Home Blog Page 2213

ડુંગળીની નિકાસ પર પ્રતિબંધથી ખેડૂતો, પડોશી દેશો હેરાન-પરેશાન

નવી દિલ્હીઃ સ્થાનિક બજારમાં ડુંગળીની કિંમતો રૂ. 80થી રૂ. 100એ પહોંચતાં સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ પગલાથી કિંમતો ઘટતાં સામાન્ય જનતા ખુશ છે, પણ હવે 2024માં ડુંગળીની કિંમતો વધવાની શક્યતા છે, કેમ કે ઉત્પાદન પહેલાંની તુલનાએ 30 ટકા ઓછું રહેવાની સંભાવના છે.

કેન્દ્ર સરકારે આઠ ડિસેમ્બરે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારનો આ નિર્ણય ડુંગળીની કિંમતોને કાબૂ કરવા પર હતો. એ પ્રતિબંધ 31 માર્ચ, 2024 સુધી લાગુ રહેશે.એ પહેલાં સરકારે ડુંગળીની નિકાસ પર 40 ટકા શૂલ્ક લગાવ્યું હતું. જોકે સરકારના પ્રતિબંધની અસર પડોશી દેશોમાં જોવા મળી છે. દેશના ખેડૂતો સરકારના નિર્ણયથી નારાજ છે, ત્યારે કાઠમંડુથી માંડીને કોલંબો સુધી સામાન્ય ગ્રાહક પરેશાન છે. ભારતના પડોશી દેશો બંગલાદેશ, મલેશિયા, નેપાળ અને UAE પણ ભારતીય ડુંગળી પર નિર્ભર રહે છે. એશિયાના દેશોમાં કરવામાં આવતી ડુંગળીની આયાતમાં અડધાથી મોટો હિસ્સો ભારતનો છે.ચીન કે ઇજિપ્ત જેવા હરીફ નિકાસકારોને મુકાબલે ભારતથી ઓછા સમયમાં શિપમેન્ટના સમયે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ભારતે 31 માર્ચે પૂરા થતા નાણાકીય વર્ષમાં ડુંગળીની નિકાસ 25 લાખ ટન કરી હતી.

બંગલાદેશના વેપાર મંત્રાલયના અધિકારી તપન કાંતિ ઘોષે કહ્યું હતું કે અમે અછતને દૂર કરવા માટે ચીન, ઇજિપ્ત કે તુર્કીથી વધુમાં વધુ ડુંગળી મગાવવાના પ્રયાસ કરી રહ્યા છે. બંગલાદેશથી બૂરા હાલ નેપાળમાં છે. નેપાળના વેપાર મંત્રાલયે કહ્યું હતું કે ભારત દ્વારા દ્વારા પ્રતિબંધ પછી અમે વિવિધ જગ્યાએ સપ્લાયની સ્થિતિની સમીક્ષા કરી હતી, પણ વેચાણ માટે ડુંગળી નથી.

ભારતીય વેપારીઓએ કહ્યું હતું કે નિકાસ પર પ્રતિબંધ પછી ડુંગળીની કિંમતોમાં 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને નવી આવકો પછી ભાવ ઔર ઘટવાની ધારણા છે.

 

 

 

 

સંસદભવનની સુરક્ષા જવાબદારી દિલ્હી પોલીસના હાથમાંથી લઈ લેવાઈ, CISFને સોંપાઈ

નવી દિલ્હીઃ ગઈ 13 ડિસેમ્બરે સંસદભવનના બે અજાણ્યા શખ્સે સુરક્ષા વ્યવસ્થા ભેદી, લોકસભા ગૃહમાં ઘૂસીને કલર સ્મોક બોમ્બ ફોડ્યા બાદ કેન્દ્ર સરકારે સલામતી મામલે ધરખમ ફેરફાર કર્યો છે. સરકારે સમગ્ર સંસદભવન સંકુલની સુરક્ષા દિલ્હી પોલીસના હાથમાંથી લઈ લીધી છે અને કેન્દ્રિય એજન્સી સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઈએસએફ)ને તે જવાબદારી સોંપી છે.

સીઆઈએસએફ કેન્દ્રસ્થ સશસ્ત્ર પોલીસ દળ છે. તે હાલ દિલ્હીમાં ઘણા કેન્દ્ર સરકારી મંત્રાલયોની ઈમારતોની સુરક્ષા સંભાળે છે. તદુપરાંત અણુ મથકો અને એરોસ્પેસ ડોમેન, સિવિલ વિમાનીમથકો અને દિલ્હી મેટ્રોની સુરક્ષા પણ સીઆઈએસએફને જ સોંપવામાં આવી છે.

સમાચાર સંસ્થા પીટીઆઈના જણાવ્યા મુજબ, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સંસદભવન સંકુલનું સર્વેક્ષણ કરવાનો આદેશ આપ્યો છે જેથી સંકુલમાં સીઆઈએસએફની સુરક્ષા વ્યવસ્થાને તૈનાત કરી શકાય. કેન્દ્ર સરકારના મંત્રાલયોની સુરક્ષા સંભાળતા સીઆઈએસએફના ગવર્મેન્ટ બિલ્ડિંગ સિક્યુરિટી (જીબીએસ) એકમના નિષ્ણાતો તેમજ આ દળના અગ્નિશામક અને રિસ્પોન્સ વિભાગના નિષ્ણાતો આ અઠવાડિયાના અંતભાગમાં સર્વેક્ષણ હાથ ધરશે.

જેલમાં બંધ ઇમરાન ખાન ત્રણ સીટો પર ચૂંટણી લડશે

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં આગામી વર્ષે આઠ ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી થવાની છે. આ ચૂંટણીમાં જેલમાં બંધ દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન ત્રણ સીટો પર ચૂંટણી લડશે, એમ તેમની પાર્ટી પાકિસ્તાન તહેરિક-એ-ઇન્સાફ (PTI)એ માહિતી આપી હતી.

PTI નેતા અલી ઝફરે કહ્યું હતું કે ઇમરાન ખાન આઠ ફેબ્રઆરી થનારી સામાન્ય ચૂંટણીમાં લડશે. પાકિસ્તાન ચૂંટણી પંચે તોશાખાના મામલે ઇમરાન ખાનના ચૂંટણી લડવા પર પાંચ વર્ષનો પ્રતિબંધ મૂકી દીધો હતો, પણ ત્યાર બાદ કોર્ટે તેમની સજા સસ્પેન્ડ કરી દીધી હતી. જોકે હાલ તેઓ કેટલાય કેસોમાં જેલમાં બંધ છે.

તોશાખાના કેબિનેટનો એક વિભાગ છે, જ્યાં અન્ય દેશોની સરકારો, રાષ્ટ્રપ્રમુખો અને વિદેશી મહેમાનો દ્વારા કીમતી ગિફ્ટને રાખવામાં આવે છે. નિયમો હેઠળ અન્ય દેશોના પ્રમુખો અને પ્રતિષ્ઠત લોકો પાસેથી મળેલી ગિફ્ટને તોશાખાનામાં રાખવી જરૂરી છે.

ઇમરાન ખાન 2018માં વડા પ્રધાન બન્યા હતા. તેમને આરબ દેશોની યાત્રાઓ દરમ્યાન ત્યાંના શાસકો તરફથી મોંઘી ગિફ્ટ્સ મળી હતી. આ સાથે તેમને યુરોપીય દેશોના રાષ્ટ્રપ્રમુખો પાસેથી પણ કીમતી ભેટસોગાદો મળી હતી, જેને ઇમરાન ખાને જમા કરી હતી, પરંતુ ઇમરાન ખાને તોશાખાનામાંથી એને સસ્તી કિંમતે ખરીદી અને મોટા નફાએ વેચી દીધી હતી.

દેશમાં નવ ઓગસ્ટે અડધી રાતે પાકિસ્તાનની સંસદ ભંગ કરી દીધી હતી.પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ વડા પ્રધાન શહબાઝ શરીફની સલાહ પર સંસદ ભંગ કરી દીધી હતી. સંસદને ભંગ કરનારા જારી નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે નેશનલ એસેમ્બલીના બંધારણના આર્ટિકલ 58 હેઠળ ભંગ કરવામાં આવી છે. સંસદનો પાંચ વર્ષનો કાર્યકાળ સત્તાવાર રીતે 12 ઓગસ્ટે પૂરો થતો હતો.

 

 

 

 

 

વિશ્વમાં મોંઘવારી દર મામલે ભારત ત્રીજા સ્થાને

નવી દિલ્હીઃ વિશ્વમાં આગામી કેટલાક મહિનાઓ વ્યાજદરો અને મોંઘવારી ઊંચા સ્તરે બની રહેવાની અપેક્ષા છે. વધુ મોંઘવારીને મામલે ટોચના દેશોમાં ભારત ત્રીજા સ્થાને છે. રશિયા અને દક્ષિણ આફ્રિકા મોંઘવારીના મામલે વધુ પ્રભાવિત છે, એમ બેન્ક ઓફ બરોડાનો રિપોર્ટ કહે છે. રશિયામાં મોંઘવારીનો દર 7.5 ટકા અને દક્ષિણ આફ્રિકામાં 5.9 ટકા છે. ત્રીજા સ્થાને ભારતમાં નવેમ્બરમાં મોંઘવારીનો દર 5.6 ટકા છે. ઓસ્ટ્રેલિયામાં એ 5.4 ટકા, સિંગાપોરમાં 4.7 ટકા અને બ્રાઝિલમાં 4.7 ટકા છે.

ડેટા મુજબ સુગરની કિંમત નવેમ્બર, 2022ની તુલનાએ નવેમ્બર, 2023માં 41 ટકા વધી છે. એક વર્ષમાં ચોખાની કિંમતો 36 ટકા વધી છે.બીજી બાજુ, કેટલાય દેશોમાં ટેન્શનથી ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ અને કોલસાની કિંમતોમાં ભારે ઘટાડો નોંધાયો છે. એક વર્ષમાં બ્રેન્ટ ક્રૂડ 8.7 ટકા, કોલસા 62.9 ટકા અને નેચરલ ગેસ 55.4 ટકા સસ્તો થયો છે.

દેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ઘટી રહેલી મોંઘવારીને વધારવામાં ખાદ્ય પદાર્થોએ મોટી ભૂમિકા ભજવી છે. નવેમ્બરમાં વધ્યા પછી ડિસેમ્બરમાં પરણ રિટેલ મોંઘવારી દરથી રાહત મળવાની અપેક્ષા નથી, એમ અહેવાલ કહે છે. દેશનો સૌથી તેજ GDP હાલ છે અને આગામી વર્ષે પણ એ ઝડપથી વધશે અને મોંઘવારી ચિંતાનો વિષય છે, પણ આગામી વર્ષે એમાં ઘટાડો થશે, એમ માસ્ટર ટ્રસ્ટના MD હરજિત સિંહ અરોરાએ જણાવ્યું હતું.

 

 

કોરાનાના 358 નવા કેસો, છનાં મોત  

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસે ફરીથી ટેન્શન વધાર્યું છે. દેશમાં ફરી એક વાર કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના અત્યાર સુધી 21 દર્દી મળી ચૂક્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 358 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે છ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,06,336 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,33,327 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,70,576 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 230 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 2669 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,67,79,081 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 00 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

સાઈબર છેતરપિંડીમાં ગુમાવેલા રૂ.9.85 લાખ મુંબઈના રહેવાસીએ ચાર મહિને પાછા મેળવ્યા

મુંબઈઃ અહીંના ઘાટકોપર ઉપનગરના દેબયાન દાસ નામના એક રહેવાસીએ ગયા જુલાઈ મહિનામાં સાઈબર છેતરપિંડીનો શિકાર બનતાં રૂ. 9 લાખ 85 હજારની રકમ ગુમાવી દીધી હતી. પરંતુ, બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ વિસ્તારના પોલીસ સ્ટેશનના સાઈબર નિષ્ણાત જવાનોએ તે નાણાકીય સોદાના ચાર સ્તર સુધી તપાસ કરીને નાણાં ઉચાપતનું પગેરું સફળતાપૂર્વક શોધી કાઢ્યું હતું અને ઠગ લોકોના બેન્ક એકાઉન્ટ્સ થીજાવી દીધા હતા.

34 વર્ષના દાસે એક ટાસ્ક ફ્રોડમાં રૂ. 9.85 લાખ ગુમાવી દીધા હતા. સોશિયલ મીડિયાની પોસ્ટ્સ, યૂટ્યૂબ વીડિયોને લાઈક કરવા કે શેર કરવા કે પ્રોડક્ટ્સ વિશે રીવ્યૂ આપવા જેવા કાર્ય (ટાસ્ક) બજાવવાનું એમને જણાવવામાં આવ્યું હતું. એની સામે એમને પૈસા મળશે એવું એમને જણાવવામાં આવ્યું હતું. એ પછી ઓનલાઈન ઠગ લોકોએ દાસને કહ્યું હતું કે તેઓ એમની સ્કીમમાં પૈસા રોકે જેમાંથી એમને મોટો નફો થશે. દાસે લલચાઈને પૈસા ઈન્વેસ્ટ કર્યા હતા. અંતે એમને માલૂમ પડ્યું હતું કે પોતે છેતરાઈ ગયા છે. એમણે પૈસા પાછા મળશે એવી આશા છોડી દીધી હતી, પણ છેતરપિંડી વિશે ફરિયાદ નોંધાવી તે પછી પોલીસે તરત જ તપાસ આદરી હતી. દાસે ચૂકવેલા નાણાં જે બેન્કોમાં ગયા હતા એ બેન્કો સાથે સાઈબર અધિકારીઓએ સંપર્ક શરૂ કર્યો હતો.

ડેપ્યૂટી પોલીસ કમિશનર (ઝોન-8) દીક્ષિતકુમાર ગેડમ અને સહાયક પોલીસ કમિશનર સુહાસ કાંબળે, સિનિયર ઈન્સ્પેક્ટર રઘુનાથ કદમ, ઈન્સ્પેક્ટર રાજેશ ગવળી, ઈન્સ્પેક્ટર અજય શિરસાગર, સબ-ઈન્સ્પેક્ટર રાજાભાઉ ગરડની બનેલી ટીમે સાઈબર ઠગમાં સંડોવાયેલા આરોપીઓનો પતો લગાવ્યો હતો. બધા સોદાઓના પુરાવા મળ્યા બાદ તેમણે બાન્દ્રાની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં તે રજૂ કર્યા હતા. કોર્ટે આરોપીઓને આદેશ આપ્યો હતો કે તેઓ બધી રકમ પાછી આપી દે. આરોપીઓએ રકમ પરત કરી દીધા બાદ ફરિયાદી દાસને આપી દેવામાં આવી હતી.

દાસનું કહેવું છે કે, લોકોએ સાઈબર ઠગ લોકોથી ખૂબ સંભાળવું જોઈએ. ઓનલાઈન ટાસ્ક જેવી છેતરપિંડીઓમાં ફસાવાથી દૂર રહેવું જોઈએ. સાઈબર ફ્રોડનો ભોગ બન્યા બાદ મોટા ભાગના લોકો પોલીસને જાણ કરતા અચકાતા હોય છે. પરંતુ જો તમે પોલીસ પાસે સાચા સમયે જશો તો તમારા ગુમાયેલા નાણાં તમને પાછાં મળી શકે છે. પછી એ થોડાક મળે કે પૂરેપૂરા મળે.

મુંબઈનાં બિઝનેસ દંપતીએ સ્પાઈસજેટમાં રૂ. 1,100 કરોડમાં 19% હિસ્સો ખરીદ્યો

મુંબઈઃ સ્પાઈસજેટ એરલાઈનની આર્થિક સ્થિતિને મજબૂત કરવા અને કંપનીનો વિકાસ વધારવા માટે એક વ્યૂહાત્મક પગલું ભરવામાં આવ્યું છે. શહેરના ઉદ્યોગપતિ હરિહર મહાપાત્ર અને એમના પત્ની પ્રીતિ મહાપાત્રએ આ એરલાઈનમાં રૂ. 1,100 કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કરીને 19 ટકા હિસ્સો ખરીદ્યો છે. સ્પાઈસજેટે આ જાણકારી મુંબઈ શેરબજારને આપી છે.

મહાપાત્ર દંપતીની આ ઈન્વેસ્ટમેન્ટ યોજનામાં એરિઝ ઓપોર્ચ્યુનિટીઝ ફંડમાં ત્રણ ટકા હિસ્સો તથા વોરન્ટ્સ કન્વર્ઝનના માધ્યમથી એલારા કેપિટલમાં 8 ટકા હિસ્સાની ભાગીદારીનો પણ સમાવેશ થાય છે. સ્પાઈસજેટના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે કંપનીના વિકાસ માટે રૂ. 2,250 કરોડની નવી મૂડી ઊભી કરવાના પ્રસ્તાવને સર્વાનુમતે મંજૂર કર્યો હતો.

સુવિચાર – ૨૧ ડિસેમ્બર, ૨૦૨૩

સુવિચાર – ૨૧ ડિસેમ્બર, ૨૦૨૩

૨૧ ડિસેમ્બર, ૨૦૨૩

૨૧ ડિસેમ્બર, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 21/12/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારા કાર્યઅંગેની ચર્ચાવિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે છે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું કહી શકાય.


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા-વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલીઅધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતની તકેદારી રાખવી, યુવાવર્ગે પ્રિયજન સાથે વિવાદકે દલીલબાજીથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું કહી શકાય.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ ખુશીની લાગણી અનુભવો, તમારી મનની વાત કોઈ સમજી શકે   નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે,  તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુનાઅટકેલા  કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનુંકામ કરવુંજ યોગ્ય છે,કામકાજમાં વ્યસ્તતા જોવા મળે.


આજનો દિવસ તમે શાંતિ અને કુનેહથી પસાર કરવો જેથી તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં જોખમન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. માર્કેટિંગક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે,  વેપારમાં નાનું અને ગણતરીપૂર્વકનું કામકાજ કરવું યોગ્ય છે, સહકર્મચારી સાથે કામકાજમાં સહકાર થોડો ઓછો જોવા મળે.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે  પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મહેનત કરવી સારી કહી શકાય, વેપારમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટા શબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. વેપારના કામકાજમાં જોખમન કરવું અને ધીરજ રાખી કામ કરવાની સલાહ છે.


આજનો દિવસ સારો છે, તમરી લાગણીની કદર સારી રીતે થાય, જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે, સામાજિક, ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે.


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવી કોઈ વાત બની શકે છે,  બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, વેપારમાં બિનજરૂરી જોખમથી દુર રહેવું, વાતવાતમાં ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું સારું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યા કામ પર પડે , નસીબ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલન મુલાકાત યાદગાર બને, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ કે નવીનતક દેખાઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામકાજ યોગ્ય છે, કોઈની સાથે કામની બાબતમાં દલીલબાજીના કરવી, યુવાવર્ગને ઈતરપ્રવૃતીમાં ધ્યાન વધુ જાય અને ક્યાંક બિનજરૂરી નાણાકીયખર્ચ પણ થઈ શકે, મુસાફરી થોડી કંટાળાજન બની શકે છે.