Home Blog Page 2593

સુવિચાર – ૨૧ ઓગસ્ટ, ૨૦૨૩

સુવિચાર – ૨૧ ઓગસ્ટ, ૨૦૨૩

૨૧ ઓગસ્ટ, ૨૦૨૩

૨૧ ઓગસ્ટ, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 21/08/2023 થી 27/08/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

નવા સંબંધની શરૂઆત થવાના કારણે તમને કામકાજમા ધ્યાન ઓછુ અને અન્યપ્રવૃત્તિમા ધ્યાન વધુ રહે, કામકાજ દરમિયાન વધુ પડતા વિચારો આવવાના કારણે તમને તમારા કામમા રૂચી ઓછી જળવાય તેમજ કામ પરાણે કરતા  હોવ તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે,  સાસરીપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ યોગ્ય છે.


સંતાન બાબત અને પ્રેમસંબંધમા કઈક નવીનતા બની શકે છે,  લગ્નબાબત કોઈ જગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે ઉત્સાહ સારો અનુભવો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થીવર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારૂ પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો,  બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ પણ બની શકે છે.


નોકરી, ધંધામા ઉતર-ચઢાવ દરમિયાન તમને કયાંકને ક્યાંક મનમાને મનમા અશાંતિ અને ઉદ્વેગ જોવા મળે, તમારા કામકાજમા ઉત્સાહ ઓછો જોવા મળે તેમજ કામની બાબતમા નાનીનાની બાબતમા ઉશ્કેરાઈ જવાય, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી વધુ થઈ શકે છે પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ ઘણી નિયંત્રણમા રહી શકે છે. તમારા કામકાજમા અન્યનો સાથસહકાર ઓછો જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને  સહયોગી થવામા થોડા ઉદાસીન બનો. બજારના કામકાજમા તમારામા કામકાજ કરવામા થોડી દ્વિધા અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે.


અસફળતા અને ઉશ્કેરાટવાળુ વાતાવરણ જોવા મળે, ઘરકે કુટુંબમા ભાઈબહેન સાથે કોઈ કામકાજમા સાથ સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈની ખટપટ પણ જોવા મળી શકે છે, પરિશ્રમ મુજબ ફળ ના મળવાના કારણે થોડી અશાંતિ જેવું લાગ્યા કરે, કોઈની સ્વાસ્થસંબંધિત ચિંતા કે આકસ્મિકખર્ચ પણ થઈ શકે છે, નોકરીમા કામનુ વધુ ભારણ કે અણગમતુ  કામ કરવાથી માનસિકઅશાંતિમા વધારો થાય, બજારના કામકાજ ધીરજ રાખવી સારી છે, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરી દરમિયાન થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે.


પરિસ્થિતિમા ધીમેધીમે સુધારો થતો જોવા મળે માટે ધીરજ રાખવી સારી, ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યા ખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટીસમસ્યા થાય તેવુ જણાતુ નથી, તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા  કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાયક મુસાફરી થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો. કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવું સારુ. બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.


પરિસ્થિતિમા પરિવર્તન જોવા મળશે અને આનંદ, ઉત્સાહ, વચ્ચે તમારો સમય પસાર થાય, લગ્નમાટે ક્યાય વાર્તાલાપકે મિલનમુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકે છો પણ તેમા થોડુ સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા અપેક્ષા મુજબ કામ થોડુ ઓછુ થાય, જુનાઅટકેલા કામકાજ પુરા કરવાની કોશિશ કરો તો તેમા પણ થોડી ચળવળ થતી જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે સમયનો સદુપયોગ કરવો વધુ યોગ્ય કહી શક્ય, આરોગ્યબાબતમા બેદરકાર ના બનાય તેનુ ધ્યાન રાખવુ.


આ સપ્તાહ દરમિયાન તમે કોઈપણ કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવી પણ બાબત રહેલી છે.  અણધાર્યા નાણાકીયખર્ચ થાય તેવુ પણ બની શકે છે, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો  અને તમારા કામની સારી નોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાત કે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરી પૂર્વકવર્તવું યોગ્ય છે.


તમારામા રહેલી ધીરજની થોડી પરીક્ષા થઈ શકે છે, તેમા તમારી થોડી મહેનત અને યોગ્ય ગણતરીની પણ એટલીજ જરૂરિયાત અનુભવો, મિત્રોકે સગાસ્નેહી સાથે મિલનમુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે થોડોક માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો. જુનાકોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે. સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુ જ કામ કરવુ સારુ, લગ્નબાબતની વાતચીત કે મિલનમુલાકાતમા વ્યવહારુ અભિગમ અપનાવો ઇચ્છનીય છે.


આ સપ્તાહ દમિયાન તમને કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથસહકાર પણ સારો મળી શકે છે જેમા તમને તમારા કામના અધિરાપણાનુ  ભાન કરાવે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમા કે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો.  બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વાક્જ કામ કરવુ જોઈએ.


તમારામા કોઈ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારી વાતની આપ લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈ જગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નની વાત કોઈ જગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવકે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે. તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા  અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરી લાભ મેળવી શકો છો.


નાનીનાની વાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન તમારામા જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિક નાણાકીયકે કોઈ બાબતે ખુશી થવાય તેવો લાભ પણ થઈ શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તે લોકો એ થોડી તકેદારી રાખવી જરૂરી છે. સગાસ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા  મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગીના જ નાના કામ કરવા યોગ્ય છે.


જાહેરપ્રસંગમા તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામકાજમા અન્યનો સારો સાથસહકાર મળી શકે છે, તમારા ધારેલા કામમા તમે ગણતરી અને મહેનત કરોતો સારુ ફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો વાર્તાલાપ અને મિલનમુલાકાતમા તમને સારો પ્રતિભાવ અને ઉત્સાહ જોવા મળી શકે છે ફક્ત એટલું ધ્યાન રાખવુ કે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રાપ્રવાસ પણ તમને ઉત્સાહપૂર્વકનો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને કઈ સારુ કરવાની લાગણી જન્મી શકે છે, આયોજનપૂર્વક કામ કરોતો લાભ પણ થઈ શકે છે.

રાશિ ભવિષ્ય 21/08/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસે સાવચેતી અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકાની તકલીફથી સાચવવું, કામકાજઅર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરીનુંજ કામ કરવુ યોગ્ય છે.


આજનો દિવસ મસ્તીમજાકમાં પસાર થઈ શકે છે, તમને તમારા કામમાં અન્યનો સાથ-સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , જુનાકોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.


આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, કોઈની સાથે અગત્યની વાર્તાલાપ કરવાની હોયતો તેમાં પણ તમને કોઈનો સારોસહયોગ મળી શકે છે, તમારા મનમાં રહેલી કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે, બજારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે.


આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનુંકામ કરવું યોગ્ય છે, પ્રિયજન સાથે ખરીદી  થોડીખર્ચાળ બને તેવું બની શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટ પટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું.કોઈની ઉશ્કેરીજનક વાતથી ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય , મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય.


આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈ લાભની વાત આપલે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, પોતાની પસંદગીની કોઈ ખરીદી કરવી હોયતો પણ ફળીભૂત થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને મોજશોખમાં સમય પસાર થાય.


આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, અગત્યની કોઈ વાર્તાલાપ ક્યાંક ફળીભૂત થાય તેવા સંજોગો ઉભા થાય અને તેમાં તમારો ઉત્સાહ વધે.


આજનો દિવસે સાવચેતી રાખવી, કોઈ વાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, પ્રેશર, ડાયાબીટીસના દર્દીએ આજના દિવસે કાળજી રાખવી, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ મનમાં રહ્યા કરે.


આજનો દિવસ સારો છે,  તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યું કે મનનું કામ થઇ  શકે તેથી તમે સારી ખુશી અનુભવી શકો, અગત્યની વાત ક્યાંક કરવાની હોયતો તેમાં પણ સારું કામ થાય અને કોઈની મદદ સલાહ પણ મળી શકે છે, વેપારના કામકાજમાં તમારા અનુભવનો  સારો ઉપયોગ કરી શકો.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં અનુભવ મુજબ નાનુંકામ સારું કહી શકાય, કોઈ અણધાર્યા કામ આવી જવાથી સમયનો વ્યય થાય અને કંટાળો અનુભવો તેવું બની શકે.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરીના યોગ છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો તેમજ કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં સારો પ્રતિસાદમળી શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.

પંચાંગ 21/08/2023

બોરીવલીમાં જુગારના અડ્ડા પર પોલીસ ત્રાટકી; ૩૮ જણ કસ્ટડીમાં

મુંબઈ: મુંબઈ પોલીસના ઝોન-૧૧ના જવાનોએ ગેરકાનૂની જુગારની પ્રવૃત્તિઓ પર સપાટો બોલાવ્યો છે. બોરીવલી ઉપનગરની એક હોટેલ પર દરોડો પાડીને પોલીસે ૩૮ જણને પકડીને કસ્ટડીમાં પૂરી દીધા છે.

જુગારના અડ્ડાઓને શોધી કાઢી તપાસ હાથ ધરવા માટે ઝોન-૧૧ના નાયબ પોલીસ કમિશનર અજયકુમાર બંસલે એક ખાસ ટૂકડીની રચના કરી છે.

વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી બાતમીને આધારે વિશેષ ટૂકડીએ બોરીવલી વેસ્ટમાં આવેલી હોટેલ ગ્રેનવિલ પર ગઈ કાલે શનિવારે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. એ વખતે ત્યાં ૩૮ જણ જુગાર રમતા હતા. એમની પાસેથી લાખોની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.

રશિયાનું ‘લૂના 25’ અવકાશયાન ચંદ્રની ધરતી પર ધરાશાયી થઈ ગયું 

મોસ્કો: ચંદ્રની ધરતી પર દક્ષિણ ધ્રુવ બાજુએથી ઉતરાણ કરવાનું રશિયાનું મિશન નિષ્ફળ ગયું છે. તેનું અવકાશયાન ‘લૂના 25’ ચંદ્રની ધરતી પર ધરાશાયી થઈ ગયું છે. રશિયાએ ૫૦ વર્ષમાં આ પહેલી જ વખત ચંદ્ર પર અવકાશયાન મોકલ્યું હતું.

જર્મનીની DW સમાચાર સંસ્થાએ રોસકોસમોસ સ્પેસ કોર્પોરેશનને ટાંકીને એક અહેવાલમાં જણાવ્યું છે કે, ‘લૂના 25’ યાન ચંદ્રની ધરતી પર ધ્વસ્ત થઈ ગયું છે. તેમાં એક મોટી ટેક્નિકલ ખામી ઊભી થઈ હતી અને એના કારણે જ ‘લૂના 25’નું મિશન નિષ્ફળ ગયું છે.

દુ:ખી: રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન

દરમિયાન, ભારતનું અવકાશયાન ચંદ્રયાન-3 ચંદ્રની ધરતી પર દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરવા આગળ વધી રહ્યું છે. તેના લેન્ડિંગ ટાઈમનું એલાન કરવામાં આવ્યું છે. તે 23 ઓગસ્ટના સાંજના 6.04 વાગ્યે ચંદ્રની સપાટી પર ઊતરશે.

NZ પર UAEનો T20I વિજય ફ્રેન્ચાઈઝ ક્રિકેટની મોટી સિદ્ધિ સમાન: અશ્વિન

ચેન્નાઈ : ભારતના ઓફ્ફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને દુબઈમાં ગઈ કાલે રમાઈ ગયેલી ટ્વેન્ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચમાં NZ પર UAE ટીમે મેળવેલા વિજયની સરાહના કરી છે. એણે કહ્યું છે કે આ પરિણામ ફ્રેન્ચાઈઝ ક્રિકેટની અસર દર્શાવે છે. તેમજ ટેસ્ટ ક્રિકેટ ન રમતાં દેશોની આવનારી પેઢીઓ માટે એક નવી જગાવે છે.

ગઈ કાલે દુબઈમાં રમાઈ ગયેલી બીજી ટ્વેન્ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચમાં યૂએઈ ટીમે ન્યૂઝીલેન્ડ ટીમને ૭-વિકેટથી પરાજય આપ્યો હતો. આ સાથે, ૩ મેચોની સીરિઝ ૧-૧થુ સમાન થઈ છે. ત્રીજી અને આખરી મેચ આજે રમાશે. ગઈ કાલની મેચમાં, ટીમ સાઉથીના નેતૃત્વ હેઠળની NZ ટીમે તેના હિસ્સાની ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૪૨ રન કર્યા હતા. તેના જવાબમાં, મુહમ્મદ વાસીમના નેતૃત્વવાળી યૂએઈ ટીમે ૧૫.૪ ઓવરમાં ૩ વિકેટના ભોગે ૧૪૪ રન કરીને મેચ જીતી લીધી હતી. પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ યૂએઈના ડાબોડી સ્પિનર આયાન ખાનને આપવામાં આવ્યો હતો, જેણે૪ ઓવરમાં ૨૦ રન આપીને ૩ વિકેટ લીધી હતી. યૂએઈના કેપ્ટન વાસીમે ૨૯ બોલમાં ૫૫ રન કર્યા હતા જેમાં ૪ ચોગ્ગા અને ૩ છગ્ગા હતા.

૯૨મા જન્મદિવસે બક્ષીબાબુને એમના ‘યાર બાદશાહો’ નું નજરાણું…

સાંસ્કૃતિક ઘર ‘બક્ષીનામા’ નો આગાઝ : ગુજરાતી સાહિત્યના બેમિસાલ બક્ષીબાબુને કોઈ જ પ્રકારની સરકારી કે કોર્પોરેટ સહાય વિના ‘યાર બાદશાહોનું” પ્રેમભર્યું નજરાણું

ભારતમાં પ્રથમ વાર બનવા જઈ રહેલી એવી ઘટના કે જેમાં લેખકના ચાહકો – વાચકો આજદિન સુધી ના થયેલા કાર્યનું બીડું ઝડપ્યું છે.આ અદ્ભુત કામમાં નાનામાં નાના કામદારથી લઈને તમામ વર્ગ,સમુદાયના પ્રેમ,લાગણી,ચાહના થાકી શક્ય બન્યું છે. બક્ષીબાબુ પ્રત્યેનો તેમના ચાહકો-વાચકોનો પ્રેમ બેમિસાલ છે.

વાચકો પોતાના પ્રિય લેખકના માન,સન્માન અને આદર માટે સાંસ્કૃતિક ઘરનો જીર્ણોદ્ધાર કરી તમામ માટે ખુલ્લુ મૂકી રહ્યા છે, જેમાં કોઈ જ પ્રકારની કોર્પોરેટ એડ સંસ્થાઓ કે સરકારી સહાય કે સહકાર લેવામાં નથી આવ્યો. માત્ર અને માત્ર વાચકો થકી જ આખું અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે.

હા વાત છે પાલનપુર (બનાસકાંઠા) ના વતની એવા આપણા સહુના યાર બાદશાહ ચંદ્રકાંત બક્ષીની. જેઓએ બાળપણ જે ઘરમાં ગાળ્યું અને ઉછેર્યા. જે ઘર સાથે એમના પરિવારની યાદો જોડાયેલી છે. ૧૫૦ ઉપર પુસ્તકો લખી સાહિત્યની અને પાઠકોની સાચા અર્થમાં સેવા કરી છે. એક ઊંચા ગજાના લેખક કે જે કોઈ જ પ્રકારની તુલના કે ઈલ્કાબોનો મોહતાજ નથી. લેખકના લેખનને કોઈ જ જાતિ,ધર્મ,સંપ્રદાય સાથે લેવાદેવા નથી હોતું, લેખક લેખક જ હોય છે તે સાચા અર્થમાં બક્ષીબાબુએ પુરવાર કરી બતાવ્યું છે. આ સહિયારી મુહિમમાં જે વાચકોનો અપ્રતિમ સહયોગ અને સાથ આપી અત્યંત આધુનિક બાંધકામ સાથે બક્ષીબાબુના સાહિત્યથી માંડી યાદગાર વસ્તુઓ અને ઘણુંબધું ટેકનોલોજી સાથે જોડાણ કરવાનું આયોજન ખરેખર સરાહનીય છે.

આ સફરની શરુઆત કેવી રીતે થઈ તેની જલક હિતેશભાઈ પટેલના શબ્દોથી રુબરુ થઈએ…

ખોડો લીમડો, આ શબ્દ વાંચતાની સાથે જ ચંદ્રકાન્ત બક્ષીને વાંચનાર વાચકના મગજમાં બક્ષીનામા માં કરવામાં આવેલ બક્ષી સાહેબના બાળપણની યાદો તાજી થઈ જાય. મારા માટે પણ એવું જ કંઈક થયું. વાત છે વર્ષ ૨૦૧૮ ની સ૨કા૨ી નોકરીના કા૨ણે પાલનપુર પોસ્ટીંગ થયું. સ્કૂલ સમયે અને કોલેજ સમયે બક્ષીસાહેબને મે વાંચેલા અને આજ પર્યંત સાહેબને વાંચવાનો ક્રમ જળવાયેલો છે. હવે તો પુસ્તકોનું પુનરાવર્તન કે પરીક્ષાના સંદર્ભમાં કહીએ તો રિવિઝન થઈ રહ્યું છે. પરંતુ ૨૦૧૮ માં પાલનપુર જતા જ ચંદ્રકાન્ત બક્ષી નામ મગજમાં સતત ચમકયા કરતું હતું. બક્ષીનામા માં ખોડા લીમડામાં આવેલ તેમના મકાનના વર્ણનનું શબ્દ ચિત્ર મગજમાં જીવંત હતું. મારા સ્ટાફમાં રહેલા સહ કર્મચા૨ીઓને બક્ષીસાહેબ અને ખોડા લીમડા વિશે અવાર નવાર પૂછતો અને બધા કહેતા કે હા બક્ષી સાહેબનું મકાન ખોડા લીમડા વિસ્તારમાં આવેલું છે. પરંતુ કામની વ્યવસ્થતાને કા૨ણે જઈ શકાયું નહીં. અચાનક એક દિવસ રાત્રે એક મિત્ર સાથે પાલનપુરમાં વાત થતાં તેમને બક્ષી સાહેબના ચાહક એવા શ્રી હિદાયતભાઈની મુલાકાત કરાવી અને ત્યાંથી આ આખી સફરની શરૂઆત થઈ. રાત્રે ફોન ઉપર વાત થઈ બીજા દિવસે સવારે જ હિદાયતભાઈના બાઈક ઉ૫૨ જુના નવાબી પાલનપુ૨ની સફરે અમે નીકળ્યા અને પહોંચ્યા ખોડા લીમડા વિસ્તારમાં, મારા માટે આ ક્ષણ એક રોમાંચથી ઓછી ન હતી. બક્ષીસાહેબના મકાનની તપાસ કરતાં કરતાં અમે પહોંચ્યા બક્ષીવાસમાં અને પડોશીને પૂછતાં ખબર પડી કે આ બંધ, જુનું અને તદન ખંડેર થઈ ગયેલ મકાન એ બક્ષીસાહેબનું છે. મગજ તાત્કાલિક બક્ષીનામા ના વાંચનથી મગજમાં ઉદભવેલ શબ્દચિત્ર અને સામે રહેલ વાસ્તવિક ચિત્ર વચ્ચે તા૨ મિલાવવા લાગ્યું. તરજ જ શોધખોળ ચાલુ થઈ કે આ મકાન કોનું છે, કોણ માલિક છે, સ૨કા૨ી રેકર્ડમાં કોના નામે છે, ખરેખર આજ બક્ષી સાહેબનું મકાન છે, અસંખ્ય પ્રશ્નો સામે આવી ગયા, છેવટે હાલમાં આવેલ મકાનની ઓસરીમાં પડેલ લાઈટ બીલ જેના ૫૨ નામ હતું ચં.ચી. મહેતા. પડોશીઓ સાથે પૂછપરછ થયા પછી મકાનના માલિક કોણ છે અને કયાં રહે છે તેની કોઈ જાજી માહીતી ન મળી શકી. અમો મકાનના ફોટા પાડી ત્યાંથી વિદાય લીધી. મિત્ર હિદાયતભાઈએ સોસીયલ મડીયા પર મકાનના ફોટા મૂકી બક્ષીસાહેબના મકાનની દુર્દશા વિશે વાત લખી અને જેના કારણે આવી રીવાબેનની કોમેન્ટ, ત્યારથી બક્ષીસાહેબના પુત્રી રીવાબેન સંપર્કમાં આવ્યા. રીવાબેન સાથે ટેલીફોનીક વાતમાં જાણવા મળ્યું કે આ મકાન વર્ષો પહેલાં તેમના કાકાએ વેચાણ આપી દીધેલ હતું. બક્ષીસાહેબને આ મકાનથી ખૂબ જ લગાવ હતો તેવું પણ રીવાબેને જણાવ્યું. આ મકાનની સાચવણી થાય, માવજત થાય અને તેને રીસ્ટોર કરી એક સ્મારક બનાવવું જોઈએ તેવો વિચાર મારા મનમાં ઉદભવ્યો અને તે દિશામાં કામ શરૂ કર્યું.

