અમદાવાદ: GLS યુનિવર્સિટી દ્વારા સંવાદ શ્રેણી ‘Decoded – The Seies @ GLS’ અંતર્ગત એક વિચાર-ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ. ચાંદની કાપડિયા અને ગુજરાતી સિનેમાના જાણીતા યુવા અભિનેત્રી આરોહી પટેલ વચ્ચે એક જીવંત અને પ્રભાવશાળી સંવાદ યોજાયો હતો.
સોમવારે આયોજીત આ કાર્યક્રમ GLS ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. જેમાં ૨૫૦ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોની ઉપસ્થિતિ રહ્યા હતા. કાર્યક્રમમાં સર્જનાત્મકતા, કારકિર્દીની સ્થિતિસ્થાપકતા અને પ્રાદેશિક માધ્યમોના બદલાતા પરિદ્રશ્ય જેવા વિષયો પર મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતા.
આ સંવાદની શરૂઆત આરોહી પટેલની વ્યાવસાયિક સફરના વિશ્લેષણ સાથે થઈ હતી. આરોહીએ પોતાની જીવનયાત્રા વિશે નિખાલસતાથી વાત કરી. જણાવ્યું કે, કેવી રીતે એક આશાસ્પદ ફિલ્મ એડિટર બનવાના લક્ષ્યથી આગળ વધીને ગુજરાતી સિનેમાનો એક અગ્રણી ચહેરો તે બની. તેમણે અમદાવાદ સાથેના પોતાના અતૂટ જોડાણ વિશે વાત કરી. કેવી રીતે પ્રાદેશિક કથાઓ હવે રાષ્ટ્રીય મીડિયામાં મજબૂત રીતે પોતાનું સ્થાન બનાવી રહી છે, તેના વિશે વિસ્તારથી વાત કરી.
આ સત્ર તેની ઉર્જાસભર અને સંવાદાત્મક શૈલીને કારણે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. જેનો મુખ્ય હેતુ વ્યાવસાયિક દુનિયા અને વિદ્યાર્થીકાળના અનુભવો વચ્ચે રહેલા અંતરને દૂર કરવાનો હતો.
- સ્પિન ધ વ્હીલ (Spin the Wheel): એક સ્વયંસ્ફૂર્ત પ્રશ્નોત્તરી સત્ર, જેમાં આરોહી પટેલની ત્વરિત નિર્ણયશક્તિ (હાજર જવાબીપણું) અને તેમના અંગત વિચારોની ઝલક જોવા મળી હતી.
- ઈટ ઈફ ઈટ્સ ટ્રુ (Eat If It’s True): આ એક હળવાશભરી ક્ષણ હતી, જેમાં આરોહી પટેલે સ્થાનિક વાનગી ‘ખાંડવી’નો આનંદ માણતા માણતા પોતાની કારકિર્દીના રસપ્રદ કિસ્સાઓ શેર કર્યા હતા.
- ડિરેક્ટર ફોર ટુ મિનિટ્સ (Director for Two Minutes): આ સત્રમાં આરોહીએ એક સર્જનાત્મક નેતૃત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે GLS યુનિવર્સિટી માટે એક કાલ્પનિક જાહેરાતની સંકલ્પના રજૂ કરી, જે તેમની બ્રાન્ડિંગ અને વાર્તા કહેવાની (Storytelling) કુશળતાનો પરિચય આપતી હતી.
- મૂડ મેલોડીઝ (Mood Melodies): આ વિભાગમાં આરોહીએ તેમની પસંદગીના ગીતોની યાદી (Playlist) વિશે વાત કરી હતી. સંગીત કેવી રીતે તેમની કારકિર્દીના વિવિધ ભાવનાત્મક તબક્કાઓ સાથે જોડાયેલું છે, તે વિશે યાદો તાજી કરી હતી.
કાર્યક્રમમાં ડૉ. કાપડિયાએ જણાવ્યું હતું કે, “Decoded @ GLS નો આ અંક વિદ્યાર્થીઓને ઉદ્યોગ જગતના અગ્રણીઓ સાથે સીધો સંવાદ કરવાની તક આપે છે
“આ કાર્યક્રમ GLS યુનિવર્સિટીના તે લક્ષ્યને વધુ સ્પષ્ટ કરે છે, જેનો ઉદ્દેશ્ય એવા વ્યાવસાયિક આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવાનો છે જે વિદ્યાર્થીઓને પરંપરાગત કારકિર્દીના માર્ગોથી આગળ વધીને સર્જનાત્મક ઉદ્યોગોમાં વિકસતી તકોને અપનાવવા માટે પ્રોત્સાહિત કરે.”


કૈવલ્યધામ મુંબઈથી ત્રણ કલાકના અંતરે લોનાવલા સ્થિત વિશ્વની અગ્રણી યોગસંસ્થા છે. કેવલ્યધામ યોગમય પોલીસ તાલીમ કાર્યક્રમ એવા શીર્ષક હેઠળ ચાર દિવસીય કેમ્પનું આયોજન તાજેતરમાં કરવામાં આવ્યું હતું. કાંદિવલીના ‘મીટ ઈન્ડિયા ફાઉન્ડેશને આ પ્રકલ્પમાં સહયોગ આપવાનું નકકી કર્યું. મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન્સના કોન્સ્ટેબલ્સએ ‘યોગમય પોલીસ ટ્રેઇનિંગ પ્રોગ્રામ’ના સહયોગી તરીકે ભાગ લીધો હતો.
પોલીસ કર્મચારીને સર્ટિફિકેટસ એનાયત
આનંદમય પ્રતિભાવ

14 અને 15 માર્ચ, એમ બે દિવસના આ શાનદાર સમારંભમાં યોજવામાં આવ્યો હતો. જેમાં દેશના વિવિધ વિસ્તારોમાંથી આવેલા 51 યુગલો વૈદિક મંત્રોચ્ચાર તથા પવિત્ર પરંપરાઓ સાથે લગ્નના બંધનમાં બંધાયા હતા. મુખ્ય અતિથિ તરીકે દર્શના મેહતા, યશ મેહતા અને ઓમ પ્રકાશ સોની ખાસ હાજર રહ્યા હતા. સંસ્થાના સંસ્થાપક કૈલાશ ‘માનવ’ અગ્રવાલ, કમલા દેવી, વંદના અગ્રવાલ, પલક અગ્રવાલ, તથા દાતાઓ, સમાજ સેવકો તેમજ વિશેષ અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા.
51 પૈકી 25 યુગલ એવા છે, જેઓ કોઈને કોઈ દિવ્યાંગતા ધરાવે છે. 26 યુગલ સામાજિક આર્થિક રીતે નબળા વર્ગમાંથી આવે છે. આ પૈકી ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાંથી આવતા વિજય ગામરનો પણ સમાવેશ થાય છે, જેમણે ઉદયપુરના ચિખલા ગુડાની મંજૂ સાથે લગ્ન કર્યાં છે. મંજૂ પગની દિવ્યાંગતા ધરાવે છે. વિજય કહે છે, “ભલે મંજૂ શારીરિક રીતે દિવ્યાંગ હોય, પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તે મારા જીવનમાં ઘણી બધી ખુશીઓ, હિંમત અના આશા લઈને આવશે.”
આ પ્રસંગે સંબોધન કરતાં નારાયણ સેવા સંસ્થાનના અધ્યક્ષ પ્રશાંત અગ્રવાલે જણાવ્યું કે, “અમારો લક્ષ્યાંક દિવ્યાંગજનો માટે ગૌરવપૂર્ણ, આત્મવિશ્વાસથી ભરપૂર તથા સમાન તકોને સુનિશ્ચિત કરવાનો છે. જ્યારે સમાજ સહાનુભૂતિ અને સેવાના ભાવથી એકજૂટ થાય છે ત્યારે એક વધુ સમાવેશી તથા કરુણાપૂર્ણ રાષ્ટ્રનું નિર્માણ શક્ય બને છે.”
લગ્ન સમારંભની શરૂઆત પરંપરાગત સંગીત તથા શુભ મંત્રોચ્ચાર વચ્ચે દંપતીઓનું વિધિવત સ્વાગતથી કરવામાં આવી હતી. સમારંભની ઔપચારિક શરૂઆત ‘તોરણ’ રસ્મથી કરવામાં આવી, ત્યારબાદ વરમાળાની રસ્મ કરવામાં આવી હતી. ત્યારબાદ પંડિતોએ 51 પવિત્ર મંત્રો સાથે વિવાહની વિધિ પૂરી કરાવી હતી. જ્યાં દંપતીએ સાત ફેરા લઈ જીવન પર્યાંત સાથ નિભાવવા અને એકબીજાનો સહારો બનવાનું વચન આપ્યું હતું.
નવવિવાહિત દંપતીને ગૌરવપૂર્વક અને સ્થિરતા સાથે પોતાનું લગ્ન જીવન શરૂ કરવામાં મદદરૂપ થવા માટે સંસ્થાએ દરેક દંપતીને ઘર-ગૃહસ્થી માટે જરૂરી તમામ ચીજ-વસ્તુની ભેટ આપી હતી. જેમાં બેડ, બેન્ડિંગ વોર્ડરોબ, વાસણો, ગેસ સ્ટવ, ડિનર સેટ, પંખા તથા અન્ય દૈનિક જીવનમાં જરૂરી એવી ચીજવસ્તુઓનો સમાવેશ થતો હતો. મહેમાનો, દાતાઓ તથા શુભચિંતકોએ પણ દંપતીને મંગળસૂત્ર, બંગડીઓ, પાયલ અને અન્ય પરંપરાગત આભૂષણો વગેરે ભેટ આપી આશીર્વાદ આપ્યા હતા.
આ ઉત્સવમાં શિવ-પાર્વતી તથા કૃષ્ણ-રુકમણીના દિવ્ય લગ્નને દર્શાવતી જીવંત સાંસ્કૃતિક પ્રસ્તુતિનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દુલ્હનોને પ્રતીકાત્મક ‘ડોલી વિદાય’ આપવામાં આવી હતી-જે એક ખૂબ જ ભાવુક ક્ષણ હતી.
આ સમારંભની સાથે નારાયણ સેવા સંસ્થાને અત્યાર સુધીમાં વિવિધ દિવ્યાંગ અને વંચિત વ્યક્તિઓના 2,561 લગ્ન કરાવ્યા છે. આ તેમનો 45મો પ્રયત્ન હતો. આ પહેલાં 44 સમૂહ લગ્નોમાં તેમણે 2510 દિવ્યાંગો તેમજ આર્થિક રીતે નબળા યુગ્લોનો મન મેળ કરાવી આપ્યો હતો. તેમના આ પ્રયાસો કરુણા, સશક્તિકરણ તથા સામાજિક વિકાસ પ્રત્યે તેમની લાંબાગાળાની કટિબદ્ધતા દર્શાવે છે.




સમિતિએ ઝીણવટ ભર્યા અભ્યાસ અને જિલ્લાઓની મુલાકાત લઇને રિપોર્ટ તૈયાર કર્યો છે. લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકત અને દત્તક લેવા જેવા મુદ્દાઓ પર તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન કાયદાકીય માળખું આ ડ્રાફ્ટ અહેવાલમાં સમિતિ દ્વારા સૂચવવામાં આવ્યું છે. વિશેષ કરીને મહિલાઓના સમાન અધિકારો અને સુરક્ષાને આ ડ્રાફ્ટમાં પ્રાથમિકતા આપવામાં આવી છે. એટલુ જ નહીં ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાનું પણ અહેવાલમાં ધ્યાનમાં રાખવામાં આવ્યું છે.
યુનિફોર્મ સિવિલ કોડ શું છે?