કોલકાતાઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીની સંદેશખાલી મામલે મુશ્કેલીઓમાં વધારો થવાની શક્યતા છે. કલકત્તા હાઇકોર્ટના જસ્ટિસે આદેશ આપ્યો હતો કે સંદેશખાલી મામલામાં શાહજહાં શેખનું નામ ઉમેરવામાં આવે. આ કેસમાં જાહેર નોટિસ આપવામાં આવવી જોઈએ. સંદેશખાલી મામલે કોઈ સ્ટે ઓર્ડર નથી આપ્યો અને શાહજહાં શેખની ધરપકડ થવી જોઈએ.
કોર્ટનું સ્પષ્ટીકરણ ત્યારે આવ્યું, જ્યારે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનરજીએ રવિવારે રાત્રે દાવો કર્યો હતો કે બંગાળ સરકાર શાહજહાંની ધરપકડ કરવામાં અસમર્થ છે, કેમ કે કોર્ટે પોલીસના હાથ બાંધી રાખ્યા છે. તેમણે સંદેશખાલીની તપાસ પર કોર્ટ પર જ તપાસમાં વિલંબ માટે આરોપ લગાવી દીધો હતો.
કોલકાતા હાઇકોર્ટે એ સ્પષ્ટ કર્યું હતું કે સંદેશખાલીમાં અત્યાચાર કરવાના આરોપી TMC નેતા શાહજહાં શેખની ધરપકડ પર કોઈ પ્રતિબંધ નથી મૂક્યો. હાઇકોર્ટે આરોપી શાહજહાં શેખ, ED, CBI અને રાજ્યના ગૃહ સચિવને આ મામલે પક્ષકાર તરીકે સામેલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
TMC નેતા શંકર સરદારના ઘરમાં કેટલીક મહિલાઓએ તોડફોડ કરી હતી. તેમનું ઘર સંદેશખાલી સ્થિત પોલપારા ગામમાં છે. તેમની પત્નીએ આરોપ લગાવ્યો હતો કે કેટલીક લોકલ મહિલાઓએ તેમના ઘરમાં તોડફોડ કરી હતી. એ સમયે પોલીસ ઘટના સ્થળે હાજર હતી.બશીરહાટના SP એચએમ રહેમાને કહ્યું હતું કે ત્યાં કેટલીક મહિલાઓ શંકર સરદારના ઘરમાં ઘૂસી હતી. હું સંદેશખાલીના લોકોને કહી રહ્યો છું કે તેઓ કાયદો હાથમાં ના લે, નહીંતો તેમની વિરુદ્દ પગલાં લેવામાં આવશ.શાહજહાં શેખ વિરુદ્ધ ફરિયાદો મળી, અમે શેખ શાહજહાંની વિરુદ્ધ FIR નોંધી છે.
રાંચીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની ચોથી મેચના ચોથા દિવસે ભારતે મેચ જીતી લીધી છે. આ સાથે ભારતે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ પર કબજો કરી લીધો છે. ભારતીય ટીમ એક સમયે સંકટમાં હતી અને ટીમની પાંચ વિકેટ પડી ગઈ હતી. આવામાં શુભમન ગિલ અને ધ્રુવ જુરેલની જોડીની ભાગીદારીએ ભારતને જીત અપાવી હતી. બેન સ્ટોકસની કેપ્ટનશિપમાં પહેલી વાર સિરીઝ ઇંગ્લેન્ડ હાર્યું છે.
ચોથી ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતે 37 ઓવરમાં ત્રણ વિકેટે 118 રન બનાવી લીધા હતા અને જીત માટે 74 રન બાકી હતા. ત્યાર બાદ 120 રને રવીન્દ્ર જાડેજાની ચોથી વિકેટ પડી હતી અને 120 રને જ સરફરાઝ ખાનની પાંચમી વિકેટ પડી હતી.
ત્યાર બાદ શુભમન ગિલે અને ધ્રુવ જુરૈલે બાજી સંભાળી હતી અને ભારતને જીત અપાવી હતી. બીજી ઇનિંગ્સમાં ભારતીય ટીમને જીતવા માટે 192 રનનો લક્ષ્યાંક હતો. બીજી ઇનિંગ્સમાં રોહિત શર્માએ (55) યશસ્વી જયસ્વાલે (37), રજત પાટીદાર (0), રવીન્દ્ર જાડેજા (ચાર), સરફરાઝ ખાન (0) રન બનાવ્યા હતા, જ્યારે શુભમન ગિલ (52) અને ધ્રુવ જુરૈલે નોટ આઉટ (39) રન બનાવ્યા હતા.
આ પહેલાં ઇંગ્લેન્ડે ચોથી ટેસ્ટમાં ટોસ જીતીને બેટિંગ લીધી હતી અને ટીમે 353 રન બનાવ્યા હતા, જ્યારે ભારત 307 રન બનાવ્યા હતા. આમ ઇંગ્લેન્ડને 46 રનની લીડ મળી હતી. જોકે ટીમ એનો લાભ નહોતી ઉઠાવી શકી.
ઇંગ્લેન્ડ બીજી ઇનિંગ્સમાં માત્ર 145 રન બનાવી શકી અને ભારતે આ મેચ પાંચ વિકેટે જીતીને ટેસ્ટ સિરીઝ પર કબજો જમાવ્યો હતો.
અમદાવાદઃ ગૃહ મંત્રી અમિત શાહ બીજી માર્ચે અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન ફોર અર્બન કોઓપરેટિવ બેંકિંગ ક્ષેત્રનું ઉદઘાટન કરશે. તેમની પાસે સહકારનો પોર્ટફોલિયો પણ છે, તેઓ બીજી માર્ચે દિલ્હીમાં શહેરી સહકારી બેંકિંગ ક્ષેત્ર માટે છત્ર સંસ્થાનું ઉદઘાટન કરશે.
નેશનલ અર્બન કોઓપરેટિવ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NUCFDC)ના ચેરમેન જ્યોતીન્દ્ર મહેતાએ જાહેરાત કરી કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ NUCFDCને NBFC તરીકે કામ કરવા અને ક્ષેત્ર માટે છત્ર સંસ્થા બનવા માટે નોંધણીનું બહુપ્રતીક્ષિત પ્રમાણપત્ર જારી કર્યું છે. જોકે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને આરબીઆઈના ગવર્નરની હાજરીમાં શક્તિકાંત દાસની પુષ્ટિની રાહ જોવામાં આવી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે આરબીઆઈ દ્વારા સીઓઆર જારી કરવા સાથે, NUCFDC શહેરી સહકારી બેંકિંગ ક્ષેત્ર માટે અમ્બ્રેલા ઓર્ગેનાઈઝેશન (UO) તરીકે કાર્ય કરશે. તેને સેક્ટર માટે સ્વ-નિયમનકારી સંસ્થા (SRO) તરીકે કામ કરવાની પરવાનગી આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે સહકારી બેંકો પાસે વિવિધ વિશિષ્ટ કાર્યો અને સેવાઓ પ્રદાન કરવા તેમ જ બેંકો અને રેગ્યુલેટર વચ્ચે સેતુ બનવાની તેમની પોતાની એક સંસ્થા હોવાનો ખ્યાલ ઘણા દેશોમાં પહેલેથી જ પ્રચલિત છે.
અર્બન કોઓપરેટિવ બેંકિંગ સેક્ટર તેની છત્ર સંસ્થા ધરાવે છે, જે શહેરી બેંકોને ફંડ આધારિત અને બિન-ફંડ આધારિત સહાયની સુવિધાઓ પ્રદાન કરશે. આરબીઆઈએ આ ક્ષેત્રને તેની છત્ર સંસ્થા રાખવા માટે પ્રોત્સાહિત કરવામાં પહેલ કરી છે. RBIના માર્ગદર્શનના આધારે, NAFCUB એ એક દરખાસ્ત સબમિટ કરી હતી, જેને મંજૂર કરવામાં આવી હતી અને UOને નેશનલ અર્બન કોઓપરેટિવ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NUCFDC) નામથી સેક્ટર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું, જેને રૂ.117 કરોડની શેર મૂડી સાથે. શહેરી બેંકો દ્વારા સબ્સ્ક્રાઇબ કરેલ, NUCFDC ને RBI દ્વારા NBFC તરીકે કાર્ય કરવા માટે COR જારી કરવામાં આવી છે. અન્ય 12 મહિનામાં વધુ એકત્રીકરણ દ્વારા શેર મૂડી વધારીને રૂ. 300 કરોડ થવાની છે. RBI એ પહેલેથી જ NUCFDCમાં સબ્સ્ક્રાઇબ કરવા માટે UCB ને કેટલીક છૂટછાટો/નિયમનકારી છૂટછાટો આપી છે. તેમણે માહિતી આપી હતી કે NUCFDC નું સંચાલન બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને CEO દ્વારા કરવામાં આવે છે, જેમણે તેમની નિપુણતાના સંબંધિત ક્ષેત્રોમાં પ્રમાણપત્રો સાબિત કર્યા છે અને RBI દ્વારા નિર્ધારિત યોગ્ય અને યોગ્ય માપદંડો અનુસાર તેમની નિમણૂક કરવામાં આવી છે. સંસ્થામાં ડોમેન જ્ઞાન ધરાવતા વ્યાવસાયિકો દ્વારા રોજબરોજની કામગીરીનું સંચાલન કરવામાં આવશે, જે અત્યાધુનિક IT પ્લેટફોર્મ પર ટેક્નોલોજી આધારિત હશે.
તેમણે ભારત સરકારનો, ખાસ કરીને ગૃહપ્રધાન અમિત ભાઈ શાહ, સહકાર મંત્રાલયના સચિવ અને તેમની ટીમ તેમના નિરંતર સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો હતો.
લખનૌઃ વારાણસીના જ્ઞાનવાપી સ્થિત વ્યાસજીના ભોંયરામાં પૂજાની મંજૂરી પર પ્રતિબંધના મામલે અલાહાબાદ હાઇકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી છે. જેથી વ્યાસજીના ભોંયરામાં પૂજા જારી રહેશે. જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલે આ ચુકાદો આપ્યો હતો. આ મામલે વારાણસી જિલ્લા કોર્ટના આદેશને મુસ્લિમ પક્ષે હાઇકોર્ટમાં પડકાર્યો હતો. વારાણસીની જિલ્લા કોર્ટે 31 જાન્યુઆરીએ હિન્દુ પક્ષને જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં પૂજાની મંજૂરી આપી હતી.
આ સાથે જિલ્લા મેજિસ્ટ્રેટ ભોંયરાના રિસીવર તરીકે બન્યા રહેશે. આ અમારી સનાતન ધર્મ માટે એક મોટી જીત છે, તેઓ (મુસ્લિમ પક્ષ) નિર્ણયની સમીક્ષા માટે જઈ શકે છે, પણ પૂજા જારી રહેશે, એમ વકીલ પ્રભાષ પાંડેએ જણાવ્યું હતું. બંને પક્ષો વચ્ચે લાંબી ચર્ચા બાદ કોર્ટે 15 ફેબ્રુઆરીએ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. પાંચ દિવસ સુધી ચાલેલી સુનાવણી બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ સીએસ વૈદ્યનાથન અને વિષ્ણુ શંકર જૈને હિન્દુ પક્ષ વતી દલીલો કરી હતી.
VIDEO | “We welcome the order passed by the honourable Allahabad High Court. Today, the Allahabad High Court has dismissed the petition of Anjuman Intezamia (Masjid Committee), and the effect of this order is that the puja will continue in the Gyanvapi complex. I will also file a… pic.twitter.com/dEzdXCvNJ2
જ્યારે મુસ્લિમ પક્ષ વતી વરિષ્ઠ એડવોકેટ સૈયદ ફરમાન અહેમદ નકવી અને યુપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડના એડવોકેટ પુનીત ગુપ્તાએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. કાશી વિશ્વનાથ ટ્રસ્ટ વતી એડવોકેટ વિનીત સંકલ્પે દલીલો રજૂ કરી હતી. મુસ્લિમ પક્ષની અંજુમન અંજામિયા મસ્જિદ સમિતિએ વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવાની મંજૂરી આપવાના જિલ્લા ન્યાયાધીશ વારાણસીના નિર્ણયને પડકાર્યો હતો.
