Home Blog Page 2409

નર ચિતલનું આ યુદ્ધ કયારેક તેમના મૃત્યુનું કારણ પણ બને છે

સામાન્ય રીતે ચિતલ હરણ એ એક મોટા નર અને માદા ચિતલના સમુહમાં રહેતા હોય છે. સમુહમાં રહેવાનું સૌથી મોટું કારણ એ છે કે વધુ આંખો જે શિકારી પ્રાણી પર નજર રાખી શકે અને વધુ કાન જે એક નાનામાં નાનો અવાજ પણ સાંભળીને બાકીના બધાને સચેત કરી શકે.

ચિતલમાં સંવનન કાળના સમયે સમુહની માદા ચિતલ સાથે સંવનન માટે નર ચિતલમાં લડાઈ થાય છે. આ લડાઈ કયારેક ખૂબ લાંબો સમય ચાલે છે, અને બંને નર લડતા લડતા પોતાના સમૂહ થી દૂર જતા રહે છે. આ બંને નર ચિતલ લડાઈમાં એટલા વ્યસ્ત હોય છે કે આવા સમયે આસપાસના વાઘ, સિંહ, દિપડા કે ધોલ (wild Dogs) તેમના માંથી એકાદનો ઘણીવાર શિકાર પણ કરી લે છે. આમ નર ચિતલનું આ યુદ્ધ કયારેક તેમના મૃત્યુનું કારણ પણ બને છે.

કોરાનાના 48 નવા કેસો, એક પણ મોત નહીં      

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 48 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,99,728 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,32,037 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,67,384 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 47 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 307 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,378 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.57 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,73,863 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 143 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

ભારતની UPI સિસ્ટમનાં અમેરિકી અધિકારીએ વખાણ કર્યા

વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાના નાણાં વિભાગના એક અધિકારીએ ભારતની UPI (યૂનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ) સિસ્ટમની પ્રશંસા કરી છે. એમણે કહ્યું છે કે ભારતની UPI સિસ્ટમ સિંગાપોર અને સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ) સહિતના દેશો સાથે દ્વિપક્ષીય વ્યવહારો-સંબંધોને આગળ વધારવામાં મદદરૂપ થઈ રહી છે.

અમેરિકાના નાણાં વિભાગમાં આંતરરાષ્ટ્રીય બાબતો માટેના નાયબ સેક્રેટરી જય શામબાગે હાર્વર્ડ લૉ સ્કૂલ ખાતે આપેલા વક્તવ્યમાં નવી ટેક્નોલોજી અને દેશો વચ્ચેના આર્થિક વ્યવહારો (પેમેન્ટ) વિશે પોતાના વિચાર રજૂ કર્યા હતા. એમણે કહ્યું કે, ASEAN દેશો તેમની ઝડપી ચુકવણીની વ્યવસ્થાઓને બહુપક્ષીય રીતે એકબીજા સાથે જોડવાની વધારે મહત્ત્વાકાંક્ષા ધરાવે છે. આમાં, ભારત તેની UPI સિસ્ટમ દ્વારા અન્ય દેશોની વચ્ચે દ્વિપક્ષીય વ્યવહારો-સંબંધોને આગળ વધારતા એક અધિકારક્ષેત્ર તરીકે ઉભરી આવ્યું છે.

વિરાટને ગાળો દેવી નહીં, એનાથી એ જોશમાં આવી જાય છેઃ રહીમ

પુણેઃ આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપમાં આજે અહીંના MCA સ્ટેડિયમ ખાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાઉન્ડ-રોબિન મેચ રમાવાની છે. તે પૂર્વે બાંગ્લાદેશના વિકેટકીપર અને બેટર મુશ્ફિકુર રહીમે જણાવ્યું છે કે, હું ભારતના સ્ટાર બેટર વિરાટ કોહલીનું ક્યારેય સ્લેજિંગ કરતો નથી, કારણ કે મેચ દરમિયાન અપશબ્દો સંભળાવવાથી વિરાટ જોશમાં આવી જાય છે અને વધારે રન કરે છે. એટલે હું તો કાયમ અમારા બોલરોને કહું છું કે વિરાટને શક્ય એટલો જલદી આઉટ કરી દેવો. અમારી બે ટીમની મેચ હોય ત્યારે હું જ્યારે પણ બેટિંગ કરવા જાઉં ત્યારે દર વખતે એ મને સ્લેજ કરતો હોય છે. એ ખરેખર લડાયક વૃત્તિવાળો છે. એ કોઈ મેચ હારવાનું પસંદ કરતો નથી. એની સાથેની સ્પર્ધા અને એની સામે રમવાનો પડકાર મને ખરેખર બહુ ગમે છે.’

