૨૦ ઓગસ્ટ, ૨૦૨૩
૨૦ ઓગસ્ટ, ૨૦૨૩
રાશિ ભવિષ્ય 20/08/2023
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજના દિવસમાં તમને થોડો ઉત્સાહ જોવા મળી શકે છે, વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, જૂની ઓળખાણ તાજી થાય તેમાં તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામકરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત પણ થઈ શકે છે.
આજે સગા-સ્નેહી, જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ યોગ છે, આરોગ્યબાબત થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના પણ ભોગ બની શકો છે, ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.
આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગ અંગે ચર્ચા-વિચારણા થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવું.
આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો.યોગ્ય છે.
આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા કે લગ્નની વાત ગોઠવવા માટે પ્રયત્ન કરવા જેમાં પ્રયત્ન સફળ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.
આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાય કે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાક-મશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, લગ્નયોગ ધરવતા યુવાવર્ગ માટે વાર્તાલાપકે મિલનમુલાકાત સારી રહી શકે. નાનાઅંતરની મુસાફરી થઈ શકે, આજે કોઈના કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, પ્રિયજન તરફથી સારી વાત જાણવા મળે.
આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું. બ્લડપ્રેશર, છાતીના દર્દ હોય તેવા લોકો માટે આજે તકેદારી રાખવી, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ખાસ ધ્યાન રાખવું.
આજે મિત્રો સાથે સારોસમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. જુનાસંબંધ અચાનક યાદ આવે તેવા પણ યોગ છે. લગ્નબાબતની વાતચીતકે મિલનમુલાકાત કરવાથી સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.
આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, .કમર, હાડકા,પગમાં દુખાવાની તકલીફ વાળાએ આરોગ્યબાબતમાં ધ્યાન વધુ આપવું ઇચ્છનીય છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, લાકડા, ચામડા, ધાતુ, ઓઈલ, પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્ર, ના કામ કરનારને સારું રહે, જુના કોઈકામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, કોઈની ખોટીદોરવાણીથી ઉશ્કેરાઈના જવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.
આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારી વાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. લગ્નમાટેની મિલનમુલાકાત આજે આશાસ્પદ બને તેવા યોગ પણ છે.
છત્તીસગઢમાં રેવડી રાજકારણઃ કોંગ્રેસ સાથે વધુ એક રાજ્યમાં ખેલ?
રાયપુરઃ છત્તીસગઢ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી ઊતરશે. આપના સંયોજક અરવિંદ કેજરીવાલે પાંચ મહિનામાં ત્રીજી વાત રાજ્યની મુલાકાત લીધી છે. દિલ્હી, પંજાબ પછી અરવિંદ કેજરીવાલે છત્તીસગઢની જનતાને કેટલીય ગેરન્ટીઓનું એલાન કર્યું છે. તેમણે ભાર દઈને કહ્યું છે કે જો તેમને એક વાર સેવા કરવાની તક મળશે તો જનતા બધી પાર્ટીઓને ભૂલી જશે.
કેજરીવાલે રાયપુરમાં એક જનસભા સંબોધિત કરી હતી, જેમાં તેમણે કુલ 10 ગેરન્ટીઓનું એલાન કર્યું હતું.કેજરીવાલે 10 ગેરન્ટીઓમાં 300 યુનિટ સુધી મફત વીજ, સરકારી હોસ્પિટલોમાં મફત સારવાર, દરેક જગ્યાએ મોહલ્લા ક્લિનિક, બેરોજગારોને રૂ. 3000નું ભથ્થું, વડીલોને મફત તીર્થ યાત્રા, 18 વર્ષથી વધુ વયની મહિલાઓને પ્રતિ મહિને રૂ. 1000 આપવાની વાત કરી હતી. હવે આ બધાં ચૂંટણી વચનો તેમણે પંજાબ અને ગુજરાતમાં પણ કરી હતી.
छत्तीसगढ़ की जनता को भी दिल्ली-पंजाब की तरह सुविधाएं चाहिए। रायपुर में आज स्थानीय लोगों के साथ टाउनहॉल कार्यक्रम में चर्चा। LIVE https://t.co/O8V9LrT3fq
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 19, 2023
આમ આદમી પાર્ટીએ જે રાજ્યોમાં ઝડપથી વિસ્તાર કર્યો છે, ત્યાં કોંગ્રેસ વિરુદ્ધ ભાજપ વચ્ચે સીધી ટક્કર છે. વળી, આપ પાર્ટીએ ભાજપ કરતાં કોંગ્રેસનું વધુ નુકસાન કર્યું છે. આ રાજકીય નુકસાન એટલું મોટું છે કે કોંગ્રેસે દિલ્હી, પંજાબમાં સત્તા ગુમાવી છે. આપ પાર્ટીની અને કોંગ્રેસની મતબેન્કમાં સમાનતા છે. બેને પાર્ટીઓ મુસલમાનો અને ગરીબો અને બ્રાહ્મણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે.હવે જેકોઈ રાજ્યોમાં આપ પાર્ટી ચૂંટણી મેદાનમાં ઊતરે છે, એનાથી ભાજપ કરતાં વધુ નુકસાન કોંગ્રેસને થાય છે. જોકે છત્તીસગઢમાં પાછલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ઐતિહાસિક દેખાવ કર્યો હતો.
કેજરીવાલે કોંગ્રેસ સહિત I-N-D-I-Aને આપ્યું નવું ટેન્શન
નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણી આડે હવે થોડા મહિનાઓ રહ્યા છે ત્યારે આ ચૂંટણી માટે વિપક્ષ ગઠબંધન I-N-D-I-A એક થઈ ગયું છે, જેમાં આમ આદમી પાર્ટીએ પણ કોંગ્રેસની સાથે હાથ મિલાવ્યા છે. જો કે આ વચ્ચે ગઠબંધનમાં તકરાર સામે આવી રહી છે. દિલ્હી અને પંજાબમાં કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લેનાર AAP દ્વારા રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં તમામ 200 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. વળી, પાર્ટી ટૂંક સમયમાં ઉમેદવારોનું એલાન પણ કરે એવી શક્યતા છે. આ નવા રાજકીય દાવથી કોંગ્રેસ સહિત I-N-D-I-Aના ગઠબંધન પર વિપરીત અસર પડશે. 
દેશમાં આગામી વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણી પહેલા પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી ગઠબંધન માટે લિટમસ ટેસ્ટ સાબિત થશે. આ માટે તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારી શરૂ કરી દીધી છે ત્યારે વિરોધ પક્ષોએ ગઠબંધન INDIA લોકસભા ચૂંટણી માટે એકમેક સાથે હાથ મિલાવ્યા છે. જોકે આ ગઠબંધનમાં હવે ભંગાણ પડવાની શક્યતા છે. આ સાથે જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પક્ષો વચ્ચે ટક્કર પણ થશે.
AAP રાજસ્થાનના પ્રદેશ અધ્યક્ષ નવીન પાલીવાલે ગઈ કાલે કહ્યું હતું કે તેમની પાર્ટી 200 બેઠકો પર વિધાનસભા ચૂંટણી લડવાની છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે 22 ઓગસ્ટે રાષ્ટ્રીય સંગઠન મંત્રી સંદીપ પાઠકે દિલ્હીમાં બેઠક બોલાવી છે. ઉમેદવારોની પસંદગી કર્યા બાદ આ યાદી રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલને સોંપવામાં આવશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે 25 ઓગસ્ટ સુધીમાં ‘આપ’ની પ્રથમ યાદી બહાર પાડવામાં આવશે.
@AAPRajasthan प्रदेश में सभी 200 विधानसभा सीटों पर चुनाव लड़ने जा रही है | प्रदेशाध्यक्ष @NaveenPaliwal_ जी 22 अगस्त को माननीय राष्ट्रीय संगठन महामंत्री व राज्यसभा सांसद @SandeepPathak04 जी मुलाकात कर प्रत्याशियों के लिए प्राप्त आवेदनों पर समीक्षा करेंगे । pic.twitter.com/tv4Zsjl8O4
— AAP Rajasthan (@AAPRajasthan) August 18, 2023
કોંગ્રેસ અને AAP 26 પક્ષોના ગઠબંધન ‘I-N-D-I-A’માં સામેલ છે. પટના અને બેંગલુરુમાં યોજાયેલી બેઠકોમાં બંને પક્ષો એક મંચ પર આવી ચૂક્યા છે. જોકે મુંબઈમાં યોજાનારી ત્રીજી બેઠક પહેલાં બંને પક્ષો વચ્ચે ટક્કરનાં એંધાણ છે.
વિશ્વ ફોટોગ્રાફી દિવસ – ભારતના પ્રથમ મહિલા ફોટો જર્નાલિસ્ટ ‘હોમાય વ્યારાવાલા’
ફોટોગ્રાફીનો ઈતિહાસ ખૂબ જ જૂનો છે. વર્ષ 1837માં ફ્રાંસમાં ફોટોગ્રાફી દિવસ મનાવવાની શરૂઆત થઈ હતી. ત્યારથી 19 ઓગસ્ટના રોજ વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ ઊજવવામાં આવે છે. ગ્રીક શબ્દમાંથી આવેલ ફોટો અને ગ્રાફોસ પરથી બનેલ ફોટોગ્રાફી શબ્દ એક કલાને રજુ કરતું સબળ તેમજ આજનું ખુબ લોકપ્રિય માધ્યમ છે. વિશ્વનો પ્રથમ કેમેરો કેમેરા ઓબ્સ્ક્યુરા હતો. વૈજ્ઞાનિક લુઈસ ડાઉગર દ્વારા ફોટોને કેપ્ચર કરવાની પ્રથમ પ્રક્રિયાની શોધની યાદમાં વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણીની શરૂઆત થઈ હતી. સમય સાથે ફોટોગ્રાફીમાં પરિવર્તન આવ્યું અને ફિલ્મ સાથે ફોટોગ્રાફી સંકળાયા બાદ બ્લેક અને વ્હાઇટથી કલરમાં ફોટોગ્રાફીનું પરિવર્તન થયું. કેમેરામાં રંગોની મર્યાદાઓ, ખર્ચાળ અને સમય માગી લેતી પધ્ધતિ સામે ઝીંક ઝીલવા કોડોક, લીએકા, કાઈન એક્સકાંટા, નિકોન, ઓલમ્પસ, મીનોલ્ટા વગેરે જેવી અનેક કંપનીઓએ નાના અને હેન્ડી કેમેરા બનાવી લોકોને ફોટોગ્રાફી પ્રત્યે આકર્ષિત કર્યા. ત્યાર બાદ આવેલા ડિજિટલ કેમેરાએ “ડિજિટલ ફોટોગ્રાફીનો” નવો યુગ શરૂ કર્યો, જે મોબાઈલ ફોનમાં પણ જોડાવા લાગ્યા અને ત્યારથી કેમેરો જાણે દરેક વ્યક્તિ પાસે હાથવગો અને જીવનનો મહત્વનો હિસ્સો બન્યો.

સોશિયલ મીડિયાને લીધે ફોટાગ્રાફી જીવનનું અભિન્ન અંગ બની ગયું
રોજિંદા જીવનમાં બનતી ઘટનાને કેમેરામાં કંડારી ફોટોગ્રાફરના એંગલ, કેમેરાના લેન્સ, ઘટનાનું મહત્વ, શટર, સ્પીડ, ફ્રેમ રેટ, જેવી અનેક નાની પણ કેમેરાની ખૂબ મહત્વની બાબતોને ટેક્નોલોજી સાથે ક્લિક કરી માહિતીને જોડે છે. ફોટોગ્રાફર તેમજ મેન્ટર તરીકે કાર્યરત કેયુર પ્રદીપભાઈ ભટ્ટ જણાવે છે કે ‘‘વિશ્વ ફોટોગ્રાફી દિવસ’’ નિમિત્તે ફોટોગ્રાફીના અનેક એક્ઝિબિશનને લીધે સામાન્ય માણસો ફોટા અને ફોટોગ્રાફરનું સમજતા થયા છે. સોશિયલ મીડિયાને લીધે ફોટાગ્રાફી જીવનનું અભિન્ન અંગ બની ગયું છે, ત્યારે ફોટોગ્રાફી લોકોની સંવેદનાઓને સીધી રીતે સ્પર્શે છે, અને એક ફોટો ૧૦૦૦ શબ્દોની ગરજ સારે છે.

