Home Blog Page 2687

વાહ ભાઈ વાહ! – ૧૯ જૂલાઈ, ૨૦૨૩

વાહ ભાઈ વાહ! – ૧૯ જૂલાઈ, ૨૦૨૩

૧૯ જૂલાઈ, ૨૦૨૩

૧૯ જૂલાઈ, ૨૦૨૩

પંચાંગ 19/07/2023

PM મોદી અને CM યોગીને જાનથી મારી નાખવાની ધમકી, 26/11 જેવા આતંકી હુમલાનો કર્યો ઉલ્લેખ

મુંબઈના ટ્રાફિક કંટ્રોલ રૂમને ધમકીભર્યો મેસેજ મળ્યો છે. ધમકીમાં બે મોટા નેતાઓને મારી નાખવાની વાત કહેવામાં આવી છે. એટલું જ નહીં, આરોપીઓએ 26/11 જેવા આતંકવાદી હુમલા માટે તૈયાર રહેવાની ધમકી પણ આપી હતી.મુંબઈ પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે ટ્રાફિક કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો સંદેશ મળ્યો હતો. આરોપીઓએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નિશાના પર છે. અધિકારીએ વધુમાં કહ્યું કે માત્ર બંને નેતાઓને જ નિશાન બનાવાયા નથી, પરંતુ આરોપીઓએ 26/11ના આતંકી હુમલા માટે તૈયાર રહેવાની ધમકી પણ આપી હતી. પોલીસે જણાવ્યું કે અજાણ્યા વિરુદ્ધ આઈપીસીની કલમ 509 (2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તપાસ કરવામાં આવી રહી છે.

22 મેના રોજ ધમકીભર્યો મેસેજ પણ આવ્યો હતો

આ પહેલા આ વર્ષની 22 મેના રોજ પણ મુંબઈ પોલીસને એક ધમકીભર્યો મેસેજ મળ્યો હતો, જેમાં એક અજાણ્યા વ્યક્તિએ લખ્યું હતું કે તે જલ્દી જ મુંબઈમાં વિસ્ફોટ કરવા જઈ રહ્યો છે. આ ધમકીભર્યા મેસેજથી પોલીસ એલર્ટ થઈ ગઈ હતી અને વ્યક્તિની ઓળખ કરી કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

ચોમાસુ સત્ર પહેલા સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક, PM મોદી પણ હાજરી આપશે

સરકારે ચોમાસુ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે. આ એક ઔપચારિક બેઠક હશે જે સંસદનું સત્ર શરૂ થવાના એક દિવસ પહેલા સાંજે થશે. આ બેઠકમાં સરકારના વરિષ્ઠ મંત્રીઓ સાથે વડાપ્રધાન મોદી પણ ભાગ લેશે.

આ બેઠક પહેલા મંગળવારે મળવાની હતી

ઉલ્લેખનીય છે કે આ પહેલા મંગળવારે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે આ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી પરંતુ મોટાભાગના પક્ષોના નેતાઓની ગેરહાજરીને કારણે આ બેઠક સ્થગિત કરવામાં આવી હતી. આ વર્ષે અનેક રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અને આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સત્તાધારી પક્ષ અને વિપક્ષ પોતપોતાની રણનીતિ ઘડવામાં વ્યસ્ત છે. મંગળવારે જ્યારે વિપક્ષની બેંગલુરુમાં બેઠક થઈ રહી છે, તો NDAની બેઠક દિલ્હીમાં થઈ રહી છે.

ચોમાસુ સત્ર તોફાની રહેશે

ચોમાસુ સત્ર તોફાની રહેવાની ધારણા છે. આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિપક્ષ સરકાર સામે આક્રમક વલણ અપનાવશે. આ સાથે વિપક્ષ મોંઘવારી, મણિપુર સંકટ જેવા મુદ્દાઓ પર પણ સરકાર પર નિશાન સાધી શકે છે. ઉલ્લેખનીય છે કે સંસદનું શિયાળુ સત્ર પણ હંગામાથી ધમધમતું રહ્યું હતું.

યશસ્વી જયસ્વાલને વર્લ્ડકપ ટીમમાં સામેલ કરવો જ જોઈએ: સૌરવ ગાંગુલી

કોલકાતાઃ ગયા અઠવાડિયે ડોમિનિકાના વિન્ડસર પાર્ક મેદાન પર વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ ગયેલી ભારતની પહેલી ટેસ્ટ મેચમાં યુવાન વયના ડાબોડી બેટર યશસ્વી જયસ્વાલે ડેબ્યૂ કર્યું હતું અને પહેલા જ દાવમાં 387 બોલમાં 171 રન ફટકાર્યા હતા. આ દેખાવ બદલ એને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. બે-મેચની શ્રેણીમાં ભારતે 1-0ની સરસાઈ મેળવી છે. બીજી અને આખરી ટેસ્ટ મેચ 20 જુલાઈથી ટ્રિનિડાડના પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્ક ઓવલ મેદાન પર રમાશે.

યશસ્વીના દેખાવની ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને બીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીએ ખૂબ પ્રશંસા કરી છે અને કહ્યું છે કે આ બેટરની પસંદગી આગામી ODI વર્લ્ડ કપ સ્પર્ધામાં કરવી જ જોઈએ. કોઈ પણ ખેલાડી એની કારકિર્દીની પહેલી જ મેચમાં સદી ફટકારે એ બહુ મોટી સિદ્ધિ ગણાય. મેં પણ એ સિદ્ધિ હાંસલ કરી હતી. તેથી મને ખબર છે કે તે કેટલી બધી વિશિષ્ટ હોય છે. બેટિંગ ટેક્નિકની દ્રષ્ટિએ પણ યશસ્વી ઘણો જ ઉત્તમ જણાય છે. ટીમમાં ડાબોડી બેટ્સમેનની હાજરી હંમેશાં મદદરૂપ થતી હોય છે. તેથી એને વર્લ્ડ કપ ટીમમાં પણ સામેલ કરવો જ જોઈએ.

ગુજરાતી ગૌરવ: નિમિલ પારેખને સિંગાપોરની સંસદમાં સંસદસભ્ય તરીકે નોમિનેટ કરાયા

અમદાવાદ: નિમિલ પારેખને સિંગાપોરની સંસદમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ (એમપી) તરીકે નોમિનેટ કરવામાં આવ્યા છે. 60 વર્ષની વયના નિમિલ પારેખ સિંગાપોરના નાગરિક છે અને ત્યાં 17 વર્ષથી વસવાટ કરે છે. બિઝનેસ ક્ષેત્રે અપવાદરૂપ સિદ્ધિઓ અને ફાઈનાન્સિયલ સાક્ષરતા ક્ષેત્રે પ્રદાન બદલ એમપી તરીકે નોમિનેટ કરીને એમનું બહુમાન કરાયું છે.

નિમિલ પારેખ કોર્પોરેટ ક્ષેત્રના અગ્રણી સુનિલ પારેખના નાના ભાઈ છે અને તેમની સમગ્ર કારકિર્દી દરમ્યાન તે ફાઈનાન્સ ઈન્ડસ્ટ્રીમાં યોગદાન આપતા રહ્યા છે. હાલમાં તે ટિકેહાઉ કેપિટલમાં એશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડના પાર્ટનર અને હેડ તરીકે કામ કરી રહ્યા છે. આ ઉપરાંત તે સિંગાપોર એક્સચેન્જમાં લિસ્ટેડ, સ્પેશ્યલ પર્પઝ એકવિઝિશન કંપની પેગાસસ, એશિયાના સીઈઓ તરીકે કામ કરી રહ્યા છે.

નેતૃત્ત્વ અને નિપુણતા માટે પ્રસિદ્ધ નિમિલ પારેખ સિંગાપોરની વિવિધ સંસ્થાઓમાં સક્રિય છે. તેઓ સિંગાપોર ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીમાં ચેરમેન છે. સિંગાપોર બિઝનેસ ફેડરેશનમાં કાઉન્સિલ મેમ્બર તરીકેની કામગીરી સંભાળે છે. તેઓ મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોરે સ્થાપેલા એલિવનડી પ્લેટફોર્મમાં જાહેર અને ખાનગી ક્ષેત્ર વચ્ચે સંવાદમાં સહાયક બની ડિજિટલ ઈકોનોમીમાં ફીનટેકને આગળ ધપાવી રહ્યા છે.

સિંગાપોરની સંસદમાં પોતાના ભાઈની નિયુક્તિ સિદ્ધિ અંગે વાત કરતાં સુનિલ પારેખ જણાવ્યું કે “આપણા સૌના માટે આ ગૌરવની ક્ષણ છે. તેઓ ફાઈનાન્સ ઈન્ડસ્ટ્રીમાં વ્યાપક જ્ઞાન અને અનુભવ ધરાવે છે અને સિંગાપુરની સંસદમાં પણ અમૂલ્ય પ્રદાન કરશે.

