Home Blog Page 1538

ભાઈની સગાઈમાં કેવો હતો પ્રિયંકા ચોપરાનો અંદાજ? જુઓ વીડિયો

મુંબઈ: પ્રિયંકા ચોપરા હવે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતું નામ બની ગઈ છે. મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા બાદ અભિનેત્રીએ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને હવે તે હોલીવુડમાં પણ પોતાની ઓળખ બનાવી રહી છે. તેના સ્ટારડમે તેને દુનિયાના સૌથી પાવરફુલ સ્ટાર બનાવી દીધી છે.

નિક જોનાસ સાથે લગ્ન કર્યા પછી પ્રિયંકા વિદેશમાં સ્થાયી થઈ ગઈ, પરંતુ તે અવારનવાર ભારત આવે છે. તાજેતરમાં દેશી ગર્લ તેના ભાઈ સિદ્ધાર્થ ચોપરાની સગાઈ અને લગ્ન સમારોહ માટે મુંબઈ આવી હતી, જેની ઝલક તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી. સિદ્ધાર્થ અને નીલમે પરિવાર અને મિત્રોની હાજરીમાં રજિસ્ટર્ડ લગ્ન કર્યા હતા જેની ઝલક આ વીડિયોમાં જોઈ શકાય છે.

પ્રિયંકાએ તેના ભાઈની સગાઈનો વીડિયો શેર કર્યો

પ્રિયંકા ચોપરાનો ભાઈ સિદ્ધાર્થ નીલમ ઉપાધ્યાય સાથે લગ્ન કરી રહ્યો છે. તાજેતરમાં તેમની રોકા સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી અને હવે તેમની સગાઈની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન પ્રિયંકા ચોપરાએ પણ તેના ભાઈની સગાઈનો વીડિયો શેર કર્યો હતો અને તેને તેના નવા જીવન માટે શુભેચ્છા પાઠવી હતી. અભિનેત્રીએ આ શુભ અવસરનો વીડિયો શેર કર્યો છે, જેમાં વૈશ્વિક સ્ટાર ઓરેન્જ કલરના સૂટમાં જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

ભાઈ-ભાભીએ ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા

વીડિયોમાં પ્રિયંકા ચોપરા તેના પરિવાર સાથે તેના ભાઈની ખુશી માણી રહી છે. શેર કરવામાં આવેલ વિડિયોમાં પ્રિયંકા પ્રથમવાર તેના આખા પરિવાર સાથે ફોટા પડાવતી જોવા મળે છે. આ પછી સિદ્ધાર્થ અને નીલમની કેટલીક ખૂબ જ સુંદર પળોની ઝલક જોવા મળે છે અને ત્યારબાદ અભિનેત્રીના ભાઈ અને ભાભી પ્રિયંકાના પગ સ્પર્શ કરીને આશીર્વાદ લેતા જોઈ શકાય છે, જેના પર અભિનેત્રી બંનેને ગળે લગાવે છે. આ પછી પ્રિયંકા જોરશોરથી ડાન્સ કરતી જોવા મળે છે અને તેના ભાઈને હસાવવાનો પ્રયાસ કરતી પણ જોવા મળે છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે પરિવારનું જોરદાર બોન્ડિંગ

આ સમય દરમિયાન નીલમની પ્રિયંકા, તેની માતા મધુ અને સમગ્ર પરિવાર સાથે જબરદસ્ત બોન્ડિંગ જોવા મળી રહી છે. જો કે, આ વીડિયોમાં પરિણીતી ચોપરા ક્યાંય જોવા મળી ન હતી, જેના કારણે અભિનેત્રીના ચાહકો થોડા દુઃખી છે અને તે જાણવા માંગે છે કે પરિણીતીએ સિદ્ધાર્થની સગાઈમાં શા માટે હાજરી આપી ન હતી. જોકે, અભિનેત્રીના માતા-પિતા ચોક્કસપણે સિદ્ધાર્થ-નીલમની ખુશીમાં જોડાયા હતા અને આ દરમિયાન સિદ્ધાર્થનું તેની કાકી સાથે અદ્ભુત બોન્ડિંગ પણ જોવા મળ્યું હતું. આ વીડિયો પર યુઝર્સની જબરદસ્ત પ્રતિક્રિયાઓ પણ જોવા મળી રહી છે.

ઇસ્કોન મંદિર ખાતે CMએ કરી જન્માષ્ટમીની ઉજવણી

ગઈકાલ થી રાજ્ય સહિત દેશ કૃષ્ણમય બની ગયું છે. પોતાના કાનજીની એક ઝલક માટે લાખોની સંખ્યામાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. ત્યારે આખા દેશ સાથે અમદાવાદમાં ખાતે પણ કૃષ્ણ જન્મની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. ભક્તો મધ્યરાત્રિની પ્રાર્થનામાં ભાગ લે છે. એવું માનવામાં આવે છે કે કૃષ્ણનો જન્મ મધ્યરાત્રિએ થયો હતો. મંદિરોને સુંદર રીતે શણગારવામાં આવ્યા છે અને કૃષ્ણની મૂર્તિઓને નવા વસ્ત્રો અને ઝવેરાતથી શણગારવામાં આવી છે. દેશના ઘણા ભાગોમાં, ખાસ કરીને મહારાષ્ટ્રમાં, ‘દહી હાંડી’ પ્રસંગ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.  

 

અમદાવાદના ઈસ્કોન મંદિર ખાતે પણ કૃષ્ણાનો વિધિવત સાજ શ્રંગાર કરવામાં આવ્યો. હતો ત્યારે ભગવાના શ્રી કૃષ્ણના આ ઔલોકિક દર્શના અર્થે ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા હતા.  અને સામાન્ય જનતા વચ્ચે જઈ સામાન્ય ભક્ત તરીકે ભગવાનના દર્શનો લાહ્વો લીધો હતો. ભક્તોની ભીડ વચ્ચે સંપૂર્ણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પોતાના કાફલા સાથે મુખ્યમંત્રી ઈસ્કોન મંદિર પહોંચ્યા છે. ભગવાનના જન્મોત્સવને લઈને જગતના નાથના મુખ્યમંત્રીએ વધામણાં કર્યા છે અને જગતના નાથની સામે શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા છે. દ્વાપર યુગમાં શ્રાવણ મહિનામાં કૃષ્ણ પક્ષમાં અષ્ટમીની રાત્રે શ્રી કૃષ્ણ પ્રગટ થયા હતા. આ વર્ષે શ્રી કૃષ્ણની 5251મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. તે સમયે વૃષભ રાશિમાં રોહિણી નક્ષત્ર અને ચંદ્ર હતો. આજે રાત્રે પણ રોહિણી નક્ષત્ર અને ચંદ્ર વૃષભ રાશિમાં રહેશે. શ્રી કૃષ્ણ રાત્રે અવતર્યા હતા, તેથી રાત્રે જન્માષ્ટમી ઉજવવાની પરંપરા છે.

આજે પણ 13 જિલ્લામાં રેડ એલર્ટ, ભારે વરસાદની આગાહી

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 31 ઑગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વચ્ચે છેલ્લાં ત્રણ દિવસમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. બીજી તરફ, મંગળવારે પણ સૌરાષ્ટ્રના આઠ જિલ્લા સહિત કુલ 13 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 244 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં નવસારીના ખેરગામમાં 356 મિ.મી., ડાંગના આહવામાં 268 મિ.મી., વલસાડના કરપડામાં 263 મિ.મી., ડાંગના વધઈમાં 251 મિ.મી., વલસાડના ધરમપુરમાં 237 મિ.મી., નર્મદાના ડેડિયાપાડામાં 236 મિ.મી., વલસાડમાં 226 મિ.મી., નર્મદાના સાગબારામાં 225 મિ.મી. વરસાદ ખાબક્યો છે.આજે (27 ઑગસ્ટ) સૌરાષ્ટ્રના કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર જિલ્લા સહિત દાહોદ, પંચમહાલ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, મહીસાગર, ભરૂચ, નર્મદા, સુરત, છોટા ઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, બોટાદ, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રેપ-મર્ડર કેસ વિરુદ્ધ નબન્ના માર્ચઃ ભાજપ-TMC સામસામે

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના કોલકાતા રેપ-હત્યા મામલાના વિરોધમાં પશ્ચિમ બંગા છાત્ર સમાજ સંગઠને નબન્ના અભિયાન કાઢવાનું એલાન કર્યું છે. એ દરમ્યાન વિદ્યાર્થીઓ એક મોટી રેલી કાઢશે. ભાજપે નબન્ના અભિયાનને ટેકો આપ્યો છે. ડાબેરી પક્ષોએ એને ભાજપ અને RSSનું કાવતરું બતાવ્યું છે. આ માર્ચનો મુદ્દો પણ હાઇકોર્ટ પહોંચ્યો છે.

આ માર્ચમાં કોઈ હિંસા ન થાય એ માટે પોલીસ હાઈ એલર્ટ મોડ પર હોવાનું જણાય છે. પશ્ચિમ બંગાળના રાજ્ય સચિવાલયનું નામ નબાન્નો છે. ત્યાં જ મમતા બેનર્જી અને અન્ય ટોચના મંત્રીઓ અને અધિકારીઓની ઓફિસ છે. આથી આંદોલનકારીઓએ રાજ્ય સચિવાલય સુધી વિરોધ માર્ચ કાઢવાની જાહેરાત કરી છે.

નબન્ના અભિયાનને ધ્યાનમાં રાખીને  કોલકાતા પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. આ માટે શહેરમાં 6000થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. આ સિવાય 19 પોઇન્ટ પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે. નબન્ના ભવનની બહાર ત્રિસ્તરીય સુરક્ષા કરવામાં આવી છે. ઓફિસોમાં અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે.

આ ઉપરાંત નબન્ના ભવનની આસપાસ 160થી વધુ DCRF જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. મુખ્ય સચિવ, ગૃહ સચિવ અને DGP નબન્ના ભવનમાં હાજર રહેશે. CM મમતા બેનર્જી પણ નબન્ના ભવન આવી શકે છે.

TMC એ નબન્ના અભિયાનને લઈને ભાજપ પર પ્રહારો કર્યા છે. ભાજપનો દાવો છે કે મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાને બચાવવા માટે પોલીસની મદદ લઈ રહી છે. વિરોધ વચ્ચે પોલીસનું કહેવું છે કે UGCNET પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓ માટે તેમના પરીક્ષા કેન્દ્રો પર પહોંચવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

 

 

 

ગુલશનનું નામ આખરે હોલિવૂડની ‘જંગલ બુક’ માં આવ્યું

ગુલશન ગ્રોવર હિન્દી ફિલ્મોમાં નામ કમાઈ રહ્યો હતો ત્યારે એને હોલિવૂડની ફિલ્મ કરવાનો શોખ જાગ્યો હતો. પહેલી ફિલ્મ એને મળી હતી અને પછી છીનવાઈ ગઈ હતી. પરંતુ એ એના જ નસીબમાં હતી. ગુલશને અનિલ કપૂર સાથે ફિલ્મ ‘હમ પાંચ’ (૧૯૮૦) માં એક હીરો તરીકે જ શરૂઆત કરી હતી. સમય જતાં તે ખલનાયક તરીકે લોકપ્રિય થઈ રહ્યો હતો. તે ફિલ્મોમાં કામ કરવા સાથે સ્ટેજ શૉ કરતો હતો. એક વખત શાહરૂખ અને આમિર ખાનનો એક સ્ટેજ શૉ હતો એમાં ભાગ લેવા ગુલશન અમેરિકા ગયો હતો. ત્યારે એક મિત્રની ભલામણથી ગુલશન હોલિવૂડના નિર્દેશક ડંકનને એમની આગામી ફિલ્મ ‘ધ સેકન્ડ જંગલ બુક: મોગલી એન્ડ બાલૂ’ માટે મળવા એક હોટલમાં ગયો. મળતા પહેલાં વાળ ઓળીને વ્યવસ્થિત થવા એ બાથરૂમમાં ગયો.

ગુલશને વાળ ઓળીને પોતાને ધ્યાનથી અરીસામાં જોયો અને બરાબર દેખાય છે એવો વિશ્વાસ આવ્યો. ત્યાં બાજુમાં જ એક અંગ્રેજ હાથ ધોતા હતા. એમણે પૂછ્યું કે,‘તું ગુલશન ગ્રોવર છે?’ ગુલશનને નવાઈ લાગી. ગુલશને હા પાડી એટલે એમણે સામેથી જ પરિચય આપ્યો કે હું ‘ધ સેકન્ડ જંગલ બુક: મોગલી એન્ડ બાલૂ’ નો નિર્દેશક ડંકન ક્લાર્ક છું અને તું મને જ મળવા આવ્યો છે! મને મારા મિત્રએ કહ્યું હતું કે કોઈ ભારતીય તારી ફિલ્મ માટે મળવા આવે છે. નિર્દેશક ડંકને એક જ મિનિટમાં ફિલ્મ માટે ગુલશનને નક્કી કરી લીધો અને સ્ક્રિપ્ટ આપીને કહ્યું કે ફી અંગે નિર્માતા તારી સાથે વાત કરી લેશે.

ગુલશન ફિલ્મ સ્વીકારીને ભારત આવી ગયો. એક મહિના પછી એનું શુટિંગ શરૂ થવાનું હતું. પછી એને ખબર મળ્યા કે ‘ધ સેકન્ડ જંગલ બુક: મોગલી એન્ડ બાલૂ’ માંથી એને કાઢી મૂકવામાં આવ્યો છે. ગુલશનને ફેક્સ મેસેજ કરીને માફી માગી જાણ કરવામાં આવી હતી કે ફિલ્મના વિતરકે તમારા માટે ના પાડી હોવાથી લઈ શકીએ એમ નથી. ગુલશને કારણ જાણવા ઘણી વખત ફોન કર્યા ત્યારે જાણવા મળ્યું કે એ મોટી અમેરિકન ફિલ્મ હોવાથી વિતરકે એવું કહ્યું હતું કે આ મહત્વની ભૂમિકા માટે કોઈ જાણીતા અમેરિકન કલાકારને લઈને એના ચહેરાને શ્યામ બનાવી ભારતીય તરીકે રજૂ કરો. તમે જાણીતા અભિનેતા ન હોવાથી કાઢવામાં આવ્યા છે.

ગુલશનને હોલિવૂડની પહેલી જ ફિલ્મ ગુમાવવાનું બહુ દુ:ખ થયું હતું. પછી એવું બન્યું કે નિર્દેશકે અમેરિકન અભિનેતાને મેકઅપથી શ્યામ રંગમાં તૈયાર કરી શુટિંગ શરૂ કર્યું. પણ એમને એ ભૂમિકામાં અમેરિકન અભિનેતા બંધબેસતો ના લાગ્યો. નિર્દેશકે નિર્માતાને કહ્યું કે ફિલ્મમાં એ નકલી ભારતીય લાગે છે. મને એ જ ભારતીય અભિનેતા (ગુલશન) જોઈએ છે જેની આંખો પણ મોટી છે. તેથી ફિલ્મ સાથે સંકળાયેલા લોકોની બેઠક યોજાઇ. એમાં નિર્દેશકનો પક્ષ રાખવામાં આવ્યો. છેલ્લે એવો અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યો કે અમેરિકન અભિનેતા નકલી ભારતીય લાગતો હોવાથી કોઈ ફિલ્મ જોવાનું પસંદ કરશે નહીં.

આખરે ગુલશનને લેવાનું નક્કી થયું. નિર્દેશકે ફોન કર્યો કે અમે તને પાછો લેવા માંગીએ છીએ અને આજે જ આવી જા. ગુલશને કહ્યું કે તે આજે આવી શકે નહીં. બીજું કે ઓફર લેખિતમાં આપો. કેમકે પહેલી વખત લઈને કાઢી મૂક્યો હતો. ફેક્સ પર ઓફર આવ્યા પછી તે બીજા દિવસે જવાબ આપશે. અને ફેક્સ મેસેજ આવ્યો એટલે ગુલશને અભિપ્રાય અને પરવાનગી માટે શાહરૂખ ખાનને એ બતાવ્યો. કેમકે એ દિવસોમાં તે ‘યસ બોસ’ (૧૯૯૭) માં એની સાથે કામ કરી રહ્યો હતો. ગુલશને કહ્યું કે તે લાંબા સમયથી હોલિવૂડમાં કામ કરવા પ્રયત્ન કરી રહ્યો છે અને આ મુખ્ય ભૂમિકા છે. શાહરૂખે એને હોલિવૂડની ફિલ્મ કરવા પ્રોત્સાહન આપ્યું એટલું જ નહીં નિર્માતા-નિર્દેશક સાથે વાત કરીને શુટિંગમાંથી રજા પણ અપાવી દીધી. આમ ગુલશને બહુ અજીબ રીતે પોતાની હોલિવૂડની પહેલી ફિલ્મ ‘ધ સેકન્ડ જંગલ બુક: મોગલી એન્ડ બાલૂ’ (૧૯૯૭) ની સ્ટારકાસ્ટમાં પોતાનું નામ ઉમેર્યું હતું.

૨૭ ઓગસ્ટ, ૨૦૨૪

એક નૂર આદમી દસ નૂર કપડાં

એક નૂર આદમી દસ નૂર કપડાં,

લાખ નૂર ટાપટીપ કરોડ નૂર નખરાં

 

આજે જમાનો ભપકાનો છે. માણસમાં આંતરિક નૂર અથવા ક્ષમતા/ગુણ હોય એનાથી જ નથી ચાલતું એ વાત કહેવા માટે આ કહેવત વપરાય છે.

જે પ્રમાણે માણસ જે છે તે કરતાં અનેક ગણો વધારે પ્રભાવી કપડાં અને ટાપટીપથી દેખાય છે, એની અભિવ્યક્તિ અને ટાપટીપ સરવાળે એની છાપ ઊભી કરવામાં ઘણો મોટો ફાળો આપે છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

રાશિ ભવિષ્ય 27/08/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવા માટેની તક મળી શકે છે ,યાત્રા -પ્રવાસ દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે નવીજાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે થોડી ધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે  કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પોરવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામના કરવા.


આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથ સહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી રહી શકે.


આજે થોડી સાવચેતી રાખવી જરૂરી છે, તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચનને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે,  વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું.


આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને સત્કર્મ કરવાની ભાવના જાગે તેવું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છો, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિકબાબતમાં સારું યોગદાન આપવાની ખુશી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, રાબેતામુજબ દિવસ પસાર થાય, કોઈજગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈબહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બને છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ મળી શકે છે.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સંભાળવીના ગમે અને તમે થોડીશાંતિની અપેક્ષા રાખો, વધુપડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, ભક્તિમાં મન પરોવવું સારું.


આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય, તમારી લાગણી અને વિચારો લોકો સારીરીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ સારો પ્રતિભાવ આજે અથવા ભવિષ્યમાં પણ મળે.


આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારીવાત સંભાળવા મળે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય, ધાર્મિકસ્થળની મુલાકાતથી શાંતિ અનુભવાય.


આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામપરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોય તો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે અને તેમાં યોગ્ય સહકાર પણ મળે.


આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટોનિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમેને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.

નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી..

રાત્રે બરાબર 12 વાગ્યે દેશના તમામ કૃષ્ણ મંદિરો નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી જય કન્હૈયા લાલ કી અને શુભ ઘડી આયી, જન્મે કૃષ્ણ કન્હાઈથી ગુંજી ઉઠ્યા. જન્માષ્ટમીનો તહેવાર દેશભરમાં ભારે ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. સર્વત્ર ભક્તો કાન્હાની ભક્તિમાં લીન છે. ભગવાન કૃષ્ણની જન્મજયંતિ પર ચારે બાજુ ખુશીનો માહોલ છે. જન્માષ્ટમી નિમિત્તે તમામ મંદિરો રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યા છે. દરેક કૃષ્ણ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. મંદિરોમાં કૃષ્ણ લીલા અને ભજન થઈ રહ્યા છે.

