Home Blog Page 2597

 છત્તીસગઢમાં બઘેલ વિ બઘેલઃ કાકા વિરુદ્ધ ભત્રીજામાં ચૂંટણી જંગ?

ભોપાલઃ આ વર્ષના અંતમાં છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી 2023 માટે ભાજપે ઉમેદવારોની યાદી સારી કરી દીધી છે, જેમાં વિધાનસભાની ચૂંટણી -2023 માટે ભાજપ એક મહત્ત્વની વિધાનસભાની સીટ પર બઘેલ વિરુદ્ધ બઘેલનો ચૂંટણી જંગ થવાની શક્યતા છે. ભાજપે દુર્ગ લોકસભા સીટથી સાંસદ વિજય બઘેલને ફરી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ સાથે અપેક્ષા છે કે પાટણ વિધાનસભા સીટથી તેઓ કાકા-કોંગ્રેસના હાલના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલને હરાવી દેશે. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી-2203નો કાર્યક્રમ હજી જાહેર નથી થયો. વળી, હાલ એ પણ નક્કી નથી કે મુખ્ય મંત્રી તેમની સીટ જાળવી રાખશે કે નહીં.

વિજય બઘેલ મેદાનમાં

જાહેર કરાયેલી યાદીમાં સાંસદ વિજય બઘેલનું નામ પણ છે. તેઓ પાટણથી ચૂંટણી લડશે. અહીંથી રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલ ચૂંટણી જીત્યા હતા. વિજય બઘેલ CM બઘેલના સગા છે, ભત્રીજા છે. આ વર્ષની ચૂંટણી કાકા વિરુદ્ધ ભત્રીજા થાય એવી શક્યતા છે. ભાજપે મેનિફેસ્ટો કમિટીના કન્વીનર તરીકે વિજય બઘેલની પણ નિમણૂક કરી છે. ભાજપે વિધાનસભાની ચૂંટણી માટે 31 સભ્યોની ઘોષણાપત્ર સમિતિના અધ્યક્ષ વિજય બઘેલને વર્ષ 2008ની વિધાનસભાની ચૂંટણીમાં ભૂપેશ બઘેલને હરાવ્યા હતા. એ સમયે તેઓ સૌપ્રથમ વાર ચૂંટણી લડ્યા હતા.

આ સાથે વર્ષ 2013માં એ સીટ પર ભૂપેશ બઘેલથી તેઓ ચૂંટણી હારી ગયા હતા. તેઓ વર્ષ 2018માં વિધાનસભાની ચૂંટણી નહોતા લડ્યા અને વર્ષ 2019માં સામાન્ય ચૂંટણીમાં તેમણે દુર્ગ સંસદીય સીટથી કોંગ્રેસના પ્રતિમા ચંદ્રાકરની વિરુદ્ધ ચૂંટણી લડીને 4.5 લાખ મતોથી જીત હાંસલ કરી હતી.

 

 

 

 

 

કોણ છે મુકુલ વાસનિક જે બન્યા ગુજરાત કોંગ્રેસના પ્રભારી ..જાણો

ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિકની નિયુક્તિ કરવામાં આવી છે. રઘુ શર્માના રાજીનામાં બાદ ખાલી પડેલા આ પદ પર મુકુલ વાસનિકની નિમણૂંક થતા તેમના વિશે લોકો વધુને વધુ જાણવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

પરંપરાગત બેઠક પરથી ત્રણવાર સાંસદ તરીકે ચૂંટાયા

27 સપ્ટેમ્બર 1959ના રોજ મહારાષ્ટ્રના બૌદ્ધ પરિવારમાં જન્મેલા મુકુલ વાસનિકના પિતાનું નામ બાલકૃષ્ણ વાસનિક છે અને તેઓ માત્ર 28 વર્ષની ઉંમરે બુલઢાણાની સીટ પરથી લોકસભા ચૂંટણી લડીને સાંસદ બન્યાં હતાં. પિતાના પગલે ચાલીને મુકુલ વાસનિક પણ રાજનીતિમાં આવ્યા હતા અને પિતાની જ પરંપરાગત બેઠક પરથી ત્રણવાર સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ લઈને એનએસયુઆઈ સાથે જોડાઈને રાજકીય કરિયર શરૂ કરી હતી.

