
રાશિ ભવિષ્ય 10/03/2024
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજના દિવસમાં તમને થોડો ઉત્સાહ જોવા મળી શકે છે, વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, જૂની ઓળખાણ તાજી થાય તેમાં તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામકરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત પણ થઈ શકે છે.
આજે સગા-સ્નેહી, જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ યોગ છે, આરોગ્યબાબત થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના પણ ભોગ બની શકો છે, ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.
આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગ અંગે ચર્ચા-વિચારણા થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું.
આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો યોગ્ય છે.
આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા કે લગ્નની વાત ગોઠવવા માટે પ્રયત્ન કરવા જેમાં પ્રયત્ન સફળ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.
આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાય કે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાક-મશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, લગ્નયોગ ધરવતા યુવાવર્ગ માટે વાર્તાલાપકે મિલનમુલાકાત સારી રહી શકે. નાનાઅંતરની મુસાફરી થઈ શકે, આજે કોઈના કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, પ્રિયજન તરફથી સારી વાત જાણવા મળે.
આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું. બ્લડપ્રેશર, છાતીના દર્દ હોય તેવા લોકો માટે આજે તકેદારી રાખવી, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ખાસ ધ્યાન રાખવું.
આજે મિત્રો સાથે સારોસમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. જુનાસંબંધ અચાનક યાદ આવે તેવા પણ યોગ છે. લગ્નબાબતની વાતચીતકે મિલનમુલાકાત કરવાથી સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.
આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, .કમર, હાડકા,પગમાં દુખાવાની તકલીફ વાળાએ આરોગ્યબાબતમાં ધ્યાન વધુ આપવું ઇચ્છનીય છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, લાકડા, ચામડા, ધાતુ, ઓઈલ, પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્ર, ના કામ કરનારને સારું રહે, જુના કોઈકામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, કોઈની ખોટીદોરવાણીથી ઉશ્કેરાઈના જવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.
આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારી વાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. લગ્નમાટેની મિલનમુલાકાત આજે આશાસ્પદ બને તેવા યોગ પણ છે.
લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા ચૂંટણી કમિશનરે આપ્યું રાજીનામું
ચૂંટણી કમિશનર અરુણ ગોયલે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા પદ પરથી રાજીનામું આપ્યું. તેમનો કાર્યકાળ 2027 સુધીનો હતો. તેમણે લોકસભા ચૂંટણી પહેલા રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા છે.
STORY | Election Commissioner Arun Goel resigns as Lok Sabha polls approach
READ: https://t.co/M5BROIn2W3
PHOTO: pic.twitter.com/3qIOOlUPWc
— Press Trust of India (@PTI_News) March 9, 2024
સૂત્રોના જણાવ્યા અનુસાર, કોઈને પણ એવી ધારણા નહોતી કે અરુણ ગોયલ આ રીતે પોતાના પદ પરથી રાજીનામું આપશે. ત્રણ દિવસ પછી પંચે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જવાનું છે અને માત્ર બે દિવસ પહેલાં જ પંચ પશ્ચિમ બંગાળના પ્રવાસ પરથી પરત ફર્યા છે.
સુરતમાં જાહેરમાં બે રાઉન્ડ ફાયરિંગ, યુવકનો આબાદ બચાવ
સુરત: શહેરના પુણા કુંભારિયા રોડ પર આવેલ કેન્સર હોસ્પિટલની સામે 2 રાઉન્ડ ફાયરિંગ અને મારામારીની ઘટના ઘટી હતી. ધોળા દિવસે ફાયરિંગ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલ ઘટનાની કાયદાકીય તપાસ હાથ ધરી છે. ફાયરિંગ કર્યા બાદ આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.

ભરત કેન્સર હોસ્પિટલની બહાર એક યુવક પર પાંચ જણાએ હુમલો કર્યો હતો અને બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સદનસીબે યુવક બચી ગયો હતો પણ ફાયરીંગના અવાજને પગલે આજુબાજુના લોકોમાં ફફડાટ ફેલાયો હતો. બનાવની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
પોલીસે ભરત કેન્સર હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ કબ્જે લીધા હતા. ઘટનાના સીસીટીવી ફૂટેજમાં બે યુવક રસ્તાના કિનારે ઉભા છે, ત્યારે એક બ્લ્યુ કલરની કાર આવે છે. કારની અંદરથી પાંચ શખ્સ હથિયાર સાથે બહાર નીકળે છે. ત્યાર બાદ ઉભેલા યુવકો સાથે મારપીટ કરે છે. દરમિયાન એક યુવક આડેધડ ફાયરિંગ કરે છે અને હુમલા બાદ બધા ભાગી છૂટે છે.
અરવિંદ ગોંડલિયા (સુરત)
PM મોદી ઉમેદવાર બન્યા બાદ પહેલીવાર વારાણસી પહોંચ્યા
શનિવારે તેમના પ્રવાસ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળથી સીધા ઉત્તર પ્રદેશના વારાણસી પહોંચ્યા છે, જે તેમનો સંસદીય ક્ષેત્ર પણ છે. પીએમ મોદીએ વારાણસી પહોંચતાની સાથે જ રોડ શો કર્યો. તેનો વીડિયો સામે આવ્યો છે. વારાણસીના લોકોએ તેમનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું. લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવાર જાહેર થયા બાદ પીએમ મોદીની વારાણસીની આ પ્રથમ મુલાકાત છે. કાર્યક્રમ અનુસાર પીએમ મોદી વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરીને પૂજા કરવાના છે.
VIDEO | PM Modi (@narendramodi) leaves from Kashi Vishwanath Temple in Varanasi after offering prayers.
(Source: Third Party) pic.twitter.com/c6ECmdDCPT
— Press Trust of India (@PTI_News) March 9, 2024
પીએમ મોદી એક દિવસમાં ચાર રાજ્યોની મુલાકાતે છે
લોકસભા ચૂંટણી 2024 પહેલા પીએમ મોદી સંપૂર્ણ મિશન મોડમાં હોય તેવું લાગી રહ્યું છે. શનિવારે વારાણસીમાં તેમના આગમન સાથે, એક દિવસમાં રાજ્યની આ તેમની ચોથી મુલાકાત છે. આ પહેલા પીએમ મોદી શુક્રવારે બે દિવસની મુલાકાતે આસામ પહોંચ્યા હતા. શનિવારે, તેમણે આસામથી તેમનો પ્રવાસ શરૂ કર્યો અને પછી અરુણાચલ પ્રદેશ અને પશ્ચિમ બંગાળ થઈને ઉત્તર પ્રદેશના તેમના સંસદીય ક્ષેત્ર પહોંચ્યા. પીએમ મોદી રવિવારે (10 માર્ચ) સવારે આઝમગઢની મુલાકાત લઈ શકે છે.
PM Shri @narendramodi performs Darshan and Pooja at Shri Kashi Vishwanath Mandir in Varanasi. https://t.co/OElbIPDFDd
— BJP (@BJP4India) March 9, 2024
પીએમ મોદી એક મહિનામાં ત્રીજી વખત પશ્ચિમ બંગાળની મુલાકાતે
PM મોદી શનિવારે ઉત્તર પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા. આ મહિને તેમની પશ્ચિમ બંગાળની આ ત્રીજી મુલાકાત હતી. તેમણે સિલીગુડીમાં રૂ. 4500 કરોડથી વધુના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું અને ભાજપની રેલીને સંબોધિત કરી. તેમની રેલી દ્વારા, તેમણે પશ્ચિમ બંગાળની શાસક ટીએમસી સરકાર અને વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન ‘ભારત’ પર ઉગ્ર નિશાન સાધ્યું.
VIDEO | PM Modi (@narendramodi) offers prayers at the Kashi Vishwanath Temple in Varanasi.
(Source: Third Party) pic.twitter.com/FeAv4DBPWb
— Press Trust of India (@PTI_News) March 9, 2024
આ મહિને છેલ્લી બે મુલાકાતો દરમિયાન પીએમ મોદી દક્ષિણ પશ્ચિમ બંગાળના વિવિધ જિલ્લાઓ જેવા કે હુગલી, નાદિયા અને ઉત્તર 24 પરગણા પહોંચ્યા હતા, જ્યાં ટીએમસીની મજબૂત પકડ માનવામાં આવે છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, 2019ની લોકસભા ચૂંટણીમાં ઉત્તર પશ્ચિમ બંગાળમાં ભાજપે સારું પ્રદર્શન કર્યું હતું.
CM અને CR પાટીલ દિલ્હી જશે, 11 ઉમેદવારો પર લાગશે મહોર
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ગયું છે. ભાજપે 15 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાતમાં કેટલાક ઉમેદવારોને ફોન કરીને તૈયારીઓ શરૂ કરી દેવા કહી દીધું છે. ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટીના બે ઉમેદવારો ચૈતર વસાવા અને ઉમેશ મકવાણા ચૂંટણી લડવાના છે. ત્યારે ગુજરાતમાં ભાજપના બાકી રહેલા 11 ઉમેદવારોના નામ પર આજે મહોર લાગી શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રમુખ સી.આર. પાટીલને દિલ્હીનું તેડું આવ્યું છે.

આજે સાંજે ગુજરાત કોર કમિટીની બેઠક યોજાશે
સુત્રોના જણાવ્યા પ્રમાણે આવતીકાલે PM મોદીની અધ્યક્ષતામાં દિલ્હીમાં ભાજપની કોર કમિટીની બેઠક યોજાનાર છે. જેમાં ભાગ લેવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ આજે દિલ્હી જશે. આ બેઠકમાં ગુજરાતના બાકી રહેલ ઉમેદવારોના નામ અંગે મંથક કરવામાં આવશે. BJP અધ્યક્ષ જે પી નડ્ડા અને ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં આજે સાંજે ગુજરાત કોર કમિટીની બેઠક યોજાશે. ગુજરાતની બાકી રહેલ 11 લોકસભા બેઠકના ઉમેદવારોના નામ પર આજે કોર ગ્રુપની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આવતીકાલે PM મોદીની અધ્યક્ષતામાં મળનારી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં તમામ ઉમેદવારો નક્કી કરવામાં આવશે.

11 બેઠકોના નામો મુદ્દે અનેક અટકળો શરૂ થઈ
ગત સપ્તાહે ભાજપે ગુજરાતમાં 26 પૈકી 15 લોકસભાના ઉમેદવારો જાહેર કર્યા બાદ બાકીના 11 બેઠકોના નામોને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે. ટોચના નેતાએ કહ્યુ કે, ગુજરાતની 26 બેઠકોના ઉમેદવારો નક્કી કરવા અંગેની પ્રક્રિયા ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહે જ આટોપી લેવાઈ છે. પરંતુ, ઉમેદવારો માત્ર 15 જ જાહેર કર્યા હતા. જેમાંથી પાંચ નવા ચેહરાઓ હોવાથી બાકી રહેલા 11 મતક્ષેત્રોમાં પણ અધિકાંશ નવા ઉમેદવારોને તક ઉપલબ્ધ થશે એમ માની શકાય છે. જે 11 લોકસભા બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવાના થાય છે તેમાંથી ચાર જ સાંસદોની પ્રથમ ટર્મ છે. જ્યારે પાંચની બીજી ટર્મ છે, બે સાંસદો ત્રણ ટર્મ પૂર્ણ કરી રહ્યા છે. ત્રણ ટર્મ પછી અમરેલી અને વલસાડમાં ભાજપ નવા ચહેરા ઉતારશે.
ઉમેદવારોમાં અડધોઅડધ મહિલાઓ આગેવાનો હશે
મહેસાણાના સાંસદે પહેલાથી ચૂંટણી નહી લડવાની ઈચ્છા જાહેર કરી છે તેથી મહેસાણા સહિત ચાર કે પાંચ મહિલા સાંસદોની ટિકિટ કપાય તો નવાઈ નહી. આ વેળા ભાજપ અમદાવાદ ઈસ્ટ અને સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર પણ મહિલા આગેવાનને ટિકીટ આપશે તેવી ચર્ચા છે. એક રીતે પહેલા 15 ઉમેદવારોની યાદીમાં બે જ મહિલાઓને ટિકિટ આપી હોવાથી હવે આજકાલમાં જાહેર થનારા 11 મતક્ષેત્રોના ઉમેદવારોમાં અડધોઅડધ મહિલાઓ આગેવાનો હશે.
ધર્મશાલા ટેસ્ટ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાને મળ્યા મોટા સમાચાર
ધર્મશાલામાં રમાયેલી પાંચમી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને ઈનિંગ અને 64 રને હરાવતા જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે એક મોટો નિર્ણય લીધો છે. જય શાહે કહ્યું કે BCCIએ ટેસ્ટ ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે ટેસ્ટ ક્રિકેટ પ્રોત્સાહન યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ભારતીય ખેલાડીઓને ટેસ્ટ રમવા માટે મળતી ફીમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. આ અંતર્ગત એક સિઝનમાં 75 ટકા મેચ રમનાર ખેલાડીને પ્રતિ મેચ 45 લાખ રૂપિયા આપવામાં આવશે. જ્યારે પ્લેઇંગ-11માં ન હોય તેવા ખેલાડીને 22.5 લાખ રૂપિયા મળશે.
I am pleased to announce the initiation of the ‘Test Cricket Incentive Scheme’ for Senior Men, a step aimed at providing financial growth and stability to our esteemed athletes. Commencing from the 2022-23 season, the ‘Test Cricket Incentive Scheme’ will serve as an additional… pic.twitter.com/Rf86sAnmuk
— Jay Shah (@JayShah) March 9, 2024
ભારતે ઈંગ્લેન્ડને પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 4-1થી હરાવ્યું છે. આ જીત ત્યારે મળી જ્યારે ભારત પ્રથમ ટેસ્ટ મેચમાં હારી ગયું હતું. આ શ્રેણીમાં ભારતના ઘણા ટોચના ખેલાડીઓ પણ હાજર ન હતા. આ પછી બીસીસીઆઈ દ્વારા લેવામાં આવેલા નિર્ણયથી ચોક્કસપણે ખેલાડીઓ ઘણા ખુશ થયા હશે.
આ યોજના છે
આ સ્કીમ અનુસાર, જે ખેલાડીઓ એક સિઝનમાં ટીમની કુલ ટેસ્ટ મેચોના 75 ટકામાં પ્લેઇંગ-11માં સામેલ થશે તેમને પ્રતિ મેચ 45 લાખ રૂપિયાની કુલ ફી મળશે. જ્યારે 75 ટકા મેચોમાં માત્ર ટીમનો ભાગ હોય તેવા ખેલાડીઓને દરેક મેચ માટે 22.5 લાખ રૂપિયા મળશે. જ્યારે 50 ટકા મેચોમાં પ્લેઇંગ-11નો ભાગ બનેલા ખેલાડીઓને પ્રતિ મેચ કુલ 30 લાખ રૂપિયા મળશે, જ્યારે એટલી જ મેચોમાં ટીમનો ભાગ બનેલા ખેલાડીઓને પ્રતિ મેચ 15 લાખ રૂપિયા મળશે. . આ સ્કીમ આનાથી ઓછા સમય માટે લાગુ થશે નહીં. તેને વર્તમાન મેચ ફી મળશે. હાલમાં પ્લેઇંગ-11નો ભાગ બનેલા ખેલાડીઓને મેચ દીઠ 15 લાખ રૂપિયા મળે છે. આને વધુ સરળ રીતે સમજાવતા બીસીસીઆઈએ કહ્યું કે જો ટીમ ઈન્ડિયા એક સિઝનમાં કુલ 9 મેચ રમે છે તો તેમાંથી 75 ટકા મેચનો નંબર 7 હશે અને આ મેચોમાં પ્લેઈંગ-11માં સામેલ ખેલાડીઓને 45 રૂપિયા મળશે. લાખ.. જ્યારે પ્લેઇંગ-11માં નહીં હોય તેવા ખેલાડીઓને 22.5 લાખ રૂપિયા મળશે.
🚨 NEWS 🚨
BCCI is pleased to announce the initiation of the ‘Test Cricket Incentive Scheme’ for Senior Men, a step aimed at providing financial growth and stability to our esteemed athletes.
Details 🔽 #TeamIndia https://t.co/8XxHFuaY4U
— BCCI (@BCCI) March 9, 2024
જો કોઈ ખેલાડી નવ મેચમાંથી 50 ટકા એટલે કે 5-6 મેચમાં ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ-11નો ભાગ છે તો તેને પ્રતિ મેચ 30 લાખ રૂપિયા મળશે અને જે ખેલાડી માત્ર ટીમમાં છે તેને પ્રતિ મેચ 15 લાખ રૂપિયા મળશે. મેળ આનાથી ઓછી હોય તેમને જ જૂની ફી મળશે. જય શાહે સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. તેમણે લખ્યું કે આ યોજના 2022-23થી શરૂ થઈ છે.
આ કારણ છે
તાજેતરમાં એવું જોવા મળ્યું કે કેટલાક ખેલાડીઓએ ટેસ્ટ ક્રિકેટ અને ડોમેસ્ટિક ક્રિકેટને સંપૂર્ણપણે અવગણીને IPLની તૈયારી શરૂ કરી દીધી કારણ કે IPLમાં ઘણા પૈસા ચૂકવવામાં આવે છે. બીસીસીઆઈએ કદાચ આ બાબતનો સામનો કરવા માટે આ યોજના શરૂ કરી છે. થોડા દિવસો પહેલા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે BCCI ડોમેસ્ટિક ટૂર્નામેન્ટની મેચ ફી વધારવા પર આગ્રહ કરી રહ્યું છે જેથી આ ટૂર્નામેન્ટને નજરઅંદાજ ન કરી શકાય.
કાન ખોલીને સાંભળી લો… વિપક્ષને PM મોદીનો જવાબ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે 9 માર્ચે પૂર્વોત્તરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે 55,600 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું, જેમાં મહત્વપૂર્ણ સેલા ટનલનો પણ સમાવેશ થાય છે. PM એ ઇટાનગરમાં એક કાર્યક્રમ દરમિયાન મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું.
PM Shri @narendramodi attends Viksit Bharat Viksit Northeast programme in Arunachal Pradesh. https://t.co/15hqPuwrgj
— BJP (@BJP4India) March 9, 2024
લગભગ 825 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી સેલા ટનલ અરુણાચલ પ્રદેશમાં બલીપારા-ચરિદ્વાર-તવાંગ રોડ પર સેલા પાસમાંથી પસાર થશે. આ ટનલ અરુણાચલ પ્રદેશના તવાંગને તમામ હવામાનમાં કનેક્ટિવિટી પ્રદાન કરશે. વર્ષ 2019માં પીએમએ આ પ્રોજેક્ટનો પાયો નાખ્યો હતો. પીએમએ અરુણાચલ પ્રદેશ સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસને લીલી ઝંડી બતાવીને સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યું. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીએ અરુણાચલ પ્રદેશમાં 41,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી.
पूरे देश में विकसित राज्य से विकसित भारत का राष्ट्रीय उत्सव तेज गति से जारी है।
आज मुझे विकसित पूर्वोत्तर के इस उत्सव में, पूर्वोत्तर के सभी राज्यों के साथ एक साथ हिस्सेदार बनने का अवसर मिला है।
– पीएम @narendramodi pic.twitter.com/ClA0dC6dc0
— BJP (@BJP4India) March 9, 2024
સેલા ટનલનો શિલાન્યાસ 1019માં કરવામાં આવ્યો
પીએમ મોદીએ લોઅર દિબાંગ વેલી જિલ્લામાં દિબાંગ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો, જેનું નિર્માણ રૂ. 31,875 કરોડના ખર્ચે થશે. જે દેશનો સૌથી મોટો બંધ હશે. PM એ ઘણા રસ્તા નિર્માણ, પર્યાવરણ અને પ્રવાસન પ્રોજેક્ટ્સ તેમજ શાળાઓને સુધારવાના પ્રોજેક્ટનો પણ પાયો નાખ્યો હતો. ઇટાનગરમાં કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે 2019માં તેમને સેલા ટનલનો શિલાન્યાસ કરવાની તક મળી અને આજે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પીએમએ કહ્યું કે 2019માં જ તેમણે ડોની પોલો એરપોર્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. આજે આ એરપોર્ટ સેવાઓ પૂરી પાડી રહ્યા છે.
पूर्वोत्तर के विकास के लिए हमारा विजन अष्टलक्ष्मी का रहा है।
South Asia और East Asia के साथ भारत के ट्रेड, टूरिज्म और दूसरे रिश्तों की एक मजबूत कड़ी हमारा नार्थ ईस्ट बनने जा रहा है।
– पीएम @narendramodi pic.twitter.com/1UEbCwiBt4
— BJP (@BJP4India) March 9, 2024
‘અરુણાચલનો દરેક વ્યક્તિ મોદીનો પરિવાર છે’
આ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષી પાર્ટીઓના ભારત ગઠબંધન પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે એક તરફ તેઓ વિકસિત ભારતના નિર્માણ અને યુવાનોના સારા ભવિષ્ય માટે કામ કરી રહ્યા છે, તો બીજી તરફ ઈન્ડિયા એલાયન્સના વંશવાદી નેતાઓ તેમના પર પ્રહારો કરી રહ્યા છે. પીએમએ કહ્યું કે વિપક્ષના નેતાઓ પૂછે છે કે મોદીનો પરિવાર કોણ છે. ખુલ્લા કાનથી સાંભળો, અરુણાચલનો દરેક વ્યક્તિ મોદીનો પરિવાર છે. અહીં રહેતા દરેક લોકો એમ કહી રહ્યા છે કે તેઓ મોદીનો પરિવાર છે. પીએમે કહ્યું કે આ પરિવારના સભ્યો માત્ર પોતાના પરિવારનો ફાયદો જુએ છે.
आज यहां एक साथ 55 हजार करोड़ रुपये से अधिक के प्रोजेक्ट्स का लोकार्पण या शिलान्यास हुआ है।
आज अरुणाचल प्रदेश के 35 हजार गरीब परिवारों को अपने पक्के घर मिले हैं।
अरुणाचल प्रदेश और त्रिपुरा के हजारों परिवारों को नल कनेक्शन मिले हैं, नॉर्थ ईस्ट के अलग अलग राज्यों में कनेक्टिविटी… pic.twitter.com/i2V6LKU97C
— BJP (@BJP4India) March 9, 2024
તેમણે કહ્યું કે ભાજપ દેશના વિકાસ માટે કામ કરી રહી છે ત્યારે કોંગ્રેસ અને ભારત ગઠબંધન શું કામ કરી રહ્યું છે તે સૌ જાણે છે. કોંગ્રેસ પર કૌભાંડનો આરોપ લગાવતા પીએમએ કહ્યું કે જ્યારે દેશની સરહદો પર આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું જોઈતું હતું ત્યારે કોંગ્રેસ સરકાર કૌભાંડોમાં વ્યસ્ત હતી અને દેશની સુરક્ષા સાથે રમત કરી રહી હતી.
‘અરુણાચલમાં મોદીની ગેરંટી દેખાઈ રહી છે’
ભાજપ સરકારના વખાણ કરતા પીએમે કહ્યું કે મોદીની શું ગેરંટી છે તે અરુણાચલમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તેમણે કહ્યું કે આખા રાજ્યની જનતા જોઈ રહી છે કે મોદીની ગેરંટી કેવી રીતે કામ કરી રહી છે. PM એ કહ્યું કે આજે પૂર્વોત્તર દક્ષિણ એશિયા અને પૂર્વ એશિયા સાથે ભારતના વેપાર, પર્યટન અને અન્ય સંબંધોમાં મજબૂત કડી બનવા જઈ રહ્યું છે.
पूर्वोत्तर के विकास पर हमने जितना निवेश बीते 5 वर्ष में किया है, जितना काम किया है।
इतना ही काम करने के लिए कांग्रेस को 20 साल लग जाते हैं।
– पीएम @narendramodi pic.twitter.com/p2LQGGm4JW
— BJP (@BJP4India) March 9, 2024
‘લોકોને કાયમી મકાનો અને પાણીની સુવિધા મળી
પીએમએ કહ્યું કે અરુણાચલ પ્રદેશના 35 હજાર ગરીબ પરિવારોને પોતાનું કાયમી ઘર મળી ગયું છે. હજારો પરિવારોને નળના પાણીના કનેક્શન મળ્યા છે. પીએમએ કહ્યું કે આજે ઉત્તર-પૂર્વમાં કનેક્ટિવિટીને પ્રોત્સાહિત કરવા સંબંધિત ઘણા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વધુમાં, PM એ કહ્યું કે તેમની સરકારે ખાસ કરીને ઉત્તર-પૂર્વને ધ્યાનમાં રાખીને ‘મિશન પામ ઓઈલ’ શરૂ કર્યું છે. આ મિશન અંતર્ગત આજે પ્રથમ ઓઈલ મિલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જે ભારતને ખાદ્યતેલની બાબતમાં આત્મનિર્ભર તો બનાવશે જ પરંતુ અહીંના ખેડૂતોની આવકમાં પણ વધારો કરશે.
नॉर्थ ईस्ट को ध्यान में रखते हुए हमारी सरकार ने विशेष तौर पर ‘मिशन पाम ऑयल’ की शुरुआत की थी।
आज इसी मिशन के तहत पहली ऑयल मिल का लोकार्पण हुआ है।
ये मिशन भारत को खाद्य तेल के मामले में आत्मनिर्भर तो बनाएगा ही साथ ही यहां के किसानों की भी आय बढ़ेगी।
– पीएम @narendramodi pic.twitter.com/UulNWpUHnK
— BJP (@BJP4India) March 9, 2024
પીએમએ કહ્યું કે આજે રાજ્યમાં 55,000 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અથવા એક સાથે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. વિકસિત રાજ્યમાંથી વિકસિત રાજ્યમાં ભારતનો રાષ્ટ્રીય ઉત્સવ દેશભરમાં ઝડપી ગતિએ ચાલુ છે.પીએમે કહ્યું કે ઉત્તર-પૂર્વના વિકાસ માટે અમારું વિઝન અષ્ટલક્ષ્મીનું રહ્યું છે. તેમણે કહ્યું કે ઉત્તર-પૂર્વના વિકાસ પર છેલ્લા પાંચ વર્ષમાં જેટલુ રોકાણ કરવામાં આવ્યું છે તે કોંગ્રેસ સરકારે કરેલા કામ કરતા લગભગ 4 ગણું વધારે છે.
ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે ચૈતર વસાવા જોડાયા
ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ત્રીજો દિવસ છે. રાહુલ ગાંધીની યાત્રા નર્મદા જિલ્લામાંથી ભરૂચ જિલ્લા પ્રવેશી છે. રાહુલ ગાંધીની યાત્રામાં ગુજરાત પ્રદેશ સમિતિના શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા નેત્રંગ ખાતે ન્યાય યાત્રામાં જોડાયા છે. અહીંયા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સમર્થકો જોવા મળી રહ્યા છે.અહીંયાંના સ્થાનિક આદિવાસીઓમાં રાહુલ ગાંધીને જોવા આનંદ પણ જોવા મળી રહ્યો છે. રાહુલ ગાંધી યાત્રા સાથે રાજપીપળા પહોચ્યા હતા. તેમણે હરસિદ્ધિ માતાના મંદિરે દર્શન કરી આર્શીવાદ મેળવ્યા હતા. તેમની સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતા અને કાર્યકરો જોડાયા હતા.
जय मां हरसिद्धि 🙏🏼
आज @RahulGandhi जी ने मां हरसिद्धि की पूजा-अर्चना कर, देश की सुख-शांति और समृद्धि की कामना की
📍 राजपीपला, गुजरात pic.twitter.com/aGp4003kji
— Congress (@INCIndia) March 9, 2024
આદિવાસી અને દલિતોને ભાજપ અંધારામાં રાખે છે
નેત્રંગમાં યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ભાજપવાળા તમને કહેશે સારો વિકાસ થઇ રહ્યો છે, પણ વિકાસ અદાણી-અંબાણીનો થઇ રહ્યો છે, તમારો નહીં. આદિવાસીઓ હિન્દુસ્તાનની જમીનના પહેલા માલિક છે. ભાજપ તમને આદિવાસી નથી કહેતા તે તમને વનવાસી કહે છે કારણ કે તે તમને તમારા અધિકાર આપવા માંગતા નથી. અદાણીના દેવા માફ થઇ જાય છે પણ તમને તમારો હક નથી મળતો, ભાજપ ખેડૂતોના અને આદિવાસીઓના દેવા માફ કરતી નથી. કોંગ્રેસ તમને તમારા જળ-જમીનના તમામ હક્ક આપશે. રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે, ભાજપ તમારા જ ખીસ્સામાંથી ચોરી કરી રહી છે અને અમુક લોકો એને વિકાસ કહે છે. આઝાદીના 70 વર્ષમાં ભાજપે આદિવાસીઓનો વિકાસ નથી કર્યો, આદિવાસી અને દલિતોને ભાજપ અંધારામાં રાખે છે.
LIVE: #BharatJodoNyayYatra resumes from Bharuch, Gujarat. https://t.co/JoEU6A0iw8
— Congress (@INCIndia) March 9, 2024
ભાજપની હારની શરૂઆત થઇ ગઇ છે: ગોપાલ ઇટાલિયા
ન્યાય યાત્રામાં આવી પહોંચેલા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયાએ ભાજપ કર્યા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ચૂંટણી પરિણામો પર ચોક્કસ અસર કરશે. જે મનસુખ વસાવાની ટિકિટ કપાઈ જવાની હતી, તેમણે પણ ટિકિટની આશા છોડી દીધી હતી. પોસ્ટરમાં તેમના ફોટા પણ મુકવાના બંધ કરી દીધા હતા તે મનસુખ વસાવાને સાતમી ટર્મ માટે ભાજપે ટિકિટ આપવી પડી, જે બતાવે છે કે ભાજપની હારવાની શરૂઆત થઈ ગઈ છે.


