Home Blog Page 1532

બરતરફ IAS ઓફિસર પૂજા ખેડકરની હજી નહીં થાય ધરપકડ

મુંબઈ: બરતરફ IAS ઓફિસર પૂજા ખેડકરને મોટી રાહત આપતા દિલ્હી હાઈકોર્ટે ધરપકડથી વચગાળાની સુરક્ષા 5 સપ્ટેમ્બર સુધી લંબાવી છે. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે ધરપકડમાંથી વચગાળાની રાહતને 29 ઓગસ્ટ સુધી લંબાવી હતી. નોંધનીય છે કે પૂજા ખેડકર પર યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ને આપેલી અરજીમાં તથ્યોને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ છે.

કોર્ટે પોલીસને સમય આપ્યો હતો

મળતી માહિતી મુજબ, દિલ્હી હાઈકોર્ટમાં આજે બરતરફ ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકરની આગોતરા જામીન પર સુનાવણી સ્થગિત કરવામાં આવી હતી. હાઈકોર્ટે દિલ્હી પોલીસને નવો સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા માટે સમય આપ્યો છે. કેસની આગામી સુનાવણી 5 સપ્ટેમ્બરે થશે. છેલ્લી સુનાવણીમાં દિલ્હી પોલીસે પૂજાની આગોતરા જામીન અરજીનો વિરોધ કર્યો હતો. દિલ્હી પોલીસે કહ્યું કે પૂજા પર છેતરપિંડીના ગંભીર આરોપો છે. આ મામલો સિવિલ સેવાઓમાં અનામત વર્ગોના દુરુપયોગને લગતો છે.

હાઈકોર્ટે અગાઉ પણ રાહત આપી હતી

દિલ્હી હાઈકોર્ટે તપાસ એજન્સીને આદેશ આપ્યો હતો કે જ્યાં સુધી કેસ ન્યાયાધીશ ન થાય ત્યાં સુધી પૂજાની ધરપકડ ન કરે. કારણ કે તેની તાત્કાલિક ધરપકડ જરૂરી માનવામાં આવતી નથી. આ કેસની સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદે પૂજા ખેડકરની આગોતરા જામીન અરજી પર સુનાવણી 29 ઓગસ્ટ, 2024 સુધી મુલતવી રાખી હતી. દિલ્હી પોલીસનો જવાબ હજુ સુધી રેકોર્ડ પર દાખલ ન થવાને કારણે આ મુલતવી રાખવામાં આવી હતી.

છેલ્લી સુનાવણીમાં દિલ્હી હાઈકોર્ટે સસ્પેન્ડેડ IAS ઓફિસર પૂજા ખેડકરની આગોતરા જામીન અરજી પર દિલ્હી પોલીસ અને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ને નોટિસ જારી કરી હતી. કોર્ટે અગાઉ અવલોકન કર્યું હતું કે પૂજા ખેડકરને જામીન નકારતા ટ્રાયલ કોર્ટના આદેશમાં પર્યાપ્ત ચર્ચાનો અભાવ હતો, જેમાં અન્ય લોકોની સંડોવણી અંગેના સરકારી વકીલના દાવાનો સંક્ષિપ્ત ઉલ્લેખ હતો. હાઈકોર્ટે પોલીસને આગળની કાર્યવાહી બાકી હોય ત્યાં સુધી ખેડકરની ધરપકડ ન કરવાનો આદેશ આપ્યો છે.

જાપાનમાં શક્તિશાળી વાવાઝોડું ફૂંકાયું: ત્રણનાં મોત

ટોક્યોઃ જાપાનમાં ‘શાનશાન’ વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. જાપાનમાં 252 કિમીની ઝડપે ‘શાનશાન’ વાવાઝોડાથી કેટલાક ભાગોમાં ભારે વરસાદ થયો છે, જેનાથી ત્રણ વ્યક્તિનાં મોત થયું છે અને 40થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ વાવાઝોડાથી અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું હતું. અંદાજે અઢી લાખથી વધુ ઘરોની વીજ કાપી કાઢવામાં આવી હતી આ સાથે  કેટલાય થાંભલા અને વૃક્ષો ધરાશાયી થયા છે. આ વાવાઝોડાથી 10 લાખ લોકો પ્રભાવિત થયા હતા.

જાપાનના હવામાન વિભાગના અધિકારીઓએ દેશના દક્ષિણી ભાગમાં ચેતવણી જારી કરી છે, જ્યાં સૌથી વધુ નુકસાન થવાની ભીતિ છે.  મૌસમ વિજ્ઞાાન એજન્સી કાગોશિમા પ્રિફેકચરમાં ભારે પવનના લીધે દરિયાનાં મોજાં ઊઠવાની એવી ચેતવણી બહાર પાડવામાં આવી છે. કાગોશિમી અને પ્રીફેકચર મિયાજાકિમાં ભારે વરસાદથી પૂરનો ખતરો વધશે.

પ્રાપ્ત માહિતી અનુસાર જાપાનના પશ્ચિમી અને પૂર્વી ભાગોમાં સ્થાનીય સ્તરે ભારે વરસાદ થઈ રહ્યો છે પરંતુ તે વિસ્તારો હજુ તોફાનના ઘેરાવાથી દૂર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ટાયફૂન યાકુશિમા ટાપુથી 70 કિમી દૂર હતું. હવામાન અધિકારીઓએ નદીઓમાં પૂર અને ભૂસ્ખલનથી લોકોને બચવાની ચેતવણી આપી છે.

‘શાનશાન’ વાવાઝોડું ગુરુવાર સુધી કયુશૂ ક્ષેત્રમાં પ્રવેશ કર્યા પછી વધુ શકિતશાળી બની જાય તેવી શકયતા છે. 24 કલાક દરમિયાન દક્ષિણ કયુશુમાં ૬૦૦ મિમી, ઉત્તરી કયુશુ અને શિકોકુમાં 300 મિમી, આમામિ અને તોકાડ ક્ષેત્રમાં 250 મિમી તથા કાંસાઇમાં 150 મિમી સુધી વરસાદ થવાની શકયતા છે. વાવાઝોડાની તીવ્રતાનું પ્રમાણ જોતાં સરકારી આદેશ અનુસાર 219 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઉડાનો રદ કરવામાં આવી છે.

કારઉત્પાદક કંપનીએ પણ પોતાનાં કારખાનાં બંધ રાખવાનો નિર્ણય લીધો છે. સરકાર કાગોશિમા અને મિયાજાકી પ્રાંતોમાંથી આઠ લાખ લોકોને સલામત સ્થળે ખસેડી રહી છે એટલું જ નહીં, રાજધાની ટોકયો સુધી રેલ, બુલેટ ટ્રેન અને પોસ્ટ સેવાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

 

 

SVP હોસ્પિટલમાં એક વર્ષમાં 37 હજાર ઈન્ડોર દર્દી નોંધાયા

અમદાવાદમાં સૌથી સરકારી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ હોસ્પિટલ અધ્યતન સુવિધાથી સર્જ કરવામાં આવી છે. એસ.વી.પી. હોસ્પિટલ લગભગ 750 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે. જેમાં 127 સુપર ડીલકસ બેડ આવેલા છે.આ મોટો ખર્ચ કરી બનાવવામાં આવેલી હોસ્પિટલના દર્દીના આંકડએ લોકોને આશ્ચર્ય ચકિત કરી દીધા છે. મળતી માહિતી અનુસાર આ હોસ્પિટલમાં એક વર્ષમાં માત્ર 37 હજાર ઈન્ડોર દર્દીઓને સારવાર આપવામા આવી હોવાનો મ્યુનિ.બોર્ડ બેઠકમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો.


મ્યુનિ.બોર્ડ બેઠકમાં વિપક્ષનેતાએ શહેરમાં ડેન્ગ્યૂના કારણે બે મોત થયા હોવાની રજુઆત કરી હતી.સાથે જ મ્યુનિ.હસ્તકની હોસ્પિટલોમા ઓ.પી.ડી.તથા ઈન્ડોર દર્દીઓને આપવામા આવતી સારવારનો મુદ્દો આગળ કર્યો હતો.એલ.જી.તથા શારદાબહેન હોસ્પિટલની સરખામણીમાં એસ.વી.પી.હોસ્પિટલમાં ઓછી સંખ્યામા ઈન્ડોર દર્દીઓને એક વર્ષમાં સારવાર આપવામા આવી હોવાનુ કહી આ હોસ્પિટલમાં વધુ સંખ્યામાં દર્દીઓને સારવાર મળે એવી વ્યવસ્થા ગોઠવવા સુચન કર્યુ હતુ.
આંકડાનું પ્રમાણે એક વર્ષમાં વી.એસ હોસ્પિટલમાં ઓ.પી.ડીમાં 461103 લોકોની સારવાર કરવામાં આવી છે. જ્યારે ઈન્ડોર 9165 લોકોની સારવાર કરવામાં આવી છે. તો શારદાબહેન હોસ્પિટલમાં ઓ.પિ.ડીમાં 1059425 અને ઈન્ડોર 58115 દર્દી સારવાર થઈ છે. તો એલ.જી. હોસ્પિટલમાં ઓ.પી.ડીમાં 1465398 અને ઈન્ડોર 118299 દર્દી, અને એસ.વી.પી. હોસ્પિટલમાં 402412 અને ઈન્ડોરમાં 37495 દર્દીના સારવાર થઈ છે.

કોની યાદમાં અને શા માટે ઉજવવામાં આવે છે National Sports Day?

ભારતમાં 29 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય ખેલ દિવસ (National Sports Day) ઉજવવામાં આવે છે. તે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મજયંતિની યાદમાં ઉજવવામાં આવે છે. 2012માં તહેવારના દિવસોની યાદીમાં સૌપ્રથમ તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ દિવસે શારીરિક પ્રવૃત્તિઓ અને રમતગમતના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે ઘણા રાજ્યોમાં ઘણી રમત સ્પર્ધાઓ અને સેમિનારનું આયોજન કરવામાં આવે છે. આ દિવસનો ઉપયોગ વિવિધ સ્પોર્ટ્સ પ્લાન લોન્ચ કરવા માટેના પ્લેટફોર્મ તરીકે પણ થાય છે.

2018માં આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલો ઈન્ડિયા મૂવમેન્ટની શરૂઆત કરી હતી. આ દિવસે દેશના પ્રતિભાશાળી ખેલાડીઓને વિવિધ રમત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવે છે. જેમાં રાજીવ ગાંધી ખેલ રત્ન, અર્જુન એવોર્ડ, ધ્યાનચંદ એવોર્ડ અને દ્રોણાચાર્ય એવોર્ડ જેવા પુરસ્કારોનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત વિશેષ સમારોહમાં આ ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું છે.

આજે ગુરુવાર (29 ઓગસ્ટ 2024) ‘હોકીના જાદુગર’ મેજર ધ્યાનચંદની 119મી જન્મજયંતિ છે. 29 ઓગસ્ટ 1905ના રોજ અલ્હાબાદમાં જન્મેલા ધ્યાનચંદની જન્મજયંતિ પર દેશમાં દર વર્ષે 29 ઓગસ્ટે સ્પોર્ટ્સ ડે ઉજવવામાં આવે છે. આ દેશે સચિન તેંડુલકર, ધનરાજ પિલ્લે, બલબીર સિંહ સિનિયર જેવા રમતના ઘણા સુપરસ્ટાર જોયા છે, પરંતુ ભારતમાં રમતગમતને ટોચ પર લઈ જવામાં હોકીના જાદુગર મેજર ધ્યાનચંદનું વિશેષ યોગદાન છે.

બીજા વિશ્વયુદ્ધ પહેલા ભારતીય હોકી ટીમ વિશ્વ પર પ્રભુત્વ જમાવતી હતી. આમાં ધ્યાનચંદનું વિશેષ યોગદાન હતું. તેમણે 1928, 1932 અને 1936 ઓલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને ઓલિમ્પિક ગોલ્ડ મેડલની હેટ્રિક પૂરી કરી હતી. ભારતીય પુરૂષ હોકી ટીમે ઓલિમ્પિકમાં કુલ 13 મેડલ જીત્યા છે, જેમાં આઠ ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે, પરંતુ 1936ના બર્લિન ઓલિમ્પિકનો ગોલ્ડ કંઈક વધુ ખાસ છે. 1936માં, 15 ઓગસ્ટના એ જ દિવસે ભારતે સરમુખત્યાર હિટલરની સામે દાદા ધ્યાનચંદના નેતૃત્વમાં જર્મનીને 8-1થી હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. હિટલર ધ્યાનચંદની રમતથી એટલો પ્રભાવિત થયો કે તેણે તેને નાગરિકતા આપવાનું પણ નક્કી કર્યું. પણ ધ્યાનચંદ જરા પણ ડગ્યા નહિ. 1936 ઓલિમ્પિક તેમની છેલ્લી ઓલિમ્પિક હતી. તેમના પર અનેક આરોપો લગાવવામાં આવ્યા હતા, પરંતુ આ આરોપો ક્યારેય સાબિત થઈ શક્યા ન હતા.

કારકિર્દીમાં 400 થી વધુ ગોલ

29 ઓગસ્ટ, 1905ના રોજ પ્રયાગરાજ (તત્કાલીન અલાહાબાદ)માં જન્મેલા મેજર ધ્યાનચંદની હોકીના ક્ષેત્રમાં વિશ્વમાં કોઈ સમકક્ષ નહોતું. તેમણે લગભગ 22 વર્ષ સુધી ભારત માટે હોકી રમી અને આ સમયગાળા દરમિયાન 400થી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ કર્યા. તેમણે એકલા હાથે ભારતને સતત ત્રણ ઓલિમ્પિક (1928માં એમ્સ્ટરડેમ, 1932માં લોસ એન્જલસ અને 1936માં બર્લિન)માં હોકીમાં સુવર્ણ ચંદ્રક અપાવ્યું હતું. મેજર ધ્યાનચંદના પિતા આર્મીમાં હતા અને તેના માટે હોકી રમતા હતા. માત્ર 16 વર્ષની ઉંમરે ધ્યાનચંદ પણ સેનામાં જોડાયા હતા. આ સમય દરમિયાન એવું લાગતું હતું કે તેને હોકી સાથે પ્રેમ થઈ ગયો છે. ધ્યાનચંદને વિશ્વના લગભગ 55 દેશોમાંથી 400 થી વધુ એવોર્ડ મળ્યા છે.

જ્યારે હિટલરનો પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો હતો

આ ઘટના વર્ષ 1936માં યોજાયેલા બર્લિન ઓલિમ્પિકની છે. જર્મની સામે રમાયેલી હોકી મેચમાં ભારતે તેના પર 8-1થી શાનદાર જીત નોંધાવી હતી. મેચમાં મેજર ધ્યાનચંદની રમતે જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલરને પણ પ્રભાવિત કર્યા હતા. મેચ પછી હિટલર મેજર ધ્યાનચંદને મળ્યો અને તેમને તેમની સેનામાં વરિષ્ઠ પદની ઓફર કરી. જો કે, તેણે ખૂબ જ નમ્રતાથી હિટલરની ઓફરને નકારી કાઢી. તેણે આ પગલાથી વિશ્વભરમાં પ્રશંસા મેળવી હતી. ધ્યાનચંદની વાત ન સાંભળીને હિટલર ચૂપચાપ ત્યાંથી ચાલ્યો ગયો. ભલે આ મીટિંગ થોડી મિનિટો માટે હતી, પરંતુ તે દર્શાવે છે કે ધ્યાનચંદ માટે તેમના દેશથી મોટું કોઈ સ્થાન નથી.

