Home Blog Page 2028

‘માલદીવમાં કોઈ ભારતીય સૈનિક નહીં રહે, સિવિલ ડ્રેસમાં પણ નહીં’: મુઈઝુ

માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ કહ્યું કે 10 મે પછી એક પણ ભારતીય સૈન્ય કર્મચારી દેશમાં હાજર રહેશે નહીં, સાદા કપડામાં પણ નહીં. મંગળવારે એક મીડિયા રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. મુઈઝુનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે લગભગ એક સપ્તાહ પહેલા ભારતની ટેકનિકલ ટીમ માલદીવ પહોંચી હતી. આ ટીમ હેલિકોપ્ટર ચલાવતા લશ્કરી જવાનોને બદલવા માટે પહોંચી હતી. મુઈઝુએ માલદીવથી ભારતીય સૈન્ય કર્મચારીઓના પ્રથમ જૂથને પરત કરવા માટે 10 માર્ચની સમયમર્યાદા નક્કી કરી હતી.

મુઈઝુએ બા ટાપુ પર ઇધાફુશી રહેણાંક સમુદાયને સંબોધિત કરતી વખતે જણાવ્યું હતું કે ખોટી અફવા ફેલાવનારા લોકો દેશમાંથી ભારતીય સૈનિકોને હાંકી કાઢવામાં તેમની સરકારની સફળતાને કારણે પરિસ્થિતિને વિકૃત કરી રહ્યા છે. પોર્ટલે ચીનના સમર્થક ગણાતા મુઈઝુના હવાલાથી કહ્યું કે, આ લોકો દેશ છોડીને જતા નથી, તેઓ સાદા કપડા પહેરીને યુનિફોર્મ બદલીને પરત ફરી રહ્યા છે. આપણે એવા વિચારો ન લાવવા જોઈએ જે આપણા હૃદયમાં શંકા પેદા કરે અને જૂઠાણું ફેલાવે.

માલદીવે ચીન સાથે કરાર કર્યો

મોહમ્મદ મુઈઝુએ કહ્યું, ’10 મે પછી દેશમાં કોઈ ભારતીય સૈનિક હાજર રહેશે નહીં. ન તો યુનિફોર્મમાં કે ન તો સાદા કપડામાં. ભારતીય સેના આ દેશમાં કોઈપણ પ્રકારના કપડામાં રહેશે નહીં. હું આ વિશ્વાસ સાથે કહું છું. તેમણે આ નિવેદન એવા દિવસે આપ્યું છે જ્યારે માલદીવે ચીન સાથે કરાર કર્યો છે. આ અંતર્ગત ચીન માલદીવને મફત સૈન્ય સહાય આપશે. આ પહેલા ગયા મહિને 2 ફેબ્રુઆરીએ દિલ્હીમાં ભારત અને માલદીવના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠકમાં માલદીવના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ભારત માલદીવમાં તેના ત્રણ ઉડ્ડયન પ્લેટફોર્મ પર તૈનાત સૈન્ય કર્મચારીઓને પાછા ખેંચી લેશે અને તેમની જગ્યાએ એક ટેકનિકલ ટીમ મોકલવામાં આવશે. આ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો 10 માર્ચ સુધીમાં પૂર્ણ થશે.

ભારતીય સૈનિકો 10 મે પહેલા પરત ફરી શકે છે

મોહમ્મદ મુઈઝુએ 5 ફેબ્રુઆરીના રોજ સંસદમાં પોતાના પ્રથમ સંબોધનમાં આવી જ ટિપ્પણી કરી હતી. હાલમાં 88 ભારતીય સૈન્ય કર્મચારીઓ માલદીવમાં છે, જેઓ મુખ્યત્વે બે હેલિકોપ્ટર અને એક વિમાનનું સંચાલન કરે છે. આના દ્વારા સેંકડો તબીબી બચાવ અને માનવતાવાદી સહાય મિશન પૂર્ણ થયા છે. અહેવાલ આપ્યો છે કે દેશ છોડનાર પ્રથમ સૈન્ય કર્મચારીઓ અદ્દુ શહેરમાં બે હેલિકોપ્ટર ચલાવતા ભારતીય લશ્કરી કર્મચારીઓ છે. હા ધાલુ આઇલેન્ડ હનીમાધુ અને લામુ આઇલેન્ડ કહાધુમાં હાજર સૈન્ય કર્મચારીઓ પણ 10 મે પહેલા માલદીવ છોડી દે તેવી શક્યતા છે.

