Home Blog Page 2710

મફતમાં ટામેટાં, દુકાનદારે કાઢી ધમાકેદાર ઓફર, જાણો…

ભોપાલઃ હાલના દિવસોમાં ટામેટાં ન્યૂઝમાં છે. ક્યાંક ટામેટાંની ચોરી થઈ રહી છે તો ક્યાંક વેપારી ટામેટાંની સુરક્ષા માટે બાઉન્સરો રાખવામાં આવ્યા છે. સોશિયલ મિડિયા પર ટામેટાંની ચર્ચા સૌથી વધુ થઈ રહી છે, કેમ કે ટામેટાંની કિંમતો દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, પણ ક્યાંક ટામેટાં મફતમાં મળે તો? ત્યારે મધ્ય પ્રદેશના અશોકનગરમાં એક મોબાઇલ દુકાનદારે કમાલની ઓફર રાખી છે. શોપકીપરે એક સ્માર્ટફોનની ખરીદી પર બે કિલો ટામેટાં મફત આપવાની ઓફર શરૂ કરી છે. દુકાન પર આ ઓફરનું બોર્ડ પણ લગાવી દીધું છે. ત્યાર બાદ દુકાનદારને ત્યાં મોબાઇલ ખરીદવા લાઇન લાગી ગઈ છે.

વાસ્તવમાં મુસીબતોમાં તક શોધવી એ પણ એક કલા છે. મોબાઇલ દુકાનદારે મોબાઇલ શોરૂમમાંથી મફતમાં ટામેટાંનું સેલ લગાવી દીધું છે. દુકાનદારના જણાવ્યાનુસાર તેઓ આશરે એક ક્વિન્ટલ મફતમાં ટામેટાં વહેચી ચૂક્યો છે.

ટામેટાં મફતની સ્કીમ લોકોને પસંદ

દુકાનદાર અભિષેક અગ્રવાલનું કહેવું છે કે મફત ટામેટાંની ઓફર લોકોને પસંદ આવી છે. હાલ ટામેટાંની કિંમતો કૂદકે ને ભૂસકે વધી રહી છે, જેથી મેં દરેક સ્માર્ટફોનની ખરીદી પર ગ્રાહકોને બે કિલો ટામેટાં મફત આપવાની જાહેરાત કરી છે. એ સ્કીમથી અમને ઘણો લાભ થયો છે. આ ફ્રીમાં ટામેટાંની ઓફરનો વિડિયો સોશિયલ મિડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. કેટલાય લોકો ટામેટાંની કિંમતો પર મીમ્સ પણ બનાવી રહ્યા છે, એમ તેણે કહ્યું હતું.

દેશનાં બજારોમાં હાલના દિવસોમાં ટામેટાંની કિંમતો પ્રતિ કિલોએ રૂ. 160થી રૂ. 180 પહોંચ્યા છે, જ્યારે કેટલીક જગ્યાએ પ્રતિ કિલો રૂ. 200 સુધી પહોંચ્યા છે.

 

 

 

 

 

પ.બંગાળની હિંસા પર વિપક્ષની બોલતી કેમ બંધ?: ભાજપ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં આઠ જુલાઈએ 74,000 પંચાયતો માટે મતદાન થવાનું હતું. એ દરમ્યાન ખૂબ હિંસા થઈ અને પોલિંગ બૂથો પર મારપીટ, બૂથ લૂંટવાની ઘટનાઓ અને આગ ચાંપવાની ઘટનાઓ સામે આવી હતી. રાજ્યમાં ત્રણ તબક્કામાં પંચાયત ચૂંટણી માટે મત ગણતરી કડક સુરક્ષા વચ્ચે જારી છે. ભાજપે ચૂંટણી દરમ્યાન હિંસાને લઈને પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકાર પર નિશાન સાધ્યું હતું. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે બંગાળમાં પંચાયત ચૂંટણીમાં મત ગણતરી થઈ રહી છે અને હવે પંચાયત ચૂંટણીમાં 45 લોકોનાં મોત થયાં છે. વિધાનસભાની ચૂંટણી દરમ્યાન 52 લોકોનાં મોત થયાં હતાં. બંગાળમાં લોકતંત્ર દમ તોડી રહ્યું છે. આ દરમ્યાન માત્ર ભાજપના કાર્યકર્તાઓની હત્યા જ નથી થઈ, પણ અન્ય પાર્ટીઓના કાર્યકર્તાઓ પણ એમાં સામેલ છે.

