Home Blog Page 1537

ગુજરાતમાં જળબંબાકાર, સાવધાની માટે માર્ગદર્શિકા જાહેર

હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને રાજ્યમાં આગામી દિવસોમાં અતિ ભારે વરસાદ તથા વીજ ગર્જનાને પરિણામે સર્જાનાર પરિસ્થિતિને પહોંચી વળવા તકેદારીના ભાગરૂપે રાજ્યના નાગરિકોને નીચે મુજબના પગલા લેવા ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ-ગાંધીનગર દ્વારા અનુરોધ કરાયો છે.

  • અફ્વા ફેલાવવી નહિ, શાંત રહેવું, ગભરાવવું નહીં.
  • સ્થાનિક વહીવટીતંત્રના સંપર્કમાં રહી તેમની સૂચનાઓનું પાલન કરવું.
  • આસપાસમાં સૌથી નજીકના સલામત સ્થળે પહોંચવાનો સલામત માર્ગ જાણવો.
  • હવામાન અને પૂરની ચેતવણીની અદ્યતન માહિતી માટે રેડિયો સાંભળવો કે ટેલિવિઝન નિહાળવું.
  • તમારા મોબાઈલ ફોનને ચાર્જ કરી રાખવો.
  • સર્પદંશ અને ઝાડા ઊલટી માટેની વધારાની દવાઓ સાથેની પ્રાથમિક સારવાર કિટ તૈયાર રાખવી.
  • વરસાદથી રક્ષણ માટે છત્રી અને સાપ જેવા ઝેરી જીવજંતુથી બચવા લાકડી રાખવી.
  • શુદ્ધ પાણી, સૂકો ખાદ્યપદાર્થ, મીણબત્તી/દીવાસળીની પેટીઓ, કેરોસીન, ફાનસ, મજબૂત દોરડાં અને ટોર્ચ વધારાના બેટરી/સેલ સાથે હાથવગા રાખવા.
  • પશુઓના બચાવ માટે તેમને ખૂંટાથી છૂટાં રાખવા.

પૂરની પરિસ્થિતિમાં સ્થળાંતર કરવાનું થાય ત્યારે આટલું ધ્યાન રાખો

  • નાગરિકો અને પશુઓ સલામત આશ્રય લઈ શકે તેવા ઊંચા સ્થળે સ્થળાંતર કરવું.
  • ઘરને તાળું મારી બંધ કરવું અને દર્શાવેલા માર્ગે સલામત સ્થાને પહોંચવું.
  • પૂરના પાણી ગટર દ્વારા ઘરમાં ન ઘૂસે તે માટે રેતીની કોથળીઓ મૂકી ગટર બંધ રાખો.
  • કપડાં, જરૂરી દવાઓ, કિંમતી ચીજ વસ્તુઓ, અંગત દસ્તાવજો વગેરેને વોટરપ્રુફ પેકિંગમાં રાખો.
  • ફર્નિચર, ઘર ઉપયોગી સાધનો વગેરેને પલંગ કે ટેબલ ઉપર ઊંચે મૂકી રાખો.
  • ઘર છોડતા પહેલાં વીજ પુરવઠો અને ગેસ સિલિન્ડર અવશ્ય બંધ કરો.
  • અજાણ્યા અને ઊંડા પાણીમાં ઉતરવાનું ટાળો.
  • પૂર દરમિયાન આટલી કાળજી અવશ્ય રાખીએ.
  • ગટર અને પાણીના નિકાલ માર્ગોથી દૂર રહીએ.
  • વીજળીના થાંભલા અને જમીન પર પડેલાં વીજ વાયરોથી દૂર રહીએ.
  • ઉકાળેલું જ પાણી પીવું અથવા પાણીને જંતુમુક્ત કરી પીવું.
  • આસપાસની જગ્યાને જંતુમુક્ત રાખવા ચૂનો અને બ્લિચીંગ પાવડરનો છંટકાવ કરવો.
  • બાળકોને ભૂખ્યાં ન રાખવા.
  • તાજો રાંધેલો અને સૂકો ખોરાક ખાવો, ખોરાકને ઢાંકીને રાખવો.
  • પૂરની પરિસ્થિતિ બાદ આટલું ખાસ કરો.
  • સ્થાનિક સત્તાધિશો અને આકસ્મિક સેવાઓ સાથે જોડાયેલાં કાર્યકરોની સલાહ ધ્યાનથી સાંભળવી અને તેનું પાલન કરવું.
  • મેલેરિયાથી બચવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરવો.
  • બાળકોને પૂરના પાણીમાં કે પૂરના પાણીની નજીક જવા દેશો નહીં.
  • તૂટેલાં વીજ થાંભલાઓ, ક્ષતિગ્રસ્ત પુલ-નાળાં, તૂટેલાં કાચ, ધારદાર ચીજવસ્તુઓ અને ભંગારથી દૂર રહેવું તથા સાવચેત રહેવું.
  • ક્ષતિગ્રસ્ત વીજ ઉપકરણોનો ઉપયોગ ટાળવો, ઈલેક્ટ્રિશીયન પાસે ચેક કરાવ્યા બાદ જ આવા ઉપકરણોનો ઉપયોગ કરવો.
  • પૂરના પાણીથી પલળેલો ખોરાક આરોગવો નહીં.
  • આકસ્મિક સમયે રાહત અને બચાવ માટે અહીં દર્શાવેલા આપાતકાલિન કંટ્રોલ રૂમના ટેલિફોન નંબર ઉપર જાણ કરવી.
  • વીજળીની પરિસ્થિતિમાં આટલી સાવચેતી રાખો.
  • ભયાનક આકાશી વીજળી થતી હોય ત્યારે સુરક્ષિત મકાનમાં જતા રહેવું.
  • ભયાનક વીજળી થતી હોય ત્યારે વૃક્ષ નીચે ઉભા ન રહેવું.
  • આકાશી વીજળી થતી હોય ત્યારે ફીશીંગ રોડ કે છત્રી પકડી રાખવી નહીં.
  • ઈલકેટ્રીક થાંભલા કે ટેલીફોન થાંભલાનો સ્પર્શ કરવો નહીં.
  • ઈલેકટ્રીકના ઉપરકરણોને પાણીની પાઈપલાઈન તથા ભેજથી હમેંશા દૂર રાખવા.
  • શોર્ટસર્કિટથી વીજપ્રવાહ આપોઆપ બંધ થઈ જાય તેવી સ્વીચ વાપરવી.
  • ઘરમાં દરેકને મેઈનસ્વીચ અંગેની જાણકારી આપવી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આપાતકાલિન પરિસ્થિતિમાં આવશ્યક મદદ માટે (લેન્ડલાઈન ફોન માટે) જિલ્લા કંટ્રોલ રૂમ-૧૦૭૭ અને રાજ્ય કંટ્રોલ રૂમ -૧૦૭૦ નો સંપર્ક કરવા ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ-ગાંધીનગર દ્વારા જણાવાયું છે. મોબાઇલથી સંપર્ક કરવા માટે ડિસ્ટ્રિક્ટ કોડ જોડવાનો રહેશે.

International Dog Day: મુંબઈ પોલીસે ડૉગ લિયોનું સન્માન કર્યું

મુંબઈ: દર વર્ષે 26 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ડૉગ ડે (International Dog Day) ઉજવવામાં આવે છે. આ દિવસ સમાજમાં કૂતરાઓ દ્વારા ભજવવામાં આવતી વિવિધ ભૂમિકાઓની પ્રશંસા કરવા માટે ઉજવવામાં આવે છે. આપણા ઘરમાં ઉછરેલો કૂતરો હોય કે પોલીસ સાથે કામ કરતો ફાઇટર કૂતરો, આ દિવસે દરેક કૂતરાની પ્રશંસા કરવામાં આવે છે.

લિયો મુંબઈ પોલીસને વફાદાર છે

મુંબઈ પોલીસનો કૂતરો લિયો મુંબઈ પોલીસ દળમાં કામ કરતો ખૂબ જ વફાદાર કૂતરો છે. તે સાડા સાત વર્ષનો છે અને અત્યાર સુધીમાં તેણે પોલીસને ઘણા મહત્વપૂર્ણ કેસ ઉકેલવામાં મદદ કરી છે. લિયોએ મર્ડર કેસ, ગુમ કેસ, અપહરણ, ચોરી વગેરે જેવા તમામ કેસોમાં મદદ કરી છે.

લિયોએ કેસ કેવી રીતે ઉકેલ્યો?

અપહરણના કેસમાં પોલીસ ડૉગ લિયોએ માત્ર 90 મિનિટમાં ગુમ થયેલા બાળક શોધી કાઢ્યું હતું. તેણે આ શોધ તેના કપડાની ગંધથી જ કરી હતી. આ તેની બુદ્ધિ અને ક્ષમતા દર્શાવે છે. ચોરીના મામલામાં પણ મોટો મુદ્દો ઉભો થયો કારણ કે લિયોને તરત જ તેની જાણ થઈ ગઈ.

