Home Blog Page 2549

સુરતમાં નકલી આધાર, પેન કાર્ડ બનાવનાર બે શખ્સની ધરપકડ

સુરતઃ એક વેબસાઈટનો ઉપયોગ કરીને આધાર કાર્ડ, પેન કાર્ડ અને મતદાર કાર્ડ જેવા મહત્ત્વના દસ્તાવેજો નકલી બનાવતા બે જણની સુરત પોલીસે ધરપકડ કરી છે. પોલીસે કહ્યું છે કે આ બંને જણની પ્રવૃત્તિ રાષ્ટ્રીય સલામતી માટે ગંભીર જોખમ ખડું કરનારી છે. આરોપીઓ સરકારી ડેટાબેઝ હાંસલ કરતા હતા. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ગંભીર મામલો છે. આ બંને ગુનેગારે બે વર્ષમાં આશરે બે લાખ જેટલા નકલી આધાર, પેન કાર્ડ અને વોટર્સ આઈડી બનાવીને વેચ્યા છે. તેઓ નકલી કાર્ડ માટે 15થી લઈને 200 રૂપિયામાં વેચતા હતા.

(ફાઈલ તસવીર)

સહાયક પોલીસ કમિશનર (આર્થિક ગુના શાખા) વી.કે. પરમારે કહ્યું કે,  લોન આપનાર એક ખાનગી કંપનીના અધિકારીઓ તરફથી પોલીસને ફરિયાદ મળી હતી કે કેટલીક વ્યક્તિઓએ નકલી દસ્તાવેજોના આધારે લોન મેળવી છે. એમણે લોન પાછી ચૂકવી પણ નથી. પોલીસે તરત જ એક્શનમાં આવીને છ જણને ઝપટમાં લીધા હતા. પૂછપરછ કરતાં પ્રિન્સ હેમંત પ્રસાદ નામના એક આરોપીએ કહ્યું કે એણે પોતાનું યૂઝરનેમ અને પાસવર્ડ રજિસ્ટર કરાવીને વાંધાજનક વેબસાઈટ એક્સેસ કરી હતી અને તે પછી દસ્તાવેજ દીઠ રૂ. 15-50 ચૂકવીને નકલી આધાર અને પેન કાર્ડ ડાઉનલોડ કર્યા હતા. ત્યારબાદ એનો ઉપયોગ કરીને લોન લીધી હતી.

એક અન્ય આરોપીનું નામ છે સોમનાથ પ્રમોદકુમાર. એ રાજસ્થાનના ગંગાનગરનો રહેવાસી છે. ત્રીજો છે પ્રેમવીરસિંહ ઠાકુર, જે ઉત્તર પ્રદેશના ઉનાઓનો રહેવાસી છે. સોમનાથ માત્ર પાંચમા ધોરણ સુધી ભણ્યો છે. એણે આવી ગેરપ્રવૃત્તિઓ કરતા અમુક ચોક્કસ લોકો પાસેથી તાલીમ મેળવી હતી. એ ત્રણ વર્ષથી વેબસાઈટ ચલાવતો હતો.

સુરત પોલીસનું માનવું છે કે કૌભાંડમાં બીજા ઘણા લોકો સંડોવાયેલા હોય એવી શક્યતા છે. પોલીસે સોમનાથ અને એની માતાના બેન્ક એકાઉન્ટ્સને સ્થગિત કરાવી દીધા છે જેમાં 25 લાખ રૂપિયા છે.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૦૫ સપ્ટેમ્બર, ૨૦૨૩

૦૫ સપ્ટેમ્બર, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 05/09/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવા માટેની તક મળી શકે છે ,યાત્રા -પ્રવાસ દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે નવીજાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે થોડી ધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે  કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પોરવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામના કરવા.


આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથ સહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી રહી શકે.


આજે થોડી સાવચેતી રાખવી જરૂરી છે, તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચનને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે,  વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું.


આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને સત્કર્મ કરવાની ભાવના જાગે તેવું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છો, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિકબાબતમાં સારું યોગદાન આપવાની ખુશી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, રાબેતામુજબ દિવસ પસાર થાય, કોઈજગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈબહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બને છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ મળી શકે છે.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સંભાળવીના ગમે અને તમે થોડીશાંતિની અપેક્ષા રાખો, વધુપડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, ભક્તિમાં મન પરોવવું સારું.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સંભાળવીના ગમે અને તમે થોડીશાંતિની અપેક્ષા રાખો, વધુપડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, ભક્તિમાં મન પરોવવું સારું.


આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારીવાત સંભાળવા મળે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય, ધાર્મિકસ્થળની મુલાકાતથી શાંતિ અનુભવાય.


આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામપરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોય તો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે અને તેમાં યોગ્ય સહકાર પણ મળે.


આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટોનિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમેને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.

રાજ કપૂરને બીજા શૈલેન્દ્ર મળ્યા

નિર્દેશક રાજ કપૂરે ફિલ્મ ‘બોબી’ (૧૯૭૩) માં ‘મેં શાયર તો નહીં’ જેવા ગીતો ગાવાની તક આપ્યા પછી પાર્શ્વગાયક તરીકે શૈલેન્દ્ર સિંહની કારકિર્દી શરૂ થઈ હતી. શૈલેન્દ્રને આમ તો અભિનયનો શોખ હતો પણ ગાયન પર હાથ અજમાવી રહ્યા હતા. એક ગઝલ ગાયક તરીકે એને માન્યતા મળી રહી હતી. એ સમય પર એચ. એમ. વી. કંપનીએ શૈલેન્દ્રની ગઝલોની બે એલપી રેકોર્ડ પણ બહાર પાડી હતી. જોકે, પાર્શ્વ ગાયક તરીકે એને જલદી મોટી તક મળી ગઈ હતી. શૈલેન્દ્રએ વિજય અકેલાને રેડિયો માટે આપેલી એક મુલાકાતમાં એ કિસ્સો સંભળાવ્યો હતો. અસલમાં શૈલેન્દ્ર અભિનયના પાઠ શીખવા પૂનાની ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં કોર્સ કરી રહ્યો હતો. ત્યારે રાજ કપૂરની ફિલ્મોની સ્ક્રીપ્ટ લખવાનું અને પ્રચારનું કામ વી.પી. સાઠે કરતા હતા.

એમણે શૈલેન્દ્રના પિતાને વાત કરી. એના અનુસંધાને શૈલેન્દ્ર બીજા વર્ષમાં હતો ત્યારે પિતાનો ફોન આવ્યો કે રાજ કપૂરને નવી ફિલ્મ માટે એક નવા અવાજની જરૂર છે તો તું બે દિવસ માટે મુંબઈ આવી જા. સાઠે એને રાજજી પાસે લઈ ગયા. એમણે એના વિશે પૂછ્યું. શૈલેન્દ્રએ કહ્યું કે એ પૂના ઇન્સ્ટીટ્યુટમાં અભિનય શીખી રહ્યો છે. રાજ કપૂરે જ્યારે નામ શૈલેન્દ્ર જાણ્યું ત્યારે કહ્યું કે મને મારા દોસ્ત ગીતકાર શૈલેન્દ્રની યાદ આવી ગઈ. પછી એમણે શૈલેન્દ્રનો અવાજ સાંભળ્યો અને સંગીતકાર જોડીના લક્ષ્મીકાંતના ઘરે લઈ ગયા. ત્યાંથી શૈલેન્દ્રને રેકોર્ડિંગ સ્ટુડિયો પર લઈ ગયા ત્યારે ચોમાસું હતું. બહાર તો ઠંડક હતી જ પણ સંગીત રૂમમાં આઠ જેટલા એસી ચાલી રહ્યા હતા. એ આમ પણ ધ્રૂજતો જ હતો. કેમકે ત્યાં આનંદ બક્ષી, પ્રેમનાથ વગેરે દિગ્ગજો બેઠા હતા.

સંગીતકાર લક્ષ્મીકાંત – પ્યારેલાલે શૈલેન્દ્રને ગાવા માટે કહ્યું ત્યારે એણે એક-બે ગઝલ સંભળાવી. પ્યારેલાલે કહ્યું કે કોઈ ફિલ્મી ગીત ગાઈને સંભળાવ. ત્યારે આર. ડી. બર્મનના સંગીતવાળું ‘દેખા ના હાય રે સોચાના’ ગાયું. રાજ કપૂરે લક્ષ્મીકાંતને કહ્યું કે આપણે ‘બોબી’ માટે જે ગીત બનાવ્યું છે એ એને સંભળાવો. એમણે ‘મેં શાયર તો નહીં’ સંભળાવ્યું. શૈલેન્દ્રએ એ ગીત ગાઈને સંભળાવ્યું પછી એક કેસેટમાં એને રેકોર્ડ કરીને આપતા કહ્યું કે ઘરે જઈને ગીતનું રિહર્સલ કરજે. એ પછી ફરી અમે તારા અવાજમાં સાંભળીશું.

શૈલેન્દ્રએ કેસેટ તો લઈ લીધી પણ એની પાસે એ સાંભળવા ટેપ રેકોર્ડર ન હતું. એ સમય પર પૂના ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાંમાં શૈલેન્દ્ર સાથે શબાના આઝમી પણ અભિનયનો કોર્સ કરતા હતા. શૈલેન્દ્રએ એમને પોતાની મૂંઝવણ રજૂ કરી. શબાના પાસે ટેપ રેકોર્ડર હતું અને એમણે આપ્યું. એ પછી શૈલેન્દ્રએ ઘરે જઈને રિહર્સલ શરૂ કર્યું. થોડા દિવસો પછી શૈલેન્દ્રને ફરી સ્ટુડિયોમાં બોલાવ્યો અને એનો અવાજ બધાંને યોગ્ય લાગતાં ગીત એના અવાજમાં રેકોર્ડ કર્યું. અને આમ રાજ કપૂરે શૈલેન્દ્રને પાર્શ્વગાયક તરીકે પહેલી તક આપી હતી.

શિયાળ તાણે સીમ ભણી ને કૂતરાં તાણે ગામ ભણી

શિયાળ તાણે સીમ ભણી ને કૂતરાં તાણે ગામ ભણી

 

સંસ્કૃતમાં એવું કહ્યું છે કે

“ટૂંડે ટૂંડે મતિરભિન્ના, કૂપે કૂપે નવમ જલમ”

એટલે કે દરેક વ્યક્તિમાં જુદી જુદી બુદ્ધિ હોય છે અને દરેક કૂવાનું જળ કંઈક નવીનતા અને વિશિષ્ટતા ધરાવે છે. આવો સમૂહ જ્યારે કોઈ મુદ્દા પર ચર્ચા કરવા ભેગો થાય ત્યારે સૌ કોઈ પોતપોતાની મતિ અને સ્વાર્થ પ્રમાણે ચર્ચાને દિશા આપવાનો પ્રયત્ન કરે છે.

દા.ત. કૂતરું માણસો વસતા હોય ત્યાં એટલે કે ગામમાં રહે છે તે સામે શિયાળ જંગલમાં રહે છે. વિભિન્ન મતવાળા વ્યક્તિઓ ભેગા થાય અને તેમના જુદા જુદા સ્વાર્થ ખાતર એક મતિ ના સાધી શકાય. સૌ પોતપોતાની દિશામાં પોતાના લાભ અને સ્વાર્થ ખાતર ખેંચાખેંચ કરે છે તે સંયોગોમાં આ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

IND vs NEP: ભારતે DL મેથડથી નેપાળને 10 વિકેટથી હરાવ્યું

રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે નેપાળને હરાવ્યું છે. વરસાદથી પ્રભાવિત મેચમાં ટીમ ઈન્ડિયાએ નેપાળને 10 વિકેટે હરાવ્યું હતું. આ સાથે જ આ જીત બાદ ટીમ ઈન્ડિયા સુપર-4 રાઉન્ડમાં પહોંચી ગઈ છે. વરસાદ બાદ ભારતીય ટીમને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ મેચ જીતવા માટે 23 ઓવરમાં 145 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ભારતીય ટીમે 20.1 ઓવરમાં 147 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

 

રોહિત શર્મા અને શુભમન ગિલ ચમક્યા

ભારતીય ટીમ માટે કેપ્ટન રોહિત શર્માએ 59 બોલમાં 74 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 6 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. જ્યારે શુભમન ગીલે 62 બોલમાં 67 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 8 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. આ પહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી નેપાળની ટીમ 48.2 ઓવરમાં 230 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. નેપાળ તરફથી વિકેટકીપર બેટ્સમેન આસિફ શેખે સૌથી વધુ રન બનાવ્યા હતા. આસિફ શેખે 97 બોલમાં 58 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 8 ચોગ્ગા ફટકાર્યા હતા. સોમપાલ કામીએ 56 બોલમાં 48 રન બનાવ્યા હતા. કુશલ ભુર્તેલે 25 બોલમાં 38 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય નેપાળના મોટાભાગના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા.

ભારત તરફથી રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજે 3-3 વિકેટ લીધી હતી. આ સિવાય મોહમ્મદ શમી, હાર્દિક પંડ્યા અને શાર્દુલ ઠાકુરે 1-1 વિકેટ લીધી હતી. એશિયા કપ 2023ની છેલ્લી લીગ મેચ 5 સપ્ટેમ્બરે રમાશે. તે જ સમયે, 6 સપ્ટેમ્બરથી સુપર-4 રાઉન્ડ રમાશે. જ્યારે ફાઈનલ મેચ 17 સપ્ટેમ્બરે રમાશે.

પંચાંગ 05/09/2023

દ્વારકામાં જન્માષ્ટમી મહોત્સવને લઈ જાહેરનામું જાહેર કરાયું

જન્માષ્ટમી મહાપર્વ નિમિત્તે સમગ્ર દેશમાં તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ચાર ધામ પૈકીના એક સુપ્રસિધ્ધ દ્વારકા મંદિરમાં શ્રાવણ વદ આઠમને દિવસે જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી થશે જેને લઈને તમામ તૈયારીઓ કરી દેવામા આવી છે. ત્યારે જનમાષ્ટમીના તહેવાર પર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા કલેક્ટરે જાહેરનામુ બહાર પાડ્યું છે. જેમાં દ્વારકાધીશના મંદિર આસપાસના વિસ્તારમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મુકાયો છે. દ્વારકા જગત મંદિરમાં શ્રાવણ વદ આઠમને દિવસે જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામા આવશે ત્યારે આ જન્માષ્ટમીના ઉત્સવમાં ભાગ લેવા માટે હજાઓ ભાવિકો ઉમટી પડશે. ત્યારે જિલ્લા તંત્ર પણ આ તહેવારને લઈને સજ્જ બન્યું છે. અને દ્વારકામાં જનમાષ્ટમીના આ પાવન પર્વ પર કાયદો-વ્યવસ્થા જળવાય તે માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.જેમાં દ્વારકાધીશના મંદિર આસપાસના વિસ્તારમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મુકાયો છે. ડ્રોન ઉડાવવાથી અકસ્માતમાં જાનહાની થવાની ભીતિને લઈ ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

પોલીસ વિભાગના ડ્રોન ઓપરેટર દ્વારા સતત મોનિટરિંગ કરાશે

આ જાહેરનામું 3 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે. અને જો કોઈ પણ આ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે તેમ પણ જણાવવામા આવ્યું છે. પોલીસ વિભાગના ડ્રોન ઓપરેટર દ્વારા સતત મોનિટરિંગ પણ કરવામા આવશે. જનમાષ્ટમી નિમિત્તે જિલ્લા પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડી સ્પેશિયલ ટ્રેઈન પોલીસ કર્મીચારી પણ તહેનાત કરવામા આવ્યા છે.

જન્માષ્ટમી : ડાકોર રણછોડરાયજી મંદિરના દર્શનનો સમય જાહેર કરાયો

જન્માષ્ટમીના તહેવારને લઈને સમગ્ર ગુજરાતમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે કાળિયા ઠાકોરની પવિત્ર ભૂમિ એવા ડાકોર ખાતે જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવા માટે તૈયારીઓ ચાલી રહી છે. જન્માષ્ટમીના આ તહેવાર પર ડાકોરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટતું હોય છે. લાખોની સંખ્યામા ભક્તો અહીં દર્શન કરવા આવતા હોય છે ત્યારે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા જન્માષ્ટમીના દિવસે દર્શન કરવા આવતા ભક્તોની સુવિધા માટે દર્શનનો સમય જાહેર કરવામા આવ્યો છે. પ્રાપ્ત જાણકારી મુજબ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા જન્માષ્ટમીના દિવસે દર્શન કરવા આવતા ભક્તોની સુવિધા માટે દર્શનનો સમય જાહેર કર્યો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં આગામી 7 સપ્ટેમ્બરના રોજ દર્શનનો સમય નીચે મુજબનો રહેશે.


7 સપ્ટેમ્બરના રોજ રણછોડરાયજી મંદિરના દર્શનનો સમય

ટેમ્પલ કમિટીએ આપેલ જાણકારી મુજબ સવારે 6:30 વાગે નિજ મંદિર ખુલી જશે અને 6:45 ના અરસામાં મંગળા આરતી થઈ નિત્યક્રમાનુસાર ઠાકોરજીની સેવા પૂજા થશે, બપોરના 1:00 વાગ્યાના અરસામાં ઠાકોરજી પોઢી જશે આ સમય દરમિયાન દર્શન બંધ રહેશે તેમજ વૈષ્ણવનો મંદિર પ્રવેશ બંધ રહેશે, સાંજના 4:45 વાગ્યે નિજ મંદિર ખોલી 5:00 વાગ્યાના અરસામાં આરતી થઈ નિત્યક્રમાનુસાર શ્રી ઠાકોરજીની સેવા પૂજા થશે. રાત્રિના 12:00 વાગ્યે શ્રીકૃષ્ણ જન્મોત્સવ થશે, પંચામૃત સ્નાન થશે, શ્રી ઠાકોરજીની સેવા તેમજ શૃંગાર ધરાવીને શ્રી ઠાકોરજી મોટો મુગટ ધારણ કરાવવામાં આવશે, મોટા મુગટ ધારણ કર્યા બાદ શ્રી ગોપાલ લાલજી મહારાજ સોનાના પારણામાં બિરાજમાન થઈ પારણામાં ઝુલશે ત્યારબાદ અનુકૂળતાએ મહાભોગ આરતી થઈ શ્રી ઠાકોરજી પોઢી જશે અને વૈષ્ણવો માટે મંદિર પ્રવેશ બંધ રહેશે.

8 સપ્ટેમ્બરના રોજ રણછોડરાયજી મંદિરના દર્શનનો સમય

સવારના 8:45 વાગે નિજ મંદિર ખુલી 9:00 વાગ્યાના અરસામાં મંગળા આરતી થઈ નિત્યક્રમાનુસાર શ્રી ઠાકોરજીની સેવા પૂજા થઈ ત્યારબાદ નંદ મહોત્સવ ઉજવાશે.