ઈમ્ફાલઃ ભારતીય જનતા પાર્ટી શાસિત મણિપુરમાં હાલ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વણસી ગઈ હોવાને કારણે નોર્થઈસ્ટ ફ્રન્ટિયર રેલવેએ મણિપુર જતી તમામ ટ્રેનોને અટકાવી દીધી છે. રાજ્ય સરકારે આદિવાસીઓ અને બહુમતી મેઈતી સમાજના લોકો વચ્ચે પ્રસરતી જતી હિંસાને રોકવા માટે ‘દેખો ત્યાં ઠાર’નો સુરક્ષા દળોને આદેશ આપ્યો છે.
નોર્થઈસ્ટ ફ્રન્ટિયર રેલવેના વડા જનસંપર્ક અધિકારીએ કહ્યું છે કે, જ્યાં સુધી પરિસ્થિતિ સુધરશે નહીં ત્યાં સુધી મણિપુરમાં કોઈ ટ્રેન મોકલવામાં આવશે નહીં. મણિપુર રાજ્યની સરકારની સલાહના આધારે જ રેલવે તંત્રએ આ નિર્ણય લીધો છે.
મુંબઈઃ બ્રિટનના રાજા ચાર્લ્સ તૃતિયનો 6 મેના શનિવારે લંડનમાં વેસ્ટમિન્સ્ટર એબે મહેલમાં રાજ્યાભિષેક સમારોહ યોજાવાનો છે. એમાં હાજર રહેવાનું દુનિયાભરના દિગ્ગજ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ચાર્લ્સ જેમની કામગીરી-સેવાથી પ્રભાવિત થયા છે અને જેમને તેઓ એમના મિત્ર તરીકે ગણાવે છે તે મુંબઈના ડબ્બાવાળાઓ (ટિફિન સેવા પૂરી પાડનારાઓ)ના બે પ્રતિનિધિઓને પણ હાજર રહેવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ ડબ્બાવાળાઓ તેમાં હાજર રહી શકે એમ નથી.
કારણ એ છે કે બંને પ્રતિનિધિ પાસે પાસપોર્ટ નથી, તેથી તેઓ લંડન જઈ શકે એમ નથી. તેમ છતાં તેઓ રાજા ચાર્લ્સ માટે કેટલીક ભેટ મોકલવાના છે. એમાં એક પુણેરી પાઘડી અને વારકરી શાલનો સમાવેશ થાય છે. પુણેરી પાઘડીને મરાઠીઓ મહારાષ્ટ્રની શાન ગણાવે છે. આ પાઘડીને 2009માં ‘જ્યોગ્રફિકલ ઈન્ડિકેશન’ દરજ્જો આપવામાં આવ્યો હતો. રાજા ચાર્લ્સ-ત્રીજા આવતીકાલે રાજગાદી પર બેસશે તે રાજ્યાભિષેક સમારોહ વખતે એમને માથા પર 2.23 કિલોગ્રામ વજનના સોનાવાળો મુગટ પહેરાવવામાં આવનાર છે.
Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.
આત્મઅભિમાનીનો અભ્યાસ આખા દિવસ દરમ્યાન વારંવાર કરો તથા શક્તિઓના સાગર પરમાત્મા (પાવરહાઉસ) સાથે સંબંધ જોડો. આમ કરવાથી દેહધારીઓ સાથેનો લગાવ તેની જાતે જ છુટી જશે. મારે એ યાદ નથી રાખવાનું કે હું શરીર નથી. પરંતુ એ યાદ રાખવાનું છે કે હું પવિત્ર આત્મા છું. લગાવ એટલે કોઈ ચીજ સાથે એટલું જોડાઈ જવુ કે મારું અસ્તિત્વ જ ખતમ થઈ જાય. વાસ્તવમાં હું આત્મા છું અને આ શરીર થી અલગ છું. આ શરીર મારી મોટર છે અને હું આત્મા તેનો ડ્રાઇવર છું. આમ સમજવાથી જો મારુ બાળક દુ:ખી હશે તો હું દુઃખી નહીં થાઉં. આ બાબત સાક્ષી ભાવ કેળવવામાં મદદરૂપ થશે. આ સ્થિતિમાં રહેવાથી આપણું દેહ અભિમાન સમાપ્ત થઈ જાય છે.
અહંકાર સમાપ્ત થવાથી બીજી બધી દુ:ખી કરવા વાળી બાબતો પોતાની જાતે જ સમાપ્ત થઈ જાય છે. તેના માટે મહેનત નથી કરવી પડતી. પરમાત્મા સાથે સર્વ સંબંધનો લગાવ આપણને દુઃખ નથી આપતો. દેહ અભિમાનના કારણે જ્યારે આપણે કોઈ વ્યક્તિમાં ફસાઇ જઈએ છીએ તો તેમાં આપણને દુઃખ જ મળે છે. જ્યારે પરમાત્મ સંબંધ જોડાય છે તો તેમાં નિ:સ્વાર્થ પ્યાર પણ જોડાય છે જેમાં આપણને દુ:ખની અનુભૂતિ નથી થતી. જ્યારે કોઈ પણ અપેક્ષા હોય છે અને તે પૂરી નથી થતી તો આપણને દુઃખ થાય છે. પરમાત્મા સાથેના સંબંધમાં કોઈ અપેક્ષા હોતી નથી.
અહીં આપણે તે સમજવું જરૂરી છે કે પરમાત્માનું કર્તવ્ય શું છે? આપણે એવી આશા રાખીએ છીએ કે પરમાત્મા મને નોકરી અપાવી દે, ધંધામાં મને ફાયદો કરાવી દે. ઈશ્વરીય જ્ઞાન મળ્યા પછી આપણને તે સમજમાં આવે છે કે પરમાત્માનું કામ છે મને શક્તિશાળી બનાવવી. અને મારું કામ છે તે શક્તિનો ઉપયોગ કરી મારું શ્રેષ્ઠ ભાગ્ય બનાવવું. જ્યારે પરમાત્મા સાથે સંબંધ જોડાય છે ત્યારે આત્મા શક્તિશાળી બને છે. પરિણામે તેને કોઈ બાબતનો ડર નથી રહેતો અને મૂલ્ય ઉપર ચાલવું સ્વાભાવિક બની જાય છે. ખુશી આપણો જન્મસિદ્ધ અધિકાર છે. કારણ કે આપણે આનંદના સાગરની સંતાન છીએ.
જેવી રીતે આપણે બીજી વ્યક્તિઓને યાદ કરીએ છીએ તેવી રીતે પરમાત્માને યાદ કરવાના છે. ફર્ક એટલો જ છે કે કોઈ વ્યક્તિને આપણે શરીરના રૂપમાં યાદ કરીએ છીએ. જ્યારે પરમાત્માને યાદ કરતી વખતે સૌ પહેલા આપણે અશરીરી (આત્મિક) સ્થિતિમાં સ્થિત થવું પડશે. જ્યાં સુધી હું પોતાને આત્મા સમજી યાદમાં નહીં બેસું ત્યાં સુધી પરમાત્માની યાદ આવશે નહીં. આજ દિવસ સુધી પરમાત્માને યાદ કરવા અધરું શા માટે લગતું હતું? કારણ કે યાદ કરવા માટે કોણ બેઠું હતું? એક માં બેઠી હતી. તો માંને કોણ યાદ આવશે? પોતાનું બાળક યાદ આવશે, પરમાત્માની યાદ નહીં રહે. પરંતુ જ્યારે એક આત્મા યાદ કરવા બેસશે તો તેને “પરમાત્મા” યાદ આવશે. પરમાત્માને યાદ કરવા એટલે મન-બુદ્ધિને પોતાના ઘેર પરમધામ લઈ જવા. જ્યાં આત્માઓના પિતા પરમાત્મા પણ રહે છે. સર્વશક્તિમાન પરમપિતા પરમાત્મા આપણને સાથ આપવા તૈયાર છે. શક્તિ આપવા તૈયાર છે. તો આપણે મેડિટેશન દ્વારા (પરમાત્માની યાદ દ્વારા) શક્તિ તથા ખુશી પ્રાપ્ત કરીએ.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)
આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકે પણ સયમ જરૂરી છે વેપારમાં નાનુંકામ હિતાવહ છે.
આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકાર મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામકરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકે મોટાપ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોયતે પૂરી થાય તેવું પણ બનવા જોગ છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, ધીરજ રાખવી સારી કહી શકાય.
આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટા શબ્દપ્રયોગના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીયાદી મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય છે, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષ ભાષાન બોલવી. ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય કે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામ જ યોગ્ય છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું. આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમ ન કરવું.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયની વ્યસ્તા અને માનસિકઅશાંતિ રહે, રોજબરોજનું કામ કરનારને થોડી સાવચેતી રાખવી, ધીરજનો અભાવ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપકે કામકાજ દરમિયાન ક્યાય ઉગ્રતાના થાય તેની તકેદારી રાખવી સારી કહી શકાય.
આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળે કે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટેકે ભલામણ માટે જવાનું હોયતો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો , કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે. કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારનું જોખમન કરવું.
આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમારી કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે. જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ દેખાઈ આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાય પણ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે.પગ,સાંધા,સ્નાયુ,ગેસ,જેવી આરોગ્યબાબતથી તકેદારી રાખવી. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાશા જોવા મળી શકે. વેપારમાં જોખમન કરવું, પ્રિયજનની લાગણી દુભાઈના જાય તેનું ધ્યાન રાખવું.
આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદર થાય તેવું બનવા જોગ છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન મળે રહે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સંમેલનમાં ભાગ લેવા માટે ગોવાના પ્રવાસે છે. દરમિયાન, ભુટ્ટો અને ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે હાથ મિલાવ્યા હતા. આ દરમિયાન SCO દેશો રશિયા અને ચીનના વિદેશ મંત્રીઓ પણ હાજર રહ્યા હતા.
સૂત્રોએ જણાવ્યું કે ગોવામાં ડિનર દરમિયાન જયશંકર અને ભુટ્ટોએ હાથ મિલાવ્યા હતા. જોકે આ સામાન્ય સૌજન્યની ઔપચારિકતા છે. ભારત SCO સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે. આવી સ્થિતિમાં એસ જયશંકર શુક્રવારે (5 મે) સવારે બેઠકની અધ્યક્ષતા કરશે.
#WATCH | Pakistan’s Foreign Minister Bilawal Bhutto Zardari met the Russian Foreign Minister Sergey Lavrov on the sidelines of the SCO Council of Foreign Ministers in Goa today. pic.twitter.com/HpRSBwv5LO
વિદેશ મંત્રી એસ. જયશંકરે ગુરુવારે (4 મે) સાંજે રશિયા, ચીન, પાકિસ્તાન અને અન્ય SCO સભ્ય દેશોના વિદેશ પ્રધાનો માટે ભવ્ય સ્વાગતનું આયોજન કર્યું હતું. આ સાથે ગ્રુપની બે દિવસીય કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. ,
12 વર્ષ બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રીની મુલાકાત
બિલાવલ 2011 પછી ભારતની મુલાકાત લેનારા પાકિસ્તાનના પ્રથમ વિદેશ મંત્રી છે. તે પહેલા હિના રબ્બાની ખાર 2011માં પાકિસ્તાનના વિદેશ મંત્રી તરીકે શાંતિ મંત્રણા માટે ભારતની મુલાકાતે આવી હતી. ખાર હાલમાં વિદેશ રાજ્ય મંત્રીની જવાબદારી સંભાળી રહ્યા છે.
મે 2014 માં, ભૂતપૂર્વ પાકિસ્તાની વડા પ્રધાન નવાઝ શરીફ પીએમ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે ભારતની મુલાકાતે આવ્યા હતા. ડિસેમ્બર 2015 માં, ભૂતપૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા, અને થોડા દિવસો પછી મોદીએ તે દેશની ટૂંકી મુલાકાત લીધી હતી.
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ના વૈજ્ઞાનિકની પુણેમાં ધરપકડ કરવામાં આવી છે. તેના પર પાકિસ્તાની એજન્ટ સાથે માહિતી આપવાનો આરોપ છે. આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ કહ્યું કે DRDO વૈજ્ઞાનિકની જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ વૈજ્ઞાનિક પુણેમાં ડીઆરડીઓ શાખામાં કામ કરતો હતો. તપાસમાં વોટ્સએપ મેસેજ, વોઈસ કોલ, વીડિયો અને સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીના ઓપરેટિવ્સ સાથેના સંપર્કો બહાર આવ્યા હતા.
Maharashtra | A DRDO scientist, who was working in one of the facilities of DRDO in Pune, has been arrested by ATS on the charges of espionage. He was found to have had contact with the operatives of Pakistan’s Intelligence Agency through social media via WhatsApp messages, voice…
ATSએ કહ્યું કે જવાબદાર પદ પર હોવા છતાં DRDO અધિકારીએ પોતાના પદનો દુરુપયોગ કર્યો. તેમણે સંવેદનશીલ સરકારી માહિતી લીક કરીને પોતાની જવાબદારીઓ અને દેશની સુરક્ષા સાથે ચેડા કર્યા હતા. જો આવી માહિતી દુશ્મન રાષ્ટ્રના હાથમાં આવી જાય તો તે ભારતની સુરક્ષા માટે ખતરો બની શકે છે. મહારાષ્ટ્ર પોલીસની એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ કાલાચોકી મુંબઈએ ઓફિશિયલ સિક્રેટ એક્ટ 1923ની કલમ 1923 અને અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. વધુ તપાસ તપાસનીશ અધિકારી કરી રહ્યા છે.