મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ મહાવિકાસ અઘાડીમાં ભાગલા પડવાની દહેશત છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) આગામી મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી એકલા હાથે લડી શકે છે. ઉદ્ધવ ઠાકરે ટૂંક સમયમાં મહાવિકાસ અઘાડી (MVA) છોડવાનો નિર્ણય લઈ શકે છે.

શું કહે છે MVA નેતાઓ?
શિવસેના (UBT) પાર્ટી MVA છોડવા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઉદ્ધવ ઠાકરે જૂથના એક નેતાએ કહ્યું છે કે તે નગરપાલિકાની ચૂંટણી અલગથી લડવાનું વિચારી રહ્યો છે. શિવસેના ભવિષ્યમાં તમામ ચૂંટણી એકલા હાથે લડી શકે છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ ગઈકાલે શિવસેના ઉદ્ધવના સ્ટેન્ડ પર બોલવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે બાળાસાહેબ થોરાટ અને વિજય વડેટ્ટીવારે કહ્યું હતું કે તમામ પક્ષોને અલગથી લડવાનો અધિકાર છે. આ માટે પક્ષો પોતાનું સ્ટેન્ડ બદલી શકે છે.
ઉદ્ધવ પર MVA છોડવાનું દબાણ
શિવસેના (UBT) આગામી મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી એકલા હાથે લડવાની તૈયારી કરી રહી છે. શિવસેના (UBT)ના કાર્યકરો તેમજ ચૂંટણી હારેલા ઉમેદવારો અને જેઓ જીત્યા હતા તેઓએ પણ ઉદ્ધવ ઠાકરેને મહા વિકાસ અઘાડી (MVA) જલ્દી છોડવા વિનંતી કરી છે. જો કે ઉ દ્ધવ ઠાકરેએ હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. કોંગ્રેસ સાથે સરકાર બનાવવાને કારણે એકનાથ શિંદે અને તેમની સાથે ચાલીસ ધારાસભ્યોએ બળવો કરીને ઉદ્ધવને આંચકો આપ્યો છે, આવી સ્થિતિમાં ઉદ્ધવ શું નિર્ણય લે છે તે જોવું રહ્યું.
સંજય રાઉતે શું કહ્યું?
જ્યારે શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતને પૂછવામાં આવ્યું કે શું શિવસેના આગામી BMC ચૂંટણી એકલા લડશે કે MVAના ભાગરૂપે? તો તેમણે કહ્યું- “તમે લોકો શા માટે ચિંતિત છો? હવે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. અમે જોઈશું, અમને ખબર છે કે શું કરવું છે. MVA નેતાઓ BMC ચૂંટણી અંગે નિર્ણય લેવામાં સક્ષમ છે.”















પોલીસે લોકોને શાંતિ જાળવવા અને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. પોલીસે કહ્યું છે કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં વધુ માહિતી આપવામાં આવશે.

ઉજ્જૈનથી આવેલ રંગમંચના કલાકાર ઇવાન ખાને પોતાનું હાસ્ય અને એબ્સર્ડ નાટક ‘ધ કાર્નિવલ ઓફ ડેથ’ પ્રસ્તૃત કર્યુ. અસ્તિત્વવાદના વિચાર અને તેની આસપાસની કટોકટીને વ્યંગાત્મક રીતે વર્ણવતા આ નાટકમાં કોવિડ-૧૯ પછી લોકોએ ભોગવવી પડેલી હાલાકી, યુદ્ધ, જંગલોનો વિનાશ અને દિવસેને દિવસે વિકરાળ બની રહેલ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા અંગે વાત કરી હતી.
મુનાફ લુહારે પોતાની ઈન્ડી/સમકાલીન સંગીત પ્રસ્તૃતિ ‘ઈશ્ક કે સાત મકામ’દ્વારા બહુપક્ષીય અભિગમ દ્વારા પ્રેમની જટિલ અને સૂક્ષ્મ બાબતોને ઉજાગર કરી. આ પ્રસ્તૃતિમાં પ્રેમના સાત તબક્કાઓને સંગીત, કવિતા અને વાર્તાની શૈલીમાં રજૂ કરીને દર્શાવવામાં આવ્યા હતા.
વિઝ્યુઅલ આર્ટ ઈન્સ્ટોલેશન
મુંબઈની સુકન્યા નિજસુરે પોતાના સર્જન ‘ઈકોસ ઓફ ટ્રાન્સફોર્મેશન’ દ્વારા દર્શકોને ખંડિત સુંદરતા અને સ્થિતિસ્થાપકતાની દુનિયાની સફરે લઈ જાય છે. પ્રકૃતિમાંથી મળેલ તૂટેલા પાંદડાઓથી પ્રેરાઈને કલાકાર આ તત્વોને જટિલ, ચિંતનશીલ કલાકૃતિમાં બદલી નાખે છે. સુકન્યા નિજસુરેનું માનવું છે કે આ કલાકૃતિઓ સંઘર્ષ અને વિકાસના સાર્વત્રિક માનવીય અનુભવ સાથે જોડાયેલ છે. પોતાની કલાકૃતિઓમાં અર્ધ-વાસ્તવિક બિલાડીઓ અને કાગડાઓનો સમાવેશ કરીને તેઓ આત્મનિરીક્ષણનું એક સ્તર ઉમેર્યું છે, જે હતાશા અને ચિંતા સાથેની પોતાની લડાઈઓને પ્રતિબિંબિત કરે છે.