Home Blog Page 2029

૦૫ માર્ચ, ૨૦૨૪

રેણુકા શહાણેને હાસ્યએ પહેલી ફિલ્મ અપાવી

સૂરજ બડજાત્યાની ફિલ્મ ‘હમ આપકે હૈ કૌન’ (૧૯૯૪) માં સલમાન ખાનની ભાભીની ભૂમિકા રેણુકા શહાણેને એના હાસ્યને કારણે મળી હતી. ફિલ્મના પાત્રોની પસંદગી થઈ રહી હતી ત્યારે ‘પૂજા’ ના પાત્ર માટે પહેલાં કોઈ જાણીતા ચહેરાને લેવાનો વિચાર કર્યો હતો. અનુપમ ખેરે પણ એવું જ સૂચન કર્યું હતું. પરંતુ કોઈ જાણીતી હીરોઈન ‘ભાભી’ ની અને તે પણ સલમાનની ભાભી તરીકે કામ કરવા તૈયાર થાય એમ ન હતી. કેમકે પછી ભાભી તરીકે જ કામ મળવાનું હતું. તેથી રાજકુમાર બડજાત્યાએ સૂરજને કહ્યું કે ‘નદિયા કે પાર’ ની જેમ નવોદિતને જ આ ભૂમિકા માટે લેવી જોઈએ.

અસલમાં સૂરજ જ્યારે ‘મૈંને પ્યાર કિયા’ ને અન્ય ભાષાઓમાં ડબ કરી રહ્યા હતા ત્યારે રાજકુમારે પૂછ્યું હતું કે હવે કયા વિષય પર ફિલ્મ બનાવીશ? ત્યારે સૂરજે આ ફિલ્મ પૂરી થયા પછી વિચાર કરવાનું કહ્યું હતું. પણ રાજકુમારે રાજશ્રી પ્રોડકશનની ‘નદિયા કે પાર’ ની રિમેક બનાવવા સૂચન કર્યું હતું. એ સાંભળી સૂરજને એમ થયું હતું કે પોતે હિટ ફિલ્મનો નિર્દેશક છે તો રિમેક શા માટે બનાવે? પણ એમણે સમજાવ્યું કે ‘નદિયા કે પાર’ ને આધુનિક રીતે બનાવવાની છે. અને સૂરજે એના પર કામ શરૂ કર્યું હતું. અઢી વર્ષની મહેનત પછી સ્ક્રિપ્ટ તૈયાર કરી કલાકારોમાં સલમાન- માધુરીને પસંદ કરી લીધા હતા.

ભાભીની ભૂમિકા માટે શોધ ચાલુ હતી ત્યારે એક જ દિવસે સૂરજને રાજશ્રીની ત્રણ વ્યક્તિ તરફથી રેણુકા શહાણેના નામની ભલામણ મળી હતી. આર્ટ ડાયરેક્ટર બિજોનદાસ ગુપ્તા, મેકઅપમેન જયંતિભાઈ અને પ્રોડકશન મેનેજર પી. કે. ગુપ્તાએ રેણુકાના હાસ્યસભર ચહેરાની વાત કરી સૂચન કર્યું હતું કે એને મળી લેવું જોઈએ. રેણુકા ત્યારે ‘સુરભિ’ કાર્યક્રમ ઉપરાંત ‘સર્કસ’ સિરિયલ કરી રહી હતી. સૂરજને આ વાતની ખબર ન હતી. એમણે ‘સુરભિ’ નો એપિસોડ જોઈને રેણુકાને મળવા બોલાવી હતી. રેણુકા મરાઠી હતી પણ કાર્યક્રમમાં હિન્દીમાં બોલતી હતી એ વાત એમને વધુ ગમી હતી.

રેણુકા જ્યારે રાજશ્રીની ઓફિસમાં પહોંચી ત્યારે સારો આવકાર આપ્યો અને એના વિષે જાણકારી પૂછી. રેણુકાએ પોતાના અભ્યાસ અને નાટક- સિરિયલ વગેરેની માહિતી આપી. એ પછી ત્યાં ટેબલમાં મૂકેલું નવલકથાનું જૂનું પુસ્તક કાઢી એમાંથી એક પાનું વાંચવા કહ્યું. રેણુકાએ હિન્દીમાં સરસ રીતે પઠન કર્યું એનાથી તે ખુશ થયા અને કહ્યું કે આ નવલકથામાંથી રાજશ્રીની દરેક હીરોઈને પઠન કર્યું છે.

સૂરજ બડજાત્યાએ રેણુકાને પહેલાં જ સ્પષ્ટ કરી દીધું હતું કે ફિલ્મમાં તેની ભાભીની ભૂમિકા માટે પસંદગી થઈ શકે છે. સૂરજે ‘મોહનીશની પત્ની’ શબ્દ પણ વાપર્યો નહીં. રેણુકાએ હા પાડ્યા પછી ફિલ્મની વાર્તા સંભળાવી હતી અને એના ત્રણ પ્રકારના ટેસ્ટ લેવામાં આવ્યા હતા. એકમાં માત્ર સંવાદ બોલાવવામાં આવ્યો હતો. બીજો ગેટઅપનો અને ત્રીજો માથા પર સાડીનો પાલવ મૂકી ટેસ્ટ લીધો હતો. રેણુકા બધી રીતે યોગ્ય લાગ્યા પછી એને પસંદ કરી લેવામાં આવી હતી.

દેખાદેખી સાધે જોગ, પડે પંડને લાધે રોગ

દેખાદેખી સાધે જોગ, પડે પંડને લાધે રોગ

 

કોઇની પણ નકલ કરવી નહીં અને તેમાં પણ આર્થિક, શારીરિક કે અન્ય રીતે આપણા કરતાં ખૂબ સબળ હોય તેવી વ્યક્તિની નકલ કરવા જતાં ખૂબ ખેંચાઇ જવાય અને આવી આંધળી નકલ કરનાર દયાજનક પરિસ્થિતીમાં મૂકાય. આમ તો યોગ આસન શરીર સૌષ્ઠવ વધારે છે પણ એ આસન કરવા માટેની ક્ષમતા કેળવવી પડે. એકાએક કોઈ કરે છે એનું જોઈને તમે યોગ સાધના કરવા જાવ તો શરીરને ઇજા થાય અને શરીર શક્તિ વધવાને બદલે માંદા પડાય એ સંદર્ભમાં આ કહેવત વપરાય છે.

આવી જ લગભગ સમાનર્થી કહેવત છે ‘લાંબા વાંહે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય.’ અને ‘કોઈનો મહેલ જોઈને આપણું ઝુંપડું પાડી ના નખાય”

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

રાશિ ભવિષ્ય 05/03/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનું આયોજન થઈ શકે છે તેમાં ઉત્સાહ પણ જોવા મળી શકે , મિત્રોથકી કોઈ લાભની વાત આપ-લે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારમાં કામકાજ નાનું અને અનુભવ મુજબજ કામ કરવુ યોગ્ય છે, વિવાહયોગ્ય વાર્તાલાપ સારી રહે.


આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ ગુસ્સાપર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવું  સલાહ ભર્યું છે, એલર્જી,ચામડી, લોહીના દર્દીએ તકેદારી રાખવી, વણમાંગી સલાહકે સુચન આજના દિવસે ના આપવા ઈછાનીય છે. વેપારના કામકાજમાં મોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ, આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવું બનવા જોગ પણ છે, વિદ્યાર્થીવર્ગ માટે વિદ્યાભ્યાસમાં વધુ મહેનત કરવાથી સારું ફળ મળી શકે છે, ગણતરી પૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમાં લાભ અને નવીનજાણકારીની તક મળે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત, પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિકનાણાકીય ખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું કામ કરવું સલાહ ભર્યું છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કોઈના થકી કરવી યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટકરનાર વર્ગથી દુર રહેવું જરૂરી છે, ખરીદી કરવાપાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે , વાહન ધીમે ચલાવવું ,ઉશ્કેરાટથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમન કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સામાન્ય છે, મનમાં થોડી માનસિકઅશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમાં સમયનો અણધાર્યો વ્યય થાય, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફજે ભોગવતું હોય તેમના માટે થોડી તકેદારી રાખવી જરૂરી છે, વેપારમાં ગણતરીપૂર્વકનુ કામ કરવું યોગ્ય છે, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, મનમાં રહેલી ઈચ્છા પૂરી થવાની શક્યતા વધુ છે, ગમતાકાર્ય થઈ શકે છે , નવી ઓળખાણ થાય તેમાં પણ તમારી લાગણી ક્યાંક સંતોષાયકે સારીવાતચીત થાય તેવા સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ જાણકારી પ્રાપ્ત થાય, વેપારમાં અણધાર્યો લાભ થઈ શકે છે.


આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે, વાહન ધીમે ચલાવવું, નોકરી ધંધામાં પણ  વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે, કોઈપણ પ્રકારના વિવાથી દુર રહેવાની સલાહ છે , બજારમાં કોઈ મોટા જોખમભર્યા કામના કરવા તેમજ કોઈની પણ સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમાં કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવું બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમાં લાભ થાય તેવા સંજોગો ઉભા થાય.


આજનો દિવસ તમાર માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામાં થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકેછે, ખટપટ કરનારથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યાકામ થઇ શકે છે  તેમજ જો નસીબ સાથ આપેતો ઘણું બધું કાર્ય થઇ શકે. મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગ,સલાહકાર,કોમ્પુટર,ધાતુક્ષેત્રમાં કામ કરનારવર્ગને સારું રહે, વેપારમાં લાભ અને નવીન ઓળખાણ થવાના સંજોગો ઉભા થઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામમાં વધુ વ્યસ્ત જોવા મળી શકો છે, નાનીનાની વાતમાં થોડો ગુસ્સો જોવા મળે, ક્યાંક તમારી લાગણી કોઇ જલ્દી સમજીના શકે તેવું બની શકે છે. સહકર્મચારીને સહકાર આપવાની તમાંરી ભાવના તમારા માટે કોઈ પ્રશ્નો ઉભાના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

પંચાંગ 05/03/2024

જયંત ચૌધરીની પાર્ટી RLDએ લોકસભા બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી

જયંત ચૌધરીની પાર્ટી આરએલડીએ બે લોકસભા બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં બિજનૌર બેઠક પરથી ચંદન ચૌહાણને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે બાગપત બેઠક પરથી ડો.રાજકુમાર સાંગવાનને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. વિધાન પરિષદ માટે ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. યોગેશ ચૌધરીને ઉમેદવાર બનાવાયા છે.

બાગપત આરએલડીનો ગઢ છે

બાગપતને આરએલડીનો ગઢ માનવામાં આવે છે. બાગપત જિલ્લામાં 3 વિધાનસભા બેઠકો છે. વર્ષ 2012માં બસપાએ 2 અને આરએલડીએ 1 સીટ જીતી હતી. જ્યારે 2017માં બીજેપી 2 સીટ પર અને આરએલડી 1 સીટ પર જીતી હતી. બાદમાં આરએલડી ધારાસભ્યો પણ ભાજપમાં જોડાયા હતા. જિલ્લાની છપૌલી બેઠક આરએલડીનો ગઢ છે. છપૌલી સીટનું પ્રતિનિધિત્વ ચૌધરી ચરણ સિંહ અને અજીત સિંહે કર્યું છે. ભાજપના સત્યપાલ સિંહ બાગપત લોકસભાના સાંસદ છે. ચૌધરી અજીત સિંહે ઘણી વખત બાગપત લોકસભા સીટનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

પીએમ મોદીના શાસનમાં બાગપતને શું મળ્યું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં બાગપતને ઘણી ભેટ મળી હતી. અહીં અમને ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે, દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવેની ભેટ મળી છે. આ સિવાય ઓક્ટોબર 2023માં સીએમ યોગીએ 351 કરોડ રૂપિયાના 311 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.જિલ્લામાં રમલા સુગર મિલની ક્ષમતા બમણી કરવામાં આવી હતી. તે દિલ્હી-મેરઠ વચ્ચે સેટેલાઇટ સિટી તરીકે સ્થાપિત થઈ રહ્યું છે.આપને જણાવી દઈએ કે બાગપતમાં 114 રોકાણકારોએ 17 હજાર કરોડ રૂપિયાના રોકાણ માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.

