Home Blog Page 2711

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૧૧ જૂલાઈ, ૨૦૨૩

૧૧ જૂલાઈ, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 11/07/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસે થોડી સાવચેતી રાખવી અગત્યની છે અને તમારા ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, હિતાવહ છે, યુવાવર્ગ માટે તેમની લાગણી કોઈ સમજાતું નથી તેવી મનમાં ફરીયાદ રહે, વેપારના કામકાજમાં જોખમ ટાળવું, વડીલવર્ગ આજે કોઈને વણમાગી સલાહ ના આપવી.


આજનો દિવસ તમારો સારો છે અને ઉત્સાહ પણ જોવા મળે, તમારા નવીનકામનું આયોજન થાય, તેમજ જુનામતભેદ ભૂલવાની તક મળે, લગ્નમાટેની વાતચીતમાંકે મિલનમુલાકાત દરમિયાન તમારી પ્રતિભા સારી દેખાઈ આવે અને તમને તેની ખુશીનો અનુભવ પણ થાય, વેપારના કામમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ અને મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક નાણાકીય ખર્ચ થઈ છે તેમજ પ્રવાસનું આયોજન પણ થઇ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારાપરિણામની આશા જોવા મળે , યુવાવર્ગને પોતાના મનનીવાત ક્યાંક કહેવામાં તક ઝડપવામાં થોડી તકલીફ પડી શકે તેવું બની શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તેમજ કોઇપણ પ્રકારના વિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું જરૂરી છે, યુવાવર્ગને પોતાના મનમાં રહેલી લાગણી કોઈ દુભાવી રહ્યું હોય તેવું મનમાં ફરિયાદ રહ્યા કરે, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, વાણીસયમ રાખવો ઇચ્છનીય કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે અને તેમાં પણ કામમાં વ્યસ્ત વધુ રહેવાય, થોડી મનમાં ક્યાંક અશાંતિ રહે, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, યુવાવર્ગમાં ધીરજનો અભાવ જોવા મળી શકે છે તેમજ પ્રિયજન સાથે વાદવિવાદના થાય તેનું ધ્યાન રાખવું, મુસાફરી થોડી કંટાળાજનક અને ખર્ચાળ બની શકે છે.


આજનો દિવસ સારો છે અને તેમાં ખાસ કરીને જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે, યુવાવર્ગને મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થઇ શકે અને તેમાં તેમને સારી ખુશીનો અનુભવ થાય, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, ક્યાંક નવીનઓળખાણથી તમને આનંદની લાગણી અનુભવો.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે, પાડવા-વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે , હિતશત્રુ, ખટપટી લોકોથી દુર રહેવું, વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવું, પ્રિયજન સાથે મતભેદકે મનદુઃખના થાય તેની કાળજી રાખવી જરૂરી છે.


આજનો દિવસ યાદગાર બની શકે છે તેમાં પણ તમારી જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી બેવડાઈ જાય, કામની કદર થાય, યુવાવર્ગને પસંદ પડે તેવી વાત સંભાળવા મળે શકે છે, વેપારીવર્ગને  કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય તેવા સંજોગો ઉભા થાય.


આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું, યુવાવર્ગ આજે કોઈની ખોટીદોરવાણીથી દોરવાયના જવાય તેનું ધ્યાન રાખવું,  વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, વડીલવર્ગે આજે કોઈને વણમાંગી સલાહ ન આપવી.


આજનો દિવસ સારો છે અને તમને પણ ઉત્સાહ સારો રહે, કયાંક મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકે મનનું કામ થઇ  શકે જેમાં તમે ખુબ આનદની લાગણી અનુભવો, લગ્નમાટે ક્યાય વાતચીત કરવી પણ યોગ્ય બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, વેપારમાં લાભની તક છે.


