
Chitralekha Gujarati – 26 February, 2024
વાસ્તુ: લગ્ન જીવનમાં આત્મીયતા વધારવા આટલું કરો
લગ્ન શું કામ કરવા જોઈએ? આવો સવાલ મેં જયારે એક સેમિનારમાં પૂછ્યો ત્યારે એના વિવિધ જવાબ મળ્યા હતા.
જેમકે, હું, એકલો રહું છું, એટલે ઘરનું ખાવાનું મળે એના માટે, મારા મમ્મીની હવે ઉંમર થઇ છે, ઘરનું કામ કરવા માટે કોઈ જોઈએ ને? મારા મમ્મી નથી. કોઈ સ્ત્રી ઘરમાં હોય તો અમને સારું લાગે. મારી બહેનને લગ્ન થાય એ પહેલા ઘરમાં કોઈ સ્ત્રીની જરૂર છે. ઉંમર થાય એટલે લગ્ન તો કરવા પડે ને? આવા જવાબો પુરુષ વર્ગના હતા. તો સ્ત્રી વર્ગના જવાબો અલગ હતા. કોઈ સારું કમાતો છોકરો મળે તો લાઈફ બની જાય. ઘરમાં બધા પૂછ્યા કરે છે કે આને કોઈ કેમ પસંદ નથી કરતુ. એટલે હવે તો કરી ને બતાવી જ દેવું છે. સામાજિક સુરક્ષા માટે. બે વ્યક્તિ કમાય તો સપના પુરા થાય. લગ્ન થાય એટલે વટ પડે. આ બધાજ જવાબોમાં સાચો જવાબ એક પણ ન લાગ્યો. અન્ય એક ગ્રુપમાં શારીરિક જરૂરિયાતો વિશે સકારાત્મક અને નકારાત્મક બંને ચર્ચા થઇ. શું લગ્ન આ કારણો થી થાય?
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: મારા લગ્નને ઘણા વરસ થયા. અમે બંને એક બીજા કરતા વિપરીત છીએ. મને લડવા જોઈએ. પહેલા મારા પતિ શાંત હતા હવે એ પણ લડે છે. પણ હવે એમનું મારા માટેનું આકર્ષણ જતું રહ્યું છે. એમના માટે હું સાવ રેઢીયાળ છું. એમની દ્રષ્ટીએ હું ગંદકી કરું છું. ખોટું બોલું છું. અફવાઓ ઉડાડું છું. પણ એવું તો બધી સ્ત્રીઓ કરતી હોય. એમને કોણ સમજાવે કે આને ટાઈમ પાસ કહેવાય. એક વડીલે સમજાવ્યું કે ખાટલામાં બધું બરાબર થઇ જાય. પણ એ માનતા નથી. એ કહે છે કે હું કાઈ જાનવર નથી કે જે વ્યક્તિ જગડો કરીને પછી નજીક આવે એને પણ હું નજીક આવવા દઉં. એમને તળેલું ન ભાવે. હવે ખવડાવવું પણ શું? મમ્મીના કહેવાથી લાડવા બનાવ્યા તો માંડ એક ખાધો. બધા કહે છે કે સારો ખોરાક ખવડાવીએ તો પુરુષ આફૂડો આપણો થઇ જાય. પણ આને તો બધું સાદું ફાવે. આ બધું મેં નાનપણથી જોયું છે. પણ ખબર નહિ કેમ એમને આવું નથી ફાવતું. મને એમ કે એમના વિશે ગમે તેવું કહેવાથી એ ગુસ્સામાં નજીક આવશે. પણ એવું કશું નથી થતું. વળી એને ખબર પડે છે કે હું બહાર એના વિશે ગમે તેમ બોલું છુ તો પણ ગુસ્સે થાય છે. મારું ધ્યાન બહુ રાખે છે, સારું કમાય છે અને કામવાળા ન આવે તો એ બધું કામ કરી નાખે. મને કશું કરવા ન દે. એટલે થાય છે કે આવું બીજે નહિ મળે. શું કરું?

જવાબ: તમે જેને સાહજિક માનો છો એ સહજ નથી. વ્યક્તિના મનને સમજવું પડે. તમે માત્ર તમારો વિચાર કરો છો. સામે વાળાને સમજો. એને પ્રેમ કરો એ સામે પ્રેમ કરશે. તમે લડો છો એટલે એ સામે લડે છે. એમના સાચા મિત્ર બની જાવ. સાથે કોઈ કાર્ય કરો. એમના દોષ જોવાના બદલે એમને સમજો. બે અલગ પરિવારમાં જન્મેલી વ્યક્તિઓના જ લગ્ન થાય. પણ પછી બંને એ એક બીજાને સમજી અને આત્મીયતા કેળવવી પડે. તમારા પતિ ખાસ છે એ સમજો. એમના વિશે ગમે તેમ અફવા ફેલાવશો તો એ દુખી થશે. એ બધું બંધ કરો. તમે પોતે જ તમારા સંબંધોમાં અન્યને લાવો છો. એ ગેપ પૂરવામાં જિંદગી નીકળી જશે. ગુરુવારે બંને સાથે બેસીને લક્ષ્મીજીની પૂજા કરો. પ્રદોશનું વ્રત કરો.
સુચન: ગુરુવારે પીપળાના પાન પર ખીર ધરાવીને પ્રસાદ લેવાથી આત્મીયતા વધે છે.
(આપના સવાલો મોકલી આપો email: vastunirmaan@gmail.com)
રાશિ ભવિષ્ય 16/02/2024
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસતા વધુ રહે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે, કોઈ જાહેરપ્રસંગમાં જવાના યોગ છે તેમાં જરૂરપુરતીજ વાર્તાલાપ કરવી યોગ્ય છે કોઈની મશ્કરીકે ખોટીદોરવણીમાં ના આવી જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, શાંતિ અને ધીરજ રાખવી સારી.
આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે,મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.
આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.
આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામકે વાત થાય તેવું બની શકે છે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવું બની શકે છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું યોગ્ય છે.
આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા, જીવનસાથી સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી માનસિક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ અનુભવના આધારેજ કરવું યોગ્ય છે.
આજનો દિવસ સારો છે, થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે , જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, વેપારમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને અચાનક કોઈ જૂનીઓળખાણ તાજી થવાથી ઉત્સાહી થઈ જવાય.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહકર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમભર્યા કામન કરવા, વડીલવર્ગ આજે થોડી કામ ટાળવાની વૃત્તિ રાખે તેવું બની શકે છે.
આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ કામની જૂની ગુંચ હોય તને ઉકેલી શકાય તેવા સંજોગો બને, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વિષયપર આવડત વધી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, કામમાં ઉત્સાહ સારો રહે.
આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, આરોગ્યબાબતે થોડું સાચવવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળી શકે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું વધુ સારું.
આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યાકામ થાય તેવું બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી સારું ફળ મળી શકે તેમજ નવીનકાર્યની તક પણ મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના મોદી સરકાર પર પ્રહાર
કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમિયાન ઔરંગાબાદમાં એક જનસભાને સંબોધતા પાર્ટી અધ્યક્ષ ખડગેએ પોતાના સંબોધન દરમિયાન કહ્યું, આ લોકો ન તો બંધારણમાં માનતા હોય છે અને ન તો લોકશાહીમાં, તેઓ માત્ર આમાં જ વિશ્વાસ રાખે છે, તેઓ દેશમાં સરમુખત્યારશાહી ઈચ્છે છે. સરમુખત્યારશાહી જોઈએ છે અને મોદીજી આજે તે તાનાશાહી કરી રહ્યા છે.તેમણે કહ્યું, ભાજપના લોકો આવું કહી રહ્યા છે, તેથી આપણે મજબૂત બનીને તેનો સામનો કરવાની જરૂર છે.
हमारे नेताओं ने नेहरू जी और इंदिरा जी के समय से ही बिहार में कांग्रेस को मजबूत करने का काम किया है।
जब भी अन्याय हुआ है, तब-तब यहां के नेता अन्याय के खिलाफ खड़े हुए हैं।
: कांग्रेस अध्यक्ष श्री @Kharge
📍 बिहार pic.twitter.com/gBJevwYodq
— Congress (@INCIndia) February 15, 2024
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, જ્યાં સુધી આપણે મજબૂત નહીં બનીએ, હું ખાસ કરીને ગરીબોને કહેવા માંગુ છું, હું દલિતોને કહેવા માંગુ છું, હું પછાત લોકોને કહેવા માંગુ છું, હું લઘુમતીઓના લોકોને કહેવા માંગુ છું, ગરીબો ગમે તે હોય. હું તેમને કહેવા માંગુ છું… મને લાગે છે કે મોદી આ છેલ્લી ચૂંટણી કરાવશે, આ પછી કોઈ લોકશાહી નહીં હોય, આ પછી કોઈ બંધારણ નહીં હોય, આ પછી કોઈ લોકશાહી નહીં રહે. તમને જણાવી દઈએ કે આ પહેલા 29 જાન્યુઆરીએ મલ્લિકાર્જુન ખડગેએ ઓડિશાના ભુવનેશ્વરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું હતું કે ‘જો નરેન્દ્ર મોદી બીજી ચૂંટણી જીતશે તો દેશમાં સરમુખત્યારશાહી આવશે.
BJP हमेशा बड़ी-बड़ी बातें करती है, लेकिन उन्होंने बिहार को पीछे धकेल दिया है।
नीतीश जी ने कहा- हम विकास के लिए BJP के साथ जा रहे हैं। लेकिन वे विकास के लिए नहीं, बचने के लिए BJP के साथ जा रहे हैं।
BJP के लोग कांग्रेस को तोड़ना चाहते हैं, लेकिन हम लड़ते रहेंगे।
: कांग्रेस… pic.twitter.com/yXjgeYbynB
— Congress (@INCIndia) February 15, 2024
કોંગ્રેસ અધ્યક્ષે ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પણ ભાજપ પર તેના ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો અને કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં લગભગ 500 ધારાસભ્યોને ખરીદવામાં આવ્યા છે. તેમણે કહ્યું, હવે તેઓ ડરાવીને પર કબજો કરી રહ્યા છે, આ 10 વર્ષમાં તેઓએ અમારા 500 ધારાસભ્યોને ખરીદ્યા છે. મને કહો, શું નહેરુજીના સમયમાં આવું બન્યું હતું? ઈન્દિરાજીના સમયમાં આવું બન્યું હતું? લાલ બહાદુર શાસ્ત્રીના સમયમાં થયું હતું? તે ક્યારે બન્યું? રાજીવ ગાંધીના સમયમાં શું થયું? જો એવું નથી થયું તો તેઓ (ભાજપ) શા માટે કરી રહ્યા છે?
રાહુલ દ્રવિડને લઈને જય શાહે કરી મોટી જાહેરાત
BCCI સચિવ જય શાહે પુષ્ટિ કરી છે કે રાહુલ દ્રવિડ આ વર્ષે જૂનમાં આગામી T20 વર્લ્ડ કપ સુધી ભારતના મુખ્ય કોચ તરીકે ચાલુ રહેશે. ગયા વર્ષે ODI વર્લ્ડ કપ ફાઇનલ બાદ દ્રવિડનો કરાર સમાપ્ત થયો હતો, પરંતુ તેને ડિસેમ્બર-જાન્યુઆરી દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે અન્ય સપોર્ટ સ્ટાફ સાથે એક્સ્ટેંશન આપવામાં આવ્યું હતું. શાહે આ જાહેરાત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમના નામકરણ સમારોહ દરમિયાન કરી હતી. જય શાહે કહ્યું કે, “2023ના ODI વર્લ્ડ કપ પછી રાહુલ ભાઈએ તરત જ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે રવાના થઈ જવું પડ્યું હતું. અમને મળવાની તક મળી ન હતી, જે આખરે આજે થઈ હતી. અમે ચર્ચા દરમિયાન નક્કી કર્યું છે કે રાહુલ ભાઈએ T20માં તે વિશ્વમાં ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે રહેશે.

ટૂંક સમયમાં બીજી બેઠક મળશે
જો કે, શાહે સંકેત આપ્યો હતો કે તેઓ મહત્વપૂર્ણ ઘટના પહેલા ચર્ચાના થોડા વધુ રાઉન્ડ યોજશે. જય શાહે કહ્યું કે, જ્યારે પણ સમય મળશે હું તેની સાથે વાત કરીશ, અત્યારે બેક ટુ બેક સિરીઝ ચાલી રહી છે. તે દક્ષિણ આફ્રિકા, પછી અફઘાનિસ્તાન અને હવે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં હતો. અમને વચ્ચે વાત કરવાનો એટલો મોકો ન મળ્યો.
આલિયા ભટ્ટની વેબ સિરીઝ ‘પોચર’નું દમદાર ટ્રેલર રિલીઝ
આલિયા ભટ્ટની વેબ સિરીઝ પોચરનું દમદાર ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. એમી પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા રિચી મહેતાએ બનાવી છે. અભિનેત્રી આલિયા ભટ્ટ સિરીઝની એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે. પોચરનું નિર્માણ ઓસ્કાર વિજેતા પ્રોડક્શન અને ફાઇનાન્સ કંપની ક્યૂસી એન્ટરટેનમેન્ટે કર્યુ છે. જેને જોર્ડન પીલની ગેટ આઉટ અને સ્પાઇક લી ની બ્લેકક્લાંસમેન જેવી હિટ ફિલ્મો આપી છે.

આ કાર્યક્રમમાં કન્ટ્રી ડાયરેક્ટર પ્રાઇમ વીડિયો સુશાંત શ્રીરામ, ડિરેક્ટર કન્ટેન્ટ લાઇસન્સિંગ મનીષ મેન્ઘાણી, પ્રાઇમ વીડિયો, એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર આલિયા ભટ્ટ, ડિરેક્ટર રિચી મહેતા અને કલાકારો નિમિષા સજ્જન, રોશન મેથ્યુસ અને દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય હાજર રહ્યાં હતા.






તસવીરોઃ દીપક ધૂરી (મુંબઈ)