ભારતીય પુરૂષ હોકી ટીમે 1936માં ચોક્કસપણે સુવર્ણ ચંદ્રક જીત્યો હતો, પરંતુ ધ્યાનચંદ રાષ્ટ્રધ્વજ લહેરાવતા જોયા વિના અંદરથી ઉદાસ હતા. હિટલરે મેડલ વિજેતાઓને પાર્ટી આપી હતી, પરંતુ ધ્યાનચંદ ત્યાં ગયા ન હતા. તે સ્પોર્ટ્સ વિલેજમાં જ બેસી રહ્યા હતા. તેની આંખોમાં આંસુ હતા. જ્યારે ટીમના સાથી ખેલાડીએ તેને પૂછ્યું કે જો આજે ટીમ જીતી છે તો તે શા માટે રડે છે, તો ધ્યાનચંદનો જવાબ હતો કે જો યુનિયન જેક (બ્રિટિશ ભારતનો ધ્વજ) ને બદલે ત્રિરંગો હોત તો તે ખૂબ ખુશ થાત. આ સિદ્ધિઓના કારણે 29 ઓગસ્ટના રોજ તેમના જન્મદિવસને દેશમાં સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે.

૨૯ ઓગસ્ટ, ૨૦૨૪

કબીરના મતે અપરિગ્રહનું મહત્વ

ઉદર સમાતા અન્ન લે, તનહિ સમાતા ચીર,

અધિકહિં સંગ્રહ ના કરે, તિસકા નામ ફકીર.

 

અપરિગ્રહનું મહત્ત્વ દરેક ધર્મમાં દર્શાવ્યું છે. જૈન સાધુઓ તદ્દન અપરિગ્રહી રહી આત્મકલ્યાણના માર્ગે ચાલે છે, પ્રેરણા આપે છે. ઈશુ કહે છે કે, સોયના નાકામાંથી ઊંટ પસાર થઈ શકે પણ તવંગર માટે સ્વર્ગનો માર્ગ સાંકડો પડે છે. ઈસ્લામમાં જકાત-દાન દ્વારા ગરીબ અસહાય બંધુઓ- ભગિનીઓને મદદ કરવા આદેશ છે. ઉપનિષદ- તેન ત્યક્તેન ભુ:જીથાનો ઉપદેશ આપે છે.

પરિગ્રહ હિંસાનું મૂળ છે. કબીરજી ભારતીય સંસ્કારો પ્રમાણે જરૂર પૂરતાં અન્ન, વસ્ત્ર લેનારને વૈરાગી ફકીર કહે છે. ફિકરની ફાકી કરે સૌ ફકીર – જેની વૃત્તિમાં અપરિગ્રહ હોય તેના માટે ત્યાગ સહજ બને છે. પરિગ્રહ ન હોય તો ડર શેનો? અભય અને અહિંસા અપરિગ્રહથી સરળ અને સહજ બને છે. જરૂરથી વધારે સંગ્રહ કરવાની વૃત્તિ મૂડીવાદ છે.

આમાં અનેક જોખમો રહ્યાં છે. આર્થિક વિકાસની દોટમાં મૂલ્યોનો ધસારો થાય છે. ફકીરી અવસ્થામાં આત્માથી આત્મા સંતુષ્ટ રહે, સ્થિર આનંદમાં રહે છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)

રાશિ ભવિષ્ય 29/08/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો તમારો દિવસ સારો છે ઉત્સાહ તમારા વર્તનમાં જ દેખાઈ આવે, તમારા ધાર્યા કામ થઈ શકે છે , વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, કોઈ ધાર્મિકપ્રસંગકે સ્થળ પર જવાના યોગ છે, કોઈ સદ્કાર્યકે દાન કરવાની ઈચ્છા હોય તેપણ ફળીભૂત થવાથી ખુશીની સારી લાગણી અનુભવી શકો.


આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત થઇ શકે અને તેમાં પ્રવાસનું આયોજન થઈ શકે છે, ક્યાંક નાણાકીયખર્ચ થાય, પ્રિયજન સાથે કોઈબાબતમાં વાર્તાલાપમાં બાંધછોડ કરવાની વૃત્તિ તમને લાભ અપાવી શકે છે, વેપારમાં ગણતરી પૂર્વકનુજ કામકાજ કરવું ઇચ્છનીય છે.


આજના દિવસે સાવચેતી રાખવી અને કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, મુસાફરી કંટાળાજનક અને સમયનાવ્યય વાળી બની શકે છે, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, શકય હોયતો ભક્તિમાં સમય વધુ ફાળવવો ઇચ્છનીય છે, એકંદર દિવસ શાંતિથી પસાર કરવો સારો.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવા મળે અને પરિણામે કામપ્રત્યેનો અણગમો અને માનસિકથાકની લાગણી અનુભવાય, ક્યાંકને ક્યાંક ધીરજનો અભાવ વધુ વર્તાય. અગત્યના કામની  વાતચીતમાં ધીરજ અને ગણતરીપૂર્વક કામ કરવું યોગ્ય કહી શક્ય, વેપારમાં નાનું કામ કરવુજ  યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે તમારામાં આત્મવિશ્વાસ સારો જોવા મળે, ભૂતકાળના કોઈ કામની કદર થાય તેમાં તમને સારા સંતોષની લાગણી અનુભવો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે વધુ મેહનતથી સારા ફળ મળે તેવી આશા રાખી શકાય. વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઇ શકે છે.


આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ વાણીસયમ રાખવો જરૂરી છે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, પ્રિયજન સાથે કોઈપણ બાબતપર વાદવિવાદ કરવો ઇચ્છનીય નથી કેમકે તેમની લાગણી દુભાઈ શકે છે, મનને એકાગ્ર કરવાથી શાંતિ અનુભવી શકશો.


આજનો દિવસ સારો છે, તમે તમારા પ્રિયજનને સારીરીતે કોઈબાબતમાં ખુશ કરી થોડું ધાર્યું કામ કરાવી લો તેવું બનવા જોગ છે, વેપારમાં અનુભવ મુજબ કામ લાભ કરાવી શકે છે, નજીકના કોઈ ધાર્મિકસ્થળ કે પ્રસંગમાં જવાથી તમને જૂનીઓળખાણ કે જુનાસ્મરણો તાજા થાય તેવું બની શકે છે.


આજનો દિવસે શાંતિ અને સાવચેતી રાખવી તેમાંપણ ખાસ ગુસ્સાને કાબુમાં રાખવો અને વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારમાં જોખમન કરવું, પ્રિયજન સાથે કોઈવાત બાબત દલીલબાજીન કરવી, ધાર્મિકબાબતમાં મન સ્થિર રાખશોતો શાંતિ સારી રહેશે.


આજનો દિવસ સરસ છે અને તેમાં પણ ભાગ્ય સાથ આપે તેવું કયાંક બની શકે,  વેપારમાં લાભ થઈ શકે છે, ધાર્મિકપ્રસંગકે ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે અને તેમાં કોઈ સદ્કાર્ય કરવાની ભાવના જાગે, જૂનીઓળખાણ તાજી થાય, તમારી પરોપકાર કરવાની વૃતી આજે વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, નાનાકામમાં દિવસ પસાર થઇ જાય તેમજ કામકાજ બાબત વડીલકે ઉપરી  અધિકારી સાથે વાદવિવાદના કરવો. વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાયકે અપશબ્દ પ્રયોગના થાયતે બાબત ધ્યાન રાખવું જરૂરી છે, વેપારમાં નાનું કામ કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રો,પરિચિતો સાથે નવીનકાર્યનું આયોજન થઇ શકે છે તેમજ પ્રવાસ પણ ક્યાંક થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારું રહે, વેપારમાં નાનું કામજ કરવું યોગ્ય કહી શકાય., આજે તમારામાં ધાર્મિકભાવના વધુ જોવા મળે અને ભક્તિ અને દાન કર્મ કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.


આજનો દિવસે ધીરજ અને સાવચેતી રાખવી, તમને નકારત્મકવિચાર વધુ આવી શકે છે, વિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, પાડવા-વાગવાથી સાચવવું, ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, અગત્યની વાતચીતમાં વ્યવહારુ અભિગમ રાખવો ઇચ્છનીય છે, વેપારમાં જોખમથી દુર રહેવું.

પંચાંગ 29/08/2024

પ્રફૂલ પાનસેરિયાએ ટ્રેક્ટરમાં બેસી અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરી

મોરબી: જિલ્લાને મેઘરાજાએ ઘમરોળ્યો છે અને અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. હાલમાં વરસાદ અટક્યો છે  ત્યારે રાજ્યના મંત્રી પ્રફુલ પાનસેરિયાએ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી.

મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયા ટ્રેકટર પર બેસીને ધારાસભ્ય સાથે હરિપર ગામની મુલાકાત કરી. તમને જણાવી દઈએ કે હરિપર ગામમાં બે દિવસથી મચ્છુના પાણી ઘુસી જતા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. ત્યારે મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ગામની મુલાકાત લઈને નુકસાનીની સમીક્ષા કરી છે અને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી છે. મોરબીના હળવદના ઢવાણા ગામે બનેલી દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને CM રાહત ફંડમાંથી રૂપિયા 4 લાખની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે, આ જાહેરાત મોરબીના પ્રભારી અને મંત્રી પ્રફૂલ પાનસેરિયાએ કરી છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા ઢવાણા ગામમાં ટ્રેક્ટરની ટ્રોલી પલટી જતા 17 જેટલા લોકો વરસાદી પાણીમાં તણાઈ ગયા હતા, જેમાં 9 લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.

મોરબી જિલ્લામાં ખેતીના પાક પર પણ મોટુ જોખમ જોવા મળી રહ્યું છે. જિલ્લાની 3.14 લાખ હેકટર જમીનના પાક ઉપર જોખમ દેખાઈ રહ્યું છે. કારણ કે સમગ્ર જિલ્લામાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે અને પીપળીયાથી માળીયા તરફના ખેતરોમાં ચોતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વરસાદી પાણી ભરાઈ જવાના કારણે લોકોને અવરજવર કરવામાં પણ પરેશાની થઈ રહી છે અને લોકો હવે વરસાદથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે

MD આશિષકુમાર ચૌહાણને મોસ્ટ ઈન્ફ્લુયેન્શિયલ CEO 2024 એવોર્ડ

મુંબઈઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના વર્તમાન મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) આશિષકુમાર ચૌહાણને CEO મંથલી -AI ગ્લોબલ મિડિયા દ્વારા “મોસ્ટ ઈન્ફ્લુયેન્શિયલ CEO 2024” સાઉથ એશિયા (નેશનલ ફાઈનાન્સિયલ ટ્રેડિંગ) એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

આ એવોર્ડ તેમના વિઝનરી નેતૃત્વ અને ઉત્કૃષ્ટ કામગીરી કરવાના ગુણોનું પ્રમાણ છે. આશિષ ચૌહાણ NSEના સ્થાપક સભ્યોમાંના એક છે.