નર ચિતલનું આ યુદ્ધ કયારેક તેમના મૃત્યુનું કારણ પણ બને છે

સામાન્ય રીતે ચિતલ હરણ એ એક મોટા નર અને માદા ચિતલના સમુહમાં રહેતા હોય છે. સમુહમાં રહેવાનું સૌથી મોટું કારણ એ છે કે વધુ આંખો જે શિકારી પ્રાણી પર નજર રાખી શકે અને વધુ કાન જે એક નાનામાં નાનો અવાજ પણ સાંભળીને બાકીના બધાને સચેત કરી શકે.

ચિતલમાં સંવનન કાળના સમયે સમુહની માદા ચિતલ સાથે સંવનન માટે નર ચિતલમાં લડાઈ થાય છે. આ લડાઈ કયારેક ખૂબ લાંબો સમય ચાલે છે, અને બંને નર લડતા લડતા પોતાના સમૂહ થી દૂર જતા રહે છે. આ બંને નર ચિતલ લડાઈમાં એટલા વ્યસ્ત હોય છે કે આવા સમયે આસપાસના વાઘ, સિંહ, દિપડા કે ધોલ (wild Dogs) તેમના માંથી એકાદનો ઘણીવાર શિકાર પણ કરી લે છે. આમ નર ચિતલનું આ યુદ્ધ કયારેક તેમના મૃત્યુનું કારણ પણ બને છે.