અક્કલ અંધારામાં વહેંચાઈ હતી

 

         

       અક્કલ અંધારામાં વહેંચાઈ હતી

 

અક્કલ એટલે કે બુદ્ધિ. જેમ માણસની પાંચેય આંગળીઓ સરખી નથી હોતી તેમ દરેકમાં બુદ્ધિક્ષમતા પણ વધારે ઓછી હોય છે. આ કારણથી એવું કહેવાય છે કે આપણો સર્જનહાર ઈશ્વર જ્યારે અક્કલ વહેંચવા બેઠો ત્યારે ઘોર અંધારી રાત હતી.

આ કારણથી બધાને ભાગ સરખી અક્કલ ના આવી. બધાની બુદ્ધિ સરખી નથી ચાલતી એ તથ્ય ઉજાગર કરવા આ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)