ડિજિટલ મિડિયા આવકની દ્રષ્ટિએ 2024માં ટેલિવિઝનને પાછળ છોડશે

નવી દિલ્હીઃ વર્ષ 2024માં ડિજિટલ મિડિયા આવકને મામલે ટેલિવિઝનને પાછળ છોડી દેશે. ડિજિટલ મિડિયાની આવક વધીને રૂ. 751 અબજ થવાની શક્યતા છે, જ્યારે ટેલિવિઝનની આવક રૂ. 718 અબજ રહેવાનો અંદાજ છે, એમ બિઝનેસ ચેમ્બર ફિક્કીના રિપોર્ટમાં ખુલાસો થયો છે.

વર્ષ 2023માં દેશમાં મિડિયા અને એન્ટરટેઇનમેન્ટ સેક્ટરે જોરદાર ગ્રોથ દર્શાવ્યો છે અને એ 8.1 ટકાના ગ્રોથ (રૂ. 173 અબજ)ની સાથે રૂ. 2.32 લાખ કરોડે પહોંચ્યો છે. અહેવાલમાં અંદાજ દર્શાવવામાં આવ્યો છે કે વર્ષ 2024માં એ પાર કરે એવી શક્યતા છે. આ વર્ષે 10 ટકાના ગ્રોથ રેટની સાથે કુલ રેવેન્યુ રૂ. 2.55 લાખ કરોડ રહેવાનો અંદાજ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યો છે.

વર્ષ 2023થી 2026 દરમ્યાન ટેલિવિઝનની આવક 3.2 ટકાથી દરથી વધશે, જ્યારે ડિજિટલ મિડિયાની રેવેન્યુ ડબલ ડિજિટ ગ્રોથ દેખાડશે અને એમાં 13.5 ટકાના દરે વધવાનો અંદાજ છે. વર્ષ 2026 સુધી મિડિયા અને એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રની આવક રૂ. 3.08 લાખ કરોડને પાર કરી જશે. કોરોના રોગચાળા સમયે આ સેક્ટર 21 ટકા ગ્રોથ રહ્યો હતો, પરંતુ ટેલિવિઝન, પ્રિન્ટ ને રેડિયો 2019ના સ્તરથી પાછળ ચાલી રહ્યાં છે.

ટેલિવિઝન સિવાય 2023માં મિડિયા અને એન્ટરટેઇનમેન્ટની આવક રૂ. 172 કરોડ વધી છે, જોકે 2022ના રૂ. 371 અબજ ડોલરથી અડધી રહી છે. જાહેરાતમાં ઘટાડાને પગલે આવકમાં ઘટાડો થયો હતો, જ્યારે ડિજિટલ અને ઓનલાઇન ગેમિંગ ક્ષેત્રે 2023માં રૂ. 122 અબજની આવક રહી છે.

બધાં સેગમેન્ટમાં ટેલિવિઝનના ગ્રોથ રેટમાં 2022ની તુલનાએ 2023માં બે ટકા નેગેટિવ ગ્રોથ જોવા મળ્યો હતો. ટેલિવિઝન જાહેરાતમાં 6.5 ટકાનો ઘટાડો થયો છે, કેમ કે ગેમિંગ અને D2C બ્રાંડે જાહેરાત ખર્ચ ઓછો કરી દીધો છે, જ્યાકે ડિજિટલ જાહેરાતમાં 15 ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે. ડિજિટલ સબસ્ક્રિપ્શનની રેવન્યુમાં નવ ટકાનો ઉછાળો આવ્યો છે અને એ રૂ. 78 અબજએ પહોંચ્યો છે, એમ અહેવાલ કહે છે.

 

 

 

 

 

 

 

 

 

વાલ્મિકી રામાયણમાં રામને એક માનવી તરીકે દર્શાવવાનું કારણ શું ?

મુંબઈ : રામની લીલા દર્શાવતા ચરિત્ર માટે અનેક પ્રસિધ્ધ પ્રસંગો વાલ્મિકી રામાયણમાં નથી કહેવાયા. વાલ્મિકી લિખિત રામાયણમાં રામને ભગવાન કે અવતાર નહિ, પરંતુ વ્યક્તિ તરીકે દર્શાવાયા છે. એમ ગુજરાત વિશ્વ વિદ્યાલયના સ્કૂલ ઓફ લેન્ગવેજીસના ભૂતપૂર્વ પ્રોફેસર અને રાષ્ટ્રપતિ અવોર્ડ પ્રાપ્ત કરનાર ડૉ. વિજયભાઈ પંડ્યાએ મુંબઈ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના હીરક મહોત્સવમાં રામાયણ અને તેની પરંપરા વિષય પર યોજાયેલા બે દિવસીય સેમિનારના પ્રથમ દિવસે તેમના ચાવીરૂપ પ્રવચનમાં આમ જણાવ્યું હતું. વિજય ભાઈએ કહ્યું હતું કે રામને માનવ તરીકે દર્શાવવા પાછળનો ઉદ્દેશ એ હતો કે રાવણ તો જ મરી શકે, જો રામ એક મનુષ્ય તરીકે તેને મારે.

પોતાના 14 વરસના વનવાસની રામને જાણ થઈ એ પછીના એક પ્રસંગમાં રામે કૌશલ્યા અને સુમિત્રા માતાનું ધ્યાન રાખવા ભલામણ કરી હતી, જેમાં રામની માતૃ ભક્તિ છલકાય છે. દશરથ કૈકયીના કહ્યામાં આવી ગયા હોવાથી રામે બંને માતાઓ માટે ચિંતા વ્યકત કરી હતી. ડૉ. વિજયભાઈ પંડ્યાએ કહ્યું હતું કે રામાયણને સાહિત્ય અને કળાના દૃષ્ટિકોણથી મૂલવવા માટે બહુ અવકાશ છે. જેનાથી રામાયણ સાહિત્યની દૃષ્ટિએ ઉત્કૃષ્ટ કૃતિ નજરે પડશે.

તેમણે મૈથિલાના લોકો રામને જમાઈ તરીકે ગણે છે અને ઘણા મૈથિલાવાસીઓ અયોધ્યા દીકરીનું સાસરું છે એમ ગણીને ત્યાં અન્ન નથી લેતા એવી પરંપરા વિશે માહિતી પણ આપી હતી. બે દિવસ ચાલેલા હીરક મહોત્સવમાં પહેલે દિવસે રામાયણ અને રામાયણ પરંપરા પર સેમિનાર યોજવામાં આવ્યો હતો અને બીજે દિવસે મહારાષ્ટ્રમાં સંસ્કૃતનો અભ્યાસ: ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય વિષય પર સેમિનારનું આયોજન કરાયું હતું. જેને કેન્દ્રિય સંસ્કૃત મહાવિદ્યાલય, નવી દિલ્હી, કાંદિવલી સ્થિત મીટ ઇન્ડિયા ફાઉન્ડેશન અને ભક્તિ વેદાંત રિસર્ચ કેન્દ્રએ સ્પોન્સર કર્યા હતા.

અનેક સંશોધનપત્ર રજૂ થયા

આ સેમિનારમાં અનેક સંશોધન પત્ર પણ રજૂ થયા હતા. જેમાં અમદાવાદ સ્થિત સેન્ટ ઝેવિયર્સ કોલેજના અસોસીએટ પ્રોફેસર ડૉ. ઊર્મિ શાહ એ ગુજરાતી લોક સાહિત્યના રામ-સીતાના પ્રેમ પ્રસંગો પર સંશોધન પત્ર રજૂ કર્યું હતું, જ્યારે મુંબઈ સ્થિત હેરાસ ઇન્સ્ટિટ્યૂટના ક્યુરેટર અને જૈન તત્વજ્ઞાનના નિષ્ણાંત શિલ્પા છેડાએ જૈન રામાયણ પર સંશોધન પત્ર રજૂ કર્યું હતું. અન્ય પાત્રો અને બૌદ્ધ રામાયણ અને દક્ષિણ એશિયામાં પ્રસિદ્ધ રામાયણ પર પણ રજૂઆતો થઈ હતી.

સંસ્કૃત વિભાગની સ્થાપનાના 60 વર્ષના પ્રસંગની ઉજવણી આખા વર્ષ દરમિયાન ચાલતી રહી છે, જેમાં વાર્તાલાપ યોજાયા, નવા પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમો અને પાર્ટ ટાઈમ અભ્યાસો દાખલા કરાયા. વિભાગના ચાર પુસ્તકોનું લોકાર્પણ પણ થયું અને ભારતીય જ્ઞાન પરંપરાના વિવિધ વિષયો પર જે – તે વિષયના નિષ્ણાંતો દ્વારા 60 પ્રવચનોની શૃંખલા વિગતો વિભાગની યુટ્યુબ ચેનલ ઉપર પ્રસારિત કરવામાં આવી હતી. સંસ્કૃત વિભાગના હેડ ડૉ. શકુન્તલા ગાવડેએ સ્વાગત પ્રવચનમાં વર્ષ દરમ્યાન ચાલેલા કાર્યક્રમોની ઝલક આપતા કહ્યું હતું કે નવા દાખલ કરાયેલા અભ્યાસક્રમોને બહુ સારો પ્રતિસાદ મળ્યો છે અને હાલમાં પાર્ટ ટાઈમ અભ્યાસક્રમો સાથે ૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ વિભાગમાં અભ્યાસ કરી રહ્યા છે.

સંસ્કૃત શીખવા વધી રહેલી ઉત્સુકતા

વધુને વધુ લોકો સંસ્કૃત શીખવા તરફ વળી રહ્યા છે કારણ કે હવે ભાષા શીખવાનું સહેલું બની રહ્યું છે. નવી શિક્ષણ નીતિની જોગવાઈઓ અને ટેકનોલોજીના ફેરફારો આ કાર્ય સરળ બનાવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે સંસ્કૃત કોઈ ભાષા સાથે હરીફાઈ નથી કરતી અને સંસ્કૃતની વધી રહેલી લોકપ્રિયતાનો લાભ ભાષાના જાણકારોને મળશે. તેમણે મુંબઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. રવિન્દ્ર કુલકર્ણી સાથેની વાતચતીના આધારે કહ્યું હતું કે મુંબઈ યુનિવર્સિટી, સંસ્કૃત વિભાગ અને કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય ભારતીય જ્ઞાન પરંપરાના વિષયને પ્રસિદ્ધ કરવા માટે સાથે મળીને કાર્ય કરી શકે એવા સમજૂતી કરાર કરશે. સેમિનારમાં વિભાગના અસોસિયેટ પ્રોફેસર ડૉ. માધવી નરસાળેએ બંને મુખ્ય મહેમાનોનો પરિચય આપ્યો હતો. અને અન્ય અસોસિયેટ પ્રોફેસર સુચિત્રા તાજણેએ કાવ્યાત્મક રીતે આભાર વિધિ કરી હતી.

અમે રામના દુશ્મનઃ એ. રાજાનું વિવાદિત નિવેદન

ચેન્નઈઃ સુપ્રીમ કોર્ટે DMK નેતા ઉદયનિધિ સ્ટાલિનને સનાતનવિરોધી નિવેદન મામલે ફટકાર લગાવી છે. તેમ છતાં DMKના નેતાઓના સનાતન ધર્મ પરનાં નિવેદનો અટકી નથી રહ્યાં. DMK નેતા એ રાજા ફરી એક વાર લાઇમલાઇટમાં છે. તેમણે ભારત અને સનાતન ધર્મને લઈને વિવાદિત નિવેદન આપ્યાં છે. એ. રાજાએ હાલમાં એક નિવેદનમાં કહ્યું હતું કે ભારત એક રાષ્ટ્ર છે નહીં. ભારત ક્યારેય એક રાષ્ટ્ર હતું જ નહીં. ભારત એક રાષ્ટ્ર નહીં બલકે એક ઉપ મહાદ્વીપ છે. તેમણે હિન્દુ માન્યતાઓની ટીકા કરીને વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું.

DMK નેતા એ રાજા વિડિયોમાં કહે છે કે જો તમે કહેશો કે આ તમારા ઇશ્વર છે અને ભારત માતાની જય તો અમે એ ઇશ્વર અને ભારત માતાનો ક્યારેય સ્વીકાર નહીં કરીએ. કહી દો, આ બધાને કે અમે રામના શત્રુ છીએ. તેમણે કહ્યું હતું કે મને રામાયણ અને ભગવાન રામ પર વિશ્વાસ નથી. તેમણે ભગવાન હનુમાનની તુલના બંદરથી કરતાં ‘જય શ્રીરામ’ના સૂત્રોચ્ચારને ઘૃણાસ્પદ બતાવ્યો હતો.

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી એ રાજાએ વિવાદિત નિવેદન આપતાં કહ્યું હતું કે ભારત ક્યારેય એક રાષ્ટ્ર હતું જ નહીં, એક રાષ્ટ્રનો અર્થ, એક ભાષા, એક પરંપરા અને એક સંસ્કૃતિ, ત્યારે એક રાષ્ટ્ર હોત. ભારત એક રાષ્ટ્ર નહીં બલકે એક ઉપ મહાદ્વીપ છે. તેમણે એનું કારણ જણાવતાં કહ્યું હતું કે અહીં તમિળ એક રાષ્ટ્ર અને એક દેશ છે. મલયાલમ એક ભાષા, એક રાષ્ટ્ર અને એક દેશ છે. ઉડિયા એક ભાષા અને એક દેશ છએ.આ બધાં રાષ્ટ્ર મળીને ભારત બનાવે છે તો ભારત દેશ નહીં, આ એક મહાદ્વીપ છે. તેમણે કહ્યું હતું કે આપણા દેશમાં અનેકતામાં એકતા હોવા છતાં આપણી વચ્ચે મતભેદ છે, એનો સ્વીકાર કરો.

તેમનું નિવેદન એ સમયે સામે આવ્યું છે, જ્યારે સુપ્રીમ કોર્ટે તામિલનાડુના CM એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિનને સનાતનવિરોધી નિવેદનો પર ફટકાર કરતાં કહ્યું હતું કે તેમને તેમના નિવેદનોનાં પરિણામ વિશે માલૂમ હોવું જોઈએ. કોર્ટે કહ્યું હતું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દુરુપયોગ કર્યો છે અને હવે તમે રાહત માગી રહ્યા છો. તમે સામાન્ય વ્યક્તિ નહીં પણ એક નેતા છો.

 

 

 

 

 

 

‘ઉષા પર્વ’માં 30 મહિલા અચિવર્સનું સન્માન

અમદાવાદ: મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે સતત કાર્યશીલ ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા ચૌદ વર્ષથી વિવિધ ક્ષેત્રે કાર્યરત સન્નારીઓને ઉદગમ વુમન્સ એચિવર એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે સતત પંદરમાં વર્ષે ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટે ટ્રસ્ટી ઉષાબેન ધ્રુવકુમાર જોશીની સ્મૃતિમાં “ઉષાપર્વ”નું આયોજન કર્યું હતું. ઉષા પર્વ -૧૪ ઉદગમ વુમન્સ એચિવર એવૉર્ડથી બિઝનેસ, સમાજ સેવા, શિક્ષણ, આરોગ્ય, કલા, ફેશન વગેરે ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરનાર 30 મહિલાઓ અને ૧ પુરૂષનું બહુમાન કરવામાં આવ્યુ છે.

આ કાર્યક્રમમાં અધ્યક્ષ પદે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર હાજર રહ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકાર સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ શિક્ષણ, અને પ્રૌઢ શિક્ષણના રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે બ્રિટિશ હાઈ કમિશનના ડેપ્યુટી હાઈ કમિશનર સ્ટીવ હિકલિંગ, સ્વદેશી જાગરણ મંચ ગુજરાત પ્રદેશ સંગઠક મનોહર લાલજી, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જસવંતભાઈ પટેલ અને પી.સી. સ્નેહલ ગ્રુપના એમ. ડી. ચિરંજીવ પટેલ ઉપસ્થિત હતા.

ઉદ્દગમ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો. મયુર જોષીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ઉદગમ ટ્રસ્ટ દ્વારા વિવિધ ક્ષેત્રમાં અથાગ પ્રયાસો થકી વિશિષ્ઠ યોગદાન આપનાર મહિલાઓને ૧૫ વર્ષથી “ઉદ્દગમ વિમેન્સ એચિવર્સ એવોર્ડથી સન્માનિત કરવાનો ઉદગમનો નમ્ર પ્રયાસ છે. જ્યારે એવોર્ડ સમારોહના મુખ્ય અતિથિ ડો. કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, આપણે વિચારી પણ ના શકીએ એવા વ્યવસાયો અને ક્ષેત્રોમાં મહિલાઓ માટે હવે પહેલા કરતાં વધુ તકો છે અને મહિલાઓ તેનો મહત્તમ ઉપયોગ કરી રહી છે.

એવોર્ડ વિજેતાઓની પસંદગી માટે એક ખાસ જ્યુરી બનાવવામાં આવી હતી. જેમાં બિઝનેસ વુમન અને સામાજિક કાર્યકર પૂર્વા શાહ પટેલ, આર્કિટેક્ટ અને ડિઝાઇનર અર્ચના શાહ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઉન્મેષ દીક્ષિત, શિક્ષણવિદ ડૉ. ગીતિકા સલુજા, સામાજિક કાર્યકર પરમજીત કૌર છાબડા તથા સામાજિક કાર્યકર અને લેખક વૈજયંતિ ગુપ્તેનો સમાવેશ થાય છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દેવેન્દ્ર પારેખે કર્યું હતું.

વિધાનસભામાં કોંગ્રેસનું ઘટતું સંખ્યાબળ!

અમદાવાદ: 2022ના ચૂંટણી પરિણામો બાદ ગુજરાત વિધાનસભામાં ભાજપના 156 ધારાસભ્યો, કોંગ્રેસના 17 ધારાસભ્યો, આપના 5 ધારાસભ્યો હતા. જ્યારે અપક્ષ 3 ધારાસભ્યો અને ખુંટિયાથી સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજા ધારાસભ્ય તરીકે ચૂંટાયને આવ્યા હતા. પરંતુ જેમ-જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ એક બાદ એક રાજીનામા પડી રહ્યા છે અને વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા ઘટી રહી છે.

કોંગ્રેસના 3, AAPના 1 ધારાસભ્ય રાજીનામા આપી ચૂક્યા છે. તેમજ એક અપક્ષ ધારાસભ્યે રાજીનામું આપ્યુ હતું. કોંગ્રેસના ખંભાતનાં ધારાસભ્ય ચિરાગ પટેલ, કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય સી. જે. ચાવડા અને હવે કોંગ્રેસના પોરબંદરથી ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યું છે. આ ઉપરાંત આપના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી અને વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપી ચૂક્યા છે. પરિણામે ગુજરાત વિધાનસભામાં હાલની સ્થિતિએ કુલ 177 સભ્યો છે.  ભાજપના 156 ધારાસભ્યો છે. કોંગ્રેસના 14 ધારાસભ્યો, AAPના 4 ધારાસભ્યો છે. અપક્ષ 2 ધારાસભ્યો અને SPના એક ધારાસભ્ય છે.

એક તરફ લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ દરમિયાન હવે 5 વિધાનસભા બેઠકો (ખંભાત, વિજાપુર, વિસાવદર, વાઘોડિયા અને પોરબંદર ) પર પેટા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું સંખ્યાબળ સતત ઘટી રહ્યું છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું કંગાળ પ્રદર્શન રહ્યું હતું. જેમાં 17 બેઠકો પર જ કોંગ્રેસને જીત મળી હતી. કોંગ્રેસનો આ આંકડો સતત ઘટી રહ્યો છે. વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યા બળ 14 પર પહોંચ્યું છે અને આવનારા સમયમાં તે વધુ ઘટે તેવી શક્યતાઓ હાલ દેખાય રહી છે.

અર્જુન મોઢવાડિયા સહિત ત્રણ ભૂતપૂર્વ વિધાનસભ્યો ભાજપમાં સામેલ

અમદાવાદઃ લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસને એક પછી એક આંચકા લાગી રહ્યા છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રની ગુજરાતમાં એન્ટ્રી પહેલાં પાર્ટીના સ્ટેટ ચીફ અંબરીશ ડેર અને ભૂતપૂર્વ વિધાનસભ્ય અર્જુન મોઢવાડિયા પર ભાજપમાં સામેલ થઈ ગયા છે.

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ખૂબ જ મોટો ઝટકો મળ્યો છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેરે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં બંને નેતાઓ ભાજપમાં સામેલ થયા છે. આ ઉપરાંત આહિર અગ્રણી મૂળુભાઈ કંડોરિયા ભાજપમાં જોડાયા છે. મૂળુભાઈ કંડોરિયા કોંગ્રેસના વિધાનસભાના ઉમેદવાર તરીકે પણ ચૂંટણી લડી ચૂક્યા છે.

કોંગ્રેસ છોડતાં પહેલાં અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં બહિષ્કારના નિર્ણયની ભારે ટીકા કરી હતી. આ પહેલાં કેન્દ્રીય મંત્રી નારણ રાઠવા તેમના પુત્ર અને કાર્યકર્તો સાથે ભાજપમાં સામેલ થયા હતા.

કમલમમાં આ બંને દિગ્ગજ નેતાઓએ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને હાથે ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. તેમની સાથે 25 વર્ષથી કોંગ્રેસમાં જોડાયેલા જામનગરના મૂળુ કંડોરિયાએ પણ ભાજપમાં જોડાયા છે.

પ્રદેશાધ્યક્ષે આ સમારંભમાં કાર્યકર્તાઓનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે  લોકોને મદદ કરવાની ભાવના માટેનું પ્લેટફોર્મ મળે એ માટે તમે પીએમ મોદીની આગેવાનીમાં ભાજપમાં જોડાઈ રહ્યા છે તે બદલ આપનું સ્વાગત છે.

આહિર, મેર સમાજના આગેવાનો

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ છે. OBC સમાજના બે નેતા, આહિર અને મેર સમાજના આ આગેવાનોના કોંગ્રેસ છોડવાથી પોરબંદર અને અમરેલી બેઠક પર ભાજપની સીધો લાભ થશે. કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશપ્રમુખ અને પોરબંદર કોંગ્રેસના MLAપદેથી અર્જુન મોઢવાડિયાએ ગઈ કાલે જ રાજીનામું આપ્યું હતું. જ્યારે રાજુલા બેઠકના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે પણ ગઈ કાલે રાજીનામું આપ્યું હતું.

 

 

 

 

ચૂંટણી પંચ પત્રકાર પરિષદમાં ચૂંટણીની તારીખોનું એલાન કરશે?

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન ટૂંક સમયમાં થાય એવી શક્યતા છે. લોકસભાની ચૂંટણી 14-15 માર્ચની આસપાસ ઘોષણા થવાની સંભાવના છે. ચૂંટણી પંચ સતત લોકસભા ચૂંટણીની તૈયારીમાં લાગેલું છે અને એ અંતિમ તબક્કામાં છે. ચૂંટણી પંચના અધિકારી સામાન્ય ચૂંટણીની તૈયારી સમીક્ષા માટે અનેક રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે.

લોકસભા ચૂંટણીની તૈયારીને લઈને ચૂંટણી પંચ આજે પત્રકાર પરિષદ કરશે. જોકે એ સ્પષ્ટ નથી કે ચૂંટણી પંચ પત્રકાર પરિષદમાં લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન કરશે કે નહીં. જોકે ચૂંટણી પંચ સામાન્ય ચૂંટણીની જાહેરાત આગામી સપ્તાહે કોઈ પણ દિવસે તારીખોનું એલાન કરે એવી શક્યતા છે.પશ્ચિમ બંગાળમાં આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે પંચના સભ્યોએ સોમવારે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની સાથે મુલાકાત કરી હતી. એ સાથે ચૂંટણી પંચની ટીમ ઉત્તર પ્રદેશ અને પછી જમ્મુ-કાશ્મીરની મુલાકાત પણ લેશે. બીજી બાજુ ભાજપ ને કોંગ્રેસ સહિત બધા રાજકીય પક્ષો લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગેલા છે. કોંગ્રેસ વિરોધ પક્ષોના ગઠબંધનના સાથીઓ સાથે સીટ વહેંચણીને અંતિમ રૂપ આપવામાં લાગેલી છે. જોકે કોંગ્રેસે ઉમેદવારોની યાદી જારી નથી કરી.

બીજી બાજુ ભાજપ લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પહેલી યાદી જારી કરી ચૂકી છે. ભાજપની આ પહેલી યાદીમાં વડા પ્રધાન મોદી સહિત અનેક દિગ્ગજોનાં નામ છે.

ચૂંટણી પંચ મેમાં થનારી લોકસભાની ચૂંટણી પહેલાં સ્વતંત્ર અને નિષ્પક્ષ સંચાલન માટે AI ટેક્નિકનો ઉપયોગ કરે એવી શક્યતા છે. સોશિયલ મિડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ પર ખોટી સૂચનાને દૂર કરવા માટે AI માટે એક વિભાગ બનાવે એવી શક્યતા છે.

 

 

 

 

 

 

કોરાનાના 120 નવા કેસો, ત્રણનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 178 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,30,332 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિસ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,499 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,95,915 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 92 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1053 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,07,115 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 227 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

 

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો