ્યા છીએ જાણે આપણે કોઈ રૂણ અદા કરવાનું હોય. તે રૂણ નથી, તે આપણું જીવન છે. આપણે જે શ્વાસ લઈએ છીએ અને ઉચ્છવાસ બહાર કાઢીએ છીએ એ તે જ છે.

જ્યાં સુધી લોકો આને વિચારે નહીં અને આનો અનુભવ ના કરે, હું નથી માનતો કે તેઓ સાચી રીતે કોઈ કાર્ય મોટા પાયે કરી શકે. જો લોકોને જમીનની ચિંતા નથી, તેઓ આખા દેશનો વિનાશ નોતરી શકે. આપણી જે કઈ આર્થિક ચિંતા હોય – આપણે ઘણી ચીજો કરવાની છે – આપણે પરિયાવરણીય ચિંતાઓને આપણાં આર્થિક વિકાસમાં મહત્વનો ભાગ આપવો જ રહ્યો. નહિતર, આપણે ખૂબ મોટી કિમત ચૂકવવી પડશે. આ એવી ચીજ છે જેના વિષે નીતિ-ઘડનારા, ઉધ્યોગ જગત અને લોકો સતત જાગૃત હોવા જોઈએ અને પ્રયત્નશીલ હોવા જોઈએ.

લોક ચેતનામાં ઉછાળો લાવવો કદાચ લાંબા ગાળાનો પ્રોજેકટ હોઇ શકે છે, પણ જો નેતૃત્વ – જે લોકો સત્તા અને જવાબદારીના પદ પર છે – આના વિષે સાચે જ તેઓ સ્વયં વિચારે અને અનુભવ કરે, તો આપણે બધી જ ચીજોમાં એક મોટો પરીવર્તન લાવી શકિએ. જો પૃથ્વી પરના અગત્યના માણસોની ચેતના – જે રીતે તેઓ જીવનને જુએ છે, વિચારે છે અને અનુભવ કરે છે – ને બદલી શકાય, અને જો સંસાધનોનું જરૂરી ધ્યાન અને રોકાણ સાચી દિશામાં કરવામાં આવે છે, તો ધરતી માતા જાતે જ અનુકૂળ થશે.

જો આપણે તેમને માત્ર એક તક આપીએ છીએ, તો તેઓ બધું જ ફરીથી વીપૂલતા અને સુંદરતામાં પરિવર્તિત કરી દેશે. આપણે કોઈ મહાન કાર્ય કરવાનું નથી, આપણે ધરતીને ઠીક કરવાની નથી. જો આપણે પોતાને પીડા આપ્યા વિના દખલગીરી, જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી, ઓછી કરીએ છીએ, જો આપણે જે કરી રહ્યા છીએ તે નુકસાન ઓછું કરીએ છીએ, તો બાકીનું જાતે જ થઈ જશે.

તમારી આસપાસના જીવનની ચિંતા કર્યા વિનાની અધ્યાત્મિક પ્રક્રિયા એ અધ્યાત્મિક પ્રક્રિયા નથી કેમ કે જે કોઈ પણ પોતાની અંદર ઝાંખે છે, જે સ્વયંમાં પ્રેરિત થાય છે, કૂદરતી રીતે જ અનુભવે છે કે તેનું અસ્તિત્વ અને બાહ્ય અસ્તિત્વ અલગ-અલગ નથી. મૂળભૂત રીતે અધ્યાત્મિકતાનો અર્થ સર્વ-સમાવેશી અનુભવ છે. જ્યારે સર્વ-સમાવેશી અનુભવ હોય છે, ત્યારે તમારી આસપાસની કાળજી અને ચિંતા કરવી બહુ જ કૂદરતી છે.

તે મારી ઈચ્છા છે કે આપણે એક પેઢી તરીકે દરેક રીતે આફત ના બની જઈએ. જો આપણે જીવનમાં તે ના કરીએ જે આપણાથી ના થાય, તો કોઈ સમસ્યા નથી. પણ જો આપણે તે ના કરીએ જે આપણે કરી શકીએ છીએ, તો આપણે એક આફત છીએ.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના 50 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વ્પ્નદ્રષ્ટા અને ન્યુયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદગુરુને તેમની અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ – પદ્મ વિભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા છે.

રાશિ ભવિષ્ય 23/09/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસમાં તમને ઉત્સાહ જોવા મળી શકે છે, અંગતમિત્રો સાથેની વાર્તાલાપમાં સારોસમય પસાર થાય તેમાં જુનાસ્મરણ તાજા થાય અને તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામ કરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત થઈ શકે છે.


આજે સગાસ્નેહી,જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ થાય તેવા યોગ છે, કામકાજકે ઈતરપ્રવૃત્તિના કારણે આરોગ્યબાબતે થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના ભોગ પણ બની શકો છે.


આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગઅંગે ચર્ચા વિચારણા પણ થાય, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું.


આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો.


આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા માટે પ્રયત્ન કરવો સારો કહી શક્ય જેમાં સારો પ્રતિભાવ જોવા મળી શકે છે, ક્યાય દાનદક્ષિણા આપવાના યોગ પણ બની રહ્યા છે.


આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાયકે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાકમશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, નાનાઅંતરની મુસાફરી થઈ શકે છે. તમે આજે મિત્રોના કોઈ કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને તેમાં તમારું મન સારું પ્રસન્ન રહે તેવું બની શકે છે.


આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. મિત્રોકે ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું, પ્રભુભક્તિમાં સમય વધુ પસાર કરવાની ઈચ્છા થાય અને ધાર્મિકસ્થળની મુલાકાત કરવાથી મનને શાંતિ પણ મળે.


આજે મિત્રો સાથે સારો સમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. લાગણીભર્યા જુનાસંબંધ અચાનક યાદ આવી શકે છે. કોઈ કાર્ય બાબતની ક્યાય મિલનમુલાકાત થવાથી તમને સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.


આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, કોઈ જરૂરિયાત વાળી વ્યક્તિને યથાશક્તિ દાન આપવું ઇચ્છનીય છે, પ્રભુમાં ચિત્ત રાખવું યોગ્ય કહી શકાય.


આજે કોઈ ધાર્મિકસ્થળકે સામાજિકપ્રસંગ માટેની મુલાકાત થઈ શકે છે, જાહેરજીવનમાં તમારો મોભો સારો વર્તાય, આજે તમારું વર્ચસ્વ તમાર કામ અને આવડત પર સારું જોવા મળે. યુવાવર્ગને પોતાની પસંદગીની કોઈ વાત સંભાળવા મળે કે જાણવા મળી શકે છે, નાનાઅંતરની મુસાફરી પણ થઈ શકે છે.


આજે એકલા હાથે ઘણા કામ કરવાના આવે તેવું બની શકે છે તેમાં તમને અન્યનો સાથ ઓછો જોવા મળે તેના કારણે તમે કામ ટાળવાની વૃતિ જાગે અને આરામ કરવાનું મન વધુ થાય, ક્યાંક આકામિકનાણાકીય ખર્ચ આવી શકે છે, મિલનમુલાકાતકે હરવાફરવામાં ઉમંગનો અભાવ જોવા મળી શકે છે.

પંચાંગ 23/09/2024