Home Blog Page 4524

રાજકોટ સીવિલની કે.ડી ચિલ્ડ્રન હોસ્પિટલમાં વધુ 3 બાળકોના મોત

રાજકોટઃ સિવિલ હોસ્પિટલમાં આવેલી કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં ડિસેમ્બર મહિનામાં 111 બાળકોના મોત નીપજ્યા હતા. ત્યારબાદ જાન્યુઆરી મહિનાના પ્રથમ પાંચ દિવસમાં વધુ 13 બાળકોના મોત નીપજ્યા હતા. જ્યારે છેલ્લી એક રાતની અંદર વધુ 3 બાળકો મોતને ભેટ્યા છે. અને વધુ બે બાળકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આથી બાળકોના મોતનો સિલસિલો યથાવત છે. કોઇ અઇચ્છનીય બનાવ ન બને તે માટે હોસ્પિટલની બહાર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મીડિયાને અંદર જવા દેવામાં આવતું નથી તેમજ બાળકોના મોત અંગેની માહિતી છૂપાવવામાં આવી રહી છે.

સિવિલ હોસ્પિટલ બાળકોના મોતને રોકવામાં નિષ્ફળ સાબિત થઇ રહી છે. ગઇકાલે પોતાના બાળકો મોતને ભેટશે તેવા ડરથી 51 પરિવારો પોતાના બાળકોને લઇને જતા રહ્યા હતા. NICUમાં બાળકોની ક્ષમતા અને સાર સંભાળ રાખી શકવાની કોઇ વ્યવસ્થાના અભાવે બાળકો મોતને ભેટી રહ્યા છે. 2019ના વર્ષમાં રાજકોટમાં 1235 બાળકો મોતને ભેટ્યા હતા.

ડો.રાકેશ પટેલના જણાવ્યા અનુસાર એનઆઈસીયુમાં દોઢ કિલો વજનનું બાળક આવે એટલે નક્કી કરેલો પ્રોટોકોલ હોય છે જેમાં ઈન્ફેક્શન કંટ્રોલ, હાઈપોથર્મિયા પ્રિવેન્શન તેમજ ન્યૂટ્રિશિયન કેર છે, આ બધુ ગર્ભમાં બાળકને મળે છે અને તેથી જ એનઆઈસીયુમાં બાળકને માતાના પેટમાં હોય તે રીતે સાચવવાનું હોય છે. આ બધે સરખા જ હોય છે. ફરક એટલો કે તેમની હોસ્પિટલમાં દર બે નવજાતે એક નર્સ હોય છે, એક નર્સ ઈમરજન્સી માટે હોય છે. 3 મેડિકલ ઓફિસર અને એક કો-ઓર્ડિનેટર ફરજ બજાવી રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ રાખે છે. જેથી દર મહિને માત્ર 1થી 2 ટકા જ મૃત્યુદર જળવાય છે. ડો. યજ્ઞેશ પોપટે જણાવ્યું કે, બાળકના પલ્સ અને શ્વાસ સતત ચકાસાય છે, વોર્મરમાં શરીરનું તાપમાન જાળવી રખાય છે તેમજ માતાનું દૂધ 1-1 એમએલ ગણીને દેવાય છે જેથી બાળકને નુકસાન ન કરે. જો ઈન્ફેક્શનની શંકા હોય તો સાથે સાથે તે પણ કરવું પડે.

બીજી તરફ રાજકોટની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં 54 બાળક 45 વોર્મરમાં રખાય છે. બે બાળકો દીઠ એક નર્સ તો દૂર સિવિલ પાસે માત્ર 35 નર્સ છે જેમાં વળી અલગ અલગ શિફ્ટમાં કામ કરે છે જેથી દર દસ બાળકે એક નર્સ રહે છે. આ નર્સ એક બાળકને જૂએ અને 10માં બાળક સુધી પહોંચવામાં ખાસ્સો સમય વીતી જાય છે. મેડિકલ ઓફિસર માત્ર એક જ છે જ્યારે બાકીની જવાબદારી 6 રેસિડેન્ટ ડોક્ટર પર છોડી દીધી છે જે શીખવા માટે કામ કરે છે અને અનુભવહીન છે. એક જ સિનિયર રેસિડેન્ટ છે તેમજ એચઓડી સહિત માત્ર એક ફેકલ્ટી જે વહીવટી કામોમાંથી ઊંચા નથી આવતા. આ કારણોથી જ મૃત્યુદરમાં મસમોટો તફાવત છે.

