Home Blog Page 4772

જ્યોતિરાદિત્ય સિંધિયાનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો, હોસ્પિટલમાં દાખલ

નવી દિલ્હીઃ ભાજપના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમનાં માતા માધવી રાજે સિંધિયાને કોરોનાવાઈરસ બીમારી લાગુ પડવાથી દિલ્હીની સાકેત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. હોસ્પિટલનાં સૂત્રોના જણાવ્યા મુજબ જ્યોતિરાદિત્ય સિંધિયા કોરોના સંક્રમણની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર સિંધિયા અને તેમનાં માતા માધવી રાજે સિંધિયા કોરોના પોઝિટિવ છે અને પાછલા ચાર દિવસોથી સાકેત સ્થિત મેક્સ હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ છે. જ્યોતિરાદિત્ય સિંધિયામાં કોરોનાનાં લક્ષણો જોવા મળ્યાં છે. તેમને ગળામાં ખરાશ અને તાવની ફરિયાદ હતી. જ્યારે તેમનાં માતામાં કોવિડ-19 ઇન્ફેક્શનનાં લક્ષણો જોવા નથી મળ્યા.

મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલનો પણ કોરોના વાઇરસનો ટેસ્ટ થયો

આ પહેલાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની તબિયત ખરાબ થવાના સમાચાર સામે આવ્યા હતા. CM કેજરીવાલને તાવ અને ગળામાં ખારાશની ફરિયાદ હતી. ત્યાર બાદ તેમને ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી હતી. મુખ્ય પ્રધાન કેજરીવાલનો કોરોનાનો ટેસ્ટ આજે થયો છે અને રિપોર્ટ આવવાનો હજી બાકી છે.

દિલ્હીમાં કોરોનાનું સંક્રમણ અટકી નથી રહ્યું

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણ અટકવાનું નામ નથી લેતો. પાછલા કેટલાક દિવસોથી પ્રતિદિન હઝાર કે એનાથી વધુ નવા કેસો સામે આવી રહ્યા છે. આ મુદ્દે દિલ્હીના ઉપ રાજ્યપાલ અનિલ બૈજલ અને ઉપ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની વચ્ચે બેઠક પણ થઈ હતી. ઉપ રાજ્યપાલે સર્વપક્ષી બેઠક બોલાવી છે, જેમાં કોરોના ઇન્ફેક્શનથી ઊભી થયેલી સ્થિતિની ચર્ચા કરવામાં આવશે. ઉપ મુખ્ય પ્રધાન સિસોદિયાએ બેઠકમાં કહ્યું હતું કે જો આ રીતે કોરોનાના કોસમાં વધારો થયો રહેશે તો 31 જુલાઈ સુધી પાંચ લાખથી વધુ કોરોનાના કેસ થઈ જશે.

એશિયા કપ ક્રિકેટ સ્પર્ધા યોજવાનો નિર્ણય મુલતવી રખાયો

મુંબઈઃ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના કાર્યકારી બોર્ડે આ વર્ષે નિર્ધારિત એશિયા કપ ક્રિકેટ સ્પર્ધાને મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.

કોરોના વાઈરસ મહાબીમારીનો ફેલાવો દુનિયાભરમાં થયો હોવાને કારણે આ નિર્ણય લેવાયો છે.

એશિયા કપ સ્પર્ધા આ વર્ષના સપ્ટેંબરમાં પાકિસ્તાનમાં યોજાવાની છે. પરંતુ પાકિસ્તાન સાથેના રાજદ્વારી સંબંધો હાલ બગડ્યા હોવાથી ભારતે પોતાની ટીમને પાકિસ્તાનમાં ન મોકલવાનો નિર્ણય લીધો છે. પરિણામે આ સ્પર્ધા યુએઈમાં યોજાય એવી ધારણા છે.

હવે આવતા ઓક્ટોબર-નવેંબરમાં નિર્ધારિત ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ સ્પર્ધા વિશે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) શું નિર્ણય લે છે એના આધારે એસીસી એશિયા કપ વિશેનો નિર્ણય લેશે.

એસીસીના બોર્ડ સભ્યોએ ગઈ કાલે વિડિયો પરિષદ દ્વારા મીટિંગ યોજી હતી. એમાં ભારત તરફથી બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહે ભાગ લીધો હતો.