કોહલીએ બાંગ્લાદેશ સામે અત્યાર સુધીમાં 19 વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં 73.13ની સરેરાશ સાથે 1,097 રન કર્યા છે. ODI વર્લ્ડ કપમાં, ભારત બાંગ્લાદેશ સામે અત્યાર સુધીમાં પાંચમાંથી ચાર મેચ જીત્યું છે. 2007ની વર્લ્ડ કપમાં તે હારી ગયું હતું.

શાકીબ અલ હસન ઈજાગ્રસ્ત છે, કદાચ આજની મેચમાં નહીં રમે

દરમિયાન, બાંગ્લાદેશ માટે ચિંતાના સમાચાર છે. એમનો 36 વર્ષીય કેપ્ટન અને સ્ટાર ઓલરાઉન્ડર શાકીબ અલ હસન કદાચ આજની મેચમાં રમી નહીં શકે. શાકીબના ડાબા હાથનો સ્નાયૂ ખેંચાઈ ગયો છે. આ ઈન્જરી એને અમુક દિવસો પહેલાં ન્યૂઝીલેન્ડ સામેની મેચ વખતે થઈ હતી.

બાંગ્લાદેશના કોચ ચાંડિકા હથુરુસિંઘેએ કહ્યું છે કે શાકિબને મેડિકલ સ્ટાફ 100 ટકા ફિટ જાહેર કરશે તો જ આજે ભારત સામે રમશે. જો એ ફિટ નહીં હોય તો એને રમાડવાનું અમે જોખમ નહીં લઈએ. શાકિબે ગઈ કાલે સાંજે એમસીએ સ્ટેડિયમમાં નેટ પ્રેક્ટિસ સત્ર વખતે બેટિંગ કરી હતી અને થોડુંક દોડ્યો પણ હતો, પણ બોલિંગ કરી નહોતી.

શાકિબે અફઘાનિસ્તાન સામે બાંગ્લાદેશની જીતવાળી મેચમાં 30 રનમાં 3 વિકેટ લીધી હતી અને ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં એણે 40 રન કર્યા હતા. એ મેચ જોકે ન્યૂઝીલેન્ડ 8-વિકેટથી હારી ગયું હતું.

સુવિચાર – ૧૯ ઓક્ટોબર, ૨૦૨૩

સુવિચાર – ૧૯ ઓક્ટોબર, ૨૦૨૩

૧૯ ઓક્ટોબર, ૨૦૨૩

૧૯ ઓક્ટોબર, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 19/10/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજે તમને કોઈ સારી આશા જન્માવે, તમે પસંદગીના કામમાં સારો સમય પસાર કરો, તમારા પરિચિત સાથે કોઈ લાભની વાત થાય, મુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી અનુભવો, વેપારના કામકાજમાં નવીનતક દેખાઈ શકે છે, યુવાવર્ગને ઉત્સાહ સારો રહે.


તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની શકે છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, મુસાફરી થવાના યોગ છે.


આજે મુસાફરી દરમિયાન તમને ઉત્સાહ જોવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકકે અધ્યાત્મિકવાતમાં રૂચી વધુલો અને કોઈજગ્યાએ ધાર્મિકબાબત પર નાણાનું દાનકે સદ્કાર્ય માટેનું આયોજન પણ કરો, વેપારના કામકાજમાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો હિતાવહ છે, પ્રિયજન સાથે ફરવા જવાના યોગ પણ છે.


આજે વ્યવસાયમાં થોડી વ્યસ્તતા જોવા મળે, સહકર્મચારીનો સહયોગ તમને મળી રહે અને કામપૂરું થયાનો સંતોષ પણ મળે, તમારા કોઈ જુનાઅટકેલા કામકાજમાં સમય ફાળવોતો તેમાં પણ કામ આગળ ચાલવાની શક્યતા રહે, બજારના કામમાં આકસ્મિકલાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક કોઈ વાત બની શકે.


આજે અચાનક તમને કોઈ સારી તક દેખાય અને તમે ખુશી અનુભવો, આજના દિવસમાં તમારામાં ધીરજનો થોડો અભાવ દેખાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે કોઈ અઘરો વિષય શીખવામાં વધુ સમય ફાળવાયતો તે વિષયમાં આવડત વધી શકે છે, વેપારમાં નવું જાણવાનું મળવાથી ખુશી અનુભવાય.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે કેમકે તમને નાનીનાની વાતમાં ગુસ્સો આવે અને તેની અસર તમારી સાથેના અન્ય લોકો પર પડે જેથી ક્યાંક મનદુઃખના થાય તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં કોઈપણ પ્રકારનું મોટું જોખમના કરવું, પ્રિયજન સાથે ગેરસમજના થાય માટે શાંતિથી વાર્તાલાપ કરવી.


આજે તમને કોઈપણ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેની અસર તમારા કામ અને અન્ય લોકો સાથેના વ્યવહાર પર પડે, તમે આજે ઉદાર અને સહયોગી વૃત્તિવાળા બનો. વેપારના કામકાજમાં તમને આત્મવિશ્વાસ સારો દેખાય. યુવાવર્ગ માટે પસંદગીના કામ થાય તેવા સંજોગો પણ બની શકે છે.


તમારી વાણીનો પ્રભાવ અન્ય પર સારો પડે અને તમે તમારા શબ્દો વડે તમારી વાતને કોઈની આગળ સારી રીતે રજુ કરી શકો, કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય તેવું પણ બની શકે છે, પરિચિત સાથેની મિલનમુલાકાત તમને યાદગાર બની શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે સગાસ્નેહી સાથે ક્યાંક લાભની વાત આપલે થઇ શકે તેમજ કોઈની સાથે જુના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક પણ મળી શકે છે, વેપારના કામકાજમાં થોડી હિંમત અને અનુભવના ઉપયોગથી સારું કામ થઈ શકે છે, વ્યસ્તતા વચ્ચે પણ કામમાં ઉત્સાહ રહે અને અન્યનો સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.


આજે કોઈ જૂનીવાતને યાદ આવવાથી મન થોડું અશાંત રહે, ખટપટકરનાર વ્યક્તિથી દુર રહેવું યોગ્ય છે, નજીકના સગાસંબંધી સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ નાપસંદ વાત સાંભળવાથી માનસિકઅશાંતિની લાગણી અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનુજ કામ કરવું સલાહ ભર્યું છે.


આજે તમારી લાગણી અને તમારા ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થઇ શકે છે, તમારા અનુભવ અને માર્ગદર્શનનો લાભ અન્યના સારા હિતમાં આપો તેવું પણ બની શકે છે, વેપારના કામકાજમાં લાભની વાત બની શકે છે, પ્રિયજન તરફથી સારો પ્રતિસાદ મળવાથી સારી ખુશી અનુભવાય.


જાહેરજીવનના કાર્યમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામમાં અન્યનો સાથ સહકાર મળતા તમે કામ બાબતે સારા ઉત્સાહી બનો, ભાગીદાર,પત્ની સાથે કોઈ અગત્યની વાર્તાલાપમાં પણ તમને સારો પ્રતિભાવ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક પ્રસંગના એંધાણ મળે.

પંચાંગ 19/10/2023

ન્યૂઝીલેન્ડે અફઘાનિસ્તાનને 149 રનથી હરાવ્યું, સતત ચોથી જીત

ન્યૂઝીલેન્ડે વર્લ્ડ કપ 2023ની 16મી મેચમાં અફઘાનિસ્તાનને 149 રનથી હરાવ્યુ હતું. ટૂર્નામેન્ટમાં સતત ચોથી જીત મેળવી હતી. મેચમાં પહેલા ન્યુઝીલેન્ડના બેટ્સમેનોએ જોરદાર પ્રદર્શન કર્યું અને પછી બોલિંગ વિભાગે તબાહી મચાવીને બાંગ્લાદેશને 139 રનમાં આઉટ કરી દીધી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કિવી ટીમે 50 ઓવરમાં 6 વિકેટે 288 રન બનાવ્યા હતા. ટીમ તરફથી ગ્લેન ફિલિપ્સે 71 રન અને કેપ્ટન ટોમ લાથમે 68 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં ફર્ગ્યુસન અને સેન્ટનરે 3-3 વિકેટ લીધી હતી. રનનો પીછો કરવા આવેલી અફઘાનિસ્તાનની ટીમ 34.4 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ માટે રહેમત શાહે સૌથી મોટી 36 રનની ઇનિંગ રમી જેમાં 1 ફોરનો સમાવેશ થાય છે. આ સાથે જ ટીમનો કોઈપણ બેટ્સમેન મોટી ઈનિંગ રમી શક્યો નહોતો. ટીમે શરૂઆતથી અંત સુધી સતત વિકેટો ગુમાવી હતી.

અફઘાનિસ્તાનને પ્રથમ ફટકો છઠ્ઠી ઓવરમાં 27 રનના સ્કોર પર રહેમાનુલ્લાહ ગુરબાઝના રૂપમાં લાગ્યો હતો જે 11 રન બનાવીને આગળ ગયો હતો. ત્યારબાદ બીજી ઓવરમાં બીજા ઓપનર ઈબ્રાહિમ ઝરદાન 14 રન બનાવીને ટ્રેન્ટ બોલ્ટનો શિકાર બન્યો હતો. આ પછી 14મી ઓવરના છેલ્લા બોલ પર કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી (8)ને લોકી ફર્ગ્યુસને પેવેલિયન મોકલ્યો હતો. જો કે આ પછી થોડા સમય માટે અફઘાનિસ્તાનની વિકેટો પર અંકુશ રહ્યો હતો, પરંતુ 26મી ઓવરમાં ટ્રેન્ટ બોલ્ટે અઝમતુલ્લા ઓમરઝાઈ (27)ને કીપરના કેચ દ્વારા આઉટ કર્યો હતો.

આ પછી અફઘાનિસ્તાન તરફથી કોઈ બેટ્સમેન લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો નહોતો અને વિકેટો પડવાની પ્રક્રિયા ચાલુ રહી હતી. 29મી ઓવરમાં સ્થિર ઇનિંગ રમી રહેલો રહેમત શાહ 36 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ મોહમ્મદ નબી 07, રાશિદ ખાન 08, મુજીબ ઉર રહેમાન 04, નવીન ઉલ હક 00, અને ફઝલ હક ફારૂકી 00 રન પર છેલ્લી વિકેટ તરીકે પેવેલિયન પરત ફર્યા હતા. ટીમે છેલ્લી ચાર વિકેટ માત્ર 2 ઓવરમાં ગુમાવી દીધી હતી.

એર ઈન્ડિયા એક્સપ્રેસની નવી બ્રાન્ડ ઓળખ અને ડિઝાઈનનું અનાવરણ કરવામાં આવ્યું

ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયા એક્સપ્રેસે બુધવારે તેની નવી બ્રાન્ડ ઓળખ અને નવનિર્માણનું અનાવરણ કર્યું, જેમાં મુખ્યત્વે નારંગી અને પીરોજ રંગોનો સમાવેશ થાય છે. એર ઈન્ડિયા એક્સપ્રેસ એઆઈએક્સ કનેક્ટ (અગાઉ એર એશિયા ઈન્ડિયા) ને પોતાની સાથે મર્જ કરવાની પ્રક્રિયામાં છે અને એન્ટિટી ટાટા ગ્રુપની ઓછી કિંમતની કેરિયર હશે. એર ઈન્ડિયાએ તેની નવી બ્રાન્ડ ઓળખ જાહેર કર્યાના બે મહિના પછી મુંબઈ એરપોર્ટ પર નવી વિઝ્યુઅલ ઓળખનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

એર ઈન્ડિયા એક્સપ્રેસે એક જણાવ્યું હતું કે, એરલાઈનની નવી વિઝ્યુઅલ ઓળખમાં નારંગી અને પીરોજના ઊર્જાસભર અને પ્રીમિયમ રંગો છે, જેમાં એક્સપ્રેસ ટેન્જેરીન અને એક્સપ્રેસ આઈસ બ્લુ ગૌણ રંગો છે. નારંગી એ એરલાઇનની ઉત્તેજના અને બ્રાન્ડ મૂલ્યોનું પ્રતીક છે. પીરોજ એ સંવેદનશીલતાનું પ્રતીક છે. એરલાઇનના જણાવ્યા અનુસાર, પ્રથમ નવા બોઇંગ 737-8 એરક્રાફ્ટની લિવરી બાંધણી ટેક્સટાઇલ ડિઝાઇનથી પ્રેરિત છે.

આગામી એરક્રાફ્ટને સામેલ કરવામાં આવી રહી છે તેમાં અજરખ, પટોળા, કાંજીવરમ, કલમકારી વગેરે સહિત અન્ય પરંપરાગત પેટર્નથી પ્રેરિત ડિઝાઇન હશે, જે ભારતની કલાત્મક વિવિધતાને પ્રદર્શિત કરશે. એરલાઇનની ‘પેટર્ન ઓફ ઇન્ડિયા’ થીમ રાષ્ટ્રની ભાવનાને સમાવે છે અને તેની વાર્તાઓ વિઝ્યુઅલ પ્રવાસ દ્વારા શેર કરે છે.

એર ઇન્ડિયા એક્સપ્રેસના મેનેજિંગ ડિરેક્ટર આલોક સિંઘે જણાવ્યું હતું કે રિ-બ્રાન્ડિંગ તેની મહત્વાકાંક્ષી વૃદ્ધિ અને પરિવર્તન યાત્રામાં એક નવો તબક્કો દર્શાવે છે, જે બોઇંગ B737-8 એરક્રાફ્ટના ઇન્ડક્શન સાથે શરૂ થશે. આગામી 15 મહિનામાં 50 એરક્રાફ્ટને કાફલામાં સામેલ કરવામાં આવનાર છે અને અમે ટૂંકા ગાળામાં તેનું કદ બમણું કરીશું. આગામી પાંચ વર્ષમાં અમારું લક્ષ્ય ભારતમાં સ્થાનિક અને ટૂંકા અંતરના આંતરરાષ્ટ્રીય બજારોમાં ફેલાયેલા નેટવર્ક સાથે આશરે 170 નેરો-બોડી એરક્રાફ્ટના કાફલા સુધી પહોંચવાનું છે, એમ તેમણે જણાવ્યું હતું. એર ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે એર ઈન્ડિયા એક્સપ્રેસ અને એર એશિયા ઈન્ડિયાનું મર્જર હવે અંતિમ તબક્કામાં છે.


‘સ્માર્ટ કનેક્ટર ઓફ ધ ન્યૂ ઈન્ડિયા’ તરીકે એરલાઈને મધ્ય પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રમાં તેના નેટવર્કને વિસ્તારવા તેમજ સ્થાનિક ભારતીય બજારમાં મજબૂત સ્થાન બનાવવાની તેની ઈરાદાની જાહેરાત કરી છે. ટાટાની માલિકીની એર ઈન્ડિયાની બંને પેટાકંપનીઓ એર ઈન્ડિયા એક્સપ્રેસ અને એરએશિયા ઈન્ડિયાએ નવા બોઈંગ 737-8 એરક્રાફ્ટ પર ‘એર ઈન્ડિયા એક્સપ્રેસ’ તરીકે સામાન્ય બ્રાન્ડિંગનું અનાવરણ કર્યું.


આધુનિક દેખાવ અને બોલ્ડ, બ્રાઇટ કલર્સ અને એરક્રાફ્ટ લિવરી સાથે એરલાઇન મહેમાનોને ફ્લાય એઝ યુ આર માટે આમંત્રિત કરે છે. સ્થાનો, લોકો અને સંસ્કૃતિઓ વચ્ચે અર્થપૂર્ણ જોડાણો બનાવીને પોતાના માટે ઘર્ષણ રહિત અને ડિજિટલી સક્ષમ મુસાફરી બનાવીને અલગ કરવાનો ઈરાદો જાહેર કરવામાં આવ્યો હતો. ભવ્ય અનાવરણ, જ્યાં કેમ્પબેલ વિલ્સન, ચેરમેન, એર ઈન્ડિયા એક્સપ્રેસ અને આલોક સિંઘ, મેનેજિંગ ડિરેક્ટર, એર ઈન્ડિયા એક્સપ્રેસે પ્રથમ તદ્દન નવા બોઈંગ 737-8 પર તાજી બ્રાન્ડ ઓળખ, લોગો અને એરક્રાફ્ટ લિવરીને અનાવરણ કર્યું.