મુંબઈમાં ‘ફ્રી કશ્મીર’ પ્લેકાર્ડ સાથેની યુવતીનો વિવાદ…

દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની ગયા રવિવારે કરાયેલી મારપીટ સામે મુંબઈમાં 6 જાન્યુઆરી, સોમવારે રાતે દક્ષિણ મુંબઈસ્થિત ગેટવે ઓફ ઈન્ડિયા સ્મારક ખાતે લોકોએ દેખાવો કર્યા હતા. એ વખતે એક યુવતી ‘ફ્રી કશ્મીર’નું વિવાદાસ્પદ પ્લેકાર્ડ પકડીને ઊભેલી જોવા મળી હતી. પોલીસે બાદમાં દેખાવો કરનાર તમામ લોકોને ત્યાંથી હટાવીને આઝાદ મેદાન ખાતે શિફ્ટ કર્યા હતા.

પોલીસ અધિકારી (ડીસીપી-ઝોન-1) સંગ્રામસિંહ નિશાનદારે કહ્યું કે, ગેટવે ઓફ ઈન્ડિયા ખાતેના દેખાવો વખતે જોવા મળેલા ‘ફ્રી કશ્મીર’ પોસ્ટરની પોલીસે ગંભીર નોંધ લીધી છે. અમે ચોક્કસપણે એમાં તપાસ કરીશું.

દીપિકાએ એસિડ હુમલાની પીડિતાઓ સાથે બર્થડે ઉજવ્યો…

ગઈ પાંચ જાન્યુઆરીએ બોલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણનો 34મો જન્મદિવસ હતો. એ દિવસ એણે અંગત રીતે કોઈ મોટી ધામધૂમથી ઉજવ્યો નહોતો, પરંતુ લખનઉમાં એસિડ હુમલાઓનો શિકાર બનેલી યુવતીઓ સાથે મળીને જન્મદિવસની ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે દીપિકા તેની નવી ફિલ્મ ‘છપાક’માં વાસ્તવિક જીવનમાં એસિડ હુમલાનો શિકાર બનેલી યુવતી લક્ષ્મી અગ્રવાલનો રોલ કરી રહી છે. લક્ષ્મી અગ્રવાલ લખનઉમાં તેનાં જેવી એસિડ હુમલાની પીડિત યુવતીઓ સાથે મળીને એક કેફે ચલાવે છે. લખનઉમાં બર્થડે ઉજવણી પ્રસંગે દીપિકાની સાથે એનો અભિનેતા પતિ રણવીર સિંહ પણ હતો. મેઘના ગુલઝાર દિગ્દર્શિત ‘છપાક’ ફિલ્મ 10 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.

લક્ષ્મી અગ્રવાલ અને એની પુત્રી સાથે દીપિકા

મોદીએ ટ્રમ્પને ફોન કરી નવા વર્ષની શુભેચ્છા આપી; દ્વિપક્ષી સંબંધો વિશે વાતચીત કરી

નવી દિલ્હી – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે રાતે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કર્યો હતો અને એમને નવા વર્ષ 2020ના આરંભ નિમિત્તે શુભેચ્છા આપી હતી.

મોદીએ ટ્રમ્પ, એમના પરિવાર તથા અમેરિકાની જનતાને માટે શુભેચ્છા વ્યક્ત કરી હતી.

ટ્રમ્પે પણ ભારતની જનતાને નવા વર્ષ માટે સમૃદ્ધિ અને પ્રગતિની શુભેચ્છા આપી હતી.