આજનો દિવસ સામાન્ય છે તમે કામમાં વધુ વ્યસ્ત રહો, કોઈ જુનાકામમાં જલ્દીથી ઉકેલન આવે તેને લીધે તમે કામ ટાળવાની નીતિ અપનાવો,  યુવાવર્ગ માટે પોતાના વર્તનમાં શાંતિ જાળવવી જેથી તમારાથી કોઈની લાગણીના દુભાય, વેપારમાં પોતાના અનુભવ મુજબ નાનું અને ગણતરીપૂર્વકનું કામ સારું રહે.


આજનો દિવસ સામાન્ય છે તમે તમારા સહકર્મચારી સાથે કામની બાબતમાં થોડા દ્વિધામાં રહો તમારે થોડો  કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, યુવાવર્ગ માટે આજે મજાકવૃત્તિથી દુર રહેવું જેથી બિનજરૂરી ગેરસમજ ટાળી શકાય  માર્કેટિંગમાં સમયનો વ્યય વધુ થાય  વેપારના કામકાજમાં ધીરજ રાખવી.

પંચાંગ 11/07/2023

ધોની ભારતીય ક્રિકેટનો સૌથી મોટો ચહેરો છે : સુનીલ ગાવસ્કર

આજે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી સુનીલ ગાવસ્કર પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. લિટલ માસ્ટર તરીકે જાણીતા સુનીલ ગાવસ્કર 74 વર્ષના થઈ ગયા છે. જોકે, સોશિયલ મીડિયા પર સુનીલ ગાવસ્કરનું એક નિવેદન ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. વાસ્તવમાં, સુનીલ ગાવસ્કરે પોતાના નિવેદનમાં કહ્યું કે મને નથી લાગતું કે ભારતીય ક્રિકેટમાં મહેન્દ્ર સિંહ ધોનીથી મોટો કોઈ ચહેરો છે. તેણે કહ્યું કે સચિન તેંડુલકર અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓ છે, પરંતુ હું માનું છું કે મહેન્દ્ર સિંહ ધોની આ ખેલાડીઓથી આગળ નીકળી ગયો છે.

સચિન-વિરાટ કરતાં મહેન્દ્ર સિંહ ધોની કેવી રીતે આગળ?

સુનીલ ગાવસ્કરે કહ્યું કે જ્યારે મહેન્દ્ર સિંહ ધોની મેદાન પર હોય છે ત્યારે ચાહકોનો ઉત્સાહ જોવા જેવો હોય છે. મને નથી લાગતું કે ચાહકોમાં મહેન્દ્ર સિંહ ધોની સિવાય અન્ય કોઈ ખેલાડી માટે આટલો જુસ્સો હોય. મહેન્દ્ર સિંહ ધોની ભારતીય ક્રિકેટનો સૌથી મોટો ચહેરો છે. જો કે સુનીલ ગાવસ્કરનું નિવેદન ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

લિટલ માસ્ટરની કારકિર્દી આવી રહી છે

ઉલ્લેખનીય છે કે સુનીલ ગાવસ્કરની ગણતરી ક્રિકેટના ઈતિહાસના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે. જો આ ખેલાડીની કારકિર્દી પર નજર કરીએ તો તેણે ભારત માટે 125 ટેસ્ટ મેચ રમી હતી. આ 125 ટેસ્ટ મેચોમાં સુનીલ ગાવસ્કરે 10122 રન બનાવ્યા હતા. સુનીલ ગાવસ્કરની ટેસ્ટ મેચોમાં સરેરાશ 51.12 છે જ્યારે સ્ટ્રાઈક રેટ 66.04 છે. આ સિવાય લિટલ માસ્ટરે ટેસ્ટ મેચમાં 34 સદી ફટકારી હતી. જ્યારે 45 વખત પચાસ રનનો આંકડો પાર કર્યો હતો. ટેસ્ટ મેચ સિવાય સુનીલ ગાવસ્કરે ભારત માટે 108 વનડે રમી હતી. લિટલ માસ્ટરે વનડેમાં 3092 રન બનાવ્યા હતા.

ટૂંક સમયમાં શરૂ થશે ‘RRR 2’નું શૂટિંગ, રાજામૌલી નહીં કરે ફિલ્મનું નિર્દેશન!

એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત, રામ ચરણ અને જુનિયર એનટીઆર અભિનીત બ્લોકબસ્ટર ફિલ્મ ‘RRR’ની સિક્વલની સત્તાવાર રીતે પુષ્ટિ થઈ ગઈ છે. જે બાદ દર્શકોનો ઉત્સાહ વધી ગયો છે. આ મામલે વધારે જાણકારી આપવામાં આવી નથી, પરંતુ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે. લેખક વિજયેન્દ્ર પ્રસાદે તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે ‘RRR’ના બીજા ભાગ ‘RRR 2’ પર કામ ચાલી રહ્યું છે. હવે આ સમાચાર બાદ ચાહકોમાં ઉત્સાહનો માહોલ છે.

એસએસ રાજામૌલીના પિતા વિજયેન્દ્ર પ્રસાદે જણાવ્યું છે કે, “અમે રામ ચરણ અને જુનિયર એનટીઆરની ફિલ્મ ‘RRR’ની સિક્વલ બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છીએ. આ ફિલ્મમાં બંને અભિનેતા હશે અને તેને હોલીવુડના ધોરણો અનુસાર બનાવવામાં આવશે. આ ફિલ્મ માટે એક હોલીવુડના નિર્માતાને પણ સામેલ કરી શકાય છે. આ ફિલ્મનું નિર્દેશન એસએસ રાજામૌલી નહીં કરે, પરંતુ તેમની દેખરેખમાં કોઈ અન્ય કરશે.”

આ ફિલ્મ રાજામૌલી દ્વારા ‘SSMB 29’ને પૂર્ણ કર્યા પછી જ શરૂ કરાશે, જે ઇન્ડિયાના જોન્સની તર્જ પર હતી. આ ફિલ્મના સ્ટાર્સ મહેશ બાબુ અને વિજયેન્દ્ર પ્રસાદે ખુલાસો કર્યો કે આ ફિલ્મ (SSMB 29) ‘RRR’ કરતા ક્યાંય મોટી હશે. લેખકે એમ પણ કહ્યું કે ફિલ્મ ‘SSMB 29’ પૂરી કર્યા પછી રાજામૌલી ‘મહાભારત’ પર કામ શરૂ કરશે.

વિજયેન્દ્ર પ્રસાદે ઇન્ટરવ્યુ દરમિયાન SSMB29 વિશે પણ ખુલીને વાત કરી છે. આ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે SSMB29થી ‘RRR’ જેવા રેન્જની અપેક્ષા છે, તો તેમણે કહ્યું કે આ તેનાથી પણ મોટી હશે. તેમણે આગળ કહ્યું, ‘SSMB29 એક એડવેન્ચર ફિલ્મ છે અને તે RRR કરતાં ઘણી મોટી હશે.’

આપને જણાવી દઈએ કે, રામ ચરણ અને જુનિયર એનટીઆર અભિનીત બ્લોકબસ્ટર ફિલ્મ ‘RRR’ ઓસ્કાર જીતનારી પહેલી ભારતીય ફીચર ફિલ્મ છે. એમએમ કીરવાનીના ખાસ ગીત ‘નાટુ નાટુ’ને 95માં એકેડેમી એવોર્ડ્સમાં સર્વશ્રેષ્ઠ મૂળ ગીતનો એવોર્ડ મળ્યો હતો. મેગા-બ્લોકબસ્ટર ફિલ્મને એસએસ રાજામૌલી દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી હતી અને તેમાં જુનિયર એનટીઆર, રામ ચરણ, આલિયા ભટ્ટ અને અજય દેવગણ સહિત અન્ય ઘણા કલાકારો હતા.

આઇસી15 ઇન્ડેક્સમાં 109 પોઇન્ટનો ઘટાડો

મુંબઈઃ ચીનમાં અર્થતંત્ર નબળું પડ્યું હોવાનું દર્શાવતો આંકડો બહાર આવ્યો છે. ચીનનો પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ 5.4 ટકા ઘટી ગયો એ ઘટનાને પગલે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં થોડો ઘટાડો થયો છે. માર્કેટના બેન્ચમાર્ક આઇસી15 ઇન્ડેક્સના બીએનબી અને એક્સઆરપી સિવાયના તમામ કોઇનમાં ઘટાડો નોંધાયો હતો. મુખ્ય ઘટેલા અવાલાંશ, સોલાના, ટ્રોન અને લાઇટકોઇનમાં બેથી છ ટકાની રેન્જમાં ઘટાડો થયો હતો.

દરમિયાન, બેન્ક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સના સર્વેક્ષણમાં જણાઈ આવ્યું છે કે વર્ષ 2030 સુધીમાં લગભગ 15 રિટેલ સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી) અસ્તિત્વમાં આવી હશે. એ ઉપરાંત નવ હોલસેલ સીબીડીસી બજારમાં હશે.

બીજી બાજુ, રિપલ લેબ્સ રિયલ એસ્ટેટ એસેટ્સનું ટોકનાઇઝેશન કરીને એનો ઉપયોગ લોન માટે જમાનત તરીકે કરવા મળે એવી સિસ્ટમ લોન્ચ કરવા જઈ રહી છે.

૩.૦ વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.27 ટકા (109 પોઇન્ટ) ઘટીને 40,089 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 40,198 ખૂલીને 40,334ની ઉપલી અને 39,895 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્ર-કચ્છ પછી ઉત્તર ગુજરાત જળબંબોળ

 અમદાવાદઃ દેશનાં અનેક રાજ્યોમાં ભારે વરસાદનું તાંડવ છે. રાજ્યમાં પણ મેઘમહેર થઈ રહી છે.  સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ પછી મેઘરાજા ઉત્તર ગુજરાતમાં વરસાદે કહેર મચાવ્યો છે. ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા અને પાટણ સહિતમાં વરસાદ વરસ્યો હતો. યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જળબંબાકારની સ્થિતિ થઈ છે. જેથી સામાન્ય જીનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.  રસ્તા પર વરસાદી પાણી ફળી વળ્યાં હતાં, જેથી વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી. રાજ્યના 167 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

સાબરકાંઠાના તલોદ અને ઈડરમાં સાડાપાંચ ઈંચથી વધુ,  લુણાવાડા અને વીરપરમાં પણ પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. સાબરકાંઠમાં ખેતરો બેટમાં ફેરવાયાં હતાં આ ઉપરાંત બાગાવાસમાં લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી ગયાં હતાં. જૂનાગઢમાં છ પશુનાં મોત થયાં છે, ઓજત નદીના પાણી ઘેડ પંથકમાં ફરી વળ્યાં હતાં. ધમરોળ્યું છે. ઓજત નદીનાં પાણી કેટલાંય ગામોમાં ઘૂસી ગયાં હતાં.મહેસાણાના ખેરાલુમાં માત્ર ત્રણ કલાકમાં ચાર ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ખેરાલુ શહેરના તમામ માર્ગો પર ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા હતા. ખેરાલુ પથંકના 20થી વધુ ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા હતા. ખેરાલુ પાસે પસાર થતી રૂપેણ નદી બે કાંઠે વહી રહી છે. જેથી નીચાણવાળા વિસ્તારમાં આવેલા મકાનોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ, વિજાપુરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેમજ ખેડૂતો પણ બેટમાં ફેરવાયા હતા. જેને પગલે કપાસ અને મગફળીના પાકમાં નુકસાનની ભીતિ જોવા મળી રહી છે.

જૂનાગઢ જિલ્લામાં અવિરાત વરસાદ વરસી રહ્યો છે. માંગરોળ તાલુકાના ઓસાઘેડ, પાદરડી, બગસરા, બાલાગામ સહિતના ગામોમાં ઓજત નદીના પાણી ઘૂસી ગયાં હતા માણાવદર તાલુકાનું મટીયાણા ગામ બેટમાં ફેરવાયું છે. ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી ગયા હતા. સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને તલોદ અને ઈડરમાં ભારે મેઘમહેર થઈ હતી. ઈડરમાં પોણા છ ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજ્યના 59 તાલુકામાં એકથી લઈ પોણા છ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

 

 

 

 

શરદ પવારને મોટો ફટકો, વધુ એક ધારાસભ્ય અજિત પવારના જૂથમાં જોડાયા

શરદ પવાર જથને વધુ એક ઝટકો લાગ્યો છે. પાર્ટીમાં ભાગલા પડ્યા બાદ શરદ પવારના કાર્યક્રમમાં ગયેલા NCP ધારાસભ્ય અજિત પવાર કેમ્પમાં જોડાયા હતા. મહારાષ્ટ્રની વાઈ વિધાનસભાના ધારાસભ્ય માર્કંડ પાટીલ અજિત પવારના જૂથમાં સામેલ થઈ ગયા છે. સોમવારે પાટીલ અજિત પવાર કેમ્પમાં જોડાયા હતા. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, પાટીલે કહ્યું કે તે પોતાના મતવિસ્તારમાં બે સુગર ફેક્ટરીઓને બચાવવા માટે અજિત પવારના કેમ્પમાં જોડાઈ છે. સાથે જ વઘઈમાં પ્રવાસનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવશે અને વિકાસના કામો થશે તેવી આશા વ્યક્ત કરી હતી.

જણાવી દઈએ કે અજિત પવારના બળવાના એક દિવસ બાદ શરદ પવાર કરાત શહેરમાં પહોંચ્યા હતા. આ દરમિયાન માર્કંડ પાટીલે શરદ પવારના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ધારાસભ્યએ દાવો કર્યો કે તેમનું નામ NCPના નવ મંત્રીઓની યાદીમાં છે, જેમાં અજિત પવારનો પણ સમાવેશ થાય છે, જેમણે ગયા રવિવારે (2 જુલાઈ) શપથ લીધા હતા. પરંતુ તેમણે અજિત પવારને કહ્યું હતું કે તેઓ તેમના સમર્થકો સાથે વાત કરશે અને ત્યારબાદ જ નિર્ણય લેશે.

શનિવારે સતારા જિલ્લામાંથી પાટીલના ઘણા કાર્યકરો અને સમર્થકો અજિત પવારને મળ્યા હતા. વીડિયો મીટિંગમાં, Y પ્રદેશના NCP કાર્યકર્તાએ માર્કંડ પાટિલ માટે કેબિનેટમાં સ્થાન માંગ્યું હતું. ધારાસભ્યએ કહ્યું કે નિર્ણય લેવો ખૂબ જ મુશ્કેલ હતો કારણ કે શરદ પવાર અને અજિત પવાર બંને તેમના પ્રિય છે. ધારાસભ્યએ કહ્યું કે આ એક મુશ્કેલ નિર્ણય હતો.

માર્કંડ પાટીલે કહ્યું, “તાજેતરમાં, મેં બે સુગર મિલો હસ્તગત કરી હતી જે નાણાકીય મુશ્કેલીમાં હતી. મેં આ ફેક્ટરીઓ માટે માત્ર લોકોના કહેવાથી ચૂંટણી લડી હતી.” તેમણે કહ્યું કે ગયા વર્ષે જ્યારે તેઓ સત્તામાં ન હતા ત્યારે તેમને ફેક્ટરીઓનું સંચાલન કરવામાં અલગ-અલગ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ધારાસભ્યએ દાવો કર્યો હતો કે તેમણે આ નિર્ણય (અજિત પવાર જૂથમાં જોડાવાનો) NCP કાર્યકરોની વિનંતી પર લીધો હતો, જેમણે વાઈમાં સુગર મિલો અને વિકાસ સંબંધિત મુદ્દાઓ ઉઠાવ્યા હતા.

 

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૧૦ જૂલાઈ, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૧૦ જૂલાઈ, ૨૦૨૩