Home Blog Page 176

અભિનેત્રી આરોહી પટેલે વિદ્યાર્થીઓ સાથે સફળતાના મંત્રો શેર કર્યા

અમદાવાદ: GLS યુનિવર્સિટી દ્વારા સંવાદ શ્રેણી ‘Decoded – The Seies @ GLS’ અંતર્ગત એક વિચાર-ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ. ચાંદની કાપડિયા અને ગુજરાતી સિનેમાના જાણીતા યુવા અભિનેત્રી આરોહી પટેલ વચ્ચે એક જીવંત અને પ્રભાવશાળી સંવાદ યોજાયો હતો.સોમવારે આયોજીત આ કાર્યક્રમ GLS ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. જેમાં ૨૫૦ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોની ઉપસ્થિતિ રહ્યા હતા. કાર્યક્રમમાં સર્જનાત્મકતા, કારકિર્દીની સ્થિતિસ્થાપકતા અને પ્રાદેશિક માધ્યમોના બદલાતા પરિદ્રશ્ય જેવા વિષયો પર મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતા.

આ સંવાદની શરૂઆત આરોહી પટેલની વ્યાવસાયિક સફરના વિશ્લેષણ સાથે થઈ હતી. આરોહીએ પોતાની જીવનયાત્રા વિશે નિખાલસતાથી વાત કરી. જણાવ્યું કે, કેવી રીતે એક આશાસ્પદ ફિલ્મ એડિટર બનવાના લક્ષ્યથી આગળ વધીને ગુજરાતી સિનેમાનો એક અગ્રણી ચહેરો તે બની. તેમણે અમદાવાદ સાથેના પોતાના અતૂટ જોડાણ વિશે વાત કરી. કેવી રીતે પ્રાદેશિક કથાઓ હવે રાષ્ટ્રીય મીડિયામાં મજબૂત રીતે પોતાનું સ્થાન બનાવી રહી છે, તેના વિશે વિસ્તારથી વાત કરી.

આ સત્ર તેની ઉર્જાસભર અને સંવાદાત્મક શૈલીને કારણે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. જેનો મુખ્ય હેતુ વ્યાવસાયિક દુનિયા અને વિદ્યાર્થીકાળના અનુભવો વચ્ચે રહેલા અંતરને દૂર કરવાનો હતો.

  • સ્પિન ધ વ્હીલ (Spin the Wheel): એક સ્વયંસ્ફૂર્ત પ્રશ્નોત્તરી સત્ર, જેમાં આરોહી પટેલની ત્વરિત નિર્ણયશક્તિ (હાજર જવાબીપણું) અને તેમના અંગત વિચારોની ઝલક જોવા મળી હતી.
  • ઈટ ઈફ ઈટ્સ ટ્રુ (Eat If It’s True): આ એક હળવાશભરી ક્ષણ હતી, જેમાં આરોહી પટેલે સ્થાનિક વાનગી ‘ખાંડવી’નો આનંદ માણતા માણતા પોતાની કારકિર્દીના રસપ્રદ કિસ્સાઓ શેર કર્યા હતા.
  • ડિરેક્ટર ફોર ટુ મિનિટ્સ (Director for Two Minutes): આ સત્રમાં આરોહીએ એક સર્જનાત્મક નેતૃત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે GLS યુનિવર્સિટી માટે એક કાલ્પનિક જાહેરાતની સંકલ્પના રજૂ કરી, જે તેમની બ્રાન્ડિંગ અને વાર્તા કહેવાની (Storytelling) કુશળતાનો પરિચય આપતી હતી.
  • મૂડ મેલોડીઝ (Mood Melodies): આ વિભાગમાં આરોહીએ તેમની પસંદગીના ગીતોની યાદી (Playlist) વિશે વાત કરી હતી. સંગીત કેવી રીતે તેમની કારકિર્દીના વિવિધ ભાવનાત્મક તબક્કાઓ સાથે જોડાયેલું છે, તે વિશે યાદો તાજી કરી હતી.

કાર્યક્રમમાં ડૉ. કાપડિયાએ જણાવ્યું હતું કે, “Decoded @ GLS નો આ અંક વિદ્યાર્થીઓને ઉદ્યોગ જગતના અગ્રણીઓ સાથે સીધો સંવાદ કરવાની તક આપે છે

“આ કાર્યક્રમ GLS યુનિવર્સિટીના તે લક્ષ્યને વધુ સ્પષ્ટ કરે છે, જેનો ઉદ્દેશ્ય એવા વ્યાવસાયિક આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવાનો છે જે વિદ્યાર્થીઓને પરંપરાગત કારકિર્દીના માર્ગોથી આગળ વધીને સર્જનાત્મક ઉદ્યોગોમાં વિકસતી તકોને અપનાવવા માટે પ્રોત્સાહિત કરે.”

કૈવલ્યધામમાં પોલીસ કર્મીઓ માટે યોગમય તાલીમ કાર્યક્રમ

લોનાવાલા: પોલીસ કર્મચારીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે કૈવલ્યધામ નામની યોગ સંસ્થા નિયમિતપણે અનોખા કાર્યક્રમનું આયોજન કરે છે. પોલીસની નોકરી લગભગ ૨૪ કલાક જેવી હોય છે. ફરજ પર સતત તણાવ રહે છે, તહેવાર હોય કે રજાના દિવસો, સતત કામ માટે સજજ રહેવું પડે છે, પ્રજાની રક્ષાની સાથે-સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી પણ સંભાળવાની રહે છે.કૈવલ્યધામ મુંબઈથી ત્રણ કલાકના અંતરે લોનાવલા સ્થિત વિશ્વની અગ્રણી યોગસંસ્થા છે. કેવલ્યધામ યોગમય પોલીસ તાલીમ કાર્યક્રમ એવા શીર્ષક હેઠળ ચાર દિવસીય કેમ્પનું આયોજન તાજેતરમાં કરવામાં આવ્યું હતું. કાંદિવલીના ‘મીટ ઈન્ડિયા ફાઉન્ડેશને આ પ્રકલ્પમાં સહયોગ આપવાનું નકકી કર્યું. મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન્સના કોન્સ્ટેબલ્સએ ‘યોગમય પોલીસ ટ્રેઇનિંગ પ્રોગ્રામ’ના સહયોગી તરીકે ભાગ લીધો હતો.

 સ્વામી કુવલ્યાનંદજીએ ૧૯૨૪માં કૈવલ્યધામની સ્થાપના કરી હતી. આ યોગ સંસ્થા હાલ ૧૦૨મા વર્ષમાં કાર્યરત છે. સંસ્થા પારંપરિક યોગ અને આધુનિક વિજ્ઞાનના સંગમની એક અજોડ મિસાલ બની  છે. અહીં વૈજ્ઞાનિક સંશોધનને આધારે યોગનાં ફાયદાઓનો દુનિયાભરમાં પ્રચાર અને પ્રસાર કરવામાં આવે છે. યોગ, પ્રાણાયામ અને ધ્યાનની સાધનાના માધ્યમથી લોકોના જીવનમાં શારિરીક અને માનસિક તંદુરસ્તી કેવી રીતે જળવાઈ શકે એ સમજાવતા અનેક કોર્સિસ તેમજ ટ્રેનિંગ પ્રોગ્રામ અહીં કરાવવામાં આવે છે.પોલીસ કર્મચારીને સર્ટિફિકેટસ એનાયત

પોલીસ કોન્સ્ટેબલ્સ (મહિલા-પુરુષ બંને ) માટે કૈવલ્યધામે તા. ૫ મી માર્ચથી ૮ મી માર્ચ ૨૦૨૬ દરમિયાન ચાર દિવસીય ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. સાંગલીના પોલીસ કોન્સ્ટેબલ્સના આ ત્રીજી બેચના સર્ટિફિકેટસ વિતરણ સમારંભમાં મીટ ઈન્ડિયા ફાઉન્ડેશનના ફાઉન્ડર અને મેનેજિંગ ટ્રસ્ટી જયેશ ચિતલિયા ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જાણીતા આર્થિક પત્રકાર રાજેશ ભાયાણી પણ હાજર હતા, તેમના બંનેના અને કૈવલ્યધામના અધિકારીઓના હસ્તે પાર્ટિસીપન્ટ પોલીસોને સર્ટિફિકેટ અપાયા હતા. આ પ્રસંગે તેમણે પોલીસોની ભૂમિકાને બિરદાવી હતી. કૈવલ્યધામ અને તેના મેનેજમેન્ટ ટીમનો આભાર વ્યકત કર્યો હતો.આનંદમય પ્રતિભાવ

આ પ્રોગ્રામને પોલીસ કર્મચારી તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. યોગના માધ્યમથી તેઓ શારીરિક, માનસિક તેમજ આત્મિક સંતુલન જાળવવા માટે રોજિંદા જીવનમાં કેવા જરૂરી ફેરફારો લાવી શકે એ બાબતોને આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં સાંકળી લેવામાં આવી હતી.

LPG સંકટ: LPG અંગે હાલ પણ સ્થિતિ ચિંતાજનક

નવી દિલ્હીઃ મધ્ય-પૂર્વમાં ઈરાન-ઇઝરાઇલ અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે ઊર્જા ક્ષેત્રમાં ભારે અનિશ્ચિતતા ચાલુ છે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલ અંગે હાલ રાહત જોવા મળી રહી છે, પરંતુ LPG ગેસનું ગંભીર સંકટ અનુભવાઈ રહ્યું છે. એના વચ્ચે કેન્દ્ર સરકારે LPG બુકિંગ અને ઉપલબ્ધતા અંગે અપડેટ જાહેર કર્યું છે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયની સંયુક્ત સચિવ (માર્કેટિંગ અને ઓઈલ રિફાઇનરી) સુજાતા શર્માએ LPG સંકટ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે LPGની સ્થિતિ પહેલાં કરતાં થોડી સુધરી છે, પરંતુ હજુ સંપૂર્ણ રીતે સામાન્ય થઈ નથી.

 હાલ પણ સ્થિતિ ચિંતાજનક

તેમણે જણાવ્યું હતું કે LPG બાબતે હાલની સ્થિતિ હજુ ચિંતાજનક છે. કોઈ પણ LPG વિતરણકાર પાસે પુરવઠાની અછત નથી. ઘરેલુ ગ્રાહકો માટે સિલિન્ડરનું વિતરણ પહેલાંની જેમ જ ચાલુ છે. ઓનલાઇન બુકિંગમાં નોંધપાત્ર સુધારો થયો છે અને લગભગ 94 ટકા બુકિંગ હવે ઓનલાઇન થઈ રહી છે.

 દેશભરમાં 12,000 દરોડા

તેમણે જણાવ્યું હતું કે અમલવારી કાર્યવાહી હેઠળ છેલ્લા કેટલાક દિવસોમાં દેશભરમાં લગભગ 12,000 દરોડા પાડવામાં આવ્યા છે અને લગભગ 15,000 સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યાં છે. માત્ર દિલ્હીમાં જ લગભગ 600 સિલિન્ડર જપ્ત થયાં છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોમાં લગભગ 450 તપાસ અને દરોડા પાડવામાં આવ્યા અને 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરમાં 564 દરોડા પાડવામાં આવ્યા, FIR નોંધાઈ અને ધરપકડ પણ કરવામાં આવી છે. કેરળમાં લગભગ 1000 દરોડા અને તપાસ દરમિયાન ઘરેલુ તેમ જ કોમર્શિયલ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યાં છે. મધ્ય પ્રદેશમાં લગભગ 1200 દરોડા પાડીને આશરે 1800 સિલિન્ડર જપ્ત કરાયાં છે. ઉપરાંત, ઓઈલ માર્કેટિંગ કંપનીઓની ઇન્સ્પેક્શન ટીમોને સક્રિય કરવામાં આવી છે અને લગભગ 2,500 રિટેલ આઉટલેટ અને LPG ડિસ્ટ્રિબ્યુટરશિપ પર અચાનક તપાસ કરવામાં આવી છે.

ઇઝરાયેલનો મોટો દાવો – અલી લારીજાની માર્યા ગયા

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે એક મોટો દાવો અને તેના પર ઉઠેલા વિવાદે વૈશ્વિક રાજકારણમાં ચિંતા વધારી છે. Israelના રક્ષા મંત્રીએ દાવો કર્યો છે કે ઈરાનના પ્રભાવશાળી નેતા Ali Larijaniને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો અને તેઓ માર્યા ગયા છે. જોકે, Iranએ આ દાવાને તાત્કાલિક ખારિજ કરી દીધો છે.

આ દાવા પછી પરિસ્થિતિ વધુ જટિલ બની ગઈ છે, કારણ કે Ali Larijaniને Ali Khamenei પછી ઈરાનમાં સૌથી શક્તિશાળી નેતાઓમાં ગણવામાં આવે છે. ઈઝરાયલના રક્ષા મંત્રી Israel Katzએ જણાવ્યું કે આ ઓપરેશન ગોપનીય માહિતીના આધારે કરવામાં આવ્યું હતું અને તેમાં લારિજાનીને નિશાન બનાવવામાં આવ્યા હતા.

મિડિયા રિપોર્ટ્સ અનુસાર Tehranમાં લારિજાનીના સંભવિત ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો રાત્રિના સમયે કરવામાં આવ્યો હતો, જેના કારણે તેની ચોક્કસ વિગતો હજુ બહાર આવી નથી. ઈઝરાયલની સેનાએ આ ઓપરેશન અંગે વધુ માહિતી એકત્ર કરવાની પ્રક્રિયા ચાલુ રાખી છે.

બીજી તરફ Iran તરફથી સ્પષ્ટ નિવેદન આપવામાં આવ્યું છે કે લારિજાનીને લઈને કરવામાં આવેલા દાવાઓ ખોટા છે. તેમના ઓફિસ તરફથી કહેવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં સત્તાવાર સંદેશ જાહેર કરવામાં આવશે, જે સમગ્ર પરિસ્થિતિને વધુ સ્પષ્ટ કરશે.

આ ઘટનાક્રમ એ સમયે થયો છે જ્યારે Ali Khameneiની હત્યા પછી ઈરાનમાં નેતૃત્વ અંગે અનિશ્ચિતતા વધી ગઈ છે. એવી માહિતી મળી રહી છે કે આ પરિસ્થિતિમાં Ali Larijani મહત્વપૂર્ણ નિર્ણયોમાં કેન્દ્રસ્થાને હતા અને સેનાની કામગીરીનું સંકલન કરી રહ્યા હતા.

વિશ્લેષકો માને છે કે જો આ દાવો સાચો સાબિત થાય તો તે ઈરાન માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે. કારણ કે Ali Larijaniને લાંબા સમયથી દેશના રાજકીય અને સુરક્ષા માળખામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા નેતા તરીકે જોવામાં આવે છે.

51 દિવ્યાંગ યુગલના ભવ્ય લગ્ન: પ્રી-વેડિંગ, મહેંદી, હલ્દી, સંગીત અને વિદાય સાથે

ઉદયપુર: કરુણા, ગૌરવ અને સામાજિક સમાવેશીતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો એક ભવ્ય ઉત્સવ શહેરમાં ઉજવાયો. નર (દિવ્યાગો)માં નારાયણને જોઈને તેના ઉત્થાન માટે કાર્યરત ‘નારાયણ સેવા સંસ્થાન’એ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. ‘સેવા મહાતીર્થ, લિયો કા ગુડા’ સંકુલમાં દિવ્યાંગો તથા આર્થિક રીતે નબળા યુગલો માટે વિના મૂલ્યે 45મો સમૂહ લગ્ન સમારંભ સફળતાપૂર્વક યોજવામાં આવ્યો.14 અને 15 માર્ચ, એમ બે દિવસના આ શાનદાર સમારંભમાં યોજવામાં આવ્યો હતો. જેમાં દેશના વિવિધ વિસ્તારોમાંથી આવેલા 51 યુગલો વૈદિક મંત્રોચ્ચાર તથા પવિત્ર પરંપરાઓ સાથે લગ્નના બંધનમાં બંધાયા હતા. મુખ્ય અતિથિ તરીકે દર્શના મેહતા, યશ મેહતા અને ઓમ પ્રકાશ સોની ખાસ હાજર રહ્યા હતા. સંસ્થાના સંસ્થાપક કૈલાશ ‘માનવ’ અગ્રવાલ, કમલા દેવી, વંદના અગ્રવાલ, પલક અગ્રવાલ, તથા દાતાઓ, સમાજ સેવકો તેમજ વિશેષ અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્યાંગ વ્યક્તિઓને સશક્ત બનાવવા તથા સામાજિક સદભાવનાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી આ સમારોહ યોજવામાં આવ્યો હતો. આ ઉત્સવમાં એવા યુગલો એક સાથે આવ્યા કે જેઓ તેમના જીવનમાં અનેક મોટાં પડકારોનો સામનો કરતાં હતા. જેમણે સાહસ અને પરસ્પરના સહયોગ સાથે ભવિષ્યને અપનાવવાનો નિર્ણય કર્યો. પવિત્ર અગ્નિને સાક્ષી માનીને અને પંડિતો દ્વારા પરંપરાગત વેદિક મંત્રોચ્ચાર સાથે આ યુગલોએ લગ્ન જીવનની શરૂઆત કરી. સાત પવિત્ર વચન લીધા,જે આજીવન વચનબદ્ધતા, વિશ્વાસ અને જીવનસાથી પ્રત્યેના પ્રતીક છે.

આ નવવિવાહિત દંપત્તિ પૈકી કેટલીક એવી વ્યક્તિઓ છે, જે વિવિધ પ્રકારની દિવ્યાંગતા સાથે જીવન વિતાવી રહી છે. કેટલાકને તો હરવા-ફરવામાં તકલીફ પડી રહી છે, તો કેટલીક વ્યક્તિ આંખોની દ્રષ્ટિ ધરાવતી નથી. આ તમામ પ્રકારની મુશ્કેલી વચ્ચે પણ તેમણે એક સાર્થક લગ્ન જીવનની શરૂઆત કરવાનો હિમ્મતભર્યો અને મક્કમ ઈરાદો દર્શાવ્યો.

આ સમૂહલગ્નના લાભાર્થીઓ પૈકી કેટલાક દંપતીને વિના મૂલ્યે સુધારાત્મક સર્જરી, કૃત્રિમ અંગો, કેલિપર્સ અને પુનર્વસનને લગતી સેવાઓ મળી છે. જેને લીધે તેઓ હરીફરી શકવા સક્ષમ બન્યા હતા. તેમનામાં આત્મવિશ્વાસ તથા આત્મનિર્ભરતા પરત ફર્યા છે. સંસ્થા દ્વારા સંચાલિત કૌશલ-વિકાસ કાર્યક્રમો મારફતે આ પૈકી કેટલીક લોકોએ રોજગારી મેળવીને આત્મનિર્ભર બન્યા છે.51 પૈકી 25 યુગલ એવા છે, જેઓ કોઈને કોઈ દિવ્યાંગતા ધરાવે છે. 26 યુગલ સામાજિક આર્થિક રીતે નબળા વર્ગમાંથી આવે છે. આ પૈકી ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાંથી આવતા વિજય ગામરનો પણ સમાવેશ થાય છે, જેમણે ઉદયપુરના ચિખલા ગુડાની મંજૂ સાથે લગ્ન કર્યાં છે. મંજૂ પગની દિવ્યાંગતા ધરાવે છે. વિજય કહે છે, “ભલે મંજૂ શારીરિક રીતે દિવ્યાંગ હોય, પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તે મારા જીવનમાં ઘણી બધી ખુશીઓ, હિંમત અના આશા લઈને આવશે.”આ પ્રસંગે સંબોધન કરતાં નારાયણ સેવા સંસ્થાનના અધ્યક્ષ પ્રશાંત અગ્રવાલે જણાવ્યું કે, “અમારો લક્ષ્યાંક દિવ્યાંગજનો માટે ગૌરવપૂર્ણ, આત્મવિશ્વાસથી ભરપૂર તથા સમાન તકોને સુનિશ્ચિત કરવાનો છે. જ્યારે સમાજ સહાનુભૂતિ અને સેવાના ભાવથી એકજૂટ થાય છે ત્યારે એક વધુ સમાવેશી તથા કરુણાપૂર્ણ રાષ્ટ્રનું નિર્માણ શક્ય બને છે.”લગ્ન સમારંભની શરૂઆત પરંપરાગત સંગીત તથા શુભ મંત્રોચ્ચાર વચ્ચે દંપતીઓનું વિધિવત સ્વાગતથી કરવામાં આવી હતી. સમારંભની ઔપચારિક શરૂઆત ‘તોરણ’ રસ્મથી કરવામાં આવી, ત્યારબાદ વરમાળાની રસ્મ કરવામાં આવી હતી. ત્યારબાદ પંડિતોએ 51 પવિત્ર મંત્રો સાથે વિવાહની વિધિ પૂરી કરાવી હતી. જ્યાં દંપતીએ સાત ફેરા લઈ જીવન પર્યાંત સાથ નિભાવવા અને એકબીજાનો સહારો બનવાનું વચન આપ્યું હતું.નવવિવાહિત દંપતીને ગૌરવપૂર્વક અને સ્થિરતા સાથે પોતાનું લગ્ન જીવન શરૂ કરવામાં મદદરૂપ થવા માટે સંસ્થાએ દરેક દંપતીને ઘર-ગૃહસ્થી માટે જરૂરી તમામ ચીજ-વસ્તુની ભેટ આપી હતી. જેમાં બેડ, બેન્ડિંગ વોર્ડરોબ, વાસણો, ગેસ સ્ટવ, ડિનર સેટ, પંખા તથા અન્ય દૈનિક જીવનમાં જરૂરી એવી ચીજવસ્તુઓનો સમાવેશ થતો હતો. મહેમાનો, દાતાઓ તથા શુભચિંતકોએ પણ દંપતીને મંગળસૂત્ર, બંગડીઓ, પાયલ અને અન્ય પરંપરાગત આભૂષણો વગેરે ભેટ આપી આશીર્વાદ આપ્યા હતા. આ ઉત્સવમાં શિવ-પાર્વતી તથા કૃષ્ણ-રુકમણીના દિવ્ય લગ્નને દર્શાવતી જીવંત સાંસ્કૃતિક પ્રસ્તુતિનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દુલ્હનોને પ્રતીકાત્મક ‘ડોલી વિદાય’ આપવામાં આવી હતી-જે એક ખૂબ જ ભાવુક ક્ષણ હતી.આ સમારંભની સાથે નારાયણ સેવા સંસ્થાને અત્યાર સુધીમાં વિવિધ દિવ્યાંગ અને વંચિત વ્યક્તિઓના 2,561 લગ્ન કરાવ્યા છે. આ તેમનો 45મો પ્રયત્ન હતો. આ પહેલાં 44 સમૂહ લગ્નોમાં તેમણે 2510 દિવ્યાંગો તેમજ આર્થિક રીતે નબળા યુગ્લોનો મન મેળ કરાવી આપ્યો હતો. તેમના આ પ્રયાસો કરુણા, સશક્તિકરણ તથા સામાજિક વિકાસ પ્રત્યે તેમની લાંબાગાળાની કટિબદ્ધતા દર્શાવે છે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)

LPG માટે eKYC ની ઝંઝટ ખતમ, સરકારે મોટો આદેશ કર્યો જાહેર

Indiaમાં LPG ગ્રાહકો માટે ચાલી રહેલા eKYC અંગેના ગેરસમજ વચ્ચે સરકારે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. Ministry of Petroleum and Natural Gasએ જણાવ્યું છે કે બાયોમેટ્રિક આધાર ઓથન્ટિકેશન માત્ર તે જ ગ્રાહકો માટે ફરજિયાત છે જેમણે હજી સુધી પોતાની eKYC પ્રક્રિયા પૂર્ણ કરી નથી. આ નિર્ણય પછી લાખો ગ્રાહકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આવી રહેલી કેટલીક પોસ્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે દરેક LPG ગ્રાહક માટે eKYC ફરજિયાત કરવામાં આવ્યું છે. પરંતુ Ministry of Petroleum and Natural Gasએ આ દાવાઓને ખોટા ગણાવી સ્પષ્ટ કર્યું કે આ કોઈ નવો નિયમ નથી અને માત્ર બાકી રહેલા ગ્રાહકોને પ્રોત્સાહિત કરવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

સરકારે જણાવ્યું છે કે જેમણે પહેલેથી જ બાયોમેટ્રિક આધાર ઓથન્ટિકેશન પૂર્ણ કર્યું છે, તેઓને ફરીથી eKYC કરવાની જરૂર નથી. આથી ઘણા ગ્રાહકોમાં ફેલાયેલી ગૂંચવણ હવે દૂર થઈ છે. ખાસ કરીને શહેરોમાં લાંબી લાઈનો અને ગેસ એજન્સીઓ પર વધતા દબાણને ધ્યાનમાં રાખીને આ સ્પષ્ટતા મહત્વપૂર્ણ બની છે.

Pradhan Mantri Ujjwala Yojanaના લાભાર્થીઓ માટે પણ આ નિયમ મર્યાદિત રીતે લાગુ પડે છે. મંત્રાલયના જણાવ્યા મુજબ, PMUY હેઠળના ગ્રાહકોને વર્ષમાં માત્ર એક જ વાર eKYC પ્રક્રિયા પૂર્ણ કરવી પડે છે. ખાસ કરીને 7 સિલિન્ડર બાદ 8મા અને 9મા રિફિલ માટે સબસિડી મેળવવા માટે આ ઓથન્ટિકેશન જરૂરી બને છે.

સરકારે વધુમાં જણાવ્યું છે કે eKYC પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને ગ્રાહકો તેને ઘરે બેઠા પૂર્ણ કરી શકે છે. આ માટે ગેસ ડીલર અથવા ઓફિસ સુધી જવાની જરૂર નથી, જેના કારણે સમય અને ખર્ચ બંનેમાં બચત થાય છે. આ ડિજિટલ પ્રક્રિયા લોકોને વધુ સુવિધા આપવાનો એક પ્રયાસ છે.

સરકારના મતે આધાર આધારિત eKYC સિસ્ટમ LPG વિતરણમાં પારદર્શિતા લાવે છે. આ પ્રક્રિયા દ્વારા યોગ્ય લાભાર્થીઓ સુધી સબસિડી પહોંચે છે અને ગેરકાયદેસર લાભાર્થીઓને સિસ્ટમમાંથી દૂર કરવામાં મદદ મળે છે. આ સાથે ગેસ સિલિન્ડરની બ્લેક માર્કેટિંગ પર પણ નિયંત્રણ રાખી શકાય છે.

તાજેતરમાં LPG સપ્લાય અને માંગ વચ્ચેના સંતુલન અંગે કેટલીક ચિંતાઓ સામે આવી હતી, પરંતુ મંત્રાલયે ખાતરી આપી છે કે eKYC પ્રક્રિયાનો ગેસ સપ્લાય પર કોઈ નકારાત્મક અસર નહીં પડે. ગ્રાહકોને નિયમિત રીતે સિલિન્ડર ઉપલબ્ધ રહેશે અને કોઈ વિક્ષેપ થવાનો નથી.

વિશેષજ્ઞો માને છે કે આ પ્રકારની સ્પષ્ટતા સરકાર દ્વારા યોગ્ય સમયે આપવામાં આવી છે, કારણ કે ગેરસમજને કારણે બજારમાં અનાવશ્યક દબાણ ઊભું થઈ શકે છે. હવે ગ્રાહકો વધુ વિશ્વાસ સાથે આ પ્રક્રિયા પૂર્ણ કરી શકશે.

આ સમગ્ર પ્રક્રિયાનો મુખ્ય હેતુ LPG વિતરણ વ્યવસ્થાને વધુ મજબૂત અને પારદર્શક બનાવવાનો છે. સરકારનો પ્રયાસ છે કે ટેકનોલોજીના ઉપયોગ દ્વારા સેવાઓ વધુ કાર્યક્ષમ બને અને સામાન્ય લોકોને સરળતા મળે.

આગામી સમયમાં પણ Ministry of Petroleum and Natural Gas દ્વારા આવા જ સુધારાત્મક પગલાં લેવામાં આવશે તેવી શક્યતા છે, જેથી ઊર્જા ક્ષેત્રમાં વધુ સુધારો આવી શકે.

ઓડિશા રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ મુદ્દે કોંગ્રેસનાં આકરાં પગલાં

નવી દિલ્હીઃ ઓડિશામાં રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગના આરોપોને લઈને કોંગ્રેસે ત્રણ ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યોમાં રમેશ જેના, દશરથી ગામંગ અને સોફિયા ફિરદૌસનો સમાવેશ થાય છે. પાર્ટીએ તેમના પર ચૂંટણી દરમિયાન પક્ષવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ ધારાસભ્યોએ પાર્ટી વ્હિપનું ઉલ્લંઘન કર્યું અને કથિત રીતે ભાજપ સમર્થિત ઉમેદવારોના પક્ષમાં મતદાન કર્યું, જેને કારણે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.

આ કાર્યવાહી ઓડિશા પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા કરવામાં આવી હતી. કમિટીએ જણાવ્યું હતું કે પાર્ટી શિસ્ત જાળવવા માટે આ પગલું જરૂરી હતું. આ ઘટનાના બાદ ઓડિશાના રાજકારણમાં હલચલ તેજ બની છે અને અન્ય રાજકીય પક્ષો પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

ચૂંટણીની રાજકીય ચાલોમાં ભાજપ ભારે પડી

ચૂંટણી દરમિયાન વિરોધી ધારાસભ્યો દ્વારા થયેલી ક્રોસ વોટિંગ બાદ NDAએ ઓડિશામાં રાજ્યસભાની બે બેઠકો જીતવામાં સફળતા મેળવી. ઓડિશામાં દર બે વર્ષે યોજાતી રાજ્યસભા ચૂંટણીનાં પરિણામો સોમવારે જાહેર થયાં, જેમાં ચાર ઉમેદવારો રાજ્યસભામાં પહોંચ્યા હતા. આ ચૂંટણી ખૂબ જ ટક્કરભરી રહી, જેમાં ક્રોસ વોટિંગ અને રાજકીય દાવપેચ સ્પષ્ટ રીતે જોવા મળ્યા હતા.

 કોણ-કોણ રાજ્યસભા પહોંચ્યું?

ભાજપના વરિષ્ઠ નેતા અને ઓડિશા પ્રદેશ અધ્યક્ષ મનમોહન સામલે જીત મેળવી, જે રાજ્યમાંથી પાર્ટીની રાષ્ટ્રીય હાજરી મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે. ભાજપના અન્ય ઉમેદવાર અને હાલના રાજ્યસભા સાંસદ સુજિત કુમાર પણ ફરીથી ચૂંટાઈ આવ્યા, જેને કારણે સંસદમાં ઓડિશાથી પાર્ટીનું પ્રતિનિધિત્વ વધુ મજબૂત બન્યું છે.

 દિલીપ રાયની જીત ચર્ચાનો વિષય

બીજી તરફ, મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં અનુભવી નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન દિલીપ રાયે ભાજપ સમર્થિત અફક્ષ ઉમેદવાર તરીકે જીત મેળવી. BJD અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો દ્વારા ક્રોસ વોટિંગ થયાની ખબર વચ્ચે તેમની જીત રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે, કારણ કે રાજ્યસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોની જીત સામાન્ય રીતે દુર્લભ માનવામાં આવે છે. BJD સૂત્રોએ સંકેત આપ્યો હતો કે લગભગ આઠ ધારાસભ્યોએ તેમના પક્ષમાં ક્રોસ વોટિંગ કર્યું હોઈ શકે છે, જેને કારણે પરિણામ પર અસર પડી.

બંગાળ ચૂંટણી : TMCએ 291 ઉમેદવારો જાહેર કર્યાં

West Bengalની રાજનીતિમાં ચૂંટણી પહેલા જ ગરમાવો તેજ થઈ ગયો છે. Mamata Banerjeeના નેતૃત્વ હેઠળ All India Trinamool Congressએ વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં કુલ 291 ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય સાથે જ રાજ્યની રાજકીય દિશા અને ચૂંટણી લડત વધુ રસપ્રદ બની ગઈ છે.

આ વખતે સૌથી મોટી ચર્ચાનો વિષય Mamata Banerjeeનો નિર્ણય રહ્યો છે કે તેઓ Nandigramમાંથી ચૂંટણી નહીં લડે. તેના બદલે તેઓ Bhabanipurમાંથી મેદાનમાં ઉતરશે. આ નિર્ણયને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, કારણ કે નંદીગ્રામ બેઠક છેલ્લા કેટલાક વર્ષોમાં રાજકીય સંઘર્ષનું કેન્દ્ર બની રહી છે. બીજી તરફ Bharatiya Janata Partyએ આ બંને મહત્વપૂર્ણ બેઠકો માટે Suvendu Adhikariને ઉમેદવાર તરીકે ઊભા કર્યા છે. જેના કારણે ભવાનીપુર અને નંદીગ્રામ બંને બેઠક પર સીધી ટક્કર જોવા મળશે અને ચૂંટણીમાં રસ વધશે.

ઉમેદવારોની યાદી જાહેર કરતી વખતે Mamata Banerjeeએ દાવો કર્યો કે તેમની પાર્ટી આ ચૂંટણીમાં 226થી વધુ બેઠકો જીતશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે લોકોનો આધાર હજુ પણ તેમની સાથે છે અને વિકાસના મુદ્દે તેઓ ફરી એકવાર સત્તામાં આવશે.

 

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ: કમિટીએ ફાઈનલ રિપોર્ટ સોંપ્યો

ગાંધીનગર: રાજ્યમાં UCCના અમલીકરણ માટેનો આખરી અહેવાલ સમિતિએ મુખ્યમંત્રીને સોંપ્યો. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અઘ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમિતિ રચવામાં આવી હતી. જેણે વિસ્તૃત અહેવાલના ત્રણ વોલ્યુમ ભૂપેન્દ્ર પટેલને મંગળવારે સોંપ્યો.સમિતિએ ઝીણવટ ભર્યા અભ્યાસ અને જિલ્લાઓની મુલાકાત લઇને રિપોર્ટ તૈયાર કર્યો છે. લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકત અને દત્તક લેવા જેવા મુદ્દાઓ પર તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન કાયદાકીય માળખું આ ડ્રાફ્ટ અહેવાલમાં સમિતિ દ્વારા સૂચવવામાં આવ્યું છે. વિશેષ કરીને મહિલાઓના સમાન અધિકારો અને સુરક્ષાને આ ડ્રાફ્ટમાં પ્રાથમિકતા આપવામાં આવી છે. એટલુ જ નહીં ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાનું પણ અહેવાલમાં ધ્યાનમાં રાખવામાં આવ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા આ કમિટીની રચના 4 ફેબ્રુઆરી, 2025ના રોજ કરવામાં આવી હતી. આ કમિટીએ છેલ્લા એક વર્ષ દરમિયાન વિવિધ ધર્મ, જ્ઞાતિના અગ્રણીઓ, કાયદાકીય નિષ્ણાતો અને સામાન્ય જનતાના અભિપ્રાયો મેળવ્યા હતા. 17મી માર્ચે  કામકાજ સલાહકાર કમિટીની બેઠકમાં આ અહેવાલ અંગે ચર્ચા થશે. જેના આધારે સરકાર દ્વારા કુલ 4 વિધેયકો લાવવાની તૈયારી છે.યુનિફોર્મ સિવિલ કોડ શું છે?

યુનિફોર્મ સિવિલ કોડમાં દેશના તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન અને એક સરખા કાયદા બનાવવાની હિમાયત કરવામાં આવી છે. વિવિધ ધર્મના આધારે હાલના વિવિધ કાયદાઓ એક રીતે બિનઅસરકારક બની જાય છે. જો સરળ ભાષામાં કહેવામાં આવે તો આ કાયદાનો અર્થ એ છે કે દેશમાં તમામ ધર્મો અને સમુદાયો માટે કાયદો સમાન હશે, જે સંસદ દ્વારા નક્કી કરવામાં આવશે. બંધારણની કલમ 44 હેઠળ યુનિફોર્મ સિવિલ કોડ આવે છે. જે જણાવે છે કે રાજ્ય સમગ્ર ભારતમાં નાગરિકો માટે યુનિફોર્મ સિવિલ કોડ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે.

નરસંહારને ઓપરેશન બતાવી રહ્યું છે પાકિસ્તાનઃ ભારતે કરી નિંદા

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં હોસ્પિટલ પર થયેલા પાકિસ્તાનના હુમલાની ભારતે આકરા શબ્દોમાં નિંદા કરી છે. ભારતે આ કૃત્યને અમાનવીય હિંસા ગણાવ્યું છે. 16 માર્ચની રાત્રે કાબુલમાં એક હોસ્પિટલ પર પાકિસ્તાન દ્વારા એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી. આ હુમલામાં અંદાજે 400 લોકોનાં મોત થયાં હતાં. ભારતે આ ઘટનાને કાયરતાપૂર્ણ અને અમાનવીય ગણાવીને જણાવ્યું હતું કે આને કોઈ પણ રીતે સૈન્ય કાર્યવાહી કહી શકાય નહીં. પાકિસ્તાન આ નરસંહારને “ઓપરેશન” તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ભારતના વિદેશ મંત્રાલયે આ હુમલા અંગે સત્તાવાર નિવેદન જારી કર્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત 16 માર્ચની રાત્રે કાબુલમાં ઓમિદ એડિક્શન ટ્રીટમેન્ટ હોસ્પિટલ પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા બર્બર હવાઈ હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરે છે. આ કાયરતાપૂર્ણ અને અત્યંત નિંદનીય હિંસક કૃત્ય છે, જેમાં મોટી સંખ્યામાં નિર્દોષ નાગરિકોના જીવ ગયા છે. આ સ્થળને કોઈ પણ રીતે સૈન્ય લક્ષ્ય ગણાવી શકાય નહીં. પાકિસ્તાન હવે આ નરસંહારને સૈન્ય કાર્યવાહી તરીકે દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

આ નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું કે આ હુમલો પવિત્ર રમજાન મહિનામાં થયો છે—જે વિશ્વભરના મુસ્લિમો માટે શાંતિ, આત્મચિંતન અને કરુણાનો સમય છે—તેથી આ કૃત્ય વધુ નિંદનીય બની જાય છે. કોઈ પણ ધર્મ, કાયદો કે નૈતિકતા હોસ્પિટલ અને તેના દર્દીઓને જાણબૂજીને નિશાન બનાવવાનું સમર્થન નથી કરતી. આંતરરાષ્ટ્રીય સમુદાયે આ ગુનાહિત કૃત્યના દોષિતોને જવાબદાર ઠેરવવા જોઈએ અને પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનમાં નાગરિકોને નિશાન બનાવવાની આવી ઘટનાઓ તરત બંધ થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ.

અફઘાનિસ્તાન પ્રત્યે સમર્થન વ્યક્ત કરતાં ભારતે કહ્યું હતું કે ભારત શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે, ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરે છે અને આ દુઃખદ સમયે અફઘાનિસ્તાનના લોકો સાથે એકતા દર્શાવે છે. એ સાથે જ ભારત અફઘાનિસ્તાનની સર્વભૌમતા અને પ્રાદેશિક અખંડિતતા પ્રત્યે પોતાના અડગ સમર્થનને પુનરાવર્તિત કરે છે.