એસીસી દ્વારા સોમવારે રાતે નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે કોરોના વાઈરસ રોગચાળાની અસર અને એના પરિણામોને ધ્યાનમાં રાખીને એશિયા કપ-2020 માટેના સંભવિત સ્થળોના વિકલ્પો વિશે ચર્ચા કરવામાં આવી હતી અને એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ વિશેનો આખરી નિર્ણય યોગ્ય સમયે લેવામાં આવશે.

હવે એસીસીના બોર્ડ સભ્યો આ મહિનાના અંત ભાગમાં ફરી મળશે અને ચર્ચા કરશે એવી ધારણા છે.

લોકડાઉનથી પ્રવાસી મજૂરો પરેશાન થયા; હવે અનલોકથી ઉદ્યોગો મુશ્કેલીમાં

નવી દિલ્હીઃ કોરોના વાઇરસને પગલે દેશમાં લાગુ કરાયેલા સંપૂર્ણ લોકડાઉનને લીધે માઇગ્રન્ટ્સ કામદારોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, કેમ કે લોકડાઉન બે મહિનાથી વધારે લંબાવવામાં આવ્યું હતું, પણ હવે રિવર્સ માઇગ્રેશનની અસર ઉદ્યોગો પર દેખાવા લાગી છે. ખાસ કરીને એવા ઉદ્યોગોમાં જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસી કામદારો કામ કરે છે. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ આવી જ એક ઇન્ડસ્ટ્રીઝ છે. હવે અહીં કામદારોની અછત વર્તાવા માંડી છે.

લુધિયાણાથી માંડીને તિરુપુર સુધી કામદારોની અછત

લુધિયાણાથી માંડીને તિરુપુર સુધીના નિટવેર ઉદ્યોગમાં આજકાલ કામદારોની અછત વર્તાય છે. લોકડાઉનને કારણે કામદારોના ઘરે પરત ફરવાથી અહીંના યુનિટોમાં દરજીઓ અને ફિનિશિંગ કર્મચારીઓની ભારે અછત વર્તાય છે. ઇન્ડસ્ટ્રીનો બહુ મોટો હિસ્સો જ્યાં મજૂરોનો વધુ પગાર અને ઇન્સેન્ટિવ આપીને બોલાવી રહ્યો છે, ત્યાં કેટલાક ઉદ્યોગપતિઓએ યુપી, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળની સરકારનો સંપર્ક કર્યો છે. આ રાજ્યોમાંથી વધુ મજૂરો આવે છે. આ ઉદ્યોગ તેમને પાછા ફરવા માટે મનાવી રહ્યો છે.

કામદારોની ભારે અછત

ક્લોધિંગ મેન્યુફેક્ચર્સ એસોસિયેશનનું કહેવું છે કે કપડાં પર ઇસ્ત્રી કરવા અને એને પેક કરવાવાળા કામદારોની ભારે અછત વર્તાઈ રહી છે. દર્જીઓની અછત તો છે. ટેક્સટાઇલ યુનિટોમાં 70 ટકાથી વધુ લોકો કપડાં સીવવાના કામમાં લાગેલા હોય છે. પાંચથી સાત ટકા કામદાર કટિંગનું કામ કરે છે. 20 ટકા કામદાર ઇસ્ત્રી કરે છે અને પાંચ ટકા પેકિંગ કરે છે.

ગારમેન્ટ ઉદ્યોગમાં અડધાથી વધુ કામદારો પ્રવાસી છે

ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગમાં કમસે કમ 1 કરોડ 20 લાખ લોકો કામ કરે છે. આમાં 50 ટકા પ્રવાસી મજૂરો હોય છે. મોટા ભાગના ટેક્સટાઇલ્સ યુનિટો મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, તામિલનાડુ, પંજાબ અને યુપીના નોએડામાં આવેલા છે.

લોકડાઉન પછી ફેક્ટરીઓ હવે ખૂલવા લાગી છે, પણ કામ શરૂ થવા છતાં મજૂરોની અછત છે. હાલમાં નોએડામાં ટેક્સટાઇલ્સ યુનિટોમાં કામદારોની અછતનો મુદ્દો ઉઠાવ્યો હતો. કેટલાક યુનિટોએ બિહાર, બંગાળ અને ઝારખંડના મુખ્ય પ્રધાનોને પત્ર લખીને કામદારોને પરત કરવા પ્રેરિત કરવા કહ્યું હતું. આ યુનિટોનું કહેવું છે કે તેઓ કામદારોનું હવે વધુ ધ્યાન રાખશે અને તેમને વધુ પગાર અને ઇન્સેન્ટિવ મળશે.

