નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 92 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,93,671 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,31,898 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,59,987 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 149 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 17846એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 69,638 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.19 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,34,967 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 356 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 20-24 જૂન સુધી અમેરિકાના સત્તાવાર પ્રવાસે ગયા છે. 20 જૂન, મંગળવારે ન્યૂયોર્કમાં તેઓ અમેરિકાના વિવિધ ક્ષેત્રોના દિગ્ગજ વ્યક્તિઓને મળ્યા હતા. અને તેમની સાથે સંબંધિત વિષયો પર ચર્ચા કરી હતી. એમાં ટેસ્લા ઈલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપનીના સ્થાપક ઈલોન મસ્ક, નોબેલવિજેતા અર્થશાસ્ત્રી પૌલ રોમર, ખગોળ-ભૌતિકશાસ્ત્રી નીલ ટાઈસન, પ્રોફેસર નસીમ તલેબ, લેખક રોબર્ટ થર્મન, લેખક-ઈન્વેસ્ટર રે ડેલિઓ, શિક્ષણવિદ્દોના ગ્રુપનો સમાવેશ થાય છે. (તસવીર સૌજન્યઃ પીઆઈબી, નરેન્દ્ર મોદી ટ્વિટર)
ઈલોન મસ્ક સાથે
નોબેલવિજેતા અર્થશાસ્ત્રી પૌલ રોમર સાથે
લેખક-ઈન્વેસ્ટર રે ડેલિઓ સાથે
લેખક રોબર્ટ (બોબ) થર્મન સાથે
પ્રોફેસર નસીમ તલેબ સાથે
ખગોળ-ભૌતિકશાસ્ત્રી નીલ ટાઈસન
શિક્ષણવિદ્દોના ગ્રુપનાં સભ્યો સાથે
ન્યૂયોર્ક એરપોર્ટ પર આગમન
એરપોર્ટ પર ભારતીય રાજદૂતો, અધિકારીઓ દ્વારા પીએમ મોદીનું સ્વાગત
ન્યૂયોર્ક એરપોર્ટ ખાતે ભારતીય સમુદાયનાં લોકોનું અભિવાદન સ્વીકારતા મોદી
વડા પ્રધાન મોદીને મળવા આવેલા ભારતીય સમુદાયનાં લોકોનો ઉત્સાહ
ન્યૂયોર્કઃ સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી નિરોગી રહેવા માટેની પ્રાચીન ભારતીય વિદ્યા – યોગમાંથી દુનિયાભરનાં લોકો પ્રેરણા લઈ શકે એ માટે દર વર્ષે 21 જૂનનો દિવસ દુનિયાભરમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આજે આ વિશેષ દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક વિડિયો સંદેશ બહાર પાડ્યો છે. એમાં તેમણે જણાવ્યું છે કે ભારતે હંમેશાં એવી પરંપરાઓને અપનાવી છે જે એકત્રિત કરે છે અપનાવે છે અને સમાવે છે. વડા પ્રધાને લોકોને અપીલ કરી છે કે યોગવિદ્યા મારફત આપણે અનેક પ્રકારના અંતર-વિરોધ, ગતિ-રોધ, પ્રતિ-રોધને નાબૂદ કરી દઈએ.
મોદીએ વધુમાં કહ્યું છે કે, ભારતનાં લોકોએ નવા વિચારોનું સ્વાગત કર્યું છે, એમનું જતન કર્યું છે અને દેશની સમૃદ્ધ વિવિધતામાં એકતાને વધાવી છે. યોગવિદ્યા આવી લાગણીઓને વધારે મજબૂત બનાવે છે, આંતરિક દ્રષ્ટિકોણને વિસ્તૃત બનાવે છે અને આપણને એવી ચેતના સાથે જોડે છે જે આપણને જીવમાત્ર પ્રત્યે પ્રેમના આધાર સાથે એકતાની અનુભૂતિ કરાવે છે.