ભાજપ પ્રવકતાએ જણાવ્યું હતું કે જો આ દ્રશ્ય ભાજપ શાસિત રાજ્યમાં જોવા મળ્યું હોત તો હાહાકાર મચી ગયો હોત. હવે રાહુલ ગાંધી ક્યાં છે? તેઓ મોહબ્બતની દુકાન ખોલવાના હતા. રાજ્ય સરકારે સંવેદનશીલ બૂથની યોગ્ય સંખ્યા નહોતી આપી. જેટલા પણ લોકો માર્યા ગયા છે, એમાં રાજ્યના જવાબદાર લોકો સામેલ છે. ફાયરિંગ, બોમ્બમારાથી મતપેટીઓ સળગાવવામાં આવી રહી છે. કેટલીક જગ્યાએ પોલીસને લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.

પંચાયત ચૂંટણી ગ્રામ પંચાયતની કુલ 63,229 સીટોમાંથી તૃણમૂલ કોંગ્રેસ 10,243 પર આગળ છે, જ્યારે ભાજપ 796 સીટો પર આગળ છે. લેફ્ટ 658 સીટો પર આગળ છે, જ્યારે કોંગ્રેસના 219 સીટો પર આગળ ચાલી રહ્યા છે.

 

 

 

હાઇકોર્ટે ઘોડા-ખચ્ચરોનાં મોત પર સરકાર પાસે જવાબ માગ્યો

નવી દિલ્હીઃ ચારધામ યાત્રામાં પશુઓનાં મોત અને ગેરવહીવટને હાઇકોર્ટે ગંભીર લાપરવાહી ગણાવી છે. કોર્ટે ચમોલી, ઉત્તર કાશીના DMની સાથે, ટુરિઝમ બોર્ડ અને પશુકલ્યાણ બોર્ડને પક્ષકાર બનાવતાં નોટિસ જારી કરીને જવાબ આપવા નિર્દેશ આપ્યા છે. મુખ્ય જસ્ટિસ વિપિન સાંધી અને જસ્ટિસ રાકેશ થપલિયાલની ખંડપીઠે આગામી સુનાવણી માટે પાંચ સપ્ટેમ્બર નક્કી કરી છે.

દિલ્હી નિવાસી અજય ગૌતમે હાઇકોર્ટમાં જનહિત અરજી દાખલ કરીને કહ્યું હતું કે ચારધામ યાત્રા માર્ગમાં ચોતરફ અવ્યવસ્થા ફેલાયેલી છે. પ્રતિ દિન 25,000થી વધુ શ્રદ્ધાળુઓ અહીં પહોંચી રહ્યા છે, પણ તેમના માટે ખાણીપીણી અને રહેવાની સુવિધા નથી. ચારધામ યાત્રામાં ઘોડા-ખચ્ચરોની સાથે અમાનવીય વ્યવહાર થઈ રહ્યો છે. એમની પાસેથી કામ લેવા માટે એમને નશો પણ કરાવવામાં આવે છે. અત્યાર સુધી 400થી વધુ ઘોડા-ખચ્ચરોનાં મોત થઈ ચૂક્યાં છે. વહીવટી તંત્ર ખામોશ છે. અરજીકર્તાના જણાવ્યાનુસાર નશાનું ચલણ વધી રહ્યું છે. હવે આ મુદ્દો ઉઠાવવામાં આવતાં સ્થાનિક વેપારીઓ શ્રદ્દાળુઓની સાથે મારપીટ કરી રહ્યા છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પશુઓના મૃતદેહોને નદીઓમાં ફેંકી દેવામાં આવે છે, જેનાથી નદી અને પર્યાવરણ પણ પ્રદૂષિત થઈ રહ્યાં છે.

