અમદાવાદઃ ગૃહપ્રધાન અમિત શાહ મેમનગર સ્થિત ગુરુકૂળ રોડ ઉપર આવેલા શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરે દર્શન કરી ચૂંટણીપ્રચાર શરૂ કર્યો હતો. તેમણે દર્શન કર્યા બાદ મધ્યસ્થ કાર્યાલયે ચૂંટણીલક્ષી બેઠક યોજી હતી. આ બેઠકમાં ધારાસભ્યો, હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
લોકસભાની ચૂંટણી જાહેર થાય એ પહેલાં ગાંધીનગર બેઠક પરથી સાંસદ અને કેન્દ્રીય ગૃહ, સહકાર પ્રધાન અમિત શાહ ગુરુવારે સાંજે અમદાવાદ આવી પહોંચ્યા છે. મેમનગરમાં શાહની જનસભા યોજવામાં આવી છે. જેમાં જય શ્રીરામના નારા સાથે અમિત શાહે સંબોધન શરૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતુ કે મારા તમામ કાર્યકર્તાઓનો ખૂબ-ખૂબ આભાર. પત્રિકા વેચનાર કાર્યકર્તા પણ ભાજપમાં ગૃહપ્રધાન બની શકે છે. ચા વેચનાર ભાજપમાં દેશના વડા પ્રધાન પણ બની શકે છે. વડા પ્રધાને મને લોકસભામાં ઊભા રહેવાની તક આપી છે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah એ અમદાવાદના સુભાષચોકના હનુમાન મંદિરે દર્શન કરી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી. pic.twitter.com/AQTkRkMGpq
વડા પ્રધાને દેશને સમૃદ્ધ કરવાનું કાર્ય કર્યું છે. ૩૩ ટકા રિઝર્વેશન આપીને મહિલાઓને લોકસભા માટે મોકો આપ્યો છે. દેશનો ધ્વજ વિશ્વમાં સૌથી ઊંચો ફરકાવ્યો છે. દેશને સુરક્ષિત રાખવાનું કાર્ય પણ નરેન્દ્રભાઈએ કર્યું છે. પાકિસ્તાનના ઘરમાં જઈને જવાબ આપ્યો છે. ચૂંટણી જીતવાની છે એ સંકલ્પ રાખો.
તેમણે અમદાવાદમાં રૂ. ૩૦૧૨ કરોડના વિકાસ કામોના લોકાપર્ણ અને ખાતમુહૂર્ત દિલ્હીથી વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કર્યું હતું. આ કાર્યક્રમના પાંચ-છ કલાક બાદ તેઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે મારા 140 કરોડ પરિવારના સભ્યો સાથે વિશ્વાસ, સહયોગ અને સમર્થનનો આ મજબૂત સંબંધ મારા માટે કેટલો ખાસ છે તે શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ છે. તેમણે કહ્યું હતું કે 10 વર્ષોમાં અમારી સૌથી મોટી સફળતા સૌથી મોટી પૂંજી છે.
તેમણે લખ્યું હતું કે મારા પ્રિય પરિવારના સભ્યો, તમારું અને અમારું જોડાણ હવે એક દાયકા પૂર્ણ કરવા જઈ રહ્યું છે. મારા પરિવારના સભ્યોના જીવનમાં છેલ્લાં 10 વર્ષ જે સકારાત્મક પરિવર્તન આવ્યું છે તે અમારી સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ અને સૌથી મોટી સંપત્તિ છે. જીવનધોરણ સુધારવા અને દરેક નીતિ અને દરેક નિર્ણય દ્વારા ગરીબો, ખેડૂતો, યુવાનો અને મહિલાઓને સશક્ત બનાવવા માટે નિર્ધારિત સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રમાણિક પ્રયાસોના અર્થપૂર્ણ પરિણામો અમારી સામે છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા પાકું ઘર, બધા માટે વીજળી, પાણી અને ગેસની યોગ્ય વ્યવસ્થા, આયુષ્માન ભારત યોજના દ્વારા સારવારની વ્યવસ્થા, ખેડૂત ભાઈઓ અને બહેનોને આર્થિક મદદ, માતૃ વંદના યોજના દ્વારા માતાઓને મદદ જેવા ઘણા પ્રયાસો માત્ર એટલા માટે સફળ થયા, કારણ કે તમારો વિશ્વાસ મારી સાથે હતો.
PM Modi's Pre-Election #Letter: Unity, Development, and National Pride:
Before the announcement of Lok Sabha Election 2024 dates, PM Modi addressed the nation in a letter emphasizing a decade of unity and progress. He highlighted citizens' pride in cultural heritage alongside… pic.twitter.com/A3i64enoh0
ભારત, વિકાસ અને વિરાસત સાથે આગળ વધી રહ્યું છે, છેલ્લા એક દાયકામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું અભૂતપૂર્વ નિર્માણ જોવા મળ્યું છે, ત્યારે અમને આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય વારસાના પુનરુત્થાનનું સાક્ષી બનવાનું સન્માન પણ મળ્યું છે. આજે દરેક દેશવાસીઓ દેશ તેની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાને જાળવીને આગળ વધી રહ્યો છે તેના પર ગર્વ છે. તેમણે લખ્યું, તમારા વિશ્વાસ અને સમર્થનને કારણે જ GSTનો અમલ, કલમ 370 નાબૂદ, ટ્રિપલ તલાક પર નવો કાયદો, સંસદમાં મહિલાઓ માટે નારી શક્તિ બંધન કાયદો, નવા સંસદ ભવનનું નિર્માણ, આતંકવાદ અને નક્સલવાદ પર કઠોર પ્રહાર જેવા ઘણા ઐતિહાસિક અને મોટા નિર્ણયો લેવામાં પાછા પડ્યા નથી.
લોકશાહીની સુંદરતા જનભાગીદારી અને જન સહકારમાં રહેલી છે. મને દેશના કલ્યાણ માટે મોટા નિર્ણયો લેવા, મોટી યોજનાઓ બનાવવા અને તેનો સરળ અમલ કરવાની શક્તિ અને ઊર્જા તમારા વિશ્વાસ અને સમર્થનથી જ મળે છે. વિકસિત ભારતના નિર્માણ માટે દેશ જે સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે, તેને પૂર્ણ કરવા માટે મને તમારા વિચારો, સૂચનો, સમર્થન અને સહકારની જરૂર છે. મને વિશ્વાસ છે કે અમને તમારા આશીર્વાદ અને સમર્થન મળતું રહેશે. રાષ્ટ્ર નિર્માણ માટેના અમારા પ્રયત્નો થાક્યા વિના અને અટક્યા વિના ચાલુ રહેશે, આ મોદીની ગેરંટી છે, એમ તેમણે લખ્યું હતું.
નવી દિલ્હીઃ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટ હાજર થયા હતા. કોરટે EDના સમન્સ પર હાજર ના થવા પર તપાસ એજન્સી દ્વારા નોંધવામાં આવેલા બે કેસોમાં દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલને જામીન આપ્યા છે. દિલ્હીના મુખ્ય મંત્રીને આ જામીન IPCની કલમ 174ના ઉલ્લંઘન પર છે.
રાઉઝ એવન્યુ કોર્ટે બંને પક્ષકારોને સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા જણાવ્યું હતું. અરવિંદ કેજરીવાલના વકીલ રમેશ ગુપ્તાએ કહ્યું હતું કે ED દ્વારા સંપૂર્ણ દસ્તાવેજો આપવામાં આવ્યા નથી. તેમને આપવા જોઈએ. કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન માટે રૂ. 15,000ના જામીન બોન્ડ ભરવા જણાવ્યું હતું.ત્યાર બાદ કેજરીવાલના વકીલે કોર્ટને અરજ કરી હતી કે તેમના ક્લાયન્ટને જવા દેવામાં આવે અને આ મામલે દલીલો ચાલુ રાખવામાં આવે. રાઉઝ એવન્યુ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ દિલ્હીના સીએમ કોર્ટ રૂમમાંથી બહાર આવ્યા હતા. દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં EDએ સીએમ અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે આઠ વખત સમન્સ જારી કર્યા હતા, પરંતુ દિલ્હીના સીએમ કેજરીવાલ એક પણ વખત પણ હાજર નહોતા થયા.
સતત પાંચ સમન્સ બાદ પણ CM કેજરીવાલ EDની પૂછપરછમાં સામેલ ન થતાં તપાસ એજન્સીએ રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ બજેટ સત્ર અને દિલ્હી વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાને કારણે તે વર્ચ્યુઅલી કોર્ટમાં હાજર થયા હતા. હવે આ કેસ પરની સુનાવણી એક એપ્રિલે થશે, પણ હવે કેજરીવાલે વ્યક્તગત રીતે હાજર નહીં રહે તો ચાલશે..
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ ફરી એક વકરવા માંડ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 225 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે ત્રણ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,32,321 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.
હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.
દેશમાં અત્યાર સુધી 5,33,517 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,97,864 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 213 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1137 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,68,23,446 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 728 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.
આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકો છો. વેપારમાં નાનુંજ કામ કરવું હિતાવહ છે.
આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકારમળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામ કરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકેમોટા પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોય તે પૂરી થઇ શકે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, પ્રિયજનસાથે સારો સમય પસાર થઈ શકે.
આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટાશબ્દપ્રયોગ ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીઓળખાણ મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષભાષા ન બોલવી, ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોયકે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામજ યોગ્ય છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું, આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમન કરવું.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તાને લીધે થોડી માનસિકઅશાંતિ રહે, યુવાવર્ગ માટે ક્યાય વાર્તાલાપમાં ઉત્તેજનાને લીધે ગેરસમજના થાય તેનું ખાસ ધ્યાન રાખવું, આકસ્મિકનાણાકીયખર્ચ થાય અને તેની વ્યથા તમારા ચહેરા પર સ્પષ્ટ દેખાઈ પણ આવે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે.
આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળેકે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટે કે ભલામણ માટે જવાનું હોય તો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે.છે, કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં જોખમ ન કરવું સલાહ્ભર્યું છે.
આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ સારી વાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે, જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ તારી આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાયકે તમારી વાત જાણવાની જીજ્ઞાસા અન્યને વધી શકે છે પરંતુ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાસા જોવા મળી શકે છે. વેપારમાં જોખમ ન કરવું, પ્રિયજન સાથે કોઈ મતભેદ કે મનદુખના થાય તેની કાળજી રાખવી.
આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદરકે સંભારણા થાય તેવું બની શકે છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન પણ મળી શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
બેંગલુરુઃ બેંગલુરુમાં જળ સંકટ ઘેરું બની રહ્યું છે. ટેન્કર માફિયાઓ સ્થિતિનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. લોકો મોલમાં નાહવા-ધોવા જવા મજબૂર છે. લોકો બહારથી ખાવાનું મગાવી રહ્યા છે અને ડિસ્પોઝેબલમાં ખાવાનું ખાઈ રહ્યા છે, જેથી તેમણે વાસણો માંજવા ના પડે. અનેક સ્કૂલો અને ઓફિસો ઓનલાઇન થઈ ગઈ છે. આવામાં બેંગલુરુના લોકોને ફરી લોકડાઉનની યાદ આવવા લાગી છે. લોકો એકાંતરે નાહી રહ્યા છે.
જળ જીવન છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી દેશમાં પાણીની નિરંતર ખેંચ વર્તાઈ રહી છે. બેંગલુરુમાં હાલના સમયે જળસંકટ છે. એનાથી બદતર હાલત અન્ય રાજ્યોમાં પણ થઈ શકે છે. અનેક રિપોર્ટ્સ અને અભ્યાસ કહી રહ્યા છે કે ભારત જળસંકટ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.ભારતમાં વિશ્વની 17 ટકા વસતિ રહે છે, પણ શુદ્ધ પાણીનો સ્રોત ચાર ટકા છે. CWMI રિપોર્ટ મુજબ દેશમાં પ્રતિ વર્ષ બે લાખ લોકોનાં મોત થાય છે, કેમ કે તેમને સ્વચ્છ પાણી નથી મળતું. દેશમાં 75 ટકા ઘર એવાં છે, જ્યાં આજે પણ પીવાનું પાણી નસીબ નથી થતું. વર્ષ 2030 સુધી દેશની 40 ટકા વસતિ પાસે પીવાનું પાણી નહીં હોય. આ ખતરનાક વલણ બતાવી રહ્યું છે કે દેશમાં જળસંકટ ગંભીર સાબિત થવાનું છે. બેંગલુરુ તો હજી ટ્રેલર છે. આવનારાં વર્ષોમાં હવામાન, ગ્લોબલ વોર્મિંગ વધશે અને વરસાદની વધઘટ પણ વધશે.
દેશ ગ્રાઉન્ડ વોટર પર જરૂરતથી વધુ નિર્ભર છે. અહીં વિશ્વના 25 ટકા ગ્રાઉન્ડ વોટરનો ભારતમાં ઉપયોગ થાય છે. એમાં પણ 70 ટકા ગ્રાઉન્ડ વોટર પ્રદૂષિત થઈ ચૂક્યું છે.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે નવી ઇલેક્ટ્રિક વેહિકલ પોલિસીને મંજૂરી આપી છે. એનો હેતુ ભારતને ઇલેક્ટ્રિક વેહિકલના ઉત્પાદનનું હબ બનાવવાનો છે. એનો હેતુ આ ક્ષેત્રે કંપનીઓનું મૂડીરોકાણ આકર્ષવાનો છે. નવી પોલિસી હેઠળ કંપનીઓએ દેશમાં કમસે કમ રૂ. 4150 કરોડનું મૂડીરોકાણ કરવાનું રહેશે ને ત્રણ વર્ષની અંદર સ્થાનિક ઉત્પાદન સુવિધા સ્થાપિત કરવાની રહેશે. એ સાથે કંપનીઓએ કમસે કમ 25 ટકા કોમ્પોનન્ટ ઘરેલુ કંપની પાસેથી લેવાના રહેશે.
ટેસ્લા (Tesla) સહિત વિશ્વભરની ઇલેક્ટ્રી વાહન બનાવતી કંપનીઓ આ પોલિસીની રાહ જોઈ રહી હતી, તેથી તેમાં સૌથી વધુ વિદેશી રોકાણ પર ધ્યાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત નવી પોલિસી હેઠળ વિદેશી કંપનીઓના પ્રવેશ બાદ ઈવી ટેકનોલોજી પ્રોડક્શન ક્ષેત્રે ભારતનો નોંધપાત્ર વિકાસ થશે.
નવી નીતિ હેઠળ કંપનીઓને ઓછી આયાત ડ્યુટીએ (15 ટકા)એ 8000 ઇલેક્ટ્રિક વેહિકલ વાર્ષિક આયાત કરવાની મંજૂરી રહેશે. આ નિયમ 35,000 ડોલર અને ઉપરની કિંમતવાળી કારો પર લાગુ થશે. ભારત આયાતી કારો પર 70 ટકા કે 100 ટકા ટેક્સ લગાવે છે. જોકે સરકારની નવી નીતિ થકી મેક ઇન ઇન્ડિયા ઝુંબેશને પ્રોત્સાહન મળશે.
🔹Government approves E- Vehicle policy to promote India as a manufacturing destination for EVs
🔹Minimum Investment Rs 4,150 Cr required with no cap on maximum Investment
🔹3 years timeline for setting up manufacturing facilities in India, and start commercial production of…
સરકારના સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે ઈ-વેહિકલ સેગમેન્ટમાં ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓને ભારતમાં લાવવાનો પ્રયાસ કરાશે. આ પોલિસીથી દેશમાં ઈવી ઈકેસિસ્ટમ મજબૂત બનશે. આ ઉપરાંત ઈવી સેગમેન્ટની એડવાન્સ ટેકનોલોજી પણ ભારતમાં આવશે.
નવી પોલિસીથી ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા માટે ઝટકારૂપ છે. આ સ્થાનિક કંપનીઓ ઈવી આયાત પર ટેક્સ મુક્તિનો વિરોધ કરી રહ્યા હતા. આ આ કંપનીઓનું માનવું છે કે ટેક્સ ઘટ્યા બાદ ગ્લોબલ કંપનીઓને મોંઘી ઈવી કાર ભારતમાં લાવવાની સરળતા રહેશે.. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું હતું કે ભારત કોઈના પણ દબાણમાં આવ્યા વગર સ્વતંત્ર પોલિસી બનાવશે. અમે કોઈ એક કંપનીને ધ્યાને રાખી પોલિસી બનાવીશું નહીં. અમારો પ્રયાસ વિશ્વભરની તમામ ઈવી કંપનીઓને ભારત લાવવામાં રહેશે.
નવી દિલ્હીઃ સિટિઝન એમેડમેન્ટ એક્ટ (CAA)ને લઈને અમેરિકાના નિવેદન પર મોદી સરકારે આકરી પ્રતિક્રિયા આપી છે. CAA કાયદા પર અમેરિકાની ચિંતા ખોટી, અયોગ્ય અને અનપેક્ષિત છે. CAA ભારતનો આંતરિક મામલો છે. CAA નાગરિકતા આપતો કાયદો છે, લેવાવાળો નહીં, એમ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું.
તેમણે સ્પષ્ટ કર્યું હતું કે બંધારણ બધા નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતા આપે છે. અલ્પસંખ્યકો પ્રત્યે ચિંતાનો કોઈ આધાર નથી. અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે CAA પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે એક સવાલનો જવાબ આપતાં કહ્યું હતું કે અમે 11 માર્ચે નાગરિકતા સંસોધન કાનૂન હોવાથી ચિંતિત છીએ. ધાર્મિક સ્વતંત્રતાનું સન્માન અને કાનૂન હેઠળ બધા સમાજો પ્રત્યે સમાન વ્યવહાર મૌલિક લોકતાંત્રિત સિદ્ધાંત છે.
અમેરિકાને સ્પષ્ટ જવાબ આપતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે CAA અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બંગલાદેશના હિન્દુ, શીખ, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી સમુદાયોથી સંબંધિત અલ્પસંખ્યકોને સુરક્ષિત આશ્રય આપે છે. એનાથી કોઈની નાગરિકતા છીનવાતી નથી. CAA રાજ્ય વિહીનતાને મુદ્દે સંબોધિત કરે છે. માનવીય ગરિમા પ્રદાન કરે છે અને માનવાધિકારોનું સમર્થન કરે છે.
જ્યાં સુધી અમેરિકી વિદેશ વિભાગના નિવેદનને સંબંધ છે, ભારતનું બંધારણ બધા નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાની ગેરન્ટી આપે છે. અલ્પસંખ્યકો પ્રતિ કોઈ પણ ચિંતા અથવા વ્યવહારનો કોઈ આધાર નથી. મત બેન્કના રાજકારણના સંકટમાં ફસાયેલા લોકોની મદદ માટે એક પ્રશંસનીય પહેલ વિશે વિચાર નિર્ધારિત નહીં કરવો જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ એમની એક સ્પીચમાં કહેલું કે “સરકારેં આતી-જાતી રહેંગી, નેતા આતે-જાતે રહેંગે… કોઈ રહેં યા ન રહે, પર યે દેશ રહના ચાહિયે”… આ શુક્રવારે રિલીઝ થયેલી યોદ્ધાની વાર્તાના કેન્દ્રમાં અટલજીનું આ વાક્ય છે, જે હીરો સિદ્ધાર્થ મલ્હોત્રાને લાગુ પડે છે.
એક સમયનો ચૉકલેટ બૉય સિદ્ધાર્થ મલ્હોત્રા ઘણા વખતથી યુનિફૉર્મધારી સચ્ચા દેશભક્ત બનતો રહ્યો છે. 2018માં આવેલી ‘અય્યારી’થી લઈને ‘શેરશાહ’, ‘મિશન મજનૂ’, ‘ઈન્ડિયન પોલીસ ઑફિસર’ અને હવે ‘યોદ્ધા’… જેમાં એ જાંબાઝ દેશભક્ત આર્મી અફ્સર અર્જુન કાટ્યાલની ભૂમિકા ભજવે છે. અર્જુનના પપ્પા સુરીન્દર કાટ્યલે (રોનિત રૉયે) સ્થાપેલી ભારતીય લશ્કર દળની યોદ્ધા ટાસ્ક ફૉર્સ યુનિટનો અર્જુન બહાદુર અફ્સર છે. એક મોબાઈલ પરથી બીજા મોબાઈલ પર વૉટ્સઍપ મેસેજ પહોંચે એટલી ઝડપે તો એ અઘરાં મિશન પાર પાડી દે છે. એટલે જ્યારે ભારતીય વિમાનનું અપહરણ થાય છે ને એ ઈંધણ ભરાવવા અમૃતસર ઍરપૉર્ટ ઊતરે છે ત્યારે મૅગી નૂડલ્સની ઝડપે અરુણ સિચ્યુએશન પોતાના હાથમાં લઈ લે છે. નવી દિલ્હીના કન્ટ્રોલ રૂમમાં ઉપસ્થિત એક લાયક નહીં એવા રાજકારણીના લીધે મિશન અસફળ રહે છે, ભારતસરકારે ઘણાં સમાધાન કરવાં પડે છે. આ ઘોર નિષ્ફળતા બાદ યોદ્ધા ટાસ્ક ફૉર્સને સંકેલી લેવામાં આવે છે, અરુણ અને એની ટીમને સસ્પેન્ડ કરવામાં આવે છે, યુનિફૉર્મ, નોકરી, આબરૂ, સરકારની પત્ની પ્રિયંવદા, વગેરે (રાશિ ખન્ના) બધું જ ખોવું પડે છે… પત્ની સરકારની સત્તાવાર નેગોશિયટર છે, જે અપહરણ જેવી સિચ્યુએશનમાં ત્રાસવાદીઓ સાથે વાટાઘાટ કરે છે.
-અને આ દુર્ઘટના બાદ પરદા પર આપણને વાંચવા મળે છેઃ ‘કૂછ સાલ બાદઃ અ ફ્યુ યર્સ લેટર’. દિલ્હીથી લંડન જઈ રહેલા વિમાનમાં સાદા વેશમાં ઍર કમાન્ડર તરીકે ફરજ બજાવતા અરુણ સામે ફરી એક ચુનૌતી આવી પડે છે, ફરી વિમાન-અપહરણની સિચ્યુએશન છે, ને અર્જુન મંડી પડે છે. તે પછીની ફિલ્મ મિડઍર ડ્રામા પર આધારિત છે. અપહરણની આ બીજી સિચ્યુએશનને તેજ ગતિએ ભાગતો ડ્રામો બનાવવાની કોશિશમાં અનેક ઠેકાણે ફિલ્મ કોમિક બની ગઈ છે… દિશા પટણી બની છે આ વિમાનની ઍર હૉસ્ટેસ.
સાગર આમ્બ્રે-પુષ્કર ઓઝા દિગ્દર્શિત (સાગર સાહેબે ફિલ્મની વાર્તા પણ લખી છે) આ ઍક્શન થ્રિલરની પટકથામાં ખૂબ બધા ઝોલઝાલ છે. દાખલા તરીકે, ત્રાસવાદીઓ હાઈજૅક થયેલું પેટ્રોલ વિનાના વિમાનને અમૃતસર ઍરપૉર્ટ પરથી ઉડાડવા કહે છે, પાઈલટ કહે છે “આપણે આમ ઈંધણ વિના ઊડી જ ન શકીએ”, પ્લેનના કાર્ગો એરિયાનો દરવાજો ખુલ્લો છે, ત્રાસવાદી અરુણને વિમાનની બહાર ફંગોળી મૂકે છે… છતાં વિમાન ટેકઓફ્ફ થાય છે, પણ પછી એનું શું થાય છે?એ સર્જકો આપણને કહેતા નથી.વધુ હાસ્યાસ્પદ તો એ છે કે જાનના જોખમે અરુણ વિમાનનો દરવાજો ઉઘાડી એક મહત્વના પાત્રને બહાર કૂદી પડવા કહે છે, છતાં પેલો પોતાની જગ્યાએથી હાલતો નથી. શું કામ? ભઈ, પ્રેક્ષકોને ટેન્શન આપવાનું છે.
આવી ઊડી ને આંખે વળગે એવી ભૂલો તથા ઍરોનોટિક સાયન્સના અઢળક ગોટાળાને બાજુએ મૂકીને જોશો તો ‘યોદ્ધા’ માણી શકાય એવી છે. સિદ્ધાર્થ મલ્હોત્રાના કારકિર્દીનો કદાચ આ બેસ્ટ પરફોરમન્સ હશે. ટીવીએફની ‘સંદીપ ભૈય્યા’માં શીર્ષક ભૂમિકા ભજવનાર સની હિંદુજા અચંબામાં પાડી દે એવી ભૂમિકામાં છે. દિશા પટણી અને રાશિ ખન્ના ઓક્કે.
ઈન શૉર્ટ, કમજોર ટેકઓફ્ફ, ભારત-પાકિસ્તાનના સંબંધ વિશેના ઉભડક સીન્સ, તથા કથાકથનમાં અનેક ઠેકાણે ટરબ્યુલન્સ હોવા છતાં એન્ડમાં તમને આ એવરેજ ઍક્શન થ્રિલરની ફ્લાઈટ લેવાનો રંજ થતો નથી.