૨૮ એપ્રિલ, ૨૦૨૩
૨૮ એપ્રિલ, ૨૦૨૩
કોણ છે લીલીછમ ધરતી માટે મથતી આ યુવતી?
કોણ છે લીલીછમ ધરતી માટે મથતી આ યુવતી?
Chitralekha Gujarati – May 08, 2023
રાશિ ભવિષ્ય 28/04/2023
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજનો દિવસ સારો અને ઉત્સાહ વાળો જણાય છે, તમારા ધાર્યાકામ થવાથી તમે આનંદની લાગણી અનુભવો, પ્રિયજન તરફથી સારો પ્રેમભાવ જોવા મળી શકે છે, અગત્યની મિલનમુલાકાત ફળદાયક બની શકે,વેપારમાં નાનુંકામ કરવુજ યોગ્ય છે, કોઈના કામમાં સહયોગ આપો તેવી વૃત્તી જોવા મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, તમારા કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત થઇ શકે, પ્રવાસનું ક્યાંક આયોજન પણ થઈ શકે છે અને તેમાં ક્યાંક અણધર્યા નાણાકીયખર્ચ થાય, માર્કેટિંગક્ષેત્રમાં તમારો સારો પ્રભાવ જોવા મળે, પ્રિયજન તરફથી ખુશીની લાગણીનો અનુભવ થાય, ધાર્મિકભાવના વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈની સાથે કોઈપણ પ્રકારનું ગેરવર્તનના થાય તેનું ધ્યાન રાખવું, પ્રિયજન સાથે વાર્તાલાપ દરમિયાન ઉગ્રતાના આવે તેનું ધ્યાન રાખવું, તમારે આજે સમાધાનકારી નીતિ અપનાવાથી પરિસ્થિતિ હળવી બની રહશે. મનમાં કોઈવાતનો તમને ઉદ્વેગ રહ્યા કરે તેવું બની શકે.
આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવા મળી શકે છે અને માનસિકથાકની લાગણી વધુ જોવા મળે જેના કારણે તમારા સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, આજે કોઈને વણમાગી સલાહન આપવી તેમજ વાર્તાલાપમાં ક્યાય દલીલબાજીન કરવી, વેપારમાં જોખમન લેવું યોગ્ય છે.
આજનો દિવસ સરસ છે, તમે આત્મવિશ્વાસથી કામ કરતા જોવા મળો, તમારા ભૂતકાળના કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે વધુ મહેનત યોગ્ય છે, જૂનીકોઈ ઓળખાણ તાજી થાય અને તેમાં તમે સારી વાર્તાલાપ કરી ખુશીની લાગણી અનુભવો. થોડા મજાકવૃત્તિવાળા બનો.
આજનો દિવસે થોડી સાવચેતી રાખવી તેમજ વાણીસંયમ રાખવો પણ જરૂરી છે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહન ધીમે ચલાવવું, કોઈપણ પ્રકારની મિલનમુલાકાત દરમિયાન વાર્તાલાપમાં કોઇપણ પ્રકારની ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું અગત્યનું કહી શકાય, ભક્તિમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.
આજનો દિવસ સારો છે આજે તમારા પસંદગીના કામ થઇ શકે, તમારી લાગણીની કદર થાય, પરિચિત સાથે કોઈબાબતનો સાથસહકાર સારો જોવા મળી શકે અને તેની ખુશી અનુભવાય, ધાર્મિકભાવના વધુ જોવા મળે અને મન ભક્તિકે સદ્કાર્ય કરવા પ્રેરાય તેવું પણ બનવા જોગ છે. મન પ્રફુલ્લિત રહેશે.
આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાણીસયમ અને ગુસ્સાને કાબુમાં રાખવો, મજાકમસ્તી કરનાર લોકોથી થોડું અંતર રાખવું તેમજ તેમની વાતોને જરૂરિયાત પુરતુ જ ધ્યાન આપવું. ક્યાંક જુનાપ્રસંગો યાદ આવવાથી મન અશાંત વધુ રહી શકે છે, માટે વ્યવહારુ અભિગમ અપનાવો સારો કહી શકાય.
આજનો દિવસ સરસ છે, પ્રિયજન સાથેના જુનામતભેદ ભૂલવાની તક મળે, વિદ્યાર્થીવર્ગ માટે હરવાફરવા માં સારો સમય પસાર થાય, અગત્યની વાર્તાલાપ કે મિલનમુલાકાત માટેના પ્રયત્ન કરતા હોવતો તેમાપણ તમને અન્યનો સારો સાથ-સહકાર અને માર્ગદર્શન મળે તેવું બની શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.
આજનો દિવસ સામાન્ય છે, નાનાકામમાં દિવસ પસાર થઇ જાય, જુનાસ્મરણો તાજા થાય જેમાં તમને સારી ખુશીની લાગણી થાય, વાતચિત દરમિયાન ખોટો ઉશ્કેરટના આવે તેનું ધ્યાન રાખવું જેથી તમે કદાચ કોઈની મજાકના પાત્રના બનો. બિનજરૂરી ખરીદી થવાથી તમારું મન થોડું બેચેન બને તેવું બની શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, મિત્રવર્તુળ સાથે બિનજરૂરી સમય અને નાણાનો વ્યય થાય અને તેનું ભાન તમને દિવસને અંતે થવાથી મનમાં ગુસ્સાની લાગણી અનુભવો પરંતુ તમારા પ્રિયજનની યોગ્યવર્તણુક અને વાતચીતથી તમે પ્રભાવિત થઇ ખુશીની લાગણી અનુભવી રાહત પામો, મનમાં દ્વિધા રહ્યા કરે.
આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈને કોઈબાબતમાં નકારત્મકવિચારની અસર તમારી દિનચર્યા પર પણ પડે માટે તમારે આજે કોઈ કામમાં વ્યસ્ત રહેવું, હરવુંફરવુંકે ભક્તિમાં મન પોરવવું યોગ્ય કહી શકાય. કોઈ પણ અગત્યના કામકાજ કરવામાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો ઇચ્છનીય છે.
એકાઉન્ટ એગ્રેગેટર ફ્રેમવર્કમાં જોડાનારી CDSL દેશની પ્રથમ ડિપોઝિટરી બની
મુંબઈ તા.27 એપ્રિલ, 2023: એશિયાની સૌપ્રથમ અને એકમાત્ર લિસ્ટેડ ડિપોઝિટરી સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઈન્ડિયા) લિમિટેડ (સીડીએસએલ)એ જાહેર કર્યું છે કે તે એકાઉન્ટ એગ્રેગેટર (એએ) ફ્રેમવર્ક પર ફાઈનાન્સિયલ ઈન્ફોર્મેશન પ્રોવાઈડર (એફઆઈપી) તરીકે જોડાનારી પ્રથમ ડિપોઝિટરી બની છે. ડિપોઝિટરીની એફઆઈપી તરીકેની કામગીરી લાઈવ થઈ ચૂકી છે અને આ અંગેની સંપૂર્ણ માહિતી સીડીએસએલની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
એકાઉન્ટ એગ્રેગેટર ફ્રેમવર્ક એવી ડેટા શેરિંગ સિસ્ટમ છે, જે ક્રેડિટ અને અન્ય નાણાકીય સર્વિસીસની પ્રાપ્તિ માટે જરૂરી છે. ગ્રાહક તરીકે તમે તમારો ડેટા કોની સાથે અને કેટલો સમય શેર કરવા માગો છો એ નક્કી કરી શકો છો. એફઆઈપી તરીકે ગ્રાહકોના નાણાકીય ડેટાનું વ્યવસ્થાપન કરતી સંસ્થાઓ જેવી કે બેન્કો, મ્યુચ્યુઅલ ફંડ્સ, પેન્શન ફંડ્સ વગેરે કામ કરે છે.
ઉર્ફીને ડ્રેસને કારણે રેસ્ટોરન્ટમાં દાખલ થતાં અટકાવાઈ
મુંબઈઃ અભિનેત્રી-મોડેલ ઉર્ફી જાવેદ તેનાં અવનવા અને ચિત્રવિચિત્ર ડ્રેસને કારણે ચર્ચાસ્પદ બની ગઈ છે. હાલમાં જ એને તેનાં એક ડ્રેસને કારણે એક રેસ્ટોરન્ટમાં પ્રવેશ કરતી અટકાવવામાં આવી હતી. એને લીધે ઉર્ફીએ મોટો તમાશો કર્યો હતો.
ટેલીચક્કર નામના એક પોર્ટલે એના અધિકૃત ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડિયો શેર કર્યો છે. એમાં ઉર્ફી ફોટોગ્રાફરો સાથે મજાક-મસ્તી કરતી દેખાય છે. ત્યારબાદ તે એક રેસ્ટોરન્ટના મેનેજર પર ગુસ્સે થયેલી દેખાય છે. બન્યું એવું કે, ઉર્ફી વિચિત્ર ડ્રેસ પહેરીને તે રેસ્ટોરન્ટમાં ગઈ હતી. પરંતુ મેનેજરે એને તેનાં ડ્રેસને કારણે એને અંદર પ્રવેશવાની મનાઈ ફરમાવી હતી. એને લીધે ઉર્ફી મેનેજર પર ભડકી ગઈ હતી અને એની સાથે દલીલબાજી પર ઉતરી હતી. તે વિડિયો ટેલીચક્કરે પોસ્ટ કર્યો છે અને એ સોશિયલ મિડિયા પર જોરદાર રીતે વાઈરલ થયો છે.
મેનેજરે જ્યારે ઉર્ફીને કહ્યું કે, ‘મેડમ તમે આવા કપડાં પહેરીને અંદર જઈ શકો નહીં.’ ત્યારે મેનેજર પર ગુસ્સે ભરાયેલી ઉર્ફી બોલી, ‘હું કોણ છું એની ખબર છે? મારું નામ ઉર્ફી છે ઉર્ફી. અંદર જઈને જણાવો ઉર્ફી જાવેદ આવી છે.’ તે પછી મેનેજર ઉર્ફીને શાંત કરવાનો પ્રયત્ન કરે છે, પણ ઉર્ફી વધારે ગુસ્સે ભરાઈ હતી.
View this post on Instagram
આવતીકાલે આવશે જિયા ખાન કેસનો અંતિમ ચુકાદો આવશે
બોલિવૂડ અભિનેત્રી જિયા ખાન 3 જૂન 2013ના રોજ તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવી હતી. આત્મહત્યા બાદ અભિનેત્રીના ઘરેથી છ પાનાની સુસાઈડ નોટ મળી આવી હતી, જે કથિત રીતે જીયા ખાન ખાને લખી હતી. તેમના કહેવા પ્રમાણે, જિયાના બોયફ્રેન્ડ સૂરજ પંચોલી પર અભિનેત્રીને હત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો. આ કેસમાં 20 એપ્રિલના રોજ સ્પેશિયલ સીબીઆઈ જજ એએસ સૈયદે બંને પક્ષોની અંતિમ દલીલો સાંભળ્યા બાદ આગામી સુનાવણી સુધી નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. હવે આવતીકાલે એટલે કે 28 એપ્રિલે સવારે 10.30 કલાકે સ્પેશિયલ સીબીઆઈ કોર્ટ જિયા ખાન કેસ પર અંતિમ ચુકાદો આપશે.

કોર્ટે માતા રાબિયાની અરજી ફગાવી દીધી હતી
દિવંગત અભિનેત્રીની માતા રાબિયા ખાને પણ આ કેસમાં સૂરજ પંચોલી પર આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ, સૂરજ પંચોલીની 10 જૂન 2013 ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને બે અઠવાડિયાથી વધુ કસ્ટડીમાં ગાળ્યા પછી જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. આ પછી જુલાઈ 2014માં મામલો સીબીઆઈ પાસે ગયો. જિયાની માતાએ પણ કહ્યું હતું કે આ હત્યા નહીં પરંતુ આત્મહત્યા હતી. આ પછી, બોમ્બે હાઈકોર્ટે ગયા વર્ષે આ મામલે નવેસરથી તપાસની માંગ કરતી તેમની અરજીને ફગાવી દીધી હતી.

સૂરજ જિયા સાથે ગેરવર્તન કરતો હતો
તાજેતરમાં જ જિયા ખાનની માતાએ જ્યારે સીબીઆઈ કોર્ટમાં નિવેદન આપ્યું હતું ત્યારે તેણે કહ્યું હતું કે સૂરજ જિયાનું શારીરિક અને શાબ્દિક રીતે શોષણ કરતો હતો. તેમણે એમ પણ કહ્યું કે પોલીસ અને સીબીઆઈ બંનેએ આ સાબિત કરવા માટે કોઈ પુરાવા એકત્ર કર્યા નથી.
આખરી નિર્ણય આવતીકાલે આવશે
ફિલ્મ નિશબ્દથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી જિયા ખાનને 10 વર્ષ વીતી ગયા છે. આવતીકાલે 28 એપ્રિલે સવારે 10.30 વાગ્યે સ્પેશિયલ CBI કોર્ટ 10 વર્ષ બાદ આ મામલે પોતાનો ચુકાદો સંભળાવશે.
સુદાન: ઓપરેશન કાવેરી હેઠળ 246 ભારતીયોને લઈને બીજી ફ્લાઈટ મુંબઈ પહોંચી
ઓપરેશન કાવેરી હેઠળ સુદાનથી 246 ભારતીયોને લઈને બીજી ફ્લાઈટ મુંબઈ પહોંચી હતી. વિદેશ મંત્રી એસ. જયશંકરે આ અંગે માહિતી આપી હતી. આ પહેલા વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ ગુરુવારે કહ્યું હતું કે સુદાનમાં સ્થિતિ ઘણી જટિલ અને અણધારી છે. દરમિયાન, ભારતનો હેતુ તે દેશમાં ફસાયેલા દરેક ભારતીયને જોખમમાંથી બહાર કાઢવાનો છે. ‘ઓપરેશન કાવેરી’ પર વિગતો આપતા, ક્વાત્રાએ કહ્યું કે લગભગ 1,700 થી 2,000 ભારતીય નાગરિકોને સંઘર્ષના વિસ્તારોમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
#WATCH | Second flight carrying 246 Indian evacuees from Sudan, lands in Mumbai#OperationKaveri pic.twitter.com/4PTRZflZgo
— ANI (@ANI) April 27, 2023
વિદેશ સચિવે કહ્યું કે ભારત સુદાન અને બે લડતા જૂથોના સંપર્કમાં છે. અમે સંબંધિત પક્ષોના સકારાત્મક પ્રતિસાદ પછી અમારા નાગરિકોને બહાર કાઢવામાં સફળ થયા છીએ, કારણ કે તેઓ સમજે છે કે નવી દિલ્હી ખાર્તુમ સાથે ખૂબ જ મજબૂત વિકાસ ભાગીદારી ધરાવે છે. તેમણે કહ્યું કે અમે SAF (સુદાનીસ આર્મ્ડ ફોર્સીસ) અને RSF (રેપિડ સપોર્ટ ફોર્સ) બંનેના સંપર્કમાં છીએ. અમારા સારા સંબંધો રહ્યા છે. અમે ભારતીયોને સુરક્ષિત વિસ્તારોમાં અને પછી પોર્ટ સુદાનમાં લઈ જવા માટે તમામ પક્ષોના સંપર્કમાં છીએ.
Another Operation Kaveri flight arrives in Mumbai with 246 Indians on board
Read @ANI Story | https://t.co/6V96OjB41t#OperationKaveri #Sudan #Mumbai pic.twitter.com/Vb3vBQFo6T
— ANI Digital (@ani_digital) April 27, 2023
સુદાનમાં ભારતીયોની કુલ સંખ્યા વિશે, તેમણે કહ્યું કે લગભગ 3,100 લોકોએ સુદાનની રાજધાની ખાર્તુમમાં ભારતીય દૂતાવાસમાં ઑનલાઇન નોંધણી કરાવી છે, જ્યારે વધારાના 300 મિશનના સંપર્કમાં છે. સુદાનમાં લગભગ 900 થી 1,000 પીઆઈઓ (ભારતીય મૂળના વ્યક્તિઓ) પણ છે.
#WATCH | Mumbai: “We are feeling happy as we’ve returned to our home. The rescue operation is going on at a fast pace. We are satisfied (with the govt)” says Avatar Singh, an Indian national who returned from Sudan pic.twitter.com/ACZzUpBlqH
— ANI (@ANI) April 27, 2023
ખાર્તુમ અને પોર્ટ સુદાન વચ્ચેનું અંતર અંદાજે 850 કિલોમીટર છે. બસ દ્વારા મુસાફરીનો સમય 12 થી 18 કલાક સુધી બદલાય છે. વર્તમાન પરિસ્થિતિને જોતા ભારતીય નૌકાદળે તેના યુદ્ધ જહાજો INS સુમેધા, INS તેગ અને INS તારકશને તૈનાત કર્યા છે, જ્યારે ભારતીય વાયુસેનાએ પણ તેના બે C130J ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ તૈનાત કર્યા છે. ભારતીયોને જેદ્દાહ લઈ જવા માટે જહાજો અને વિમાનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જ્યાંથી તેમને ભારત લાવવામાં આવી રહ્યા છે.
ક્વાત્રાએ કહ્યું કે લગભગ 600 ભારતીય નાગરિકો કાં તો ભારતમાં આવ્યા છે અથવા તેમના માર્ગ પર છે. ગઈકાલે રાત્રે જેદ્દાહથી ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા 360 ભારતીયો નવી દિલ્હી પહોંચ્યા હતા. હાલમાં અમારી પાસે જેદ્દાહમાં 495 ભારતીય નાગરિકો છે. પોર્ટ સુદાનમાં 320 ભારતીયો છે. પોર્ટ સુદાનમાં વધુ લોકોને લાવવા અમારી પાસે વધુ બસો છે. વિદેશ સચિવે એમ પણ કહ્યું કે 42 ભારતીય નાગરિકો દક્ષિણ સુદાનમાં સ્થળાંતર કરી ચુક્યા છે.
ગુજરાત સાયન્સ સિટી ખાતે “પિકો સેટેલાઇટ અને ડ્રોન લોન્ચ ઇવેન્ટ” નું આયોજન કરાયું
ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ ખાતે અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા મોબીક્વિટી સોફ્ટોનિક પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી “પિકો સેટેલાઇટ અને ડ્રોન લોન્ચ ઇવેન્ટ” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટ તા.૨૫/૦૪/૨૦૨૩ થી ૨૭/૦૪/૨૦૨૩ સુધી યોજવામાં આવી હતી. મળતી માહિતી મુજબ આ ઇવેન્ટમાં અમદાવાદની 10 સરકારી શાળાઓનાં 100 બાળકોએ ભાગ લીધો હતો.

આ ત્રણ દિવસીય ઈવેન્ટમાં બાળકોને ડ્રોન બનાવવું, ડ્રોન સીમ્યુલેશન, 3ડી ડિઝાઇનીંગ અને સેન્સર્સ વિશે ઇન્ડિયન સ્પેસ ઇન્ડસ્ટ્રી એક્સહિબિટર્શ (ISIE), આઇઆઇટીરેમ અને અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન (AIF) નાં નિષ્ણાતોએ બાળકોને વિસ્તારપૂર્વક જાણકારી આપી હતી.

આ ઇવેન્ટમાં ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું. આ ઇવેન્ટની શરૂઆતમાં આદરણીય ડૉ. ટી.એસ.જોષી (પૂર્વ જીસીઈઆરટી ડાયરેક્ટર) એ આવીને બાળકોનું મનોબળ વધાર્યું હતું. ત્રણ દિવસીય કાર્યક્રમના સમાપન સમારોહમાં આદરણીય મહેશ મહેતા (સચિવ, સમગ્ર શિક્ષા અભિયાન), ડૉ. વ્રજેશ પરીખ (જનરલ મેનેજર ,સાયન્સ સિટી), ડૉ. હાર્દિક ગોહેલ (આસિસ્ટન્ટ જનરલ મેનેજર, સાયન્સ સિટી), પૂર્વ ઈસરો વૈજ્ઞાનિકો, મોબીક્વિટી ટીમ અને શંકર દયાલ શર્મા (પ્રોજેક્ટ ડાયરેક્ટર, દીપશાળા ડીઈ, એઆઈએફ) એ અતિથિનાં રૂપમાં આવીને બાળકોનું મનોબળ વધાર્યું હતું અને ડ્રોન લોન્ચ ઇવેન્ટ નિહાળી હતી.