સોશિયલ મિડિયા પર અહીંની ગેરવ્યવસ્થા બતાવવામાં આવી રહી છે, પણ સરકાર કે વહીવટી તંત્ર કોઈ કાર્યવાહી નથી કરી રહ્યાં. અરજીમાં કોર્ટને પ્રાર્થના કરવામાં આવી છે કે ચારધામ યાત્રા બધી વ્યવસ્થા પુનઃ સ્થાપિત કરવામાં આવે અને પશુઓ પરના દમનને અટકાવવામાં આવે અને નશાના વેપારને અટકાવવા માટે આકરાં પગલાં લેવામાં આવે.

 

 

 

 

મૌસમી ચેટર્જીએ ઘણી ફિલ્મો છોડી હતી       

મૌસમી ચેટર્જીએ રાજ ખોસલાથી લઈ બાસુ ચેટર્જી સુધીના અનેક જાણીતા નિર્દેશકોની ફિલ્મો કરી હતી પણ એક વખત ઋષિકેશ મુખર્જીએ કાઢી મૂક્યા પછી એમની કોઈ ફિલ્મ કરી ન હતી. મૌસમીને આવા અનેક અનુભવ થયા હતા. ઋષિદા એમના પરિવારના મિત્ર હતા. મૌસમીના પતિ જયંત મુખર્જી અને સસરા ગાયક – સંગીતકાર હેમંતકુમાર સાથે ઋષિદાને સારા સંબંધ હતા. તેઓ ફિલ્મ ‘ગુડ્ડી’ (૧૯૭૧) માં મૌસમીને જ લેવા માગતા હતા. મૌસમી એમને મળી અને બધું જ નક્કી થઈ ગયું હતું. પછી અચાનક ઋષિદાએ મૌસમીને કાઢીને જયા ભાદુરીને લીધી હતી. ત્યારે મૌસમીએ એમને કોઈ સવાલ કર્યો ન હતો પણ એમની સાથે ફરી ક્યારેય કામ ન કરવાની કસમ ખાધી હતી.

મૌસમીએ ભલે એમની ફિલ્મમાં કામ ના કર્યું પણ એમના આગ્રહથી દૂરદર્શનની સિરિયલ ‘તલાશ’ (૧૯૯૨) કરી હતી. મૌસમીએ પહેલાં એમ કહીને ના પાડી હતી કે એ એમની ઘરની સિરિયલ હતી. એનું નિર્માણ પતિ અને સસરા કરી રહ્યા હતા. તેથી એમાં કોઈ મહેનતાણું મળવાનું ન હતું. ત્યારે ઋષિદાએ એને ઘરે બોલાવીને ‘ગુડ્ડી’ માં એને રાખી શક્યા ન હોવાથી ‘તલાશ’ માં રાખીને પ્રાયશ્ચિત કરવા માગતા હોવાનું કહ્યા પછી એણે કામ કર્યું હતું. નિર્દેશક શક્તિ સામંતાએ પણ મૌસમી સાથે એવું જ કર્યું હતું. મૌસમીને એમણે વિનોદ મહેરા સાથે ફિલ્મ ‘અનુરાગ’ (૧૯૭૨) માં એક અંધ છોકરી તરીકે પહેલી વખત ચમકાવી હતી.

