Home Blog Page 4579

૧૪ નવેમ્બર ૨૦૨૦

૧૪ નવેમ્બર ૨૦૨૦

રાશિ ભવિષ્ય 14/11/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમાં મિલન મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવે તો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસ થઈ શકે છે, વેપારમાં નાનું કામ કરવુ જ યોગ્ય છે ,વડીલવર્ગે બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું.


આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસ કરીને વાણી સયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, ડાયાબીટીસના દર્દી એ થોડી તકેદારી રાખવી, વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવું, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય.


આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુર્વાક્નુજ કામ કરવુ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં શાંતિ રાખવી અને તેમના કામમાં સહકાર આપવો યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈ જૂની ઓળખાણ તાજી થાય, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કોઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહભર્યું છે.


આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યાકામ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજનનો સાથ તમને કોઈ કામમાં જોવા પણ મળી શકે છે, યુવાવર્ગ માટે પોતાની પસંદગીની કોઈવાત ક્યાંક રજુ કરવાની હોય તેમાં પણ તક દેખાઈ શકે છે, વેપારના કામકાજમાં લાભ મળી શકે તેવા યોગ પણ છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગ ક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસ પણ થઈ શકે છે, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બની શકે છે, તમારી કરેલી મહેનતનું ફળ સારું મળે, યુવાવર્ગને અન્યનો સાથસહકારકે માર્ગર્દર્શન સારું મળવાથી કામ પ્રત્યે ઉત્સાહ સારો જોવા મળે, વેપારમાં કોઈ લાભની વાત જાણવા મળે તેવા યોગ છે.


આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, વડીલવર્ગને માનસિકથાકની લાગણી વધુ લાગે તેવું બની શકે છે, ઉતાવળ અને ઉશ્કેરાટથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનુંજ કામ કરવું યોગ્ય છે, ક્યાય કોઈની સાથે ગેરસમજના થાય તેબાબત તકેદારી રાખવી સારી કહી શક્ય.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મક વિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો, કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજનબદ્ધ કામકરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી કામ કર્યાનો સારો સંતોષ થાય.

મહારાણી જેવો ઠસ્સો હતો વીણાનો

આપણે જેમને અભિનેત્રી વીણા તરીકે ઓળખીએ છીએ એ તાંજૌર સુલતાનાનું ૧૬ વર્ષ પહેલા ૧૪ નવેમ્બર, ૨૦૦૪ના રોજ મુંબઈમાં નિધન થયું હતું. ઇસ્લામિક પરિવેશની અને ખાસ કરીને શાહી અંદાજની ફિલ્મોમાં વીણાજી ભારે ઠસ્સાથી અભિનય કરતા.

એમના વિશે આપણી પાસે બહુ જાણકારી મળતી નથી, પણ આ સક્ષમ અભિનેત્રીએ ૭૦થી વધુ ફિલ્મોમાં વિવિધ ભૂમિકાઓ ભજવી છે. ખાસ કરીને મહારાણી, રાજકુમારી કે બેગમની ભૂમિકાઓ માટે એ નિર્માતા-દિગ્દર્શકની પહેલી પસંદ બની રહેતા.

વીણાજીનો જન્મ ૪ જૂલાઈ, ૧૯૨૬ના રોજ બલુચિસ્તાનના ક્વેટામાં થયો. ક્વેટામાં જન્મી પછી એમનો પરિવાર લાહોરની ચુના મંડીમાં આવીને વસ્યો હતો. ૧૯૪૨થી ૧૯૮૩ સુધી, લગભગ ચાર દાયકા સુધી, એ અભિનય કરતા રહ્યા. અભિનેતા અલ નસીર સાથે ૧૯૪૭માં એમણે નિકાહ પઢ્યા હતા અને એમને બે બાળકો હતા.