 

લાડુ ગોપાલને ખાસ મીઠાઈઓ અને વાનગીઓ અર્પણ કરવામાં આવી રહી છે. દેશના ખૂણે ખૂણે મંદિરો સજાવવામાં આવ્યા છે. મંદિરોમાં ટેબ્લો પણ લગાવવામાં આવી છે. નાના બાળકો રાધા-કૃષ્ણની વેશભૂષા ધારણ કરે છે. મંદિરોમાં ભજન-કિર્તનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ કાર્યક્રમોને ભક્તો માણી રહ્યા છે. કૃષ્ણની ભક્તિમાં લીન.

આ મંદિરોમાં જન્માષ્ટમીની વિશેષ ઉજવણી

જો કે સમગ્ર દેશમાં જન્માષ્ટમીનો તહેવાર પૂરા ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે, પરંતુ મથુરા-વૃંદાવન, જગન્નાથ પુરી, દ્વારકાધીશ મંદિર અને તમામ ઈસ્કોન મંદિરોમાં જન્માષ્ટમીના તહેવારનું વિશેષ મહત્વ છે. આ કારણે અહીં આ તહેવારનું વિશેષ મહત્વ છે. જન્માષ્ટમી દરમિયાન આ સ્થળોએ ભવ્ય શણગાર, ભક્તિ સંગીત અને વિશેષ આરતીઓ કરવામાં આવે છે. ભગવાન કૃષ્ણના દર્શન કરવા અને તેમના જન્મના તહેવારની ઉજવણી કરવા માટે ભક્તો દૂર-દૂરથી આ મંદિરોમાં આવે છે. આ મંદિરોમાં જન્માષ્ટમી દરમિયાન આયોજિત ઉત્સવોમાં હજારો લોકો ભાગ લે છે.

શ્રી કૃષ્ણનું જન્મસ્થળ મથુરા

મથુરામાં જન્માષ્ટમીનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર છે. ભવ્ય તૈયારીઓ સાથે, શ્રી કૃષ્ણના જન્મ સમયે શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરમાં ભગવાન કૃષ્ણની મૂર્તિને રત્ન જડિત આભૂષણો, પીળા વસ્ત્રો અને મુગટથી શણગારવામાં આવી હતી.

બાંકે બિહારી મંદિર વૃંદાવન

વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ભગવાન બાંકે બિહારીને મંદિરમાં અનેક પ્રકારના આભૂષણોથી શણગારવામાં આવ્યા છે. મંદિરમાં ભક્તો ભજન-કીર્તન અને અન્ય ધાર્મિક કાર્યક્રમો કરી રહ્યા છે.

ઇસ્કોન મંદિર

ઈસ્કોન મંદિરોમાં જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. અન્ય મંદિરોની જેમ ઇસ્કોન મંદિરોમાં પણ કીર્તન અને સંગીતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભક્તો ભગવાન કૃષ્ણના નામનો જપ કરી રહ્યા છે.

દ્વારકાધીશ મંદિર

દ્વારકાધીશ મંદિરમાં પણ કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે. દ્વારકાને ભગવાન શ્રી કૃષ્ણની નગરી માનવામાં આવે છે. તેથી અહીં જન્માષ્ટમીના તહેવારનું વિશેષ મહત્વ છે. ભગવાન દ્વારકાધીશને મનમોહક ઝવેરાત અને વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે. ગુજરાતના શ્રી દ્વારકાધીશ મંદિરમાં જન્માષ્ટમી પર વિશેષ પૂજા કરવામાં આવી રહી છે.

જગન્નાથ પુરી

ઓડિશાના જગન્નાથ મંદિરમાં જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ભગવાન કૃષ્ણના જન્મની મધ્યરાત્રિએ વિશેષ પૂજા કરવામાં આવે છે. જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓને વિશેષ રીતે શણગારવામાં આવી છે. મંદિરમાં ભગવાનને વિશેષ રીતે તૈયાર કરેલ ભોગ ચઢાવવામાં આવે છે અને પછી ભક્તોમાં વહેંચવામાં આવે છે.

પંચાંગ 27/08/2024