ભારત સરકારે બહાર પાડેલા નિવેદન અનુસાર, વડા પ્રધાન મોદીએ ફોન કરીને ટ્રમ્પ સાથે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં છેલ્લા અમુક વર્ષોમાં કેટલી મજબૂતી આવી છે અને વ્યૂહાત્મક ભાગીદારી કેટલી બધી ગાઢ બની છે તે વિશે વાતચીત કરી હતી.

પ્રમુખ ટ્રમ્પ સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખવા તથા પરસ્પર હિતનાં વિસ્તારોમાં સહકાર વધારવાની ઈચ્છા પણ વડા પ્રધાન મોદીએ વ્યક્ત કરી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પે છેલ્લા અમુક વર્ષોમાં ભારત-અમેરિકાના સંબંધોમાં હાંસલ કરવામાં આવેલી સિદ્ધિઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને દ્વિપક્ષી સહકારને વધારે ગાઢ બનાવવાની એમની તૈયારીનો પુનરોચ્ચાર કર્યો હતો.

હવે રાષ્ટ્રપતિ પદ માટે શરદ પવારના નામની ચર્ચા શરૂ થઇ છે

નવી દિલ્હીઃ શિવસેનાના નેતા સંજય રાઉતે એક નિવેદનમાં જણાવ્યું છે કે એનસીપી પ્રમુખ શરદ પવારના નામ પર 2022 ની રાષ્ટ્રપતિ ચૂંટણી માટે તમામ રાજનૈતિક દળો દ્વારા વિચાર કરવામાં આવવો જોઈએ. રાઉતે દાવો કર્યો કે 2022 સુધી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારનો નિર્ણય કરવા માટે અમારી પાસે પર્યાપ્ત સંખ્યા હશે. પવારે તાજેતરમાં મહારાષ્ટ્રમાં પોતાની પાર્ટી સાથે ગઠબંધનમાં સરકાર બનાવવા માટે કોંગ્રેસ અને શિવસેનાને એક સાથે લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. મીડિયા સાથે વાત કરતા રાઉતે કહ્યું કે, શરદ પવાર દેશના એક વરિષ્ઠ નેતા છે. મને લાગે છે કે રાષ્ટ્રપતિ પદ માટે તમામ રાજનૈતિક દળોને તેમના નામ પર વિચાર કરવો જોઈએ. રાષ્ટ્રપતિ પદ માટે વર્ષ 2022 માં ચૂંટણી યોજાશે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ચાર વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે કામ કરી ચૂકેલા પર અન્ય રાજનૈતિક દળોના મત મામલે રાઉતે કહ્યું કે, તેમણે પવારના નામનો માત્ર પ્રસ્તાવ રાખ્યો છે. રાજ્યસભા સદસ્ય રાઉતે કહ્યું કે, મને લાગે છે કે અન્ય રાજનૈતિક દળ રાષ્ટ્રપતિ પદ માટે કોઈ અન્ય ઉમેદવારને પણ પ્રસ્તાવિત કરી શકે છે. 2022 સુધી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારનો નિર્ણય કરવા માટે અમારી પાસે પર્યાપ્ત સંખ્યા હશે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ વાળી મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકારમાં પવારની પાર્ટીને ગૃહ અને નાણા સહિતના મંત્રાલયે મળ્યા છે.

જેએનયૂ મામલે પવારે ટ્વીટ કરીને કહ્યું કે, જેએનયૂના વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલો હુમલો પહેલાથી જ સમજી વિચારીને કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે લોકતાંત્રિક મૂલ્યોને દબાવવા માટે હિંસાનો ઉપયોગ કારગર સાબિત નથી થાય. પવારની ટિપ્પણી એવા સમયે આવી છે કે જ્યારે તેમની પાર્ટીના મંત્રી જિતેન્દ્ર અવહાદ ગેટ વે ઓફ ઈન્ડિયા પર હિંસા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓનો સાથ આપવા માટે પહોંચ્યા.

પવારે કહ્યું કે, આ હુમલો પ્લાનિંગ સાથે કરવામાં આવ્યો છે. હું હિંસા અને તોડ-ફોડની આ અલોકતાંત્રિક છે અને આ ઘટનાની હું કડક શબ્દોમાં નિંદા કરું છું. લોકતાંત્રિક મૂલ્યો અને વિચારોને દબાવવા માટે હિંસાનો ઉપયોગ સાચો સાબિત નહી થાય.

સ્માર્ટફોન વેચતા દુકાનદારોની ય હવે હડતાલ!: ઓનલાઇન વેચાણ સામે વિરોધ

નવી દિલ્હી: સ્માર્ટફોન ઈન્ડસ્ટ્રીઝમાં ઓનલાઈન શોપિંગનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે, કારણ કે, અહીં મળતી ઓફર્સ અને ઓછી કિંમતો ગ્રાહકોને પોતાના તરફ આકર્ષિત કરી રહી છે. જેની વિપરીત અસર સ્માર્ટફોનની ઓફલાઈન માર્કેટ પર પડી છે, ઓફલાઈન માર્કેટ તરફ ગ્રાહકોનું આકર્ષણ ઘટયું છે. એજ કારણે ઓફલાઈન રિટેલર્સનું અસ્તિત્વ ખોવાવા લાગ્યું છે અને હવે તે આજ અસ્તિત્વને બચાવવા લડી રહ્યા છે. મોબાઈલ પ્રોડક્ટ ઓનલાઈન એક્સક્લૂસિવ ન રહે એ માટે 8 જાન્યુઆરીએ ઓલ ઈન્ડિયા મોબાઈલ રિટેલર્સ એસોસિએશન (AIMRA) એ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે.

AIMRA એ તેમના ફેસબુક એકાઉન્ટ મારફતે દેશભરના મોબાઈલ રિટેલર્સને આગામી 8 જાન્યુઆરીએ દિલ્હીના રામલીલા મેદામાં એક્ઠા થવા કહ્યું છે. એસોસિએશનનું કહેવું છે કે, ઓનલાઈન અને ઓફલાઈન પ્લેટફોર્મ પર કોઈપણ સ્માર્ટફોન એક સરખી કિંમત અને ઓફર સાથે મળવો જોઈએ.

મહત્વનું છે કે, મોબાઈલ ખરીદદારી માટે ઓનલાઈ પ્લેટફોર્મની વધતી જતી લોકપ્રિયકા અને માંગને કારણે ઓફલાઈ રિટેલર્સને બિઝનેસમાં મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખતા 8 જાન્યુઆરીએ દેશભરના મોબાઈલ સ્ટોર્સને બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે જેથી AIMRA તેમની માંગો સરકાર સામે રાખી શકે. આ પ્રદર્શનમાં દેશભરમાંથી લગભગ ત્રીસ હજાર મોબાઈલ રિટેલર્સ રામલીલા મેદાન ખાતે એક્ઠા થાય તેવી શક્યતા છે.

મહત્વનું છે કે, આજે મોટાભાગના સ્માર્ટફોન ઓનલાઈન સ્ટોર્સ પર એક્સક્લૂસિવ ઉપલબ્ધ હોય છે અને તેની ખરાબ અસર ઓફલાઈન રિટેલર્સ પર પડે છે. આ ઉપરાંત ઓનલાઈન પ્લેટફોર્મ પર ગ્રાહકો સ્માર્ટફોનને ડિસ્કાઉન્ટ અને અનેક આકર્ષક ઓફર્સ સાથે ખરીદી શકે છે. ખાસ કરીને ડેબિટ કે ક્રેડિટ કાર્ડ પર ઈએમઆઈની ઓફર્સ. આ સ્થિતિમાં ગ્રાહકો ઓફલાઈનને બદલે ઓનલાઈન પ્લેટફોર્મ પરથી મોબાઈલની ખરીદી કરવી વધુ પસંદ કરે છે. આ કારણે ઓફલાઈન રિટેલર્સને નુકસાન થઈ રહ્યું છે. હવે ઓફલાઈન મોબાલઈ સ્ટોર્સ રિટેલર્સની માંગ છે કે, ભારતમાં લોન્ચ થતો કોઈપણ સ્માર્ટફોન ઓનલાઈનની સાથે ઓફલાઈન સ્ટોર્સ પણ ઉપલબ્ધ હોય અને સાથે બંને પ્લેટફોર્મ પર ગ્રાહકોને એક સરખી કિંમત અને ઓફર્સની સુવિધા મળે.

નેશનલ હેરાલ્ડ કેસ મામલે વધુ સુનાવણી 17 માર્ચે

નવી દિલ્હીઃ  નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા ઈન્કમ ટેક્સ મામલે સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે 17 માર્ચની તારીખ આપી છે. મામલામાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને ઓસ્કર ફર્નાન્ડીસે અરજી દાખલ કરી છે. કોર્ટ દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના કર આકલનને ચાલુ રાખવા માટે આવકવેરા વિભાગને મંજૂરી આપી દેવામાં આવી છે. કોર્ટે કહ્યું હતું કે આવતા આદેશ સુધી આવકવેરા વિભાગ કાર્યવાહી નહી કરી શકે.

આમાં આવકવેરા વિભાગે વર્ષ 2011-12 ની ટેક્સ તપાસ માટે ત્રણેયને નોટિસ ફટકારી હતી. જેના વિરુદ્ધ ત્રણેય નેતાઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. હકીકતમાં આવકવેરા વિભાગ દ્વારા આ કોંગ્રેસ નેતાઓને જાળમાં ફસાવવાનો આરોપ લગાવ્યો હતો કે તેમણે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડને ટેકઓવર કર્યું છે. આ મામલે સોનિયા અને રાહુલ અત્યારે જામિન પર છે.

વર્ષ 1938 માં કોંગ્રેસ પાર્ટી ફંડથી એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ કંપની બનાવવામાં આવી હતી. આ કંપની દ્વારા ત્રણ સમાચાર પત્રો- નેશનલ હેરાલ્ડ, નવજીવન અને કોમી આવાજ સંચાલિત કરવામાં આવતા હતા. આ તમામ સમાચારપત્રો 2008 માં બંધ થઈ ગયા. વર્ષ 2011 માં આના 90 કરોડ રુપિયાના ઋણની જવાબદારી લઈ લીધી. પાર્ટી દ્વારા આના માટે લોન પણ આપવામાં આવી. ત્યારબાદ યંગ ઈન્ડિયન કંપની બનાવવામાં આવી. બાદમાં આને એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ કંપની બનાવી દેવામાં આવી. આમાં 5 લાખ રુપિયાનું રોકાણ થયું. આમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી 38-38 ટકા ભાગીદાર થયા અને કોંગ્રેસે 90 કરોડ રુપિયાની લોન પણ માફ કરી દીધી.

રાશિ ભવિષ્ય 07/01/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસે થોડી સાવચેતી રાખવી અગત્યની છે અને તમારા ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવુ હિતાવહ છે, યુવાવર્ગ માટે તેમની લાગણી કોઈ સમજાતુ નથી તેવી મનમા ફરીયાદ રહે, વેપારના કામકાજમા જોખમ ટાળવુ, વડીલવર્ગ આજે કોઈને વણમાગી સલાહ ના આપે તે વધુ યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તમારો સારો છે અને ઉત્સાહ પણ જોવા મળે, તમારા નવીનકામનુ આયોજન થાય, તેમજ જુનામતભેદ ભૂલવાની તક મળે, લગ્નમાટેની વાતચીતમાકે મિલનમુલાકાત દરમિયાન તમારી પ્રતિભા સારી દેખાઈ આવે અને તમને તેની ખુશીનો અનુભવ પણ થાય, વેપારના કામમા લાભ થઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ અને મિત્રો સાથે સારીરીતે સમય પસાર થાય, ક્યાંક નાણાકીય ખર્ચ થઈ છે તેમજ પ્રવાસનુ આયોજન પણ થઇ શકે, માર્કેટિંગક્ષેત્રમા સારાપરિણામની આશા જોવા મળે, યુવાવર્ગને પોતાના મનનીવાત ક્યાંક કહેવામા તક ઝડપવામા થોડી તકલીફ પડી શકે તેવુ બની શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તેમજ કોઇપણ પ્રકારના વિવાદથી દુર રહેવુ, વાહન ધીમે ચલાવવુ જરૂરી છે, યુવાવર્ગને પોતાના મનમા રહેલી લાગણી કોઈ દુભાવી રહ્યુ હોય તેવુ મનમા ફરિયાદ રહ્યા કરે, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવું, વાણીસયમ રાખવો ઇચ્છનીય કહી શકાય,


