Home Blog Page 1271

ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વ પરિવર્તનની માગને કોંગ્રેસે ફગાવી

નવી દિલ્હીઃ હરિયાણા, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મળેલી સજ્જડ હાર પછી ઇન્ડિયા ગઠબંધનની અંદર બધું સમુંસૂતરું નથી. TMC ચીફ અને પશ્ચિમ બંગાળનાં CM મમતા બેનરજે હાલમાં જ ગઠબંધનનું સુકાન સંભાળવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમના નિવેદન પછી ગઠબંધનના અન્ય સાથીઓએ પણ કોંગ્રેસવિરોધી સૂર વ્યક્ત કર્યા હતા. મહારાષ્ટ્રમાં શિવસેના UBTથી નારાજ SPએ MVAથી અલગ થવાનું એલાન કર્યું છે. પ્રાદેશિક પક્ષો પણ કોંગ્રેસ દ્વારા કમાન સાંભળવાથી નજરે નથી પડતા.

TMC સાંસદ કીર્તિ આઝાદે કોંગ્રેસના સુકાન સંભાળવા પર સવાલો ઊભા કર્યા હતા. તેમણે TMCનાં નેતા મમતા બેનરજીને ગઠબંધનના અધ્યક્ષ બનાવવા માગ કરી હતી. તેમણે કહ્યું હતું કે હાલના સમયે ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વ પરિવર્તનને લઈને ગંભીર ચર્ચા થઈ રહી છે.બીજી બાજુ મમતા બેનરજીને શરદ પવારે ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે મમતા બેનરજીને ઇન્ડિયા બ્લોકના અધ્યક્ષ બનાવવા જોઈએ.તેમણે નેતૃત્વ પરિવર્તનની વકીલાત કરી હતી. આ સાથે મમતા બેનરજીને શિવસેના UBTએ પણ ટેકો આપ્યો હતો.

બીજી બાજુ, કોંગ્રેસનું કહેવું છે કે તે મમતાના દબાણમાં નહીં આવે. ઇન્ડિયા ગઠબંધનની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ સહયોગીઓના દબાણ સામે નહીં ઝૂકે. કોંગ્રેસ નેતૃત્વએ નક્કી કર્યું છે કે કોઈ દબાણમાં પાર્ટી નહીં આવે. કોઈની સામે નિવેદનબાજી નથી કરવી, ભલે અન્ય પાર્ટીઓ એને ઉશ્કેરતી રહે. આગામી દોઢ વર્ષ જે રાજ્યોમાં ચૂંટણી છે, ત્યાં કોંગ્રેસને ઇન્ડિયા બ્લોકથી વધુ લેવા-દેવા નથી.

Up કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ અજય રાયે કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ મોટા ભાઈની ભૂમિકામાં હતી અને હંમેશાં રહેશે. રાહુલ ગાંધી અમારા નેતા છે અને નેતા રહેશે.

BCCIમાં ક્યા પૂર્વ ક્રિકેટરે લીધું જય શાહનું સ્થાન?

નવી દિલ્હી: BCCIના પ્રમુખ તરીકે રોજર બિન્નીની નિમણુક કરવામાં આવી છે. રોજર બિન્નીએ દેવજીત સૈકિયાને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના કાર્યકારી સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. જય શાહે 1 ડિસેમ્બરથી ICCના નવા અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. જ્યાં સુધી સચિવ પદ પર કાયમી ધોરણે કોઈની નિમણૂક ન થાય ત્યાં સુધી દેવજીત સૈકિયા વચગાળાના સચિવ પદ પર રહેશે. જય શાહ વર્ષ 2019થી બીસીસીઆઈના સેક્રેટરી પદ પર હતા.

કોણ છે દેવજીત સૈકિયા?
દેવજીત સૈકિયા ભારતમાં પ્રથમ કક્ષાના ક્રિકેટર રહી ચૂક્યા છે અને તેમની પાસે ક્રિકેટ એડમિનિસ્ટ્રેશનનો પણ અનુભવ છે. તેઓ આસામથી આવે છે અને તેમણે રણજી ટ્રોફીમાં પણ પોતાના રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું છે. સાયકિયા પોતાની ક્રિકેટ કારકિર્દી દરમિયાન વિકેટકીપર અને મિડલ ઓર્ડર બેટ્સમેનની ભૂમિકા ભજવતા હતા. તેઓ વર્ષ 2022થી BCCIના સંયુક્ત સચિવ છે અને જય શાહના નેતૃત્વમાં ઘણા મોટા કાર્યો કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આ સિવાય સાયકિયા મે 2023થી ગુવાહાટી સ્પોર્ટ્સ એસોસિએશન (GSA)ના જનરલ સેક્રેટરીનું પદ સંભાળી રહ્યા છે.

