નવી દિલ્હીઃ ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સામે ગંભીર આરોપો લગાવ્યા છે. કોંગ્રેસ સાંસદના ‘વર્તન’ પર સવાલ ઉઠાવતા દુબેએ પૂછ્યું હતું કે સત્તા મેળવવા માટે શું રાહુલ ગાંધી દેશના વિભાજનનું કાવતરું કરી રહ્યા છે? દુબેએ પોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ X પર કેટલાક દસ્તાવેજો શેર કર્યા છે અને તેને રાહુલ ગાંધી વિરુદ્ધના આરોપો તરીકે રજૂ કર્યા છે. ભાજપ સાંસદે દાવો કર્યો કે રાહુલ ગાંધી ‘ટુકડે-ટુકડે ગેંગ’ના રિંગ લીડર છે.
દુબેએ X પર લખ્યું હતું કે મારા આરોપો ફોર્ડ ફાઉન્ડેશનના સોરોસ અને ટુકડે-ટુકડે ગેંગના રિંગ લીડર રાહુલ ગાંધી સામે છે. આ આરોપો પર ચર્ચા કરવા માટે મેં લોકસભા સ્પીકર પાસે મંજૂરી માગી છે. શું વિરોધ પક્ષના નેતા સત્તા મેળવવા માટે દેશના વિભાજનનું ષડયંત્ર કરી રહ્યા છે? લોકસભામાં રાહુલના તાજેતરના ભાષણને દુબેએ ‘અમર્યાદિત વર્તન’ ગણાવી તેની તપાસ સંસદીય સમિતિ દ્વારા કરાવવાની માગ કરી છે.
વિયેતનામ, કમ્બોડિયા, બહેરીન અને થાઈલેન્ડ જવાને મુદ્દે પણ આરોપ
ભાજપ સાંસદે રાહુલ ગાંધીના સોરોસ ફાઉન્ડેશન અને ફોર્ડ ફાઉન્ડેશન સાથે સંબંધ હોવાના આરોપ લગાવ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી માત્ર દેશદ્રોહીઓ સાથે મળવા માટે જ વિયેતનામ, કમ્બોડિયા, બહેરીન અને થાઈલેન્ડ જાય છે. દુબેએ વધુમાં આરોપ લગાવ્યો હતો કે તે ક્યારે ચૂંટણી પંચ પર, ક્યારે બંધારણ પર, ક્યારે લોકસભા અધ્યક્ષ પર અને ક્યારે સર્વોચ્ચ કોર્ટ પર આરોપ મૂકે છે — લગભગ બધી જ બંધારણીય સંસ્થાઓ પર સવાલ ઉઠાવે છે. તેમણે કહ્યું હતું કે આ મુદ્દે વિશેષ પ્રસ્તાવ લાવી રાહુલ ગાંધીની સભ્યતા રદ કરવી જોઈએ અને તેમને ક્યારેય ચૂંટણી લડવા ન દેવા જોઈએ.
सोरोस,फ़ोर्ड फाउंडेशन तथा टुकड़े टुकड़े गैंग के सरगना राहुल गांधी जी के उपर मेरे यह आरोप हैं,जिसपर मैंने लोकसभा अध्यक्ष से बहस की अनुमति माँगी है ।क्या लोकसभा में विपक्ष का नेता भारत के विभाजन की योजना सत्ता प्राप्ति के लिए बना रहा है? pic.twitter.com/rZhMivYMOV
— Dr Nishikant Dubey (@nishikant_dubey) February 13, 2026
પ્રસ્તાવ પર ચર્ચાની મંજૂરી મગાઈ
દુબેએ ગૃહની કાર્યપદ્ધતિના નિયમ 352(5) અને 353 હેઠળ આ પ્રસ્તાવ પર ચર્ચા કરવાની મંજૂરી આપવા અધ્યક્ષ પાસે વિનંતી કરી છે. આ મુદ્દે કોંગ્રેસના સભ્યોએ કડક વિરોધ નોંધાવ્યો અને ગૃહમાં હંગામો થતા અધ્યક્ષ ક્રિષ્ના પ્રસાદે કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત કરી હતી. દુબેએ અગાઉ સંસદ પરિસરમાં જણાવ્યું હતું કે તેમણે રાહુલ ગાંધી વિરુદ્ધ ‘વિશેષ પ્રસ્તાવ’ લાવવા માટે નોટિસ આપી છે.


નમેલી જ રહી જાય. વળી વીર બનવાના ધખારામાં જેને-તેને ક્ષમા પણ ન આપવી જોઈએ. ક્ષમા ભૂલની હોય, ગુનાની નહિ—એટલી સમજણ પણ જરૂરી છે. આપણા ગ્રંથોમાં પણ રાક્ષસનો વધ કરવાની વાત જ કહી છે. ખૂની, બળાત્કારી કે પાખંડીને સજા થવી જ જોઈએ. જો માત્ર કર્મના ભરોસે જ દુનિયા ચાલતી હોત, તો રામ અને કૃષ્ણ યુદ્ધ ન લડ્યા હોત. જો ઈશ્વર મનુષ્ય અવતાર લે તો એમને પણ પોતાના હક માટે લડવું પડતું હોય, તો એમાંથી સામાન્ય માણસે પણ શીખવું જરૂરી છે.



આપશે. પરંતુ જો તમે તેને પૂછશો કે અત્યારે “તમે શું અનુભવી રહ્યા છો?” તો તેની લાગણીઓ માટે તેની પાસે એક પણ શબ્દ નહીં મળે. કારણ કે આપણે હંમેશા ઇન્ટેલીજન્સને ઇમોશન કરતાં વધુ મહત્વ આપ્યું છે. બાળક મેથ્સ, સાયન્સ, જનરલ નોલેજ, કરાટે, ડ્રોઇંગ બધું જ સમજી જાય, શીખી જાય, પણ પોતાના મનની લાગણીઓ સમજી શકતો નથી. કારણ કે આપણે કોઈ દિવસ ઇમોશનલ લિટરસી વિશે ચર્ચા કરી નથી. બાળક રડવા લાગે એટલે એક જ લક્ષ હોય કે તેને કેવી રીતે ચૂપ કરાવવો—ચોકલેટ આપી કે રમકડું આપી ખુશ કરતા માબાપ કદી લાગણીઓનું અર્થઘટન કરતા નથી, કારણ કે તેઓ પોતે જ આ વાતથી અજાણ છે.