ભારતના પહેલા મહિલા તસવીરકાર હોમાય વ્યારાવાલા
ભારતના પહેલા મહિલા તસવીરકાર હોમાય વ્યારાવાલાનો જન્મ નવસારીમાં એક મધ્યમવર્ગીય પારસી પરિવારમાં થયો હતો. પિતા નાટક મંડળી સાથે જોડાયેલા હતા. જેના પગલે તેમની સાથે અનેક સ્થાનોએ હરવા ફરવાનું થતું હતુ. પરિણામે તેમણે અભ્યાસ પણ અનેક જગ્યાએ કરવો પડ્યો. આખરે પિતા મુંબઈમાં સ્થાયી થતા ત્યાંની જે.જે. સ્કૂલ ઓફ આર્ટમાં ડિપ્લોમા થયા. પતિ અને મિત્રો પાસેથી તસવીરકળા શીખ્યા. 1938થી સામયિકમાં તસવીરકાર તરીકે કારકિર્દી શરૂ કરી. 1942માં તેઓ બ્રિટીશ માહિતી ખાતામાં જોડાયા તે પછી તેમની કળાની કદર રાષ્ટ્રીય કક્ષાએ થવા માંડી હતી. હોમાય વ્યારાવાલાને 2010માં માહિતી અને પ્રસારણ મંત્રાલય તરફથી લાઈફ એચિવમેન્ટ અને 2011માં ભારતનું બીજા નંબરનું નાગરિક સન્માન પદ્મવિભુષણ એનાયત થયો હતો. ભારતમાં ફોટોગ્રાફીના ક્ષેત્રે સીમાસ્તંભરૂપે મહિલા ફોટો જર્નાલિસ્ટ હોમાય વ્યારાવાલાનું 15મી જાન્યુઆરી 2012એ 98 વર્ષની વયે વડોદરામાં અવસાન થયું હતું.

મહારાષ્ટ્રમાં સપ્ટેમ્બર સુધી CM બદલાઈ જશે?
મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં બધું સમુંસૂતરું નથી ચાલી રહ્યું. રાજ્યમાં વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું હતું કે રાજ્યના રાજકારણમાં જે કંઈ ચાલી રહ્યું છે, એ યોગ્ય નથી. તેમણે દાવો કર્યો હતો કે આ સરકાર વધુ સમય સુધી નહીં ચાલે.
નાગપુરમાં પત્રકારો સાથે વાત કરતાં કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું હતું કે રાજ્યમાં મુખ્ય પ્રધાનની ખુરશી જોખમમાં છે. હું કહી શકું છું કે સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના CM બદલાઈ જશે. ભાજપ, મુખ્ય મંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના અને અજિત પવારના નેતૃત્વવાળા NCP જૂથ રાજ્ય સરકારમાં સત્તારૂઢ ભાગીદાર છે. અજિત પવાર પાછલા મહિને શરદ પવાર દ્વારા સ્થાપિત NCPથી અલગ થયા હતા અને સરકારમાં સામેલ થઈ ગયા છે.
सप्टेंबर महिना हा सत्ता बदलाचा.
मुख्य खुर्ची नक्की बदलेल! pic.twitter.com/XDevGN2TOo— Vijay Wadettiwar (@VijayWadettiwar) August 19, 2023
પાછલા મહિને સત્તારૂઢ પક્ષની સાથે હાથ મિલાવ્યા પછી અજિત પવાર બીજા ડેપ્યુટી CM બન્યા હતા, જ્યારે તેમની પાર્ટીના આઠ સહયોગીઓએ મંત્રીપદના શપથ લીધા હતા. ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસ પણ ડેપ્યુટી CM છે.
જૂન, 2022માં શિંદે દ્વારા વિદ્રોહ કરીને શિવસેનાને વિભાજિત કરીને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહા વિકાસ આઘાડી સરકાર પડી ગઈ હતી. ત્યાર બાદ શિંદેએ ટોચના પદ પર કબજો જમાવવા માટે ભાજપની સાથે ગઠબંધન કરી લીધું હતું.








