Home Blog Page 3003

કોરાનાના 2994 નવા કેસો, નવનાં મોત  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 2994 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે નવ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,47,18,781 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,30,876 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,41,71,551 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 1840 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 16,354એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.04 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.77 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1,43,364 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.13 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 2.09 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 2.03 ટકા છે.

દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,09,015 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 9981 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

રાશિ ભવિષ્ય 01/04/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકો છો. વેપારમાં નાનુંજ કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકારમળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામ કરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકેમોટા પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોય તે પૂરી થઇ શકે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, પ્રિયજનસાથે સારો સમય પસાર થઈ શકે.


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટાશબ્દપ્રયોગ ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીઓળખાણ મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષભાષા ન બોલવી, ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોયકે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામજ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું, આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તાને લીધે થોડી માનસિકઅશાંતિ રહે, યુવાવર્ગ માટે ક્યાય વાર્તાલાપમાં ઉત્તેજનાને લીધે ગેરસમજના થાય તેનું ખાસ ધ્યાન રાખવું, આકસ્મિક નાણાકીયખર્ચ થાય અને તેની વ્યથા તમારા ચહેરા પર સ્પષ્ટ દેખાઈ પણ આવે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળેકે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટે કે ભલામણ માટે જવાનું હોય તો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે.છે, કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં જોખમ ન કરવું સલાહ્ભર્યું છે.


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ સારી વાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે, જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ તારી આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાયકે તમારી વાત જાણવાની જીજ્ઞાસા અન્યને વધી શકે છે પરંતુ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાસા જોવા મળી શકે છે. વેપારમાં જોખમ ન કરવું, પ્રિયજન સાથે કોઈ મતભેદ કે મનદુખના થાય તેની કાળજી રાખવી.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદરકે સંભારણા થાય તેવું બની શકે છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન પણ મળી શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

પંચાંગ 01/04/2023

ગ્લેમરસ રહ્યો આઈપીએલ-2023નો ઉદઘાટન સમારોહ

અમદાવાદઃ અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલ-2023 સ્પર્ધાનો આરંભ થઈ ગયો છે. ગયા વર્ષની ચેમ્પિયન ટીમ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો છે. ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતી મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ ટીમને પહેલા બેટિંગ કરવા કહ્યું હતું.

મેચ પૂર્વે સ્પર્ધાનો ભવ્ય ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. એમાં દક્ષિણ ભારતીય ફિલ્મોની બે અભિનેત્રી – રશ્મિકા મંદાના અને તમન્ના ભાટિયાએ ગીતો પર ડાન્સ કરીને દર્શકોનું મનોરંજન કર્યું હતું. રશ્મિકાએ તેનાં બહુગાજેલાં ‘શ્રીવલ્લી’ ગીત પર ડાન્સ કર્યો હતો જ્યારે તમન્નાએ તેલુગુ ફિલ્મ ‘એનિમી’ના ‘ટમ ટમ’ ગીત તેમજ બોલીવુડ ફિલ્મી ગીત ‘તુને મારી એન્ટ્રી’ પર પરફોર્મ કર્યું હતું. ગાયક અરિજિત સિંહે કારમાં સવાર થઈ સ્ટેડિયમમાં ગોળ ચક્કર લગાવતાં પરફોર્મ કર્યું હતું. એણે ‘જબ હેરી મેટ સેજલ’ ફિલ્મનું ‘હવાયેં’ ગીત ગાયું હતું.

આઇસી15 ઇન્ડેક્સ 501 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ શુક્રવારે ક્રીપ્ટોકરન્સી માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15ના ઘટકોમાંથી કાર્ડાનો, ટ્રોન, યુનિસ્વોપ અને ચેઇનલિંકમાં ચાર ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. મુખ્ય ઘટેલા કોઇન પોલીગોન, બિટકોઇન, લાઇટકોઇન અને સોલાના હતા, જેમાં એકથી ત્રણ ટકાનો ઘટાડો થયો હતો.

દરમિયાન, જાપાને પોતાની સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી – ડિજિટલ યેનની વ્યવહાર્યતા ચકાસવા માટે નિષ્ણાત સમિતિની ચર્ચા શરૂ કરાવી છે. આ પેનલ બેન્ક ઓફ જાપાને કરેલા અભ્યાસના આધારે ડિજિટલ કરન્સીનું માળખું રચવા વિશે ચર્ચા કરશે. બીજી બાજુ, યુનાઇટેડ કિંગડમ સરકાર આર્થિક ગુનાખોરી અને વર્ચ્યુઅલ એસેટ્સના ગેરકાનૂની ઉપયોગને નાથવા માટે ધારાધોરણો ઘડવાની દિશામાં કામ કરી રહી છે.

જર્મનીની બૂર્સ સ્ટટગાર્ડ સ્ટોક એક્સચેન્જની પેટા કંપની બૂર્સ સ્ટટગાર્ડ ડિજિટલને ક્રીપ્ટોકરન્સી ટ્રેડિંગ, બ્રોકરેજ અને ડિજિટલ એસેટ્સ કસ્ટડી સર્વિસીસ ઓફર કરવા માટે આખરી લાઇસન્સ મળી ગયું છે. બાયબિટ નામના ક્રીપ્ટો એક્સચેન્જે આફ્રિકન યુવાનોને બ્લોકચેઇનની તાલીમ આપવા માટે ઇનોવેશન ગ્રોથ હબ સાથે સહકાર સાધ્યો છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.30 ટકા (501 પોઇન્ટ) ઘટીને 37,896 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 38,397 ખૂલીને 38,609ની ઉપલી અને 37,405 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

મોરારીબાપુએ ભવન્સમાં ક. મા. મુનશીની પ્રતિમાનું અનાવરણ કર્યું

અમદાવાદઃ પ્રખ્યાત રામકથાકાર સંત મોરારીબાપુએ શુક્રવારે ભારતીય વિદ્યા ભવન (ભવન્સ કોલેજ) અમદાવાદમાં ભારતીય વિદ્યા ભવનના સ્થાપક કનૈયાલાલ મુનશીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. એ સાથે જ કેમ્પસમાં નવનિર્મિત કાન્તિ ભટ્ટ સ્મારક અને વાચનાલયમાં કાન્તિભાઈ લિખિત 16,000 જેટલા લેખોના ડિજિટલ સંગ્રહનું ઉદ્‍ઘાટન પણ કર્યું હતું. ભવન્સ કેમ્પસસ્થિત હરિલાલ ભગવતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેશન એન્ડ મેનેજમેન્ટની વેબસાઇટ મારફતે વાચકો માટે ઉપલબ્ધ રહેશે. કાન્તિ ભટ્ટ સ્મારક અને રીડિંગ રૂમ

જાણીતા ગુજરાતી પત્રકાર, તંત્રી, લેખક અને કટારલેખક સ્વ. કાન્તિ ભટ્ટની સ્મૃતિમાં આ એક જીવંત સ્મારક છે, જ્યાં તેમણે લખેલા 16,000 જેટલા પ્રકાશિત લેખો કટિંગ્સ (ફિઝિકલ આર્કાઇવ્ઝ) તેમ જ ડિજિટલ સ્વરૂપે સચવાયેલા છે.

એચબીઆઇસીએમની વેબસાઇટ www.hbicm.in મારફતે વાચકો તેને માણી શકે છે. લેખોને વિષયવાર, કોલમવાર, પ્રકાશનવાર તેમ જ તારીખ વાર વર્ગીકરણ કરવાની પ્રક્રિયા ચાલે છે. કાન્તિભાઈનાં પત્ની અને જાણીતા પત્રકાર શીલા ભટ્ટ અને ભવન્સનો આ સંયુક્ત પ્રોજેક્ટ છે અને કોઈ ગુજરાતી પત્રકાર માટેનું  આવું પ્રથમ સ્મારક છે.

 

 

 

 

 

‘તબીબી બેદરદારીને લગતી કાયદાની પ્રક્રિયા શું છે?’

મેડિકલ પ્રોફેશનલની બેદરકારી નજરમાં આવે તો કયાં પગલાં ભરી શકાય? કેઈએસની જયંતીલાલ પટેલ લૉ કૉલેજમાં થયો વાર્તાલાપ

મુંબઈઃ કન્ઝ્યુમર ફોરમમાં નોંધાયેલા કેસોની સંખ્યામાં થયેલા વધારાને જોતાં ભારતમાં આચરાતી તબીબી બેદરકારી એ ઊંડી ચિંતાનો વિષય દેખાય છે. આનું એક કારણ પોતાના કાયદાકીય હકો માટેની લોકજાગૃતિ છે અને બીજું કારણ એ કે વધુ ને વધુ લોકો મેડિકલ સારવાર લઈ રહ્યા હોવાથી બેદરકારીના વધુ કેસ બનવાની શક્યતા પણ વધી જાય છે. તબીબી બેદરકારીને કારણે સારવારમાં દરદીનું મૃત્યુ થઈ જવાની સ્થિતિમાં થયેલા નુકસાનને કાયદાકીય કેવી રીતે મૂલવવું એ જાણવું અગત્યનું છે.

એડ્વોકેટ અને કંપની સેક્રેટરી સૌરભ અસ્થાના

પહેલાં તો એ જાણવું જરૂરી છે કે તબીબી બેદરકારી કોને કહેવાય.

કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (કેઈએસ) સંચાલિત જયંતીલાલ પટેલ લૉ કૉલેજના વિદ્યાર્થીઓએ એડ્વોકેટ અને કંપની સેક્રેટરી સૌરભ અસ્થાના સાથે આ વિષય પર ચર્ચા કરી હતી. આ સત્રનું સંચાલન આચાર્યા ડૉ.સંગીતા શ્રીવાસ્તવે કર્યું હતું.

પ્ર.૧. તબીબી બેદરકારી કોને કહેવાય?

સામાન્ય રીતે તબીબી પ્રોફેશનલ વિવેકીપણે જે સારવાર કરે એ રીતે બીજા કોઈ પ્રોફેશનલ સારવાર કરે નહીં અને એ નિષ્ફળતાને લીધે દરદીને કોઈ હાનિ થાય અથવા દરદીનું મૃત્યુ થાય ત્યારે એને તબીબી બેદરકારી કહેવાય.

પ્ર.૨. તબીબી બેદરકારી કહેવા માટે એમાં કયાં તત્ત્વો હોવાં જોઈએ?

તબીબી પ્રોફેશનલની ફરજ, ફરજનું પાલન કરવામાં નિષ્ફળતા, હાનિનું કારણ અને હાનિ એ બધાં તત્ત્વોનો વિચાર કરીને નક્કી કરવામાં આવે છે કે બેદરકારી રહી છે કે કેમ.

પ્ર.૩. શું તમે કૃપા કરીને વધુ સ્પષ્ટતા માટે,આ તત્ત્વોને વિગતવાર સમજાવી શકો?

જરૂર. સામાન્ય રીતે મેડિકલ પ્રોફેશનલની જવાબદારી એ જોવાની હોય છે કે દરદીના આરોગ્યને કોઈ હાનિ પહોંચે નહીં. એમની એ ફરજને ડ્યુટી ઑફ કેર (કાળજી રાખવાની ફરજ) કહેવાય છે. જ્યારે હેલ્થ પ્રોફેશનલ આ જવાબદારી નિભાવવામાં નિષ્ફળ જાય છે ત્યારે એમની આ ફરજનો ભંગ થયો એમ કહેવાય છે. કોઝેશન એટલે કે દરદીને હાનિ થઈ અથવા એમનું મૃત્યુ થયું એની પાછળનું કારણ.અમુક રીતે કામ લેવાથી શું નુકસાન થઈ શકે છે એનો અંદાજ આવે એટલો વિવેક રાખવો એને રિઝનેબિલિટી કહેવાય છે, જેને પણ ધ્યાનમાં લેવામાં આવે છે.

પ્ર.૪. શું તમારા કહેવાનો એ અર્થ છે કે ડૉક્ટરો ભૂલો કરી શકે છે અને એમને કાયદાકીય રીતે અદાલતોમાં એમના ફરજભંગ માટે જવાબદાર ઠેરવી શકાય છે?

ટૂંકો જવાબ છે, હા. જો કે, એ દરેક વ્યક્તિગત કેસ પર આધાર રાખે છે. ડૉકટરો મેડિકલ કાઉન્સિલની આચારસંહિતાનું પાલન કરવા બંધાયેલા છે એટલે સામાન્ય રીતે પોતાના દરદીને ઈજા ન થાય અને એના જીવનું જોખમ ઊભું ન થાય એ બાબતે ખૂબ જ કાળજી લેતા હોય છે. એમ છતાં પણ એવા દાખલા જોવા મળી શકે છે, જેમાં કેસની વિગતો જોતાં, ડૉક્ટરો બેદરકાર નીવડ્યા હોવાનું જણાઈ આવ્યું હોય. યોગ્ય તપાસ પછી, વકીલની મદદ લઈને એમની સામે કાયદાકીય પગલાં લઈ શકાય છે.

પ્ર.૫. કઈ અદાલતમાં કાનૂની કાર્યવાહી કરી શકાય છે અને તેનો નિકાલ કેટલા સમયમાં આવી શકે છે?

હાલમાં, તબીબી બેદરકારીના કેસો ભારતની સૌથી નીચલી ગ્રાહક અદાલતોમાં ચલાવી શકાય છે અને આ કેસની અપીલ સુપ્રીમ કોર્ટ સુધી પણ જઈ શકે છે. એ ખૂબ સમય માગી લેતી અને ખર્ચાળ પ્રક્રિયા છે. એમ છતાં આ કારણે કોઈ વ્યક્તિએ હતાશ થઈને અટકવું ન જોઈએ અને જો ખરેખર કેસ તથ્યભર્યો હોય અને હકીકતો પર આધારિત હોય તો વ્યક્તિએ કેસ કરવા માટે આગળ વધવું જોઈએ. સામાન્ય રીતે ભારતની નીચલી અદાલતમાં કેસ દાખલ કરીને ફાઈલિંગ કરવાની તારીખથી લઈને પૂર્ણ નિકાલ આવે એમાં ૧૫-૨૦ વર્ષ લાગી શકે છે.

PMની ડિગ્રી જાહેર કરવાની કોઈ જરૂર નથીઃ ગુજરાત હાઈકોર્ટ

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી પર સવાલ ઊભા કરવાવાળા દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને મોટો આંચકો લાગ્યો છે. ગુજરાતની હાઇકોર્ટે વડા પ્રધાનની ડિગ્રી મામલે કેજરીવાલ પર દંડ ફટકાર્યો છે. એ સાથે હાઇકોર્ટે મુખ્ય માહિતી પંચ (CIC)ના આદેશને પણ રદ કરી દીધો હતો, જેમાં વડા પ્રધાનની ઓફિસ (PMO)થી ડિગ્રીની માહિતી માગવામાં આવી હતી.

ગુજરાત હાઈકોર્ટે આજે એક ચુકાદામાં કહ્યું હતું કે વડા પ્રધાન કાર્યાલયે વડા પ્રધાન મોદીની ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી જાહેર કરવાની કોઈ જરૂર નથી. આટલું જ નહીં, હાઈકોર્ટે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા દાખલ કરાયેલી અરજીને તુચ્છ અને ભ્રામક ગણાવતાં રૂ. 25,000નો દંડ પણ ફટકાર્યો હતો. કેજરીવાલે પીએમ મોદીના ડિગ્રી સર્ટિફિકેટની વિગતો માગી હતી.

જસ્ટિસ બિરેન વૈષ્ણવે કહ્યું હતું કે વડાપ્રધાન કાર્યાલય (PMO)એ ગ્રેજ્યુએશન ડિગ્રી સર્ટિફિકેટ આપવું જરૂરી નથી. હાઇકોર્ટે કેજરીવાલને હવે નિર્દેશ આપવામાં આવ્યો છે કે ગુજરાત રાજ્યના સ્ટેટ લીગલ સર્વિસ ડિપાર્ટમેન્ટમાં આ દંડની રકમ જમા કરાવવામાં આવે. દેશના CICએ આદેશ જારી કરી PMOના જનસૂચના અધિકારી (PIO) અને ગુજરાત યુનિવર્સિટી તથા દિલ્હી યુનિવર્સિટીના PIOને પીએમ મોદીની ગ્રેજ્યુએશન તથા પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રીની વિગતો જાહેર કરવા નિર્દેશ આપ્યો હતો. હવે ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ બિરેન વૈષ્ણવની સિંગલ બેન્ચે CICના એ આદેશને રદ કરી દીધો છે.

જોકે PM નરેન્દ્ર મોદી અનુસાર તેમણે 1978માં દિલ્હી યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું અને ગુજરાત યુનિવર્સિટીથી 1983માં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું. ગયા મહિને આ કેસની સુનાવણીમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ યુનિવર્સિટીનો પક્ષ રાખતાં કહ્યું હતું કે કેસમાં છુપાવવા જેવું કંઈ નથી, પરંતુ યુનિવર્સિટી પર જાણકારી આપવાનું દબાણ ન કરી શકાય.

 

 

 

 

દિનશા પટેલ દ્વારા ચારુસેટમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે રૂ. 1.51 કરોડનું દાન

ચાંગા: ચાંગાસ્થિત ચારુસેટ યુનિવર્સિટીમાં સૂચિત ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સ્થાપના કરવા માટે દિનશા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ-નડિયાદ દ્વારા રૂ. 1.51 કરોડના સંકલ્પ દાનમાંથી રૂ. 25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ચારુસેટ કેમ્પસમાં 31મી માર્ચે એક બેઠકમાં આ ચેક દિનશા પટેલને હસ્તે માતૃસંસ્થા-CHRFના પ્રમુખ  નગીનભાઈ પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ  સી. એ. પટેલ અને માતૃસંસ્થા-કેળવણી મંડળ-CHRFના માનદ મંત્રી ડો. એમ. સી. પટેલને અર્પણ કરવામાં આવ્યો હતો.

દિનશા પટેલે કેળવણી મંડળના ઉપપ્રમુખ  સી. એ. પટેલ, એન. એમ. પટેલ, એસ્ટેટ વિભાગની ઈજનેરી ટીમ સાથે સૂચિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી અને સલાહસૂચનો કર્યાં હતાં. સૂચિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 12 માસમાં પૂર્ણ થવાની શક્યતા છે.

આ વિશે તેમણે જણાવ્યું હતું કે ચારુસેટ કેમ્પસમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સુવિધા ઊભી કરવા માટે સી. એ. પટેલ દ્વારા મને માહિતી આપવામાં આવી હતી યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ રમતગમતની સુવિધા સ્થપાય એ વાત જાણી મને આનંદ થયો છે અને મેં રૂબરૂ ચર્ચામાં જરૂરી રમતગમતની સુવિધા ઊભી કરવા અને નવનિર્મિત ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નામકરણ અંગે રૂ. 1.51 કરોડનું દાનની જાહેરાત કરી છે. જેના અનુસંધાનમાં  દિનશા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટનડિયાદ તરફથી આજે રૂ. 25 લાખનો ચેક એનાયત કરવામાં આવ્યો છે. બે વર્ષમાં આ સંકલ્પ પરિપૂર્ણ કરવામાં આવશે.

ત્રણ માળના અદ્યતન સુસજ્જ ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર બેડમિન્ટન, ટેબલ ટેનિસ, જિમ્નેસ્ટિક્સ, કબડ્ડી, બાસ્કેટબોલ અને વોલિબોલ જેવી રમતો રમી શકાશે તેવો મલ્ટી પર્પઝ હોલ, ફર્સ્ટ ફ્લોર પર જિમ્નેશિયમ, એરોબિક્સ એક્સરસાઇઝ માટે સેન્ટર, સેકન્ડ ફ્લોર પર યોગા એન્ડ મેડિટેશન સેન્ટર, એડમિન ઓફિસ, લોકર રૂમ, સ્ટોર રૂમ, ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ ક્લિનિક અને  રિફ્રેસમેન્ટ સ્ટોલની સુવિધા ઉપલબ્ધ થશે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ દિનશા પટેલ દ્વારા ચારુસેટ કેમ્પસને 1.32 કરોડનું માતબર દાન આપવામાં આવ્યું હતું.

 

 

ગુડ ફ્રાયડેઃ વર્ષના અંતે સેન્સેક્સમાં 1030 પોઇન્ટનો ઉછાળો

નવી દિલ્હીઃ મજબૂત વૈશ્વિક સંકેતોને પગલે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આગેવાની હેઠળ શેરોમાં સતત બીજા દિવસે તેજી સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 1030 પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો. જેથી સેન્સેક્સ સતત બીજા દિવસે 1030 પોઇન્ટ ઊછળ્યો હતો. જ્યારે નિફ્ટી 300 પોઇન્ટ વધીને 17,350ને પાર પહોંચ્યો હતો. BSE મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ ક્રમશઃ 0.96 ટકા અને 1.35 ટકાની તેજી સાથે બંધ રહ્યા હતા. બજારના ટ્રેડિંગ સેશન દરમ્યાન IT, ટેક, બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિઝ, એનર્જી, ઓઇલ એન્ડ ગેસ, રિયલ્ટી અને ટેલિકોમ્યુનિકેશન્સ શેરોમાં તેજી થઈ હતી. બજારમાં સાર્વત્રિક તેજીને પગલે રોકાણકારોની સંપત્તિમાં આશરે 3.42 લાખ કરોડનો વધારો થયો હતો.

બજાર બંધ થયા પછી BSE સેન્સેક્સ 1031.43 પોઇન્ટ ઊછલી 58,991.52 પર બંધ થયો હતો, જ્યારે NSEનો નિફ્ટી ઇન્ડેક્સ 279.05 પોઇન્ટ ઊછળી 17,359.75ના સ્તરે બંધ થયો હતો.

રોકાણકારોની સંપત્તિમાં 3.42 લાખ કરોડનો વધારો

BSE માં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 29 માર્ચથી વધીને 258.13 લાખ કરોડે પહોંચ્યું હતું, જે અગાઉના 28 માર્ચે રૂ. 254.71 લાખ કરોડ હતું. આ પ્રકારે BSEમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ આશરે રૂ. 3.42 લાખ કરોડ વધ્યું હતું.

સેન્સેકસમાં સમાવિષ્ટ 30માંથી 26 શેર વધીને બંધ રહ્યા હતા. BSE સેન્સેક્સ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સૌથી વધુ 4.29 ટકા ઊછળીને બંધ રહ્યો હતો જ્યારે નેસ્લે 3.30, ઇન્ફોસિસ 3.19 ટકા ICICI બેન્ક 3.08 ટકા, તાતા મોટર્સનો શેર 2.80 ટકા અને TCS 2.16 ટકા ઊછળ્યો હતો.