ટીવી એક્ટર આદિત્ય સિંહ રાજપૂત વિશે ચોંકાવનારા સમાચાર આવ્યા છે. સ્પ્લિટ્સવિલા ફેમ એક્ટર આદિત્ય સિંહનું નિધન થયું છે. આદિત્યને તેના મિત્ર અંધેરીના ઘરેથી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો.
આદિત્ય સિંહ મોડલિંગ અને કાસ્ટિંગ ડિરેક્ટર હતા
MTV સ્ટાર જાણીતા અભિનેતા, મોડલ અને કાસ્ટિંગ ડિરેક્ટર હતા. આદિત્ય સિંહ રાજપૂતના મૃત્યુના સમાચારથી તેના ચાહકો પણ આઘાતમાં છે. અહેવાલો અનુસાર, આદિત્ય સોમવારે બપોરે તેના અંધેરીના ઘરના બાથરૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. આદિત્યના એક મિત્રને આ વાતની સૌથી પહેલા ખબર પડી. અભિનેતાનું ઘર બિલ્ડિંગના 11મા માળે છે જ્યાં તે મૃત હાલતમાં મળી આવ્યો હતો. અભિનેતાના મૃત્યુની માહિતી મળ્યા પછી, તેના મિત્ર અને બિલ્ડિંગના ચોકીદારની મદદથી, તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરોએ અભિનેતાને મૃત જાહેર કર્યો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના લગભગ અઠવાડિયાના વિદેશ પ્રવાસના ભાગરૂપે સોમવારે પાપુઆ ન્યુ ગિનીથી ઓસ્ટ્રેલિયાના સિડની પહોંચ્યા, જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. PM મોદીના સિડની આગમન પર ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર બેરી ઓ’ફેરેલે તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીના સ્વાગતમાં ભારતીય સમુદાયના લોકોએ પણ ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમણે ‘વંદે માતરમ’ના નારા પણ લગાવ્યા હતા.
#WATCH | People from the Indian diaspora greet Prime Minister Narendra Modi as he arrives in Sydney, Australia. pic.twitter.com/REGbrUNCRp
જાપાનથી શરૂ થયેલા પીએમ મોદીના ત્રણ દેશોના પ્રવાસનો આ ત્રીજો અને છેલ્લો સ્ટોપ છે. પાપુઆ ન્યુ ગિનીમાં, પીએમ મોદીએ પ્રથમ ફોરમ ફોર ઈન્ડો-પેસિફિક આઈલેન્ડ કોઓપરેશન (FIPIC) સમિટનું સહ-હોસ્ટ કર્યું અને દ્વિપક્ષીય સંબંધોને વેગ આપવા માટે પેસિફિક ટાપુ દેશોના નેતાઓને મળ્યા. વડાપ્રધાન મોદી 22 થી 24 મે દરમિયાન ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે.
#WATCH | Prime Minister Narendra Modi arrives in Sydney, Australia, as part of the third and final leg of his three-nation visit after concluding his visit to Papua New Guinea. He was received by Australian PM Anthony Albanese. pic.twitter.com/n7w4rxv6qj
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પહોંચેલા પીએમ મોદી તેમના સમકક્ષ એન્થોની અલ્બેનીઝ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ સિવાય તે બિઝનેસ મીટિંગ અને અન્ય કાર્યક્રમોમાં હાજરી આપશે. મંગળવારે (23 મે) ભારતીય સમય અનુસાર સવારે 10 વાગ્યે સિડનીના ઓલિમ્પિક પાર્કના કુડોસ બેંક એરેનામાં પીએમ મોદી માટે સામુદાયિક સ્વાગતનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં ભાગ લેવા માટે 25 હજારથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ભારતીય ઓસ્ટ્રેલિયન ડાયસ્પોરા ફાઉન્ડેશન પીએમ મોદી માટે સામુદાયિક રિસેપ્શનનું આયોજન કરી રહ્યું છે. કાર્યક્રમના આયોજકોમાં પીએમ મોદીના બાળપણના મિત્ર અબ્બાસ પણ સામેલ છે. પીએમ મોદી પણ તેમની સાથે મુલાકાત કરશે.
