BCCI સચિવ જય શાહે પુષ્ટિ કરી છે કે રાહુલ દ્રવિડ આ વર્ષે જૂનમાં આગામી T20 વર્લ્ડ કપ સુધી ભારતના મુખ્ય કોચ તરીકે ચાલુ રહેશે. ગયા વર્ષે ODI વર્લ્ડ કપ ફાઇનલ બાદ દ્રવિડનો કરાર સમાપ્ત થયો હતો, પરંતુ તેને ડિસેમ્બર-જાન્યુઆરી દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે અન્ય સપોર્ટ સ્ટાફ સાથે એક્સ્ટેંશન આપવામાં આવ્યું હતું. શાહે આ જાહેરાત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમના નામકરણ સમારોહ દરમિયાન કરી હતી. જય શાહે કહ્યું કે, “2023ના ODI વર્લ્ડ કપ પછી રાહુલ ભાઈએ તરત જ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે રવાના થઈ જવું પડ્યું હતું. અમને મળવાની તક મળી ન હતી, જે આખરે આજે થઈ હતી. અમે ચર્ચા દરમિયાન નક્કી કર્યું છે કે રાહુલ ભાઈએ T20માં તે વિશ્વમાં ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે રહેશે.
ટૂંક સમયમાં બીજી બેઠક મળશે
જો કે, શાહે સંકેત આપ્યો હતો કે તેઓ મહત્વપૂર્ણ ઘટના પહેલા ચર્ચાના થોડા વધુ રાઉન્ડ યોજશે. જય શાહે કહ્યું કે, જ્યારે પણ સમય મળશે હું તેની સાથે વાત કરીશ, અત્યારે બેક ટુ બેક સિરીઝ ચાલી રહી છે. તે દક્ષિણ આફ્રિકા, પછી અફઘાનિસ્તાન અને હવે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં હતો. અમને વચ્ચે વાત કરવાનો એટલો મોકો ન મળ્યો.
આલિયા ભટ્ટની વેબ સિરીઝ પોચરનું દમદાર ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. એમી પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા રિચી મહેતાએ બનાવી છે. અભિનેત્રી આલિયા ભટ્ટ સિરીઝની એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે. પોચરનું નિર્માણ ઓસ્કાર વિજેતા પ્રોડક્શન અને ફાઇનાન્સ કંપની ક્યૂસી એન્ટરટેનમેન્ટે કર્યુ છે. જેને જોર્ડન પીલની ગેટ આઉટ અને સ્પાઇક લી ની બ્લેકક્લાંસમેન જેવી હિટ ફિલ્મો આપી છે.
આ કાર્યક્રમમાં કન્ટ્રી ડાયરેક્ટર પ્રાઇમ વીડિયો સુશાંત શ્રીરામ, ડિરેક્ટર કન્ટેન્ટ લાઇસન્સિંગ મનીષ મેન્ઘાણી, પ્રાઇમ વીડિયો, એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર આલિયા ભટ્ટ, ડિરેક્ટર રિચી મહેતા અને કલાકારો નિમિષા સજ્જન, રોશન મેથ્યુસ અને દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય હાજર રહ્યાં હતા.
નવી દિલ્હીઃ ખાનગી ક્ષેત્રની બેન્ક એક્સિસ બેન્ક પર રૂ. 5100 કરોડના કૌભાંડનો આરોપ લાગ્યો છે. આ સમાચાર પછી બેન્કના શેરોમાં બે ટકાનો કડાકો બોલી ગયો હતો. આ શેર 52 સપ્તાહના રૂ. 1151ની ઊંચાઈથી પટકાઇને 52 સપ્તાહની નીચલી સપાટીએ રૂ. 814.25એ પહોંચ્યો હતો.
એક્સિસ બેન્ક પર ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રૂ. 5100 કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ તેમણે દિલ્હી હાઇકોર્ટમાં જવાનું વલણ અપનાવ્યું છે. સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર સ્વામીએ આરોપ લગાવ્યો હતો કે એક્સિસ બેન્કે મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સના શેરોમાં ટ્રાન્ઝેક્શનના માધ્યમથી ખોટો લાભ કમાયો છે. તેમણે કોર્ટથી ટ્રાન્ઝેક્શનના નિષ્ણાતોની એક કમિટીથી તપાસની માગ કરી છે.
તેમણે કહ્યું હતું કે મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સ અને મેક્સ ફાઇનાન્શિયલ સર્વિસિસે છેતરપિંડીથી મેક્સ લાઇઝ શેરધારકો-એક્સિસ સિક્યોરિટીઝ લિ અને એક્સિસ કેપિટલ લિ.ને ખોટી રીતે લાભ કમાવાની મંજૂરી આપી હતી. આ કંપનીઓએ ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી અને ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IRDAI)ના નિર્દેશોનું ઉલ્લંઘન કરતાં બિનપારદર્શી રીતે ઇક્વિટી શેરોની લે-વેચ કરી હતી.
Today, my WP alleging a scam of nearly ₹5100 crore in Axis Bank making undue gains by way of transactions in shares of Max Life Insurance was listed. I thank Senior Adv Rajshekhar Rao, assisted by Adv Satya Sabharwal and Adv Tanya Arora. Next date: 13.03.2024
તેમણે કહ્યું હતું કે એક્સિસ બેન્ક ગ્રુપની કંપનીઓએ મેક્સલાઇફ ઇન્શ્યોરન્સમાં 12.02 ટકા હિસ્સો રૂ. 31.51થી રૂ. 32.12 શેરદીઠના હિસાબે કુલ રૂ. 736 કરોડમાં ખરીદી હતી, જે બજાર કિંમતથી ઓછી છે. IRDAIએ પણ ખોટાં નિવેદનોને લીધે મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સ પર રૂ. ત્રણ કરોડનો દંડ ફટકાર્યો હતો, જે છેતરપિંડીની તુલનામાં ઘણો ઓછો હતો.
બંગાળી ફિલ્મ અભિનેત્રી અને જાદવપુરથી ટીએમસી સાંસદ મીમી ચક્રવર્તીએ તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમો મમતા બેનર્જીને પત્ર લખીને ગંભીર આરોપ લગાવ્યા છે. મિમી ચક્રવર્તીએ કહ્યું કે તેનું વારંવાર અપમાન કરવામાં આવ્યું છે. તે આ વખતે લોકસભાની ચૂંટણી નહીં લડે. ગુરુવારે મિમી ચક્રવર્તી એસેમ્બલી પહોંચી અને એસેમ્બલીમાં સ્પીકર બિમન બેનર્જીની ચેમ્બરમાં મમતા બેનર્જી સાથે મુલાકાત કરી. મિમી ચક્રવર્તીએ ફરી પુનરોચ્ચાર કર્યો કે તે લોકસભાની ચૂંટણી લડવા માંગતી નથી. તેમણે પોતાનું રાજીનામું મમતા બેનર્જીને આપી દીધું છે, પરંતુ મમતા બેનર્જીએ તેનો સ્વીકાર કર્યો નથી. જ્યારે મમતા બેનર્જી રાજીનામું સ્વીકારશે, ત્યારે તેઓ પોતાનું રાજીનામું લોકસભા અધ્યક્ષને સોંપશે.
રાજકારણમાં આવવા માંગતી નથી
તેણે કહ્યું કે તે રાજકારણમાં આવવા માંગતી નથી. પરંતુ તે સામાન્ય લોકોની વચ્ચે રહેશે. તેણી સમજી ગઈ છે કે રાજકારણ તેના માટે નથી. તે ક્યારેય રાજનીતિ કરવા માંગતી નહોતી. તમને જણાવી દઈએ કે મિમી ચક્રવર્તી પાંચ વર્ષથી સાંસદ છે. તૃણમૂલ કોંગ્રેસે તેમને જાદવપુર જેવા મહત્વના કેન્દ્રમાંથી ટિકિટ આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, મિમી ચક્રવર્તીએ 13 ફેબ્રુઆરીએ મમતા બેનર્જીને એક પત્ર મોકલ્યો હતો. તે પત્રમાં મિમી ચક્રવર્તીએ મમતાને સાંસદ પદ પરથી રાજીનામું આપવાની ઓફર કરી હતી.
રાજકોટઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રાજકોટમાં રમાઈ રહી છે. આ મેચમાં રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ જ્યારે બેટિંગ કરવા ઊતરી ત્યારે તેણે નવ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ભારતીય કેપ્ટન રોહિત શર્મા પછી ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ સદી ફટકારતાં ભારત મજબૂત સ્થિતિમાં છે. જાડેજાએ તેની કેરિયરની ચોથી સદી ફટકારી હતી.
રોહિત શર્માએ 14 ચોક્કા અને ત્રણ છક્કાની મદદથી 131 રન ફટકાર્યા હતા, જ્યારે રવીન્દ્ર જાડેજા 110 રન સાથે ક્રીઝ પર ઊભો છે. હાલ ભારતની 326 રને પાંચ વિકેટ પડી ગઈ છે. જાડેજાએ નવ ચોક્કા અને બે છક્કાની મદદથી સદી ફટકારી હતી. એ સાથે સરફરાઝ ખાને 62 રન કર્યા છે, જ્યારે કુલદીપ યાદવ એક રન સાથે દાવમાં છે.
આ પહેલાં ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ માત્ર 10 બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. એ પછી ગિલ ખાતું પણ ખોલી નહોતો શક્યો અને પેવેલિયન ભેગો થયો હતો. રજત પાટીદાર પાંચ રન બનાવીને ટોમ હાર્ટલેના બોલમાં આઉટ થયો હતો. ત્યર બાદ રવીન્દ્ર જાડેજા અને શર્માએ ભારતીય બેટિંગ સંભાળી હતી.
ફેબ્રુઆરી મહિનો એટલે પ્રેમ, પ્યાર મહોબત નો મહિનો. ખાસ કરીને યુવાનોમાં આ મહિનો ફેવરિટ હોય છે. 7મી ફેબ્રુઆરીથી 14મી ફેબ્રુઆરી સુધી અનેક પ્રકારના જુદા-જુદા દિવસોની ઉજવણી થાય છે. પણ વેલેન્ટાઈન ડે પુર્ણ થતા જ શરૂ થાય છે નફરતના દિવસો. એટલે કે ‘એન્ટી-વેલેન્ટાઈન વીક’. જી હા થોડા વર્ષોથી 15મી ફેબ્રુઆરીથી 21મી ફેબ્રુઆરી સુધી એન્ટી-વેલેન્ટાઈન વીક ઉજવવાનો નવો રિવાજ શરૂ થયો હોય એમ લાગે છે. તો ચાલો જાણીએ આ એન્ટી-વેલેન્ટાઈન વીકમાં કયા દિવસો ઉજવવામાં આવે છે.
સ્લેપ ડેઃ 15મી ફેબ્રુઆરીએ એન્ટી-વેલેન્ટાઈન વીકમાં સ્લેપ ડે પ્રથમ આવે છે. એવું કહેવાય છે કે જો કોઈનું બ્રેકઅપ થાય છે, તો ભૂતપૂર્વ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડને ભૂલી જવા માટે, તેના દ્વારા આપવામાં આવેલા પ્રેમમાં પીડા, તણાવ અને વિશ્વાસઘાતને દૂર કરવા માટે ઉજવણી કરે છે. આ દિવસ તમારા જીવનમાંથી તે કડવા અનુભવોને દૂર કરવાનો સમય છે.
કિક ડેઃ16મી ફેબ્રુઆરી કિક ડે એ વેલેન્ટાઈન વિરોધી સપ્તાહનો બીજો દિવસ છે આમાં પણ, ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડની નકારાત્મક અને કડવી લાગણીઓને જીવનમાંથી લાત મારીને ઉજવવામાં આવે છે.
પરફ્યુમ ડેઃ 17 ફેબ્રુઆરીએ આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રેમમાં બ્રેકઅપ થયું હોય એવા લોકો પોતાનું મનપસંદ પરફ્યુમ લગાવીને ફરવા જાય છે. એમ કહી શકાય છે. પરફ્યુમની તાજગી સાથે નવી શરૂઆત કરવાનો આ દિવસ છે.
ફ્લર્ટ ડેઃ 18 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. ફ્લર્ટ ડે પર તમે નવા મિત્ર સાથે કનેક્ટ થઈ શકો છો. તેને જાણી અને સમજી શકે છે. તમે તેની તરફ મિત્રતાનો હાથ લંબાવી શકો છો. આ દિવસનો અર્થ એ નથી કે તમે કોઈની સાથે ફ્લર્ટ કરવાનું શરૂ કરો.
કન્ફેશન ડેઃ 19 ફેબ્રુઆરી એટલે કન્ફેશન ડે. આ દિવસે, તમે તમારા જીવનસાથી અથવા કોઈપણ નજીકના મિત્રને તમારી અંદરની લાગણીઓ કહી શકો છો. જો તમે કોઈ ભૂલ કરી હોય, તો આ દિવસ એની કબૂલાત કરી માફી પણ માંગી શકાય. પોતાના જીવનસાથી, મિત્રો, પરિવારના સભ્યોને ભવિષ્યમાં કોઈ ભૂલ ન કરવાનું વચન પણ આપી શકો છો.
મિસિંગ ડેઃ 20 ફેબ્રુઆરીએ ઉજવાય છે મિસિંગ ડે. જો તમે કોઈને મિસ કરી રહ્યાં હોવ તો તેને વ્યક્ત કરવાનો આ દિવસ છે. જો તમારી પત્ની, બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડ દૂર છે અને તમે તેને મિસ કરી રહ્યાં છો, તો આ દિવસ તમને તમારી લાગણીઓ વ્યક્ત કરવાની તક આપે છે.
બ્રેકઅપ ડેઃ 21મી ફેબ્રુઆરી એટલે એન્ટિ-વેલેન્ટાઇન ડેનો છેલ્લો દિવસ. જે સંબંધમાં તમને ખુશી ન મળતી હોય, જેની સાથે તમે રહેવા ન ઈચ્છતા હોવ એ લોકો સાથે આ દિવસે તમે બ્રેકઅપ કરી શકો છો.
પ્રેમ કે નફરત માટે આ મહિનામાં પુરા 15 દિવસની ઉજવણી કરવામાં આવે છે. હકીકતમાં આ એક પ્રકારની લાગણી વ્યક્ત કરવાના દિવસો છે. બાકી તો પ્રેમ કે નફરત વ્યક્ત કરવા માટે લોકો ખાસ દિવસની રાહ થોડી જોવે.
મહારાષ્ટ્રમાં એનસીપીના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના કેસમાં નિર્ણય આવ્યો છે. સ્પીકર રાહુલ નાર્વેકરે કહ્યું કે અજીતના જૂથને 41 ધારાસભ્યોનું સમર્થન છે. અજિત પવારને શરદ પવાર કરતાં વધુ ધારાસભ્યોનું સમર્થન છે, તેથી અજિત પવારનું જૂથ વાસ્તવિક NCP છે.
VIDEO | Maharashtra Assembly Speaker Rahul Narwekar delivers verdict on the disqualification petitions filed by the two NCP factions against each other, following the directions given by the Supreme Court. pic.twitter.com/0ZlWb2Nr4g
અજિત પવાર જૂથ તરફથી અનિલ પાટીલ અને સમીર ભુજબલ સુનાવણીમાં હાજર રહ્યા હતા. જ્યારે શરદ પવાર જૂથના વકીલો જ પહોંચ્યા હતા. શરદ પવાર જૂથ વતી ત્રણ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. તે જ સમયે, અજિત પવાર જૂથ વતી બે અરજી દાખલ કરવામાં આવી હતી. કુલ પાંચ અરજીઓ હતી જેને જૂથ 1 અને જૂથ 2 એમ બે ભાગમાં વહેંચવામાં આવી હતી.
VIDEO | “In the present matter, there is no dispute as to the relevant NCP constitution. Both the parties have placed reliance on the constitution and rules annexed as Annexure R-1 and R-2 to the reply filed by the Constitution. The said NCP constitution is taken into account for… pic.twitter.com/RzNe1gWykY
રાહુલ નાર્વેકરે કહ્યું કે NCPમાં કોઈ ભાગલા નથી. માત્ર એક જૂથ બનાવવામાં આવ્યું છે. પ્રાથમિક સ્તરે, તેમણે આ ત્રણ હકીકતો પર પોતાનો ચુકાદો આપ્યો: પક્ષનું માળખું, બંધારણ અને વિધાનસભ્ય તાકાત. તેમણે કહ્યું કે 30 જૂન, 2023ના રોજ એનસીપીમાં બે જૂથો બન્યા હતા. 29 જૂન સુધી, શરદ પવારના નેતૃત્વ પર કોઈ પ્રશ્ન નહોતો. રાષ્ટ્રવાદી બંધારણને લઈને કોઈ વિવાદ નથી.
VIDEO | “The NCP constitution, read with the NCP rules, provides that the President (of the party) shall preside over the national convention, national committee and the working committee, and shall have overall control over the working of the party,” says Maharashtra Speaker… pic.twitter.com/95T1iXET5o
સ્પીકરે કહ્યું, શિવસેનાને લઈને મેં જે નિર્ણય લીધો હતો તેના આધારે અહીં લેવાનું રહેશે. બંને જૂથ પાર્ટીમાં પ્રમુખ પદનો દાવો કરી રહ્યા છે. બંને જૂથો દાવો કરી રહ્યા છે કે અધ્યક્ષની ચૂંટણી થઈ નથી. પક્ષના બંધારણ મુજબ કરવામાં આવ્યું છે.. અહીં બે સમાંતર નેતૃત્વ ઉભરી આવ્યું છે. બંને જૂથો દ્વારા ગેરલાયકાતની અરજીઓ પણ દાખલ કરવામાં આવી છે. પક્ષના બંધારણ મુજબ, એનસીપી કાર્યકારી સમિતિ સર્વોચ્ચ સંસ્થા છે. તેના 16 કાયમી સભ્યો છે. પરંતુ પક્ષનું બંધારણ સ્થાયી સભ્યોને મંજૂરી આપતું નથી.આપણે કોનો પક્ષ છે તે નેતૃત્વ માળખું, પક્ષનું બંધારણ અને વિધાનસભ્ય તાકાત જોઈને નક્કી કરવાનું રહેશે.પાર્ટી બંધારણ અને નેતૃત્વ માળખામાં કોઈ સ્પષ્ટતા નથી.
નવી દિલ્હીઃ વિરોધ પક્ષોના ઇન્ડિયા એલાયન્સને એક વધુ આંચકો આપતાં નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબદુલ્લાએ કહ્યું હતું કે જ્યાં સુધી સીટ વહેંચણીની ફોર્મ્યુલાની વાત છે તો –નેશનલ કોન્ફરન્સ એકલા હાથે ચૂંટણી લડશે ને એ વિશે કોઈ શક નથી. જોકે તેમણે ભવિષ્યમાં ભાજપના નેતૃવવાળા NDAમાં ફરીથી સામેલ થવાના સંકેત પણ આપ્યા હતા.
તેમણે કહ્યું હતું કે મારા મત મુજબ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા અને લોકસભા ચૂંટણી એકસાથે થશે. મારો પક્ષ ગઠબંધન વિના પોતાની યોગ્યતાને આધારે ચૂંટણી લડશે. જોકે જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય મંત્રીએ NDAમાં પર ફરવાની શક્યતાથી ઇનકાર નહોતો કર્યો. અનુભવી જમ્મુ-કાશ્મીર નેતાએ કહ્યું હતું કે ઇન્ડિયા એલાયન્સ સાથે સીટ વહેંચણીની વાતચીત નિષ્ફળ થઈ ગઈ છે.
ફારુક અબદુલ્લાના નિવેદન પર કોંગ્રેસના જયરામ રમેશે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે અલગ-અલગ પાર્ટીઓની જુદી-જુદી મજબૂરીઓ હોય છે. મને પૂરો વિશ્વાસ છે કે નેશનલ કોન્ફરન્સ, PDP ઇન્ડિયા ગઠબંધનનો હિસ્સો છે અને રહેશે. આ પહેલાં ઇન્ડિયા ગઠબંધનમાં સીટ વહેંચણીને લઈને અબદુલ્લા નારાજગી દર્શાવી ચૂક્યા છે. જો જલદી સમાધાન નહીં કરવામાં આવે તો કેટલીય પાર્ટીઓ આડીઅવળી થઈ જશે. હવે તેમણે એકલા હાથે ચૂંટણી લડવાની વાત કરી છે.જમ્મુ-કાશ્મીરમાં ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ, PDP, નેશનલ કોન્ફરન્સ અને લેફ્ટ પાર્ટીઓ સામેલ છે. જોકે આ પાર્ટીઓ સીટ વહેંચણી મુદ્દે એકમત નથી થઈ શકી. જમ્મુ-કાશ્મીરમાં લોકસભાની પાંચ સીટો છે. એમાંથી ત્રણ સીટો પર નેશનલ કોન્ફરન્સનો કબજો છે, જ્યારે બે સીટો ભાજપની પાસે છે.
ત્રણ કેન્દ્રીય મંત્રીઓ તેમની માંગણીઓને લઈને આજે ચંદીગઢમાં ખેડૂત નેતાઓ સાથે બેઠક કરશે. ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું કે સાંજે 5 વાગ્યે કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા, પીયૂષ ગોયલ અને નિત્યાનંદ રાય સાથે બેઠક થશે. પાક માટે લઘુત્તમ ટેકાના ભાવની કાયદેસર ગેરંટી સહિતની તેમની માંગણીઓ અંગે ખેડૂત નેતાઓ અને કેન્દ્ર વચ્ચે બેઠકનો આ ત્રીજો રાઉન્ડ હશે. આ પહેલા બંને પક્ષો વચ્ચે બે બેઠકો અનિર્ણિત રહી હતી.
VIDEO | Farmers ‘Delhi Chalo’ protest: Farmers stage a protest at a toll plaza in Gurdaspur, Punjab.
મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવાનો ઉલ્લેખ કરતા પંઢેરે આરોપ લગાવ્યો કે સરકાર ‘મણિપુરની જેમ અમને (ખેડૂતો) કચડી નાખવા માંગે છે.’ તેમણે કહ્યું કે ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે વડા પ્રધાને સમિતિમાં સમાવિષ્ટ ત્રણ કેન્દ્રીય પ્રધાનો સાથે વાત કરવી જોઈએ. તેમણે કહ્યું, કાં તો અમારી માંગણીઓ સ્વીકારો અથવા અમને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપો.
VIDEO | Farmers ‘Rail Roko’ Protest: Farmers block railway tracks at Rajpura in Patiala district of Punjab. pic.twitter.com/FTUrXiMxsJ
પંજાબ-હરિયાણા બોર્ડર પર ઈન્ટરનેટ સેવા બંધ – કેન્દ્રનો આદેશ
ખેડૂતોના આંદોલનને જોતા કેન્દ્ર સરકારે પંજાબ-હરિયાણા બોર્ડર પર ઘણા વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ જારી કર્યો છે. પટિયાલા જિલ્લાના પીએસ શત્રાણા, સમાના, ઘનૌર, દેવીગઢ, બલભેરા અને સંગરુર જિલ્લાના પીએસ ખનૌરી, માનુક, લેહરા, સુનામ, છજલી અને ફતેહગઢ સાહિબમાં 16મી ફેબ્રુઆરીની રાત સુધી ઈન્ટરનેટ સેવા બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
VIDEO | Visuals from Punjab-Haryana Shambhu Border where farmers continue to stay put after being stopped by security forces from entering the national capital.#FarmersProtestpic.twitter.com/Cusg3V6RqU