સૌથી નાની વયે બન્યા હતા સાંસદ

 

મુકુલ વાસનિક સૌથી નાની વયે સાંસદ બનનાર નેતા છે અને તેમણે પિતાનો રેકોર્ડ તોડીને માત્ર 25 વર્ષની ઉંમરે એ જ બુલઢાણા બેઠક પરથી સાંસદ બનવાનો રેકોર્ડ સ્થાપ્યો હતો. તેઓ કેન્દ્રની યુપીએ સરકારમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પણ રહી ચૂક્યાં છે. વર્ષ 2009થી 2014 સુધી તેમણે મહારાષ્ટ્રની રામટેક બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહાસચિવ પણ છે. વર્ષ 2022માં તેમને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા.

રાજીવ ગાંધી ફાઉન્ડેશનના સભ્ય

 

વાસનિકનો જન્મ એક બૌદ્ધ પરિવારમાં થયો છે અને તેઓ પીઢ કોંગ્રેસી નેતા અને ત્રણવારના સાંસદ બાલકૃષ્ણ વાસનિકના પુત્ર છે. અગાઉ તેમણે ત્રણવાર બુલઢાણા લોકસભા સીટ પર ચૂંટણી જીતીને આ બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1984 થી 1986 સુધી તેઓ એનએસયુઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહ્યાં છે. એ પછી તેમને 1988-90 દરમિયાન યુથ કોંગ્રેસના અધ્યક્ષ બનાવાયા હતા. જૂન 2022માં તેમને રાજસ્થાનથી રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. તેઓ રાજીવ ગાંધી ફાઉન્ડેશનના સભ્ય પણ છે.

આવી રીતે કોઈ આઉટ થાય ખરું? રહકીમ કોર્નવોલ ફરી ઠર્યો હાસ્યને પાત્ર

સેન્ટ લુસિયા (બાર્બેડોસ): ક્રિકેટ એક શારીરિક રમત છે અને એમાં રમવા માટે ભરપૂર ફિટનેસ હોવી આવશ્યક છે. પરંતુ વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર રહકીમ કોર્નવોલ અને ફિટનેસને કોઈ સંબંધ ન હોય એવું લાગે છે. 143 કિલોગ્રામ વજનના કોર્નવોલને દર્શાવતો એક વિડિયો ઈન્ટરનેટ પર તોફાની રીતે વાઈરલ થયો છે. આ વિડિયો કેરેબિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધાની એક મેચનો છે. તેમાં કોર્નવોલ જે રીતે રનઆઉટ થાય છે તે જોઈને કોમેન્ટેટર્સ સહિત સહુ કોઈ હસવાનું રોકી શક્યા નહોતા.

રહકીમ કોર્નવોલ તેના મેદસ્વી શરીરને કારણે ચર્ચાનો વિષય બન્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમનારો આ અત્યાર સુધીનો સૌથી જાડો ખેલાડી છે. આની સાથે જ કોર્નવોલને દુનિયાના સૌથી અનફિટ ક્રિકેટરનું ટેગ પણ મળ્યું છે.

કોર્નવોલ તેના અતિશય વજનને કારણે ફાસ્ટ દોડી શકતો નથી. ટેસ્ટ મેચમાં કોઈક વાર ચાલીને રન દોડી શકાય પણ ટ્વેન્ટી-20 ક્રિકેટમાં એવું હોતું નથી. આ ફોર્મેટની રમતમાં એક એક રન કિંમતી હોય છે. બેટર્સને છૂટક રન લેવા માટે ખૂબ ઝડપથી દોડવું પડે છે.