સત્સંગ એટલે સત્યનો સંગ, વાસ્તવિક સાથે સંપર્ક.સત્સંગ એટલે તમને સમજ ના પડે એવા કેટલાક ભજન ગાવા એવું નથી. સંગીત તેનો એક ભાગ છે. બીજો ભાગ છે તર્ક સમજવો. ત્રીજો ભાગ છે ધ્યાનની ગહેરાઈમાં વિશ્રામ કરવો અને પોતાની જાત સાથે રહેવું. તો યોગ્ય સંગ કયો છે? એ કે જેનાથી તમને હળવાશ અનુભવાય,એ કે જેનાથી લાગે કે તમે માન્યું હતું તેના કરતાં સમસ્યા નાની છે. તમને સમસ્યાનું સ્વરૂપ મોટું કરીને બતાવે તો એ સત્સંગ નથી. સત્સંગ એ એવું સ્થળ છે જ્યાં લોકો તમારા વિશે શું વિચારે છે તેને તમે ભૂલી શકો અને તમે જેવા છો એવા રહો. સામાન્ય રીતે જે લોકો ઉજવણી કરતા હોય છે તેઓ ગહેરાઈમાં પહોંચતા નથી અને જે લોકો મૌનનો અનુભવ કરે છે તે ઉજવણી કરતા નથી. પરંતુ જ્યારે આપણે મૌન અને ઉજવણી બન્નેને મહત્વ આપીએ છીએ ત્યારે સત્સંગ થાય છે. સંગીતનો ઉદ્દેશ તમારી અંદર ગહેરાઈમાં મૌન ઉત્પન્ન કરવાનો છે અને મૌનનો ઉદ્દેશ જીવનમાં ગતિશીલતા ઉત્પન્ન કરવાનો છે.
સંગીત ‘લય યોગ’ છે. લય એટલે એકરૂપ થઈ જવું. એ સમાધિની પરાકાષ્ઠા છે(ઈશ્વર સાથે તાદાત્મ્ય). ધ્વનિ ઊર્જાનું એક સ્વરૂપ છે.તમારું આખું શરીર અણુઓનું બનેલું છે. જ્યારે તમે ભજન ગાવ છો ત્યારે ધ્વનિની ઊર્જાના સ્પંદન તમારા શરીરના દરેક કણમાં શોષાય છે. જેવી રીતે માઈક્રોફોન અવાજને શોષે છે અને તેનું વીજળીમાં રૂપાંતર કરે છે તેવી રીતે શરીર સ્પંદનોને શોષે છે અને તેમનું ચેતનામાં રૂપાંતરણ કરે છે.જો તમે બેસીને પંચાત કે ઉશ્કેરણીજનક સંગીત સાંભળતા હોવ તો તમારું શરીર તે શોષે છે અને કંઈ સારો અનુભવ આપતું નથી.જ્યારે તમે જ્ઞાન સાંભળો છો કે ભાવથી જપ કરો છો તો તે તમારી ચેતનાને ઉચ્ચ સ્તરે લઈ જાય છે.
જ્યારે તમે સત્સંગમાં બેસો છો ત્યારે તમારું આખું શરીર ઊર્જામાં તરબોળ થઈ જાય છે અને પરિવર્તન થાય છે. તમારામાં ઊર્જા ઉત્પન્ન થાય છે અને ચેતનાને ઊંચકે છે કારણ કે ધ્વનિની ઊર્જા બહુ સહેલાઈથી મનમાં ઉતરે છે. શરીર પાંચ તત્વોનું બનેલું છે–પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ. ધ્વનિ એ આકાશનો ગુણ છે, ધ્વનિ ઐક્ય સાધે છે. તે તમારા શરીરના સમસ્ત પોલાણોમાં સ્પંદન કરે છે. તે રીતે મન અને ચેતનાનું નિર્માણ થાય છે. આપણા મન અને ચેતના બહુ પ્રાચીન છે;હજારો વર્ષ જૂના છે. જ્યારે તમે ચેતનાના વિવિધ સ્તરમાં જાવ છો ત્યારે ત્યાં અલગ અલગ ભાષાઓ હોય છે. આપણી ચેતનાનું સૌથી પ્રાચીન સ્તર દુનિયાની સૌથી પ્રાચીન ભાષા -સંસ્કૃત સમજી શકે છે. જ્યારે આપણે બેઠા હોઈએ, વિચારતા હોઈએ કે વાતો કરતા હોઈએ ત્યારે દરેક મન જુદી રીતે વિચારતું હોય છે, એક સરખી રીતે નહીં પરંતુ જ્યારે આપણે સંસ્કૃત ભજન ગાઈએ છીએ ત્યારે આપણું મન કે જે અતિ પ્રાચીન છે તે આ જૂના ભજનોની છાપને ઓળખી કાઢે છે. આપણી ચેતના સાથે તે છાપ એકરૂપ થઈ જાય છે અને અંદર ગહેરાઈમાં ક્યાંક સંયોજન થાય છે. ભજનો અને મંત્રો મનમાં ઊંડી છાપ પાડે છે જ્યાં તે લાંબા સમય સુધી રહે છે. આ એક બ્રશ જેવું છે. બધા દાંતા સાથે મળીને મનની બધી ગાંઠો સાફ કરે છે.