જંત્રીના સૂચિત વધારા મુદ્દે ગુજરાતભરમાં બિલ્ડર્સ વિરોધ

રાજ્ય સરકાર દ્વારા જંત્રીના સૂચિત દરમાં કરાયેલા તોતિંગ વધારાની સામે બિલ્ડર્સે હવે સરકાર સામે બાંયો ચડાવી છે. સરકારે વાંધા અરજી રજૂ કરવા માટેની મુદત તો એક મહિનો વધારી આપી છે. આ ઉપરાંત CREDAI દ્વારા અરજી માટે ઓફલાઈન વિકલ્પ આપવા સહિતની અન્ય માગણીઓ પણ કરવામાં આવી છે. જંત્રીદરમાં કરાયેલા સૂચિત વધારાનો જો અમલ કરવામાં આવે તો મકાનના ભાવમાં 30થી 40 ટકાનો વધારો થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે સામાન્ય માણસનું ઘરના ઘરનું સ્વપન અધૂરું રહી જાય એમ છે, જેથી ક્રેડાઈ દ્વારા આ અસહ્ય વધારો પરત લેવાની માગ કરવામાં આવી છે. જંત્રીદરમાં કરાયેલા સૂચિત વધારાના વિરોધમાં આજે ક્રેડાઈ, બિલ્ડર એસોસિયેશન દ્વારા અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતનાં શહેરોમાં રેલી યોજી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા નવી સૂચિત જંત્રીમાં સરેરાશ 200થી 2000 ટકા સુધીનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આ જંત્રીના અમલ સામે ક્રેડાઇ અને બિલ્ડર એસોસિયેશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ જંત્રી કોઇપણ સંજોગોમાં સ્વીકારવા લાયક નથી એવું નક્કી કરી રાજકોટના બિલ્ડરો દ્વારા રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જંત્રી વધારો પાછો ખેંચવા તેમજ આ જંત્રીનો અમલ 31 માર્ચ સુધી રોકી દેવા અનુરોધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ છેલ્લા 6 મહિનાથી રાજકોટ બાંધકામ વ્યવસાય મૃતપાય હાલતમાં હોવાનો દાવો રાજકોટ બિલ્ડર એસોશિએશન દ્વારા કરવામાં આવ્યો છે અને આના થકી મનપાને આ વર્ષે 50થી 100 કરોડનું નુકશાન થશે જયારે સરકારને પણ સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં મોટો ઘટાડો થવાનો છે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા જંત્રીના નવા સૂચિત દરના કારણે શહેરનો વિકાસ રૂંધાય કે વધારે ધીમો થાય તેવી શક્યતાઓને લઈ આજે આ દરો પરત લેવાઇ તેવી માંગ સાથે વડોદરા બિલ્ડર અને ડેવલોપર્સ ભેગા મળી રેલી સ્વરૂપે આજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી હતી. જેમાં મોટી સંખ્યામાં બિલ્ડરો અને ડેવલોપર્સ સહિત અસરગ્રત ખેડૂતો હાજર રહ્યા હતા. બીજી બાજુ સુરતના બિલ્ડરો દ્વારા આજે મોટી સંખ્યામાં જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપીને જંત્રીમાં કરેલા ધરખમ વધારાને લઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ગાંધીનગરના બિલ્ડરો પણ મેદાને, કલેકટરને આવેદન આપી ભાવ વધારો પાછો ખેંચવા માંગ કરી છે.

