ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખટાશ વચ્ચે જસ્ટિન ટ્રુડોની કબૂલાત સામે આવી છે. ટ્રુડોએ સ્વીકાર્યું છે કે તેમણે નિજ્જરની હત્યા સાથે સંબંધિત પુરાવા ભારતને આપ્યા નથી. ટ્રુડોએ કહ્યું કે તેમણે નિજ્જર હત્યાકાંડ કેસમાં ભારતને માત્ર ગુપ્ત માહિતી જ આપી હતી અને કોઈ નક્કર પુરાવા નથી. કેનેડાના પીએમ ટ્રુડોનું આ નિવેદન એટલા માટે પણ મહત્વનું માનવામાં આવે છે કારણ કે કેનેડા શરૂઆતથી જ દાવો કરી રહ્યું છે કે તેણે નિજ્જર હત્યા કેસના પુરાવા ભારતને આપ્યા છે. જોકે, ભારત કેનેડાના આ દાવાઓને નકારી રહ્યું છે.

જસ્ટિન ટ્રુડો સરકારે ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત પર ઘણા મોટા આરોપ લગાવ્યા હતા, ત્યારથી બંને દેશો વચ્ચે તણાવ હતો. ગયા વર્ષે ડિસેમ્બરમાં ટ્રુડોએ ભારત પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો પણ સામેલ હતા. જ્યારે ભારતે આવા આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા.

ભારતીય વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો હતો
ભારતીય વિદેશ મંત્રાલયે તાજેતરમાં એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે કેનેડા સરકાર આરોપોના પુરાવા શેર કરશે નહીં. ભારતે ટ્રુડો પર વોટ બેંકની રાજનીતિનો આરોપ પણ મૂક્યો હતો અને કહ્યું હતું કે માંગણીઓ છતાં કેનેડાએ નિજ્જરની હત્યા કેસમાં ભારતની સંડોવણી અંગે કોઈ નક્કર પુરાવા રજૂ કર્યા નથી.
કેનેડાના સાંસદે ટ્રુડોના રાજીનામાની માંગ કરી
ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે કેનેડાની લિબરલ પાર્ટીના સાંસદ સીન કેસીએ પણ આગામી ચૂંટણી પહેલા વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના પક્ષના વડા પદ પરથી રાજીનામું આપવાની માંગ કરી છે. સાંસદે કહ્યું, લોકો માને છે કે બહુ થયું, તેઓ તેમનાથી કંટાળી ગયા છે અને તેમનું રાજીનામું ઈચ્છે છે.






30-મિનિટની ફિલ્મ, રીહા (અનલૉક) એક અપમાનજનક લગ્નમાં ફસાયેલી મુસ્લિમ મહિલાની ભાવનાત્મક અને જટિલ સફરને દર્શાવવામાં આવી છે. એક મહિલા પોતાના પરિણીત જીવનમાં કેટલાંક સંઘર્ષો સામે ઝઝૂમી રહી હોય છે. આ દરમિયાન એક ટ્રિપલ તલાક પીડિત મહિલા તેમની પાસે મદદ માગવા માટે આવે છે. આ બંન્ને મહિલાઓના રસ્તાઓ અલગ-અલગ હતા, પરંતુ મંજિલ એક જ હતી. બંન્ને પોતાના જીવનમાં સ્વતંત્રતાની ઝંખના કરી રહી હતી.
ફિલ્મના ડિરેક્ટર અરાસ્તુ ઝાકિયાનું કહેવું છે કે, “આ ફિલ્મ મેં મારી માતાના સંધર્ષને એક શ્રદ્ધાંજલિ તરીકે અર્પણ કરી છે. ખાસ કરીને મને બચાવવા બદલ હું તેમનો આભાર માનું છું. દેશભરની લાખો મહિલાઓને સશક્ત બનાવવા માટે સંયુક્તપણે શરૂ કરેલી એક ચળવળનું તેમણે નેતૃત્વ કર્યું છે. તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં નાવેદ અસલમ, વારા રતુરી અને આલોક ગાગડેકર સાથે જાણીતા કલાકારો ઈન્દુ શર્મા અને અશ્વથ ભટ્ટ છે. આ દરેક કલાકારે પોતાના પાત્રોના સંઘર્ષને, વાર્તાની તીવ્રતા અને સૂક્ષ્મતાને પડદા પર બખૂબી રીતે દર્શાવી છે.”
‘રીહા’ ફિલ્મનું પ્રીમિયર ભારતના એકમાત્ર ઓસ્કાર-ક્વોલિફાઈંગ ફિલ્મ ફેસ્ટિવલ, ‘બેંગાલુરૂ ઈન્ટરનેશનલ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ (BISFF)’ માં થયું હતું. તેમજ ફિલ્મ આગામી 19મી ઓક્ટોબરના રોજ સિએટલમાં આયોજિત વિશ્વના એકમાત્ર સાઉથ એશિયન ઓસ્કાર-ક્વોલિફાઈંગ ફિલ્મ ફેસ્ટિવલ, Tasveer ખાતે પ્રદર્શિત કરવામાં આવશે. નવેમ્બરમાં ધર્મશાલા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (DIFF)માં સ્ક્રીનિંગ કરવા માટે પણ તેની પસંદગી કરવામાં આવી છે.
આ અંગે દર્શકોનો આભાર માનતા અરાસ્તુ ઝાકિયાએ કહ્યું કે, ” વિશ્વભરના દર્શકોને ફિલ્મ પસંદ આવી રહી છે તેના માટે મારી પાસે કૃતજ્ઞતા વ્યક્ત કરવા સિવાય બીજું કંઈ નથી. પરંપરાગત, પ્રણાલીગત અન્યાય સામે ઉભરી રહેલી કેટલીક સામાન્ય મહિલાઓની તાકાતને હવે વિશ્વના પડદે પ્રોત્સાહન મળી રહ્યું છે. તે ખરેખર બહુ જ મોટી વાત છે.”
