લખનૌઃ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં ઘર, મસ્જિદ અને મદરેસાઓમાં ગેરકાયદે રીતે વીજચોરી થતી હતી. લોકો એક ફદિયું પણ વીજ બિલ નહોતા જમા કરતા. આ ઘરોમાં ગેરકાયદે રીતે વીજપુરવઠો પણ થઈ રહ્યો હતો. વહીવટી તંત્રને આની જાણ થતાં જિલ્લાધિકારી અને પોલીસ અધિકારીએ કાર્યવાહી માટે ચાર્જ સંભાળ્યો હતો. ત્યાર બાદ વીજ ચોરીના 176 લોકો દોષી માલૂમ પડ્યા હતા. એમાં ચાર મસ્જિદ અને એક મદરેસા પણ સામેલ છે. કુલ રૂ. 3.45 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
વીજ વિભાગની ટીમની સાથે વહીવટી અધિકારી અને પોલીસ ટીમની હાજરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દીપા સરાય મહોલ્લા, મિયાં સરાય, રાયસત્તી અને હિન્દુખેડામાં કરવામાં આવ્યા હતા, જેમાં મોટા પાયે વીજ ચોર પકડવામાં આવ્યા હતા. વહીવટી તંત્રએ વીજ ચોરી કેસમાં દંડ વસૂલવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે.
એક મસ્જિદમાં ચોરીની વીજ સાથે આશરે 150 ઘરોમાં એ વીજ પુરવઠો પહોંચાડાતો હતો. મસ્જિદને એક રીતે વીજ ઘર બનાવી દેવામાં આવ્યું હતું, કેમ કે મસ્જિદની ઉપર વાયરોનો ગુચ્છો મળ્યો હતો. જોકે કાર્યવાહીની સૂચના મળતાં લોકોએ ઘર કે થાંભલા પરથી કેબલ કનેક્શનને કાપી નાખ્યાં હતાં. આ ઉપરાંત વિવિધ સ્થાનોએ કેબલ કાપવાનાં નિશાન મળ્યાં હતાં, જેનાથી અંદાજ છે કે આશરે 300 ઘરોમાં વીજ ચોરી કરવામાં આવતી હતી. વીજ વિભાગના અધિયારીઓએ SP સાંસદ જિયાઉર્રહેમાન બર્કના વિસ્તારમાં વીજ ચેકિંગ ઝુંબેશ ચલાવી હતી, જેમાં મોટા પાયે વીજ ચોરી પકડવામાં આવી હતી.




તે જીવો ખાસ છે જેમના પર આવા ખતરનાક અકસ્માતની કોઈ વિપરીત અસર થઈ નથી. આ શોધથી વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા છે. ચેર્નોબિલ એક્સક્લુઝન ઝોન (CEZ)માં કેટલાક માઇક્રોસ્કોપિક જંતુઓ મળી આવ્યા છે. એટલે કે નેમાટોડ્સ. તેમના શરીર પર રેડિયેશનની કોઈ અસર થતી નથી. જો કોઈ વ્યક્તિ આ કુદરતી ટેકનિક અપનાવે તો તેને પણ રેડિયેશનની અસર નહીં થાય. હવે વૈજ્ઞાનિકો આ બાબતનો અભ્યાસ કરી રહ્યા છે.
વૈજ્ઞાનિકોએ ચેર્નોબિલની આસપાસમાંથી એકત્ર કરેલા નેમાટોડ્સ તેમના શરીર પર રેડિયેશનની કોઈ અસર દર્શાવતા ન હતા. આ જોઈને વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત થઈ ગયા. જ્યારે આ સંપૂર્ણપણે અશક્ય બાબત હતી. અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ કહ્યું કે CEZ અન્ય જીવો માટે સુરક્ષિત નથી, પરંતુ આ જંતુઓ અહીં સંપૂર્ણપણે સુરક્ષિત છે.
એપ્રિલ 1986માં પરમાણુ વિસ્ફોટ બાદ ચાર્નોબિલ નજીક આવેલું શહેર પ્રિપિયત હજુ પણ ખાલી છે. અહીં જવા માટે સરકારની પરવાનગી લેવી પડે છે. અહીં, વૃક્ષો, છોડ અને પ્રાણીઓ બધા વિસ્ફોટ પછી ફેલાયેલા રેડિયેશનની પકડમાં આવી ગયા છે. જેના કારણે મ્યુટેશન, કેન્સર અને મૃત્યુ જેવી ઘટનાઓ જોવા મળી હતી.
સોફિયાએ કહ્યું કે ચેર્નોબિલ અકસ્માતની સરખામણી કરી શકાય નહીં. તેની સ્થાનિક વસ્તી પર નોંધપાત્ર અસર પડી છે. વસ્તી માત્ર માણસોની નથી પણ પ્રાણીઓની પણ છે. અહીં કિરણોત્સર્ગી પ્રકૃતિએ તેની સાથે રહેવા માટે યોગ્ય જીવોની પસંદગી કરી છે. તેમને રહેવા યોગ્ય બનાવવા માટે તેમના પર્યાવરણમાં ફેરફાર કરવાની ફરજ પાડવામાં આવી છે. જેમ કે કેટલાક કૂતરાઓના જનીનો પરિવર્તિત થઈ ગયા. તેઓને રેડિયેશનની અસર થઈ હતી.
સોફિયા અને તેના સાથીદારોને ચેર્નોબિલ નજીક ઓશિઅસ ટિપુલા પ્રજાતિના નેમાટોડ્સ મળ્યા છે જે જમીનમાં રહે છે. સોફિયાએ સડેલા ફળો, પાંદડાં અને માટીમાંથી સેંકડો જંતુઓના નમૂના એકત્ર કર્યા છે. તેઓ ગીગર કાઉન્ટર્સ સાથે રેડિયેશન માટે પરીક્ષણ કરવામાં આવ્યા હતા. ત્યાંથી એકત્ર કરાયેલા 300 જંતુઓનું લેબમાં સંવર્ધન કરવામાં આવ્યું હતું. 15 નમૂનાઓની જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવી હતી. આની ફિલિપાઇન્સ, જર્મની, અમેરિકા, મોરેશિયસ અને ઓસ્ટ્રેલિયાના જંતુઓના જીનોમ સિક્વન્સ સાથે સરખામણી કરવામાં આવી હતી. નવાઈની વાત એ હતી કે તેઓ બધા સરખા હતા. રેડિયેશનની કોઈ અસર નહોતી.