Syed Mushtaq Ali Trophy: શમીના જોરદાર પ્રદર્શનને કારણે બંગાળ જીત્યું

બેંગલુરુ: સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024ની પ્રથમ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પશ્ચિમ બંગાળે ચંદીગઢને 3 રનેહરાવ્યું છે. આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. બંગાળ તરફથી છેલ્લી ઓવર સયાન ઘોષે ફેંકી હતી. તેની આ ઓવર ગેમ ચેન્જર સાબિત થઈ. બંગાળ માટે મોહમ્મદ શમીએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. બેટિંગ બાદ તેણે બોલિંગમાં પણ તાકાત બતાવી.પ્રથમ બેટિંગ કરતા બંગાળે 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ચંદીગઢની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 156 રન જ બનાવી શકી હતી. તેના માટે રાજ બાવાએ સૌથી વધુ 32 રન બનાવ્યા હતા. 20 બોલનો સામનો કરીને તેણે 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. પ્રદીપ યાદવે 19 બોલનો સામનો કરીને 27 રન બનાવ્યા હતા. કેપ્ટન મનન વોહરાએ 23 રનની ઇનિંગ રમી હતી. અંતમાં સંદીપ શર્મા અને નિશંક બિરલા અણનમ રહ્યા હતા.પ્રથમ બેટિંગ કરતા બંગાળે 20 ઓવરમાં 159 રન બનાવ્યા હતા. આ દરમિયાન મોહમ્મદ શમીએ ટીમ માટે જોરદાર પ્રદર્શન કર્યું હતું. શમીએ 17 બોલનો સામનો કર્યો અને અણનમ 32 રન બનાવ્યા. આ ઇનિંગ દરમિયાન તેણે 3 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. બંગાળ માટે કરણ લાલાએ પણ સારી ઇનિંગ રમી હતી. બંગાળ તરફથી શમીએ અણનમ 32 રન બનાવ્યા હતા. આ પછી તેણે બોલિંગમાં પણ શાનદાર ટેલેન્ટ બતાવ્યું. તેણે 4 ઓવરમાં માત્ર 25 રન આપીને 1 વિકેટ લીધી હતી.

ખાનગી સ્કૂલોમાં શિક્ષણ ખર્ચમાં સરેરાશ ત્રણ ગણો વધારો

નવી દિલ્હીઃ દેશમાં શિક્ષણનું ખાનગીકરણ ઝડપથી વધી રહ્યું છે. પહેલાં સરકારી સ્કૂલોમાં વધુ બાળકો શિક્ષણ પ્રાપ્ત કરતા હતા, હવે ખાનગી સ્કૂલોમાં શિક્ષણ મેળવતાં બાળકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. એને કારણે ખાનગી સ્કૂલોની માગ વધી છે અને એ સાથે એ સ્કૂલોમાં લેવાતી ફીમાં પણ વધારો થયો છે. જોકે સામે પક્ષે મધ્યમ વર્ગની આવકમાં એટલો વધારો નથી થયો.

દેશમાં ખાનગી સ્કૂલોમાં ફીમાં છેલ્લાં ત્રણ વર્ષમાં 50-થી 300 ટકા સુધીનો વધારો થતો જોવા મળ્યો છે. દિલ્હી, મુંબઈ, બેંગલોર અને હૈદરાબાદ જેવાં શહેરોમાં ખાનગી સ્કૂલોની ફી સરેરાશ 10-12 ટકાના દરે વાર્ષિક વધી છે. આ વધારો આર્થિક મંદી છતાં સતત જારી છે. દાખલા તરીકે દિલ્હીની કેટલીક ખાનગી સ્કૂલોમાં છેલ્લાં ત્રણ વર્ષોમાં ફીમાં ત્રણ ગણો વધારો થયો છે. અનેક સ્કૂલોએ કોરોના રોગચાળા દરમ્યાન ઓનલાઇન શિક્ષણ માટે વધારાનો ચાર્જ વસૂલ્યો હતો અને હવે ઓફલાઇન શિક્ષણ શરૂ થયા પછી પણ ચાર્જમાં કોઈ ઘટાડો નથી કર્યો.

આ વધારેલી ફીમાં માત્ર ટ્યુશન ફી જ નહીં, બલકે એડમિશન ફી, સ્પોર્ટ્સ એક્ટિવિટી, પુસ્તકો, યુનિફોર્મ, ટ્રાન્સપોર્ટેશન અને અન્ય આવશ્યક સેવાઓની ફી સામેલ છે. એક અંદાજ અનુસાર એક મધ્યમ વર્ગના પરિવાર માટે બાળકોને ખાનગી સ્કૂલમાં શિક્ષણ આશરે 20-25 ટકા વધુ મોંઘું થયું છે. આની સામે ભારતીય પરિવારોની સરેરાશ માસિક આવક આશરે રૂ. 30,000થી રૂ. 50,000ની વચ્ચે છે, એમ ભારતીય અર્થતંત્રનો સર્વે કહે છે.  આ મોટાં શહેરોમાં રહેતા પરિવારો માટે શિક્ષણના ખર્ચને પરવડે એવા નથી.

અલ્લુ અર્જુનની આ વાત પર ગદ્દગદ્દ થયા અમિતાભ બચ્ચન

મુંબઈ: અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મે તેની રિલીઝના માત્ર ચાર દિવસમાં તમામ ભાષાઓમાં કુલ રૂ. 529.45 કરોડની કમાણી કરી છે, જેનાથી તે રૂ. 500 કરોડના ક્લબમાં પહોંચવામાં સૌથી ઝડપી બની છે.

અલ્લુ અર્જુને બિગ બીના વખાણ કર્યા હતા
હાલમાં જ ફિલ્મના પ્રમોશન દરમિયાન અલ્લુ અર્જુને બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનના વખાણ કર્યા હતા. જ્યારે પૂછવામાં આવ્યું કે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમને કયા કલાકારો પ્રેરિત કરે છે, અલ્લુએ કહ્યું, “અમિતાભ જી મને સૌથી વધુ પ્રેરિત કરે છે. અમે બાળપણથી જ તેમની ફિલ્મો જોઈને મોટા થયા છીએ. મોટા થયા પછી તેમણે અમારા પર ઊંડી અસર કરી. હું તેનો મોટો પ્રશંસક છું. આ ઉંમરે તે જે રીતે અભિનય કરી રહ્યા છે તે ખરેખર અદ્ભુત છે.”x

અમિતાભે જવાબ આપ્યો
અલ્લુ અર્જુનના આ શબ્દો સાંભળીને અમિતાભ બચ્ચન પણ અભિભૂત થઈ ગયા. તેણે તેના ભૂતપૂર્વના એકાઉન્ટ પર એક ભાવનાત્મક પોસ્ટ લખી, જેમાં તેણે કહ્યું, “અલ્લુ અર્જુન જી, હું તમારા આ શબ્દોથી ખૂબ જ અભિભૂત છું. તમે મને મારી લાયકાત કરતાં વધુ આપ્યું છે. અમે બધા તમારા કામ અને પ્રતિભાના મોટા પ્રશંસક છીએ. તમે અમને બધાને પ્રેરણા આપતા રહો. તમારી સતત સફળતા માટે મારી પ્રાર્થના અને શુભેચ્છાઓ.”

બિગ બી કલ્કિ 2898 એડીમાં જોવા મળ્યા હતા
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ વર્ષે અમિતાભ બચ્ચન ‘કલ્કી 2898 એડી’માં જોવા મળ્યા હતા. તેણે ફિલ્મમાં જબરદસ્ત એક્શન સીન્સ આપ્યા હતા. આ ફિલ્મમાં તેની સાથે પ્રભાસ, દીપિકા પાદુકોણ અને કમલ હાસન પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.

સચિનને લગ્નનું આમંત્રણ આપવા પી.વી. સિંધુ મુંબઈ પહોંચી

મુંબઈ: ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુ ટૂંક સમયમાં લગ્નના તાંતણે બંધાવા જઈ રહી છે. તે હાલમાં જ ટીમ ઈન્ડિયાના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના ઘરે પહોંચી હતી. સિંધુએ સચિનને ​​લગ્ન માટે આમંત્રણ આપ્યું છે. સિંધુ સાથે તેના ભાવિ પતિ વેંકટ દત્તા સાઈ પણ પહોંચ્યા હતા. સચિને સિંધુને શુભેચ્છા આપતા સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી છે. તેમાં એક ફોટો પણ લગાવેલ છે. સિંધુ 22 ડિસેમ્બરે લગ્ન કરશે.

