Home Blog Page 2576

જીવન માટે ચીજો જરૂરી છે, પરંતુ ચીજોનો સંગ્રહ નહીં

દરેક વ્યક્તિ વસ્તુને, પદને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન ન કરે. આ પ્રકારની ખેંચાતાણ થવાથી એક તો જરૂરિયાત વાળી વ્યક્તિ તેનાથી વંચિત રહી જાય છે તથા અપાત્ર વ્યક્તિ ને તે પદ કે વસ્તુ મળી જાય છે. જેનો તે દુરુપયોગ કરે છે. અને પાત્ર વ્યક્તિ સંગઠનથી અલગ થઈ જાય છે. જેવી રીતે માળાની દોરી દરેક મણકાને યોગ્ય જગ્યાએ ટકાવીને રાખે છે તેવી જ રીતે સંગઠનના પદ, પ્રાપ્તિઓ તથા સારા પ્રસંગો નો સહારો દોરીની જેમ સંગઠનની દરેક વ્યક્તિને મળવો જોઈએ જેથી તેઓ તેના આધારે સંગઠનમાં ટકી રહે.

હાથ થી હાથ મેળવવા માટે બીજી એક વિશેષતા એ જોઈએ કે હાથ ખુલ્લા હોય, મુઠી બંધ ન હોય. બંધ હાથ એકબીજા સાથે જોડાઈ નથી શકતા. બંધ હાથ સંગ્રહ, સ્વાર્થ તથા બધા થી અલગ થઈને રહેવાનું પ્રતીક છે. આ પ્રકારની ભાવનાઓ અભિમાન, એકબીજાનો ડર, ચાલાકી તથા કામચોરીના કારણે ઉત્પન્ન થાય છે. એક ચાદર ઉપર ગોળાકારમાં બેઠેલ વ્યક્તિઓને આપણે કંઈક આપીએ અને તેઓ પોતાની સામે પોતાને મળેલ ચીજોને રાખે તો બધા તેને જોશે અને દુઆઓ તથા શુભભાવના આપશે. પરંતુ જો તમે પોતાની પાછળ ચીજો રાખી તો તેમ નહીં બને. જીવન માટે ચીજો જરૂરી છે પરંતુ ચીજોનો સંગ્રહ નહીં.

જો કોઈને જરૂરિયાત થી વધુ પ્રાપ્ત થાય પણ છે તો તેણે મહાત્મા બુદ્ધની જેમ જમણા હાથે સ્વીકાર કરે અને ડાબા હાથે તેને વહેંચી દે. નિમિત્ત ભાવથી એ વસ્તુઓ રાખવામાં આવે છે તેને સંગ્રહ નહીં કહી શકાય, પરંતુ લોભ લાલચ વશ જે વસ્તુઓ ભેગી કરવામાં આવે છે તેને સંગ્રહ કહેવામાં આવે છે. જે એકબીજા સાથેની એકતા ને તોડવાનું પણ કામ કરે છે. સાથે-સાથે વ્યક્તિને તેના ભાગ્ય તથા પુણ્ય થી પણ વંચિત કરી દે છે. જો સમૂહમાં રહેવા વાળા દરેક વ્યક્તિ આપવાની ભાવના રાખે તો એકતા ના કિલ્લાની દિવાલમાં તિરાડ નહિ પડે. એકતા રથમાં આપવાના પ્રતીક ઘોડાને આગળ બાંધો. જો ઘોડાને પાછળ કરી દીધો અર્થાત આપવાના ભાવ ને પાછળ કરી દીધો તો રથ ઊંધો થઈ જશે.