૨૦૧૮ પછીના વર્ષોમાં સ૨કા૨ી રેકર્ડની શોધખોળ કરી તેના મુળ માલિકની શોધખોળ આદરી અને અંતે મુંબઈ ખાતે રહેતા મકાન માલીકના ફોન નંબર અને એડ્રેસ મળ્યા તે પહેલાં આ મકાનમાં સ્મારક બનાવવા કલેકટરશ્રીને પણ મળવાનું થયું. પરંતુ ચોકકસ કઈ દીશામાં આગળ વધવું તે નકકી થઈ ના શકયું અને અંતે વિચા૨ કર્યા કે એક સ્મૃતિ ટ્રસ્ટ બનાવીએ અને ટ્રસ્ટમાં બક્ષી સાહેબના ચાહકો અને વાચકોને ટ્રસ્ટી તરીકે લઈ ટ્રસ્ટીઓના પોતાના ફંડમાંથી મકાન ખરીદી લેવું. ટ્રસ્ટના નામે મકાન ખરીદી તેનું રીસ્ટોરેશન કરી ત્યાં કાયમી માટે સાચવણી થાય અને બક્ષી સાહેબનું સ્મારક બને તેવું નકકી કર્યું.

મકાનના માલીક પાસેથી મકાન ખરીદી તેને વેચાણ લેવાની વાત ટ્રસ્ટીઓ સાથે કરી અને અંતે ‘શ્રી ચંદ્રકાન્ત બક્ષી સ્મૃતિ ટ્રસ્ટ” નામે ટ્રસ્ટની નોંધણી કરવી અને બક્ષીસાહેબ જે મકાનમાં બાળપણ પસાર કયું હતું અને જે મકાન અન્યને વેચાણ થઈ ગયેલ હતું તે પરત લઈ દસ્તાવેજ પણ કરી લીધો. આજે આ મકાન પરત મળી ગયું છે અને આગામી સમયમાં આધુનીક ટેકનોલોજી દવારા તેની જાળવણી થાય તે દિશામાં પ્રયત્નો શરૂ કર્યા છે. એક વાચક તરીકે બક્ષીસાહેબના “યાર બાદશાહ” તરીકે હું રીવાબેનનો પણ આભાર માનીશ. કેમકે ટ્રસ્ટની નોંધણી માટે બક્ષી સાહેબના વા૨સ ત૨ીકે તેઓનું એન.ઓ.સી. લેવા માટે તેમને રૂબરૂ મળવાનું થયું. રીવાબેન સાથેની એ પ્રથમ મુલાકાત હંમેશા યાદગાર રહેશે. તેઓએ તેમના ડેડીને આ મકાન માટે કેટલો પ્રેમ અને લગાવ હતો તેની પણ વાત કરી અને ખૂબ જ લાગણી થી આભાર પણ માન્યો. સ્મારકના નિર્માણ માટે પણ તેઓએ તેમના વિચાર રજૂ કર્યા છે. જે ભવિષ્યમાં રીનોવેશન પણ તેઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે. રીવાબેન બક્ષી સાહેબની કેટલીક અમૂલ્ય વસ્તુઓ જેવી કે ડાયરી, પેન અને અન્ય વસ્તુઓ સ્મારકમાં મુકવાની ઈચ્છા વ્યકત કરી છે.

આ રીતે ખોડા લીમડા શબ્દથી શરૂ થયેલી સફર, શોધખોળ, પૂછપરછ અને નાના સંઘર્ષના અંતે બક્ષી સાહેબ માદરે વતન પાલનપુરના મકાનની ખરીદી થતા પૂર્ણ થઈ. રીવાબેન કહે છે તમે વાચકોએ જે કર્યું છે તેના માટે આભાર શબ્દ ખૂબ નાનો છે, પરંતુ બક્ષીસાહબે વાચકો અને ગુજરાતી સાહિત્યને જે આપ્યું છે તેની સામે આ કશું જ નથી અને અંતે કહીશ કે બીસાહેબના ”યાદબાદશાહો” તેમના માટે આટલું પણ ના કરી શકે. બાકી વિશેષ વાચક લેખકનો રૂણ સ્વિકાર ક૨વા બીજુ શું કરી શકે.

(હિતેશ પટેલ)

૨૦ ઓગસ્ટ, ૨૦૨૩

૨૦ ઓગસ્ટ, ૨૦૨૩