Home Blog Page 2012

પીડાના મૂળ કારણને દૂર કરો

આ વિશ્વનું દરેક પાસું ચેતનાની અભિવ્યક્તિ છે. આ દુનિયામાં દરેક વસ્તુ ગતિશીલ છે. પર્વત પણ સ્થિર નથી. દરેક અણુ પ્રકૃતિમાં ગતિશીલ છે. તે બધા વિકાસના ચોક્કસ તબક્કામાંથી પસાર થાય છે.

સમગ્ર સૃષ્ટિ પાંચ તત્વો અને દસ જ્ઞાનેન્દ્રિયોથી બનેલી છે – પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ ક્રિયા ઇન્દ્રિયો. આ સમગ્ર સૃષ્ટિ તમને આનંદ અને આરામ આપવા માટે છે. જે તમને ખુશ કરે છે તે તમને આરામદાયક પણ હોવું જોઈએ. નહિ તો સુખ પોતે જ દુ:ખ બની જાય છે. ચાલો હું તમને એક ઉદાહરણ આપું: તમને એપલ પાઈ ગમે છે, પરંતુ એક સાથે પાંચ એપલ પાઈ તમારા માટે થોડી વધુ જશે. જે વસ્તુએ તમને ખુશ કર્યા હતા હવે એ જ તમને દુઃખી કરશે. સમગ્ર સર્જન તમને આનંદ અને મુક્તિ આપે છે. તમારે કોઈક સમયે આ બધામાંથી તમારી જાતને મુક્ત કરવી પડશે, નહીં તો સુખ દુઃખમાં ફેરવાઈ જશે.

જો કે આ જગત એક બ્રહ્મજ્ઞાની વ્યક્તિ માટે એવી રીતે અસ્તિત્વમાં નથી, જે રીતે તે સામાન્ય વ્યક્તિ માટે અસ્તિત્વમાં છે, જગત પોતાના વિરોધાભાસ સાથે અસ્તિત્વમાં રહેવાનું છે. જે જ્ઞાનમાં જાગ્રત થાય છે તેને બીજી કોઈ તકલીફ નથી. વિશ્વ સંપૂર્ણપણે અલગ દેખાય છે. તેમના માટે આ રચનાનો કણે કણ આનંદ અથવા આત્માના અંશથી ઓત-પ્રોત છે. પરંતુ અન્ય લોકો માટે તે જેવું દેખાઈ છે તેવું અસ્તિત્વમાં છે.

તમારું શરીર ત્રણ ગુણોનું બનેલું છે – સત્વ, રજસ અને તમસ – અને તે મુજબ તમારા વિચારો અને વર્તન બદલાય છે. તમસ વધુ નીરસતા, નિંદ્રા, સુસ્તી સર્જે છે અને રજસ બેચેની, ઇચ્છાઓ અને દુઃખનું સર્જન કરે છે. જ્યારે મન પર સત્વનું વર્ચસ્વ હોય છે, ત્યારે તે પ્રસન્ન, સતર્ક અને ઉત્સાહી હોય છે. જ્યારે આ ત્રણેય ગુણો તમારા શરીરમાં તેમની પ્રકૃતિ અનુસાર કાર્ય કરે છે, ત્યારે આ વિભિન્ન ગુણો પ્રબળ બને છે. તમારી અંદર રહેલી વૃત્તિઓનું અવલોકન કરો અને એવું ન વિચારો કે તે વૃત્તિઓ તમે જ છો. એક વાર્તા છે. હિમાલયમાં એક મહાન ઋષિ હતા. તે જ્યાં પણ જાય ત્યાં તેને રોક ટોક વગર પ્રવેશ મળતો. લોકો તરફ થી તેમને પ્રેમ અને સત્કાર મળ્યો. આ સંત રોજ રાજાના મહેલમાં બપોર નું ભોજન લેવા જતા હતા. અને રાણી તેને સોનાની થાળી અને વાટકીમાં ભોજન પીરસતી. તે જમતા અને જતા રહેતા. એકવાર, ભોજન કર્યા પછી, તેણે ચાંદીનો ગ્લાસ અને સોનાનો ચમચો ઉપાડ્યો અને સાથે લઈને ચાલ્યા ગયા. તેણે કોઈને કહ્યું પણ ન હતું કે તેમને તેની જરૂર છે.