સીપીએલ-T20 સ્પર્ધામાં કોર્નવોલ બાર્બેડોસ રોયલ્સ ટીમ વતી રમે છે. સેન્ટ લુસિયા ખાતેના ડેરેન સેમી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં કોર્નવોલને દાવનો આરંભ કરવા મોકલાયો હતો. પહેલી ઓવરના પહેલા જ બોલમાં એ ફટકો મારીને રન લેવા દોડ્યો હતો, પણ નોન-સ્ટ્રાઈકર એન્ડ સુધી પહોંચી શક્યો નહોતો. સેન્ટ લુસિયા કિંગ્સ ટીમના ફિલ્ડર ક્રિસ સોલે કરેલા થ્રોને કારણે એ રનઆઉટ થઈ ગયો હતો. કોર્નવોલને આવી વિચિત્ર રીતે આઉટ થયેલો જોઈને ટીવી કોમેન્ટેટર્સ સહિત સૌ કોઈ હસી પડ્યા હતા. ધીમે દોડતો હોવાને કારણે કોર્નવોલ માંડ અડધી પીચ સુધી જ પહોંચી શક્યો હતો. એ રન લેવા માટે દોડતો હતો કે જોગિંગ કરતો હતો એવો ક્રિકેટચાહકોને સવાલ થયો હતો. કોર્નવોલ હાફ-વે પર હતો ત્યારે એનો જોડીદાર કાઈલ મેયર્સ બીજા છેડે – સ્ટ્રાઈકર્સ એન્ડ પર પહોંચી પણ ગયો હતો. તે મેચમાં સેન્ટ લુસિયા ટીમનો 54 રનથી વિજય થયો હતો.

મનસા સેવા દ્વારા બધાને શાંતિ તથા સહારો આપો

પરમાત્મા દ્વારા પ્રાપ્ત થયેલ શક્તિઓ દ્વારા રહમદિલ બનો. જ્ઞાન બળથી આત્મામાં રહેલી રૂહાનિયત બહાર આવે છે તથા અહમનો અંધકાર દૂર થાય છે. જ્યારે અભિમાન સમાપ્ત થઈ જાય છે ત્યારે સ્વ પ્રત્યે અને સર્વ પ્રત્યે કરુણાની કિરણો ઉત્પન્ન થાય છે. આ કિરણો ના આધારે રહમના સાગર પરમત્મા શિવનો એ અમૃત સંદેશ સહજ રીતે મનમાં ઉતરી જાય છે કે- “બાપ-દાદા દરેક બાળકને રાહમદિલ જોવા ઈચ્છે છે. પોતાની હદની દરેક બાબત છોડી દો. મનસા સેવામાં લાગી જાવ, બધાને સકાશ આપો – શાંતિ આપો – સહારો આપો.

સડક પર દોડનાર કોઈપણ વાહનને જ્યારે પહેલી વખત ઉપયોગમાં લેવાય છે ત્યારે તેના પૈડા ચમકી રહેલા હોય છે. પરંતુ જો તે વાહન દિવસ દરમિયાન કાચી પાકી સડકો ઉપર ફરશે તો પૈડા નું રૂપ રંગ બદલાઈ જશે. માનવ આત્મા પણ આ સૃષ્ટિ રૂપીરંગમંચ ઉપર શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે પ્રથમ જન્મમાં પાવન- સતો પ્રધાન હોય છે. પરંતુ એક કલ્પના 5000 વર્ષ દરમિયાન અનેક જન્મ લે છે, તથા કળિયુગના અંતે છેલ્લા જન્મમાં તમો તમોપ્રધાન બની જાય છે. હું પણું, ક્રોધ, લોભ-લાલચ તથા કામ વિકારના કારણે આત્મા અંતિમ જન્મમાં મેલી-કાળી (તમો પ્રધાન) બની જાય છે. જેના પરિણામે માનવતા ટુકડા-ટુકડા માં વહેંચાઈ ગઈ છે. મતભેદ અને તેનાથી ઉત્પન્ન થયેલ એકલાપણા ની ભાવના આજે ખતરનાક રૂપ ધારણ કરી રહી છે. લોકો પોતાના સ્વજનોથી દૂર થઈ રહ્યા છે. એના પરિણામે પરેશાનીઓ વધી છે, મનની શાંતિ નાશ પામી છે, અસ્થિરતા વધી છે. એક થઈને ન રહી શકવાના કારણે માનવજીવન કોડી સમાન બની ગયું છે. લોકોની ભીડ થી ભરેલ સમાજમાં પણ વ્યક્તિ પોતાને એકલો અનુભવ કરે છે. ભારતના શરૂઆતના સમય(સતયુગ) માં સમાજમાં એકતા, પ્રેમ, ભાઈચારો, સ્નેહ, સમાનતા વિગેરે ભાવ હતા. જે