ભલે આપણને કેટલાક શબ્દોના અર્થ ખબર ના હોય છતાં આપણે તેમનો જપ કરીએ છીએ કારણ કે માત્ર તેમને જપવાની સકારાત્મક અસર હોય છે. અર્થ ખબર હોવો એ અગત્યનું નથી. માત્ર અવાજ પૂરતો છે. આથી જ્યારે આપણે ગાઈએ છીએ ત્યારે આપણે કેટલું ગાઈએ છીએ અને ક્યાં ગાઈએ છીએ એ અગત્યનું નથી. બસ તમારી આંખો બંધ કરો અને સંગીત તથા અવાજ સાથે એકરૂપ થઈ જાવ. ભજન દ્વારા બનતા અવકાશમાં એકરૂપ થઈ જાવ.
આપણે સામાન્ય રીતે માનીએ છીએ કે ભજન એટલે માત્ર ગીતો ગાવા. એ એવું નથી. ભજન એટલે વહેંચવું. ઈશ્વર પ્રેમસ્વરુપ છે. તમે જ્યારે એ પ્રેમમાં ખીલો છો ત્યારે તમે એ પ્રેમ વહેંચો છો. ઈશ્વર કરુણાસ્વરુપ છે. તમે જ્યારે કરુણા દાખવો છો ત્યારે તમે ભજનમય હોવ છો. જ્યારે મન સો ટુકડાઓમાં વહેંચાયેલું હોય છે ત્યારે દુખ ઉત્પન્ન થાય છે. મનના એ જ ટુકડાઓ જ્યારે એકત્રિત થાય છે ત્યારે એક એકમ બને છે ત્યારે આનંદ ઉદ્ભવે છે. જ્યારે તમે સત્સંગમાં બેસો છો, જ્યારે ધ્યાન કરો છો ત્યારે તમે પોતાની જાતને એ આંતરિક સંગીતના, સંપૂર્ણ આનંદના સ્રોતની સમીપ લાવો છો. એકવાર જ્યારે ચેતના એકત્રિત થયેલી હોય છે, એકરૂપ હોય છે ત્યારે ચેતનાની તે અવસ્થા આનંદ કહેવાય છે. કુદરત લયબદ્ધ રીતે કામ કરે છે!આપણું શરીર લયબદ્ધ રીતે કામ કરે છે!જ્યારે જ્ઞાન, ધ્યાન અને સંગીત લયબદ્ધ બને છે ત્યારે જીવન એકદમ સંવાદિત બને છે. આપણી લય કુદરત સાથે સંવાદિત હોય છે ત્યારે જીવન એક અદ્ભૂત અનુભવ બની રહે છે.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)
MBBSના ત્રીજા-વર્ષમાં ભણતો પૌત્ર અહન બેન્કર ગર્વથી કહે છે: “કોમ્પ્યુટર પર કામ કરતાં તો મને મારા દાદાએ શીખવ્યું!” દાદા એટલે વિશ્વવિખ્યાત શિક્ષણ-સંસ્થા IIM-Aના પાયાની પહેલી ઈંટ મૂકનાર, અમદાવાદના જાણીતા સ્ટ્રકચરલ-એન્જિનિયર સુરેશ બેન્કર!
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
અમદાવાદના સંસ્કારી કુટુંબમાં જન્મ. મામા ચંપકભાઈ બેન્કર પ્રમુખસ્વામીના પરમ-ભક્ત! પરદાદા અમદાવાદના શ્રેષ્ઠી નરોત્તમ ગુલાબચંદ! સાત ભાઈ,એક બહેનનું શિક્ષિત કુટુંબ. શરૂઆતનું ભણતર અને ઘડતર “બાલકુંજ”માં. મેડમ મોન્ટેસરીના હાથે ભોજનનો લાભ મળ્યો.પછી નવચેતન હાઇસ્કુલમાં. 1942ની ચળવળમાં મોટાભાઈએ ભાગ લીધો. વીર વિનોદ કિનારીવાળાને ગોળી વાગી ત્યારે મોટાભાઈ ત્યાં હાજર! LD એન્જિનિયરિંગમાંથી સિવિલ એન્જિનિયરિંગ ભણ્યા. નવું-નવું શીખવાની ખૂબ હોંશ એટલે વિવિધ પ્રોજેક્ટ પર કામ કર્યું. કંડલા-પોર્ટ પ્રોજેક્ટમાં, TIFRમાં ડૉ. હોમી ભાભાસાહેબ સાથે, ભુતા & એસોસિયેટમાં, આઇઆઇટી-પવાઈ, આઇઆઇએમ-અમદાવાદ, એનઆઈડી, ગાંધીનગર, જેવાં મોટાં પ્રોજેક્ટમાં શરૂઆતના તબક્કામાં કામ કર્યું. ગુણવત્તા સાથે બિલકુલ બાંધછોડ કરી નહીં, કામના વખાણ થાય ત્યારે આનંદ અને અભિમાન થાય છે. લુઈ કા’ન, બી.વી. દોશીસાહેબ, વિક્રમ સારાભાઈ, કસ્તુરભાઈ લાલભાઈ, ગૌતમભાઈ અને ગીરાબહેન સારાભાઈ, ડૉ. હોમી ભાભાસાહેબ, સેન કાપડિયા, JRD તાતા, પુપુલ જયકર, હેરી વીસ જેવા મહાનુભાવો સાથે કામ કરવાનું મળ્યું, ક્યાંક અંગત સંબંધો પણ બંધાયા! CEPT, SBSTમાં ડાયરેક્ટર તરીકે માનદ સેવાઓ આપી. ઇન્ડિયન કોન્ક્રીટ ઇન્સ્ટિટ્યૂટની ગુજરાતમાં સ્થાપના કરી, પહેલું નેશનલ કન્વેન્શન અમદાવાદમાં યોજ્યું.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
નાની ઉંમરમાં આંખની તકલીફ થઈ. પિતાને મદદ કરવા દીકરો(ડૉ. અલય બેન્કર) રેટિના-સ્પેશિયાલિસ્ટ થયો! આંખની તકલીફ છતાં રોજ બે કલાક છાપુ વાંચે. સંગીત સાંભળે, જાતજાતનું સંગીત ડાઉનલોડ કરે! ઘરમાં થોડું ચાલે. બપોરે જમીને આરામ કરે. નાનપણમાં કસરત કરેલી, ક્રિકેટ રમતા, એટલે કસાયેલું શરીર. સાંજે બહાર આંટો મારે. મોડી-સાંજે ફેમિલી સાથે જમે, વાતો કરે, ટીવી ઉપર સમાચાર, ક્રિકેટ, ડિટેક્ટિવ-સીરીયલ, વગેરે જુએ. પુત્ર સાથે ફોનથી અમેરિકા વાત કરે! દિવસ આખો પ્રવૃત્તિમાં જાય.
શોખના વિષયો :
શાસ્ત્રીય-સંગીતનો શોખ, શીખેલા પણ ખરા. રસોઈના ટીવી પ્રોગ્રામ જોવા ગમે. પ્રવાસનો ઘણો શોખ. દર-વર્ષે ગાડી લઈને ફેમીલી સાથે નીકળી પડતા. ચારધામથી રામેશ્વર સુધી, આખો દેશ ફરેલા છે. દીકરો સ્ટેનફર્ડમાં ભણી અમેરિકા રહે છે. 10-12 વખત અમેરિકા ગયેલા છે, ત્યાં પણ ઘણું ફર્યા છે! પતંગ ચગાવવા ગમે. દરેક ઉતરાયણમાં 50-60 મિત્રો અગાસીમાં ભેગા થાય, સાથે જમે, પતંગ ચગાવે અને આનંદ કરે! કોલેજકાળમાં ક્રિકેટ રમતા…તેમની ટીમ ઇન્ટર-કોલેજ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન થઈ હતી!
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
આંખનો રેટીનાનો પ્રોબ્લેમ ઘણા વખતથી છે. 2008માં હાર્ટ-અટેક આવ્યો હતો. બંને પગના ઓપરેશન થઈ ગયા છે. બાકી તબિયત એકદમ સરસ છે!
યાદગાર પ્રસંગ:
2008નો ઉતરાણનો દિવસ હતો. પુત્રના મિત્રો સાથે તેઓ ધાબે પતંગ ચગાવતા હતા. થોડીવારે પેટમાં દુખાવા લાગ્યું. પત્ની પણ ડોક્ટર(રમીલાબહેન બેન્કર,૨૦૨૦માં દેવ થયાં). તેમને લાગ્યું કે કંઈક અજુગતું થઈ રહ્યું છે. તેમણે દીકરાને બોલાવ્યો. હાજર મિત્રોમાં એક હાર્ટ-સર્જન. શું થઈ રહ્યું છે તેનો તરત ખ્યાલમાં આવી ગયો. ફોન કરીને 108 બોલાવી અને હોસ્પીટલમાં સમયસર ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ. 11:00 વાગે તેમણે પહેલી ફરિયાદ કરી અને 11:45 વાગે તો હોસ્પિટલમાં તેમના હૃદયમાં સ્ટેન્ટ લાગી ગયો હતો! આજે પંદર વર્ષે પણ હૃદયમાં બધું બરાબર છે!
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
નવું-નવું કરવાનો અને શીખવાનો શોખ. નવી ટેકનોલોજી વિકસાવે અને અજમાવે! પુત્રવધૂ ડૉ. દીપા બેન્કર(બાળ-રોગ-નિષ્ણાત, VS Hospital) ના મતે: “દાદા નવી ટેકનોલોજીથી વ્યસ્ત અને મસ્ત રહે છે..Technology Keeps Him Young!”
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
આઝાદીની ચળવળનો જુસ્સો અત્યારના યુવાનોમાં ક્યાંથી હોય? પણ આજના યુવાનોમાં તરવરાટ તો છે! સાચા રસ્તે જાય તો ભારતનું ભાવિ ઉજ્વળ છે! ભારતની બોલબાલા ભારતના યુવાનોને લીધે જ છે!
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
પૌત્ર અહન અને તેના મિત્રોને દાદા સાથે બહુ ફાવે! દાદાને પણ નવી જનરેશન સાથે ગમે. દાદાની પ્રોફેશનલ-વારસદાર આર્કિટેક્ટ પૌત્રી આહનાનો ખાસ આગ્રહ હતો: “ગ્રેજ્યુએશન માટે પપ્પા-મમ્મીની સાથે દાદાએ અમેરિકા આવવું જ પડે!” આ કૌટુંબિક પ્રેમ વારસામાં મળ્યો છે: સુરેશભાઈના પિતા આઠે ભાઈબહેનોને સાથે બેસાડીને છાપાં-મેગેઝીન વાંચતા!
સંદેશો :
ભારતમાં મોટો પ્રોબ્લેમ ભ્રષ્ટાચાર છે. ટેકનોલોજીના ઉપયોગથી મોદીસાહેબ વચેટીયાઓને ખસેડીને સીધા આમજનતા સુધી પહોંચ્યા છે. આપણે તેમને સહકાર આપવો જોઈએ. ટેકનોલોજીને લીધે તકો વધી છે. અસમાનતા દૂર થશે ત્યારે ભ્રષ્ટાચાર દૂર થશે.
આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, કામકાજ અર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું જ કામ કરવુ યોગ્ય છે, ભક્તિ અને દાનકર્મ કરવું સારું કહી શકાય.
