નવી દિલ્હીઃ હરિયાણામાં સરકારી નાણાંની સુરક્ષા અંગે ફરી એક વાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. IDFC ફર્સ્ટ બેંકમાં થયેલા કૌભાંડના એક મહિના બાદ હવે કોટક મહિન્દ્રા બેંકમાં પંચકુલા મ્યુનિસિપલ કોર્પોરેશનના કરોડો રૂપિયાની ગેરરીતિનો મોટો મામલો સામે આવ્યો છે. બેંક કર્મચારીઓની કથિત મિલીભગતથી પંચકુલા નગર નિગમના અંદાજે 150 કરોડ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ રસીદો (FDR)માં ગેરરીતિઓ આચરવામાં આવી છે. આ મામલો બહાર આવતા હરિયાણા સરકારે તપાસ હરિયાણા રાજ્ય સતર્કતા અને ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (SW-ACB)ને સોંપી છે.
કોટક મહિન્દ્રા બેંકની એક શાખામાં પંચકુલા નગર નિગમની અંદાજે 150 કરોડ રૂપિયાની FDRમાં થયેલી કથિત અનિયમિતતાઓને લઈને અજાણ્યા બેંક અધિકારીઓ અને અન્ય લોકો સામે છેતરપિંડી, કાવતરા સહિતના આરોપો હેઠળ FIR નોંધાઈ છે. નગર નિગમે પોતાના સત્તાવાર રેકોર્ડ અને બેંકની પંચકુલા શાખા દ્વારા દર્શાવવામાં આવેલા બેલેન્સ વચ્ચે કરોડો રૂપિયાનું અંતર હોવાનું જણાવ્યું છે.
પંચકુલા નગર નિગમના કમિશનર વિનયકુમારે જણાવ્યું હતું કે કુલ લગભગ 150 કરોડ રૂપિયાની FDR સાથે જોડાયેલા દસ્તાવેજોમાં અનિયમિતતાઓ મળી આવી છે. કોટક મહિન્દ્રા બેંકના પ્રવક્તાએ બુધવારે જણાવ્યું કે નગર નિગમની ફિક્સ્ડ ડિપોઝિટ અને સંબંધિત ખાતાઓનું વિગતવાર મિલાન કરવામાં આવ્યું છે અને અત્યાર સુધી તપાસાયેલા રેકોર્ડ મુજબ ખાતાઓ તથા લેવડદેવડ બેંકિંગ ધોરણો અને નિયમો અનુસાર સંભાળવામાં આવ્યા છે.
કાર્યાલયના દસ્તાવેજો મુજબ નગર નિગમે કોટક મહિન્દ્રા બેંકમાં 145 કરોડ રૂપિયાની 16 ફિક્સ્ડ ડિપોઝિટ રાખેલી છે, જેના પરિપક્વતા મૂલ્યને 158 કરોડ રૂપિયા ગણાવવામાં આવ્યું છે. FIRમાં જણાવાયું છે કે દસ્તાવેજોમાં ગંભીર અસંગતતા છે અને બેંક તરફથી નાણાકીય અનિયમિતતાઓની શક્યતા નકારી શકાય તેવી નથી. નગર નિગમના અધિકારીઓએ જણાવ્યું હતું કે 13 માર્ચ સુધી એક ખાતામાં માત્ર 2.17 કરોડ રૂપિયા બાકી દર્શાવવામાં આવ્યા હતા, જ્યારે તેમાં 50 કરોડ રૂપિયાથી વધુ રકમ હોવી જોઈએ હતી.
પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે FDRના પરિપક્વતા મૂલ્ય અને બેંક દ્વારા દર્શાવવામાં આવેલી વાસ્તવિક રકમ વચ્ચે મોટો તફાવત છે. નગર નિગમના રેકોર્ડમાં બે ખાતાંઓ દર્શાવવામાં આવ્યાં હતાં, જ્યારે ચકાસણી દરમિયાન બેંકે બે વધારાનાં ખાતાઓની માહિતી આપી, જે નગર નિગમના સત્તાવાર દસ્તાવેજોમાં નોંધાયેલાં નહોતાં. FIR મુજબ બેંક રેકોર્ડમાં રહેલી વિસંગતતાઓ અને આ અજ્ઞાત ખાતાઓ નાણાકીય દસ્તાવેજોની વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.




છે : (૧) વૈતેષણા – માનવીને ધન, સાધન, સામગ્રી જોઈએ છે. ભોગવિલાસ અને ઇન્દ્રિયોની વૃત્તિ સંતોષવા માટે તેની કામના રહે છે. (૨) પુત્રેષણા – માનવીને પરિવાર, પુત્ર, પુત્રી, સંબંધીઓ મિત્રોની માયા રહે છે. તેના માટે સંચય કરવાની વૃત્તિ થાય છે. વ્યક્તિનું જીવન મર્યાદિત છે પણ છોકરાનાં છોકરાં ખાય તેટલું એકઠું કરવાની લાલસા છે. (૩) લોકેષણા માણસને પ્રસિદ્ધિ ગમે છે.



tsh