SBIએ ઈલેક્ટોરલ બોન્ડ વિશે માહિતી આપવા માટે 30 જૂન સુધીનો સમય માંગ્યો

ભારતીય સ્ટેટ બેંકે ચૂંટણી બોન્ડ વિશે માહિતી આપવા માટે સુપ્રીમ કોર્ટ પાસે 30 જૂન સુધીનો સમય માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે હાલમાં જ ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને રદ્દ કરી દીધી હતી. સાથે જ કોર્ટે SBIને ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડ વિશે માહિતી આપવા જણાવ્યું હતું. વાસ્તવમાં, SBI પોતે ઈલેક્ટોરલ બોન્ડ જારી કરતી હતી. 15 ફેબ્રુઆરી, 2024 ના રોજ, CJI DY ચંદ્રચુડની ખંડપીઠે તાત્કાલિક અસરથી ચૂંટણી બોન્ડ યોજના પર પ્રતિબંધ મૂક્યો હતો, તેને ગેરબંધારણીય અને RTI નું ઉલ્લંઘન ગણાવ્યું હતું. CJIની આગેવાની હેઠળની 5 ન્યાયાધીશોની બેન્ચે SBIને એપ્રિલ 2019થી અત્યાર સુધીમાં મળેલા દાનની માહિતી 6 માર્ચ સુધીમાં ચૂંટણી પંચને આપવા જણાવ્યું હતું. કોર્ટે ચૂંટણી પંચને 13 માર્ચ સુધીમાં આ માહિતી પોતાની વેબસાઈટ પર અપલોડ કરવા કહ્યું હતું.

SBIએ SCને શું કહ્યું?

લાઈવ લોના રિપોર્ટ અનુસાર, એસબીઆઈએ તેની અરજીમાં કોર્ટને જણાવ્યું કે 12 એપ્રિલ 2019થી 15 ફેબ્રુઆરી 2024 સુધી વિવિધ પક્ષોને દાન આપવા માટે 22217 ચૂંટણી બોન્ડ જારી કરવામાં આવ્યા છે. દરેક તબક્કાના અંતે મુંબઈની મુખ્ય શાખામાં અધિકૃત શાખાઓ દ્વારા રોકડ કરાયેલા બોન્ડ સીલબંધ એન્વલપ્સમાં જમા કરવામાં આવ્યા હતા. SBIએ કહ્યું કે બંને માહિતી સિલોમાંથી માહિતી એકત્રિત કરવા માટે, 44,434 સેટ ડીકોડ કરવાના રહેશે. આવી સ્થિતિમાં, સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત 3 અઠવાડિયાનો સમય સમગ્ર પ્રક્રિયા માટે પૂરતો નથી.

SBIમાં ચૂંટણી બોન્ડ ઉપલબ્ધ હતા

મોદી સરકારે 2018માં ચૂંટણી બોન્ડ યોજના શરૂ કરી હતી. ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ દ્વારા, એવા રાજકીય પક્ષો દ્વારા દાન પ્રાપ્ત થઈ શકે છે જે લોકો પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 29A હેઠળ નોંધાયેલા છે અને જેમણે છેલ્લી લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણીઓમાં એક ટકાથી વધુ મત મેળવ્યા છે. આ અંતર્ગત કોઈપણ નાગરિક, કંપની કે સંસ્થા કોઈપણ પક્ષને દાન આપી શકે છે. આ બોન્ડ્સ રૂ. 1000, રૂ. 10 હજાર, રૂ. 1 લાખ અને રૂ. 1 કરોડના હોઈ શકે છે. ખાસ વાત એ છે કે દાતાએ બોન્ડમાં પોતાનું નામ લખવાનું નહોતું.આ ચૂંટણી બોન્ડ SBIની 29 શાખાઓમાં ઉપલબ્ધ હતા. આ બોન્ડ વર્ષમાં ચાર વખત એટલે કે જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓક્ટોબરમાં જારી કરવામાં આવતા હતા. ગ્રાહક તેને બેંકની શાખામાં અથવા તેની વેબસાઇટ પર ઓનલાઈન ખરીદી શકે છે.

માલદીવ પછી નેપાળમાં પણ ચીને કર્યો ‘ખેલો’?

કાઠમંડુઃ નેપાળના રાજકારણમાં ખેલા થયો છે. હાલના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ (પ્રચંડ) અને ભૂતપૂર્વ વડા પ્રધાન શેરબહાદુર દેઉબાનું આશરે 15 મહિના સુધી ચાલેલું ગઠબંધન તૂટી ગયું છે. PM પુષ્પ કમલે કેપી ઓલીની સાથે ગઠબંધન કરતાં હવે નવી સરકાર બનાવવાની ઘોષણા કરી છે.

નેપાળમાં અત્યાર સુધી માઓવાદી સેન્ટર અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર રહી હતી, પણ નેશનલ એસેમ્બલીના ચેરમેનવાળા સવાલ પર દેશની બંને મોટી પાર્ટીઓની વચ્ચે અંતર વધવા લાગ્યું હતું. આમાં ચીની એમ્બેસેડરની ભૂમિકાની પણ ચર્ચા છે. આ પહેલાં ચીને કેટલીય વાર વામપંથી એકતા પર ભાર આપ્યો હતો, જેથી ફરી એક વાર આ હિમાલય રાષ્ટ્રમાં એનો પ્રભાવ વધી શકે. દેઉબાને ભારતના સમર્થક માનવામાં આવતા હતા, જ્યારે તેઓ સત્તા પર આવ્યા હતા, ત્યારે તેમણે નવી દિલ્હી સાથે સંબંધો સામાન્ય કર્યા હતા.

જ્યારે દેઉબાથી પહેલાં નેપાળના વડા પ્રધાન રહેલા કેપી શર્મા ઓલીને ચીનના સમર્થક માનવામાં આવે છે. ઓલીએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. ઓલીએ ચીની રાજદૂતના ઇશારે નેપાળનો નવો નકશો જારી કર્યો હતો, જેમાં તેમણે ભારતના લિંપિયાધુરા અને કાલાપાનીને નેપાળનો ભાગ ગણાવ્યો હતો.

નેપાળમાં જ્યારથી નવા રાજદૂત આવ્યા છે, ત્યારથી તેમણે અનેક વાર પ્રચંડ અને ઓલીથી મુલાકાત કરી હતી. હાલના દિવસોમાં ચીન વામપંથી એકતા પર ભાર આપી રહ્યું છે. એમાં ચીનનો ઇરાદો નેપાળમાં પોતાનો પ્રભાવ વધારવાનો છે. વળી, જિનપિંગ સરકાર કેપી ઓલીને સત્તામાં લાવવા ઇચ્છે છે અને એમાં કંઈક હદે એ એમાં સફળ પણ થયા છે.

 

 

 

 

 

 

 

 

 

ISRO ચીફ સોમનાથને થયું કેન્સર

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના વડા એસ સોમનાથને કેન્સર હોવાનું નિદાન થયું છે. ભારતનું આદિત્ય-એલ1 મિશન જે દિવસે અવકાશમાં લોન્ચ થયું તે દિવસે સોમનાથને કેન્સર હોવાનું નિદાન થયું હતું. એક મીડિયા હાઉસ સાથેની મુલાકાતમાં સોમનાથે પુષ્ટિ કરી હતી કે એક સ્કેન કેન્સરમાં વૃદ્ધિ દર્શાવે છે. સોમનાથે કહ્યું કે ‘ચંદ્રયાન-3 મિશન લોન્ચ દરમિયાન કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી. જો કે તે સમયે મને તે સ્પષ્ટ નહોતું.

તેણે કહ્યું કે આદિત્ય-એલ1 મિશન લોન્ચ થયું તે જ દિવસે તેને કેન્સર હોવાનું નિદાન થયું હતું. આ નિદાન માત્ર તેમના માટે જ નહીં પરંતુ તેમના પરિવાર અને સાથીદારો માટે પણ આઘાતજનક હતું, જેઓ આ પડકારજનક સમયગાળા દરમિયાન તેમની સાથે હતા. અહેવાલો અનુસાર, 2 સપ્ટેમ્બર, 2023 ના રોજ, જ્યારે ભારતની પ્રથમ અવકાશ-આધારિત સૌર વેધશાળા, આદિત્ય L1, સૂર્યનો અભ્યાસ કરવા માટે તેની યાત્રા પર નીકળી હતી ત્યારે એસ સોમનાથનું નિયમિત સ્કેન કરવામાં આવ્યું હતું જેમાં તેના પેટમાં કેન્સર હોવાનું બહાર આવ્યું હતું.

ત્યારબાદ તેને વધુ સ્કેન માટે ચેન્નાઈ લઈ જવામાં આવ્યા હતા. જેમાં વારસાગત રોગની હાજરીની પુષ્ટિ થઈ. થોડા દિવસોમાં તે સ્પષ્ટ થઈ ગયું કે તેની વ્યાવસાયિક જવાબદારીઓ સાથે તેણે નોંધપાત્ર સ્વાસ્થ્ય પડકારનો પણ સામનો કરવો પડ્યો. આ પછી એસ સોમનાથનું ઓપરેશન અને પછી કીમોથેરાપી થઈ. પોતાના અનુભવ વિશે વાત કરતા તેણે કહ્યું, ‘મારા પરિવાર માટે આ આઘાતજનક હતો. પરંતુ હવે હું કેન્સર અને તેની સારવારને ઉકેલ તરીકે ગણું છું.’ રોગ અને તેની સારવાર પ્રત્યેનો તેમનો વ્યવહારુ અભિગમ તેમની અદભૂત ચારિત્ર્ય અને અતૂટ ભાવના દર્શાવે છે.

સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીને તેની ઓફિસ ખાલી કરવા આપ્યો આદેશ

સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીને તેની ઓફિસ ખાલી કરવા કહ્યું છે. જો કે, કોર્ટે ચૂંટણીને ધ્યાનમાં રાખીને 15 જૂન સુધીનો સમયગાળો આપ્યો હતો. આમ આદમી પાર્ટી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી કે તેમની ઓફિસ રાઉઝ એવન્યુ કોર્ટને ફાળવવામાં આવેલી જમીન પર બનાવવામાં આવી હતી.

આ મામલે હાઈકોર્ટે પણ ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને ઓફિસ ખાલી કરવા જણાવ્યું હતું. આ નિર્ણય સામે AAPએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે ઓફિસ ખાલી કરવાનું કહ્યું છે. કોર્ટે એમ પણ કહ્યું કે AAP નવી ઓફિસ માટે સરકારને અરજી કરી શકે છે.

કોર્ટે એમ પણ કહ્યું કે સંબંધિત વિભાગે AAPની અરજી પર 4 અઠવાડિયામાં નિર્ણય લેવો જોઈએ. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આ જમીન કોર્ટને પહેલાથી જ ફાળવવામાં આવી છે. તે જમીન પર હાઈકોર્ટના કર્મચારીઓ માટે રહેણાંક સંકુલ બનાવવામાં આવનાર છે. ત્યાં પાર્ટી કાર્યાલય ચલાવી શકાતું નથી.

કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી હતી

આ પહેલા 14 ફેબ્રુઆરીએ આ મામલામાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સખત નારાજગી વ્યક્ત કરી હતી. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું હતું કે, કોઈને પણ કાયદો તોડવાની મંજૂરી આપી શકાય નહીં. કોર્ટે AAPને આ ઓફિસ ખાલી કરવા અને જમીન હાઈકોર્ટને સોંપવાનો આદેશ આપ્યો હતો. હવે કોર્ટે તેને 15 જૂન સુધીમાં ખાલી કરવાનો આદેશ આપ્યો છે. ફરિયાદ છે કે તમારી ઓફિસ દિલ્હી હાઈકોર્ટને ફાળવવામાં આવેલા રાઉઝ એવન્યુના પ્લોટ પર ચાલી રહી છે. પહેલા અહીં દિલ્હીના પરિવહન મંત્રીનું નિવાસસ્થાન હતું, પરંતુ બાદમાં AAPએ અહીં પોતાનું કાર્યાલય બનાવ્યું.

AAPએ કહ્યું- કેન્દ્રએ કોર્ટને મૂંઝવી

આ મામલે આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે, અમે SC સમક્ષ માન્ય દસ્તાવેજો રજૂ કરીશું. કેન્દ્ર સરકાર આ મામલે સુપ્રીમ કોર્ટને ગેરમાર્ગે દોરી રહી છે. દિલ્હી સરકારે આ જમીન AAPને ફાળવી છે. તેના પર કોઈ અતિક્રમણ ન હતું.