સિંધુ ભારતની સ્ટાર ખેલાડી છે. તેના પરિવારે તાજેતરમાં જ લગ્નની પુષ્ટિ કરી હતી. સિંધુની મેચના શેડ્યૂલને ધ્યાનમાં લેતા તેમાં થોડો ફેરફાર થઈ શકે છે. હાલમાં લગ્નની તારીખ 22મી ડિસેમ્બર છે. આ પછી 24મી ડિસેમ્બરે રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સિંધુના લગ્ન હૈદરાબાદમાં થશે. તેના ભાવિ પતિ વેંકટ દત્ત સાઈ એક કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે.

રાજનાથ સિંહ મોસ્કો પહોંચ્યા, રાષ્ટ્રપતિ પુતિન સાથે કરશે મુલાકાત

મોસ્કો: ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ રશિયાની સત્તાવાર મુલાકાતે પહોંચ્યા છે. તેમની મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય નૌકાદળમાં સ્ટીલ્થ યુદ્ધ જહાજને સામેલ કરવાનો છે. સાથે જ ભારત અને રશિયા વચ્ચે 21મી આંતર-સરકારી સૈન્ય અને તકનીકી સહયોગ બેઠકમાં ભાગ લેવાનો છે. રવિવારે મોડી રાત્રે મોસ્કો પહોંચતા, ભારતીય રાજદૂત વિનય કુમાર અને રશિયાના નાયબ સંરક્ષણ પ્રધાન એલેક્ઝાન્ડર ફોમિને તેમનું સ્વાગત કર્યું હતું.રાજનાથ સિંહે મોસ્કોમાં ‘ટોમ્બ ઓફ ધ અનોન સોલ્જર’ની મુલાકાત લીધી અને બીજા વિશ્વ યુદ્ધમાં શહીદ થયેલા સોવિયત સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. આ શ્રદ્ધાંજલિ ભારત અને રશિયા વચ્ચેના મજબૂત ઐતિહાસિક અને વ્યૂહાત્મક સંબંધોને દર્શાવે છે. આ સાથે રાજનાથ સિંહે ભારતીય સમુદાયના સભ્યો સાથે પણ વાતચીત કરી અને તેમના અનુભવો અને યોગદાનની પ્રશંસા કરી.આ મુલાકાત દરમિયાન, સંરક્ષણ પ્રધાન ભારતીય નૌકાદળના નવીનતમ મલ્ટી-રોલ સ્ટેલ્થ ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ ‘INS તુશીલ’ના કમિશનિંગ સમારોહમાં પણ ભાગ લેશે. આ જહાજ ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો કરશે. આ દરમિયાન તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળશે અને તેમની સાથે સૈન્ય-તકનીકી સહયોગ અંગે ચર્ચા કરશે.સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને તેમના રશિયન સમકક્ષ આન્દ્રે બેલોસોવ 21મી આંતર-સરકારી સૈન્ય તકનીકી સહયોગ બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. આ બેઠક બંને દેશો વચ્ચે વિશેષ અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાનો પ્રયાસ છે. ભારત અને રશિયા વચ્ચેના સૈન્ય સંબંધો દાયકાઓથી ઘણા સારા છે અને આ મુલાકાત તેમને વધુ મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. સોશિયલ મીડિયા પર તેમની મુલાકાત વિશે માહિતી શેર કરતી વખતે રાજનાથ સિંહે કહ્યું કે તેઓ આ મુલાકાતથી ઉત્સાહિત છે અને તે ભારત-રશિયા સંરક્ષણ સંબંધોને વધુ ગાઢ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

નસબંધી કાંડમાં અધિકારીઓના નિવેદનમાં વિરોધાભાસના કારણે વિવાદ

ગુજરાતમાં આરોગ્ય વ્યવસ્થા પાછલા ઘણા સમયથી ખુબ ચર્ચામાં છે નકલી ડોક્ટર, નકલી ઓપરેશન બાદ હવે જાણ બાર લોકોની નસબંધી કરવાની કરી દેવાનું કાંડ પ્રકાશમાં આવ્યું છે. મજૂરીની લાલચમાં બે યુવકોની નસબંધી કરી દેવાતાં આરોગ્ય વિભાગ શંકાના ઘેરામાં આવ્યુ છે. જોકે, આ ઘટનામાં આરોગ્ય મંત્રી અને આરોગ્ય અધિકારીના નિવેદનમાં વિરોધાભાસ ઉભો થયો જેના કારણે વિવાદ સર્જાયો છે. કેમ કે, આરોગ્ય મંત્રીએ ખુલાસો કર્યો છે કે, નસબંધીના ઓપરેશનમાં કોઇ ટાર્ગેટ અપાતા નથી. જયારે આરોગ્ય અધિકારીએ એવો ફોડ પાડ્યો કે, ટાર્ગેટ વિના આ બધું શક્ય જ નથી.

મહેસાણા જીલ્લાના નવી શેઢાવી ગામમાં એક અપરિણીત યુવકને દારૂ પીવડાવીને બારોબાર નસબંધી કરી દેવાતાં હોબાળો મચ્યો છે. આ ઉપરાંત આ જ વિસ્તારના જમનાપુર ગામમાં એક પરિણીતને ખેતરમાં મજૂરીની લાલચ આપીને સરકારી હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં જાણ બહાર યુવકની નસબંધી કરી દેવામાં આવી હતી. આ બે ઘટના બાદ આરોગ્યમંત્રી ૠષિકેષ પટેલે એવો ખુલાસો કર્યો હતોકે, છેલ્લાં 20 વર્ષથી આ કામગીરી ચાલી રહી છે. નસબંધી માટે ટાર્ગેટ આપવાની વાત સદંતર ખોટી છે. સ્વૈચ્છિક રીતે નસબંધી કરાવે તો પુરુષને રૂ.2 હજાર પુરસ્કાર પેટે આપવામાં આવે છે જ્યારે વર્કરને નસબંધીના ઓપરેશન દીઠ રૂ.200 ચૂકવવામાં આવે છે.

જ્યારે બીજી બાજુ આરોગ્ય અધિકારી જી.બી. ગઢવીનું કહેવું છે કે, ટાર્ગેટ વિના આ શક્ય જ નથી. સાબરકાંઠામાં ટાર્ગેટના આધારે જ 375 નસબંધીના ઓપરેશન થયા છે. ટૂંકમાં આરોગ્ય અધિકારીએ કુટુંબ નિયોજનની કામગીરીમાં સરકાર ટાર્ગેટ આપે છે તે વાતનો સ્વિકાર કર્યો હતો. અડાલજ સરકારી હોસ્પિટલમાં છેલ્લાં 12 દિવસમાં 29 પુરુષોની નસબંધીના ઓપરેશન કરવામાં આવ્યા હતાં. 26મી નવેમ્બરે સાત અને 29મી નવેમ્બરે 16 ઓપરેશન કરાયા હતાં. આમ, નસબંધી કાંડને કારણે આરોગ્ય વિભાગ વિવાદમાં સપડાયુ છે.

Syria Civil War: અમેરિકાએ ISISના ઠેકાણો પર બોમ્બમારો કર્યો

સીરિયા: અસદ સરકારના પતન બાદ અમેરિકાએ સીરિયામાં હાજર ISIS હેઠળના 75 ઠેકાણા પર હુમલો કર્યો છે. બીજી તરફ ઈઝરાયલે પણ આશરે 100થી વધારે ઠેકાણા પર હુમલા કર્યાં છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું, “અમેરિકાએ સીરિયામાં હાજર ISIS ના ઠેકાણા પર ડઝનથી વધારે સ્ટ્રાઇક કરી છે. અમેરિકન એરફોર્સના બી-52 સ્ટ્રેટોફોર્ટેસ બૉમ્બર, એફ-15 ઈ સ્ટ્રાઇક ઈગલ્સ અને એ-10 થંડરબોલ્ટ-2 ફાઇટર જેટે સેન્ટ્રલ સીરિયામાં ઇસ્લામિક સ્ટેટના નેતાઓ, લડવૈયા અને શિબિરો પર ડઝનથી વધારે હવાઈ હુમલા કર્યાં છે.”અમેરિકન અધિકારીએ એમ પણ કહ્યું, “અમે ISISના હુમલાખોરો અને નેતાઓના સમૂહને નિશાનો બનાવ્યા છે. તેમાં સામાન્ય નાગરિકોને નુકસાન પહોંચ્યું નથી. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ અનુસાર, અમેરિકન સેના હજુ પણ સ્ટ્રાઇકથી થયેલા નુકસાનની આકરણી કરી રહી છે.”