જ્યારે વ્યક્તિમાં પોતાનામાં અવગુણ હોય છે તો બીજામાં પણ તે દેખાઇ દે છે. મનોવૈજ્ઞાનિક બાબત એ છે કે વ્યક્તિ પોતાની સાથે રહેલ વ્યક્તિને ગુણવાન જોવા ઈચ્છે છે અને તેનામાં જ્યારે કોઈ ગુણ નથી દેખાઈ દેતા ત્યારે તે તેનાથી અલગ થવાનો પ્રયત્ન કરે છે. હદનો સંકુચિત દ્રષ્ટિકોણ હોવાના કારણે એકતા પ્રભાવિત થાય છે. હદનો વિચાર રાખવા વાળી વ્યક્તિ કિલ્લાના તે ભાગની જ મજબૂતી ઈચ્છે છે જ્યાં તેઓ રહે છે, બાકીનો ભાગ ભલે નબડો પડતો જાય. પરંતુ જે ચીજ સંગઠન સાથે જોડાયેલી છે, એક ભાગની કમજોરી સંપૂર્ણ કમજોરી બની જાય છે પરંતુ એક ભાગની મજબૂતી સંપૂર્ણ મજબૂતી નથી બની શકતી. આથી એકતા ના સૂત્રમાં બંધાવા માટે ઇચ્છતા લોકોએ કર્મના સિદ્ધાંતને પૂરી રીતે સમજી લેવો જોઈએ.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

૨૬ ઓગસ્ટ, ૨૦૨૩

૨૬ ઓગસ્ટ, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 26/08/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમાં મિલન મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવે તો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસ થઈ  શકે છે, વેપારમાં નાનું કામ કરવુ જ યોગ્ય છે ,વડીલવર્ગે બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું.


આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસ કરીને વાણી સયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, ડાયાબીટીસના દર્દી એ થોડી તકેદારી રાખવી, વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવું, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય.


આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત  રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં  સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુર્વાક્નુજ  કામ કરવુ  યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં શાંતિ રાખવી અને તેમના કામમાં સહકાર આપવો યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈ જૂની ઓળખાણ તાજી થાય, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કોઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ  મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહભર્યું છે.


આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યાકામ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજનનો સાથ તમને કોઈ કામમાં જોવા પણ મળી શકે છે, યુવાવર્ગ માટે પોતાની પસંદગીની કોઈવાત ક્યાંક રજુ કરવાની હોય તેમાં પણ તક દેખાઈ શકે છે, વેપારના કામકાજમાં લાભ મળી શકે તેવા યોગ પણ છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગ ક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસ પણ થઈ શકે છે, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બની શકે છે, તમારી કરેલી મહેનતનું  ફળ સારું મળે, યુવાવર્ગને અન્યનો સાથસહકારકે માર્ગર્દર્શન સારું મળવાથી કામ પ્રત્યે ઉત્સાહ સારો જોવા મળે, વેપારમાં કોઈ લાભની વાત જાણવા મળે તેવા યોગ છે.


આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, વડીલવર્ગને  માનસિકથાકની લાગણી વધુ લાગે તેવું બની શકે છે, ઉતાવળ અને ઉશ્કેરાટથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનુંજ કામ કરવું યોગ્ય છે, ક્યાય કોઈની સાથે ગેરસમજના થાય તેબાબત તકેદારી રાખવી સારી કહી શક્ય..


આજનોદિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય  પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મક વિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો, કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજનબદ્ધ કામકરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી કામ કર્યાનો સારો સંતોષ થાય.

પંચાંગ 26/08/2023

‘ડ્રીમ ગર્લ 2’ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં આયુષ્માન, અનન્યા

25 ઓગસ્ટ, શુક્રવારથી રિલીઝ થયેલી હિન્દી કોમેડી ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’ના નિર્માતાઓએ ગુરુવાર, 24 ઓગસ્ટે મુંબઈમાં ખાસ શોનું આયોજન કર્યું હતું. એમાં ફિલ્મનાં કલાકારો – આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડે તથા બોલીવુડની અન્ય સેલિબ્રિટી વ્યક્તિઓએ હાજરી આપી હતી. આ ફિલ્મના દિગ્દર્શક છે રાજ શાંડિલ્ય અને નિર્માત્રીઓ છે – એકતા કપૂર અને શોભા કપૂર.

અનન્યા પાંડે

અભિનેતા અભિષેક બેનરજી

અભિનેત્રી ટીસ્કા ચોપરા

અભિનેતા મનોજ જોશી

અભિનેતા આદિત્ય રોય કપૂર

અભિનેતા ચંકી પાંડે અને એની પત્ની ભાવના

અભિનેતા ચંકી પાંડે અને એની પત્ની ભાવના એમની દીકરી અનન્યા સાથે.

આઇસી15 ઇન્ડેક્સ 478 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં તેજી ફક્ત એક દિવસ ટકીને શુક્રવારે બજારમાં ફરીથી વેચવાલી થતાં ઘટાડો નોંધાયો હતો. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.38 ટકા (478 પોઇન્ટ) ઘટીને 34,211 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 34,689 ખૂલીને 34,786ની ઉપલી અને 33,930 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના તમામ કોઇન ઘટ્યા હતા, જેમાંથી ચેઇનલિંક, સોલાના, યુનિસ્વોપ અને એક્સઆરપીમાં 2થી 6 ટકાની રેન્જમાં ઘટાડો થયો હતો.

દરમિયાન, ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જ કોઇનબેઝને નિયમનકારી મંજૂરી મળ્યા બાદ એણે કેનેડાની માર્કેટમાં કામકાજ શરૂ કર્યું છે. બીજી બાજુ, ભારતે જાહેર કર્યા મુજબ દેશની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં બ્લોકચેઇન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. પુરાવાની ડિજિટલ નોંધ માટે તથા કામકાજમાં પારદર્શકતા લાવવા માટે બ્લોકચેઇન ટેક્નોલોજી વપરાશે.

સંસદભવનમાં બતાવાશે ‘ગદર 2’

નવી દિલ્હીઃ પાકિસ્તાની યુવતી અને ભારતીય યુવકની પ્રેમકથા પર આધારિત, સની દેઓલ અને અમીષા પટેલ અભિનીત હિન્દી ફિલ્મ ‘ગદર 2’એ દેશભરમાં થિયેટરોમાં ધૂમ મચાવી છે. આ ફિલ્મને દર્શકો તરફથી મળેલા પ્રચંડ પ્રતિસાદને કારણે થિયેટરોએ કમાણીના વિક્રમો તોડ્યા છે. વિદેશમાં પણ આ ફિલ્મ જોવા માટે વસાહતી ભારતીયોની લાઈન લાગે છે. જનતાનો દેશપ્રેમ જોઈને હવે આ ફિલ્મ નવા સંસદભવનમાં બતાવવામાં આવનાર છે.

સૂત્રો તરફથી મળેલી માહિતી મુજબ, નવી સંસદભવન ઈમારતમાં ‘ગદર 2’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ કરાશે અને તે આજથી ત્રણ દિવસ સુધી ચાલશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ આ ફિલ્મ સ્ક્રીનિંગમાં ઉપસ્થિત રહેવાના છે. ફિલ્મના દિગ્દર્શક અનિલ શર્માએ ઈ-ટાઈમ્સને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે, ‘મારી આ ફિલ્મ બતાવવા માટે સંસદભવનના કાર્યાલયમાંથી અમને ઈ-મેલ મોકલવામાં આવ્યો છે. અમારે મન આ મોટું સન્માન છે.’

અજિત પવાર માટે શરદ પવારનું નરમ વલણ કેમ?

મુંબઈઃ NCP પ્રમુખ શરદ પવારે હાલમાં કહ્યું હતું કે NCPમાં કોઈ વિભાજન નથી. અજિત પવાર અમારા નેતા છે. જે પછી શિવસેના (UBT)એ શરદ પવારના નિવેદનો પર ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે આનાથી પાર્ટીના કાર્યકર્તાઓ અને લોકોના મનમાં ભ્રમ પેદા થઈ રહ્યો છે. જ્યારે શિવસેનાના નેતા સંજય રાઉતે તો કહ્યું હતું કે NCPમાં ફૂટ નહીં, લૂંટ થઈ ગઈ છે.

શરદ પવાર આજ સતારા અને કોલ્હાપુરના પ્રવાસે છે, પરંતુ આ પ્રવાસ પર નીકળ્યા પહેલાં તેમણે બારામતીમાં પોતાના નિવેદનથી રાજકીય ક્ષેત્રે હલચલ મચાવી દીધી છે. શરદ પવારે કહ્યું હતું કે પાર્ટીમાં વિભાજન ક્યારે થાય છે, જ્યારે દેશ સ્તરે એક મોટો જૂથ અલગ પડે છે. આજે પરિસ્થિતિ એવી નથી. અજિત પવાર અમારા નેતા છે.

તેમણે કહ્યું હતું કે પાર્ટીમાં કોઈ કેટલાક લોકોએ પોતાની અલગ ભૂમિકા અપનાવી લીધી છે. તેનો મતલબ એ નથી કે પાર્ટીમાં ભાગલા પડ્યા છે. અલગ નિર્ણય લેવો લોકતંત્રમાં તેનો અધિકાર છે. અજિત પવારની બીડમાં થનારી જનસભા પર શરદ પવારે કહ્યું હતું કે  આ તેનો લોકતાંત્રિક અધિકાર છે. એક દિવસ પહેલા NCP સાંસદ અને શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેએ પણ કહ્યું હતું કે અજિત પવાર હજુ પણ NCPનો જ ભાગ છે અને પાર્ટીમાં એકજુટતા બનેલી છે.

આ અગાઉ શરદ પવારની દીકરી અને લોકસભા સાંસદ સુપ્રિયા સુલેએ પણ વિભાજન થવાથી ઈનકાર કર્યો હતો.સુલેએ કહ્યું હતું કે શરદ પવાર રાષ્ટ્રીય અધ્યક્ષ અને જયંત પટેલ મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ છે. સુલે અનેક વાર કહી ચૂક્યા છે કે એક પરિવાર તરીકે તેમની અને અજિત પવાર વચ્ચે કોઈ તકરાર નથી. તેમની વિચારધારા પણ એક જ છે.

 

 

 

 

 

 

BSE 365 પોઇન્ટ તૂટ્યોઃ રોકાણકારોના રૂ. 2.12 લાખ કરોડ સ્વાહા

નવી દિલ્હીઃ વૈશ્વિક બજારોમાં નરમ વલણ અને ફેડ રિઝર્વની મીટિંગને પગલે સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં શુક્રવારે સેન્સેક્સ સતત બીજા સેશનમાં ઘટીને બંધ થયો હતો. જેથી રોકાણાકારોના આશરે 2.12 લાખ કરોડ સ્વાહા થયા હતા. બજારમાં ટ્રેડિંગ સેશનમાં FMCG, PSU બેન્ક, મેટલ, યુટિલિટી, કેપિટલ ગુડ્ઝ, મેટલ, પાવર અને રિયલ્ટી શેરોમાં વધુ વેચવાલી ફરી વળી હતી. એકમાત્ર ટેલિકોમ્યુનિકેશન્સ શેરોમાં તેજી થઈ હતી. નિફ્ટી પણ 19,300ની નીચે બંધ આવ્યો છે.

શેરબજાર સતત પાંચમા સપ્તાહે ઘટીને બંધ રહ્યું હતું. BSE સેન્સેક્સ 365 પોઇન્ટ તૂટીને 64,886ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 121 પોઇન્ટ તૂટીને 19,265ની સપાટીએ બંધ રહ્યો હતો.