૧૯૪૨ની ઉર્દૂ ફિલ્મ ‘ગરીબ’ અને મેહબૂબ ખાન નિર્દેશિત પંજાબી ફિલ્મ ‘ગાવંધી’ જેવી ફિલ્મોમાં માત્ર ૧૬ વર્ષની ઉંમરે વીણાજીએ હિરોઈન રૂપે ફિલ્મી પડદા પર પગરણ માંડ્યા. દેશના ભાગલા પછી એમણે ભારતમાં રહેવાનું પસંદ કર્યું અને એમને એ કરિયરમાં ફળ્યું પણ ખરું. એમની કેટલીક જાણીતી ફિલ્મોમાં ‘હાલાકુ’, ‘ચલતી કા નામ ગાડી’, ‘કાગઝ કે ફૂલ’, ‘તાજ મહાલ’, ‘દો રાસ્તે’ અને ‘પાકીઝા’ નો સમાવેશ થાય છે.

‘હુમાયુ’માં રાજકુમારી, ‘અફસાના’માં મીરાં, ‘હાલાકુ’માં મહારાણી, ‘કાગઝ કે ફૂલ’માં વીણા વર્મા, ‘તાજ મહાલ’માં મલ્લિકા-એ-આલમ નૂરજહાં, ‘સિકંદર-એ-આઝમ’માં સિકંદરના માતા, ‘પાકીઝા’માં નવાબ જાન, ‘મેરે ગરીબ નવાઝ’માં બેગમ બેગ, ‘ઝીલ કે ઉસ પાર’માં રાણી મા, ‘ફાઈવ રાઈફલ’મા મહારાણી, ‘શતરંજ કે ખિલાડી’મા ક્વિન મધર જેવી ભૂમિકાઓ એમણે સુપેરે અદા કરી છે.

એમની અભિનય યાત્રા છેક ‘રઝીયા સુલતાન’ (૧૯૮૩) સુધી ચાલુ રહી, જેમાં એ બેગમ શાહ તુરખાન રૂપે દેખાયા હતા. એ પછી વીણાજીએ ફિલ્મોમાંથી નિવૃત્તિ લીધી હતી. નિવૃત્તિના ૨૧ વર્ષ પછી વીણાજી લાંબી માંદગી ભોગવીને ૭૮ વર્ષની ઉમરે જન્નતનશીન થયા હતા.

(નરેશ કાપડીઆ-સુરત)

પંચાંગ 14/11/2020

(મયંક રાવલ)

વેજ બ્રેડ મન્ચુરિયન

દિવાળીનો મૂડ છે, સાથે કામ પણ ઘણું છે. કંઈક ચટપટો પણ ઝટપટ નાસ્તો બનાવવો છે. તો બ્રેડ મન્ચુરિયન સરસ રહેશે!

સામગ્રીઃ

  • બ્રેડની સ્લાઈસ 5-6 (બ્રાઉન બ્રેડ પણ લઈ શકો છો)
  • 1 કાંદો
  • 1 સિમલા મરચું
  • 1 ટમેટું
  • એક લીલું મરચું ગોળ સુધારેલું
  • 1 ટે. સ્પૂન આદુ-લસણ એકદમ ઝીણાં સુધારેલા
  • 1 ટે. સ્પૂન શેઝવાન સોસ
  • 1 ટે. સ્પૂન સોયા સોસ
  • 1 ટી. સ્પૂન વિનેગર
  • ½ ટી.સ્પૂન કાશ્મિરી લાલ મરચાં પાવડર
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 ટે. સ્પૂન ટમેટો કેચઅપ
  • 1 ટે.સ્પૂન તેલ
  • 1 ટે.સ્પૂન ઘી

રીતઃ બ્રેડની કિનારી કટ કરી લો અને દરેક બ્રેડને ચાર ટુકડામાં કટ કરી લો. એક નોન-સ્ટીક તવામાં થોડું તેલ અથવા ઘી નાખીને ગેસ પર ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ મધ્યમ કરી લો. એમાં બ્રેડના ટુકડા શેકવા મૂકો. બ્રેડના ટુકડાની એક સાઈડ સોનેરી રંગની ક્રિસ્પી થાય એટલે બધાને પલટાવીને બીજી સાઈડથી પણ સોનેરી રંગના શેકી લો. હવે આ ટુકડાને એક થાળીમાં કાઢી લો.

કાંદા, સિમલા મરચું તેમજ ટમેટાને લાંબી પાતળી ચીરીમાં અથવા ચોરસ સુધારી લો.

ગેસ પર એક ફ્રાઈ પેનમાં 1 ટે.સ્પૂન તેલ ગરમ કરી તેમાં કાંદો ઉમેરીને 2-3 મિનિટ માટે સાંતડો. ત્યારબાદ તેમાં ઝીણાં સુધારેલા આદુ-લસણ સાંતડો. 1 મિનિટ બાદ સિમલા મરચા, લીલું મરચું ઝીણું સમારેલું તેમજ ટમેટાની સ્લાઈસ પણ ઉમેરી દો. વેજીટેબલ્સને બહુ લાલ સાંતડવાની જરૂર નથી. થોડા નરમ થાય એટલે તેમાં શેઝવાન સોસ, સોયા સોસ તેમજ વિનેગર મિક્સ કરી દો. મરચું પાવડર તેમજ ટમેટો કેચઅપ મિક્સ કરીને 2 મિનિટ બાદ ગેસ બંધ કરીને બ્રેડના ટુકડા તેમાં મિક્સ કરી લો. (તમારે કોઈપણ સોસ ન નાખવા હોય તો ફક્ત ટમેટો કેચઅપ ચાલે અને એ પણ ન નાખવું હોય તો સુધારેલા ટમેટા સાંતડીને નાખશો તો ય ચાલશે.)

બ્રેડનો આ નાસ્તો તૈયાર થાય એટલે તરત પીરસવો.

BSEએ ધનતેરસે ટોચનાં બુલિયન એસોસિયેશન્સ સાથે MOU કર્યા

મુંબઈઃ BSEએ ધનતેરસના પાવન દિને મહારાષ્ટ્રના સાંગલી અને યવતમાળ, પંજાબના અમૃતસર અને ગુજરાતનાં અમદાવાદ સ્થિત અગ્રણી બુલિયન એસોસિયેશન્સ સાથે સમજૂતી કરાર (MOU) કર્યા છે. આમાં સાંગલી સરાફા એસોસિયેશન, યવતમાળ સરાફા એસોસિયશન, અમૃતસર સરાફા એસોસિયેશન, શ્રી ચોકસી મહાજન એસેસિયેશન અને જેમ્સ એન્ડ જ્વેલરી ટ્રેડ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા સાથેના સમજૂતી કરારનો સમાવેશ થાય છે. આ એસોસિયેશન્સના કુલ 2200 મેમ્બર્સ છે, જેઓ સોના-ચાંદીના રિટેલ વેચાણ સાથે સંકળાયેલાં છે.

આ MOUનો હેતુ બીએસઈ અને ફિઝિકલ માર્કેટ્સનું પ્રતિનિધિત્વ કરતાં ટ્રેડ એસોસિયેશન્સ વચ્ચે વિચાર, શિક્ષણ અને તાલીમ તેમ જ જ્ઞાનના આદાનપ્રદાનનો છે. આ જોડાણ દ્વારા બીએસઈ બુલિયન ટ્રેડર્સ માટે રિસ્ક મેનેજમેન્ટ સંબંધિત જાગૃતિ માટેના કાર્યક્રમ યોજશે.

દેશભરનાં ટ્રેડ એસોસિયેશન્સ સાથે હાથ મિલાવવાને પગલે દેશમાં યોગ્ય પ્રોડક્ટ્સ સર્જવા માટેનું કૌશલ સર્જાશે, બુલિયનની ફિઝિકલ માર્કેટમાં જરૂરી એવું નેટવર્ક સર્જાશે અને સ્થાનિક ડેરિવેટિવ્ઝ માર્કેટ્સમાં પારદર્શિતા વધશે, એમ BSEના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું હતું. આ જોડાણથી ટ્રેડિંગ, હેજિંગ અને ડિલિવરી લેનારાઓ એમ સર્વ સહભાગીઓને લાભ થશે એમ તેમણે ઉમેર્યું હતું.

બજેટ-2021 માટે નાણાંપ્રધાને નિષ્ણાતો પાસેથી સૂચનો મગાવ્યાં

નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2021-22 માટેના કેન્દ્રીય બજેટને પ્રભાવશાળી અને લોકકલ્યાણકારી બનાવવા માટે નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કોરોના વાઇરસના પ્રકોપની વચ્ચે આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે વિવિધ સંસ્થાઓ અને નિષ્ણાતો પાસેથી સૂચનો મગાવ્યાં છે. બજેટ પહેલાં વિવિધ ત્રિમાસિક ગાળામાં વિવિધ ફોર્મેટમાં સૂચનો મળ્યા છે અને વિવિધ સંસ્થાઓ અને નિષ્ણાતો પાસેથી સલાહ-સૂચનો મેળવવા માટે એક અલગ ફોર્મેટમાં સૂચનો મગાવ્યાં છે અને વિવિધ વિભાગો અને સંસ્થાઓ તરફથી સલાહસૂચનો મગાવવા માટે મંત્રાલય દ્વારા ઈમેઇલ પણ બનાવવામાં આવ્યા છે, એમ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે.

નાણાં મંત્રાલય વર્ષોથી નોર્થ બ્લોકમાં બજેટ તૈયાર કરતાં પૂર્વે ઉદ્યોગ, કોમર્સ એસોસિયેશન્સ, વેપારની સંસ્થાઓ અને નિષ્ણાતોને વાર્ષિક બજેટ માટે વિચારવિમર્શ કરવા માટે એક આયોજન કરે છે, પણ આ વખતે રોગચાળાને કારણે મંત્રાલયને વિવિધ પ્રકારના સૂચનો મળ્યાં છે. સરકારને MYGov પ્લેટફોર્મ પર એક ઓનલાઇન પોર્ટલ પણ શરૂ કર્યું છે, જે બજેટ માટે સૂચનો પ્રાપ્ત કરવા માટે 15 નવેમ્બર, 2020એ લાઇવ હશે. સામાન્ય જનતાને બજેટ 2021-22 માટે પોતાના વિચારો રજૂ કરવા માટે MYGov પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ પોર્ટલ 30 નવેમ્બર, 2020 સુધી ખુલ્લું રહેશે.

વિવિધ સંસ્થાઓએ, સામાન્ય જનતાએ અને નિષ્ણાતોએ મોકલાવેલા સૂચનોનો સંબંધિત મંત્રાલયો-વિભાગો દ્વારા અભ્યાસ કરવામાં આવશે. જો જરૂરી હોય તો વ્યક્તિગત રૂપે ઇમેઇલ-મોબાઇલ નંબરથી સંપર્ક પર શકાશે. રજિસ્ટ્રેશન સમયે તેમના દ્વારા આપવામાં આવેલાં સૂચનો પર સ્પષ્ટીકરણ પ્રાપ્ત થઈ શકે.

ભારતનો જડબાતોડ જવાબઃ પાકિસ્તાનના 7 સૈનિક ઠાર

શ્રીનગરઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરમાં અંકુશ રેખા પર ભારત તરફથી કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી વગર યુદ્ધવિરામની શરતનું ઉલ્લંઘન કરવાનું પાકિસ્તાનને બહુ ભારે પડી ગયું છે. ભારતીય સેનાએ આપેલા જડબાતોડ જવાબવાળા ગોળીબારમાં એના સાત સૈનિક ઠાર મરાયા છે. ભારતીય લશ્કરે દુશ્મનોના અનેક થાણા, ટેરર લોન્ચ પેડ્સ અને બળતણ/દારૂગોળાની વખારનો નાશ કરી નાખ્યો છે.

આ કાર્યવાહી દરમિયાન અને પાકિસ્તાને કરેલા હુમલામાં ભારતે પણ ત્રણ સૈનિકને ગુમાવ્યા છે. પાકિસ્તાન લશ્કરનો બદઈરાદો એના ટેરર લોન્ચ પેડ્સ મારફત ભારતમાં ત્રાસવાદીઓને ઘૂસાડવાનો હતો. ભારતના વળતા હુમલામાં પાકિસ્તાને બે એસએસજી કમાન્ડોને ગુમાવ્યા છે અને એના 10-12 સૈનિકો ઘાયલ પણ થયા છે.

ભારતીય લશ્કરે અંકુશ રેખાથી 200 કિ.મી. પાર પાકિસ્તાન લશ્કરે ઊભા કરેલા લોન્ચ પેડ્સ, સૈન્ય બંકર્સ અને ફ્યુઅલ વખાર પર જોરદાર તોપમારો કરીને એ બધાયનો નાશ કરી નાખ્યો છે. ભારતીય સેનાએ તેની આ કાર્યવાહીના વિડિયો પણ રિલીઝ કર્યા છે.

માથેરાનની ટોય-ટ્રેન વધુ 4 ફેરી કરશે

મુંબઈઃ અહીંથી આશરે 100 કિ.મી. દૂર અને પડોશના રાયગડ જિલ્લામાં આવેલા હિલ સ્ટેશન માથેરાનની ટોય-ટ્રેન પર્યટકો માટે આકર્ષણનું મોટું કેન્દ્ર છે. આ નેરો ગેજ લાઈન પરની ટ્રેન સેવા મધ્ય રેલવે દ્વારા સંચાલિત છે. ટ્રેન આમ તો જમીન પરના નેરલ સ્ટેશનેથી પહાડ પર આવેલા માથેરાન સુધી જાય છે. પરંતુ મધ્ય રેલવેએ આ મહિનાની શરૂઆતમાં માથેરાન અને અમન લોજ વચ્ચે આ શટલ ટ્રેન સેવા શરૂ કરી છે. પર્યટકોના વધારાના ધસારાને પહોંચી વળવા માટે આ ટ્રેન સપ્તાહાંતના દિવસોએ અમન લોજ-માથેરાન વચ્ચે વધારાની ચાર ફેરી કરશે.

કોરોના વાઈરસ રોગચાળાના નિયંત્રણોને કારણે સાત મહિના પછી આ રમકડાં-ટ્રેન સેવા ફરી શરૂ કરવામાં આવી છે.

માથેરાનથી આ ટ્રેન સવારે 10.20 વાગ્યે અને બપોરે 3.10 વાગ્યે ઉપડશે જ્યારે અમન લોજથી સવારે 10.45 વાગ્યે અને બપોરે 3.35 વાગ્યે ઉપડશે.  અમન લોજ સ્ટેશન દસ્તુરી નાકા પાસે આવેલું છે અને ત્યાંથી માથેરાન સુધી વાહનોને જવા દેવામાં આવતા નથી. 1907ની સાલમાં શરૂ કરાયેલી નેરલ-માથેરાન ટ્રેન યૂનેસ્કો સંસ્થાની ‘વિશ્વના હેરિટેજ સ્થળો’ની યાદીમાં સામેલ છે.

“શાંતિ  બિઝનેસ સ્કૂલ”માં ઓનલાઇન ફ્રેશર્સ પાર્ટી યોજાઈ

અમદાવાદઃ ગુજરાતની અગ્રગણ્ય બિઝનેસ મેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ “શાંતિ  બિઝનેસ સ્કૂલ”માં ફર્સ્ટ યર સ્ટુડન્ટ્સના સ્વાગત માટે સિનિયર વિદ્યાર્થીઓએ ફ્રેશર્સ પાર્ટી “શહેર 2020” નું ઓનલાઇન આયોજન કર્યું હતું. આ વર્ષે  ફ્રેશર્સ પાર્ટીની થિમ “26 ટોન્સ” રાખવામાં આવી હતી.

આ થિમ પ્રમાણે વિદ્યાર્થીઓએ પોતાના પોશાકનો કલર પોતાના નામ અથવા સરનેમના પ્રથમ મૂળા અક્ષરથી શરૂ થતા કલર પ્રમાણે પસંદ કરવાનો હતો.
આ ફ્રેશર્સ પાર્ટીમાં “શાંતિ  બિઝનેસ સ્કૂલ”ના સિનિયર વિદ્યાર્થીઓએ વિવિધ કાર્યક્રમો જેવા કે “હુન્નરમંદ( ધ ટેલેન્ટ રાઉન્ડ), આગકા દરિયા (ધ રેપિડ ફાયર રાઉન્ડ), અબ યહ કર કે દિખાઓ (ધ ગ્રલિંગ  સેશન), આખરી પડાવ” વગેરેનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમા નવા પ્રવેશ મેળવેલા અને સિનિયર સહિત લગભગ  300 વિદ્યાર્થીઓએ ઓનલાઇન ભાગ લીધો હતો.