Home Blog Page 2286

રાશિ ભવિષ્ય 01/12/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સારો અને ઉત્સાહ વાળો જણાય છે, તમારા ધાર્યાકામ થવાથી તમે આનંદની લાગણી અનુભવો, પ્રિયજન તરફથી સારો પ્રેમભાવ જોવા મળી શકે છે, અગત્યની મિલનમુલાકાત ફળદાયક બની શકે,વેપારમાં નાનુંકામ કરવુજ યોગ્ય છે, કોઈના કામમાં સહયોગ આપો તેવી વૃત્તી જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, તમારા કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત થઇ શકે, પ્રવાસનું ક્યાંક આયોજન પણ થઈ શકે છે અને તેમાં ક્યાંક અણધર્યા નાણાકીયખર્ચ થાય, માર્કેટિંગક્ષેત્રમાં તમારો સારો પ્રભાવ જોવા મળે, પ્રિયજન તરફથી ખુશીની લાગણીનો અનુભવ થાય, ધાર્મિકભાવના વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈની સાથે કોઈપણ પ્રકારનું ગેરવર્તનના થાય તેનું ધ્યાન રાખવું, પ્રિયજન સાથે વાર્તાલાપ દરમિયાન ઉગ્રતાના આવે તેનું ધ્યાન રાખવું, તમારે આજે સમાધાનકારી નીતિ અપનાવાથી પરિસ્થિતિ હળવી બની રહશે. મનમાં કોઈવાતનો તમને ઉદ્વેગ રહ્યા કરે તેવું બની શકે.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવા મળી શકે છે અને માનસિકથાકની લાગણી વધુ જોવા મળે જેના કારણે તમારા સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, આજે કોઈને વણમાગી સલાહન આપવી તેમજ વાર્તાલાપમાં ક્યાય દલીલબાજીન કરવી, વેપારમાં જોખમન લેવું યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે, તમે આત્મવિશ્વાસથી કામ કરતા જોવા મળો, તમારા ભૂતકાળના કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે વધુ મહેનત યોગ્ય છે, જૂનીકોઈ ઓળખાણ તાજી થાય અને તેમાં તમે સારી વાર્તાલાપ કરી ખુશીની લાગણી અનુભવો. થોડા મજાકવૃત્તિવાળા બનો.


આજનો દિવસે થોડી સાવચેતી રાખવી તેમજ વાણીસંયમ રાખવો પણ જરૂરી છે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહન ધીમે ચલાવવું, કોઈપણ પ્રકારની મિલનમુલાકાત દરમિયાન વાર્તાલાપમાં કોઇપણ પ્રકારની ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું અગત્યનું કહી શકાય, ભક્તિમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.


આજનો દિવસ સારો છે આજે તમારા પસંદગીના કામ થઇ શકે, તમારી લાગણીની કદર થાય, પરિચિત સાથે કોઈબાબતનો સાથસહકાર સારો જોવા મળી શકે અને તેની ખુશી અનુભવાય, ધાર્મિકભાવના વધુ જોવા મળે અને મન ભક્તિકે સદ્કાર્ય કરવા પ્રેરાય તેવું પણ બનવા જોગ છે. મન પ્રફુલ્લિત રહેશે.


આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાણીસયમ અને ગુસ્સાને કાબુમાં રાખવો, મજાકમસ્તી કરનાર લોકોથી થોડું અંતર રાખવું તેમજ તેમની વાતોને જરૂરિયાત પુરતુજ ધ્યાન આપવું. ક્યાંક જુનાપ્રસંગો યાદ આવવાથી મન અશાંત વધુ રહી શકે છે, માટે વ્યવહારુ અભિગમ અપનાવો સારો કહી શકાય.


આજનો દિવસ સરસ છે, પ્રિયજન સાથેના જુનામતભેદ ભૂલવાની તક મળે, વિદ્યાર્થીવર્ગ માટે હરવાફરવા માં સારો સમય પસાર થાય, અગત્યની વાર્તાલાપકે મિલનમુલાકાત માટેના પ્રયત્ન કરતા હોવતો તેમાપણ તમને અન્યનો સારો સાથ-સહકાર અને માર્ગદર્શન મળે તેવું બની શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ સામાન્ય છે, નાનાકામમાં દિવસ પસાર થઇ જાય, જુનાસ્મરણો તાજા થાય જેમાં તમને સારી ખુશીની લાગણી થાય, વાતચિત દરમિયાન ખોટો ઉશ્કેરટના આવે તેનું ધ્યાન રાખવું જેથી તમે કદાચ કોઈની મજાકના પાત્રના બનો. બિનજરૂરી ખરીદી થવાથી તમારું મન થોડું બેચેન બને તેવું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રવર્તુળ સાથે બિનજરૂરી સમય અને નાણાનો વ્યય થાય અને તેનું ભાન તમને દિવસને અંતે થવાથી મનમાં ગુસ્સાની લાગણી અનુભવો પરંતુ તમારા પ્રિયજનની યોગ્યવર્તણુક અને વાતચીતથી તમે પ્રભાવિત થઇ ખુશીની લાગણી અનુભવી રાહત પામો, મનમાં દ્વિધા રહ્યા કરે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈને કોઈબાબતમાં નકારત્મકવિચારની અસર તમારી દિનચર્યા પર પણ પડે માટે તમારે આજે કોઈ કામમાં વ્યસ્ત રહેવું, હરવુંફરવુંકે ભક્તિમાં મન પોરવવું યોગ્ય કહી શકાય. કોઈ પણ અગત્યના કામકાજ કરવામાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો ઇચ્છનીય છે.

પંચાંગ 01/12/2023

એક્ઝિટ પોલ વચ્ચે સરકારને સારા સમાચાર મળ્યા, દેશનો GDP 7.5%ને પાર

દેશની અર્થવ્યવસ્થા ચાલુ નાણાકીય વર્ષ 2023-24 ના બીજા ક્વાર્ટરના જુલાઈ અને સપ્ટેમ્બર વચ્ચે 7.6 ટકાના દરે વૃદ્ધિ પામી છે. આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એપ્રિલથી જૂન દરમિયાન જીડીપી 7.8 ટકા હતો. જ્યારે ગત નાણાકીય વર્ષ 2022-23ના બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી 6.2 ટકા હતો. આરબીઆઈએ બીજા ક્વાર્ટરમાં જીડીપી 6.5 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. આનો અર્થ એ થયો કે બીજા ક્વાર્ટરમાં દેશની અર્થવ્યવસ્થા આરબીઆઈના અંદાજ કરતાં વધુ ઝડપે વૃદ્ધિ પામી છે.

જીડીપી 41.74 લાખ કરોડ રૂપિયા રહી

આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા બીજા ક્વાર્ટરના જીડીપીના આંકડા જારી કરવામાં આવ્યા છે. ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2023-24 ના બીજા ક્વાર્ટરમાં જીડીપી 41.74 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે, જે ગયા નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં 38.17 લાખ કરોડ રૂપિયા હતી.

 

ક્ષેત્રોની સ્થિતિ

NSO દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા જણાવે છે કે નાણાકીય વર્ષ 2023-24 ના બીજા ક્વાર્ટરમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો વિકાસ દર 13.9 ટકા રહ્યો છે, જે ગયા નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં -3.8 ટકા હતો. કૃષિ ક્ષેત્રનો વિકાસ દર બીજા ક્વાર્ટરમાં 1.2 ટકા હતો જ્યારે 2022-23ના બીજા ક્વાર્ટરમાં તે 2.5 ટકા હતો. બાંધકામ ક્ષેત્રનો વિકાસ દર 13.3 ટકા રહ્યો છે જ્યારે ગયા વર્ષના બીજા ક્વાર્ટરમાં તે 5.7 ટકા હતો. તેવી જ રીતે, વેપાર, હોટેલ, પરિવહન, સંદેશાવ્યવહાર અને પ્રસારણ સંબંધિત સેવાઓનો વૃદ્ધિ દર 4.3 ટકા રહ્યો છે, જે 2022-23 ના બીજા ક્વાર્ટરમાં 15.6 ટકા હતો. નાણાકીય, રિયલ એસ્ટેટ અને વ્યાવસાયિક સેવાઓનો વિકાસ દર 6 ટકા રહ્યો છે, જે ગયા વર્ષના બીજા ક્વાર્ટરમાં 7.1 ટકા હતો. વીજળી, ગેસ અને પાણી પુરવઠા અને અન્ય ઉપયોગિતા સેવાઓનો વિકાસ દર ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં 10.1 ટકા રહ્યો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 6 ટકા હતો.

જમ્મુ-કશ્મીરમાં ઉશ્કેરણીજનક સામગ્રી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવી અપરાધ

શ્રીનગરઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના પોલીસ વડા આર.આર. સ્વૈને કહ્યું છે કે કોમી લાગણીની ઉશ્કેરણી કરતી કોઈ પણ પ્રકારની સામગ્રી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવશે તો એને આ પ્રદેશમાં ગુનાહિત અપરાધ ગણવામાં આવશે. આ માટે ક્રિમિનલ પ્રોસીજર કોડની 144મી કલમ હેઠળ નવી જોગવાઈ લાગુ કરવામાં આવશે.

(તસવીર સૌજન્યઃ @JmuKmrPolice)

ડાઈરેક્ટર જનરલ ઓફ પોલીસ સ્વૈને કહ્યું છે કે આતંકવાદીઓ, અલગતાવાદી કે રાષ્ટ્ર-વિરોધી તત્ત્વો દ્વારા કોમી એખલાસને ભડકાવતા કે આતંક ફેલાવતા કે કોઈને ધમકી આપતા સંદેશા, ઓડિયો કે વીડિયો સામગ્રી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાને કાયદા હેઠળ ગુનો ગણવામાં આવશે. જે કોઈ વ્યક્તિ એવી સામગ્રી ફોરવર્ડ કરશે કે શેર કરશે એણે કાનૂની પરિણામો ભોગવવા પડશે. આ પ્રકારની સામગ્રી મોકલવામાં આવે તો નાગરિકોએ એમની નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને જાણ કરવી.

આઇસી15 ઇન્ડેક્સમાં 495 પોઇન્ટનો ઘટાડો

મુંબઈઃ અમેરિકામાં જીડીપીના આંકડા ધારણા કરતાં વધુ સારા આવ્યા હોવા છતાં વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ગુરુવારે ફરી તેજીતરફી ચાલ જોવા મળી હતી. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.03 ટકા (495 પોઇન્ટ) ઘટીને 47,538 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 48,033 ખૂલીને 48,183ની ઉપલી અને 47,286 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ટોચના ઘટેલા કોઈન યુનિસ્વોપ, પોલકાડોટ, કાર્ડાનો અને એક્સઆરપી હતા. ડોઝકોઇન અને પોલીગોનમાં વધારો નોંધાયો હતો.

દરમિયાન, બ્લોકચેઇન પ્રોટોકોલ અલગોરાન્ડે ભારતમાં વેબ3 ફાઉન્ડેશનને પ્રોત્સાહન આપવા માટે પોતાનો વ્યાપ વધારવાનું નક્કી કર્યું છે. એ માટે એણે નાસકોમ, ટાઇ બેંગલોર અને માન દેશી ફાઉન્ડેશન સાથે સહકાર સાધ્યો છે.

અન્ય એક અહેવાલ મુજબ વૈશ્વિક ટેક્નોલોજી નેટવર્ક આયોટાએ મધ્ય પૂર્વમાં ડિસ્ટ્રિબ્યુટેડ લેજર ટેક્નોલોજી (ડીએલટી)ની વૃદ્ધિ માટે અબુ ધાબીમાં ડીએલટી ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. એમાં 100 મિલ્યન ડોલરનું ભંડોળ રાખવામાં આવ્યું છે. બીજી બાજુ, ફોર્બ્સે 30ની વયની નીચેના અમીરોની યાદી બનાવવા માટે બ્લોકચેઇન ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની જાહેરાત કરી છે. એમાં ઈથેરિયમ બ્લોકચેઇનનો ઉપયોગ કરવામાં આવશે.

કોણ જીતશે સત્તાની સેમી-ફાઇનલ?: એક્ઝિટ પોલના અંદાજો

નવી દિલ્હીઃ વર્ષ 2024થી પહેલાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી બહુ મહત્ત્વની છે. આ પાંચ રાજ્યો- MP, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણામાં મતદાન થઈ ચૂક્યાં છે. આ તમામ રાજ્યોના ચૂંટણી પરિણામો ત્રીજી ડિસેમ્બરે જાહેર થશે, પણ એ પહેલાં વિવિધ ચેનલ્સ અને મિડિયાએ એક્ઝિટ પોલ થકી એક અંદાજ લગાડ્યા છે.

રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં દૈનિક ભાસ્કરના એક્ઝિટ પોલનાં પરિણામ પ્રમાણે રાજસ્થાનમાં ભાજપ અને છત્તીસગઢમાં કોંગ્રેસની જીત થશે સૌથી વધારે 230 સીટવાળા રાજ્ય મધ્ય પ્રદેશમાં બંને મુખ્ય પાર્ટીઓ વચ્ચે કાંટાની ટક્કર છે, જ્યારે જન કી બાતના એક્ઝિટ પોલ મુજબ મધ્ય પ્રદેશમાં ભાજપને 100-123, કોંગ્રેસને 102-125, જ્યારે રાજસ્થાનમાં 100-122, કોંગ્રેસને 62-85 સીટોના અંદાજો છે.

રાજસ્થાનના મતદારોએ પરંપરા જાળવીને સત્તા બદલવાના સંકેત આપ્યા છે. 200 સીટવાળા રાજ્ય રાજસ્થાનમાં 17 નવેમ્બરે 199 સીટ પર મતદાન થયું હતું. ભાસ્કરના પોલમાં અહીં ભાજપને 105થી 115 સીટ મળવાનો અંદાજ છે,જ્યારે  કોંગ્રેસ આ વખતે બે આંકડામાં જ સમેટાઈ જશે. કોંગ્રેસને 75થી 85 જ સીટ મળવાનો અંદાજ છે. આ સાથે રિપબ્લિક ટીવીએ MPમાં ભાજપને 118-130, જ્યારે કોંગ્રેસને 97-107 સીટો, જ્યારે TV 9 ભારતવર્ષે MPમાં 106-116 અને કોંગ્રેસને 111-121, જ્યારે રાજસ્થાનમાં ભાજપને 100-110, જ્યારે કોંગ્રેસને 90-100 સીટોનું અનુમાન વ્યક્ત કર્યું છે.

મધ્યપ્રદેશની ચૂંટણી સૌથી રસપ્રદ છે. કોંગ્રેસને 105થી 120 બેઠકો મળી શકે છે, જ્યારે ભાજપને 95થી 115 બેઠકો મળી શકે છે. છત્તીસગઢમાં કોંગ્રેસને અહીં 45થી 55 બેઠકો સાથે પૂર્ણ બહુમતી મળવાની ધારણા છે.

રાજસ્થાનના મુખ્ય મંત્રી ગહેલોતે કહ્યું હતું કે ચૂંટણી પછીના એક્ઝિટ પોલમાં જે આંકડા બતાવે, પણ રાજ્યમાં કોંગ્રેસની સરકાર જ બનશે.રાજસ્થાનમાં 199 બેઠકો પર 25 નવેમ્બરે મતદાન થયું હતું.

 

 

 

‘બેસ્ટ’ બસ ડેપોમાં બનાવાશે આવાસી, કમર્શિયલ કેન્દ્ર

મુંબઈઃ શહેરમાં લોકલ ટ્રેનોની જેમ ‘બેસ્ટ’ કંપની બસ સેવા પણ જીવાદોરી સમાન ગણાય છે. હવે તો ‘બેસ્ટ’ કંપનીના બસોના કાફલામાં એરકન્ડિશન્ડ ડબલ-ડેકર બસોની સંખ્યા પણ વધવા લાગી છે. આ બસોના પાર્કિંગ માટે વધારે જગ્યાની જરૂર પડે. એ માટે ત્રણ ડેપો ખાતે સુવિધા પૂરી પાડવામાં આવી છે.

ગોવંડી, દિંડોશી અને બાન્દ્રા ઉપનગરોસ્થિત ‘બેસ્ટ’ ડેપો ખાતે બે-માળની પાર્કિંગ વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત આ જ ડેપો ખાતે એક રેસિડેન્શિયલ અને કમર્શિયલ કેન્દ્ર પણ બનાવવામાં આવનાર છે. આ માટે ખાનગી ક્ષેત્રની કંપનીઓ પાસે ટેન્ડર મગાવવામાં આવશે. શરૂઆતમાં ઉક્ત ત્રણ ડેપો ખાતે આવાસ અને કમર્શિયલ સેન્ટર બનાવવામાં આવશે, બાદમાં યોજના સફળ થશે તો વધુ ડેપો ખાતે બનાવવામાં આવે એવી ધારણા રખાય છે.

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૩૦ નવેમ્બર, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૩૦ નવેમ્બર, ૨૦૨૩

ગુજરાતમાં અનુભવાયો ઠંડીનો ચમકારો

ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાયો છે. જેમાં કમોસમી વરસાદ બાદ તાપમાનમાં ઘટાડો થયો છે. તેમજ 15 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચુ રહ્યું છે. તથા 12 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. તેમજ મહત્તમ તાપમાનમાં 4 ડિગ્રી ઘટાડો થતા દિવસે પણ ઠંડક રહી છે. અમદાવાદ અને ડીસાનું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહ્યુ છે. તેમજ ભુજ 16 ડિગ્રી, કંડલા 16 ડિગ્રી, અમરેલી 16 ડિગ્રી સાથે પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગરમાં 16 ડિગ્રી તાપમાન રહ્યું છે. તથા ગાંધીનગરમાં પણ લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહ્યું છે. 3 દિવસ બાદ તાપમાનનો પારો વધારે ગગડે તેવી શક્યતા છે. ભરશિયાળે આવેલા માવઠાએ ખેડૂતોના હાલ બેહાલ કરી દીધા છે. હજુ તો ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ છે. ત્યાં જાણે આખા રાજ્યમાં ચોમાસુ બેઠું હોય તેવી સ્થિતિ માવઠાએ કરી દીધી હતી.

ગુજરાતના ખેડૂતોના માથા પરથી માવઠાની આફત ટળી ગઈ

કમોસમી આવેલા વરસાદ જાણે આખા રાજ્યને ઘેરી વળ્યો હતો. સૌરાષ્ટ્રમાં અને ઉત્તરગુજરાતમાં તો ઘણી જગ્યાએ કરા વર્ષાને કારણે હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો. માવઠાંને કારણે કેટલીક જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. તો ખેતીને ઘણું નુકસાન થયું છે. ભરશિયાળે આવેલા ચોમાસા જેવા વરસાદે જગતના તાતને ચિંતામાં મુકી દીધો, ત્યારે હવે હવામાન વિભાગે કરેલી આગાહી ખેડૂતો માટે મુશ્કેલીમાં રાહત આપનારી છે. કારણ કે હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતના ખેડૂતોના માથા પરથી માવઠાની આફત ટળી ગઈ છે.

વિરાટ કોહલી હાલ ક્યાં છે?

મુંબઈઃ ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટર વિરાટ કોહલીએ ટીમના આગામી સાઉથ આફ્રિકા પ્રવાસ પૂર્વે બ્રેક લીધો છે. તે એની પત્ની અનુષ્કા અને પુત્રી વામિકા સાથે લંડનમાં રજા માણવા ગયો હોવાનું જાણવા મળ્યું છે. એક યૂઝરે તેના મોબાઈલ ફોનમાં કોહલીને ઝડપી લીધો હતો અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. એમાં કોહલી અનુષ્કા અને વામિકા સાથે દેખાય છે. ત્રણેય જણ લંડનના હાઈડ પાર્કના વિન્ટર વન્ડરલેન્ડની મુલાકાતે ગયાં હતાં.

(તસવીર સૌજન્યઃ વિરાટ કોહલી X – ટ્વિટર)

ટીમ ઈન્ડિયા આવતા મહિને સાઉથ આફ્રિકાના પ્રવાસે જવાની છે, પણ કોહલી એ પ્રવાસમાં વન-ડે અને ટ્વેન્ટી-20 મેચોની શ્રેણીઓમાં રમવાનો નથી. માત્ર બે-મેચની ટેસ્ટ શ્રેણીમાં જ રમશે. ભારતીય ટીમ હાલ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે પાંચ T20I મેચોની શ્રેણી રમી રહી છે, પરંતુ એમાં પણ કોહલી, કેપ્ટન રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ જેવા સીનિયર ખેલાડીઓ નથી. એ તમામને ક્રિકેટ બોર્ડે આરામ આપ્યો છે. હાલમાં જ ODI વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા સામે પરાજય થયો હતો. કોહલીએ એમાં 11 મેચોમાં 95.62ની સરેરાશ સાથે 765 રન કરીને સ્પર્ધામાં વર્ચસ્વ જમાવ્યું હતું અને ‘પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’નો એવોર્ડ જીત્યો હતો. ફાઈનલ મેચમાં પણ એણે હાફ-સેન્ચબરી ફટકારી હતી.