મુંબઈઃ યુવા અભિનેત્રી જિયા ખાનનાં શંકાસ્પદ મૃત્યુના કેસમાં મજબૂર કરવાના આરોપમાંથી યુવા અભિનેતા અને જિયાનાં બોયફ્રેન્ડ સૂરજ પંચોલીને સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે આજે નિર્દોષ જાહેર કર્યા બાદ જિયાનાં માતા રબીયા ખાને કોર્ટના ચુકાદા અંગે નારાજગી વ્યક્ત કરી છે અને કેન્દ્રીય તપાસનીશ એજન્સી સીબીઆઈની ઝાટકણી કાઢી હતી. કોર્ટની બહાર પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, ‘હું સ્પેશિયલ કોર્ટના આ ચુકાદાને હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં પડકારીશ. એ લોકો ઈચ્છે છે કે હું વધારે મહેનત કરું. હું વધારે મહેનત કરીશ. મેં 10 વર્ષથી લડાઈ લડી છે, હજી વધારે લડીશ. જિયાને ન્યાય મળશે.’
ઉલ્લેખનીય છે કે જિયા ખાન 2013માં મુંબઈમાં જુહૂ વિસ્તારસ્થિત એનાં ઘરમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. શરૂઆતમાં એનાં મૃત્યુને આત્મહત્યા તરીકે ગણવામાં આવ્યો હતો. બાદમાં રબીયા ખાને આરોપ મૂક્યા બાદ સૂરજ પંચોલી વિરુદ્ધ આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જિયાનાં મૃત્યુની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવે એવી માગણી સાથે તેમણે એવો આરોપ મૂક્યો હતો કે સૂરજ જિયાને સાથે ગેરવર્તન કરતો હતો.
દરમિયાન, બોલીવુડ કલાકાર દંપતી – આદિત્ય પંચોલી અને ઝરીના વહાબનાં 32 વર્ષીય પુત્ર સૂરજ પંચોલીએ આજે સ્પેશિયલ કોર્ટના ચુકાદા બાદ પોતાનું મૌન તોડ્યું છે. એણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું છેઃ ‘સત્યની હંમેશાં જીત થાય છે. ભગવાન મહાન છે.’ જજે ચુકાદો આપ્યો ત્યારે સૂરજ અને તેની માતા ઝરીના વહાબ કોર્ટમાં હાજર હતાં.
સૂરજ સામે ભારતીય ફોજદારી કાયદાની કલમ 306 (આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાના ગુના) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો. 2013ના જૂનમાં એની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ એ જ વર્ષના જુલાઈમાં એનો જામીન પર છૂટકારો થયો હતો. જિયાએ છ-પાનાંના લખેલા એક પત્રના આધાર પર સૂરજ પંચોલી સામે આરોપ નોંધવામાં આવ્યો હતો.








કેટલાય નામ ઇતિહાસમાં ખોવાઈ ગયા હશે. જયારે કોઈએ મહંમદ ઘોરીનો વધ કર્યો હશે ત્યારે એને અપેક્ષા હશે કે ઈતિહાસ એની નોંધ લેશે. પણ એ નોંધ ન લેવાઈ હોય તો એ વ્યક્તિ શું કરી શકે? નાયીકાદેવી જેવું પાત્ર અંધારામાં હોય અને ચૌલાદેવી એ જ નાયીકાદેવી એવું મન મનાવીને લોકો વાતને ફેરવવા લાગે ત્યારે સમજાય છે કે ઈતિહાસ વિષે જેટલી વાતો થાય છે એટલો ઈતિહાસ સમજાયો નથી. જો ઇતિહાસના માર્ક અગિયારમાં ધોરણના એડમિશનમાં ગણાવાના જ ન હોય તો એમાં મહેનત થોડી કરાય? આવો અભિગમ પણ ક્યારેક દેખાય. પણ તેનાથી જે તે વ્યક્તિનું કાર્ય બદલાતું નથી. એ કદાચ જે તે સમયની જરૂરીયાત હતી. બસ એ કાર્ય કરવું જરૂરી છે. પણ લોક ચાહના માટે પોતાને ન ગમતું કામ તો ન જ કર્યા કરાય. વળી ઇતિહાસકાર બદલાય એની સાથે ઈતિહાસ પણ બદલાઈ શકે. તો પછી એના માટે મહેનત થોડી કરાય? હા, સકારાત્મક જીવન ખુબ જ જરૂરી છે. અને એના માટે વાસ્તુના નિયમો મદદરૂપ થાય છે.







છે… પણ 1990ના દાયકામાં (કદાચ 1993ની આસપાસ) મારી એક ફેવરીટ સિરિયલ હતીઃ ‘કૅમ્પસ’ (ઝી ટીવી). કૉલેજ લાઈફ, કૉલેજ પોલિટિક્સ, રોમાન્સની આસપાસ ફરતી આ સિરિયલનું અમીતકુમારે કમ્પોઝ કરેલું ટાઈટલ સૉન્ગ આજેય કાનમાં ગુંજે છે. સંજીવ ભટ્ટાચાર્ય દિગ્દર્શિત ‘કૅમ્પસ’માં પરિતોષ પેઈન્ટર-નિનાદ કામત-રીટા ભાદુરી-મિલિન્દ ગવલી-અજિત વાચ્છાની-આરીફ ઝકરિયા જેવા કલાકાર હતા.



અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો