Home Blog Page 1823

૧૮ મે, ૨૦૨૪

ફરાહ ખાનની ‘મૈં હૂં ના’ માં અનેક કલાકારો બદલાયા

નિર્દેશિકા ફરાહ ખાન માટે ફિલ્મ ‘મૈં હૂં ના’ (૨૦૦૪) ના કલાકારો પસંદ કરવાનું કામ શાહરૂખ ખાન-સુષ્મિતા સેન સિવાય મુશ્કેલ રહ્યું હતું. શાહરૂખ ખાને તરત જ સંમતિ આપી દીધી હતી. હીરોઈન તરીકે સુષ્મિતાને લેવાનો વાયદો અગાઉથી જ ફરાહે કર્યો હતો. મુખ્ય જોડી પસંદ થઈ ગયા પછી બીજી જોડી પસંદ કરવામાં ઘણી મુશ્કેલી પડી હતી. બીજા હીરો ઝાયેદ ખાનની ‘લક્ષ્મણપ્રસાદ શર્મા’ ની ભૂમિકા માટે ઘણા હીરોએ ના પાડી દીધી હતી. સૌથી પહેલાં રિતિક રોશન સાઇન કરવામાં આવ્યો હતો. પરંતુ ફિલ્મ શરૂ થાય એ પહેલાં તેની ‘કહો ના પ્યાર હૈ’ (૨૦૦૦) રજૂ થઈ ગઈ હતી અને એ સ્ટાર બની ગયો હતો એટલે ના પાડી દીધી હતી.

એ પછી અભિષેક બચ્ચનનો સંપર્ક કર્યો હતો. એની સાથે મેળ પડ્યો નહીં. એ ઉપરાંત સોહેલ ખાન વગેરે અનેક સાથે વાત થઈ હતી. પણ શુટિંગને એક મહિનો બાકી રહ્યો ત્યાં સુધી કોઈ હીરો તૈયાર થયો ન હતો. ત્યારે ઝાયેદ ખાન માટે વિચાર કર્યો. એની સંગીત સિવાન નિર્દેશિત ફિલ્મ ‘ચુરા લિયા હૈ તુમને’ (૨૦૦૩) રજૂ થઈ ગઈ હતી. એણે પોતાની ફિલ્મના કેટલાક ફૂટેજ જોવા ફરાહને બોલાવી હતી. ફરાહને એના દ્રશ્યો ગમ્યા નહીં. એનું કામ જોઈને ખાસ પ્રભાવિત થઈ નહીં. પણ એનું હાસ્ય અને બીજી એક-બે વાતો ગમી ગઈ હતી. અને એને ભૂમિકા સોંપી દીધી હતી. બીજી હીરોઈન (સંજના) ની ભૂમિકામાં અમૃતા રાવ પહેલાં ઘણી હીરોઈનો બદલાઈ હતી. સૌથી પહેલાં આયેશા ટાકિયાને સાઇન કરી હતી. ત્યારે એ ‘સોચા ના થા’ (૨૦૦૫) માં કામ કરતી હતી.

ફરાહ આયેશાને કોસ્ચ્યુમ પહેરાવીને જોવા માગતી હતી. નિર્દેશક ઇમ્તિયાઝ અલીએ છેલ્લું એક ગીતનું ચાર-પાંચ દિવસનું શુટિંગ બાકી છે એ પતાવીને છોડશે એમ કહી યુનિટ સાથે આયેશાને હિમાચલપ્રદેશ લઈ ગયા હતા. આયેશા પાંચ દિવસનું કહીને ગઈ હતી પણ પાંચ અઠવાડિયા સુધી પાછી ના આવી. પરિસ્થિતિ એવી હતી કે ‘ચલે જૈસે હવાએ’ ગીતનું રિહર્સલ કરવાનું હતું. કેમકે એક જ વખતમાં એનું શુટિંગ પૂરું કરવાનું આયોજન કર્યું હતું. આખું યુનિટ દાર્જીલિંગ જવા તૈયાર થઈ રહ્યું હતું. ફરાહે આયેશાને છોડીને બીજી છોકરીઓનો સ્ક્રિન ટેસ્ટ લેવાનું શરૂ કરી દીધું અને એક જાહેરાતમાં અમૃતાને જોઈ હોવાથી એને બોલાવી હતી. એ યોગ્ય લાગતાં સાઇન કરી લીધી હતી. ‘રાઘવન દત્તા’ ની ભૂમિકા પણ અનેક પાસે જઈને છેલ્લે સુનીલ શેટ્ટી પાસે પહોંચી હતી.

ફરાહે પહેલાં નસીરુદ્દીન શાહને કહ્યું હતું. એમણે ના પાડ્યા પછી કમલ હસનનો સંપર્ક કર્યો હતો. શાહરૂખે એવો વિશ્વાસ અપાવ્યો હતો કે એમણે ‘હે રામ’ માં સાથે કામ કર્યું હોવાથી એ ના પાડશે નહીં. એમણે એક દિવસ પછી ના પાડી દીધી. જ્યારે નાના પાટેકારનો સંપર્ક કર્યો ત્યારે એમણે ભૂમિકામાં રસ લીધો હતો. એમાં કેટલાક સુધારા પણ કરાવ્યા હતા. ફરાહને એ યોગ્ય લાગતા ફેરફાર કર્યો હતો. એક અઠવાડિયા પછી નાનાએ ના પાડી દીધી હતી. ફરાહ કોઈ મોટા કલાકારને જ લેવા માગતી હતી.

છેલ્લે સુનીલનો સંપર્ક કર્યો અને એ ભૂમિકા મજબૂત હોવાથી તરત હા પાડી દીધી હતી. ફરાહે ‘મૈં હૂં ના’ ના કલાકારોની પસંદગી વિશેની મુકેશ છાબડા સાથેની એક મુલાકાતમાં રાખી સાવંતની ‘મીની’ ની ભૂમિકાનો પણ ઉલ્લેખ કર્યો હતો. અને કહ્યું હતું કે એ બુરખો પહેરીને સ્કિન ટેસ્ટ માટે આવી હતી. જ્યારે એણે બુરખો હટાવ્યો ત્યારે એ બિકિનીમાં દેખાઈ હતી! શાહરૂખની ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા હોવાથી એણે હા પાડી દીધી હતી. ફિલ્મમાં અંગપ્રદર્શન કરવા માંગતી હોવાનું રાખીએ કહ્યું હતું પણ ફરાહે સંપૂર્ણ ઢંકાયેલી જ રજૂ કરી હતી.

રાશિ ભવિષ્ય 18/05/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવામાટેની તક મળી શકે છે ,યાત્રા દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે નવી જાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે થોડીધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પરોવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામથી દુર રહેવુ.


આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથસહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે. કોઈક સારો અનુભવ પણ થાય.


આજે થોડી સાવચેતી રખાવી જરૂરી છે તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચન ને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સારું.


આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારી કે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, આજે તમે કોઈના કામકાજમાં મદદગાર પણ બની શકો છે. ઉત્સાહદાયક દિવસ કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છે, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિક બાબતમાં સારું યોગદાન પણ આપોતે વું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, રાબેતા મુજબ દિવસ પસાર થાય, કોઈ જગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈ-બહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બની શકે છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ જોવા મળે.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સાંભળવીના ગમે અને તમે થોડી શાંતિની અપેક્ષા રાખો, વધુ પડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવું સારું.


આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય,તમારી લાગણી અને વિચારો લોકો સારી રીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારી વાત સંભાળવા મળી શકે છે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજ જેવુંના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય. આજે ધીરજ રાખવી સારી.


આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામ પરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોયતો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કરવી સારી.


આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટો નિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.

પંચાંગ 18/05/2024

આલિયા, કોહલીથી લઈને SRKના બહિષ્કારની માંગ, શું છે બ્લોકઆઉટ 2024 અભિયાન ?

મુંબઈ: ન્યૂયોર્કમાં આયોજિત ‘મેટ ગાલા 2024’ ઈવેન્ટની ખૂબ ચર્ચા થઈ હતી. આ એ જ ઈવેન્ટ છે જેના પર આખી દુનિયાની નજર ટકેલી હોય છે. એ દુનિયા જ્યાં સેલેબ્સ વિચિત્ર વેશ ધારણ કરીને પ્રદર્શન કરે છે. કોઈ મુલતાની માટી લપેટીને ડ્રેસ બનાવે છે, તો કોઈ તેને ટુવાલમાં લપેટીને રેડ કાર્પેટ પર પોઝ આપે છે. અહીં દર વર્ષે આવું થાય છે અને તે ખૂબ જ સામાન્ય બની ગયું છે. આ ઇવેન્ટમાંથી મળેલી આવકનો ઉપયોગ મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઑફ આર્ટની કોસ્ચ્યુમ ઇન્સ્ટિટ્યૂટને ભંડોળ આપવા માટે કરવામાં આવે છે. બીજી વખત આલિયા ભટ્ટે આ કાર્યક્રમમાં ભાગ લઈને દેશનું ગૌરવ વધાર્યું છે. પરંતુ હવે 8 દિવસ પછી અભિનેત્રીને લઈને બ્લોકઆઉટના અહેવાલો આવ્યા છે. જે હમણાં ખુબ જ ટ્રેન્ડિંગમાં છે. આ બ્લોકઆઉટ 2024 ઝુંબેશ શું છે? આ અંતર્ગત સેલેબ્સના ફોલોઅર્સ કેમ ઘટી રહ્યા છે? યુઝર્સની માંગ શું છે અને શા માટે તેને મેટ ગાલા સાથે જોડવામાં આવી રહ્યું છે? તે જાણીએ.

મેટ ગાલા 2024માં આલિયા ભટ્ટ ઉપરાંત ઝેન્ડાયા, જેનિફર લોપેઝ અને કિમ કાર્દાશિયન સહિત ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી.પરંતુ પેલેસ્ટાઈન તરફી વિરોધીઓની એ જ ઘટના સામે ધરપકડ કરવામાં આવી ત્યારે અરાજકતા ફાટી નીકળી. થયું એવું કે તેઓએ મેટ ગાલાની બહાર રેલી કાઢી અને ગાઝામાં ઈઝરાયેલની કાર્યવાહીનો વિરોધ ચાલુ રાખ્યો. આ દરમિયાન પોલીસે આ પ્રદર્શનકારીઓની ધરપકડ કરી હતી. અહીંથી વિવાદ એટલો વધી ગયો કે તે બ્લોકઆઉટ સુધી પહોંચી ગયો.

આ રીતે બ્લોકઆઉટનો ટ્રેન્ડ શરૂ થયો
દરેક વ્યક્તિ ગાઝા યુદ્ધથી વાકેફ છે. આ વિવાદને કારણે કેટલાક લોકો મેટ ગાલાની બહાર એકઠા થયા હતા. તેઓએ “નો મેટ ગાલા વ્હેન બોમ્બ ડ્રોપ ઇન ગાઝા” અને “મુક્તિ વિના ઉજવણી નહીં” જેવા સૂત્રોચ્ચાર કર્યા. જ્યારે હંગામો વધવા લાગ્યો ત્યારે પોલીસે રેલી કાઢનારાઓને પકડી લીધા. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર બ્લોકઆઉટનો ટ્રેન્ડ શરૂ થયો હતો.

આખરે આ બ્લોકઆઉટ ઝુંબેશ શું છે?
શું છે બ્લોકઆઉટ 2024 ઝુંબેશ: બ્લોકઆઉટ એ ડિજિટલ બહિષ્કાર ચળવળ છે જ્યાં વિશ્વભરના સોશિયલ મીડિયા યુઝર્સ એક ઝુંબેશ ચલાવી રહ્યા છે. અહીં યુઝર્સ એ સેલિબ્રિટીઝને બ્લોક કરી રહ્યા છે જેમણે ઈઝરાયેલ-ગાઝા યુદ્ધ પર કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. સેલેબ્સના મૌનથી નારાજ યુઝર્સે તેમને બ્લોક કરવાનું શરૂ કરી દીધું છે. જેના કારણે મોટા સ્ટાર્સના સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ પણ ઘટવા લાગ્યા છે. યુઝર્સ આવા અભિયાનો દ્વારા A-લિસ્ટ સ્ટાર્સ પર દબાણ લાવવા માંગે છે. જે ગંભીર વિષયો પર પણ મૌન છે. આમાં હોલીવુડના કેટલાક કલાકારો અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરનો સમાવેશ થાય છે.

આલિયા ભટ્ટ પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો
બ્લોકઆઉટ મૂવમેન્ટ 2024ની યાદીમાં આલિયા ભટ્ટથી લઈને પ્રિયંકા ચોપરાના નામ પણ સામેલ છે, જેમણે ગાઝા યુદ્ધ પર મૌન જાળવી રાખ્યું છે. યુઝર્સે આરોપ લગાવ્યો કે આલિયાએ મેટ ગાલામાં ભાગ લીધો હતો અને આ ઈવેન્ટની બહાર ખૂબ હંગામો થયો હતો પરંતુ તેણે એક શબ્દ પણ બોલ્યો નહોતો.

આ સ્ટાર્સના નામ પણ છે સામેલ
બ્લોક લિસ્ટમાં વિરાટ કોહલી, શાહરુખ ખાન, પ્રિયંકા, કિમ કાર્દાશિયન, ટેલર સ્વિફ્ટ, બેયોન્સ, કાઈલી જેનર, ઝેન્ડાયા, માઈલી સાયરસ, સેલેના ગોમેઝ, એરિયાના ગ્રાન્ડે, ડેમી લોવાટો, કેન્યે વેસ્ટ, કેટી પેરી, ઝેક એફ્રોન, નિક સહિતના તમામ સ્ટાર્સનો સમાવેશ થાય છે. જોનાસનો સમાવેશ થાય છે.

Cannes 2024: ફ્રેક્ચર હોવા છતાં ઐશ્વર્યા રાયની રેડ કાર્પેટ પર જોરદાર એન્ટ્રી

મુંબઈ: વિશ્વ વિખ્યાત અને સૌથી સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને 77માં વાર્ષિક કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર પોતાની સુંદરતાનો જલવો બતાવ્યો હતો. અભિનેત્રીના કાન્સ 2024ના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા છે. ઐશ્વર્યા રાયે રેડ કાર્પેટ પર ગ્રાન્ડ એન્ટ્રી કરતા જ બધાની નજર તેના લુક પર અટકી પડી હતી. એક હાથમાં ફ્રેક્ચર હોવા છતાં ઐશ્વર્યા રાય બચ્ચન રેડ કાર્પેટ પર સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે જોવા મળી હતી.

ઐશ્વર્યા રાય બચ્ચને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર મોનોક્રોમેટિક લુક પસંદ કર્યો હતો. તેણીએ સફેદ શ્રગ સાથે બ્લેક મોનોક્રોમેટિક ડ્રેસની જોડી બનાવી છે. તેના ડ્રેસ પર ગોલ્ડન એમ્બિલિશમેન્ટ દેખાય છે. ડ્રેસની પાછળની બાજુએ લાંબી ટ્રાયલ છે. ઐશ્વર્યા રાય બચ્ચને લાઈટ મેકઅપ સાથે બહુ ઓછી એક્સેસરીઝથી લુક પૂર્ણ કર્યો હતો. મોટા સોનેરી રંગના પેચ તેના ડ્રેસની સુંદરતામાં વધારો કરી રહ્યાં છે.

ઐશ્વર્યા તેની પુત્રી સાથે એરપોર્ટ પર જોવા મળી હતી
ઐશ્વર્યા રાય બચ્ચન બુધવારે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે નીકળી હતી. તે મુંબઈ એરપોર્ટ પર પુત્રી આરાધ્યા બચ્ચન સાથે જોવા મળી હતી. એક હાથમાં ફ્રેક્ચર હોવાથી પુત્રી આરાધ્યા તેને સપોર્ટ કરતી જોવા મળી હતી. ઐશ્વર્યા રાય બચ્ચને 2002માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કર્યું હતું. પ્રથમ વખત તેણી એક સુંદર સાડી પહેરેલી જોવા મળી હતી અને તેણીએ ઇવેન્ટમાં આખી લાઇમલાઇટ પકડી હતી.

તે 22 વર્ષથી કાન્સના રેડ કાર્પેટ પર ચમકી રહી છે
છેલ્લા 22 વર્ષથી ઐશ્વર્યા રાય બચ્ચન સતત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ બની રહી છે અને દરેક વખતે તે પોતાના અલગ-અલગ લુક્સથી ચાહકોને પ્રભાવિત કરે છે. અહીં નોંધવું રહ્યું કે ફ્રાન્સના ફ્રેન્ચ રિવેરા ખાતે 14 મેથી 77મો વાર્ષિક કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થયો છે. આ કાર્યક્રમ 25મી મે સુધી ચાલશે.

ઐશ્વર્યા રાય બચ્ચનનું વર્ક ફ્રન્ટ
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, ઐશ્વર્યા રાય બચ્ચન છેલ્લે ફિલ્મ ‘પોનીયિન સેલ્વન 2’માં જોવા મળી હતી, જેમાં તેણે ચિયાન વિક્રમ અને જયમ રવિ જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું. આ એક પીરિયડ ડ્રામા ફિલ્મ હતી, જેમાં ઐશ્વર્યા રાય બચ્ચનની જોરદાર એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.’પોનીયિન સેલ્વન 2’નું નિર્દેશન મણિરત્નમે કર્યું હતું. હવે ચાહકો તેની નવી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

હર્ષદ મહેતા અને તેલગી બાદ કરોડોનું ફુલેકું ફેરવનારા પર બનશે સ્કેમ સિરીઝનો ત્રીજો ભાગ

મુંબઈ: ‘સ્કેમ 1992’ અને ‘સ્કેમ 2003’ની જબરદસ્ત સફળતા બાદ હવે દિગ્ગજ દિગ્દર્શક હંસલ મહેતા સિરીઝની ત્રીજી સીઝન લાવવા તૈયાર છે. આ વખતે તેઓ OTTની દુનિયામાં સુબ્રત રોયની વાર્તા લઈને આવી રહ્યાં છે. ગુરુવારે તેમણે સ્કેમની નવી સીઝન’સ્કેમ 2010: ધ સુબ્રત રોય સાગા’ની જાહેરાત કરી છે. ટાઈટલ ટીઝર શેર કરી હંસલ મહેતાએ લખ્યું છે કે,’sc3m પાછુ આવી ગયું છે! સ્કેમ 2010: ધ સુબ્રત રોય સાગા, સોની લિવ પર ટૂંક સમયમાં આવી રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે આ સિઝનને હંસલ મહેતા પોતે જ ડિરેક્ટ કરવાના છે.

સુબ્રત રોય દેશની એવી હસ્તીઓમાંથી એક છે જેમને 90ના દાયકામાં ભારતના સૌથી પ્રખ્યાત ઉદ્યોગપતિ કહી શકાય. તેઓ સહારા ગ્રુપના સ્થાપક હતા. આ તે સમયગાળો હતો જ્યારે સહારાનો બિઝનેસ ચિટ ફંડથી લઈને એરોપ્લેન અને ટીમ ઈન્ડિયાની સ્પોન્સરશિપથી લઈને ન્યૂઝ મીડિયા સુધી વિસ્તર્યો હતો. જોકે સહારા શ્રી તરીકે જાણીતા સુબ્રત રોયને જ્યારે રોકાણકારો સાથે છેતરપિંડી કરવા બદલ ધરપકડ કરવામાં આવી ત્યારે તેમને મોટો આંચકો લાગ્યો હતો.

ગરીબોના 10 હજાર કરોડ રૂપિયા ક્યાં ગયા?
2014માં સુબ્રત રોયને 10,000 કરોડ રૂપિયાની લેણી રકમ ન ચૂકવવા બદલ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. તે બે વર્ષથી વધુ સમય સુધી જેલમાં રહ્યા અને 2016માં પેરોલ પર બહાર આવ્યા. જો કે આ પછી તેને ફરીથી જેલમાં જવું પડ્યું, કારણ કે નિયમનકારી સંસ્થા સેબીએ સુપ્રીમ કોર્ટ પાસે પેરોલ રદ કરવાની માંગ કરી હતી. ગયા વર્ષે નવેમ્બર 2023 માં સુબ્રત રોયનું 75 વર્ષની વયે કાર્ડિયોરેસ્પીરેટરી અરેસ્ટને કારણે અવસાન થયું હતું.

અગાઉ ‘સ્કેમ 1992’ અને ‘સ્કેમ 2003’ આવી ચૂકી છે

OTTની દુનિયામાં ખૂબ જ લોકપ્રિય ‘સ્કેમ ફ્રેન્ચાઇઝ’ની આ ત્રીજી સીઝન હશે. હર્ષદ મહેતાની સ્ટોરી પહેલી સીઝન ‘સ્કેમ 1992’માં બતાવવામાં આવી હતી. વર્ષ 2020 માં તે વર્ષની સૌથી હિટ સિરીઝ હતી. પ્રતિક ગાંધીએ આમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ પાત્રે પ્રતીકને રાતોરાત સ્ટાર બનાવી દીધો હતો. શ્રેણીની બીજી સિઝનમાં સ્ટેમ્પ પેપર કૌભાંડની વાર્તા બતાવવામાં આવી હતી. સિરીઝ ‘સ્કેમ 2003’ અબ્દુલ કરીમ તેલગીની વાર્તા પર આધારિત છે, જેનુંen નિર્દેશન જય મહેતા દ્વારા કરવામાં આવ્યું છે.

સુબ્રત રોય કોણ હતા સહારા શ્રીની વાર્તા?
બિહારના અરરિયા જિલ્લામાં 10 જૂન 1948ના રોજ જન્મેલા સુબ્રત રોયે ગોરખપુરની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. વર્ષ 1978માં તેણે ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં માત્ર 2,000 રૂપિયાથી પોતાનો બિઝનેસ શરૂ કર્યો. ધીમે ધીમે તેણે દેશનો સૌથી મોટો ચિટ ફંડ બિઝનેસ અને સહારા સામ્રાજ્યની સ્થાપના કરી. તેઓ ગોરખપુરથી લખનૌ પહોંચ્યા. તેણે પોતાની ચિટ ફંડ યોજનામાં ગરીબી રેખા નીચે જીવતા લોકો પાસેથી લાખો રૂપિયા એકઠા કર્યા. આ એવા લોકો હતા જેમને બેંકિંગ વિશે વધારે જાણકારી ન હતી. સુબ્રત રોયે નિર્ધારિત સમયમર્યાદામાં અનેક ગણા નફા સાથે આ નાણાં પરત કરવાનું વચન આપ્યું હતું.

અસહ્ય ગરમીમાં એસી તેમજ પંખાને બંધ રાખવા જરૂરી?

આ કાળઝાળ ગરમીમાં મોટા શું કે નાના બાળકો શું કોઈ ગરમી સહન નથી કરી શકતા. 3 મહિનાનું બાળક સુદ્ધાં પંખો જો થોડીવાર માટે બંધ થાય તો તરત પંખા તરફ જોવા માંડે છે. તો પંખા અને એસીને થોડીવાર માટે પણ બંધ શા માટે રાખવા?

આજના વખતમાં લોકો જરા પણ ગરમી સહન નથી કરી શકતા. મધ્યમ વર્ગના લોકો પણ ગરમીના દિવસોમાં પોતાના ઘરોમાં એસી લગાડાવે છે. આ એસી ઘરમાં ક્યારેક તો 24 કલાક ચાલુ રહેતાં હોય છે. પરંતુ એના કારણે રૂમનું તાપમાન તેમજ આપણા શરીરને માફક તાપમાન શું સંતુલિત થાય છે? તો કેટલું હોવું જોઈએ રૂમનું તાપમાન?

નિષ્ણાતો જણાવે છે, શાંતિભરી ગાઢ નિંદ્રા માટે રૂમનું તાપમાન 18.3 ડિગ્રી સેલ્સિયસ અથવા એની આસપાસ હોવું જોઈએ. રૂમનું તાપમાન 15.6થી લઈને 19.4 ડિગ્રી સેલ્સિયસ ગાઢ નિંદ્રા માટે ઉપયુક્ત છે. જેનાથી તમારા શરીરને પૂરતો આરામદાયક અનુભવ મળશે. જો કે, આપણા શરીરને સાંજ પછી ઓછા થતાં તાપમાનની આદત કુદરતી હોય છે.

બાળકો માટે રૂમનું તાપમાન કેટલું હોવું જરૂરી?

બાળકોના શરીરને ઠંડક વધુ લાગતી હોય છે. જેથી રૂમનું તાપમાન 1-2 ડિગ્રી વધુ રાખવું જોઈએ. બાળકોના રૂમમાં તાપમાન 20.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું રાખવામાં આવે તો તે લોકો સહજતાથી ઉંઘી જશે અને જાગ્યા પછી પણ તાજગીસભર રહેશે. બાળકોનું શરીર નાનું હોય છે. તેમજ વિકાસના તબક્કામાં હોય છે. તેથી જો રૂમનું તાપમાન વધુ પડતું ગરમ હોય તો સડેન ઈન્ફન્ટ ડેથ સિન્ડ્રોમનું જોખમ વધી જાય છે.

શરીરનું તાપમાન?

કુદરતી રીતે સૂતી વખતે શરીરનું તાપમાન ઓછું થતું જાય છે. તે સવાર થતાં સુધીમાં સૌથી નીચલા સ્તરે પહોંચી જાય છે. ત્યારબાદ તે ધીરે ધીરે વધવાનું શરૂ કરે છે. જાણકારી પ્રમાણે, શરીર ગાઢ નિંદ્રા માટે પોતાનું તાપમાન ઠંડું કરે છે. જ્યારે જાગવા માટે પોતાનું જ તાપમાન ફરીથી વધારવાનું શરૂ કરી દે છે. જો કે, રૂમનું વધુ પડતું ગરમ તાપમાન કોઈ પણ માટે બેચેની વધારી શકે છે અને ડિહાઈડ્રેશનનો સામનો પણ કરવો પડી શકે છે.

આ તો થઈ એસીને કારણે રૂમના તાપમાનની વાત. પરંતુ ઉનાળાના પ્રખર ગરમીના દિવસોમાં રૂમમાં એસી અને પંખા એકધારા પણ ના ચલાવવા જોઈએ. ઓવરલોડને કારણે ઓવર હીટીંગની સમસ્યા થઈ શકે છે! કોઈકવાર તે ઇલિક્ટ્રિકલ આગ તરફ પણ દોરી શકે છે.

રાત્રે સૂતી વખતે તમે એર કંડિશનરને ઓટો મોડમાં સેટ કરી શકો છો. જેથી સિસ્ટમ ઑટો મોડમાં હોય, ત્યારે તે સતત, આરામદાયક તાપમાન જાળવવા માટે તાપમાન અને પંખાની ગતિને આપમેળે ગોઠવે છે. એનો અર્થ એ કે, એસી સતત ચાલતું નથી, પરંતુ ઇચ્છિત તાપમાન જાળવવા માટે જરૂર મુજબ આપમેળે ચાલુ અને બંધ થાય છે.

પંખા માટે સમજવું જરૂરી છે કે, પંખો ચાલે છે ત્યારે તેમાંની મોટર ઈલેક્ટ્રિસિટીને મુવમેન્ટમાં રૂપાંતરિત કરે છે. જેથી પંખાની અંદર હીટ જનરેટ થાય છે અને પંખો બળવાની સમસ્યા થઈ શકે છે.

તો પંખો દિવસ દરમિયાન કેટલીવાર માટે બંધ રાખવો જરૂરી છે?  નિષ્ણાતો જણાવે છે કે, તમે 8 કલાક સુધીમાં ઓછામાં ઓછા 1 કલાક માટે પંખો બંધ રાખી શકો છે. જો તમે આવું ના કરી શકો તો પંખો બગડી તો શકે છે. પણ કોઈકવાર તેની અંદર રહેલી બેરીંગ પણ બળી શકે છે. જેથી શક્ય ત્યાં સુધી સારી બ્રાન્ડના પંખા ખરીદવા અને બને ત્યાં સુધી દર મહિને પંખો સાફ કરવો.

હરણી કાંડના આરોપીઓની જામીન કોર્ટે ફગાવી

હરણી તળાવ ખાતે ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પિકનિકમાં ગયા હતા. આ બાદ તળાવમાં બોટિંગ કરતા સમયે બોટ પાણીમાં પલટી ગઈ હતી જેથી 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોના મોત થયા હતા. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવી દીધો હતો. આ મામલે ઊંડી પોલિસ તાપસ થઇ હતી અને હાઈકોર્ટમાં સૂઓમોટો કેસ ચાલી રહ્યો છે. ત્યારે હવે આ કેસના ત્રણ આરોપીએ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી.

વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં આરોપી એવા પરેશ શાહ,વત્સલ શાહ, શાંતિલાલ સોલંકીએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. સેશન્સ કોર્ટે ત્રણ આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે અને જામીન મળ્યા નથી. કોર્ટે અવલોકન કરતા જણાવ્યું હતું કે, ગુનો જોતા આરોપીઓ જામીનને પાત્ર નથી માટે જામીન અરજી રદ કરવામાં આવે છે.

શું હતો બનાવ?

વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 18 જાન્યુઆરીએ મોટી કરુણાંતિકા સર્જાઈ હતી. હરણી તળાવમાં બોટ પલટી જતાં 14 ના મોત થયા હતા. જેમાં 12 માસુમ બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય છે. ન્યુ સનરાઇઝ સ્કુલના વિદ્યાર્થીઓ પીકનીક માટે હરણી તળાવમાં આવ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતાં બોટનું બેલેન્સ બગડ્યું હતું. જેના પગલે બોટ પલટી જતાં બાળકો તળાવમાં ડૂબ્યા હતા. સેફટી વગર ક્ષમતા કરતા વધુ લોકોને બોટ પર ભરવાથી દુર્ઘટના સર્જાય હતી. આ દુર્ઘટનામાં 18 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

EDએ ચાર્જશીટમાં આપ પાર્ટી, અરવિંદ કેજરીવાલને બનાવ્યા આરોપી

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલની મુસીબતો ઓછી થવાનું નામ નથી લેતી. પહેલાં કેજરીવાલના જામીનમાં વિલંબ થયો, એ પછી સ્વાતિ માલીવાલનો વિવાદ ચાલી રહ્યો છે, જેમાં દિલ્હી પોલીસની એક ટીમ કેજરીવાલના ઘરે પહોંચી છે. હવે EDએ દિલ્હી લિકર કૌભાંડમાં આમ આદમી પાર્ટી અને દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલ –બંને વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરીને તેમને આરોપી બનાવ્યા છે.

EDએ રાઉઝ એવેન્યુ કોર્ટમાં દાખલ પૂરક ચાર્જશીટમાં કેજરીવાલની સાથે-સાથે પાર્ટીને પણ આરોપી બનાવી છે. આમ આદમી પાર્ટીની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ થયા પછી હવે પાર્ટીના પદાધિકારીઓની મુશ્કેલીઓ વધી શકે છે. પાર્ટીના સંયોજક હોવાથી કેજરીવાલની મુશ્કેલીઓમાં પણ વધારો થાય એવી શક્યતા છે. EDએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે એજન્સીને આબકારી નીતિ મામલામાં અપરાધની કથિત આવક સંબંધે કેજરીવાલ અને હવાલા ઓપરેટરોની વચ્ચે ચેટની માહિતી પ્રાપ્ત થઈ છે.

તપાસ એજન્સીએ દાવો કર્યો હતો કે કેજરીવાલે ફોન અને અન્ય ઉપકરણોનો પાસવર્ડ આપવાથી ઇનકાર કર્યો તો હવાલા ઓપરેટરોથી ડિવાઇસથી ચેટ મેળવવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી લિકર કેસમાં દિલ્હીના CM કેજરીવાલને એક જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. એ દરમ્યાન તેઓ CM ઓફિસ અને દિલ્હીના સચિવાલય નહીં જઈ શકે.તપાસ એજન્સી તરફથી હાજર થતાં એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કોર્ટેને કહ્યું હતું કે અમે કેજરીવાલ અને આપ પાર્ટીની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવાનો પ્રસ્તાવ કરી રહ્યા છીએ. તેમણે દાવો કર્યો હતો કે તપાસ એજન્સીની પાસે સાબિત કરવા માટે પર્યાપ્ત પુરાવા છે.