મહેલમાં રહેલા લોકોને આશ્ચર્ય થયું. ‘સાધુને શું થયું? તેણે ક્યારેય આવું કશું લીધું નથી, આજે શું થયું, તે પણ કોઈને કહ્યા વગર?” તેને આશ્ચર્ય થયું. ત્રણ દિવસ પછી તે સામાન પાછો લાવ્યા. એ વધુ આશ્ચર્યજનક હતું.

રાજાએ ઋષિના વર્તનનું વિશ્લેષણ કરવા માટે તમામ જ્ઞાની લોકોને બોલાવ્યા. તે જાણવા માટે પંડિતો અને જ્ઞાનીઓએ તે દિવસે ઋષિને શું ખવડાવ્યું હતું તપાસ કરી. તેઓને ખબર પડી કે તે અમુક લુંટારાઓ/ડાકુઓ પાસેથી જપ્ત કરવામાં આવેલો ખોરાક હતો, જે રાંધીને સાધુને પીરસવામાં આવ્યું હતો અને જેણે તેને પણ લૂંટવા માટે મજબુર કરી દીધો હતો!

તેથી, પીડાના મૂળ કારણને દૂર કરવા માટે ચોક્કસ સમજ જરૂરી છે. શરીર, મન અને સમગ્ર વિશ્વમાં દરેક સમયે પરિવર્તનો થતા રહે છે. સમગ્ર બ્રહ્માંડ પ્રવાહીતાનું એક સ્વરૂપ છે. શુદ્ધ જ્ઞાન એ છે કે, ‘હું શરીર નથી, હું આત્મા છું, હું આકાશ છું, હું અવિનાશી છું, અપ્રભાવિત છું, મારી આસપાસની આ દુનિયાથી અછૂત છું. આ શરીરનો દરેક કણ બદલાઈ રહ્યો છે અને મન પણ બદલાઈ રહ્યું છે. આ શુદ્ધ જ્ઞાન આ ચક્રમાંથી બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો છે.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

કોરાનાના 138 નવા કેસો, બેનાં મોત  

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ ફરી એક વકરવા માંડ્યો છે.  છેલ્લા 24 કલાકમાં કોરોનાના 138 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,31,562 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,512 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,97,327 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 220 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1058 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,12,402 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 831 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

રાશિ ભવિષ્ય 13/03/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનું આયોજન થઈ શકે છે તેમાં ઉત્સાહ પણ જોવા મળે, મિત્રોથકી કોઈ લાભની વાત આપલે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારના કામકાજમાં નાનું અને અનુભવ મુજબનુજ કામ કરવુજ યોગ્ય છે.


આજનો દિવસે સાવચેતી રાખવી તેમાં પણ ખાસ ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, વણમાંગી સલાહકે સુચન આજના દિવસેના આપવા ઈછાનીય છે. વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, યુવાવર્ગે કોઈની સાથે અર્થહીન વાર્તાલાપના થાય તેનુંધ્યાન રાખવું.


આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ,આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવા યોગ છે, વિદ્યાર્થીવર્ગ અને યુવાવર્ગને મિત્રવર્તુળમાં સારો સમય પસાર થાય, ગણતરીપૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાતકે પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિક નાણાકીયખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામ કરવાથી લાભ થઈ શકે છે, લગ્ન માટેની વાર્તાલાપ કરવી ફળદાઇ બને શકે, વેપારના કામકાજમાં નાનું કામ કરવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું જરૂરી છે,ખરીદી કરવા પાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે, વાહન ધીમે ચલાવવું, ઉશ્કેરાટથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમન કરવું, ઉતાવળિયા નિર્ણયથી બચવું.


આજનો દિવસ સામાન્ય છે, મનમાં થોડી માનસિક અશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમાં સમયનો દુરવ્યય થાય, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનુજ કામ કરવું યોગ્ય છે, યુવાવર્ગ માટે આજના દિવસે કોઈની સાથે ઘર્ષણના થાય તેની કાળજી રાખવી, જીવનસાથી સાથે દલીલબાજીના કરવી સલાહભરી છે.


આજનો દિવસ સારો છે, મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે, ગમતાકાર્ય કરી શકાય, નવીઓળખાણ થાય અને લાભની વાતચીત થાય તેવા પણ સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ સારી જાણકારી પ્રાપ્ત થાય, વેપારમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામ કરવા મળી શકે.


આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે , વાહન ધીમે ચલાવવું, નોકરી-ધંધામાં પણ  વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે , કોઈપણ પ્રકારના વિવાદથી દુર રહેવાની સલાહ છે,યુવાવર્ગને ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં કોઈ મોટા જોખમ ભર્યા કામના કરવા ઇચ્છનીય છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમાં કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવું બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમાં કોઈ લાભની તક દેખાઈ શકે છે.


આજનો દિવસ તમારા માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામાં થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકે છે, ખટપટકરનારથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, જીવનસાથી સાથે ખોટી દલીલબાજી ના કરવી.


આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવી વાત બની શકે છે  તેમજ જો નસીબ સાથ આપે,તો ઘણું બધું કાર્ય થઇ શકશે. મુસાફરી થઈ શકે છે, વેપારમાં લાભની વાત બની શકે છે, જૂનીઓળખાણ કે સારાપ્રસંગોની યાદ આવે તેમાં મન ખુશ રહી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં ધાર્યા કરતા વધુ સમય વ્યય થાય તેવું બની શકે છે, વેપારમાં નાનું કામજ યોગ્ય છે, નોકરીકરનારવર્ગને કામકાજમાં કંટાળાની લાગણીનો અનુભવ વધુ થાય, બિનજરૂરીખર્ચ થાય, વડીલવર્ગમાટે થોડી આળસવૃતી કે કામ ટાળવાની વૃતી જોવા મળી શકે છે.

૧૩ માર્ચ, ૨૦૨૪

tory

નોટ આઉટ @ 99 : પ્રકાશચંદ બંસલ

99 વર્ષની ઉંમર, ગૌર વાન, છ ફુટનું કસાયેલું શરીર અને ભક્તિ-ભાવમાં ડૂબેલું જીવન એટલે મુંબઈના પ્રકાશચંદ બંસલ! આવો તેમની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ આગ્રામાં. પિતાનો ટેક્સટાઇલ્સનો ધંધો. તેમને એક ભાઈ અને એક બહેન, તેઓ સૌથી નાના. 7 કાકાઓ અને પિતરાઈ ભાઈઓ સાથેના મોટા સંયુક્ત કુટુંબમાં તેઓ રહેતા. આગ્રાથી મેટ્રિક પાસ કર્યું અને તરત તેમણે હોઝીયરી-યુનિટનું કામ સંભાળ્યું. તેઓ અવારનવાર મુંબઈ માલ વેચવા આવતા. કાયમ વસવાટ માટે તેમણે મુંબઈ પસંદ કર્યું. ધંધાના કામ માટે મુંબઈ-કલકત્તા વચ્ચે વ્યવહાર ચાલુ રહ્યો.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

ધંધામાંથી 65 વર્ષે નિવૃત્તિ સ્વીકારી. ધાર્મિક સત્સંગ-પ્રવચનમાં ઘણો રસ. સાત દિવસની પૂરી ભાગવત-કથા તેમણે 50થી પણ વધુ વાર સાંભળી હશે! સવાર-સાંજ ટીવી ઉપર ધાર્મિક-પ્રોગ્રામ જુએ. ટીવી પર સત્સંગ કરે. થોડાં વર્ષો પહેલાં સુધી જાતે ડ્રાઇવ કરી સત્સંગ માટે જતા! 6:00 વાગે ઊઠે, પાંચ વાર હનુમાન-ચાલીસા કરે. બેઠા-બેઠા થોડી કસરત કરે. સાત વાગ્યે તૈયાર થઈ ચા-નાસ્તો કરે, છાપુ વાંચે અને પછી થોડો આરામ કરે. 10:00 વાગે ફરી એકવાર ચા અને ટીવીના પ્રોગ્રામ. 1:00 વાગ્યે જમે, અઢી વાગ્યા સુધી સમાચાર જોઈ અને થોડો આરામ કરે. 5:00 વાગ્યે ઊઠી અને બીજી વાર સ્નાન કરે. સૂર્યાસ્તના દર્શન કરે અને થોડી કસરત તથા પૂજા કરે. ઘરનાં માણસો સાથે વાતોચીતો કરે. 8:00 વાગે જમી અને ટીવી પર સમાચાર જોતા-જોતા 10:00 વાગે સૂઈ જાય.

શોખના વિષયો : 

ખાવાનો અને ખવડાવવાનો શોખ. પોતે સાદુ જમે. મીઠાઈ અને ચટપટી ચટણીઓ ગમે. નાની ઉંમરમાં અખાડામાં જતા, પાંચ-સાત કિલોમીટર ચાલતા એટલે તબિયત ઘણી સારી. જુવાનીમાં પિક્ચર જોતા, સેહગલના પિક્ચર વધુ ગમતા. દારાસિંગની કુસ્તી પણ જોતા! કલકત્તાના મહેમાનોને શૂટિંગ જોવા લઈ જતા! લોકોને મળવાનું બહુ ગમે. પુત્ર, પૌત્રો અને પ્રપૌત્રો યુ.એસ.એ. છે એટલે ચાર વાર ત્યાં ફરી આવ્યા છે.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત હવે થોડી ઢીલી થઈ છે. શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ડાયાબિટીસ કંટ્રોલમાં છે. ઘરમાં વોકરથી ચલાય છે. બહાર જવાનું ઓછું થાય છે, પણ પહેલાંનું કસાયેલું શરીર છે એટલે કોઈ વધુ તકલીફ નથી.

યાદગાર પ્રસંગ:  

તેમનો મોટો દીકરો ભણવામાં હોશિયાર. યુ.એસ.એ. જઈ, સ્કોલરશીપ ઉપર, પી.એચ.ડી. અને એમ.બી.એ. કર્યું! ધંધાદારી કુટુંબનો મોટો દીકરો જાતે યુ.એસ.એ.જઈ આટલું ભણે એ તેમના માટે બહુ ગૌરવની વાત છે!

તેમના લગ્નજીવનના 50 વર્ષની ઉજવણી પછી થોડા સમયમાં પત્નીનું અવસાન થયું. તેમણે આ ખોટ સાહજિકતાથી લીધી. “આટલો જ સાથ હશે” તેમ કહીને તેને સ્વીકારી. પત્નીની યાદ આવે અને કમી પણ અનુભવાય, પરંતુ ક્યારેય જાહેરમાં આ વાતનું વિવરણ કરે નહીં. તેમનું સ્ટ્રેસ લેવલ ઝીરો છે!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

નવી ટેકનોલોજીનો બિલકુલ ઉપયોગ કરતા નથી અને હવે ઇન્ટરેસ્ટ પણ નથી. જોકે ચંદ્રયાન અને એવી બીજી ઘણી બધી ટેકનિકલ માહિતી રોજ સમાચારોમાં આવે એટલે તેમને ખબર છે, પણ ધર્મમાં રસ વધુ છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

આગ્રાથી મુંબઈ આવ્યા એ મોટો ફેર! મોટો દીકરો મુંબઈથી યુ.એસ.એ. જઈ સ્થાઈ થયો તે બીજો મોટો ફેર. એક આનામાં કેટલું બધું મળતું તે હજુ યાદ આવે છે! રોડ પર કેટલાં વાહનો થઈ ગયાં! કેટલાં ઊંચાં-ઊંચાં મકાનો! ક્યાંય મોકળાશ નહીં! પહેલા આત્મીયતા હતી, લોકોને મળવાનું થતું. હવે કોઈની પાસે સમય નથી! બધાં બીઝી છે, પણ શેમાં બીઝી છે તે કોઈને ખબર નથી!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

તેમને બે દીકરા અને એક દીકરી છે. છ પૌત્ર-પૌત્રી છે, (ચાર યુ.એસ.એ.માં) આઠ પ્રપૌત્ર-પ્રપૌત્રી છે (છ યુ.એસ.એ.માં). યુવાનો સાથે વાત કરવી તેમને ગમે છે. જૂની વાતો અને અનુભવો યાદ કરી યુવાનોને સંભળાવે. સાંભળવાની થોડી તકલીફ છે, પણ કોમ્યુનિકેશન બહુ સરસ છે. કલાકો સુધી વાત કરી શકે છે! તેમની સાથે વાત કરનારને તો બોલવાનો ચાન્સ પણ ન મળે! વિચારધારા ન મળે તો તરત વાતનો વિષય બદલી લે પણ સામેનાને ઓફેન્ડ કરે નહીં!

સંદેશો :  

આ દુનિયામાં દરેક વસ્તુ ભગવાનની મરજીથી જ થાય છે. હરિ-ઈચ્છા બળવાન છે. વિચારધારા શુદ્ધ રાખો અને કર્મ કરો. સુખમાં અને દુઃખમાં ખુશ જ રહેવું! ગમે તેટલી વિપત્તિ આવે, વિચલીત ન થવું. બધું જ સ્વિકારી લો! Just accept!!

પંચાંગ 13/03/2024

PM મોદીએ ‘મનમંદિર ફાઉન્ડેશન’ને પોતાનો પ્લોટ દાનમાં આપ્યો

PM નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં નાદબ્રહ્મ આર્ટ સેન્ટર બનાવવા માટે મનમંદિર ફાઉન્ડેશનને પોતાનો પ્લોટ દાનમાં આપ્યો છે. ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી મનમંદિર ફાઉન્ડેશન દ્વારા સેક્ટર-1માં બનાવવામાં આવેલા ‘નાદ બ્રહ્મ’ આર્ટ સેન્ટરનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. તેનો શિલાન્યાસ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.


મળતી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો સરકારી પ્લોટ મનમંદિર ફાઉન્ડેશનને આપ્યો છે, જ્યાં ભવ્ય ‘નાદ બ્રહ્મ’ આર્ટ સેન્ટર બનાવવામાં આવશે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ‘નાદ બ્રહ્મ’ કલા કેન્દ્ર ભવિષ્યમાં સંગીત કલા પ્રવૃતિઓ માટે અનોખું કેન્દ્ર બની રહેશે. તેનો ઉદ્દેશ્ય ભારતીય સંગીત કલાના જ્ઞાનને એક છત નીચે લાવવાનો છે.

‘નાદ બ્રહ્મ’ આર્ટ સેન્ટર આધુનિક સુવિધાઓથી સજ્જ હશે

‘નાદ બ્રહ્મ’ આર્ટ સેન્ટર અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે. તેમાં 200 લોકોની ક્ષમતા ધરાવતું થિયેટર, 2 બ્લેક બોક્સ થિયેટર, સંગીત અને નૃત્ય શીખવા માટે 12 થી વધુ બહુહેતુક વર્ગખંડો, અભ્યાસ અને પ્રેક્ટિસ માટે 5 પર્ફોર્મન્સ સ્ટુડિયોનો સમાવેશ થશે. આ ઉપરાંત, તેમાં 1 ઓપન થિયેટર, વિકલાંગો માટે એક વિશેષ સંવેદનાત્મક બગીચો, આઉટડોર મ્યુઝિક ગાર્ડન, એક આધુનિક પુસ્તકાલય, સંગીતના ઇતિહાસને દર્શાવતું સંગ્રહાલય શામેલ છે.

મનમંદિર ફાઉન્ડેશન દ્વારા સેક્ટર-1માં ‘નાદ બ્રહ્મ’ કલા કેન્દ્રનું નિર્માણ

નજીકના ભવિષ્યમાં ‘નાદ બ્રહ્મ’ કલા કેન્દ્ર સંગીત અને કલા ક્ષેત્રે પ્રવૃત્તિઓનું એક અનોખું કેન્દ્ર બની રહેશે. આ ઉપરાંત કેમ્પસમાં કાફેટેરિયા અને ફાઈન્ડ ઈન રેસ્ટોરન્ટ પણ કાર્યરત થશે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી મનમંદિર ફાઉન્ડેશન દ્વારા સેક્ટર-1માં ‘નાદ બ્રહ્મ’ કલા કેન્દ્રનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

સુપ્રીમ કોર્ટની કડકાઈ બાદ SBIએ ECને ઈલેક્ટોરલ બોન્ડની માહિતી મોકલી

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ મંગળવારે (12 માર્ચ) ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડનો સંપૂર્ણ ડેટા મોકલ્યો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે (11 માર્ચ) SBIને ઠપકો આપ્યો હતો અને ચૂંટણી બોન્ડ સંબંધિત માહિતી પ્રદાન કરવાની સમયમર્યાદા વધારવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. સાથે જ, કોર્ટે આદેશ આપ્યો હતો કે SBIએ 12 માર્ચના રોજ કામકાજના કલાકો પૂરા થતાં સુધીમાં ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડ વિશે સંપૂર્ણ માહિતી આપવી જોઈએ. તે મુજબ, SBIએ મંગળવારે સાંજે 5.30 વાગ્યા સુધીમાં ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડનો સંપૂર્ણ ડેટા મોકલી આપ્યો છે.

ચૂંટણી પંચની વેબસાઇટ 15 માર્ચ સુધીમાં અપડેટ કરવામાં આવશે

સુપ્રીમ કોર્ટમાં, CJI DY ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચે ચૂંટણી પંચને SBI દ્વારા શેર કરેલી માહિતીને 15 માર્ચે સાંજે 5 વાગ્યા સુધીમાં તેની સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત કરવાનો નિર્દેશ પણ આપ્યો છે. તેથી, હવે એસબીઆઈ દ્વારા ચૂંટણી પંચને ડેટા મોકલવામાં આવ્યો છે, તે 15 માર્ચ સુધીમાં તેની વેબસાઇટ પર પ્રકાશિત કરવાનો રહેશે.

સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીમાં જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બી.આર. ગવઇ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા પણ સામેલ હતા. બેન્ચે એસબીઆઈને નોટિસ જારી કરીને કહ્યું હતું કે જો બેંક તેના નિર્દેશો અને સમયમર્યાદાનું પાલન કરવામાં નિષ્ફળ જાય છે, તો કોર્ટ તેના 15 ફેબ્રુઆરીના નિર્ણયના ઇરાદાપૂર્વક અનાદર બદલ તેની સામે પગલાં લઈ શકે છે.

મામલો શું છે ?

તમને જણાવી દઈએ કે, 15 ફેબ્રુઆરીએ પાંચ સભ્યોની બંધારણીય બેન્ચે કેન્દ્રની ચૂંટણી બોન્ડ યોજનાને રદ્દ કરવાનો ઐતિહાસિક નિર્ણય આપ્યો હતો. તેને ગેરબંધારણીય ગણાવીને ચૂંટણી પંચને 13 માર્ચ સુધીમાં દાન આપનારાઓ, દાન તરીકે આપવામાં આવેલી રકમ અને દાન પ્રાપ્તકર્તાઓને જાહેર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ નિર્ણય બાદ SBIએ ઈલેક્ટોરલ બોન્ડની વિગતો જાહેર કરવાની સમયમર્યાદા 30 જૂન સુધી લંબાવવાની વિનંતી કરી હતી. જો કે, સોમવારે, સુપ્રીમ કોર્ટે SBIની વિનંતીને અવગણી હતી અને ચૂંટણી પંચને મંગળવારે સાંજે કામના કલાકોમાં તમામ વિગતો પ્રદાન કરવાનો આદેશ આપ્યો હતો.

હરિયાણા: નાયબ સિંહ સૈનીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

Nayab Singh Saini એ હરિયાણાના CM તરીકે શપથ લીધા. શપથ લેતા પહેલા નાયબ સિંહ સૈનીએ મનોહર લાલ ખટ્ટરના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. રસપ્રદ વાત એ છે કે, જેજેપીના ચાર ધારાસભ્યો દેવેન્દ્ર બબલી, ઈશ્વર સિંહ, જોગીરામ અને રામ નિવાસે પણ શપથ ગ્રહણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તે જ સમયે, અનિલ વિજ આ કાર્યક્રમનો ભાગ બન્યો ન હતો. તેમણે પાર્ટી હાઈકમાન્ડને સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ તેમના જુનિયર સાથે કામ કરી શકે નહીં.

નાયબ સિંહ સૈની મંગળવારે (12 માર્ચ) ના રોજ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા હતા. બાદમાં તેઓ રાજ્યપાલને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો કર્યો. ભાજપે મંગળવારે હરિયાણામાં પોતાના નિર્ણયથી બધાને ચોંકાવી દીધા હતા. મનોહર લાલ ખટ્ટર સહિત તમામ મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. આ રીતે રાજ્યમાં ભાજપનું જેજેપી સાથેનું ગઠબંધન લોકસભા ચૂંટણી પહેલા તૂટી ગયું.

પોરબંદર : રૂ.480 કરોડના ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાની ઝડપાયા

અરબી સમુદ્રમાંથી વધુ એક વખત ડ્રગ્સ ઝડપાયું છે. રૂ480 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે પાંચ પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા તમામ આરોપીઓને પોરબંદર લાવવામાં આવશે. ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને NCBએ સંયુક્ત ઓપરેશન પાર પાડી દરિયામાંથી ડ્રગ્સનો મસમોટો જથ્થો ઝડપી લીધો છે.

480 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો

મળતી માહિતી મુજબ પોરબંદરથી આશરે 380 કિલોમીટર મધદરિયે પાકિસ્તાન સરહદ નજીકથી અગાઉ મળેલી બાતમીના આધારે કોસ્ટગાર્ડ, એટીએસ અને એનસીબીએ એક શંકાસ્પદ બોટ અટકાવી તલાશી લેતા તેમાંથી રૂા. 480 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો મળી આવેલ છે અને આ બોટમાંથી છ પાકિસ્તાની શખ્સો પણ ઝડપાયેલ હોય આ ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનથી આવી રહ્યાની પ્રાથમિક વિગતો મળી રહી છે.

અત્યાર સુધીમાં 3135 કરોડનો ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો

કોસ્ટગાર્ડ, એટીએસ અને નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યુરોએ જોઈન્ટ ઓપરેશન કરીને અત્યાર સુધીમાં 3135 કરોડનો ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે. આજે ઈન્ટલીજન્સના આધારે કોસ્ટગાર્ડ દ્વારા આ ઓપરેશન પાર પાડવા માટે ડોર્નિયર એરક્રાફ્ટની મદદથી મધદરિયે જ પાકિસ્તાની બોટને અટકાવવામાં આવી હતી. ડોર્નિયર એરક્રાફ્ટથી તાજેતરમાં જ વેરાવળ ખાતે પકડાયેલ ડ્રગ્સ બાબતે પણ ઈનપુટ્સ આપવામાં આવ્યા હતાં.