PM Modi arrives in Sydney, to hold talks with Australian counterpart Anthony Albanese
પીએમ મોદીએ સિડની પહોંચતા પહેલા આ ટ્વિટ કર્યું હતું
ઓસ્ટ્રેલિયા પહોંચતા પહેલા પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું કે, “હું ઉષ્માભર્યા સ્વાગત માટે વડાપ્રધાન (પાપુઆ ન્યુ ગિનીના) જેમ્સ મારાપેનો આભાર માનું છું. હવે સિડનીમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા ઓસ્ટ્રેલિયા જઈ રહ્યો છું. તેમણે કહ્યું, “મારી પાપુઆ ન્યુ ગિનીની મુલાકાત ઐતિહાસિક હતી. આ અદ્ભુત રાષ્ટ્રના લોકો તરફથી મને જે સ્નેહ મળ્યો છે તેની હું ખૂબ જ કદર કરીશ. મને FIPIC ના આદરણીય નેતાઓ સાથે વાર્તાલાપ કરવાની અને તેમના સંબંધિત દેશો સાથેના સંબંધોને ગાઢ બનાવવાની રીતો પર ચર્ચા કરવાની પણ તક મળી.
અગાઉ પીએમ પાપુઆ ન્યુ ગિની અને જાપાનના પ્રવાસે હતા
પીએમ મોદી પાપુઆ ન્યુ ગિનીની મુલાકાત લેનારા ભારતના પ્રથમ વડાપ્રધાન છે. મોદીએ પાપુઆ ન્યુ ગિનીના વડા પ્રધાન જેમ્સ મારાપે સાથે દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી. PM એ વાણિજ્ય, ટેક્નોલોજી, હેલ્થ કેર અને ક્લાઈમેટ ચેન્જ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાની રીતો પર ચર્ચા કરી. બંને નેતાઓએ પ્રાદેશિક સહયોગને વેગ આપવા માટે ફોરમ ફોર ઈન્ડો-પેસિફિક આઈલેન્ડ્સ કોઓપરેશન (FIPIC) સમિટની સહ યજમાની કરી હતી. અગાઉ, 20 થી 21 મે દરમિયાન, પીએમ મોદીએ જાપાનના હિરોશિમામાં જી-7 સમિટમાં ભાગ લીધો હતો અને ત્યાં ઘણા વિશ્વ નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરી હતી.
પીએમ મોદીની હોસ્ટિંગ માટે આતુર છીએ – એન્થોની અલ્બેનીઝ
હિરોશિમામાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે કહ્યું હતું કે તેમના દેશમાં પીએમ મોદીની યજમાની કરવી તેમના માટે સન્માનની વાત હશે. અલ્બેનીઝે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ વર્ષની શરૂઆતમાં ભારતમાં તેમનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત થયા બાદ હું ઓસ્ટ્રેલિયાની સત્તાવાર મુલાકાતે વડા પ્રધાન મોદીની યજમાની કરવા આતુર છું. તે મારા માટે સન્માનની વાત છે.
આગામી લોકસભા ચૂંટણી પહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વિપક્ષી દળોને એક કરવાના પ્રયાસો તેજ કરી દીધા છે. નીતિશ કુમાર દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે પહોંચ્યા છે. જ્યાં મહત્વની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ, જેડીયુ પ્રમુખ લાલન સિંહ અને બિહાર સરકારના મંત્રી સંજય ઝા પણ હાજર છે.
Delhi | Opposition parties meet will be held. Date and place of the meeting will be announced within 1-2 days. A vast number of parties will be taking part in the meeting: Congress General Secretary KC Venugopal after Bihar CM Nitish Kumar met Congress Chief Mallikarjun Kharge pic.twitter.com/xxhk7qi2cx
પ્રાપ્ત માહિતી અનુસાર તેજસ્વી યાદવ નાદુરસ્ત તબિયતના કારણે બેઠકમાં હાજર રહી શક્યા ન હતા. આ પહેલા શનિવારે કર્ણાટકમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં 18 વિપક્ષી પાર્ટીઓના નેતાઓ એક મંચ પર દેખાયા હતા અને વિપક્ષી એકતાનો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, જેડીયુ પ્રમુખ લલન સિંહ, બિહારના નાયબ મુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવ પણ સમારોહમાં હાજર રહ્યા હતા.
#WATCH | Bihar CM Nitish Kumar meets Congress national president Mallikarjun Kharge and party leader Rahul Gandhi at Congress chief Kharge’s residence.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને નીતિશ કુમાર લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને છેલ્લા કેટલાક મહિનાઓથી વિપક્ષી એકતા માટે પ્રયાસ કરી રહ્યા છે. આ પ્રયાસ હેઠળ ખડગેએ ઘણા વિપક્ષી નેતાઓ સાથે વાત કરી છે અને તેમને મળ્યા છે. બીજી તરફ નીતીશ કુમાર પણ ઘણા વિપક્ષી નેતાઓને મળ્યા છે અને તેમને એક સામાન્ય મંચ પર આવવાની સલાહ આપી છે. આગામી દિવસોમાં બિહારની રાજધાની પટનામાં વિપક્ષના અગ્રણી નેતાઓની બેઠક યોજાઈ શકે છે.
રવિવારે સીએમ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી
નીતિશ કુમાર ગયા મહિને દિલ્હીમાં મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને પણ મળ્યા હતા. ત્યારે તેમની સાથે તેજસ્વી યાદવ પણ હાજર હતા. આ સિવાય આગલા દિવસે એટલે કે રવિવારે (21 મે) નીતીશ કુમારે દિલ્હીમાં AAPના રાષ્ટ્રીય સંયોજક અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે તેમની મુલાકાત કરી હતી. નીતિશ કુમારે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં સારું કામ કરી રહ્યા છે અને આશ્ચર્યની વાત છે કે તેમની સરકારને કામ કરતા રોકવામાં આવી રહી છે. તેથી અમે કહી રહ્યા છીએ કે દેશના તમામ વિપક્ષી દળોએ સાથે આવવું જોઈએ.
મુંબઈઃ ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)ને એવી આશા છે કે રૂ.2000ના મૂલ્યની મોટા ભાગની બાકીની બેન્કનોટ્સ આવતી 30 સપ્ટેમ્બર સુધીમાં બેન્કોમાં પાછી આવી જશે. આ એ જ તારીખ છે જે 2000ની કરન્સી નોટ જમા કરવા કે બદલવા માટે જાહેર કરવામાં આવેલી મહેતલની આખરી તારીખ છે.
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે લોકોને વિનંતી કરી છે કે તેઓ 2000ની નોટ બદલાવવા માટે કે જમા કરાવવા માટે બેન્કોમાં ધસારો ન કરે. રૂ.2000ની નોટ બંધ થઈ ગયા બાદ જરૂર લાગશે એ રીતે રૂ.500ની નોટ વધારે છાપવામાં આવશે. રૂ. 2000ની નોટના સુરક્ષા ફીચર્સનો ભેદ કોઈ પણ રીતે ઉઘાડો પડ્યો નથી એવી તેમણે સ્પષ્ટતા પણ કરી છે.
આરબીઆઈના જણાવ્યાનુસાર, 2000ના મૂલ્યની આશરે 181 કરોડ નોટ ચલણમાં છે. આરબીઆઈએ ગઈ 19 મેએ જાહેરાત કરીને આ નોટને વ્યવહારમાંથી પાછી ખેંચી લીધી છે. પરંતુ કહ્યું છે કે તે હજી લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે અને લોકો 23 મેથી 30 સપ્ટેમ્બર, 2023 સુધી આ નોટ બેન્કોમાં જમા કરાવી શકે છે કે એક્સચેન્જ કરાવી શકે છે. એમને તેટલી જ રકમની અન્ય માન્યતાપ્રાપ્ત કરન્સી નોટ આપવામાં આવશે.
ભારત સરકારના આદેશને પગલે આરબીઆઈએ 2016માં રૂ. 500 અને રૂ. 1000ના મૂલ્યવાળી કરન્સી નોટો તાત્કાલિક અસરથી વ્યવહારમાંથી હટાવી લીધી હતી. ત્યારબાદ રૂ. 500ની નવી ડિઝાઈનવાળી નોટ વ્યવહારમાં મૂકી હતી અને તે ઉપરાંત રૂ. 2000ના મૂલ્યવાળી નવી નોટ પણ વ્યવહારમાં મૂકી હતી.
નવી દિલ્હીઃ IPL 2023માં કેટલાય ક્રિકેટરોએ શાનદાર દેખાવ કરીને દરેક જણને પ્રભાવિત કર્યા છે, તો કેટલાય વરિષ્ઠ ક્રિકેટરો પીયૂષ ચાવલા, અમિત મિશ્રા, ઇશાંત શર્મા જેવા ક્રિકેટરો આ વખતે ચમક્યા છે, પણ RCB ટીમના વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક માટે IPLની 16મી સીઝન બહુ ખરાબ રહી છે.
ગુજરાત ટાઇટન્સની વિરુદ્ધ RCBએ છ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો અને એ સાથે RCBની સફર ખતમ થઈ હતી. ગુજરાતની સામે દિનેશ કાર્તિકે છેલ્લી લીગ મેચમાં પોતાને નામે એક શરમજનક રેકોર્ડ નોંધાવ્યો હતો. દિનેશ કાર્તિક IPl ઇતિહાસમાં સૌથી વધુ ડક આઉટ થનારો બેટ્સમેન બની ગયો છે. તેણે આ મામલે રોહિત શર્માને પણ પાછળ છોડી દીધો છે.RCBની ટીમના વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે IPl 2022માં તોફાની બેટિંગ કરી હતી.
જેથી તેણે T20 વિશ્વ કપ 2022 માટે ટીમ ઇન્ડિયામાં પોતાનું સ્થાન બનાવ્યું હતું, પણ આ વખતની સીઝનમાં તેણે ખાસ કાંઈ ઉકાળ્યું નથી. iPL 2023માં તે ફ્લોપ બેટ્સમેન રહ્યો છે. ગુજરાત ટાઇટન્સની વિરુદ્ધ તેણે એક શરમજનક રેકોર્ડ બનાવ્યો છે. તે આ સીઝનની પહેલી મેચમાં RR સામે શૂન્ય રને આઉટ થયો હતો. હવે તે GT સામે ડકનો શિકાર થયો છે. આ શરમજનક રેકોર્ડ સાથે તેણે IPl ઇતિહાસમાં સૌથી વધુ ડક આઉટ થવાને મામલે પહેલું સ્થાન હાંસલ કર્યું છે.
મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા-જોનસની હોલીવુડ વેબસીરિઝ ‘સિટાડેલ’ની ભારતીય-હિન્દી આવૃત્તિ આવનાર છે. એમાં વરુણ ધવન અને દક્ષિણી ફિલ્મોની જાણીતી અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ ચમકશે. આ બંને તેમાં એ રોલ કરશે જે ‘સિટાડેલ’માં પ્રિયંકા અને હોલીવુડ એક્ટર રિચર્ડ મેડને ભજવ્યો છે. વરુણ એક જાસૂસ (સીક્રેટ એજન્ટ)નો રોલ કરશે. પ્રાઈમ વિડિયો પર પ્રસારિત થનાર ભારતીય આવૃત્તિ માટે વરુણ સાથે અનેક ઉત્તેજક-કિસિંગ સીન કરવા માટે સામંથા તૈયાર થઈ હોવાના અહેવાલો છે. જોકે આ અહેવાલોને હજી નિર્માતાઓ કે વરુણ અને સામંથા તરફથી સમર્થન અપાયું નથી. દર્શકોને સ્ક્રીન પર વરુણ અને સામંથાની કેમિસ્ટ્રી પહેલી જ વાર જોવા મળશે.
(તસવીર સૌજન્યઃ સામંથા રૂથ પ્રભુ ઈન્સ્ટાગ્રામ)
‘સિટાડેલ’ની મૂળ અંગ્રેજી આવૃત્તિમાં પ્રિયંકા અને રિચર્ડના અનેક કિસિંગ અને બેડરૂમના ઉત્તેજક દ્રશ્યો છે.
હિન્દી ‘સિટાડેલ’માં સામંથા અમુક દિલધડક સ્ટન્ટ દ્રશ્યો ભજવતી જોવા મળશે. આ આવૃત્તિનું દિગ્દર્શન રાજ એન્ડ ડીકે કરશે.
મુંબઈ, 22 મે 2023: દેશના 27 રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોના વિવિધ અન્ડરગ્રેજ્યુએટ કોર્સના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા 5000 વિદ્યાર્થીઓ 2022-23 માટે રિલાયન્સ ફાઉન્ડેશન અંડરગ્રેજ્યુએટ સ્કોલરશિપ આપવામાં આવશે. પસંદ કરાયેલા મેધાવીઓને રૂ. બે લાખ સુધીનું અનુદાન પ્રાપ્ત થશે અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સક્ષમ નેટવર્કનો હિસ્સો બનવાની પણ તક સાંપડશે.
“શિક્ષણ સુલભ બનાવીને રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશિપ યુવાનોના સપનાને પાંખો આપવાની આશા રાખે છે. આ મેધાવીઓનું એક વૈવિધ્યસભર જૂથ છે કારણ કે તેઓ અભ્યાસની વિવિધ શાખાઓમાંથી આવે છે, ભારતના લગભગ તમામ રાજ્યોમાંથી યુવતીઓ અને યુવકો સમાન રીતે પસંદ કરવામાં આવે છે. અમે પસંદ કરેલા દરેક મેધાવી વિદ્યાર્થીઓને અભિનંદન આપીએ છીએ અને અમને વિશ્વાસ છે કે તેઓ ભારતની પ્રગતિમાં યોગદાન આપીને પોતાના માટે એક મજબૂત ભવિષ્ય બનાવશે,” તેમ રિલાયન્સ ફાઉન્ડેશનના સીઈઓ જગન્નાથ કુમારે જણાવ્યું હતું.
રિલાયન્સ ફાઉન્ડેશન અંડરગ્રેજ્યુએટ સ્કોલરશિપ અભ્યાસના કોઈપણ પ્રવાહના વિદ્યાર્થીઓને મેરિટ-કમ-મીન્સના આધારે આપવામાં આવે છે. આ વર્ષ માટે પસંદ કરવામાં આવેલા વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ/ટેક્નોલોજી, સાયન્સ, મેડિસિન, કોમર્સ, આર્ટસ, બિઝનેસ/મેનેજમેન્ટ, કમ્પ્યૂટર એપ્લિકેશન્સ, કાયદો, શિક્ષણ, હોસ્પિટાલિટી, આર્કિટેક્ચર અને અન્ય વ્યાવસાયિક ડિગ્રીઓ સહિતની સ્ટ્રીમમાંથી આવે છે. દેશની 4,984થી વધુ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા લગભગ 40,000 અરજદારોમાંથી 2022-23 વર્ષ માટેના 5,000 મેધાવી વિદ્યાર્થીઓની એપ્ટિટ્યુડ ટેસ્ટ, ધોરણ 12ના ગુણ અને પાત્રતાના અન્ય માપદંડો સહિતની સઘન પસંદગી પ્રક્રિયા બાદ પસંદગી કરવામાં આવી હતી, જેમાં 51% યુવતીઓ છે. પ્રોગ્રામમાં રહેલી વિવિધતાને વધુ પ્રતિબિંબિત કરતા આ રાઉન્ડમાં 99 દિવ્યાંગ વિદ્યાર્થીઓની પણ સ્કોલરશિપ માટે પસંદગી કરવામાં આવી હતી.
ગત ડિસેમ્બરમાં પ્રતિબદ્ધતાને મજબૂત બનાવતા રિલાયન્સ ફાઉન્ડેશને જાહેરાત કરી હતી કે તે આગામી 10 વર્ષમાં 50,000 શિષ્યવૃત્તિ આપવામાં આવશે. શિષ્યવૃત્તિના આ રાઉન્ડનો પુરસ્કારની નેમ ભારતના ભવિષ્યના નિર્માણ તરફ તમામ માટે શિક્ષણની સુવિધા લઈ જવા અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તૈયાર કરવાના રિલાયન્સના વારસાને આગળ વધારનારી છે. વર્ષ 1996થી લગભગ 13,000 અંડરગ્રેજ્યુએટ વિદ્વાનોને મેરિટ-કમ-મીન્સ આધારે ધીરુભાઈ અંબાણી સ્કોલરશિપ આપવામાં આવી છે, જેમાંથી 2,720 દિવ્યાંગ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
પસંદ કરાયેલા મેધાવી વિદ્યાર્થીઓ તેમની પસંદગી અને વધુ વિગતો માટે સીધો સંદેશાવ્યવહાર મેળવશે. અરજદારો તેમની અરજીઓનું પરિણામ જાણવા માટે www.reliancefoundation.org ની પણ મુલાકાત લઈ શકે છે.
વર્ષ 2022-23 માટે પસંદ કરાયેલા રિલાયન્સ ફાઉન્ડેશન પોસ્ટગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની જાહેરાત જુલાઈમાં અપેક્ષિત છે. રિલાયન્સ ફાઉન્ડેશન અંડરગ્રેજ્યુએટ શિષ્યવૃત્તિના હવે પછીના તબક્કા (2023-24) માટેની અરજીઓ આગામી મહિનાઓમાં સ્વીકારવામાં આવશે.
સિંગાપુરઃ સિંગાપુર એરલાઇન્સે (SIA) ગયા સપ્તાહે વાર્ષિક પરિણામો જાહેર કર્યા હતાં, જેમાં કંપનીએ 76 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ વાર્ષિક નફો નોંધાવ્યો હતો. માર્ચ, 2023ને પૂરા થતા નાણાકીય વર્ષમાં SIA ગ્રુપે SGD 215.7 લાખ (159.8 લાખ ડોલર)નો રેકોર્ડ ચોખ્ખો નફો કર્યો હતો, જ્યારે ગયા વર્ષે કંપનીએ SGD 96.2 લાખ (71.3 લાખ લાખ ડોલર)ની ખોટ નોંધાવી હતી. કંપનીએ SGD 311.9 લાખ (231. લાખ ડોલર)ની કમાણી કરી હતી.
કંપનીની આવક વાર્ષિક ધોરણે 133.4 ટકા અથવા SGD 1016 લાખ (752.6 લાખ ડોલર)થી વધીને રેકોર્ડ SGD 177.75 લાખ (1316.7 લાખ ડોલર) થઈ હતી. કંપનીની વાર્ષિક ક્ષમતામાં 94 ટકાનો વધારો થયો હતો, જે ટ્રાફિકમાં 449.9 ટકાનો વધારો દર્શાવે છે. આને પગલે પેસેન્જરોની આવ-જાની આવક 1056 લાખ સિંગાપુર ડોલરથી 37.63 ટકા વધીને 1336.6 લાખ સિગાપુરી ડોલર થઈ હતી. કંપનીની RASK ( રેવેન્યુ પર અવેલિબિલિટી સીટ-કિલોમીટર) 10 સિગાપુર સેન્ટ હતી, જે કેરિયરના ઇતિહાસમાં સૌથી વધુ હતી.
સમીક્ષા હેઠળના નાણાકીય ગાળામાં SIA ગ્રુપની બે એરલાઇનો –સિંગાપુર એરલાઇન્સની સંપૂર્ણ સર્વિસ અને લો-કોસ્ટ સ્કૂટે મળીને કુલ 2.65 કરોડ પેસેન્જરોને સર્વિસ આપી હતી, જે એક વર્ષ પહેલાંની તુલનામાં છ ગણી વધુ હતી. માર્ચ, 2023 સુધીમાં કોવિડ પહેલાંના સ્તરે માત્ર 79 ટકાની ક્ષમતા સાથે એરલાઇન હજી વધુ સારી કામગીરી કરે એવી શક્યતા છે. કંપની ચાલુ નાણાકીય વર્ષમાં કંપનીને ક્ષમતા આશરે સરેરાશ 83 ટકાએ પહોંચવાની ક્ષમતા છે.
દહેજ (ભરૂચ) : ગુજરાતમાં આદિમજૂથમાં સમાવિષ્ટ કોટવાળિયા સમાજના લોકો વાંસની કલાકૃતિ બનાવવામાં નિપુણતા ધરાવે છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામના એવા જ કારીગર વજીરભાઈ કોટવાળિયા પોતાના સમાજની વાંસ કળાને જીવંત રાખવા અને વિકસાવવા માટે પ્રયત્નશીલ છે. છેલ્લા એકાદ વર્ષથી એમની ઝુંબેશને અદાણી ફાઉન્ડેશન, દહેજનો સહયોગ સાંપડ્યા પછી અનેક નવા આયામો એમના કાર્ય અને ઝુંબેશમાં ઉમેરાયા છે. વજીરભાઈ કોટવાળિયાને દેશના રાષ્ટ્રપતિ તરફથી કોન્ફરન્સ-કમ-એક્સપોઝર મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જ્યાં એ પોતાના કોટવાળિયા સમાજની સ્થિતિ વિશે વાત કરવાની તક મળશે.
વજીરભાઈ કોટવાળિયાએ મર્યાદિત સંસાધનો સાથે પોતાના સમુદાયના 50 સભ્યોને વ્યવસાયમાં જોડ્યા છે. સરકાર અને સંસ્થાઓના સહયોગથી વિવિધ મેળા અને પ્રદર્શનમાં સહભાગી થતાં રહ્યા છે. એમ છતાં એમને બજારનો સંપર્ક ન હતો. અનેક પરિવારો આવકના અભાવે વાંસકળાનું કામ છોડી દીધું હતું પરંતુ વજીરભાઈ અને એમનો પરિવાર એ કામ સાથે જ રહ્યું છે. અદાણી ફાઉન્ડેશન, દહેજના સીએસઆર હેડ ઉષાબેન મિશ્રા જણાવે છે કે અમે જ્યારે વજીરભાઈને મળ્યા ત્યારે આ કળા જીવંત રાખવા માટે કેટલીક મદદની જરૂર હોવાની વાત કરી હતી. અમે વજીરભાઈના સમર્થનથી કોટવાળિયા સમુદાયની મહિલાઓનું એક સખી મંડળ બનાવી એની નોંધણી કરાવી, “જય દેવ મોગરા મા ગ્રુપ હાથાકુંડી”. આ જૂથને અમદાવાદમાં અદાણી સમૂહના કોર્પોરેટ હાઉસમાં યોજાયેલા ગ્રામ ભારતીમાં તેમના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણની તક મળી હતી સાથે જ અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણી અને અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ.પ્રીતિબહેન અદાણીની મુલાકાતનો અવસર પણ મળ્યો હતો. ગ્રામ ભારતીએ એમના માટે સફળતાનો માર્ગ મોકળો કર્યો અને વસ્તુઓના વેચાણના અનેક દ્વાર ઉઘાડયા છે. એમને સરકારની વિવિધ યોજનાનો પણ લાભ મળે એ માટે DRDA, DIC અને ટ્રાયબલ સબ-પ્લાન જેવી ઓફિસ સાથે સંકલન પણ કરાવ્યુ છે.
વજીરભાઈ અને એમની સાથે સંકળાયેલા જૂથને વધુ મજબૂત બનાવવા માટે અદાણી ફાઉન્ડેશનએ એમણે વાંસકળા માટે જરૂરી એવી મશીનરીનો સહયોગ આપ્યો છે. તાજેતરમાં અદાણી ફાઉન્ડેશન સીએસઆર, ગુજરાતના વડા પંક્તિબેન શાહના હસ્તે વાંસ કાપવા, પોલિશ કરવા ટૂલબોક્સ આપવામાં આવ્યા હતા. આ મશીનો વડે તેઓ બજારમાં સ્પર્ધાત્મક ઉત્પાદનો બનાવશે, વાંસની દોરી કાપવામાં તેમનો સમય બચાવશે અને વધુ કમાણી કરશે.
વજીરભાઈ કોટવાળિયા જૂનના પ્રથમ સપ્તાહમાં દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં જશે. એ માટે તેઓ બહુ ઉત્સાહિત છે. તેઓ કહે છે, કોટવાળિયા સમાજના પ્રતિનિધિ તરીકે છેલ્લા 25 વર્ષથી વાંસ કામ કરું છુ એટલે અનેક સરકારી અધિકારી ઓળખે છે એટલે કોટવાળિયા સમાજના પ્રતિનિધિ તરીકે રાષ્ટ્રપતિ ભવનમાં જવા માટે મારી પસંદગી કરી છે. હું એનાથી બહુ ખુશ છું અને ગૌરવ અનુભુવું છું. અમને અદાણી ફાઉન્ડેશન તરફથી ખૂબ સાથ અને સહકાર મળ્યો છે. અત્યારે મળેલો મશીનરીનો સહયોગ મને આજ સુધી મળેલો સૌથી મોટો સહયોગ છે.
રુદ્રપ્રયાગઃ ઉત્તરાખંડમાં બાબા કેદારનાથ ધામની ભવ્યતાને હવે વધુ વધારવા માટે ધામના ગોળ પ્લાઝામાં ઓમની આકૃતિ સ્થાપિત કરવામાં આવશે. આ આકૃતિનું વજન 60 ક્વિન્ટલ હશે, જેને તાંબામાંથી બનાવવામાં આવશે. આ આકૃતિ ધામમાં સ્થાપિત કરવા માટે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા ટ્રાયલ સફળતાપૂર્વક કરવામાં આવી છે. આ ઓમને જલદીમાં જલદી સ્થાયી રીતે સ્થાપિત કરવામાં આવશે. કેદારનાથ ધામમાં લગનારી આ 60 ક્વિન્ટલ ઓમની આકૃતિને ગુજરાતના કલાકારોએ તાંબાથી બનાવી છે. આ ધામમાં સ્થાપિત કરવા માટે તાંબાથી વેલ્ડિંગ કરવામાં આવશે, જેથી ધામમાં આવતી કોઈ પણ દુર્ઘટનાની એના પર અસર ના થાય. પહેલા તબક્કામાં જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને PWDએ હાઇડ્રો મશીનની મદદથી ગોળ પ્લાઝામાં ઓમની આકૃતિને સ્થાપિત કરવા માટે ટ્રાયલ લીધી હતી, જે સફળ રહી હતી.
ઓમની આકૃતિને સ્થાપિત કરવા માટે એક વિડિયો પણ શેર કર્યો હતો, જેમાં ઓમને દોરી અને જેસીબીની મદદથી સ્થાપિત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કેટલાય લોકો પણ આ કાર્યમાં લાગેલા છે. ઓમને સ્થાપિત કર્યા પછી એના પર લાઇટિંગ પણ કરવામાં આવશે, જેથી રાત્રિના સમયે એ વધુ ભવ્ય રીતે દેખાય.
ઓમની આકૃતિને સંપૂર્ણ રીતે સુરક્ષિત કરવામાં આવશે. એની સાથે એ સ્નોફોલ અને કોઈ દુર્ઘટના વખતે ક્ષતિગ્રસ્ત ના થઈ શકે, એમ EE વિનય ઝિકવાંએ જણાવ્યું હતું. રુદ્રપ્રયાગના જિલ્લાધિકારી મયૂર દીક્ષિતે કહ્યું હતું કે ઓમની આકૃતિ સ્થાપિત થવાથી કેદારનાથ ગોળ પ્લાઝાની ભવ્યતા વધુ વધી જશે. ઓમ આકૃતિને સ્થાપિત કરવા માટે DDMA દ્વારા આવશ્યક કાર્યવાહી પૂરી કરવામાં આવી રહી છે.