વોડાફોન આઇડિયાને DOTએ ટર્મશીટ નોટિફાય કરતાં અને ફંડ રેઝિંગની ચર્ચાની વચ્ચે બજારમાં તેજી જોવા મળી હતી. વોડાફોન આઇડિયાનો શેર 10 ટકા તેજી થઈ હતી. બજારમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને રૂ. 306.55 લાખ કરોડે આવી ગયું હતું, જે ગઈ કાલે રૂ. 308.67 લાખ કરોડે હતું. આમ BSEમાં લિસ્ટેડ કંપનીના માર્કેટ કેપમાં આશરે રૂ. 2.12 લાખ કરોડનો ઘટાડો થયો હતો.

BSE પર આજે કુલ 3763 શેરોમાં ટ્રેડિંગ થયાં હતાં, જેમાં 1489 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 2153 શેરોમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે 121 શેરો સપાટ મથાળે બંધ થયા હતા. આ સિવાય 197 શેરોએ 52 સપ્તાહની મહત્તમ સપાટીને સર કરી હતી, જ્યારે 20 શેરોએ 52 સપ્તાહની નવી નીચલી સપાટી સર કરી હતી.   

 

 

 

 

GU માનહાનિ કેસઃ SCએ કેજરીવાલની અરજી ફગાવી

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીની ડિગ્રી વિવાદથી જોડાયેલા ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દેતાં કહ્યું હુતં કે તમારી રિવિઝન અરજી હાઇકોર્ટમાં લંબિત છે. આવામાં અહીં સુનાવણીની કોઈ જરૂર નથી. આ મામલે કેજરીવાલને નીચલી કોર્ટે સમન્સ જારી કર્યા છે. વાસ્તવમાં યુનિવર્સિટીએ વિરોધી નિવેદનને લઈને કેજરીવાલની વિરુદ્ધ માનહાનિ કેસ કર્યો છે.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવી એન ભટ્ટીની ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી. તે દરમિયાન અરવિંદ કેજરીવાલના વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે આ સમન્સ જે ઇશ્યુ કરવામાં આવ્યા છે એ ગેરબંધારણીય રીતે ઇશ્યુ કરવામાં આવ્યા છે. જોકે સોલિટર જનરલ તરફથી રજૂઆત કરવામાં આવી કે જે પ્રમાણે કોર્ટની પ્રક્રિયા ચાલતી હોય છે, એ જ પ્રમાણે અને તે જ પદ્ધતિ પ્રમાણે આ સમન્સ ઇશ્યુ કરવામાં આવ્યા છે. એ જ પ્રમાણે ગુજરાત હાઇ કોર્ટ દ્વારા પણ સમન્સ ઇશ્યુ કરવામાં આવ્યા છે.

કોર્ટમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલનો પક્ષ રાખી રહેલા અભિષેક મનુ સિંધવીએ દલીલ કરતાં કહ્યું હતું કે સમન્સ ખોટી રીતે જારી કરવામાં આવ્યા છે. બીજી બાજુ, યુનિવર્સિટી તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા તુષાર મહેતાએ કહ્યું હતું કે કેજરીવાલની ટિપ્પણી યોગ્ય નથી.

આ સાથે જ હવે 29 ઓગસ્ટે કોર્ટમાં હાજર રહેવા માટે કેજરીવાલને કહેવામાં આવ્યું છે. 29 ઓગસ્ટે હાઇકોર્ટમાં આ મામલે સુનાવણી નિયત કરવામાં આવી છે.

કેસ શો છે?

કેજરીવાલે વડા પ્રધાનની ડિગ્રી સંબંધિત કેસમાં ગુજરાત યુનિવર્સિટીને લઈને કેટલીક વાંધાજનક ટિપ્પણી કરી હતી. જે બાદ યુનિવર્સિટીએ કેજરીવાલ અને સંજય સિંહ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. એ અરજીપર મેજિસ્ટ્રેટ કોર્ટે સમન્સ ઇશ્યુ કર્યા હતા.