આજનો દિવસ સરસ અને મસ્તીમજાક વાળો છે, તમને તમારા કામમાં અન્યનો સાથ સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , પ્રિયજન સાથેના કોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.
આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, તમે કોઈના સહયોગી બનવાની સારી ભૂમિકા ભજવી શકો છો , વેપારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને તમે કોઈને યથાશક્તિ કંઇક દાન કરવાની વૃત્તિ જાગે તેવું પણ બની શકે છે.
આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનું કામ કરવું યોગ્ય છે, શાંતિ અને પ્રભુભકિતમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ ખટપટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામમાં જોખમથી દુર રહેવું, ધાર્મિકસ્થળે દર્શન કરવા જવાના અને ક્યાંક દાનકે ભેટ આપવાના યોગ પણ બની શકે છે.
આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય, મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય તેવું બની શકે છે.
આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈલાભની વાત આપ લે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ પણ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળી શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને સદ્કાર્ય કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.
આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, કોઈ ધાર્મિકસ્થળની મુલાકાતથી તમારું મન ખુશી અનુભવે અને મનમાં કોઈ કામની સદભાવના જાગી શકે છે.
આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈવાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ દિવસભર રહ્યા કરે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવાથી એકાગ્રતા અને મનની સ્થિરતા સારી રહે.
આજનો દિવસ સારો છે,તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યુંકે મનનું કામ થઇ શકે તેની તમે સારી ખુશી અનુભવી શકો, વેપારના કામકાજમાં તમારા અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો છો, પરોપકાર કરવાની વૃતી જાગે, ધાર્મિકસ્થળમાં દાન,પુણ્ય,ભક્તિ કરવા જવાની ઈચ્છા જાગે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે અને તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામ કરવું સારું કહી શકાય, કોઈના કાર્યમાં મદદ કરવાથી મનને સારી ખુશી મળે.
આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈમાટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં આજે તમને અણધાર્યો સારો પ્રતિસાદ મળી શકે છે.
અમદાવાદઃ શહેરમાં જે વિસ્તારમાંથી રથયાત્રા પસાર થાય છે. એ દરિયાપુરનું એકદમ નજીક આવેલા કડિયાનાકા વિસ્તારની એક જર્જરિત ઇમારતનો સ્લેબ તુટી પડ્યો હતો. રથયાત્રાની ભીડ અને માનવ મહેરામણથી ધમધમતા વિસ્તારમાં સ્લેબ તૂટી પડતાં એક વ્યક્તિનું મોત અને 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
દરિયાપુરના કડિયાનાકા પાસે એક જર્જરિત ઇમારતની બાલ્કનીમાં રથયાત્રા આ લોકો ઊભા હતા, ત્યારે આ બાલ્કની તૂટવાની આ ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોમાં નાનાં બાળકો પણ હતાં. આ ઇજાગ્રસ્ત તમામ લોકોને સારવાર માટે તાત્કાલિક અસરથી શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. .રથયાત્રાના માર્ગ દરિયાપુર કડિયાનાકા પાસે મસ્જિદ નજીક મકાનની બીજા માળની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો છે, આથી નીચે ભગવાન જગન્નાથનાં દર્શન કરવા ઊભેલા ભાવિકો પર કાટમાળ પડ્યો હતો, આથી પોલીસ સહિત લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં ત્રણ બાળક અને 10થી વધુ લોકોને ઇજા પહોંચી હતી.
પોલીસે તમામ ઇજાગ્રસ્તને કાટમાળમાંથી બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે. જોકે રથયાત્રા વિના અવરોધે આગળ વધી રહી છે. આ દુર્ઘટનામાં એક યુવકનું મોત થયું છે.રથયાત્રા ચાલી રહી હતી એ દરમિયાન ટ્રકમાંથી લોકો પ્રસાદ આસપાસના લોકોમાં વહેંચી રહ્યા હતા. જોકે તેમને પણ પ્રસાદ આપવામાં આવ્યો હતો અને પ્રસાદ લેવા લોકો નીચે વળતાં બાલ્કની તૂટી પડી હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે.