લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા ચૂંટણી કમિશનરે આપ્યું રાજીનામું

ચૂંટણી કમિશનર અરુણ ગોયલે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા પદ પરથી રાજીનામું આપ્યું. તેમનો કાર્યકાળ 2027 સુધીનો હતો. તેમણે લોકસભા ચૂંટણી પહેલા રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા છે.

 

સૂત્રોના જણાવ્યા અનુસાર, કોઈને પણ એવી ધારણા નહોતી કે અરુણ ગોયલ આ રીતે પોતાના પદ પરથી રાજીનામું આપશે. ત્રણ દિવસ પછી પંચે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જવાનું છે અને માત્ર બે દિવસ પહેલાં જ પંચ પશ્ચિમ બંગાળના પ્રવાસ પરથી પરત ફર્યા છે.