આજનો દિવસ સામાન્ય છે અને તેમા પણ કામમા વ્યસ્ત વધુ રહેવાય, થોડી મનમા ક્યાંક અશાંતિ રહે, વેપારમા નાનુ કામ કરવુજ યોગ્ય છે, યુવાવર્ગમા ધીરજનો અભાવ જોવા મળી શકે છે તેમજ પ્રિયજન સાથે વાદવિવાદ ના થાય તેનુ ધ્યાન રાખવુ, મુસાફરી થોડી કંટાળાજનક અને ખર્ચાળ બની શકે છે.


આજનો દિવસ સારો છે અને તેમા ખાસ કરીને જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે, યુવાવર્ગને મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થઇ શકે અને તેમા તેમને સારીખુશીનો અનુભવ થાય, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, ક્યાંક નવીનઓળખાણથી તમને આનંદની લાગણી અનુભવો.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે, પાડવા-વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, હિતશત્રુ,ખટપટી લોકોથી દુર રહેવુ, વેપારના કામકાજમા કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે મતભેદકે મનદુઃખ ના થાય તેની કાળજી રાખવી જરૂરી છે.


આજનો દિવસ યાદગાર બની શકે છે તેમા પણ તમારી જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી બેવડાઈ જાય, કામની કદર થાય, યુવાવર્ગને પસંદ પડે તેવી વાત સાંભળવા મળી શકે છે, વેપારીવર્ગને કામકાજમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય તેવા સંજોગો ઉભા થાય.


આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવુ, યુવાવર્ગ આજે કોઈની ખોટીદોરવાણીથી દોરવાઇ ના જવાય તેનુ ધ્યાન રાખવુ, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ, વડીલવર્ગે આજે કોઈને વણમાગી સલાહ ન આપવી,


આજનો દિવસ સારો છે અને તમને પણ ઉત્સાહ સારો રહે, કયાંક મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકે મનનુ કામ થઇ શકે જેમા તમે ખુબ આનદની લાગણી અનુભવો, લગ્નમાટે ક્યાય વાતચીત કરવી પણ યોગ્ય બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા વધુ સમય ફાળવો યોગ્ય છે, વેપારમા લાભની તક છે


આજનો દિવસ સામાન્ય છે તમે કામમા વધુ વ્યસ્ત રહો, કોઈ જુનાકામમા જલ્દીથી ઉકેલ ન આવે તેને લીધે તમે કામ ટાળવાની નીતિ અપનાવો, યુવાવર્ગ માટે પોતાના વર્તનમા શાંતિ જાળવવી જેથી તમારાથી કોઈની લાગણી ના દુભાય, વેપારમા પોતાના અનુભવ મુજબ નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ સારુ રહે.


આજનો દિવસ સામાન્ય છે તમે તમારા સહકર્મચારી સાથે કામની બાબતમા થોડા દ્વિધામા રહો તમારે થોડો  કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, યુવાવર્ગ માટે આજે મજાકવૃત્તિથી દુર રહેવુ જેથી બિનજરૂરી ગેરસમજ ટાળી શકાય  માર્કેટિંગમા સમયનો વ્યય વધુ થાય, વેપારના કામકાજમા ધીરજ રાખવી.