હિન્દુ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા વકીલ વિષ્ણુ શંકર જૈન કહે છે, અલાહાબાદ હાઇકોર્ટે અંજુમન ઇંતેજામિયાના આદેશોની પહેલી અપીલ ફગાવી હતી, જે 17 અને 31 જાન્યુઆરીના આદેશની વિરુદ્ધ હતી અને આદેશની અસર એ થઈ કે જ્ઞાનવાપીના વ્યાસજીના ભોંયરામાં ચાલી રહેલી પૂજા જારી રહેશે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 114 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,29,149 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
દેશનાં કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી 18 રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા હતા. કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના દેશમાં અત્યાર સુધી સૌથી વધુ 2083 દર્દી મળી ચૂક્યા છે.દેશમાં અત્યાર સુધી 5,33,479 લોકોનાં મોત થયાં છે.
દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,94,744 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 84 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 926 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,68,02,664 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 10 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.
સદ્ગુરુ: યોગની સમગ્ર પ્રક્રિયા માત્ર પોતાને સોંપી દેવાની છે. જ્યારે હું કહું કે તમે સ્વયંને સોંપી દો ત્યારે લોકોને કદાચ ખબર નથી હોતી કે કેવી રીતે સહજતાથી પોતાને સોંપી શકાય. લોકો સ્વંયને સોંપી દે તેના માટે તેમને અમુક પ્રકારના માર્ગ જોઈતા હોય છે. જીવનમાં તમે જે કંઈ પણ કોઈને આપો છો, પછી તમે પૈસા આપો, ભોજન આપો અથવા તો બીજુ કંઈ આપી શકો, તે બધું તમારું નથી. તમારું શરીર પણ, કારણ કે તે પણ તમે આ પૃથ્વીમાંથી ભેગું કર્યું છે. જતી વખતે તમારે એ પણ અહીં પાછું આપીને જવું પડશે. આ શરીરનો એક કોષ પણ તમે લઈને ન જઈ શકો.
આજે તમારી પાસે જે કંઈ પણ છે તે તમે આ ગ્રહ પરથી ઉધાર લીધું છે. તે હકીકતમાં તમારું નથી. તમે તેનો ઉપયોગ કરી શકો છો, આનંદ માણી શકો છો પરંતુ તમે વાસ્તવિકતામાં તેના પર આધિપત્ય જમાવી શકતા નથી. તમે એવું માનો છો કે તમારા ઘર, કપડાં, પતિ ,પત્નિ કે અન્ય લોકો પર તમારી માલિકી છે. અત્યારે તમે તેમના પર અધિકાર જમાવો છો. પરંતુ હકીકતમાં તમારી માલિકીનું કંઈ છે જ નહીં. તેઓ આજે અહીં છે જેથી તેમની સાથે તમે આનંદ કરી શકો છો, તેમનો ઉપયોગ કરી શકો છો પરંતુ જ્યારે જવાનો સમય થાય ત્યારે તમારે છોડીને જવું પડશે. તેથી તમારું કંઈ છે જ નહીં. જે તમારું છે જ નહીં, તે તમે આપી ન શકો.
તેથી આપવા જેવું કંઈ ખરેખર છે જ નહીં. હું કોઈક પાસેથી લઈને તમને કંઈક આપી શકું. આ પ્રકારના અર્પણનું કોઈ મૂલ્ય નથી. પરંતુ આપવા માટે તમારી પાસે કોઈ સાધન જોઈએ. મૂળભૂત રીતે માત્ર એક જ ચીજ આપી શકો છો એ છે તમે સ્વયં. પણ સહજતાથી પોતાને કેવી રીતે આપવું તે તમે જાણતા નથી. તેથી તમે પૈસા, કે ભોજન અથવા કોઈ અન્ય રીતે આપો છો. તમે આપવા માટે આ સાધનોનો ઉપયોગ કરો છો. તમે પ્રક્રિયાનો ઉપયોગ સ્વયંને આપવા માટે કરો છો. તમે ગમે તે આપો પરંતુ હકીકતમા તમે સ્વયંને જ આપી શકો છો. જો તમે તેના વિશે જાગૃત ન હો તો આપવું એક સમસ્યા બની જાય છે.
જો સ્વયંને આપવા માટે તમે ઈચ્છુક ન બનો તો આપવાની પ્રક્રિયા અત્યંત કષ્ટદાયક બની જાય છે. જ્યારે તમારી સમજમાં આપવું એટલે માત્ર ચીજો આપવું એવું હશે તો સ્વાભાવિક રીતે તમારી અંદર ડર ઉત્પન્ન થશે. “જો હું બધુ આપી દઈશ તો મારું શું થશે ?” પ્રેમ અને પ્રસન્નતા આપવામાં પણ લોકો કંજૂસ બની ગયા છે કારણ કે આપવાની વાત આવે ત્યારે તેમના મતે માત્ર વસ્તુઓ આપવી એવું હોય છે. આ અર્થવ્યવસ્થાના લીધે આપણે ધીમે ધીમે ઓછા પ્રેમાળ, ઓછા પ્રસન્ન અને અશાંત બની ગયા છીએ.
તમે જે કંઈ કરો છે તેના દ્વારા જ આપી શકો છો. પંરતુ જ્યારે કોઈ ક્રિયા ન હોય ત્યારે લોકોને ખબર નથી પડતી કે પોતાને કેવી રીતે અર્પણ કરવા. તેમને કોઈ ગતિવિધિ જોઈએ જેથી તેઓ કોઈ ચીજ પ્રત્યે સ્વયંને આપી શકે. તેથી સ્વયંસેવા તે દિશામાં એક પ્રચંડ સંભાવના છે જેમાં તમે સ્વયંને આપી શકો છો અને કામ દ્વારા સાચા અર્થમાં સ્વયંને અર્પિત કરી શકો છો.
તેથી સ્વયંસેવા એક રસ્તો છે જેના માધ્યમથી આપણે જીવનને અર્પણ કરવાની પ્રક્રિયા કેમ બનાવવી તે શીખી શકીએ છીએ. સ્વયંસેવકનો અર્થ એ કે જે ઈચ્છુક છે. માત્ર આ કરવું કે તે કરવું એવું નહીં. તે બસ ઈચ્છુક છે. જ્યાં સુધી કોઈ વ્યક્તિ ઈચ્છુક નહિ બને ત્યાં સુધી કોઈ આધ્યાત્મિક પ્રક્રિયા ઘટિત નહિ થાય.
(સદગુરુ, જગ્ગી વાસુદેવ)
(ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે ૪ અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.)
સપ્તાહ દરમિયાન તમારા મગજ માં વધુ વિચારો માનસિક થાકની લાગણી અને કામ ટાળવાની વૃતિ જગાવે તેના કારણે ક્યાંક ખોટી વાર્તાલાપ કે વાદ વિવાદ ની સંભાવના બની શકે.નાની નાની વાત માં ગુસ્સો ના આવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરી માં તકેદારી રાખવી જરૂરી છે. બજાર માં કામકાજ કરતી વખતે કામ માં ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લાવ્યા ની લાગણી નો અનુભવ થયા કરે. કોઈને વણમાંગી સલાહ સુચન ના આપવી. ખટપટ કે મજાક કરવાવાળા લોકો થી દુર રહેવામાજ શાણપણ છે.
લાગણીશીલ બની જવાય તેવું સપ્તાહ છે. તમારા સ્વભાવ માં કોઈના કામ માં સહભાગી થવાના ગુણ જાગે વળી ક્યાંક અંગત સંબંધ જેવાકે મિત્રતામાં,સગા સ્નેહીમી તમે મજાક કરવાની વૃતિ વાળા બનો. જૂની ઓળખાણ કે જૂની યાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિક પ્રસંગમાં તમારી હાજરી પ્રભાવી બની શકે છે.બજાર ના કામકાજ માં ઉત્સાહ ને સફળતા જોવા મળે તેવી સંભાવના વધુ રહેલી છે. જુના મતભેદ ભૂલવાની તક મળી શકેછે. નવી નોકરી કે ફેરબદલી કરવામાટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવી વસ્તુ શીખવી હોય તો આ સમય નો સદઉપયોગ કરવો સારો છે.
સપ્તાહ દરમિયાન ક્યારેય વાણી વિલાસના થાય તેનું દયાન રાખવું ઇચ્છનીય છે. ધરમાં કે કુટુંબ માં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજ માં ગેરસમજ થવાની સંભાવના રહેલી છે. કોઈ જગ્યા એ આકસ્મિક ખર્ચ થાય તેવું પણ બની શકે છે. આરોગ્ય બાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે. બજાર ના કામકાજ માં ધીરજ અને અનુભવ થી કામકાજ કરવું અન્ય ની વાત માં દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે. નોકરી કે વ્યવસાય માં સમય નો દુરુપયોગ અને કારણ વગર ની કામકાજ માં સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખવું જરૂર પુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય.
મિલન મુલાકાત કે હરવાફરવામા સમય વધુ પસાર થાય, તમારા કામ ની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીન ઓળખાણ થઇ શકે છે તેમાં લાભ ની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબ કે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમાં તમારી હાજરીનું વર્ચસ્વ પણ દેખાય.બજારના કામકાજમા તમને ઉત્સાહ અને નવીનકાર્ય કરવાની વૃતિ જાગે. યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાંથી સારી જાણકારી કે વાત સાભાળવા મળે તેમજ મિત્રવર્તુળમાંથી સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખતથી કોઈવાત મનમા રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.
સપ્તાહ દરમિયાન થોડો માનસિક ઉદ્ગ્વેગ જોવા મળી શકે છે ક્યાંક ને ક્યાંક અશાંતિ રહ્યા કરે. વિચારોની માયાજાળમા ફસાયેલા રહો. કોઇની વાતને કારણે કોઈના પર ગુસ્સો ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. બજારના કામકાજમા ધીરજ અને અનુભવનો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજમા દેખાઈ આવે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાનીનાની તકલીફથી પણ પરેશાની રહે તેવી સંભાવના રહેલી છે. તમારી લાગણી દુભાતી હોય તેવું તમને માનશીક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવી પ્રભુભક્તિમા ધ્યાન અને મનપરોવી રાખો તો ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો.
મનની ઈચ્છા પૂરી થતી હોય તેવા એંધાણ દેખાવાની સંભાવના વધુ રહેલી છે. કોઈ તમારી પસંદગીની વાત જાણે અજાણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ કરી જાય તેવા સંજોગો સંભવિત વધુ બને. ધાર્મિક ભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિક કે ધાર્મિકકાર્યમાં કઈ પ્રવૃત્તિ કરવાનું મન થાય, બજારના કામકાજમા કોઈ નવીનસમાચાર તમારા આત્મવિશ્વાસમા વધારો કરી શકે છે. ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમાં તમારું મન આનંદની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થીવર્ગ કે યુવાવર્ગ જે કોઈ નોકરી કે વ્યવસાયમાં નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારી વાત જાણવા મળે.
વિદેશ જવા ઈચ્છા ધરાવતી વ્યક્તિ માટે કોઈ લાભ ના કે સારી જાણકારી પ્રાપ્ત થાય તેવા સંજોગ ઉભા થઇ શકે છે. લગ્નની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવાવર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવાની સંભાવના રહેલી છે, જૂની વાત ક્યાય અટકેલી હોય તેમાં પણ પ્રયત્ન કરવામાં આવે તો નસીબ જોગ સંજોગ પણ સાથ આપી શકે છે. બજારના કામકાજમાં ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજમા પણ સફળતા સંભવિત બની શકે છે. મુસાફરી કે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમાં તમે આનંદઉત્સાહ અનુભવી શકો છે. તમારામાં સહકાર આપવાની ની ભાવના વધુ જાગે તેવું પણ બની શકે છે.
જાહેર જીવનમા તમને લોકો વચ્ચે થોડી મજાકમસ્તી કરવાની વૃતિ વધુ જાગે પરંતુ તેમાં તમારાથી કોઈની લાગણી ના દુભાય કે કોઈના ઉશ્કેરાટના ભોગ ના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. જુના ક્યાય ઘરમાં કે નજીકના સગાસ્નેહીમાં કોઈ અણબનાવ કે મનદુઃખ થયું હોય તો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમાં પણ સફળતા દેખાઈ શકે છે. બજારના કામકાજમા તમને યોગ્ય પ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામ માં સારી ઉપસી આવે.નવીન કાર્ય કરવા માં તમને અન્ય નો સાથ સહકાર કે માર્ગ દર્શન સારું મળી રહે અને તેના કારણે તે કામ માટે તમારો ઉત્સાહ વધી શકે છે.
ધીરજ નો અભાવ અને અધીરા પણું વધુ જોવા મળી શકે છે, પાડવા,વાગવા કે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી,ઉધરસ, તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબત થી તકેદારી રાખવી. ખટપટ કરનાર વર્ગથી દુર રહેવાની જરૂર છે જેથી ખોટીવાતમા દોરવાઈ ના જવાય. બજારના કામકાજમા ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે. સલાહ, ઠપકો કે કઈપણ પ્રકારનું માર્ગદર્શન કોઈ ને આપતા પહેલા વિચાર કરવો જરૂરી છે કે તેમાં તેને કોઈ ગેરસમજ ના થઇ જાય. વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટ શબ્દો પણ ના વાપારવા ધીરજ અને કુનેહ પૂર્વક વર્તવા થી ઘણી શાંતિ અને સરળતા રહી શકે છે.
યાત્રા કે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારામા ધાર્મિક ભાવના, વધુ જાગે લોકકલ્યાણના વિચારો વધુ જાગે તેવું સંભવિત છે સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા અઘરો પડતો હોયતો તે વિષય શીખવામા વધુ મહેનત કરવાથી સારા ફળની પ્રાપ્તિ થઇ શકે છે. બજારના કામકાજમાં લાભની કોઈવાત સંભવિત બની શકે છે. લગ્ન માટેની વાતચીત ગોઠવવી અને તેમાં મિલનમુલાકાત કરવી તેમાં કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશ જવા ઈચ્છા રાખનાર વર્ગ આ સપ્તાહ દરમિયાન તેમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરે તો તેમાં પણ યોગ્ય પ્રતિસાદ મળી શકે.
કામકાજમાં વ્યસ્તતા અને માનસિકથાકની લાગણી અનુભવો. કામકાજમા સમયનો વ્યય પણ વધુ થઇ શકે કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવી સંભાવના રહેલી છે માટે ધીરજ અને પોતાના આત્મવિશ્વાસ થી કામમાં રચ્યાપચ્યા રહેવું વધુ યોગ્ય છે. બજારમાં કામકાજ દરમિયાન નિર્ણયશક્તિનો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થવાની સંભાવના રહેલી છે માટે “ ઓછું બોલવું વધુ સંભાળવું “ ની નીતિ અપનાવી વધુ યોગ્ય છે. મુસાફરી, પ્રવાસ થોડો કંટાળાજનક અને સમયના વ્યય થાય તેવો રહી શકે.
સપ્તાહ દરમિયાન ક્યાંક લાભની વાતની આપ-લે થઇ શકે છે. મિત્રો, સગાસ્નેહી સાથે મિલનમુલાકાતમા તમે તમારી કોઈ ગમતી વાત સાંભળવા કે રજુ કરવાની તક મળી શકે છે. બજારના કામકાજમાં પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. માર્કેટિંગક્ષેત્રમા તમારી જૂની મિલનમુલાકાતની યાદી બનાવી તેમાં કામ કરવાથી લાભ સંભવિત બની શકે છે. મુસાફરી કે પ્રવાસનું આયોજન સંભવિત બની શકે છે. પેટ,અપચા ની તકલીફ સંભવિત છે, વડીલવર્ગ ને જુનાસંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિક કે ધાર્મિક કામકાજ માં જોડવા ની વૃતિ વધુ જાગે, કોઈ પ્રવૃત્તિ માં અન્ય નો સાથ સહકાર મળી શકે છે.
આજના દિવસે થોડી ધીરજ રાખવી સારી છે, મનમાં કોઈક વાતનો ઉદ્વેગ રહ્યા કરે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા,આંખ,હાડકાની તકલીફથી સાચવવું, બિઝનેસમાં જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે વાર્તાલાપમાં ધીરજ અને શાંતિ રાખવી, સહકર્મચારી સાથે કામકાજમાં સહકારનો અભાવ જોવા મળી શકે છે.
આજે ઉત્સાહ સારો જોવા મળી શકે જેના કારણે તમે કામકાજ પ્રત્યે પ્રોત્સાહી બનો, કોઈ પ્રસંગમાં તમારી હાજરીની સારી નોંધ લેવાય અને તમારી ક્યાંક પ્રસંશા પણ થાય, લગ્નબાબતની વાતચીતકે મિલન મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર સારી પડે અને તમે તેની સારી લાગણી અનુભવો.
આજનો દિવસ સામાન્ય છે, કોઈકની પાછળ નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, માર્કેટિંગ ક્ષેત્રમાં સારી કામગીરી થવાથી ખુશી અનુભવો, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય કોઇ બાબત પર મુલાકાત દરમિયાન વાર્તાલાપમાં જરૂરિયાત પુરતી વાર્તાલાપ તમારા માટે યોગ્ય કહી શકાય.
આજનો દિવસ માનસિકદ્વિધા વાળો છે , કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી, બ્લડપ્રેશર જેવી તકલીફથી સાચવવું, વેપારમાં જોખમવાળા નિર્ણયથી દુર રહેવું, સહકર્મચારી સાથે કામની બાબતમાં અસંતોષ જોવા મળી શકે પરંતુ કામકાજ શાંતિથી પૂર્ણ થાય.
આજનો દિવસ કામકાજમાં વ્યસ્તતાવાળો અને અજંપાવાળો છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના ઝવેરાત,ફાર્મા ક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી રહે, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું, ઉતાવળિયા નિર્ણયના લેવાયતે બાબતની તકેદારી રાખવી.
આજનો દિવસ સારો છે, ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમે સારી લાગણીનો અનુભવ કરો. પ્રિયજન તમને કોઈ પસંદગીની વાત કરેને તમેં ખુશી અનુભવો તેવા સંજોગો પણ બને છે. લગ્નબાબતની વાર્તાલાપમાં તમારી પસંદગી વધુ જળવાય તેવું પણ બનવાથી તમે સારી ખુશી અનુભવો.
આજનો દિવસ શાંતિથી પસાર કરવો, કામકાજમાં ધીરજનો અભાવ વર્તાય, તમારા ઉચ્ચઅધિકારી તમારી સાથે આજે થોડા નાખુશકે ઉગ્ર હોઈ શકે છે. વાતવાતમાં ગુસ્સો આવવો આજે સહજ વાત જેવું બની શકે છે. પરંતુ ગણતરીપૂર્વક અને અનુભવથી કામકાજ કરવાથી તમે પરિસ્થિતિને ઘણી હળવી બનાવી પણ શકો છો.
આજનો દિવસ સારો છે, પ્રિયજન સાથે જૂની વાતો અને યાદો દ્વારા તમારા મનને ઘણી ખુશી મળે, લગ્ન માટે મિલનમુલાકાતમાં તમારો આત્મવિશ્વાસ અને પ્રભાવ તમારા પ્રભાવમાં વધારો કરી શકે છે, વેપારમાં ગણતરીપૂર્વક કામ કરવાથી લાભની કોઈ વાત બને, આજે કોઈ સારાસમાચાર પણ સંભાળવા મળી શકે.
આજના દિવસે ધીરજ રાખવી, આજે કોઇપણ કામ પરાણે કરતા હોવ તેવી લગાણીનો અનુભવ થાય, કામકાજમાં ઉતાવળ કરવી નકામી છે. વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું સારું, વેપારમાં જોખમી પરિબળોથી સાચવવું, મજાકમસ્તી કરનારવર્ગથી આજે દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સારો છે, ઉત્સાહ સારો રહે, તમને કોઈ પસંદગીની વાત સંભાળવા મળે અને તેની ખુશી તમને ઘણી રોમાંચિત કરીદે, લગ્નબાબતની વાતચિત તમારા માટે ક્યાંક ફળદાયી બની શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવીવસ્તુ શીખવા માટે આજે સમય ફાળવોતો સારું પરિણામ મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, આજે આરામ કરવાની વૃતિ વધુ જાગે, કામકાજને ત્વરિત પૂર્ણ કરવા માટે થોડા ઉતાવળિયા પણ બનતા જોવા મળો, ક્યાંક ગણતરી કરતા વધુ ખરીદી થવાથી નાણાખર્ચાયાની ખોટી લાગણી પણ ઉભી થાય, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ કરવું યોગ્ય છે.
આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામમાં વધુ વ્યસ્ત જોવા મળી શકો છે, નાનીનાની વાતમાં થોડો ગુસ્સો જોવા મળે, ક્યાંક તમારી લાગણી કોઇ જલ્દી સમજીના શકે તેવું બની શકે છે. સહકર્મચારીને સહકાર આપવાની તમાંરી ભાવના તમારા માટે કોઈ પ્રશ્નો ઉભાના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.