નિમિલ પારેખ જેમ્સ કૂક યુનિવર્સિટી (સિંગાપોર)ની એડવાઈઝરી કાઉન્સિલના સભ્ય છે અને સિંગાપોરમાં ફાઈનાન્સિયલ સાક્ષરતા (લિટ્રસી) વધારવાના ધ્યેયથી કામ કરી રહ્યા છે. તેઓ કોમર્સમાં બેચલર ડીગ્રિ (ઓનર્સ) ધરાવે છે અને માસ્ટર્સ ડિગ્રી પણ ધરાવે છે. આ ઉપરાંત તેમણે  નોર્થ-ઈસ્ટર્ન યુનિવર્સિટીમાંથી એમબીએની ડિગ્રી પણ હાંસલ કરી છે.

સાચવજો.. ગુજરાતમાં વધી રહ્યો છે આંખનો રોગ, ઠેર ઠેર કેસ નોંધાયા

ગુજરાતમાં આંખોનો રોગ વધ્યો છે. જેમાં વાઈરલ કન્ઝક્ટિવાઈટિસને લઈ આરોગ્ય વિભાગે સલાહ આપી છે કે આંખ આવે, લાલાશ થાય તો મેડિકલ સ્ટોર પરથી ટીપાં લઈને નાખવા નહીં. આરોગ્ય કેન્દ્રો, હોસ્પિટલોમાં સારવાર માટે વ્યવસ્થા ઊભી કરાઈ છે.

ડોક્ટરની સલાહ વિના મેડિકલ સ્ટોરમાંથી આંખના ટીપા લઈને નાખવા નહિ

રાજ્યના વિવિધ શહેર-જિલ્લામાં આંખો આવવાના એટલે કે વાઈરલ કન્ઝક્ટિવાઈટિસના કેસો સામે આવ્યા છે, જેને ધ્યાને લઈ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સબ જિલ્લા હોસ્પિટલ, જિલ્લા કક્ષાની હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજ-હોસ્પિટલ ખાતે સારવાર માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરી છે, સરકારે માર્ગદર્શિકા જાહેર કરતાં કહ્યું કે, આંખમાં લાલાશ, દુખાવો થાય તો નજીકના આંખના તબીબ પાસે જ સારવાર લેવી જોઈએ, ગભરાવાની જરૂર નથી પણ યોગ્ય સારવાર, સાવચેતી રાખવી જરૂરી છે, આંખો આવે તો તબીબની સલાહ વિના આંખમાં ટીપાં, દવા નાખવી નહિ. ચેપ ધરાવતા દર્દીએ ચશ્મા પહેરવાની સાથે સ્વચ્છતા રાખવી તેમજ ભીડ-ભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ.

ડોક્ટરે દર્શાવેલા ટીપા નાખતા પહેલાં અને પછી સાબુથી હાથ ધોવા જરૂરી

આરોગ્ય વિભાગે સલાહ આપી છે કે, આંખો આવે, લાલ થાય, દુખે તેવી સ્થિતિમાં સૌથી મહત્ત્વની બાબત વ્યક્તિગત સ્વચ્છતા છે, પોતાના હાથ અને મોં ચોખ્ખા રાખવા, સાબુથી સમયાંતરે હાથ અને મોં ધોવા, હોટેલ, હોસ્ટેલ, મેળાવડા, થિયેટર, એસટી સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, મોલ વગેરે જાહેર સ્થળોએ સ્વચ્છતા બાબતે ખાસ ધ્યાન રાખવું અને શક્ય હોય તો આવા સ્થળોએ અવર-જવર ટાળવી જોઈએ. આંખોમાં લાલાશ દેખાય, દુખાવો થાય કે ચેપડા વળે તો નજીકના નેત્રસર્જન પાસે જઈ સારવાર કરાવવી, જાતે ડોક્ટરની સલાહ વિના મેડિકલ સ્ટોરમાંથી આંખના ટીપા લઈને નાખવા નહિ. ડોક્ટરે દર્શાવેલા ટીપા નાખતા પહેલાં અને પછી સાબુથી હાથ ધોવા જરૂરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતની મુલાકાતે આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતની મુલાકાતે આવશે. આ વખતે તેઓ રાજકોટની મુલાકાત લેશે તેવી વિગતો સામે આવી છે. મળતી માહીતી મુજબ વડાપ્રધાન મોદી આગામી 27 જુલાઈએ રાજકોટની મુલાકાતલેશે. અહીં તેઓ હિરાસર એરપોર્ટનું 27 જુલાઈના રોજ લોકાર્પણ કરશે. PM મોદીની આ મુલાકાતને લઈને વહિવટીતંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