આમ તો મૌસમીએ પહેલી ફિલ્મ ‘કચ્ચે ધાગે’ (૧૯૭૩) વિનોદ ખન્ના સાથે સાઇન કરી હતી. પણ એ મોડી રજૂ થઈ હતી. શક્તિદાએ ‘બરસાત કી એક રાત’ (૧૯૮૧) માં અંધ છોકરીની ભૂમિકા હતી ત્યારે પણ પહેલાં મૌસમીને જ પસંદ કરી હતી. એને ધ્યાનમાં રાખીને જ ત્રણ દિવસ શૂટિંગ પણ કર્યું હતું. પછી અચાનક એને કાઢીને અમિતાભ બચ્ચન સામે અભિનેત્રી રાખીને લીધી હતી. મૌસમીનું કહેવું છે કે તે પોતાના સિધ્ધાંતો સાથે સમજૂતિ કરવા માગતી ન હોવાથી કારકિર્દીમાં ઘણી ફિલ્મો છોડી દીધી હતી.

સંજીવકુમાર સાથેની નિર્દેશક ગુલઝારની ફિલ્મ ‘કોશિશ’ (૧૯૭૨) માં તે હતી. થોડા દિવસના શૂટિંગ પછી મૌસમીએ જ એ ફિલ્મ છોડી દીધી હતી. દીપા મહેતાની ફિલ્મ ‘વોટર’ (૨૦૦૫) પહેલાં મૌસમીને ઓફર થઈ હતી. એમાં જે મહિલાનું પાત્ર હતું તે બ્લાઉઝ પહેરતું ન હોવાથી પોતાને અનુકૂળ રહે એમ ન હતું તેથી ના પાડી દીધી હતી. મૌસમીએ મા બનવાની હતી ત્યારે પણ ઘણી ફિલ્મો માટે ના પાડી હતી અને જે સાઇન કરી હતી તેના રૂપિયા પાછા આપી દીધા હતા. મનોજકુમારની ફિલ્મ ‘રોટી કપડા ઔર મકાન’ (૧૯૭૪) ના શૂટિંગ વખતે તે ગર્ભવતી હોવાથી ‘તેરી દો ટકીયા કી નૌકરી મેં’ ગીત એના બદલે ઝીનત અમાન પર ફિલ્માવવામાં આવ્યું હતું. બાસુ ભટ્ટાચાર્યએ ફિલ્મ ‘આસ્થા’ (૧૯૯૭) મૌસમીને ઓફર કરી હતી. મૌસમીએ જ્યારે એની વાર્તા સાંભળી ત્યારે મહિલાપ્રધાન હોવા છતાં એનો વિષય પસંદ ના આવતા ના પાડી દીધી હતી. એ પછી બાસુદાએ ફિલ્મમાં રેખાને લીધી હતી.

કોરાનાના 20 નવા કેસો, એક પણ મોત નહીં   

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 20 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,94,619 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,913 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,61,286 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 31 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1420એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 49,178 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.29 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,44,745 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 809 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

અક્કલ અંધારામાં વહેંચાઈ હતી

 

         

       અક્કલ અંધારામાં વહેંચાઈ હતી

 

અક્કલ એટલે કે બુદ્ધિ. જેમ માણસની પાંચેય આંગળીઓ સરખી નથી હોતી તેમ દરેકમાં બુદ્ધિક્ષમતા પણ વધારે ઓછી હોય છે. આ કારણથી એવું કહેવાય છે કે આપણો સર્જનહાર ઈશ્વર જ્યારે અક્કલ વહેંચવા બેઠો ત્યારે ઘોર અંધારી રાત હતી.

આ કારણથી બધાને ભાગ સરખી અક્કલ ના આવી. બધાની બુદ્ધિ સરખી નથી ચાલતી એ તથ્ય ઉજાગર કરવા આ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

જાહેર સ્થળોએ ધૂમ્રપાન કરનારને થશે રૂ.200નો દંડ

મુંબઈઃ શહેરમાં જાહેર સ્થળોએ તમાકુ, તમાકુજન્ય પદાર્થ ખાવા પર ધૂમ્રપાન કરવા પર પ્રતિબંધ તો લાગુ છે જ, હવે આવા સ્થળોએ ધૂમ્રપાન કરનાર, તમાકુવાળા પદાર્થ ખાનાર અને થૂંકનારને 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. જાહેર આરોગ્ય વિભાગે આ વિશે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જાહેર સ્થળોની યાદીમાં શાસકીય, બિન-શાસકીય કાર્યાલયો, ખાનગી ઓફિસો, શાસકીય સંસ્થાઓ, કાર્યાલયમાં કામકાજની જગ્યાઓ, કેન્ટીન, શાળા, કોલેજો વગેરેનો સમાવેશ થાય છે.

મહારાષ્ટ્ર સરકારના મુખ્ય સચિવે યોજેલી બેઠકમાં રાજ્ય સરકારને નેશનલ ટોબેકો કન્ટ્રોલ કાયદા તેમજ તેને લગતા અન્ય કાયદાઓનો અસરકારક રીતે અમલ કરવાની ભલામણ કરવામાં આવી હતી. તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે હવે રૂ. 200ની પેનલ્ટી ફટકારવાનો નિર્ણય લીધો છે. સરકારી ઈમારતોના પ્રવેશદ્વાર પર જ આની જાણ કરતું બોર્ડ મૂકવામાં આવશે.

યૂક્રેનમાં શાંતિની સ્થાપના માટે ભારતની મદદની અમેરિકાએ સરાહના કરી

વોશિંગ્ટનઃ રશિયા સાથેના યુદ્ધને કારણે બરબાદ થયેલા યૂક્રેન દેશમાં શાંતિના વાતવરણની લાંબા સમય સુધી સ્થાપના થાય એ માટેના પ્રયાસોમાં ભારતે કરેલી મદદની અમેરિકાએ સરાહના કરી છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યૂ મિલરે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે રશિયાની વ્યૂહાત્મક નિષ્ફળતાને કારણે બંને દેશે અસંખ્ય સૈનિકોનો ભોગ લેવાઈ ગયો છે. દુનિયાના દેશોને પણ આ યુદ્ધની માઠી અસર પહોંચી છે. આર્થિક પ્રતિબંધો અને નિકાસ નિયંત્રણો લાદવાને કારણે વૈશ્વિક અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે. યૂક્રેનમાં શાંતિની સ્થાપના માટે અનેક દેશો મદદ કરી રહ્યાં છે. ભારતે આમાં ભજવેલી ભૂમિકાની અમે પ્રશંસા કરીએ છીએ, જે યૂક્રેનના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડતાનો આદર કરે એવી ન્યાયી અને લાંબા સમય સુધી ટકે એવી શાંતિની સ્થાપના કરાવવામાં મદદરૂપ થાય છે.

ઉલ્લેખનીય છે કે, યૂક્રેન પર તેના પડોશી રશિયાએ કરેલા લશ્કરી આક્રમણને 500 દિવસ પૂરા થઈ ગયા છે.

૧૧ જુલાઈ – ‘વિશ્વ વસ્તી દિવસ’: ગુજરાતનો શું સંકલ્પ છે?

યુનાઇટેડ નેશન્સ (United Nations) સંસ્થા દ્વારા ૧૧ જુલાઇ, ૧૯૮૯ની સામાન્ય સભામાં ‘વર્લ્ડ પોપ્યુલેશન ડે’ ઉજવવાનો નિર્ણય કરાયો હતો. હકીકતમાં ૧૧ જુલાઇ, ૧૯૮૭ સુધી વિશ્વની વસ્તીનો આંકડો પાંચ અબજને પાર પહોંચી ગયો હતો. ત્યારે વિશ્વમાં લોકોની વધતી સંખ્યા પ્રત્યે જાગૃતિ લાવવા માટે તેને વૈશ્વિક સ્તરે આ દિવસ મનાવવાનો નિર્ણય કરાયો હતો. આમ, ભારત સહિત સમગ્ર વિશ્વમાં ૧૧, જુલાઈને ‘વિશ્વ વસ્તી દિન’ તરીકે ઉજવવામાં આવે છે.

આ દિવસ કુટુંબ નિયોજન કાર્યક્રમને ઉજાગર કરે છે. વસ્તી વિસ્ફોટ એ સમગ્ર વિશ્વના મોટાભાગના દેશોને મુંઝવતી જટિલ સમસ્યા બની ગઈ છે.વિશ્વના વિકસિત અને વિકાસશીલ એમ બંને દેશોમાં જે દરે વસ્તી વધારો થઈ રહ્યો છે તે ચિંતાનો વિષય છે. યુએનના અંદાજ પ્રમાણે વિશ્વની કુલ વસ્તી ૭.૩૦ અબજના આંકને આંબી ગઇ છે. દુનિયાના વિકાસશીલ દેશોમાં ૯૦ થી ૯૩ ટકાના દરે વસ્તી વધારો થઈ રહ્યો છે જેમાં ખાસ કરીને ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ,નેપાળ જેવા દેશોમાં તો વસ્તી વિસ્ફોટના દરના પ્રમાણમાં તીવ્ર ગતિએ વધારો થયો છે.

ભારતમાં વસ્તી વિસ્ફોટને અંકુશમાં લેવા વિશ્વમાં કુટુંબ નિયોજન કાર્યક્રમને વધુ અસરકારક અને વેગવાન બનાવવાની ખાસ જરૂર ઊભી થઈ છે.જો કે ભારત દેશે વિશ્વમાં સૌ પ્રથમ છેક ૧૯પરમાં રાષ્ટ્રીય વસ્તી નીતિ કાર્યક્રમ હાથ ધરી વસ્તી વધારાની સમસ્યાને હળવી બનાવવાની દિશામાં નવી પહેલ કરી હતી.

મુખ્ય હેતુ:

રાજ્યનો કુલ પ્રજનન દર ઘટાડી વસ્તી નિયંત્રણ અટકાવી રાજ્યનો વિકાસ ઉપરાંત કુટુંબ નિયોજનની પદ્ધતિનો વ્યાપ રાજ્યના દરેક કુટુંબ સુધી પહોંચે અને જેના પરિણામે માતા મૃત્યુ દર અને બાળ મૃત્યુ દર ઘટાડવામાં વધુ મદદ મળશે.

પરિવાર નિયોજનને સફળ બનાવવા સ્ત્રી-પુરુષ બંનેએ પરિવાર નિયોજનના પ્રયોગો અપનાવવા જોઈએ. જેમાં પુરુષો માટે ચિરા કે ટાંકા વગરનો નસબંધી અને સ્ત્રીઓ માટે લેપ્રોસ્કોપી પદ્ધતિથી વંધ્યીકરણ જેવી પરિવાર નિયોજનની પદ્ધતિઓ અપનાવી શકાય છે. આ ઉપરાંત પુરુષો માટે નિરોધ અને સ્ત્રીઓ માટે કોપર ટી, ગર્ભનિરોધક ગોળીઓ, માલા એન, છાયા જે પ્રથમ ત્રણ માસ માટે અઠવાડિયામાં બે વખત અને ત્રણ માસ પછી અઠવાડિયામાં એક વખત ઉપરાંત, અંતરા ઇન્જેક્શન દર ત્રણ માસે એક વખત જેવાં પગલાંનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં વિશ્વ વસ્તી દિવસ બે ભાગમાં મનાવાશે:

સમગ્ર ગુજરાતમાં દર વર્ષે ૧૧ જુલાઇના દિવસે ‘વિશ્વ વસ્તી દિવસ’ મનાવવામાં આવે છે. ‘આઝાદીના અમૃત મહોત્સવમાં ‘અમે આ સંકલ્પ લઈશું, કુટુંબ નિયોજનને સુખનો વિકલ્પ બનાવીશું’ એ સૂત્રને સાર્થક બનાવવા આ વર્ષે રાજ્યમાં બે ભાગમાં વસ્તી દિવસ મનાવાઇ રહ્યો છે. જેમાં તા.૨૭ જૂનથી ૧૦મી જુલાઈ દરમિયાન ‘દંપતી સંપર્ક પખવાડિયુ’ અને તા.૧૧ જુલાઈથી તા.૨૪ જુલાઈ, ૨૦૨૩ સુધી ‘જનસંખ્યા સ્થિરતા પખવાડિયુ’ મનાવવામાં આવી રહ્યું છે.