ડૉગ લિયોએ આજ સુધી ઘણા કેસ ઉકેલ્યા છે

‘પોલીસ ડૉગ લિયોએ આજ સુધી ઘણા કેસમાં અમને ઘણી મદદ કરી છે. તે હવે સાડા સાત વર્ષનો છે. પોલીસ કોન્સ્ટેબલ ભાઈસાહેબ વિષ્ણુ શિંદેએ કહ્યું,”તેમના પ્રેમ અને અત્યાર સુધીના અનુભવને કારણે, અમને હંમેશા તેમનામાં ઘણો વિશ્વાસ છે.”

ભારે વરસાદથી અમદાવાદ એરક્રાફ્ટ પ્રભાવિત, 21 ફ્લાઈટ હવામાં ચક્કર માર્યા

ગુજરાતમાં ગઈકાલથી જ અત્યંત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભારે વરસાદને પગલે જનજીવન પ્રાવિત થયું છે. રાજ્યમાં કેટલીક જગ્ય પર વરસાદે તારાજી સર્જી છે. કેટલાક ગામોના સંપર્ક વિહોણા બન્યા છે. તો કેટલીક જગ્યા પર લોકોના રેસ્કૂય કરવામાં આવી રહ્યા છે. રાજ્યભરમાં અત્યંત ભારે વરસાદ વરસવાને કારણે બસ-ટ્રેનના વાહન વ્યવહાર ખોરવાયો છે તથા ફ્લાઇટને પણ તેની અસર થઈ છે. એરક્રાફ્ટને એર ટ્રાફિક કંટ્રોલમાંથી ક્લિયરન્સ ન મળતા અનેક ફ્લાઈટને હવામાં જ ચક્કર લગાવવા પડ્યા હતા. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી સામાન્ય દિવસોમાં 260થી 270 જેટલી ફ્લાઈટની અવરજવર થતી હોય છે. આ તમામ ફ્લાઈટોને મોટી સંખ્યામાં ફ્લાઈટની અવરજવર ને વાતાવરણની અસર થઈ હતી.  

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ સાંજ સુધી અત્યંત ભારે વરસાદ વરસ્યો હતો, તેને કારણે વિઝિબિલિટી પણ ખૂબ જ ઘટી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં ભારે વરસાદને પગલે  વાહન વ્યવહાર ખોવાયો છે. સૌથી વધુ અસર અમદાવાદ એરપોર્ટ ઉપર આવતી ફ્લાઇટ અને એરપોર્ટ સાથે ફ્લાઈટને અસર થઈ છે. અમદાવાદથી ટેકઓફ થતી કુલ 71 ફ્લાઈટ આજે વિલંબિત થઈ હતી જ્યારે અન્ય સેક્ટરમાંથી અમદાવાદ આવતી 42 જેટલી ફ્લાઈટ વિલંબિત થઈ હતી.  અત્રે ઉલ્લેખનીય છે કે, ફ્લાઈટ માટે ટેકઓફ અને લેન્ડિંગ દરમિયાન એર ટ્રાફિક કંટ્રોલમાંથી ક્લિયરન્સ મળવું ખૂબ જ અગત્યનું છે ત્યારે હવામાન વિભાગની અગાઉથી જ આગાહી હતી કે આજે અમદાવાદ શહેરમાં અત્યંત ભારે વરસાદ વરસે શકે છે તેના માટે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું એવામાં અને વિવિધ સેક્ટરમાંથી અમદાવાદ આવતી કુલ 21 ફ્લાઈટ એ અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરાણ કરતા પહેલા હવામાં ચક્કર લગાવ્યા હતા. કેટલીક ફ્લાઈટોએ અડધા કલાક માટે તો કેટલીક ફ્લાઈટોએ તેના કરતાં પણ વધુ સમય માટે અમદાવાદની આસપાસ હવામાં જ ચક્કર લગાવ્યા હતા. ત્યારબાદ અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરાણ કરવા માટે સફળ થઈ હતી તથા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી ટેક ઓફ થતી વિવિધ એરલાઇન્સ ની ફ્લાઈટ એક કલાકથી લઈને ચાર કલાક માટે વિલંબિત થઈ હતી.  

 ગુજરાત રાજ્યનું અને તેમાં પણ અમદાવાદ શહેરના વાતાવરણની આગાહીને જોતા એરપોર્ટ ઓથોરિટી દ્વારા મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે જેમાં મુસાફર અને જણાવવામાં આવ્યું છે કે અમદાવાદ શહેરની વરસાદની આગાહીને જોતા ફ્લાઇટનું શિડ્યુલ ખોવાઈ શકે છે તેથી ફ્લાઇટનો સમય એક વખત એરલાઇન્સ સાથે નક્કી કરીને જ એરપોર્ટ માટે નીકળવું અને જો ફ્લાઇટ સમયસર હોય તો થોડા સમય પહેલા જ એરપોર્ટ આવી જવું જેથી સરળતાથી ચેકિંગ થઈ શકે અને મુસાફરી સુખદ રહે.  

ગુજરાતમાં મેઘો ધમધોકાર, DYSOની પરીક્ષા મોકૂફ

ગુજરાતમાં ભારે વરસાદના પગલે GPSC દ્વારા લેવાનારી DYSOની પરીક્ષા મોકૂફ રાકવામાં આવી છે. જેમાં GPSC દ્વારા લેવાનારી DYSOની પરીક્ષા મોકૂફ છે. તેમાં પરીક્ષા 28 ઓગસ્ટથી શરૂ થવાની હતી. ભારે વરસાદ અને આગાહીને પગલે નિર્ણય લેવાયો છે. ભારે વરસાદને લઈને સમગ્ર ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગે 27 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. GPSC દ્વારા લેવાનારી DYSOની પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ગુજરાત જાહેર સેવા આયોગ દ્રારા લેવામાં આવતી નાયમ મામલતદાર (DYSO)ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. 28 ઓગસ્ટથી પરીક્ષા શરૂ થવાની હતી. રાજયમાં ભારે વરસાદ અને આગાહીને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી વિદ્યાર્થીઓને ભારે વરસાદના કારણે મુસાફરીમાં હાલાકીનો સામનો ના કરવો પડે. તેમજ મોકૂફ રાખેલ પરીક્ષા બાબતે આયોગ દ્વારા ટૂંક સમયમાં વેબસાઈટ પર તારીખ જાહેર કરવામાં આવશે.

PM મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી

આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા પર વાતચીત થઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોસ્ટ કર્યું હતું કે તેમણે આજે રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી હતી. વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાના પગલાંની ચર્ચા કરવામાં આવી હતી. રશિયા-યુક્રેન યુદ્ધ અને મારી તાજેતરની યુક્રેનની મુલાકાત અંગે પણ ચર્ચા થઈ હતી. રશિયાએ યુક્રેન યુદ્ધના કાયમી અને શાંતિપૂર્ણ ઉકેલ માટે ભારતની મક્કમ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

તમને જણાવી દઈએ કે આ પહેલા સોમવારે વડાપ્રધાન મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ બિડેન વચ્ચે ફોન પર વાતચીત પણ થઈ હતી. આ વાતચીત બાદ વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પીએમ મોદી અને બિડેને બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. પરંતુ વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં આ મુદ્દે કંઈ કહેવામાં આવ્યું નથી. વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં માત્ર રશિયા-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ઘણી રીતે, 23 ઓગસ્ટના રોજ પીએમ મોદીની મુલાકાત રાજદ્વારી સંતુલન કાર્ય તરીકે જોવામાં આવી હતી કારણ કે ગયા મહિને રશિયામાં જઈને રાષ્ટ્રપતિ પુતિનને મળવાના તેમના પગલાની વૈશ્વિક સ્તરે ટીકા થઈ હતી અને પશ્ચિમી દેશોને તે પસંદ ન હતું. આ દરમિયાન મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને કહ્યું હતું કે યુક્રેન અને રશિયાએ સાથે બેસીને આ યુદ્ધનો અંત લાવવો જોઈએ અને ભારત શાંતિ પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયામાં સક્રિય ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.

દિલ્હી લિકર કેસમાં કે. કવિતાને SCમાંથી શરતી જામીન

નવી દિલ્હીઃ દિલ્હીના કથિત લિકર કૌભાંડમાં સુપ્રીમ કોર્ટે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) નેતા કે. કવિતાને શરતી જામીન આપ્યા છે. કોર્ટે ED અને CBI –બંને કેસોમાં તેમને શરતી જામીન આપ્યા છે. તેમણે પાસપોર્ટ નીચલી કોર્ટમાં જમા કરવાનો રહેશે. એ સાથે બંને કેસોમાં તેમણે રૂ. 10-10 લાખના બોન્ડ પણ ભરવાનાં રહેશે. હાલમાં જ હજી  આપ નેતા મનીષ સિસોદિયાને 19 મહિના બાદ જામીન મળ્યા હતા.

સુપ્રીમ કોર્ટે કવિતાને પુરાવા સાથે છેડછાડ ન કરવા નિર્દેશ કર્યો છે. જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે જામીન આપતાં સ્પષ્ટતા કરી હતી કે મેરિટ પર કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવામાં આવી નથી. જેથી ટ્રાયલ પર કોઈ અસર નહીં પડે. કવિતા આશરે પાંચ મહિનાથી જેલમાં બંધ હતાં. ED અને CBIએ સિસોદિયા અને દિલ્હીના CM  કેજરીવાલની તરફથી કવિતાની ભૂમિકા પણ કથિત લિકર કૌભાંડમાં મહત્ત્વની હોવાનું જણાવ્યું છે.

જોકે તપાસ એજન્સીઓએ જામીન અરજીનો વિરોધ કરતાં સુપ્રીમ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે BRS નેતા કવિતાએ મોબાઇલ ફોન ફોર્મેટ કરી કીધો છે અને પુરાવા સાથે છેડછાડ કરી છે. જ્યારે કવિતાએ કહ્યું કે મોબાઈલ ફોન ફોર્મેટ કરવાનો આરોપ ખોટો છે. સુપ્રીમ કોર્ટે સામે તપાસ એજન્સીઓને પ્રશ્ન કર્યો છે કે તમારી પાસે શો પુરાવો છે કે BRS નેતા કવિતા આ ગુનામાં સંડોવાયેલા છે.

કવિતા તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ જામીનની અપીલ કરતાં કહ્યું હતું કે કવિતા વિરુદ્ધ બંને એજન્સીઓએ તપાસ પૂર્ણ કરી છે. બંને મામલામાં આરોપી અને આપ નેતા મનીષ સિસોદિયાને જામીન આપવાના સુપ્રીમ કોર્ટનો હવાલો પણ આપ્યો હતો.

 

 

મહારાષ્ટ્ર: શિવાજીની પ્રતિમા ધરાશાયી થતાં રાજકારણ ગરમાયું

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સિંધુદુર્ગ જિલ્લાના રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના પતન માટે ભારે પવનને જવાબદાર ગણાવ્યો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્રપતિ શિવાજી મહારાજની 35 ફૂટની પ્રતિમાનું અપાવરણ કર્યું હતું. સિંધુદુર્ગમાં શિવાજીની પ્રતિમા ધરાશાયી થવાની ઘટના પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ વિચિત્ર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું,“અમારી ભાવનાઓ તેમની (શિવાજી મહારાજ) સાથે જોડાયેલી છે. આપણે ભગવાનની જેમ તેની પૂજા કરીએ છીએ.તે દુર્ભાગ્યપૂર્ણ છે કે તેજ પવનને કારણે પ્રતિમા તૂટી પડી. અમારા મંત્રીઓ ત્યાં ગયા છે અને સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે.

મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પ્રતિમા ધરાશાયી થવાની ઘટનાને “દુર્ભાગ્યપૂર્ણ” ગણાવી હતી અને કહ્યું હતું કે સરકાર તેનું કારણ શોધીને તે જ જગ્યાએ પ્રતિમાને ફરીથી સ્થાપિત કરશે.આ દરમિયાન મહારાષ્ટ્રના મંત્રી દીપક કેસરકરે કહ્યું કે PWD મંત્રી રવિન્દ્ર ચવ્હાણે કહ્યું છે કે આ મામલાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.

FIR નોંધાઈ

ભારતીય નૌકાદળે સોમવારે મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના પતન પર “ઊંડી ચિંતા” વ્યક્ત કરી હતી. તેણે કારણનું વિશ્લેષણ કરવા અને સમારકામ શરૂ કરવા માટે એક ટીમની પણ નિમણૂક કરી છે. આ કેસમાં સિંધુદુર્ગ પોલીસે કોન્ટ્રાક્ટર જયદીપ આપ્ટે અને સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ ચેતન પાટીલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ 109, 110, 125, 318 અને 3(5) હેઠળ FIR નોંધી છે.

સમાચાર એજન્સી એએનઆઈએ ભારતીય નૌકાદળના એક નિવેદનને ટાંકીને જણાવ્યું હતું કે,”આ દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનાના કારણની તાત્કાલિક તપાસ કરવા અને પ્રતિમાના સમારકામ, પુનઃસ્થાપિત અને પુનઃસ્થાપન માટે પગલાં લેવા માટે એક ટીમની નિમણૂક કરવામાં આવી છે.”

આ મામલાને લઈને રાજકીય બયાનબાજી પણ ચાલુ છે. પ્રિયંકા ચતુર્વેદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પ્રશ્નોની સૂચિ પોસ્ટ કરી અને લખ્યું, “કોણ કોન્ટ્રાક્ટર હતો? શું તે સાચું છે કે કામ થાણેના કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું હતું? કોન્ટ્રાક્ટર સામે શું પગલાં લેવાશે? કોન્ટ્રાક્ટરે ‘ખોકા સરકાર’ને કેટલા ‘ઘોકા’ આપ્યા?

આ ઘટનાને લઈને અસદુદ્દીન ઓવૈસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા. “નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલ 35 ફૂટ શિવાજી પ્રતિમા આજે તૂટી પડી. આ મોદી સરકાર દ્વારા બનાવવામાં આવેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની નબળી ગુણવત્તા દર્શાવે છે. શિવાજી સમાનતા અને બિનસાંપ્રદાયિકતાના પ્રતીક હતા, તેમની પ્રતિમાનું પતન એ શિવાજીના વિઝન પ્રત્યે નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાના અભાવનું ઉદાહરણ છે’

વડોદરામાં વિશ્વામિત્રી ભયજનક સપાટી પર પહોંચી, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

વડોદરા: જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું છે. અનેક રાજમાર્ગો પર વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યાં છે. સમા ઊર્મિ બ્રિજથી અમિતનગર સર્કલ સુધી વિશ્વામિત્રી નદીના પાણી આવી ગયા છે. મંગલપાંડે રોડ, સમા ગામ, સયાજીગંજ વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થયા છે.વડોદરાની વિશ્વામિત્રી નદીમાં વરસાદી પાણીની ભરપૂર આવક થતા છલકાઈ ગઈ છે. જેના કારણે વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. વડોદરાના વડસર, કારેલીબાગ, મુજમહોડા, ફતેગંજ વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. તંત્રએ આર્મી અને એરફોર્સને સ્ટેન્ડબાય રાખી છે. તે સાથે મ્યુનિસિપલ કમિશનર, મેયર, ચેરમેન, સાંસદ, વિધાનસભા દંડક, ધારાસભ્યો આખી રાત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં બેસી સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે.વરસાદી પાણીના કારણે વિશ્વામિત્રી નદીની સપાટી કાલાઘોડા બ્રિજ પર 32 ફૂટ પર પહોંચી ગઈ છે. જ્યારે સમા હરણી બ્રિજ પર 40.83 ફૂટ, અકોટા બ્રિજ પર 36 ફૂટ, મંગલ પાંડે બ્રીજ પર 35 ફૂટ પર પહોંચી ગઈ છે. અનેક વિસ્તારોમાં નદીના પાણી ફરી વળ્યા છે ત્યારે લોકોને પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક સોસાયટીના ઘરોમાં, દુકાનો, ગોડાઉનમાં પાણી ફરી વળ્યા છે.

નર્મદા ડેમમાં પાણીની ધરખમ આવક, 15 દરવાજા ખોલાયા

રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાય રહ્યો છે. સારા વરસાદને પગલે ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યાં ધરતી પુત્રોમાં ખુશીની લહેરકી જોવા મળી રહી છે. કેટલાક વિસ્તારમાં જળબંબાકાર જેથી સ્થિતિને કારણે જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે. તો બીજી બાજુ સારા વરસાદને પગલે રાજ્યના જળાશયોમાં પણ ધરખમ પાણીની આવક નોંધાય રહી છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાણીની આવક વધતાં ગઈકાલ સુધીમાં ડેમના 9 ગેટ ખોલાયા હતા. જે આજે વધારીને 15 ગેટ ખોલવાની ફરજ પડી ગઈ હતી. ડેમમાંથી આશરે 243923 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.   

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ધરખમ પાણીની આવક નોંધાય છે. ઉલ્લેખીય છે કે પાણીની સારી આવકના પગલે પહેલા ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા હતા, જે આજે સવાર સુધીમાં વધારીને 15 દરવાજા ખોલવામાં આવ્યા છે. નોંધનીય છે કે મોડી રાત સુધીમાં હજુ પાણીની આવક વધે તો વધુ પાણી છોડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને લઈને ગુજરાતના જીવાદોરી સમાન આ નર્મદા ડેમના મોટાભાગના આજુબાજુના 42 ગામડાઓમાં ઍલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગઈકાલે સાંજે ડેમની સપાટી 135.40 મીટરની આજુબાજુ હતી. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર જ છે. ડેમના ઉપરવાસમાં આવેલા વિવિધ ડેમમાંથી વિપુલ પ્રમાણમાં પાણીની આવક થતાં ડેમના સત્તાધીશોએ સિઝનમાં પહેલીવાર 15થી વધુ ગેટ ખોલવાની ફરજ પડી છે. આ 15 ગેટ લગભગ 2.85 મીટર જેટલા ખોલાયા હતા.  

હાલ ઉપરવાસમાંથી 480233 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ ગેટમાંથી 200000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ ઉપરાંત રિવરબેડ પાવર હાઉસમાંથી 43932 ક્યુસેક તેમજ કેનાલ હેડ પાવર હાઉસમાંથી 23142 ક્યુસેક વગેરે મળીને 345932 ક્યુસેક પાણી નદીમાં જાય છે. જેથી નદી બન્ને કાંઠે વહી રહી છે અને નીચાણવાળા વિસ્તારોને ઍલર્ટ કરી દેવામાં આવ્યા છે. 

ચંપાઈ સોરેન 30 ઓગસ્ટે ભાજપમાં જોડાશે

નવી દિલ્હીઃ ઝારખંડના ભૂતપૂર્વ CM ચંપાઈ સોરેને  30 ઓગસ્ટે ભાજપમાં સામેલ થશે, એમ આસામના CM હિમંત બિશ્વા સરમાએ જણાવ્યું હતું. તેમણે ગૃહપ્રધાન અમિત શાહની સાથે સોરેનની સાથે મુલાકાત કરી હતી, જેનો એક ફોટો પોસ્ટ કર્યો હતો.

ભૂતપૂર્વ CM ચંપાઈ સોરેન છેલ્લા ઘણા દિવસોથી હેમંત સોરેનના ઝારખંડ મુક્તિ (JMM) મોરચા સામે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા. આગામી ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024 પહેલાં ચંપાઈ સોરેન સાથે હોવાનો  ભાજપને મોટો ફાયદો થઈ શકે છે.ચંપાઈ સોરેન સોમવારે ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા હતા. તેમની સાથે આસામના CM હિમંતા બિશ્વા શર્મા પણ હાજર હતા. CM હિમંતાએ માહિતી આપી છે કે ઝારખંડના ભૂતપૂર્વ CM અને આપણા દેશના જાણીતા આદિવાસી નેતા ચંપeઈ સોરેન થોડા સમય પહેલાx કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા હતા. ચંપઈ 30 ઓગસ્ટે રાંચીમાં સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે.  ચંપeઈ સોરેને તાજેતરમાં જ કહ્યું હતું કે તેઓ રાજકારણમાંથી નિવૃત્તિ નહીં લે. અધૂરાં કામો પૂરા કરવા માટે તેમના માટે રાજકારણમાં રહેવું જરૂરી છે. તેમણે કહ્યું હતું કે તેઓ એક સપ્તાહમાં તેમના રાજકીય ભવિષ્ય અંગે નિર્ણય લેશે. ચંપાઈએ બે વિકલ્પો આપ્યા હતા – પ્રથમ, એક અલગ સંસ્થા સ્થાપવી અથવા જો અમને કોઈ ભાગીદાર મળે, તો અમે તેની સાથે જોડાઈશું.

હેમંત સોરેનની જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે CM પદ પરથી રાજીનામું આપી દીધું હતું.  જે પછી ચંપઈ સોરેનને ઝારખંડના નવા CM બનાવવામાં આવ્યા હતા. જોકે હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ હેમંત સોરેનને ફરીથી ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા હતા. જેથી આ પછી ચંપાઈ સોરેને રાજીનામું  આપ્યા બાદ હેમંત સોરેન ઝારખંડના CM બન્યા હતા.