રાસના એક ચિત્ર દ્વારા બતાવવામાં આવેલ છે જેમાં રાધા અને કૃષ્ણ વચમાં હોય છે ગોપીઓ ચારે બાજુ હાથમાં હાથ લઇ નૃત્યની મુદ્રામાં હોય છે. આ મહારાસમાં તેમના હાથ-પગ, આખા શરીરની ગતિની એકતા તથા મુદ્રાઓની એકતા રોજના જીવનમાં તેમની એકબીજા પ્રત્યે ની એકતા ના જ પ્રતીક છે.

વર્તમાન યુગમાં દેવી-દેવતાઓ સાકાર રૂપમાં નથી. ફક્ત તેમની પ્રેરણા દાયક યાદગારો બચી છે. આજે તો એકતા છે તેવું દેખાડવા માટે એકબીજાના હાથ માં હાથ લઈ, વર્તુળમાં ઉભા રહેલ લોકોને બતાડવામાં આવે છે. પરંતુ જો સંગઠનમાં ઊભા રહેલ વ્યક્તિઓના હાથ ગંદા હશે તો કોઈપણ એકબીજાની નજીક જવાની હિંમત નહીં કરે. વ્યવહારિક જીવનમાં પણ જો એકતા પરિવારના સભ્યો વચ્ચે હોય, સંગઠનો વચ્ચે હોય, પ્રદેશો કે દેશોની એકતા હોય ત્યારે એક થવા વાળા તમામ વ્યક્તિઓના મન બુદ્ધિ અને સંસ્કાર શુદ્ધ હોવા જરૂરી છે. તેઓ વિકાર વગરના અને નિ:સ્વાર્થ ભાવના વાળા હોવા જોઈએ.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

જમ્મુ-કશ્મીરમાં નવી ફિલ્મ નીતિની અસરઃ ૩૦૦થી વધારે ફિલ્મોનું શૂટિંગ થયું

શ્રીનગર: કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના લેફ્ટેનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ જણાવ્યું છે કે વહીવટીતંત્રએ નવી ફિલ્મ નીતિ લાગુ કરી છે તે પછી પ્રદેશમાં 300થી વધારે ફિલ્મ અને ટીવી શોના શૂટિંગ કરવામાં આવ્યા છે.

નવી ટીવી સિરિયલ ‘પશ્મીના’ના શૂટિંગના પ્રથમ દિવસનું ઉદઘાટન કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં સિન્હાએ કહ્યું, ‘આ કેન્દ્રશાસિત પ્રદેશ ફિલ્મોનાં શૂટિંગ માટે ફેવરિટ સ્થળ તરીકે ફરી ઉભરી આવ્યું છે. અમે તમામ લાગતાવળગતાં લોકો સાથે મસલત કર્યા બાદ બે વર્ષ અગાઉ નવી ફિલ્મ નીતિ લાગુ કરી હતી. આજે એના સારાં પરિણામ જોવા મળી રહ્યાં છે. આ પ્રદેશ ફિલ્મોના શૂટિંગ માટે નિર્માતા-દિગ્દર્શકોમાં ફરીથી ફેવરિટ બની ગયું છે. ફિલ્મ સંબંધિત પ્રવૃત્તિઓથી આ પ્રદેશમાં યુવા લોકો માટે રોજગારની વધારે તકો ઉત્પન્ન કરવામાં મદદ મળશે. મને યાદ છે, 80ના દાયકા સુધી જમ્મુ અને કશ્મીરની ધરતી પર બોલીવુડ અને હોલીવુડની ઘણી ફિલ્મોના શૂટિંગ થતા હતા. હવે એ સમય પાછો ફર્યો છે. આજે સબ ટીવીએ તેની ‘પશ્મીના’ સિરિયલનું શૂટિંગ અહીં શરૂ કર્યું છે અને મારી એમને શુભેચ્છા છે.’

ઘૂમરઃ કભી હાર… કભી જીત

આર. બાલ્કિની ‘ઘૂમર’માં ભૂતપૂર્વ ટેસ્ટક્રિકેટર, હાલ ફુલટાઈમ દારૂડિયા પૅડીના મોંમાં એક સંવાદ મૂકવામાં આવ્યો છેઃ “જિંદગી જબ આપકે મુંહ પર દરવાજા બંદ કરતી હૈ, તો ઉસે ખોલના નહીં, તોડના પડતા હૈ…” આ સંવાદ ફિલ્મનાં ઘાટ-ગતિ-મૂડ બનાવી તો દે છે, પણ…

હમ્મ્મમ ‘પણ’ આવ્યું ખરું! શું કામ આવ્યું? એ પછી… પહેલાં આ વાંચોઃ  જીવનમાં કંઈ કરવાની ગાંઠ વાળી લો અને પૂરા પુરુષાર્થથી મંડી પડો તો હજાર હાથવાળો ઈશ્વર “અનહોની કો ધોની, સૉરી, હોની કર દે” એવા મધ્યવર્તી વિચાર પર આધારિત આ ક્રિકેટફિલ્મ ઘૂમરનાં મુખ્ય પાત્રો છેઃ ભૂતપૂર્વ ટેસ્ટક્રિકેટર પદમસિંહ ઉર્ફે પૅડી (અભિષેક બચ્ચન), ક્રિકેટર અનિના (સૈય્યમી ખેર), એના અંધશ્રદ્ધાળુ પિતા (શિવરાજસિંહ ડુંગરપુર), દાદીમા (શબાના આઝમી), બૉયફ્રેન્ડ (અંગદ બેદી), વગેરે. સૌએ સરસ કામ કર્યું છે.

વળી ખેલાડીની (કે કોઈ પણ કાળા માથાના સફળ માનવીની) સંઘર્ષકથામાં પ્રેક્ષકને હંમેશાં રસ પડે છે. આથી જ આજકાલ સિંગિંગ-ડેન્સિંગના ટીવી-રિઆલિટી શોમાં સ્પર્ધકની કળા કરતાં એના સંઘર્ષને વધુ બઢાવીચઢાવીને દેખાડવામાં આવે છે. ‘ઘૂમર’ની વાત કરીએ તો એની મૂળ વાત પ્રેરણાદાયી છે, પણ કથા-પટકથા (બાલ્કિ-રાહુલ સેનગુપ્તા-રિશી વીરમણિ)નો પનો જરીક ટૂંકો પડતાં એ એક રેગ્યુલર ક્રિકેટફિલ્મ બનીને રહી જાય છે.

હોલિવૂડની ‘રૉકી’થી લઈને ‘મિલિયન ડૉલર બેબી’ કે ઘરઆંગણે ‘ચક દે,’ ‘મેરી કૉમ’, ‘એમ.એસ. ધોની’ જેવી ધાંસૂ સ્પૉર્ટ્સ ફિલ્મોની પંગતમાં બેસવાની ટ્રાય કરતી ‘ઘૂમર’ની ટૂંકમાં વાર્તા જોઈએ તોઃ પ્રતિભાશાળી મહિલા ક્રિકેટર અનિનાની નૅશનલ ટીમમાં પસંદગી થાય છે, પણ એક કારએક્સિડન્ટમાં એ જમણો હાથ ગુમાવી દે છે. અકસ્માત બાદ અનિના ક્રિકેટ જ નહીં, જીવનમાંથી રસકસ ગુમાવી દે છે, પરંતુ અનેક વર્ષ પહેલાં ઈજાના કારણે ક્રિકેટટીમમાંથી બહાર ફેંકાઈ ગયેલો પદમસિંહ સોઢી પૅડી (અભિષેક બચ્ચન) અનિનાને ડાબા હાથે નવી જ સ્ટાઈલની સ્પિન બોલિંગ કરવાની ટ્રેનિંગ આપે છે, અનિનાનું કોચિંગ કરવાની સાથે સાથે એ આપણને જીવનના અઘરા પાઠ પણ ભણાવે છે.

