મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી અને સાંસદ કંગના રનૌત અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. કંગનાનું નિશાન હંમેશા બોલિવૂડ અને તેની ખામીઓ પર હોય છે. પરંતુ બોલિવૂડની એક અભિનેત્રી એવી પણ છે જેને કંગના ઘણી પસંદ કરે છે. એટલું જ નહીં, કંગનાએ આ અભિનેત્રીના ખૂબ વખાણ પણ કર્યા છે. આ અભિનેત્રી બીજું કોઈ નહીં પણ જયા બચ્ચન છે. કંગના રનૌતે તાજેતરના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જયા બચ્ચન એક અભિનેત્રી છે જેણે બોલિવૂડમાં મહિલા સશક્તિકરણ માટે કામ કર્યું છે. આજે પણ તેમનાથી વધુ સ્વાભિમાની અભિનેત્રી કોઈ નથી.

જય બચ્ચનને મહાન અભિનેત્રી ગણાવી
કંગના રનૌતે જયા બચ્ચનના ખૂબ વખાણ કર્યા છે. ન્યૂઝ18ને આપેલા ઈન્ટરવ્યુમાં જયા બચ્ચનના વખાણ કરતા કંગનાએ કહ્યું, ‘જય બચ્ચન જી બોલિવૂડની અદભૂત અભિનેત્રી રહી છે. ઉદ્યોગમાં તેમની પ્રતિષ્ઠા ઉચ્ચ સ્તરની છે. લોકો તેને એક એવી મહિલા તરીકે ઓળખે છે જે ઝડપથી ગુસ્સે થઈ જાય છે. પરંતુ હું તેમને આ વાતની પુષ્ટિ કરીને શ્રેય આપવા માંગુ છું કે તેમણે મહિલા સશક્તિકરણ માટે ઘણું કામ કર્યું છે. 70ના દાયકામાં જ્યારે અભિનેત્રીને આકરા તડકામાં સળગવું પડતું હતું ત્યારે તેણે ગુડ્ડી જેવી ફિલ્મો કરી હતી અને મહિલાઓને સશક્તિકરણનો સંદેશ આપ્યો હતો. આજે પણ જયા બચ્ચન એક સ્વાભિમાની મહિલા છે. તેણી જે રીતે તેની છબી જાળવી રાખે છે અને રાજ્યસભામાં તેની હાજરીનો અનુભવ કરાવે છે તે ખૂબ જ પ્રેરણાદાયક છે. મને ખૂબ જ આનંદ છે કે જયા બચ્ચન જેવી ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિ આપણી સંસદમાં પોતાના વિચારો વ્યક્ત કરે છે.’
જયા બચ્ચન 20 વર્ષથી સ્ક્રીન પરથી ગાયબ છે
તમને જણાવી દઈએ કે જયા બચ્ચને લગભગ ઘણા વર્ષોથી ફિલ્મથી દૂર રહ્યાં. 1963માં સત્યજીત રેની ફિલ્મ ‘મહાનગર’થી પોતાના કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી જયા બચ્ચને ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું હતું. અડધો ડઝનથી વધુ સુપરહિટ ફિલ્મો આપ્યા બાદ જયા બચ્ચને એક્ટિંગમાંથી બ્રેક લીધો હતો. 2000 ના દાયકામાં તે કરણ જોહર સાથે કેટલાક અન્ય નિર્દેશકોની ફિલ્મોમાં જોવા મળી હતી. જયા બચ્ચન છેલ્લે કરણ જોહરની ‘રૉકી એન્ડ રાની કી પ્રેમ કહાની’માં જોવા મળ્યા હતાં.





પ્રથમ તબક્કાના મતદાન માટે સુરક્ષા દળો અને એજન્સીઓ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ચૂંટણી પંચે વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે પણ ખાસ વ્યવસ્થા કરી છે. દિલ્હી, જમ્મુ અને ઉધમપુરમાં વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે વિશેષ મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે દિલ્હીમાં 4, જમ્મુમાં 19 અને ઉધમપુરમાં 1 વિશેષ મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં કુલ ત્રણ તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં 18મી સપ્ટેમ્બરે એટલે કે આજે મતદાન થઈ રહ્યું છે. બીજા તબક્કામાં 25 સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કામાં 1 ઓક્ટોબરે મતદાન થવાનું છે. આ તમામ તબક્કાના પરિણામો 8 ઓક્ટોબરે આવશે. 90 બેઠકો ધરાવતી વિધાનસભામાં 13 મુખ્ય પક્ષો વચ્ચે હરિફાઈ જોવા મળશે. પ્રાદેશિક પક્ષોમાં મહેબૂબા મુફ્તીની આગેવાની હેઠળની પીડીપી અને ઓમર અબ્દુલ્લાની આગેવાની હેઠળની નેશનલ કોન્ફરન્સ આ ચૂંટણીમાં મુખ્યરૂપે મેદાને છે. નેશનલ કોન્ફરન્સ મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી મેદાનમાં ઉતરી છે.

મા અંબાના નિજ મંદિરે ભક્તો મોટી મોટી ધજાઓ લઈને ચાચર ચોકમાં આવી રહ્યા છે. જેને લઈને સમગ્ર અંબાજી લાલ ધજાઓથી લાલ રંગમાં રંગાઈ ગયું છે. ભક્તો દૂર દૂરથી પદયાત્રા કરીને આવે છે. મા અંબાને ચડાવેલ ધજાઓને અંબાજી મંદિર દ્વારા નિઃશુલ્ક પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવે છે. શિખર પર ચડાવેલ ધજાઓ ભક્તો મા અંબાના પ્રસાદરૂપે સાથે લઈ જાય છે. પોતાના ઘરે, ગામડે અથવા તો ગામના મંદિરના શિખર ઉપર ધજારોહણ કરીને મા અંબાને નવરાત્રીમાં પધારવાનું આમંત્રણ આપે છે.