તા. ૧૧ જુલાઇ ૨૦૨૩ થી ૨૪ જુલાઇ ૨૦૨૩ દરમ્યાન ‘Population Stabilisation fortnight’ (જનસંખ્યા સ્થિરતા પખવાડિયું) હેઠળ જિલ્લા હોસ્પિટલ, એફ.આર.યુ.,સા.આ.કે. ખાતે કેમ્પના માધ્યમથી કાયમી અને બિનકાયમી કુટુંબ કલ્યાણની પદ્ધતિઓનો મોટા પાયે લાભ આપવામાં આવશે. આ કેમ્પ દરમિયાન જાગરૂકતા સાહિત્યનું વિતરણ અને વધારામાં નોન સ્કાલપેલ વાઝેકટોમી (એન.એસ.વી.) ઉપર વધારે ભાર મુકીને પુરૂષ ભાગીદારી વધારવા અંગે પણ પ્રયત્ન કરવામાં આવશે.

કોઈપણ દેશ કે રાજ્યની વસ્તી સ્થિરતા માટે કુલ પ્રજનન દર ૨.૧ હોવો જરૂરી છે, જે NFHS -5 પ્રમાણે ગુજરાતે ૧.૯નો દર હાંસલ કર્યો છે જે ઘણી મોટી સિદ્ધી છે. તેમ છતા દૂરદરાજ / અંતરિયાળ વિસ્તારમાં આ દર વધુ હોવાની શકયતા છે, ત્યાં રાજ્ય સરકારની area specific approach થકી કામગીરી કરવામાં આવે છે.

વસ્તી નિયંત્રણ જાગૃતિના વિવિધ કાર્યક્રમો:

આ દરમિયાન એ.એન.એમ. અને આશાબહેન દ્વારા પોતાના વિસ્તારમાં દરેકને આ કાર્યક્રમની જાણ થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ બે અઠવાડિયા દરમિયાન તાલુકા, શહેર અને જિલ્લાઓમાં મુખ્યત્વે કુટુંબ ક્લ્યાણ અંતર્ગત અલગ-અલગ પદ્ધતિઓનું પ્રદર્શન, જરૂરતમંદ લાભાર્થી સાથે પરિવાર નિયોજન અંગે માહિતી આપવી, આઇ.ઇ.સી  દ્વારા અલગ-અલગ પ્રવૃતિ અંતર્ગત દરેક ગામમાં બેનર, પોસ્ટર તથા હોર્ડિંગ્સ લગાવવાના રહેશે.

જેમાં ખાસ કરીને લગ્નની નિયત ઉંમર ૨૦ વર્ષ, બાળક થવાનો યોગ્ય સમયગાળો, પોસ્ટ પાર્ટમ અને પોસ્ટ એબોર્શન, ફેમીલી પ્લાનીંગ સેવાઓ, પુરુષ ભાગીદારી વિગેરે વિષયો આવરી લેવા તેમજ ફેમિલી પ્લાનિંગનો નવો લોગો –સ્લોગન દરેક આરોગ્ય સંસ્થા ખાતે પ્રદર્શિત કરવાનું આયોજન કરાયું છે.

આવો, આપણે સૌ ‘વિશ્વ વસ્તી દિવસ’ નિમિતે ‘આઝાદીના અમૃત મહોત્સવમાં અમે આ સંકલ્પ લઇશું, કુટુંબ નિયોજનને સુખનો વિકલ્પ બનાવીશું’ થીમને અનુસરીએ.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો