વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એજન્સીની ચેતવણી છતાં હાઇડ્રોક્સિક્લોરોકક્વીન દવા લઈ રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિએ ગઈ કાલે કહ્યું હતું કે તેઓ હાઇડ્રોક્સિક્લોરોક્વીન લઈ રહ્યા છે. તેમણે આ દવાને કોરોના વાઇરસની સંભવિત સારવારમાં અકસીર બતાવી હતી.
ટ્રમ્પ એક સપ્તાહથી આ દવા લે છે
આ અહેવાલ મુજબ ટ્રમ્પે કહ્યું છે કે તેમણે વાઇટ હાઉસમાં ડોક્ટરે આ દવા લેવા માટે સલાહ આપી હતી. જોકે આ દવા તેમના માટે ઉચિત નથી, કેમ કે તેઓ કોવિડ-19 પોઝિટિવ નથી. તેમણે કહ્યું હતું કે ડોક્ટરે મને આ દવા લેવા માટે સલાહ આપતાં કહ્યું હતું કે તમારે આ દવા લેવી હોય તો લો. હું આશરે એક સપ્તાહથી ઝિંકની સાથે હાઇડ્રોક્સિક્લોરોક્વીન લઈ રહ્યો છું.
FDAની આ દવા હોસ્પિટલ બહારના ઉપયોગ સામે ચેતવણી
ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને (FDAએ) હાઇડ્રોક્સિક્લોક્વીન દવાને હોસ્પિટલ બહાર એના ઉપયોગ સામે ચેતવણી ઉચ્ચારી હતી. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ આ દવા માત્ર હોસ્પિટલોના ઉપયોગ માટે મંજૂરી આપી છે.
પાછલા મહિને ભારતે અમેરિકામાં કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે લાખ્ખો હાઇડ્રોક્સીક્લોરોક્વીન ગોળીઓની નિકાસને મંજૂરી આપી હતી. અમેરિકામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 15 લાખથી પણ વધુ છે અને મોતનો આંકડો 90,694 પહોંચ્યો છે.
નવી દિલ્હીઃ દેશમાં લોકડાઉન છતાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને એક લાખને પાર પહોંચી છે. મંત્રાલયના આંકડા મુજબ અત્યાર સુધી દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,01,139 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં આ વાઇરસથી 3163 લોકોનાં મોત થયાં છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 4970 નવા કેસ મળી આવ્યા છે અને 134 લોકોનાં મોત થયાં છે. જોકે આ બીમારીમાંથી 39,174 દર્દીઓએ કોરોનાને માત આપી છે. રિકવરી રેટ સુધરીને 38.73 ટકા થયો છે.
મહારાષ્ટ્રમાં કોરોના કેસ 35,000ને પાર
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધીને 35,000ને પાર થયા છે. છેલ્લા 24 કલાકમાં 2033 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધી 1249 લોકોનાં મોત થયાં છે. મુંબઈમાં પણ કેસમાં સતત વધારો થતાં પાંચ ઝોનમાં CISF અને CRPFની કંપનીઓ તહેનાત કરવામાં આવશે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
આજનો દિવસે થોડી સાવચેતી રાખવી અગત્યની છે અને તમારા ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવુ હિતાવહ છે, યુવાવર્ગ માટે તેમની લાગણી કોઈ સમજાતુ નથી તેવી મનમા ફરીયાદ રહે, વેપારના કામકાજમા જોખમ ટાળવુ, વડીલવર્ગ આજે કોઈને વણમાગી સલાહ ના આપે તે વધુ યોગ્ય કહી શકાય.
આજનો દિવસ તમારો સારો છે અને ઉત્સાહ પણ જોવા મળે, તમારા નવીનકામનુ આયોજન થાય, તેમજ જુનામતભેદ ભૂલવાની તક મળે, લગ્નમાટેની વાતચીતમાકે મિલનમુલાકાત દરમિયાન તમારી પ્રતિભા સારી દેખાઈ આવે અને તમને તેની ખુશીનો અનુભવ પણ થાય, વેપારના કામમા લાભ થઈ શકે છે.
આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ અને મિત્રો સાથે સારીરીતે સમય પસાર થાય, ક્યાંક નાણાકીય ખર્ચ થઈ છે તેમજ પ્રવાસનુ આયોજન પણ થઇ શકે, માર્કેટિંગક્ષેત્રમા સારાપરિણામની આશા જોવા મળે, યુવાવર્ગને પોતાના મનનીવાત ક્યાંક કહેવામા તક ઝડપવામા થોડી તકલીફ પડી શકે તેવુ બની શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તેમજ કોઇપણ પ્રકારના વિવાદથી દુર રહેવુ, વાહન ધીમે ચલાવવુ જરૂરી છે, યુવાવર્ગને પોતાના મનમા રહેલી લાગણી કોઈ દુભાવી રહ્યુ હોય તેવુ મનમા ફરિયાદ રહ્યા કરે, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવું, વાણીસયમ રાખવો ઇચ્છનીય કહી શકાય.
આજનો દિવસ સામાન્ય છે અને તેમા પણ કામમા વ્યસ્ત વધુ રહેવાય, થોડી મનમા ક્યાંક અશાંતિ રહે, વેપારમા નાનુ કામ કરવુજ યોગ્ય છે, યુવાવર્ગમા ધીરજનો અભાવ જોવા મળી શકે છે તેમજ પ્રિયજન સાથે વાદવિવાદ ના થાય તેનુ ધ્યાન રાખવુ, મુસાફરી થોડી કંટાળાજનક અને ખર્ચાળ બની શકે છે.
આજનો દિવસ સારો છે અને તેમા ખાસ કરીને જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે, યુવાવર્ગને મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થઇ શકે અને તેમા તેમને સારીખુશીનો અનુભવ થાય, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, ક્યાંક નવીન ઓળખાણથી તમને આનંદની લાગણી અનુભવો.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે, પાડવા-વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, હિતશત્રુ,ખટપટી લોકોથી દુર રહેવુ, વેપારના કામકાજમા કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે મતભેદકે મનદુઃખ ના થાય તેની કાળજી રાખવી જરૂરી છે.
આજનો દિવસ યાદગાર બની શકે છે તેમા પણ તમારી જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી બેવડાઈ જાય, કામની કદર થાય, યુવાવર્ગને પસંદ પડે તેવી વાત સાંભળવા મળી શકે છે, વેપારીવર્ગને કામકાજમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય તેવા સંજોગો ઉભા થાય.
આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવુ, યુવાવર્ગ આજે કોઈની ખોટીદોરવાણીથી દોરવાઇ ના જવાય તેનુ ધ્યાન રાખવુ, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ, વડીલવર્ગે આજે કોઈને વણમાગી સલાહ ન આપવી.
આજનો દિવસ સારો છે અને તમને પણ ઉત્સાહ સારો રહે, કયાંક મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકે મનનુ કામ થઇ શકે જેમા તમે ખુબ આનદની લાગણી અનુભવો, લગ્નમાટે ક્યાય વાતચીત કરવી પણ યોગ્ય બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા વધુ સમય ફાળવો યોગ્ય છે, વેપારમા લાભની તક છે.
આજનો દિવસ સામાન્ય છે તમે કામમા વધુ વ્યસ્ત રહો, કોઈ જુનાકામમા જલ્દીથી ઉકેલ ન આવે તેને લીધે તમે કામ ટાળવાની નીતિ અપનાવો, યુવાવર્ગ માટે પોતાના વર્તનમા શાંતિ જાળવવી જેથી તમારાથી કોઈની લાગણી ના દુભાય, વેપારમા પોતાના અનુભવ મુજબ નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ સારુ રહે.
આજનો દિવસ સામાન્ય છે તમે તમારા સહકર્મચારી સાથે કામની બાબતમા થોડા દ્વિધામા રહો તમારે થોડો કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, યુવાવર્ગ માટે આજે મજાકવૃત્તિથી દુર રહેવુ જેથી બિનજરૂરી ગેરસમજ ટાળી શકાય માર્કેટિંગમા સમયનો વ્યય વધુ થાય, વેપારના કામકાજમા ધીરજ રાખવી.
અમદાવાદ: શાકભાજી, ફળફળાદીનું વેચાણ કરતાં ફેરિયાઓ ને મહાનગરપાલિકા દ્વારા હેલ્થ કાર્ડ આપવામાં આવે છે. પરંતુ પરંપરાગત શાકભાજી નો ધંધો કરતાં અસંખ્ય ફેરિયા વેપારીઓ પરવાનગી કાર્ડ થી વંચિત રહી જતાં એ.એમ.સી કેમ્પસ માં ભારે હોબાળો મચાવ્યો હતો.
કોરોનાનો ચેપ ફેલાવવામાં અમદાવાદ શહેર માં સુપર સ્પ્રેડર તરીકે શાકભાજી વાળા ફેરિયાઓ નું નામ સામે આવ્યું. શહેરના ઘણાં વિસ્તારોના ફેરિયાઓ કોરોના વાયરસ નો શિકાર પણ બન્યા. ત્યારબાદ ડોલમાં શાકભાજી લેવી ખરીદી કર્યા બાદ સેનિટાઇઝેશન તેમજ ધોવાની સાવચેતી રાખવાની શરૂઆત થઇ ગઇ. તંત્ર એ થોડા દિવસ શાકભાજી ફળફળાદી વેચાણ કરતાં ફેરિયાઓ પર નિયંત્રણ રાખ્યું.
બીજી તરફ લોકો સુધી ફેરિયાઓ દ્વારા જીવન જરૂરી ચીજ વસ્તુઓ પહોચાડવા હેલ્થ કાર્ડ ઇસ્યુ કરવાની શરૂઆત થઇ ગઇ. પરંતુ આ શાકભાજી નો પરંપરાગત ધંધો કરતાં હજારો ની સંખ્યા માં ફેરિયાઓ પરવાનગી થી વંચિત રહી ગયાં. જેમની પાસે સિસ્ટમ ને સમજવાની આવડત અને ચોક્કસ જરૂરી કાગળો ના આધાર હતો એમને વેપાર કરવાની પરવાનગી મળી ગઇ.
વર્ષોથી, પરંપરાગત ધંધો કરતાં હજારો ફેરિયાઓ પરવાનગી થી વંચિત રહી ગયાં છે. જેમણે સોમવાર ની સવારથી જ પેટિયું રળવાની પરવાનગી માટે મોરચો માંડયો હતો. તંત્ર ની અસમંજસ પરિસ્થિતિ, અણઘડ વહિવટી પ્રક્રિયા ને કારણે જેને ખરેખર જરૂર છે એવા લોકો પરવાનગી અને રોજગારી વગર રઝળી રહ્યા છે. (પ્રજ્ઞેશ વ્યાસ)
અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા લોકાડાઉન-4ની ગાઈડલાઈન નક્કી કરવામાં આવ્યા બાદ આજે મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાત માટે લોકડાઉનમાં વિવિધ પ્રકારની છૂટછાટો અંગે જાહેરાત કરી છે. જેમાં કન્ટેઇન્મેન્ટ ઝોનને બાદ કરતા સમગ્ર રાજ્યમાં ઘણી છૂટછાટો આપવામાં આવી છે. જેમાં ઓટો રીક્ષા, બસ સેવા, ઓફિસો, અન્ય દુકાનો, પાનના ગલ્લા સહિતની છૂટછાટની જાહેરાતો કરવામાં આવી છે. અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં દુકાનો, ઓફિસો ખુલી શકાશે, પરંતુ પૂર્વ વિસ્તારમાં પ્રથમ તબક્કામાં છૂટછાટ આપવામાં આવી નથી. જોકે ટેક્સી સેવા શરૂ કરી શકાશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું છે.
કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવશ્યક વસ્તુઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં. લોકડાઉનમાં જે પ્રકારે વ્યવસ્થા હતી તે યથાવત રહેશે.
સમગ્ર ગુજરાતમાં કન્ટેઈનમેન્ટ ઝોનમાં સવારે 8થી 12 વાગ્યા સુધી જરૂરી વસ્તુઓના વેચાણની છૂટ રહેશે.
કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના ઝોનમાં સવારે 8થી રાત્રે 7 વાગ્યા સુધી તમામ દુકાનો ખોલવાની છૂટ આપવામાં આવશે
સાંજના 7થી સવારના રાત્રે 7 વાગ્યા સુધી કડક કર્ફ્યુનો અમલ કરવામાં આવશે
જીવલેણ એવા કોરોના વાઈરસ ચેપી રોગચાળાનો ફેલાવો રોકવા માટે મહારાષ્ટ્ર સરકાર અનેક પગલાં લઈ રહી છે. તેણે આ રોગના દર્દીઓની સારવાર કરવા માટે મુંબઈના બાન્દ્રા ઉપનગરસ્થિત બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સ (બીકેસી) સંકુલ વિસ્તારમાં એક વિશાળ કામચલાઉ હોસ્પિટલ (હેલ્થ સેન્ટર) પણ બનાવી છે. નગરવિકાસ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા 1000-પલંગવાળા વિશેષ કોવિડ-19 હેલ્થ સેન્ટરની મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ 18 મે, સોમવારે મુલાકાત લઈને ત્યાંની વ્યવસ્થા, સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું. આ હોસ્પિટલનો કારભાર MMRDA સંસ્થાના કમિશનર આર. રાજીવે મુંબઈના મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલને સુપરત કર્યો હતો.
આ હેલ્થ સેન્ટર વિક્રમસર્જક સમયમાં યુદ્ધના ધોરણે તૈયાર કરવામાં આવ્યું છે. એમાં 250થી વધારે ઓક્સિજન સપ્લાય સુવિધા સાથેના પલંગ છે, 250 હાઈ-ડીપેન્ડેન્સ બેડ પણ છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. સોમવાર સુધી દેશમાં કોવિડ-19ના 96,169 કેસો સામે આવી ચૂક્યા છે. આની સાથે 3,029 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. દેશમાં કોરોનાથી લડવા માટે કોવિડ-19 ટેસ્ટિંગને પ્રોત્સાહન આપવામાં આવી રહી છે. આ દરમ્યાન ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા કોવિડ-19 ટેસ્ટિંગને લઈને વ્યૂહરચનામાં બદલાવ કર્યો છે.
આ લોકોની તપાસ થશે
ICMRના જણાવ્યા મુજબ હવે એ લોકોની તપાસ થશે, જેમણે 14 દિવસમાં કોઈ આંતરરાષ્ટ્રીય યાત્રા કરી હશે અને તેમનામાં કોવિડ-19 જેવાં લક્ષણો હશે.
આ ઉપરાંત લેબોરેટરીમાં દર્દીના કોવિડ-19ના કેસની પુષ્ટિ થવા પર તેમના સંપર્કમાં આવેલા લોકોની તપાસ થશે.
કોવિડ-19ના કન્ટેનમેન્ટ ઝોનમાં કામ કરતા બધા સ્વાસ્થ્ય કર્મચારીઓ અતવા અન્ય કર્મચારીઓની તપાસ (જેનામાં તાવ-ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ જેવા કોવિડ-19નાં લક્ષણ હશે).
જે લોકોને એક્યુરેટ રેસ્પિરેટરી ઇન્ફેક્શનની સાથે તાવ, ખાંસીનાં લક્ષણ મળશે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની આવશ્યકતા રહેશે.
કોવિડ-19 પોઝિટિવના સંપર્કમાં આવેલા હાઈ રિસ્કના લક્ષણો વગરના લોકોની તપાસ, તેમની તપાસ કોવિડ-19 પોઝિટિવના સંપર્કમાં આવેલી વ્યક્તિની પાંચમા અને 10મા દિવસની વચ્ચે થશે.
કન્ટેનમેન્ટ અનમે હોટસ્પોટ ઝોનમાં રહેતા બધા લોકોની તપાસ- જેમાં કોવિડ-19નાં લક્ષણો જેવાં કે તાવ,ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હશે.
હોસ્પિટલમાં દાખલ એ બધા દર્દીઓની તપાસ થશે, જેમાં તાવ-ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ જેવી ફરિયાદ હશે.
પ્રવાસી અથવા અન્ય જગ્યાએથી આવતી વ્યક્તિની તપાસ, તબિયત ખરાબ થવા પર સાત દિવસની અંદર થશે. તાવ-ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ થવાવાળા લોકોની તપાસ થશે.
ટેસ્ટિંગમાં ઘટાડાને કારણે ઇમર્જન્સી પ્રક્રિયામાં મોડું નહીં કરવામાં આવે, પણ કોઈ પણ પ્રકારના કોવિડ-19નાં લક્ષણ જોવી મળશે તો સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવશે.
ઉપર આપવામાં આવેલી તમામ શ્રેણીઓમાં કોવિડ-19ના ટેસ્ટિંગનો રિયલ ટાઇમ RT-PCR દ્વારા થશે.
મુંબઈઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો રાઇટ્સ ઇશ્યુ 20મેએ ખૂલીને ત્રીજી જૂને બંધ થશે, એમ કંપનીએ સેબી અને સ્ટોક એક્સચેન્જને જણાવ્યું હતું. માર્કેટ કેપની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી અને પેટ્રોકેમથી લઈને ટેલિકોમ જેવા અનેક સેક્ટરમાં બિઝનેસ કરનારી કંપનીએ રાઇટ્સ ઇશ્યુથી રૂ. 53,125 કરોડ એકઠા થવાનું લક્ષ્ય રાખ્યું છે. રિલાયન્સે 30 એપ્રિલે ચોથા ત્રિમાસિક ગાળાનાં પરિણામો જાહેર કરવાની સાથે રાઇટ્સ ઇશ્યુનું પણ એલાન કર્યું હતું.
પાછલા ત્રણ દાયકામાં આ સૌથી મોટો રાઇટ ઇશ્યુ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું આ રાઇટ્સ ઇશ્યુથી રૂ. 53,125 કરોડની રકમ એકત્ર કરવાનું લક્ષ્ય છે. કંપનીના બોર્ડની 15 મેએ થયેલી બેઠકમાં રાઇટ્સ ઇશ્યુ કમિટીની પણ બેઠક થઈ હતી, જેમાંઆ રાઇટ્સ ઇશ્યુને મંજૂરી આપવામાં આવી હતી. રાઇટ્સ ઇશ્યુનમી રેકોર્ટ ડેટ 14 મે નક્કી કરવામાં આવી. પાછલા ત્રણ દાયકામાં આ રાઇટ્સ ઇશ્યુ RILનો પહેલો રાઇટ્સ ઇશ્યુ છે.
કંપનીના 15 શેરે એક રાઇટ શેર
રિલાયન્સના 15 શેરો પર રાઇટ્સ ઇશ્યુ હેઠળ એકક શેર આપવામાં આવશે. કંપની રૂ. 10નો શેર શેરદીઠ રૂ. 1247પ્રીમિયમે કુલ રૂ. 1257એ આપશે. રાઇટ ઇશ્યુ વખતે અજી સમયે અરજીકર્તાએ 25 ટકા રકમ આપવી પડશે. આમાં રૂ. 2.5 ફેસ વેલ્યુ અને રૂ. 311.75 પ્રીમિયમ આપવા પડશે. એટલે કે પ્રતિ શેર રૂ. 314.25 આપવા પડશે. બાકીની રકમ જે રૂ. 942.75 છે, એ પ્રતિ શેર માટે એકસાથે અથવા હપતામાં લેવામાં આવશે, જોકે આનો નિર્ણય હાલ કંપનીના બોર્ડ પર છોડવામાં આવ્યો છે.
નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાઈરસના આતંકને ધ્યાનમાં રાખીને લોકડાઉન 31 મે સુધી લંબાવામાં આવ્યું છે. બોલીવુડના જાણીતા એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી એમના પરિવારજનો સાથે ઈદના તહેવારની ઉજવણી કરવા માટે લોકડાઉન વચ્ચે મુંબઈથી ઉત્તર પ્રદેશના બુધના ગામમાં પહોંચ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, ઉત્તર પ્રદેશના પ્રવાસને કારણે નવાઝુદ્દીન અને તેનો પરિવારને બુધનામાં 14 દિવસ માટે ક્વૉરન્ટીન રહેશે. નવાઝુદ્દીન તથા એમના પરિવારજનોનું મેડિકલ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું અને તેમનો કોરોનાનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.
નવાઝુદ્દીને ટ્રાવેલ પાસ લીધો હતો અને તે 12 મેના રોજ પરિવારજનો સાથે મુંબઈથી નીકળ્યા હતા. હવે એ તમામને 14 દિવસ સુધી ક્વૉરન્ટીન થવાનું કહેવામાં આવ્યું છે. નવાઝુુદ્દીનની સાથે એમના માતા, ભાઈ તથા ભાભી પણ હતાં. નવાઝુદ્દીને કહ્યું કે મુંબઈથી યૂપી સુધીના પ્રવાસમાં 25 વખત તેમનું મેડિકલ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે આ પરિવાર તેમના વતનમાં ઈદની ઉજવણી કરવા માટે આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, નવાઝુદ્દીન સિદ્દીકીની આગામી ફિલ્મ ‘ધૂમકેતુ’નું ટીઝર હાલમાં રિલીઝ કરાયું હતું. કોમેડી અને ડ્રામાથી ભરપૂર ટીઝર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. નવાઝુદ્દીન સિદ્દીકીની આ ફિલ્મ 22 મેના રોજ ડિજિટલ પ્લેટફોર્મ ઝી5 પર રિલીઝ થવાની છે.