 

BSE ઈબિક્સ ઈન્સ્યુરન્સ પ્લેટફોર્મ પરથી મોટર ઈન્સ્યુરન્સની 1000+ પોલિસી ઈશ્યુ કરાઈ

એક મહિનામાં એકત્ર કરાયેલા પ્રીમિયમની રકમમાં 100 ટકાનો વધારો

મુંબઈ, તા.8, 2020: બીએસઈ અને ઈબિક્સ ફિનકોર્પ એક્સચેન્જ પ્રા. લિ.ના સંયુક્ત સાહસ બીએસઈ ઈબિક્સ ઈન્સ્યુરન્સ બ્રોકિંગ પ્રાઈવેટ લિમિટેડએ તેના પ્લેટફોર્મ પરથી એક હજારથી અધિક મોટર ઈસ્યુરન્સ ઈશ્યુ કર્યા છે.

બીએસઈ ઈબિક્સએ 7 ફેબ્રુઆરી, 2020ના રોજ કામગીરીનો પ્રારંભ કર્યો હતો, જેમાં ખાનગી કાર અને ટુ-વ્હીલર્સના ઈન્સ્યુરન્સ ઓફર કરવામાં આવ્યા હતા. પ્લેટફોર્મ પરથી કુલ 1,195 પોલિસીઓ ઈશ્યુ કરવામાં આવી હતી અને ઓફર કરાયેલા કુલ રૂ.9.25 કરોડના કુલ ઈન્સ્યુરન્સ કવર સામે રૂ.40 લાખ રૂપિયાનું પ્રીમિયમ એકત્ર કરાયું હતું.

બીએસઈ ઈબિક્સ ઈન્સ્યુરન્સ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું એ પછી એકત્ર કરવામાં આવતા પ્રીમિયમમાં માસિક ધોરણે સો ટકાનો વધારો થઈ રહ્યો છે.

બીએસઈ ઈબિક્સ ઈન્સ્યુરન્સ પ્લેટફોર્મ પર 6,396 પોઈન્ટ ઓફ સેલ પર્સન્સ (પીઓએસપી) રજિસ્ટર છે, જેમાંથી 2,779 સર્ટિફાઈડ છે અને વેપાર કરવા માટે તૈયાર છે. પીઓએસપી સંપૂર્ણ ઓટોમેટેડ હાઈ ટેક પ્લેટફોર્મ પર પોલિસીઓ ઈશ્યુ કરી શકે છે. આ પ્લેટફોર્મ પર વિવિધ પોલિસીઓની તુલના, વિવિધ ઈન્સ્યુરન્સ કંપનીઓ દ્વારા ક્વોટ કરવામાં આવતાં પ્રીમિયમની તુલના, તુલનાને આધારે ચોક્કસ પોલિસીની પસંદગી, પોલિસી માટેની રકમની ચુકવણી થઈ શકે છે અને ઈન્સ્યુરન્સ કંપનીઓ માત્ર પાંચ મિનિટમાં ઈ-ફોર્મેટમાં ઈન્સ્યુરન્સ પોલિસી ઈશ્યુ કરી શકે છે.

સંપૂર્ણ પ્રક્રિયા ઓટોમેટેડ હોવાથી પીઓએસપી તેમના વેપારને વધારી શક્યા છે અને પેપરવર્ક, એકથી અધિક જગ્યાએ સહીઓ, ચેક દ્વારા ચુકવણી, કંપનીમાં ડોક્યુમેન્ટ્સની સોંપણી અને અન્ય ઘણી પ્રક્રિયાઓ નિવારી શક્યા છે.

તાજેતરમાં બીએસઈ ઈબિક્સે તેના પ્લેટફોર્મ પર હેલ્થ ઈન્સ્યુરન્સનું વિતરણ શરૂ કર્યું હતું.

બધા પ્રકારના વિમા ઉપલબ્ધ કરવા માટે બીએસઈ કમર્શિયલ વેહિકલ્સ, જેવાં કે ટ્રક્સ, ટ્રેક્ટર્સ, ઓટો, ટેક્સીના અને ફાયર, લાયાબિલિટી અને શોપકીપર્સ ઈસ્યુરન્સનું વિતરણ પણ શરૂ કરશે.

કોરોનાના 9987 નવા કેસ, 266નાં મોત

નવી દિલ્હીઃ અનલોક-1ની વચ્ચે દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ દેશમાં કોરોના વાઇરસના દર્દીઓની કુલ સંખ્યા 2,66,598 થઈ ગઈ છે અને આ વાઇરસને લીધે અત્યાર સુધી 7466 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 9987 નવા કેસ સામે આવ્યા છે અને 266 લોકોનાં મોત થયાં છે. પાછલા 24 કલાકમાં સૌથી વધુ નવા કેસ સામે આવ્યા છે. જોકે રાહતની વાત એ છે કે 1,29,215 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ થયા છે. રિકવરી રેટ 48.46 ટકાએ પહોંચ્યો છે.

વૈશ્વિક સ્તરે હાલત ચિંતાજનકઃ WHO

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના પ્રમુખ ટેડ્રોસ એડહાનોમ ગેબ્રેયેસસે કહ્યું હતું કે કોરોના વાઇરસને કારણે વૈશ્વિક સ્તરે સ્થિતિ ચિંતાજનક થતી જાય છે. એની સાથે WHOએ પણ ચેતવણી આપી હતી કે આનાથી વિશ્વભરમાં અસંતોષ ઊભો થાય એવી શક્યતા છે. જિનિવામાં વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ દ્વારા તેમણે કહ્યું હતું કે યુરોપની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. પાછલા 24 કલાકમાં વિશ્વભરમાં 1,36,000થી વધુ નવા કેસ નોંધાયા છે. જે એક દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ છે. આ કેસોમાં સૌથી વધુ કેસો અમેરિકામાં અને દક્ષિણ એશિયામાંથી સામે આવ્યા છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

ગુજરાત બોર્ડના 10મા ધોરણનું પરિણામ જાહેર; 60.64% વિદ્યાર્થીઓ પાસ

અમદાવાદઃ ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB)એ 10મા ધોરણની પરીક્ષાનું પરિણામ તેની સત્તાવાર વેબસાઇટ પર આજે જાહેર કર્યું છે. બોર્ડ દ્વારા આ પરિણામો તેની સત્તાવાર વેબસાઇટ http://www.gseb.org/  પર ઓનલાઇન જાહેર કરવામાં આવ્યાં હતાં. આ વર્ષે 10મા ધોરણનાં પરિણામો 60.64 ટકા આવ્યાં હતાં, જે 2019ની કુલનાએ 6.33 ટકા નીચાં છે. વળી, આ વર્ષે 90 ટકા કે તેથી વધુ ટકા લાવનારા વિદ્યાર્થીઓની સખ્યા પણ નોંધપાત્ર રીતે ઓછી છે. આ વર્ષે 90 ટકા લાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 1671 છે, જે ગયા વર્ષના 3303 વિદ્યાર્થીઓની સરખામણીએ ઘણી ઓછી છે.

બોર્ડની નીતિ મુજબ દરેક વિદ્યાર્થીએ દરેક વિષયમાં D સ્કોર કરવો આવશ્યક છે. જો કોઈ કેસમાં તે-તેણી કોઈ વિષયમાં E સ્કોર કરે તો તેણે પૂરક પરીક્ષા આપવાની રહેશે. આ વિદ્યાર્થીને જુલાઈમાં થનારી રિ-ટેસ્ટમાં પરીક્ષા આપવા દેવાશે. આ પૂરક પરીક્ષાની જાહેરાત પરિણામો સાથે થઈ ગઈ છે. GSEBએ હાલમાં જ 12મા સાયન્સના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કર્યું હતું.

10મા ધોરણમાં 10.83 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

આ વર્ષે આશરે 10.83 લાખ વિદ્યાર્થીઓએ 10મા ધોરણની પરીક્ષા આપી હતી. આ વર્ષે 10મા ધોરણની પરીક્ષા કોવિડ-19ને કારણે લોકડાઉનના થોડા સમય પહેલાં જ પૂરી થઈ હતી. દેશમાં લોકડાઉનનો પહેલો તબક્કો 25 માર્ચ, 2020એ શરૂ થયો હતો. ગયા વર્ષ 2019માં 10મા ધોરણનાં પરિણામો 67 ટકા આવ્યાં હતા, જે 2018ની તુલનાએ 0.53 ટકા ઘટ્યાં હતા. અંગ્રેજી મિડિયમના વિદ્યાર્થીઓની અન્ય ભાષાના વિદ્યાર્થીઓ કરતાં પાસ થવાની ટકાવારી વધુ હતી. ગુજરાતી મિડિયમના વિદ્યાર્થીઓની તુલનાએ અંગ્રેજી મિડિયમના વિદ્યાર્થીઓની પાસ થવાની ટકાવારી 23.53 ટકા ઊંચી હતી.

કોવિડ-19ને લીધે પરિણામો 15 દિવસ મોડાં જાહેર

ગુજરાત બોર્ડન  પેપર તપાસવાની કામગીરી લોકડાઉનને કારણે ખોરંભે ચઢી હતી, પણ સરકારે 26 એપ્રિલથી બોર્ડને પેપર તપાસવાના નિર્દેશ આપ્યા હતા. બોર્ડે 15000 શિક્ષકોને પેપર તપાસવાની કામગીરીમાં લગાડ્યા હતા. 10મા ધોરણનાં પરિણામો કોવિડ-19 રોગચાળાને કારણે 15 દિવસ મોડાં જાહેર થયાં હતા.

 

 

 

 

પંચાંગ 09/06/2020

રાશિ ભવિષ્ય 09/06/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે શાંતિ જાળવવી , ખોટાવિચારો પર કાબુ રાખવો, પાડવા,વાગવાથી સાચવવું, બ્લડપ્રેશરની તકલીફ વાળાએ સાચવવું, કામકાજ અર્થે સહકર્મચારી સાથે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, આકસ્મિક ખર્ચ થઈ શકે છે,  વેપારમાં નાનું કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગ માટે ગેરસમજથી બચવું યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, તમારા કામમાં સારીપ્રતિભા બતાવી શકો અને તેથી તમને કામ કરવાનોનો સંતોષ પણ થાય નવીનકામનું આયોજન થઇ શકે છે, કોઈ સારાસમાચાર સંભાળવા પણ મળી જાય તેવું બની શકે છે, વેપારના કામકાજમાં સારોપ્રતિસાદ મળે અને તેમાં તમે સારી લાગણી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, માનસિકઅશાંતિ જેવું રહે, નાનીનાની વાતમાં ગુસ્સો આવી જાય તેવું બની શકે છે માટે ધીરજ અને શાંતિ રાખવી, ક્યાંક પરાણે કામકરતા હોવ તેવી લાગણી જોવા મળે, વેપારના કામમાં ધીરજ રાખવી સારી, કોઈની દોરવણીથી દોરવાઈને ઉતાવળિયોકે ખોટો નિર્ણયના લેવાય તેવું ધ્યાન રાખવું.


આજના દિવસે કામકાજમાં ઉતાવળ જોવા મળી શકે તેના કારણે તમને કામકાજમાં થોડી અકળામણની લાગણી અનુભવો, મિત્રો,પરિચિતો સાથેના વ્યવહાર તમને થોડા રોમાંચિત અને ઉત્સાહિત રાખે.વેપારના કામકાજમાં થોડી શાંતિ જાળવવી, વડીલવર્ગે આજે કોઈને વણમાંગી સલાહના આપવી ઇચ્છનીય છે.


આજના દિવસે થોડી શાંતિ અને ધીરજનો અભાવ દેખાય, બેદરકારી તમને તકલીફ આપી શકે છે, કોઈની સાથે કામની બાબતે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, વાણીસયમ રાખવો અગત્યનો બને છે, કામસિવાય કોઈની સાથે વધુ વાર્તાલાપના કરવો, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવાની સલાહ છે.


આજનો દિવસ સારો છે, તમને કામબાબત ઉત્સાહ સારો જોવા મળે તેના કારણે કઈક વધુ શીખવાની જીજ્ઞાસા પણ વધે, કામની કદર થાયની લાગણી પણ અનુભવો, તમને ક્યાંક નસીબસાથ આપતું હોય તેવું જણાય વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય,પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.


આજનો દિવસ કામકાજમાં આકસ્મિક વ્યસ્તતા અપાવે તેવો છે, અણધાર્યા કોઈકામ આવી પડે તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, કામની બાબતમાં ક્યાય વાણીવિલાસના થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે, પસંગીની કોઈવાત સંભળાવ પણ મળી જાય, વેપારના કામકાજ નાનુંજ કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, પરિચિતોને મળવાથી તમારો ઉત્સાહ વધે,  મુસાફરીના યોગ ઉભા થઇ શકે છે, સ્પર્ત્ધાત્મકપરીક્ષા આપનાર માટે પોતાના વિષયમાં રૂચી ઓછી અને ઈતરપ્રવૃત્તિમાં  ધ્યાન વધુ રહે તેવું પણ બની શકે છે, વેપારના કામકાજ ઉતાવળિયો નિર્ણયકે જોખમના લેવાઈ જાય તેનું ધ્યાન રાખવું.


આજના દિવસે કામ ટાળવાની અને ઈતરપ્રવૃત્તિ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે છે, તમારી લાગણી કોઈ સમજે નહિ તેવી મનમાં ફરિયાદ રહે અને ક્યાંક તમે કોઈ ગ્યાએ અતિ ગણીશીલ પણ બની જાવ. કોઈ વિચારોની દ્વિધા તમને થોડા નરમ પણ બનાવી શકે છે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહભર્યું છે.


આજનો દિવસ જૂનીયાદોથી ભરપુર બની શકે છે, તમારા મનનું કોઈ કામ પણ થઇ શકે, કોઈ ધાર્મિક પ્રસગમાં જવાના પણ યોગ છે તેમાં તમને ઉત્સાહ અને મનની શાંતિ પણ મળે, તમે કોઈને તેના કામમાં સાથસહકાર પણ આપો અને તેમ કરવાનો સંતોષ પણ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ શાંતિથી પસાર કરવો, બિનજરૂરી કામકાજમાં સમયનો વ્યય થાય, કોઈની દોરવાણીથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું, મુસાફરી કંટાળાજનક અને માનસિકથાક અપાવે, મજાકમસ્તીથી તમે થોડા ઉશ્કેરાઈના જાવ તેનું ધ્યાન રાખવું, વેપારમાં શાંતિથી નિર્ણય લઈ કામ કરવું જરૂરી છે.


આજનો દિવસ સારો છે, તમારું વર્તન અને વ્યવહાર લોકો આગળ સારું જોવા મળે અને તેના દ્વારા તમને ક્યાંક લાભ પણ અપાવી શકે છે. તમે કોઈને તેના કામમાં સહભાગી પણ બનો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ વિષય શીખવામાં સમય વધુ ફાળવવો યોગ્ય છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

આંખો નબળી પડી રહી છે? તો કરો આ ઉપાય

આજના જમાનામાં કોમ્પ્યુટર, મોબાઈલ અને ટીવી જેવા ઉપકરણોનો વપરાશ વધતા આંખની સમસ્યાઓ વધી ગઈ છે. વધતી ઉંમરની સાથે આંખની સમસ્યા થવી સામાન્ય બાબત છે. પણ જ્યારે ઓછી ઉંમરે આ પ્રકારની સમસ્યા થાય તો એ ચિંતાનો વિષય છે. આજે નાના બાળકોને પણ નંબરના ચશ્મા પહેરેલા આપણે જોઈએ છીએ. જો તમારી આંખોની રોશની ધીમે ધીમી ઘટી રહી છે, આંખો નબળી પડી રહી છે તો સમજી લેજો કે તમે યોગ્ય પોષણ યુક્ત ખોરાક નથી લઈ રહ્યાં.

આંખોને સ્વસ્થ રાખવા અને સારી રોશની માટે તમારે વિટામિન ‘એ’, વિટામિન ‘કે’ અને વિટામિન ‘સી’ ની જરૂર પડે છે. તમારે તમારા રોજીંદા ભોજનામાં એવી વસ્તુઓ સામેલ કરવી જોઈએ જેનાથી તમારી આંખોને યોગ્ય પોષણ મળી શકે.

ઘણી વખત લાપરવાહીને કારણે નબળી પડી જાય છે તો ઘણી વખત જેનેટિક સમસ્યાને કારણે પણ આંખોની સમસ્યા થઈ શકે છે. આ સ્થિતિમાં માત્ર દવા લેવી જ પૂરતી નથી, જો ખાવાપીવામાં થોડું ધ્યાન રાખવામાં આવે તો આંખોની રોશની જળવાઈ રહે છે.

વિટામિન-સી

આંખો માટે વિટામિન ‘સી’ ખૂબ જ જરૂરી છે. તમે તમારા ભોજનમાં આંબળા, લીંબુ, સંતરા, કીવી, ટામેટાં, સ્ટ્રોબેરી જેવા ખાટા ફળોનો સમાવેશ કરી શકો છો. આંબળા આંખો માટે વરદાન છે. આંબળાને તમારા ડાયેટમાં જરૂર સામેલ કરો.

લીલા શાકભાજી

જો આંખોના સ્વસ્થ રાખવી હોય તો તમારે ભોજનમાં દરરોજ લીલા પાંદડાવાળા શાકભાજી સામેલ કરવા જોઈએ. લીલા પાંદડાવાળા શાકભાજીમાં લ્યૂટિન અને જીએક્સૈથિન ભરપૂર માત્રામાં હોય છે, જે આંખોની રોશની જાળવી રાખવામાં ખૂબ જ ફાયદાકારક છે. તમે પાલખ, બ્રોકોલી, શિમલા મિર્ચ વગેરે જેવા લીલા શાકભાજીને તમારા ભોજનમાં સ્થાન આપો.

ગાજર

કહેવાય છે કે, દરરોજ એક ગ્લાસ ગાજરનું જ્યૂસ પીવાથી આંખોના ચશ્મા ઉતરી જાય છે. એટલા માટે શિયાળામાં દરરોજ ગાજર કે મિક્સ વેજીટેબલનું જ્યૂસ પીવું જોઈએ. આ ઉપરાંત તમે સલાડમાં ખૂબ ગાજર ખાઓ. ગાજરનું શાક પણ તમે બનાવી શકો છો. આ બધુ આંખો માટે ફાયદાકારક સાબિત થશે.

એલચી

આંખોને સ્વસ્થ રાખવા માટે આંખોને ઠંડક આપવી પણ જરૂરી છે. એના માટે તમે એલચીનો ઉપયોગ કરો. એલચી તમારા શરીરના તાપમાનને સંતુલિત રાખે છે. નિયમિતરૂપે એલચી ખાવાથી આંખોને ઠંડક મળે છે અને આંખોની રોશની વધે છે.

 

અનલોક 1.0માં આ ઉપાયો તમને કોરોનાથી રક્ષણ આપશે

લોકડાઉન વચ્ચે આજથી દેશના અનેક રાજ્યોમાં ધાર્મિક સ્થળો, હોટલ્સ અને શોપિંગ મોલ વગેરે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. કોરોના કાળમાં ઠપ થઈ ગયેલા જનજીવનને ફરી કાર્યરત કરવાનો આ એક પ્રયાસ છે. લોકડાઉનમાં છૂટ આપવી હવે સરકાર માટે પણ મજબૂરી બની ગઈ છે કારણ કે દેશની અર્થવ્યવસ્થાને સ્વસ્થ રાખવી એ પણ સરકારની જવાબદારી છે.

કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યાર તમારા મનમાં સવાલ થતો હશે કે જો કોરોના આટલી ઝડપે ફેલાઈ રહ્યો છે તો સરકાર લોકડાઉનમાં છૂટ શા માટે આપી રહી છે? તો બીજી તરફ એ પણ હકીકત છે કે, આપણે કામ નહીં કરીએ તો ખાવાનો સામાન કયાથી આવશે?

એક વાત આપણે સૌ એ ધ્યાનમાં રાખવી જોઈએ કે, લાંબા સમયથી ચાલી રહેલા લોકડાઉનને કારણે લોકોમાં માનસિક બિમારીઓ, જેમ કે એન્ઝાઈટી, ડિપ્રેશન અને સ્ટ્રેસ વગરે જેવા રોગો વધવા લાગ્યા છે. હજુ પણ લોકોને ઘરમાં લાંબો સમય બંધ રાખવામાં આવશે તો દેશમાં માનસિક રોગી અને આત્મહત્યાના કેસ બંનેમાં વધારો થઈ શકે છે.

કોરોના સંક્રમણને ફેલાતુ રોકવા માટે માસ્ક ખૂબ જ ઉપયોગી છે. લોકડાઉનમાં મળેલી છૂટછાટનો અર્થ એવો બિલકુલ નથી કે, કોરોનાનો ખતરો ટળી ગયો છે. ઘરેથી ઓફિસ અને ઓફિસથી ઘરે જતી વખતે ખૂબ જ સાવધાની સાથે તમામ જવાબદારીઓ પૂર્ણ કરવાની છે. એટલા માટે માસ્કનો ઉપયોગ જરૂર કરો. વધુ માત્રામાં કોરોના વાઈરસને તમારા શ્વાસમાં આવતો અટકાવે છે.

ચશ્મા- થોડા દિવસ પહેલા અમેરિકાની એક આઈ કેર સંસ્થા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, આંખોના માધ્યમથી પણ કોરોના ફેલાઈ શકે છે. સાથે જ સંક્રમિત વ્યક્તિના આંસુને કારણે પણ કોરોના અન્ય લોકોને સંક્રમિત કરી શકે છે. આ સ્થિતિમાં આંખોની સુરક્ષાનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે. આંખોની સુરક્ષા માટે તમે ગોગલ અને આઈ ગ્લાસીસનો ઉપયોગ કરી શકો છો.

સમર કેપ- જ્યારથી કોરોના આઉટબ્રેક થયો છે ત્યારથી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે કે, કોરોના વાળ દ્વારા પણ સંક્રમણ ફેલાવી શકે છે. એટલે કે હવામાં રહેલ કોરોના વાઈરસ તમારા વાળમાં આવે તો આ દરમિયાન તમારા વાળને હાથ લગાવ્યા બાદ ચહેરા પર હાથ લગાવવાથી સંક્રમિત થવાની શક્યતા વધી જાય છે.

આ સમસ્યાના ઉપાય માટે જરૂરી છે કે જ્યારે પણ તમે ઘરની બહાર નિકળો તો માથા પર ટોપી જરૂર પહેરો. રાતે ઘરે પરત ફર્યા પથી ટોપીને પાણીથી ધોઈ નાખો. આ ટોપી તમને કોરોનાના સંક્રમણથી પણ બચાવશે અને તડકાને કારણે થતા ટેનિંગથી પણ.

ગરમ પાણી- ગરમ પાણી આપણી પાચનક્રિયાને તંદુરસ્ત રાખે છે. જમ્યા પછી પાણીની ફુલ તરસ લાગી હોય તો હુફાળું પાણી પીવું જોઈએ. આ ઉપરાંત દિવસમાં બેથી ત્રણ વખત ગરમ પાણીને પીવાથી તે ગળાને પણ સાફ રાખવામાં મદદ કરે છે.

ઉકાળો- ઉકાળો એક આયુર્વેદિક ઉપાય છે. જેને કુદરતી ઔષધિઓની મદદથી તૈયાર કરવામાં આવે છે. ઉકાળો તમે તમારી પસંદ અનુસાર કોઈ હર્બલ પદાર્થ વડે તૈયાર કરી શકો છો. ઉકાળો દિવસમાં બે વખત પીવાથી તમારા શરીરને કોરોનાથી રક્ષણ આપે છે.

યોગ- યોગ એક પ્રાકૃતિક ચિકિત્સા છે. કોરોનાનો ખતરો જોતા જીમ કે પાર્કમાં કસરત કરવા જવું હિતાવહ નથી. એટલા માટે ઘરમાં જ બાલકની કે ધાબા પર દરરોજ યોગ કરો. જો સવારે શક્ય ન હોય તો જ્યારે સમય મળે ત્યારે યોગ કરો. બસ ખાલી એક વાતનું ધ્યાન રાખો કે ભોજન લીધાના 4 કલાક પછી યોગ કરવા.

ધ્યાન- ધ્યાન કે મેડિટેશન આપણા શારીરિક અને માનસિક બંને પ્રકારના સ્વાસ્થય માટે ખૂબ જ લાભકારી છે. લાંબ સમયથી ઘરમાં બંધ રહેવા અને કામ તેમજ મિત્ર-સગા કે સંબધિઓથી દૂર રહેવાથી અનિદ્રા, તણાવ અને નિરાશા જેવી માનસિક બિમારીઓથી બચવા ધ્યાન એક કારગર ઉપાય છે.