Home Blog Page 1958

રેલવેએ સિનિયર સિટિઝનોની છૂટને ખતમ કરીને 5800 કરોડની કમાણી કરી

નવી દિલ્હીઃ વર્ષ 2020માં વિશ્વમાં કોરોના રોગચાળો ફેલાયો હતો, ત્યારે રેલવેએ સિનિયર સિટિઝન્સને ભાડામાં અપાતી છૂટ રેલવેએ ખતમ કરી દીધી હતી. એ છૂટ હજી સુધી શરૂ નથી.છેલ્લાં ચાર વર્ષમાં રેલવેએ સિનિયર સિટિઝન્સને મળનારી છૂટને ખતમ કરીને રૂ. 5800 કરોડની કમાણી કરી હતી.

લોકડાઉન પહેલાં રેલવે તરફથી મહિલાઓને ભાડાંમાં 50 ટકા અને પુરુષોને 40 ટકા છૂટ મળે છે. એ સાથે ટ્રાન્સજેન્ડર સિનિયર સિટિઝન્સને 40 ટકા છૂટ મળે છે. રેલવે મુજબ 60 વર્ષીય અને એનાથી વધુ વયના પુરુષ અને ટ્રાન્સજેન્ડર અને 58 વર્ષ અને એનાથી વધુ વયની મહિલાઓ વરિષ્ઠ નાગરિક માનવામાં આવે છે. રેલવેએ આ સુવિધા ખતમ કર્યા પછી સિનિયર સિટિઝન્સે ટ્રેન યાત્રા માટે અન્ય યાત્રીઓની જેમ પૂરું ભાડું આપવાનું રહે છે.

મધ્ય પ્રદેશ સ્થિતિ ચંદ્રશેખર ગૌડે અલગ-અલગ સમયે RTI હેઠળ કેટલીય અરજી કરીને રેલવેથી માહિતી માગી હતી. એમાં તેમણે પૂછ્યું હતું કે સિનિયર સિટિઝન્સને છૂટ ખતમ કર્યા પછી કેટલો લાભ થયો છે?

ભારતીય રેલવેએ એનો જવાબ આપતાં કહ્યું હતું કે સિનિયર સિટિઝન્સ માટે છૂટ પરત લીધા પછી 20 માર્ચ, 2020થી 31 જાન્યુઆરી, 2024 સુધી રેલવેને રૂ. 5875 કરોડથી વધુની આવક રળી છે.

RTI દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી મુજબ છેલ્લાં ચાર વર્ષમાં આશરે 13 કરોડ પુરુષ, નવ કરોડ મહિલાઓ અને 33,700 ટ્રાન્સજેન્ડર વરિષ્ઠ નાગરિકોએ સામાન્ય નાગરિકોની જેમ પૈસા આપીને ટ્રેનમાં યાત્રા કરી હતી.

 

 

 

 

કેજરીવાલ મુખ્યમંત્રી હતા, છે અને રહેશે : AAP

આમ આદમી પાર્ટીના કેટલાક ધારાસભ્યો મંગળવારે જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલને મળ્યા હતા. આ ધારાસભ્યોએ સુનીતા કેજરીવાલ સાથે બેઠક પણ કરી હતી. આ દરમિયાન તમામ ધારાસભ્યોએ એક જ વાત કહી કે કેજરીવાલે કોઈપણ ભોગે સીએમ પદ પરથી રાજીનામું ન આપવું જોઈએ. તમામ ધારાસભ્યોએ એક અવાજે કહ્યું કે દિલ્હીના 2 કરોડ લોકો કેજરીવાલજી સાથે ઉભા છે. કોઈપણ ભોગે રાજીનામું ન આપો, જેલમાંથી જ સરકાર ચલાવો. આમ આદમી પાર્ટી અનુસાર, 55 ધારાસભ્યો સીએમ આવાસ પર ગયા છે અને સુનિતા કેજરીવાલને મળ્યા છે જ્યારે સત્યેન્દ્ર જૈન અને મનીષ સિસોદિયા જેલમાં છે. આ સિવાય 4 ધારાસભ્યો દિલ્હીની બહાર છે.

આ ધારાસભ્યો અને મંત્રીઓ કેદરીવાલના ઘરે પહોંચ્યા હતા

કેજરીવાલના નિવાસસ્થાને પહોંચેલા ધારાસભ્યોમાં આતિષી, સૌરભ ભારદ્વાજ, ગોપાલ રાય, દુર્ગેશ પાઠક, પ્રહલાદ સાહની, બીએ જૂન, રાજેશ ગુપ્તા, પ્રમિલા ટોકસ, રાજકુમારી ધિલ્લોન, સંજીવ ઝા, ભાવના ગૌર, સહીરામ પહેલવાન અને અબ્દુલ રહેમાન સુનિતા કે જે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને મળવા માટે. આ સિવાય દિલ્હી સરકારના મંત્રી કૈલાશ ગેહલોત, રાજકુમાર આનંદ, ઈમરાન હુસૈન પણ સિવિલ લાઈન્સ પહોંચ્યા હતા.

આ ધારાસભ્ય સુનિતાજીને મળવા માંગતા હતા

સુનીતા કેજરીવાલને મળવા અંગે દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે જ્યારથી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે ત્યારથી ઘણા ધારાસભ્યો સુનીતા કેજરીવાલને મળવા માંગતા હતા. તે શોધી શક્યા નથી. ત્યારબાદ તેઓ ધરણા અને રેલીમાં વ્યસ્ત હતા, તેથી તમામ ધારાસભ્યો આજે એટલે કે મંગળવારે સુનીતા કેજરીવાલને મળવા આવ્યા હતા.

સૌરભ ભારદ્વાજે કહ્યું કે મીટિંગ દરમિયાન લગભગ બે ડઝન ધારાસભ્યોએ સુનિતાજીને કહ્યું કે ભાજપ મુખ્યમંત્રી પર રાજીનામું આપવા માટે ઘણું દબાણ કરશે, જેમ કે લોકપાલ સમયે કરવામાં આવ્યું હતું. જ્યારે તેણે રાજીનામું આપ્યું ત્યારે તેણે કહ્યું કે તે ભાગી ગયો હતો. ધારાસભ્યોએ કહ્યું કે હવે માત્ર સુનિતાજી જ તેમને અમારો સંદેશ પહોંચાડશે, તેથી અમે બધા ઈચ્છીએ છીએ કે તેઓ રાજીનામું ન આપે અને જેલમાંથી જ સરકાર ચલાવે. તેમને (અરવિંદ કેજરીવાલ)ને સંદેશો પહોંચાડવો જોઈએ કે તેઓ ભવિષ્યમાં પણ મુખ્યમંત્રી હતા, છે અને રહેશે.

કોંગ્રેસના લોકસભા ઉમેદવારોની વધુ એક યાદી જાહેર

કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે 17 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ આંધ્ર પ્રદેશમાં પાંચ, બિહારમાં ત્રણ, ઓડિશામાં આઠ અને બંગાળની એક બેઠક પર તેના ઉમેદવારોની જાહેરાત કરી છે.

વાયએસ શર્મિલા રેડ્ડીને આંધ્રપ્રદેશના કડપાથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે બિહારના કટિહારથી તારિક અનવરને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. જ્યારે ભાગલપુરથી અજીત શર્માને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ઓડિશામાં આગામી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોના નામોની યાદી બહાર પાડવામાં આવી છે.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આંધ્રપ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોના નામોની યાદી બહાર પાડવામાં આવી છે.

લિકર કૌભાંડઃ આપના સાંસદ સંજય સિંહને ‘સુપ્રીમ’ રાહત

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહને કોર્ટથી રાહત મળી છે. સંજય સિંહ જામીન પર બહાર આવ્યા પછી રાજકીય કામગીરીમાં ભાગ લઈ શકશે. જોકે સંજય સિંહને જામીન આપતી વખતે કોર્ટે આપ નેતાને સલાહ આપી હતી કે તેઓ દિલ્હીની લિકર નીતિથી જોડાયેલા મની લોન્ડરિંગ મામલે કોઈ ટિપ્પણી ના કરે.

આ પહેલાં કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને સવાલ કર્યો હતો કે શું કથિત દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડના સંબંધમાં ધરપકડ કરાયેલ આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને લાંબા સમય સુધી કસ્ટડીમાં રાખવાની જરૂર છે?.

સંજય સિંહની દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ચોથી ઓક્ટોબરે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ પછી સંજય સિંહે દિલ્હી હાઈકોર્ટમાં જામીન માટે અરજી પણ કરી હતી, પરંતુ તેને ફગાવી દેવામાં આવી હતી. સંજયસિંહ સિંહને જામીન આપવાનો ઇનકાર કરતી વખતે ન્યાયાધીશે કહ્યું હતું કે પુરાવા દર્શાવે છે કે આરોપી મની લોન્ડરિંગમાં સંડોવાયેલો હતો.

સુપ્રીમ કોર્ટમાં ત્રણ જજ સંજીવ ખન્ના, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ પીબી વરાલેની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી હતી. સંજય સિંહના વકીલે કોર્ટને કહ્યું હતું કે મની લોન્ડરિંગની પુષ્ટિ થઈ નથી અને મની ટ્રેલ પણ મળી નથી. આમ છતાં સંજય સિંહ 6 મહિનાથી જેલમાં છે.

AAP સાંસદના વકીલની અરજી પર કોર્ટની બેન્ચે નોંધ્યું હતું કે સંજય સિંહના કબજામાંથી કોઈ પૈસા મળ્યા નથી અને તેમની પાસેથી રૂ. બે કરોડની લાંચ લેવાના આરોપોની તપાસ થઈ શકે છે.

EDએ વિરોધ નહોતો કર્યો

EDએ હાઈકોર્ટમાં AAP સાંસદની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. સંજય સિંહે આ આધાર પર જામીન માગ્યા હતા કે તે ત્રણ મહિનાથી વધુ સમયથી કસ્ટડીમાં છે અને આ ગુનામાં તેની કોઈ ભૂમિકા નથી. તપાસ એજન્સીએ હાઈકોર્ટમાં જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને દાવો કર્યો હતો કે સંજય સિંહ પોલિસી પિરિયડ 2021-22થી સંબંધિત દિલ્હી દારૂ કૌભાંડમાંથી ઉઘરાવવામાં આવેલા ભંડોળને રાખવા, છુપાવવામાં અને ઉપયોગ કરવામાં સામેલ હતા.

 

 

 

 

 

 

 

છત્તીસગઢમાં મોટું ઓપરેશન, 9 નક્સલી ઠાર

છત્તીસગઢના બીજાપુરમાં ફરી એકવાર સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું છે. એન્કાઉન્ટરમાં 9 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. આ સિવાય અનેક નક્સલવાદીઓ ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ છત્તીસગઢમાં સુરક્ષાદળોએ નક્સલવાદીઓ વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે. આ ઓપરેશન હેઠળ સુરક્ષા દળોની ટીમ બીજાપુર જિલ્લાના નક્સલ પ્રભાવિત વિસ્તાર ગંગાલુર વિસ્તારમાં ગઈ હતી. આ દરમિયાન સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.

9 નક્સલવાદીઓ માર્યા ગયા

કહેવામાં આવી રહ્યું છે કે નક્સલવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોના જવાબી ગોળીબારમાં 9 નક્સલવાદીઓ સ્થળ પર જ માર્યા ગયા હતા. આ સિવાય અનેક નક્સલવાદીઓ ગોળીઓથી ઘાયલ થયા હતા.

સોમવારે પણ એન્કાઉન્ટર થયું હતું

તમને જણાવી દઈએ કે સોમવારે છત્તીસગઢ અને તેલંગાણાના સરહદી વિસ્તારોમાં નક્સલવાદીઓ સાથે અથડામણ થઈ હતી. જેમાં એક નક્સલી માર્યો ગયો હતો. સુરક્ષા દળોએ ઘટનાસ્થળેથી હથિયારો પણ જપ્ત કર્યા છે.

બસ્તરમાં 19મી એપ્રિલે મતદાન થશે

નોંધનીય છે કે બસ્તર લોકસભા સીટ માટે પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. ચૂંટણી પહેલા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ એલર્ટ મોડ પર છે. ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે સુરક્ષા દળો દ્વારા નક્સલવાદીઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

 

રૂપાલા વિવાદમાં ભાજપે ક્ષત્રિય સમાજની માફી માગી

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણીની પહેલાં ગુજરાતમાં પરસોત્તમ રૂપાલાના નિવેદનનો વિવાદ શમવાનું નામ નથી લેતો. જોકે ક્ષત્રિયોના રોષને ઠારવા માટે હવે રાજ્યની ભાજપ સરકારે મોરચો સંભાળ્યો છે. ગાંધીનગરમાં રાજ્યના ભાજપના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલના ઘરે મહત્ત્વની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશપ્રમુખ પાટીલ સાથે ભાજપના ક્ષત્રિય નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ સી. આર પાટીલે પત્રકાર પરિષદમાં ક્ષત્રિય સમાજને પાર્ટી સાથે ફરીથી જોડાવા માટે હાથ જોડીને વિનંતી કરી છે.

સમાજનો રોષ સ્વાભાવિક છે પણ હવે જ્યારે માફી માગી છે ત્યારે ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને અમને માફ કરે. પાર્ટીના આગેવાનો પણ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિનો સંપર્ક કરવાના છે તેમને મળવાના છે. આવતી કાલે સમાજ સાથે બેઠક કરવામાં આવશે, અને તેમને સાંભળવામાં આવશે અને ધીરે-ધીરે વાતાવરણ શાંત બને એ માટેના પ્રયત્નો કરાશે. આ સાથે તેમણે કહ્યું હતું કે હું હાથ જોડીને ક્ષત્રિય સમાજને વિનંતી કરું છું કે ભૂલ થઈ છે એના માટે માફી પણ મગાવી છે. ક્ષત્રિય સમાજ પાર્ટી સાથે વર્ષોથી રહ્યા છે. તો પાર્ટી સાથે ફરીથી જોડાય.

બીજી બાજુ રૂપાલા સામે ઠેર-ઠેર ક્ષત્રિય સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે. ત્યારે આજે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રિય સમાજના અલગ-અલગ સંગઠનના લોકો પહોંચ્યા હતા. આ રેલીમાં 1000થી વધુ ક્ષત્રિયો જોડાયા હતા. આ રેલીમાં રૂપાલા હટાવો, દેશ બચાવોના નારા લાગ્યા હતા.

બીજી બાજુ, ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ કાપવાના નિર્ણય પર મક્કમ છે. આ દરમિયાન ભૂતપૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ વિવાદમાં ઝુકાવ્યું છે. શંકરસિંહે કહ્યું હતું કે ભાજપની લુખ્ખી દાદાગીરી સામે ચૂપ ન રહેવાય. ભાજપની માનસિકતા જ ક્ષત્રિયવિરોધી રહી છે. શંકરસિંહે રૂપાલાની ટિકિટ કાપીને બીજા કોઈને ઉમેદવાર બનાવવામાં આવે તેવી વાતને ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું કે ભાજપ ક્ષત્રિય સમાજની માગને નહીં સ્વીકારે તો સ્થિતિ વકરશે. કોઈ પણ સમાજનું અપમાન કરવામાં આવે તે યોગ્ય નથી. ઉમેદવાર નહીં બદલાય તો રૂપાલાના નિવેદનને ભાજપનું સમર્થન છે એવું ગણવામાં આવશે.

 

 

 

 

 

 

વર્લ્ડ ઓટિઝમ જાગૃતિ દિવસ: દર 36માંથી 1 બાળક ઓટિઝમનો શિકાર

અમદાવાદ: તમે ઘણા એવા બાળકો જોયા હશે જેમને યોગ્ય રીતે બોલવામાં અને સમજવામાં તકલીફ પડે છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે કેટલાંક બાળકોને ડેવલપમેન્ટલ પ્રોબ્લેમ્સનું જોખમ હોઈ શકે છે, જે માત્ર તેમના શારીરિક વિકાસને જ નહીં પરંતુ મગજ પર પણ નકારાત્મક અસર કરી શકે છે. તબીબી પરિભાષામાં આવી સમસ્યાને ઑટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર કહેવામાં આવે છે. દર વર્ષે 2 એપ્રિલને ‘વર્લ્ડ ઑટીઝમ જાગૃતિ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વભરના બાળકોમાં જોવા મળતી આ સમસ્યા વિશે લોકોને જાગૃત કરવા અને સમયસર સારવાર માટે પ્રેરિત કરવાના ઉદ્દેશ્ય સાથે આ દિવસ ઉજવવામાં આવે છે.દુનિયાભરના વૈજ્ઞાનિકો, ડૉક્ટર્સ કે જીનેટિશયન આ બીમારી થવાના કારણો વિશે જાણવાનો પ્રયત્ન કરે છે. પરંતુ કોઈ ચોક્કસ કારણ સુધી પહોંચી શક્યા નથી. પરંતુ મેડિકલ હિસ્ટ્રી, નવા તેમજ જૂના કેસોનો અભ્યાસ, તેમાં રહેલી સમાનતા-વિસંગતા પરથી તેઓ કેટલાંક તારણો પર પહોંચ્યા છે. જેમાં મુખ્ય બે કારણો સામે આવ્યાં છે. એક તો પર્યાવરણમાં રહેલ પ્રદૂષણ તેમજ બીજું આનુવંશિક કારણો. માતાના શરીરમાં રહેલું Chronic Infection બાળકના માનસિક વિકાસને ગર્ભવસ્થા દરમિયાન અસર કરે છે. જેમ કે Toch Infection  અથવા તો Tuberculosis. આ ઉપરાંત વાતાવરણમાં રહેલું પ્રદૂષણ, પાણીમાં જોવા મળતું ઈન્સેક્ટી સાઈડ, પેસ્ટીસાઈડનું વધુ પડતું પ્રમાણ પણ કારણ હોય શકે છે. સેરોટોનીન અને ન્યુરોટ્રાન્સમીટરને લગતી બીમારી પણ બાળકને ઑટિઝમ થવા માટે કારણભૂત હોય શકે છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના આંકડા પ્રમાણે 2024ના વર્ષમાં દર 36માંથી 1 બાળકમાં ઑટિઝમ જોવા મળે છે. આ દર વર્ષ 2010માં 68 બાળકે 1 બાળકનો, જ્યારે વર્ષ 2000માં 150 બાળકે 1 બાળકમાં જોવા મળતો હતો. આ આંકડાઓ ભયજક ઝડપે વધી રહેલી બીમારીનો ગ્રાફ દર્શાવે છે. કારણ કે આ સંખ્યા કેન્સર, ડાયાબિટીસ અને HIV પીડિત બાળકોના સરવાળા કરતાં વધારે છે. ભારત દેશમાં દર ૧૫૦માંથી એક બાળકને ઓટીઝમ જોવા મળે છે.ઑટિઝમના લક્ષણોમાં બાળક બોલતું ન હોય, નજર ના મિલાવે, ચીસ પાડી ઊઠે, અવાજ વધુ સાંભળે, હાથ વધુ હલાવે છે. તે માટે ચાઈલ્ડહુડ ઑટિઝમ રેટિંગ સ્કેલ (CARS) ટેસ્ટ કરાવવો,  જે બાળકોના ડોક્ટર કે સાયકોલોજિસ્ટની સલાહથી કરવામાં આવતા હોય છે. જો આ રિપોર્ટ પોઝિટિવ આવે તો બાળકને ગ્લુટેન(GLUTEN) ફ્રી, GFCF ડાયેટ તેમજ સુગર ફ્રી ડાયટ આપવામાં આવે છે. આવા બાળકને ઘઉં કે જવની વસ્તુ ન આપવી જોઈએ. જે બાળકમાં ઑટિઝમ કન્ફર્મ થાય તેને દૂધની બનાવટ એટલે કે પ્રાણીજન્ય મિલ્કની બનાવટ ન આપો. સાથે-સાથે રોજ સવાર-સાંજ 60 મિનિટ દોડાવવા, ચલાવવા કે સાયકલિંગ કરાવવાથી પરિસ્થિતિમાં સુધારો જોવા મળશે. લાઈમ ડિસીઝ હોય તેવાં બાળકોને  સ્વિમિંગથી લાભ થાય છે. તેનાથી સેલ એક્ટિવ થાય છે. ઑટિઝમ ધરાવતાં 500થી વધુ બાળકો સ્વિમિંગ કોચની દેખરેખ હેઠળ સ્વિમિંગ શીખ્યા છે અને સારા પરિણામ પણ મેળવ્યા છે. સમાજમાં અવેરનેસ માટે ઑટીઝમને વહેલું આઈડેન્ટીફાય કરવું ખુબ જ જરૂરી છે. બાળકનું કાઉન્સેલીંગ, સાથે ખોરાક પર ખાસ ધ્યાન આપવું જોઈએ. બને તેટલી વહેલી સારવાર કરાવવાથી બાળકને સંપૂર્ણ નોર્મલ થતા ત્રણ વર્ષ લાગે છે અને તે નોર્મલ લાઈફ જીવી શકે છે.

ડોક્ટર કેતન પટેલ અમદાવાદમાં હોમિયોપેથીકના અનુભવી ડોક્ટર છે. છેલ્લા 32 વર્ષથી તેમની તબીબી સારવારમાં છેલ્લા 21 વર્ષથી તેઓ ઓટિઝમ પર રિસર્ચ સાથે-સાથે ઓટીઝમ ધરાવતા અને જીનેટિક ખામી ધરાવતાં બાળકની સારવાર કરે છે. ભારતભરમાં સાત મોટા શહેરોમાં ઓટિઝમ અને ચાઈલ્ડ ન્યુરોલોજી ડિસઓર્ડર અંગે સેવા આપે છે. હોમિયોપેથીક તબીબ હોવા છતાં મેડિકલ રિસર્ચ પર ભાર મૂકવાના કારણે તેમના પાંચથી વધારે રિસર્ચ પેપર દુનિયાની અગ્રણી મેડિકલ જનરલમાં પ્રકાશિત થયા છે. ઓટીઝમ સારવારમાં રિસર્ચમાં આ પ્રકારનું કામએ ભારત માટે ગૌરવપ્રદ બાબત છે.

ઓટીઝમની સારવારમાં દેશમાં મહત્વનો ભાગ ભજવનારા અમદાવાદના ડો. કેતન પટેલ સાથે ચિત્રલેખા.કોમે વાત કરી. તેમણે 20,000થી વધુ દેશ-વિદેશના બાળકોની સારવાર કરી. તેમાંથી 70% બાળકોને મેઇન સ્ટ્રીમમાં લાવ્યા છે. તેઓ જણાવે છે કે, હોમિયોપેથી થકી 120 દિવસની સારવારમાં બાળકમાં સુધારો જોવા મળે છે. ત્યારબાદ દર ૩૩ દિવસમાં સુધારા થતો જોવા મળે છે, જે માટે ધીરજ સાથે બાળકને 24 થી 36 મહિનાની સારવાર આપવામાં આવે છે. આ પૈકી જે બાળકોમાં સુધારો જોવા ન મળ્યો હોય તેવા બાળકોમાં જિનેટિક અને મેટાબોલિઝ્મ રિપોર્ટ કરાવવાનુ કહેવામાં આવે છે. તેમાં જીનેટીક અને મેટાબોલિક AB નોર્મલીટી જોવા મળીને તેના માટે જવાબદાર જીન-રંગસુત્રને ઓળખી તેના લક્ષણો પ્રમાણે સારવારની સાથે જીનેટીશિયન તબીબ જૂથ સાથે તેમનું કાઉન્સિલિંગ કરાવવામાં આવે છે. બાળકની બીમારી વિશે પેરેન્ટ્સને વિગતવાર માહિતગાર કરાય છે. જે ખાસ જરૂરી છે. હોમિયોપેથીક સારવાર આ બીમારીમાં અસરકારક છે. જેમ કે બાળકના મગજનો વિકાસ અટકી ગયો હોય, તેને દૂર કરી મગજનો વિકાસ કરે છે. સાથે સંકળાયેલી બીમારી જેમ કે લીકિગટ સિન્ડ્રોમ, લાઈમ ડીસીઝ, મગજનો સોજો, હેવી મેટલ તેમજ હોર્મોન ઇમ્બેલેન્સને સરખું કરી મગજનો વિકાસ કરે છે. એટલું જ નહીં સ્પેશિયાલીટી હોમિયોપેથીના ડો. કેતન પટેલ  જણાવે છે કે,  દુનિયાના ડોક્ટરો જો પોતાનું બાળક ઓટિઝમથી પીડિત હોય તો તેને હોમિયોપેથી સારવાર આપવાનું પહેલા પસંદ કરે છે.

વિસ્તારાની એકસાથે 100 ફ્લાઇટ કેમ રદ થઈ?

નવી દિલ્હીઃ ગયા સપ્તાહે ટાટા ગ્રુપની વિસ્તારાની અનેક ફ્લાઇટ્સ રદ થઈ હતી, જ્યારે કેટલીય ફ્લાઇટ વિલંબ સાથે ઉડાન ભરી હતી. આવામાં પેસેન્જરોએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હવે નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MOCA)એ ટાટાની એરલાઇન્સ વિસ્તારા પાસે જવાબ માગ્યો છે. એમાં મંત્રાલયે એરલાઇનને સવાલ કર્યો હતો કે કેમ ફ્લાઇટ લેટ અને રદ થઈ હતી.

સોમવારે પણ વિસ્તારાએ પાઇલટ્સની ઘટને કારણે 50થી વધુ ફ્લાઇટ રદ કરી દીધી હતી. આજે પણ આશરે 70 ફ્લાઇટ્સ રદ થવાની અપેક્ષા છે. કંપની છેલ્લા કેટલાક સમયથી પાઇલટ્સની ઘટ અને સંચાલનથી જોડાયેલી સમસ્યાઓનો સામનો કરી રહી છે.

છેલ્લા કેટલાક દિવસોમાં ટાટા ગ્રુપ અને સિંગાપોર એરલાઈન્સની એરલાઈન કંપની વિસ્તારાની ફ્લાઈટ કેન્સલ કરવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં વિસ્તારાની 70થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. તે જ સમયે, આજે પણ આ એરલાઇન કંપનીની લગભગ 60 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આ પહેલા સોમવારે એરલાઈન્સે લગભગ 50 ફ્લાઈટ્સ કેન્સલ કરી હતી. હવે MoCAએ આ મામલે એરલાઇન કંપની પાસેથી રિપોર્ટ માંગ્યો છે. વિસ્તારાએ સોમવારે આ માહિતી આપતાં કહ્યું હતું કે તે કામગીરી સુધારવાનો પ્રયાસ કરી રહી છે.

એરલાઇનના પ્રવક્તાનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં, વિવિધ ઓપરેશનલ કારણોસર, વિસ્તારા એરલાઇન્સે ફ્લાઇટ રદ અને વિલંબ થયું છે. તેમણે કહ્યું હતું કે એરલાઇન્સ પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે.

કંપનીના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં ક્રૂની અનુપલબ્ધતાને કારણે મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ અને વિલંબનો સામનો કરવો પડ્યો છે. અમે આ સ્વીકારીએ છીએ અને ગ્રાહકોને પડેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ. કંપનીએ કહ્યું કે તેઓ પૂરતી કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા માટે ફ્લાઇટ્સની સંખ્યાને અસ્થાયી રૂપે મર્યાદિત કરશે.

કંપનીના ફ્લીટના ફર્સ્ટ અધિકારીઓ નવા કોન્ટ્રેક્ટ્સ હેઠળ સેલરીમાં કાપનો વિરોધ કરી રહ્યા છે. કંપનીના પ્રવક્તાએ કહ્યું હતું કે ક્રૂની અછતને કારણે પણ ફ્લાઇટ્સ રદ કે વિલંબિત થઈ રહી છે.

 

 

 

આતિશી, સૌરભ ભારદ્વાજ, રાઘવ ચઢ્ઢા પણ જેલ જશેઃ મંત્રીનો દાવો

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હીની કેજરીવાલ સરકારમાં શિક્ષણ મંત્રી આતિશી માર્લેનાએ પત્રકાર પરિષદ કરીને ભાજપની કેન્દ્ર સરકાર અને ED પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે દાવો કર્યો છે ભાજપ તરફથી તેમને પાર્ટીમાં સામેલ થવાની ઓફર મળી છે. એ સાથે તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપમાં સામેલ ના થવા પર તેમની ધરપકડ કરીને જેલમાં નાખી દેવામાં આવશે. એ સાથે તેમણે દાવો કર્યો છે કે ED હવે તેમની સાથે-સાથે સૌરભ ભારદ્વાજ, દુર્ગેશ પાઠક અને રાઘવ ચઢ્ઢાની પણ ધરપકડ કરશે.

દિલ્હી સરકારના મંત્રી આતિશીએ પત્રકાર પરિષદમાં કહ્યું કે મને મારા નજીકના વ્યક્તિ દ્વારા ભાજપમાં જોડાવાની ઓફર કરવામાં આવી હતી. તેમણે વધુમાં કહ્યું કે આગામી થોડા દિવસોમાં વધુ કેટલાક AAP નેતાઓની ધરપકડ કરવામાં આવશે. વડા પ્રધાન અને ભાજપે તેમનું મન બનાવી લીધું છે કે તેઓ આમ આદમી પાર્ટી અને તેના તમામ નેતાઓને ખતમ કરવા માગે છે. આગામી થોડા દિવસોમાં આમ આદમી પાર્ટીના ચાર નેતાઓ, હું, સૌરભ ભારદ્વાજ, દુર્ગેશ પાઠક અને રાઘવ ચઢ્ઢાને જેલમાં નાખવાની યોજના બનાવવામાં આવી રહી છે.

દિલ્હી સરકારની મંત્રીએ કહ્યું હતું કે આગામી દિવસોમાં મારા ઘરે અને મારા સંબંધીઓના સ્થળો પર દરોડા પડી શકે છે અને તે પછી ઈડી દ્વારા અમને નોટિસ મોકલવામાં આવશે અને બાદમાં ધરપકડ કરવામાં આવશે. તેમણે કહ્યું કે અમે ભગત સિંહના શિષ્ય છીએ અને આ સરકારથી ડરતા નથી. જોકે ઈડીના દાવા મુજબ, કેજરીવાલે વિજય નાયર વિશે કહ્યું હતું કે તે મારો માણસ છે, તેના પર વિશ્વાસ કરો. ઈડીએ દાવો કર્યો હતો કે આ ષડયંત્ર વિજય નાયર અને અન્ય કેટલાક લોકોએ સાઉથ ગ્રુપ સાથે મળીને આચર્યું હતું અને વિજય નાયર મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અને તત્કાલીન ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા માટે કામ કરતો હતો

 

 

 

 

 

 

કોરાનાના 55 નવા કેસો, ચારનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 55 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે ચાર જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,34,422 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,556 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,00,231 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 88 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 718 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,93,299 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 10 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.