અહીં એક જિજ્ઞાસાઃ શું નેશનલ ક્રિકેટટીમમાં દિવ્યાંગ (એક હાથવાળા) ખેલાડીને સ્થાન મળે ખરું? અલબત્ત, ડિરેક્ટરે અમુક દાખલા-દલીલ સાથે આ પુરવાર કરવાનો પ્રયાસ કર્યો છે, પણ એ દલીલ ગળે ઊતરતી નથી.

બીજી જિજ્ઞાસાઃ રજને સૂરજ બનાવનારા પ્રશિક્ષકો કે મદદગારો દારૂડિયા જ હોવા જોઈએ? જુઓની, આર. બાલ્કિની જ ‘શમિતાભ’માં દારૂડિયા અમિતાભ સિંહાનું પાત્ર ભજવતા બિગ બી પ્રતિભાશાળી, પણ મૂક ઍક્ટર દાનિશ (ધનુષ)નો અવાજ બની એની ઍક્ટિંગ કરિયરને ટોચ પર પહોંચાડે છે. એ પહેલાં, 2005માં નાગેશ કુકનૂરની ક્રિકેટફિલ્મ ‘ઈકબાલ’માં (નસીરુદ્દીન શાહ) ભૂતપૂર્વ ક્રિકેટર હોય છે, પણ હવે એ શરાબી છે. એ નિર્ધન, મૂક-બધિર ઈકબાલ (શ્રેયસ તળપદે)ને બોલિંગની એવી જોરદાર તાલીમ આપે છે કે એ ઈન્ડિયન ક્રિકેટ-ટીમમાં સિલેક્ટ થઈ જાય છે. શું કરિયરનો અંત આવી જાય એટલે દારૂની બાટલીના શરણે થઈ જવાનું?

 આર. બાલ્કિ (‘ચિની કમ,’ ‘પા,’ ‘પૅડમૅન,’ ‘ચુપ’)એ ‘ઘૂમર’ની પ્રેરણા હંગેરીના પિસ્તોલ શૂટર કારોલી ટેકાક્સ પરથી લીધી છે. 1910માં બુડાપેસ્ટમાં જન્મેલા શૂટર કારોલીનો જમણો હાથ ઈજાગ્રસ્ત થયો તે પછી એમણે આકરી પ્રૅક્ટિસ કરીને લેફ્ટ-હૅન્ડથી શૂટિંગમાં બે ઑલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યા.

બાલ્કિની બધી ફિલ્મની જેમ અહીં પણ અમિતાભ બચ્ચન ટૂંકી, પણ મજેદાર ભૂમિકામાં દેખાય છે. અને બાલ્કિની બધી ફિલ્મોની જેમ વન-લાઈનર્સ જોવા મળે છે. જેમ કેઃ એક ટેસ્ટ બાદ ટીમની બહાર ફેંકાઈ ગયેલો પૅડી કહે છેઃ “મૈં એક દિન ક્રિકેટ ખેલના ચાહતા થા, મૈં એક દિન હી ક્રિકેટ ખેલ પાયા…”

ઓવરઑલ, ‘ઘૂમર’ ખરાબ ફિલ્મ નથી, બલકે બહેતરીન ફિલ્મ બનતાં બનતાં રહી ગયેલી એક એવરેજ ફિલ્મ છે. ‘ગદર-ટુ’ અને ‘ઓમએમજી-2’ જોઈ કાઢી હોય તો વીકએન્ડમાં જોવા જજો.

વાસ્તુ: ભારતીય વાસ્તુમાં દરેક દિશાનું મહત્વ

ઈશ્વર ક્યાં મળે? શું ઈશ્વરને પણ ખરીદી શકાય? શું ઈશ્વરના દરબારમાં સફળ માણસો માટે જ જગ્યા છે? આવા સવાલો સાંભળવા મળે ત્યારે મનમાં વિચાર આવે કે જેણે જગતનું સર્જન કર્યું છે, જે જગતનો આધાર છે, જે જગતના કણ કણમાં છે એના માટે પણ હવે સવાલો ઉદ્ભવે છે? એના માટે જવાબદાર કોણ? કેટલીક ગેરમાન્યતાઓ? કેટલાક તુક્કાઓ? કેટલાક ભૌતિક્તાવાદી વિચારો? અને કેટલાક કહેવાતા વિચારકો? કે પછી આપણે સહુ જેમણે પહેલા કોઈ સવાલો ન કર્યા અને હવે વિમાસણમાં જીવી રહ્યા છીએ. વાયરસ દેખાતો ન હતો પણ એ બધાને મહિનાઓ સુધી ઘરમાં પૂરી રાખવા માટે સક્ષમ હતો. એ જ રીતે ઈશ્વરને અનુભવાય. એને માત્ર આકારોમાં શોધવા ન જ જવાય.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપણે પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે જણાવેલ ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: શ્રાવણ મહિનો શરુ થઇ ગયો. જે લોકો પાસે પૂજા આરાધના માટે સહેજ પણ સમય નહતો, એ અચાનક મંદિરોની લાઈનોમાં દેખાવા લાગ્યા છે. જેમને સાચી શ્રદ્ધા છે એ લોકોને પણ એમના લીધે લાઈનમાં ઉભા રહેવું પડે છે. શું એક મહિનો આવું કરવાથી ઈશ્વર મળી જશે? વળી કેટલાક લોકો તો જાણે ફોટા પાડવા જ આવ્યા હોય એવું લાગે છે. એક ભાઈ વિડીઓ લેતા લેતા લાઈનમાં ચાલતા હતા એના લીધે બધાને અગવડ પડતી હતી. આવું કરવામાં કઈ આસ્થા હોય છે? વળી પ્લાસ્ટીકની થેલી માંથી સીધા જ ઉભા ઉભા દુધનો અભિષેક કરતા લોકો પણ જોવા મળે છે. કોઈ ફોર્માલીટી પૂરી કરતી ભીડ ભગવાનને શું સમજે છે? શું આવું કરવાથી મનોકામના પૂરી થઇ જશે? વળી મંદિરમાં ગાર્ડ ઉભા હોય છે. એ ચાલો ચાલો ની રાડારાડ કરતા હોય. દર્શન થયા પણ ન હોય ત્યાં ખસેડી દે. ખરેખર ઈશ્વર ક્યાં મળે એ સમજાવશો.

જવાબ: આપની અકળામણ સમજી શકાય તેમ છે. ઈશ્વર ક્યાં નથી? ઈશ્વર તો સર્વશ્વ છે. ભારતમાં કર્મના સિદ્ધાંતની વાત કરવામાં આવી છે. સત્કર્મો થકી પણ ઈશ્વર પ્રાપ્ત થઇ શકે છે. માત્ર મનને મનાવવા દેવસ્થાનમાં જવાનો અર્થ નથી. સાચા માંથી યાદ કરવાથી પણ ઈશ્વર મળે છે. ઈશ્વર આપણી અંદર પણ છે. આપણો આત્મા એ પરમાત્માનો અંશ છે. આત્માને ગમતું કરો. ઈશ્વર મળી જશે.

સવાલ: હું ખુબ જુનો વાચક છું. મારા ઘરમાં ઈશાનમાં સંડાસ આવે છે. તો એનું સમાધાન આપશો.

જવાબ: આપ જુના વાચક છો તેથી આપને ખબર હશે કે સાચી રીત એ છે કે આખા મકાનને સમજી અને વાસ્તુના નિર્ણયો લેવાય. એક એક જગ્યાનો દોષ જોઈ અને એનું નિરાકરણ લાવવાથી આખા વાસ્તુની ઉર્જા સકરાત્મક ન જ થઇ શકે. ઇશાન એટલે હૃદય સાથે જોડાયેલી દિશા. એની નકારાત્મકતા હ્રદયની લાગણી અને એની ક્ષમતાને અસર કરે. તેથી જ જો સમગ્ર મકાનની માહિતી મળે તો વધારે સારું નિરાકરણ આપી શકાય.

સુચન: ભારતીય વાસ્તુમાં દરેક દિશાનું સામાન મહત્વ છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૧૮ ઓગસ્ટ, ૨૦૨૩

૧૮ ઓગસ્ટ, ૨૦૨૩

Chitralekha Gujarati – August 28, 2023

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.