PM મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે

પ્રાપ્ત વિગતો મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 27 અને 28 જુલાઈએ ગુજરાતની મુલાકાત લેશે. પીએમ મોદી તેમના બે દિવસના પ્રવાસમાં રાજકોટના એરપોર્ટનું લોકાર્પણ કરશે અને સેમિકોન ઇન્ડિયાની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. તેઓ 27 જુલાઈએ રાજકોટની મુલાકાત લેશે.અહીં તેઓ હિરાસર એરપોર્ટનું લોકાર્પણ કરશે. આ અંગે કલેકટર તંત્ર અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

CM સહિત ગુજરાતના મંત્રીમંડળ સાથે PM મોદી કરશે બેઠક

હીરાસર એરપોર્ટના લોકાર્પણ બાદ PM મોદી જંગી સભાને સંબોધન પણ કરશે. અને ત્યાર બાદ ગાંધીનગર જવા રવાના થશે. ગાંધીનગરમાં તેઓ સર્કિટ હાઉસ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળ સાથે ડિનર ડિપ્લોમસી કરશે. જેમાં પ્રદેશ પ્રમુખ સહિત પાર્ટીના હોદ્દેદારો હાજર રહેશે. મહત્વનું છે કે નવી સરકાર રચાયા બાદ CM સહિત ગુજરાતના મંત્રીમંડળ સાથે PM મોદી પ્રથમ બેઠક કરશે.

ગુજરાતને સેમિકન્ડક્ટરનું હબ બનાવવાનો વડાપ્રધાનનું સ્વપ્ન

PM મોદી 28 જુલાઈએ મહાત્મા મંદિર ખાતે યોજાનાર 3 દિવસીય સેમિક્રોન સમિટનું ઉદ્ઘાટન કરશે.આ ઉપરાંત પીએમ મોદી તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજ્યને વિકાસની અનેક ભેટો આપશે તેમને જણાવી દઈએ કે ગુજરાતને સેમિકન્ડક્ટરનું હબ બનાવવાનો વડાપ્રધાનનું સ્વપ્ન છે.

વડાપ્રધાન મોદીની સાથે આ મહાનુભાવો પર રહેશે હાજર

આ એરપોર્ટ તૈયાર થતાં જ જામનગર, જૂનાગઢ, ભાવનગર, કચ્છ, મોરબી અને રાજકોટ સહિતના લોકોને ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે અમદાવાદ સુધી લાંબા નહીં થવું પડે.મહત્વનું છે કે આ સમગ્ર કાર્યક્રમમાં પીએમ મોદીની સાથે ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વની વૈષ્ણવ, વિદેશ મંત્રી એસ જયશંકર અને કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર પણ ઉપસ્થિત રહેશે.

સાચવજો ! રોગચાળો વકરતા આ શહેરમાં પાણીપુરી પર મુક્યો પ્રતિબંધ

હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. ત્યારે હાલ વડોદરા શહેરમાં પાણીજન્ય રોગોમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે વધતા જતા રોગચાળાને ધ્યાનમાં રાખીને વડોદરા કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરામાં 10 દિવસ પાણીપુરી વેચવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.VMCના આરોગ્ય વિભાગ દ્વારા પાણીપુરી વિક્રેતાઓને સૂચના આપી છે કે જો શહેરમાં પાણીપુરીનું વેચાણ કરવામાં આવશે તો તેમની ટીમ દ્વારા બંધ કરાવવામાં આવે છે.

વડોદરા માં 10 દિવસ પાણીપુરી વેચવા પર પ્રતિબંધ

વડોદરા શહેરમાં મનપાએ 10 દિવસ માટે લારીઓ કે રેસ્ટોરેન્ટમાં પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ મૂકયો છે, એક બાજુ વરસાદની સિઝન ચાલી રહી છે. ત્યારે આ સિઝનમાં રોગચાળાએ પણ માજા મૂકી છે. ત્યારે ગઈ કાલે આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં વિવિધ સ્થળો પર દરોડા પાળવામાં આવ્યા હતા. આ દરોડામાં ઘણી બધી અખાદ્ય સામગ્રી મળી આવી હતી.જેમા માંજલપુર વિસ્તારમાં પાણીપુરી બનાવનારને ત્યાં ગંદકી જોવા મળી છે.

રોગચાળો કાબુમાં નહીં આવે ત્યાં સુધી કાર્યવાહી ચાલુ રહેશે

આ દરોડામાં 25 કિલોથી વધુ સડેલા બટાકાનો નાશ કરવામાં આવ્યો છે જ્યારે 3 કિલોથી વધુ અખાદ્ય ચણાનો નાશ કરાયો છે.આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે શહેરમાં જ્યાં સુધી રોગચાળો કાબુમાં નહીં આવે ત્યાં સુધી આ કાર્યવાહી ચાલુ રહેશે.