સુરત: રતન તાતાનાં પિતા નેવલ ટાટાનો જન્મ સુરતમાં પારસી ઝોરોસ્ટ્રિયન પરિવારમાં. પણ રતન તાતા સુરત માત્ર એકવાર આવેલા. 3 મે, 2018ના ગુરુવારના રોજ એમણે સુરતની મુલાકાત લીધી હતી. જેમાં કતારગામ સ્થિત SRK એક્સપોર્ટમાં ગોવિંદ ધોળકિયા પાસે રતન ટાટાએ હીરા ઉદ્યોગ કઈ રીતે કામ કરે છે, એની માહિતી મેળવી હતી. ગોવિંદભાઈના નિવાસસ્થાને એમના પરિવારને મળવા સાથે ભોજન પણ લીધુ હતું.
રતન ટાટાના સુરત આગમનની પણ રસપ્રદ વાત છે. ગોવિંદ ધોળકિયાની માતાની સ્મૃતિમાં અપાતો “સંતોક્બા એવોર્ડ” એમને અપાયો હતો. આ એવોર્ડ એમને મુંબઈમાં જ સાદગી પૂર્વક સ્વીકાર્યો હતો. એવાર્ડ સ્વીકારતી વખતે જ રતન ટાટાએ કહ્યું હતું કે, મારી પાસે તો વારસામાં સંપતિ આવી હતી અને મે એમાં ઉમેરો કરીને અમારા ગ્રુપને આગળ વધાર્યુ છે પણ ગોવિંદભાઈ તમે શૂન્યમાથી સર્જન કર્યું છે. મારે એ જોવું છે હવે હું સુરત આવીશ જ.

રતન ટાટાની સુરત મુલાકાતના સંસ્મરણો વાગોળતા ગોવિંદ ધોળકિયા ચિત્રલેખા.કોમને કહે છે, 3 મે, 2018નાં રોજ તેઓ સુરત ઍરપોર્ટ પર ઊતરતાં જ સીધા કતારગામ સ્થિત એસ.આર.કે. એમ્પાયર પહોંચ્યા હતા. ત્યાં તેમણે એસ.આર.કે. એમ્પાયરની ત્રણ પેઢીનાં લોકો સાથે સંવાદ કર્યો હતો અને સવાલોના જવાબો આપ્યા હતા. બાદમાં બપોરે રતન ટાટાએ શુદ્ધ ગુજરાતી ભોજન સાથે સુરતી ખમણનો સ્વાદ પણ માણ્યો હતો. એમને ગુજરાતી ઘરની બનાવેલી ઘીથી તરબતર સુખડી ખૂબ ભાવી હતી. એ પછી ધોળકિયા પરિવારના સભ્યો સાથે સવાલ જવાબ પણ કર્યા હતા.
ભારત અને વિશ્વ તમને કઈ રીતે યાદ રાખે? એવા ધોળકિયા પરિવારના એક સભ્યના પ્રશ્નના ઉત્તરમાં રતન ટાટાએ કહ્યું હતું કે, મે કેટલી સંપતિ અને વેપાર વિસ્તાર કર્યો છે એના કરતાં મેં કયા પ્રકારના બદલાવમાં શું યોગદાન આપ્યું એના માટે યાદ રાખે તો મને ગમશે.
ગોવિંદ ધોળકિયા કહે છે, “રતન ટાટાની વિદાય એ કોઈ એક પરિવારની નહીં પણ ભારત નામના પરિવારના સભ્યની વિદાય છે. એ ભારત હતા, ભારતનું રત્ન હતા. સુરતમાં એમની સાથે વિતાવેલા છ કલાક કાયમી સંભારણું રહેશે.”
(અરવિંદ ગોંડલિયા – સુરત)


નોએલ ટાટા તેમના પારિવારિક જોડાણો અને ગ્રૂપની કેટલીક કંપનીઓમાં સામેલગીરીને કારણે ટાટા વારસાને આગળ ધપાવવા માટે મજબૂત દાવેદાર હતા. નોએલ ટાટા પહેલાથી જ સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટી છે. નેવલ અને સિમોન ટાટાના પુત્ર નોએલ ટ્રેન્ટ વોલ્ટાસ, ટાટા ઈન્વેસ્ટમેન્ટ્સ અને ટાટા ઈન્ટરનેશનલના ચેરમેન છે. ટાટા સ્ટીલના વાઇસ ચેરમેન અને સર રતન ટાટા ટ્રસ્ટના બોર્ડમાં પણ છે.
ટાટા ટ્રસ્ટનું મહત્વ અને કદ આ રીતે સમજી શકાય છે કે તે ટાટા ગ્રૂપની ચેરિટેબલ સંસ્થાઓનું એક ગ્રૂપ છે, જે 13 લાખ કરોડ રૂપિયાની આવક સાથે ટાટા ગ્રૂપમાં 66% હિસ્સો ધરાવે છે. આ અંતર્ગત સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટ ટાટા સન્સનો 52% હિસ્સો ધરાવે છે.

આરોપીએ બાઇક સવારને ટક્કર માર્યા બાદ પણ કાર રોકી ન હતી. તેણે ઘાયલ વ્યક્તિને કાર નીચે કચડી નાખ્યો અને ઝડપથી ભાગી ગયો. પોલીસે પહેલા નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરાથી કારની ઓળખ કરી હતી. પછી તેના માલિકને શોધી કાઢ્યો. આરોપીની હડપસર વિસ્તારમાં આવેલા તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી.
હોય. સ્વભાવ સારો ન હોય પણ ધંધાકીય સૂઝ સારી હોય. સુઝ સારી ન હોય પણ દેખાવ અદ્ભુત હોય. ઈશ્વરે દરેક વ્યક્તિને કોઈ એક ખાસિયત આપી છે. જેના લીધે એને સમાજમાં પોતાનું સ્થાન મળી શકે. ક્યારેક એવું બને કે વ્યક્તિમાં બધા જ ગુણ હોય. ત્યારે એ વ્યક્તિ અભિમાની ન બની જાય એવું એણે ધ્યાન રાખવું જોઈએ. પણ કેટલાક લોકો એવા પણ જોવા મળે છે કે એનામાં કોઈ પણ ગુણ ન હોય. એ સતત પોતે સારા છે એ સાબિત કરવા આસપાસના લોકોને રંજાડતા હોય. દેખાવ અને સ્વભાવ બંને વિકૃત હોય. કોઈ આવડત કે સમજણ શક્તિ ન હોય. ગુંડાગીરી કરતા હોય. તો પણ એમને એવું લાગતું હોય કે લોકો એને ચાહે. આવા સમયે લોકોની ફરજ બને છે કે એમને એમની હકીકતો સમજાવે.


આ પ્રકારની પદ્ધતિ ખૂબ જ પ્રચલિત થઈ છે. એના દ્વારા ઘણા લોકોને ફાયદા પણ જોવા મળ્યા છે, જેમ કે વજન ઓછું થવું, કૉલેસ્ટરોલ કન્ટ્રોલમાં આવવું તેમ જ સુગરનું પ્રમાણ પણ નિયંત્રણમાં રહે, વગેરે.

હૈદરાબાદના નામપલ્લીમાં કેટલાક લોકોએ દુર્ગા પંડાલમાં તોડફોડ કરી છે. આરોપીએ દુર્ગા દેવીનો હાથ પણ તોડી દીધો છે. ઘટનાની જાણકારી શુક્રવારે સવારે થઇ હતી. જ્યારે આયોજકો પૂજા કરવા પહોંચ્યા હતા. આયોજકોએ જણાવ્યું હતું કે ગુરૂવારે રાત સુધી પોલીસ ત્યાં હાજર હતી. ઘટના કેટલા વાગ્યાની છે, હજુ સુધી તેની જાણકારી સામે આવી નથી.
જોકે પોલીસનું કહેવું છે કે કેટલાક અજાણ્યા શખ્સોએ દાનપેટીને એક તરફ મુકી હતી. તેનાં કારણે દેવી દુર્ગાની મૂર્તિનો હાથ તૂટી ગયો હોવાનું અનુમાન છે. દેવી શરણ નવરાત્રિ સમારોહના ભાગરૂપે એક્ઝિબિશન સોસાયટીના રહીશો અને કર્મચારીઓ દર વર્ષે દેવીની મૂર્તિ બનાવે છે.
તલાશ છે તે ક્યાં મળે ? તેની ઓળખ શું ? કબીરજી કહે છે કે, “તતવેતા’” જેને મૂળ વસ્તુનું જ્ઞાન છે, સ્વની સાચી ઓળખ છે. જે સત્-રજસ્ અને તમસ્ જેવા તિરગુણથી મુક્ત છે.
ભાઈને પૈસા આપી માતાની હત્યા કરાવી…
